Sunday, March 22, 2020



કોરોનાનો પ્રકોપ
                                                                          વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે ૨૨મી માર્ચ ૨૦૨૦ ના દિવસે જનતા કરફયુ રાખવાની લોકોને અપીલ કરી હતી. લોકોને પોતાના ઘરોમાંજ રહેવાનું જણાવ્યું હતું. લોકોએ એનો સકારત્મક પ્રતિભાવ પણ આપ્યો. એમાં લોકોને  કોરોના વાયરસ સામે સજાગ અને લડવા માટે  એકત્રિત કરવાનો ઉદ્દેશ છે, ભારત એ દિવસે પ્રવૃત્તિ હીન ,અવાજ વિહીન,  ભેંકાર અને વેરાન જેવું  લાગ્યું .



એનું નીચેની કવિતામાં તાદૃશ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોરોનાની કરામત
 ચારે બાજુ શાંતિ અને રસ્તાઓ ભેંકાર પડયા
 જાણે કોઈ દૈત્યના આગમનના   છાયા  પડયા
 માનવી, વાહન ,અને  પ્રાણીઓ  ક્યાંય  ના  દેખાય
 મોતના ભયંકર  ખોફમાં જાણે કયા ગુમ થયા
 જ્યા અવાજોના તાંડવોમાં પક્ષીઓના કલરવને  જગ્યા  ન હતી
 ત્યાં આજે  પક્ષીઓના કલરવ સિવાય કોઈ અવાજ સંભળાય ન અહીં
 ચારે બાજુ સુનકાર વચ્ચે કદી  કદી  સરકારી વાહનો દેખાય
 એબ્યુલન્સની સાઇરાનની  અચાનક  કરુણ ચીસો સુણાય
 હસતું , રમતું  ઉલ્લાસમય  શહેર જ્યા ધમધમતું  હતું.
 ત્યાં આજે  એ રાક્ષસી રોગના ચિત્કારઓ  સંભળાય અહીં
 ભલે એ વિશ્વ વ્યાપી  રાક્ષસી  રોગ  ભયંકર હશે
 પણ લોકોની શક્તિએ એને ભીડવાનું બીડું ઝડપી લીધું છે આજે.
  ભારત દેસાઈ 
                        *****************************
     

Tuesday, March 17, 2020


મા
                                                                                                            માની દ્રષ્ટિમાં એના બાળકો માટે  પ્રેમ, મમતા, વાત્સલ્ય, હંમેશ રહે છે. એનું બાળક ગમે તેટલું  પ્રભાવશાળી કેમ ન હોય  તો પણ માની  દ્રષ્ટિમાં એ બાળક જ રહે છે. એની મમતા માની લેછે કે એના બાળકને હર હાલતમાં એના પ્રેમ, અને દોરવણીની જરૂરે છે.એ સમજવાને તૈયાર નથી કે એવો સમય પણ આવેછે કે જ્યારે એના બાળકો એને અને દુનિયાને પણ દોરવી શકે છે. મહાન માણસો પણ માના પ્રેમ અને બલિદાન માટે એના પગોમાં એનું માથું ટેકવી દે છે. એવો એક પણ મનુષ્ય બતાવો કે જે એની માને પ્રેમ ન કરતો હોય ?
                                             ઇતિહાસમાં એના દાખલાઓ જોવા જવું પડે એમ નથી. ઇસાક ન્યૂટનનને  એની માં હંમેશ ટોકટી કે 'સફરજન ખાતા પહેલા સાફ કરવાનું  ન ચૂકતો. જાણે એનો દીકરો નાનો કીકલો ન હો . આર્ચિમેડીસ ને એની માએ એકવાર લેવડાવતા પૂછ્યું  હતું કે ' તને બાથરૂમથી તે ઘર સુધી ગલીમાં  નાગા નાગા ચાલી આવતા શરમ નથી આવતી ?  થોમસ એડિશન પણ  'મા' આક્રોશનો ભોગ બની જતા . એક વખત એને લેવડાવતા કહી દીધું હતું કે ' તે ઇલેક્ટ્રિક  બલ્બ શોધ્યો એનો મને ગર્વ છે પણ હવે એને બંધ કરી ને સુવા જાય તો  સારું.'
                                              અબ્રાહમ લિંકન જયારે અમેરિકાના પ્રમુખ ચૂંટાયા ત્યારે એની માએ
એને કહી દીધું ' તારો પેલો ગંદો કોટ  અને નકામી   હેટ મહેબાની કરીને ફેકી દેજે. હવે જરા સ્વચ્છ અને સુઘડ દેખાવાનો પ્રયત્ન કર '   એકવાર ગ્રેહામ બેલને એની માએ લેવડાવતા કહ્યું  કે' તે આ વિચિત્ર અને નવી વસ્તુ  ઘરમાં ઉભી કરી તો દીધી છે. પણ તારી સ્ત્રી મિત્રો ગમે તે વખતે એના પર તારી સાથે વાત કરે એ મને મંજુર  નથી'  ટેલિફોનની શોધ કરનારની એની માની આગળ કેટલી કફોડી હાલત હતી. ટેલિસકોપેના  શોધક  ગેલેલિઓની માએ એની કરુણ મજાક કરી હતી. 'તારા સાધન વડે ચંદ્રને જોવાથી શું ફાયદો, જો એના થકી હું મિલાનમાં રહેતી  મારી માનું  મુખ ન જોઈ શકું ?' તે છતાં ગેલિલિયો જરૂર એની માને વ્હાલથી ભેટી પડ્યો હશે .' આખરે મા તે મા હોય  છે.'

                                                      માઈકલ એન્જલો વિશ્વના મહાન પેઈન્ટર હતા એમના છત પર દોરેલા ચિત્રો પણ કલાના અજબ નમૂના  છે. એ નાના બાળક હતા ત્યારથી ચિત્રો દોરે જતા. કદાચ એમણે એમના ઘરના છતથી જ ચિત્રો દોરવાની શરુરત કરી હશે એનાથી એની મા ઘણી હેરાન થતી. એક વાર ગુસ્સામાં એણે માઈકલ એન્જલોને લેવડાવતા કહ્યું ' બીજા બાળકોની જેમ દીવાલ પર ચિત્રો દોરાતા શું થાય છે ? તને ખબર નથી કે ઘરની છત દોરેલા ચિત્રને કાઢતા મારો દમ નીકળી જાય છે'. આતો ફક્ત માની આગળ દુનિયાના મહાન પેઈન્ટરની શું હાલત હતી એનું અનુમાન આવી શકે છે.
                                                            પરંતુ મહાન અને સફળ માણસો માના બલિદાન માટે એમની બધી મહાનતા અને સફળતા  એના ચરણોમાં અર્પિત કરી દે છે. અને એની કોઈ પણ ટીકાને  પ્રેમના પુષ્પ સમજી સ્વીકારી લે છે.  માના નિસ્વાર્થ  પ્રેમ  અને  બલિદાન આગળ મહાનતા તુચ્છ છે.
                                       ********************************       

Wednesday, March 11, 2020


કિડની
                                                                                              મનુષ્યના શરીરમાં કિડની એ અગત્યનું  અંગ છે. એની કાળજી લેવી એકદમ આવશ્યક છે. માણસની કેટલીક કુટેવો આવા અગત્યના અંગને  નુકશાન પહોંચાડે છે. કિડનીના  બગાડથી માનવ જીવન છિન્નભિન્ન થઇ જાય છે.
                                                  કિડની બગડે એટલે શરીરની શુદ્ધિ કરણ કરનારી ક્રિયા બંધ થઇ જાય છે અને શરીર  પર એની ભયાનક અસર થાય છે.  ઘણા તો મૃત્યુને આધીન પણ થાય છે. અત્યારે આધુનિક પદ્ધતિ પ્રમાણે મશીનની મદદથી શુદ્ધિ કરણ કરવામાં આવે છે પરંતુ એ પદ્ધતિ માનવી માટે ઘણી પીડા દાયક હોય છે. તે ઉપરાંત ડાયાલિસિસમાં સારો એવો વખત જાય છે જેથી માનવી હેરાન પરેશાન થઇ જાય છે.

                                                એવી ઘણી ટેવો અને વ્યસનઓ છે જેનાથી કિડનીને નુકશાન થાય છે. ઘણી વાર કામમાં વ્યસ્ત લોકો એક જગા પર બેસી રહે છે અને પીસાબને રોકી રાખે છે. આવી સ્થિતિમાં લાંબે ગાળે કિડનીને નુકશાન થાય છે. વધારે પડતું ધ્રુમપાન , અને દારૂની લત માણસની કિડનીને નુકશાન પહોંચાડે છે.
                                                  વધારે પ્રમાણમાં  સુગર , મીઠું , અને પ્રોટીન ખાવાથી પણ કિડની પર આડ અસર થાય છે.  ઘણા લોકો દુખાવાથી બચવા માટે પેઇનકિલરના વધુ પડતી ગોળીઓ લેતા હોય છે એ પણ કિડની માટે નુકશાન કારક હોય છે .
                                                   જો તમે નિયમિત રીતે ઓછામાં ઓછી  ૬ કલાકની  ઊંઘ ન લેતા હો તો પણ કિડની માટે નુકશાન કારક હોય છે. ઊંઘ દરમિયાન કિડની એની શરીર શુદ્ધિ કરણની ક્રિયા વધુ ગતિથી કરતી હોય છે. શરીર શુદ્ધિકરણમાં લોહીનું શુદ્ધિ કરણ પણ ચાલૂ હોય  છે. આથી પુરા પ્રમાણમાં ઊંઘની આવશક્યતા જરૂરી છે.
                                                     તે ઉપરાંત આખા દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી  કિડનીને એ સહાય પહોંચાડી શકે.  તે ઉપરાંત આવશ્યક કસરતો નિયમિત રીતે કરવાથી  કિડનીની ક્રિયા મજબૂત બની રહે છે. ટૂંકમાં કુટેવોને  દૂર કરી , તંદુરસ્ત ખોરાક લેવાની  ટેવો જ કિડનીને તંદુરસ્ત રાખી શકે છે.
                                        ************************** 
                                                    

Sunday, March 1, 2020


મોરારજી દેસાઈ -૧૨૪ મી  જન્મ   સંવત્સરી 
                                                                                       પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈની  ૧૨૪ મી જન્મ સંવત્સરી  ૨૯ મી ફેબ્રુઆરી ૨૦૨૦ ના દિવસે પસાર થઇ ગઈ. એમને એમના જન્મ દિવસે મળવું જોઈએ એટલું મહત્વ મીડિયા અને વર્તમાનપત્રમાં ન મળ્યું.  એમને લગતા કાર્યક્રમોને ટીવીએ પણ એટલું મહત્વ ન આપ્યું  એમાં  એમની  નહિ પણ દેશની  કમનસીબી છે.  આજે દેશ જે લોકશાહીના મીઠા ફળ ખાઈ રહ્યો છે તે એમને આભારી છે.
                                                                   આપાતકાળ દરમિયાન ભારતીય લોકશાહી પાટા પરથી ઉત્તરી ગઈ હતી ત્યારે એમણે એનો સખત વિરોધ નોંધાવીને ઈન્દિરાજીને હાથે કારાવાસ ભોગવવો પડ્યો હતો. એ કારાવાસ દરમિયાન પણ એમણે આત્મા પરીક્ષણ કરી એમની કેટલીયે ઉણપોને સુધારી હતી એવું એમણે કબુલ્યું .  તે છતાં એમણે હિંમતપૂર્વક સંજોગોનો સામનો કરી સરકારને નમતું  જોખ્યું ન હતું. એજ એમનું પ્રબળ વ્યક્તિત્વ બતાવે છે. એમની  ઉચ્ચ આધ્યાત્મિકતાએ પણ એમાં  મદદરૂપ બની હતી.
                                                                   આપાતકાળ ઉઠાવી લેતા જયારે તેમની મુક્તિ થઇ ત્યારે એમનું જુદુંજ  સ્વરૂપ જોવા મળ્યું હતું.  ઈન્દિરાજી સામે ચૂંટણીમાં જીત્યા બાદ તેઓ વડા પ્રધાન  તરીકે ચૂંટાયા અને રાજની ધુરા હાથમાં લીધી.  તેઓ રાજકીય પ્રતિસ્પર્ધીઓ તરફ  ઉદાર અને નરમ રીતે વર્તતા હતા. ઈન્દિરાજીને પણ ખાતરી આપી હતીકે જ્યા સુધી એમની સામેના આક્ષેપો પુરવાર નહિ થાય ત્યાં સુધી એમને કોઈ હાથ નહિ લગાડી શકશે.  ટૂંકમાં મોરારજીભાઈ મુંબઈ રાજ્યના  મુખ્ય પ્રધાન તરીકે  અને ભારત સરકારની પ્રધાન તરીકે જે કડકાઈ અને કઠણાઈથી કામ લેતા  હતા એ તત્વ એમાં દેખાતું ન હતું.  તેઓ વહીવટમાં  વધારે લોકશાહીને  મહત્વ આપતા હતા.  એ  એમના વ્યક્તિવાનું સકારાત્મક પાસું બન્યું હતું.  એનો ગેરલાભ પણ એમના રાજકીય પ્રતિસ્પર્ધીઓએ  લીધો હતો અને એમની સરકારને ઉથલાવી પાડવામાં નિમિત્તમાત્ર  બની રહ્યું હતું.
                                                               તે છતાં એમણે બંધારણમાં  ઘરખમ ફેરફારો કાર્ય. કોઈ પણ સરકાર પાર્લિયામેન્ટની  બહુમતી સિવાય ' ઈમરજંસી' દાખલ ન કરી શકે એવું બંધારણમાં  આયોજન કર્યું .કોર્ટોને પણ વધુ સત્તાઓ આપવામાં આવી જેથી તેઓ પણ જરૂરી એવી બાબતોમાં સૂચના આપી શકે. આથી ત્યારબાદ કોર્ટો હવે વધુ સક્રિય  બની છે અને રામજન્મ ભૂમિનો ચુકાદો એનો જીવતો જાગતો નમૂનો છે.   વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ  કોર્ટની  બાબતમાં મોરારજીભાઈને યોગ્ય ક્રેડિટ આપી છે.
                                                              એક  વખત  એવો  હતો જયારે મોરારજીભાઇના નહેરુ સાથેના સબંધો બહુજ સારા હતા પરંતુ નહેરુના વંશવાદી વિચારોનો  એમણે વિરોધ કર્યો હતો. આથી નારાજ થઇ નેહરુએ કામરાજ યોજના લાવી મોરજીભાઈને યુક્તિપૂર્વક પ્રધાનમંડળમાંથી બહાર કર્યા હતા. ત્યારથી એમની નહેરુ કુટુંબની સામે રાજકીય સંગર્ષ શરુ થયોને તેને  હજુ સુધી નહેરુ કુટુંબ ભૂલી શક્યો નથી. એજ કારણે એમને વડા પ્રધાન થવા માટે વર્ષો સુધી સંગર્ષ કરવો પડ્યો હતો.
                                               એમનું  ચરિત્ર, વહીવટી કુશળતા, પ્રામાણિકતા અને એમની દેશભક્તિને  એમના વિરોધીઓ પણ પડકારી શકતા નથી. પ્રમુખ જિમી કાર્ટરે કહ્યું છે   કે ' હું મોરારજીભાઈને  મારા અંગત મિત્ર માનું છું.  તેઓને  હું  બહુજ હિંમતવાળા , પ્રામાણિક  અને નીષ્ટાવાન માનવી તરીકે પિછાણું છું'. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમને  નીચેના વીડિયોમાં  અંજલિ આપેલી છે.


                                               એમને ભારતનો સર્વોચ્ચ અવૉર્ડ 'ભારત રત્ન ' અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ ' નિશાને પાકિસ્તાન ' પણ  મળેલો છે. જે  લેવા કદી એ ગયા ન હતા પરંતુ એ બંને એવોર્ડ્સ એમને ઘરે માનપૂર્વક પહોંચાડવામાં આવ્યા હતા
                                                  પ્રસિદ્ધ ગુજરાતી  લેખક  ગુણવંત શાહ  એ લખ્યું  છેકે મોરારજીભાઈ  નાળિયર જેવાછે જ્યાં  સુધી નાળિયેર તોડીએ  નહિ ત્યાં સુધી એનું  મીઠું પાણી પીવા  મળે  નહીં  ગુણવંત શાહનું કહેવું છે  કે  વિચિત્રતામાંથીજ અદભુત સર્જન થાય છે.  મોરારજીભાઈ સાથે પાળે પડવું  મુશ્કેલ હતું પરંતુ એમની સિદ્ધિઓ અદભુત  હતી
                                                                            82 વર્ષની ઉંમરે વડાપ્રધાન થવું એક રેકોર્ડ હતો પરંતુ એમનું સ્વાસ્થ્ય ત્યારે  કોઈ યુવાનને પણ શરમાવે એવું હતું.  જયારે  ફોરેનએક્સચેન્જનું  બેલેન્સ એકદમ મુશ્કેલ હતું  અને વિકાસના કામો ચાલુ રાખવાના હતા ત્યારે એમણે લાંબો વખત ભારતનું  નાણા  ખાતું સફળતા પૂર્વક  સાંભળ્યું હતું . નવ વખત ભારતનું નાણાકીય બજેટ રજુ  કરવાનો એમનો  રેકોર્ડ હજુ કોઈએ તોડ્યો નથી. એ વડા  પ્રધાન હતા ત્યારે દરેક વસ્તુ બજારમાં સહેલાઈથી મળતી હતી અને મોંઘવારીનો દર ઍક્દમ  રેકોર્ડ લેવલે નીચે હતો.  અમેરિકા ,રશિયા , ચીન  જાપાન,  પાકિસ્તાન અને પાડોશી દેશો સાથેના સબંધો ઘણા જ ગાઢ બન્યા હતા  અર્થ વ્યવસ્થા પણ તંદુરસ્થ હતી.
                                                                             મોરારજી દેશાઇ ની રાજકીય કારકિર્દી દરમિયાન  ખેતી સુધારાઓ, સામાજિક સુધારાઓ , પોલીસની કાર્યપદ્ધતિમાં સુધારાઓ , બસ સર્વિસનું રાષ્ટ્રીયકરણ એમાના  મહત્વના પ્રદાનો છે. હોમ  ગાર્ડ્સ , ગણોતધારો , સ્ટેટ ટ્રાન્સપોર્ટ  સર્વિસીસ , દારૂબંધી , ફરજીયાત બચત, ગોલ્ડ કંટ્રોલ ધારો , એવા ઘણા સુધારાઓ એમની  પહેલ હતી.
                                                                             તેઓ પહેલા ગાંધીવાદી , ગુજરાતી અને વિરોધ પક્ષના  વડા  પ્રધાન હતા  તેઓ સત્તાને લોકોની સેવા કરવાનું સાધન માનતા  રાજકારણ પણ મૂલ્ય શીલ હોઈ શકે છેએવું એમના આચરણ દ્વારા  સાબિત કરી બતાવ્યું હતું.         
                             
                                                       *****************************

Monday, February 17, 2020


કુદરતનું  ખુન
                                                                                        મનુષ્યોએ  કુદરતની સાથે ઘણો મોટો અન્યાય કર્યો છે. એથી કુદરત ક્રોધિત રીતે વર્તી રહી છે.  કુદરત પર અકુદરતી રીતે આક્રમણ કરવામાં આવી રહ્યુ  છે.  પૃથ્વીના ઝાડપાન  ક્રુરતાથી કાપી નાખી,  પૃથ્વી પર સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઉભા કરી દીધા છે. પૃથ્વીને ખોદી કાઢી એને વેરાન વિધવા સમાન બનાવી  દીધી છે. કુદરતની સંપત્તિઓ સોના, ચાંદી , હીરા, ખનીજો  અને ખનીજ તેલને  લુટવા  માટે ઠેર ઠેર  પૃથ્વીને ખોદી કાઢી છે. એમાં પર્વતો અને નદીઓને પણ છોડી નથી.
                                                                           સાગરઓમા અને નદીઓમાં   ઝેરી રસાયણો અને કચરો નાખી પ્રદુષિત કરી નાખ્યા છે. સાગરના પેટાળને પણ ખનીજ તેલ મેળવવા માટે વીંધી  નાખ્યા છે. માનવીઓએ  નાખેલા ઝેરને કારણે સાગર્ જીવો કમોતે મરી રહ્યા છે.
                                                                         જંગલોમાં  માનવીઓ  પોતાના અહમને સંતોષવા શિકારને નામે જંગલી પશુ પંખીઓનો શિકાર કરી કેર વરતાવી રહયા છે.  ઉદ્યોગોંની ચીમનીમાંથી નીકળતા ઝેરી ગેસોએ હવા અને આકાશને પણ પ્રદૂષિત કરી નાખ્યું છે.  હવે તો અવકાશમાં પણ રોકેટો , યાનો છોડીને મોટો કચરો  ઉભો કરી નાખ્યો છે.  આથી અવકાશ પણ હવે સ્વચ્છ નથી.
                                                                          એકબીજાને પાડી દેવાની  ખાવીશમા રાષ્ટ્રો સંહારક   અને ઝેરી  શસ્ત્રો  બનાવી દુનિયાના નાશ તરફ દોરી રહયા છે. કુદરતે રોગોનું સર્જન કર્યું તો એ રોગોથી પણ ભયંકર વાયરસો બનાવી મનુષ્યો અને રાષ્ટ્રો  વિશ્વ વિજેતા બનવા મથી રહયા છે. આને આપણે યાદવાસ્થળી કહેવા સિવાય બીજું શું  કહેવું ? મનુષ્ય પોતેજ પોતાનું અને પૃથ્વીનો નાશ કરવા ધસી રહ્યો છે. આ પણ એક ગાંડપણ જ છે.
                                                                            કુદરત પણ આ આક્રમણ સામે હવે ક્રોધિત છે કારણ કે હવામાન હવે ઝેરી અને  પ્રદુષિત થઇ ગયું છે.  અહીં સામાન્ય  નિયમ લાગુ પડે છે. ' જેવું ખરાબ   કર્મ તેવું ખરાબ  ફળ '.કુદરત હવે વિફરી છે. ગરમી વિશ્વમાં વધી રહી છે. ઠંડામાં  ઠંડા પ્રદેશ ઉત્તર ધ્રુવનું ઉષ્ણતામાન 20 ડિગ્રી  સેલસિયાસ  સુધી પહોચી ગયુ. સાગરોના પાણીનું લેવલ ઉપ્પર આવી રહ્યું છે અને નીચાણમાં આવેલા પ્રદેશો પર પાણી આગળ આવવા લાગ્યું  છે. અતિશય વરસાદ, નદીઓમાં પૂર, સ્નો  અને બરફીલા  તોફાનો  સામાન્ય થઇ ગયા છે. વાવાઝોડા અને  દરિયાયી  તોફાનો વારંવાર આવવા લાગ્યા છે.  આમ મનુષ્યો કુદરતનું  નુકસાન કરી રહયા છે તો  કુદરત એનો ખરાબ રીતે જવાબ આપી રહયુ છે.
                                                                            હવે એક રાષ્ટ્ર  પોતાની સંશોધન સંસ્થાઓમાં અકુદરતી રોગોનું નિર્માણ બીજા રાષ્ટ્રોને નુકસાન  કરવા માટે બનાવી રહયા છે.  એમાંથી કેટલાએ જીવલેણ રોગોનું  નિર્માણ  થયું છે એમ માનવામાં આવે છે.
                                                                           અત્યારે કોરોના વાયરસ ચીનમાં બહુજ એકટીવ છે. અને અત્યાર સુધીમાં  2000  માણસોના ભોગ લીધા છે અને  84000જેટલી વ્યક્તિઓ  એનાથી  પીડિત છે.  કેટલાએ શહેરોને એના ચેપને લીધે સીલ કરી દેવામાં આવ્યા છે. આ પણ કુદરતનો એક  કોપ જ   છે.
                                                                        વાઇરાસના કેરનો કારમો દાખલો ઉપરના ચીનના 'વુહાન'શહેરના વીડિયો પરથી ખ્યાલ આવી જાય છે. પરંતુ પૃથ્વીના આખરી પ્રલયનુ દ્રશ્ય એનાથી પણ ભયંકર અને કરુણ હોઇ શકે છે. 
                                                        ****************

Monday, February 10, 2020


બિચારા રાષ્ટ્રપિતા
                                                                                                    મહાત્મા ગાંધીની ૩૦ મી જાન્યુઆરીએ મૃત્યુતિથિ ગઈ એ દિવસે કેટલાક રાજનેતાઓએ એમનો રાજકીય ઉપયોગ કર્યો. મુખ્ય  વાતતો એ છેકે એમના સિધ્ધાંતોનો અમલ કરવા  કેટલા લોકો તૈયાર છે? વિશ્વમાં ગાંધીજી હજુ પ્રસ્તુત છે પરંતુ એવું લાગેછેકે ભારતમાં એ હવે નામ માત્ર રહયા હોય એમ લાગે છે. ગાંધીજીને સત્તા સાથે બહુ સબન્ધ ન હતો પરંતુ માનતા હતા કે સત્તા લોકોની સેવા માટે છે. રાજકારણમાં નીતિમત્તા હોવી જોઈએ. એ વસ્તુથી ભારતીય રાજકારણીઓ પર થતા જતા થયા છે
                                             કેટલાક રાજ્કારણિયોતો  એમ કહેતા પણ અચકાતા  નથી કે ' ગાંધીવાદ આ જમાનાને પ્રસ્તુત નથી.  તો કેટલાક એમની હાંસી ઉડાવેછે કે' આઝાદી તો અંગ્રેજોને આપવી હતી એટલે આપીં  એમાં ગાંધીજીનું કોઈ પ્રદાન નથી'. આ પણ કૃતજ્ઞતાનો  એક નમૂનો છે . કેટલાક તો ગાંધીજીને મારનાર ગોડસેને  હીરો તરીકે બિરદાવે છે. ગાંધીજીનો ગુનો શું છે ? ગાંધીજીએ  સ્વતંત્રતાની લડતની આગેવાની લીધી એ એમનો ગુનો હતો કે પછી દેશના ભાગલા અટકાવવા માટે હિન્દૂ મુસ્લિમની એકતાની હિમાયત કરી એ એમનો ગુનો  હતો?
                                              ગાંધીવાદનું  મૃત્યુતો આઝાદી પછી  જ્યારે એમણે એમના ભારત વિશેની કલ્પના વિષે લખ્યું  ત્યારે જ થઇ ગયું હતું .  એમના શિષ્યોએ જવાબ આપવાનું ઉચિત નહોતું માન્યુ .  કેટલાકે કહ્યું  'દેશના ભાગલા માટે ગાંધી જવાબદાર હતા તો કેટલાકે કહ્યું કે ' જ્વાહરલાલ નેહરુને વડા પ્રધાન બનાવવામાં એમની ભૂલ હતી'.  મૂળમાં તો આઝાદી પછી ગાંધીને સાંભળવા એમના શિષ્યો તૈયાર  જ ન હતા. નહેરુ સરદારની અંદર  કામ કરવા તૈયાર ન હતા, અને કેટલાક કોંગ્રેસને  તોડવા પણ તૈયાર હતા. દેશના ભાગલાની ગાંધીજી વિરુદ્ધમાં  હતા પણ બહુમતી નેતાઓ સત્તા મેળવવા અધીરા બની ગયા હતા.  તેઓએ ગાંધીજીની વિરુદ્ધ  જઈને દેશના  ભાગલા સ્વીકારી લીધા હતા.
                                               આથી ગાંધીજી આઝાદીની ઉજવણીમાંથી  બાકાત હતા અને બંગાળમાં  નૌઆખલી ખાતે હિંદૂ મુસ્લિમ હુલ્લડો ઠારવા ચાલી ગયા હતા. ગાંધીજી કોંગ્રેસી નેતાઓથી એટલા નારાજ હતા કે એક વખત એમણે કહ્યું હતુંકે 'કોંગ્રેસનું વિસર્જન  કરી નાખવું જોઈએ  કારણકે એનું કામ પુરુથઈ ગયું છે'. એમનું કોઈ સાંભળવા માગતું ન હતું.  એથી ત્રાસીને એકવાર તો દિલ્હી છોડીને દૂર ચાલી જવા પણ નક્કી કર્યું હતું . કેટલાક શિષ્યોએ એમને રોક્યા હતા અને દિલાસો આપ્યો હતો કે ' તમારી દેશની જનતાને જરૂર છે '
                                                 જે વ્યક્તિના જીવનમાંથી અને સિદ્ધાંતોમાંથી દુનિયાના કેટલાએ નેતાઓએ પ્રેરણા લીધી છે અને સફળ નીવડ્યા છે. ત્યારે એના  પોતાના દેશમાં જ આવી દયામય સ્થિતિ હોય એ આપણી  કમનસીબી છે અને શરમજનક બાબત છે.
                                       *************************************    

Tuesday, February 4, 2020


અજાયબ વસ્તુઓ
                                                                               એવી માન્યતા હોય છેકે  પશ્ચિમના દેશો આગળ વધેલા છે અને ત્યાં સ્ત્રીઓને આગળ વધવાની વધુ તકો હોય છે.  એ ભ્રમ જ છે.  ભારત જેવા આગળ વધી રહેલા દેશમાં વધારેમાં  વધારે સ્ત્રી વિમાની પાઈલોટો  છે જે ગલત માન્યતાઓને જૂઠી પાડે છે.  તે ઉપરાંત સર્વે  પ્રમાણે દીકરીઓને લીધે જ પિતાનું આયુષ્ય  વધતું હોય છે.  અનુસંધાન  એમ કહે છેકે  આખા દિવસમાં સ્ત્રીઓ  સરેરાશ ૬૨ વખત ખુલ્લા મને હસી લેછે અને જીવનનો આનંદ માણી લેછે જ્યારે પુરુષ ૮ વખત જ હાસ્ય નો આનંદ  માને છે . આમ ઘણી  બાબતમાં સ્ત્રી પુરુષોની  આગળ છે.
                                                                           દુનિયામાં ૧૯૫ દેશો છે એમાં ક્યાં દેશનો પાસપોર્ટ વધારેમાં વધારે શક્તિશાળી છે?  લોકોને પૂછો તો શક્તિશાળી દેશો અમેરિકા ,રશિયા, ફ્રાન્સ, જર્મની , ઇંગ્લેન્ડ  કે ચીનનું જ નામ આપશે પરંતુ એ  વાત સાચી નથી.  ૧૯૫ દેશોમાંથી ૧૯૦ દેશો એમના દેશમાં  જાપાનના પાસપોર્ટને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે આથી જાપાનીસ પાસપોર્ટને  દુનિયામાં વધારેમાં વધારે  શક્તિશાળી માનવામાં આવે છે. તે ઉપરાંત એ પાસપોર્ટ સહેલાઈથી મળતો નથી.

                                                                        ઓછું ભણેલા  માણસો આવડત વગરના હોય છે એવી માન્યતા  'ગૂગલ' જેવી  કંપનીએ જૂઠી પાડી છે.  ૧૬% જેટલા ગૂગલના કામદારો સ્નાતક પણ નથી તે છતાં દુનિયાની એ ઊંચ  ટેક્નોલોજી પુરી પાડનારી કંપની બની રહી છે.
                                                                           અમેરિકા એ ઘણો સમૃદ્ધ દેશ છે એમાં કોઈ શંકા નથી પરંતુ એની અર્થ વ્યવસ્થામાં  કેટલીક આશ્ચર્યજનક બાબતો છે.  સરેરાશ ૬૨% અમેરિકનનોના  બચત ખાતામાં  ૧૦૦૦  ડોલરથી પણ ઓછા પૈસા પડયા હોય છે.  ૨૧%અમેરિકનોના બચત ખાતા પણ નથી. એટલેકે અમેરિકાની અર્થવ્યવસ્થા ધિરાણ પર અવલંબિત છે
                                                                          એ જાણીને પણ આશ્ચર્ય થાયછેકે આખી દુનિયાનો આશરે  ૫% વેપાર  હોંગકોંગ  મારફતે થાય છે
                                                                           આપણે ઘણીવાર વિમાનનો પ્રવાસ કરીયે છે પણ આપણી જાણમાં નહિ હોય કે વિમાનના  પાઈલટો  એકજ  જાતનું  ખાવાનું  નથી ખાતા.  એકજ જાતની વાનગી ખાવાથી જો ખોરાકમાં ઝેર આવી  જાય તો  બધાજ મુસાફરોનું  જીવન જોખમમાં આવવી જાય છે
                                   આમ ઘણી નાની બાબતોની માહિતી આપણી પાસે હોતી નથી         
                                                *******************************