Thursday, October 17, 2013


ભારતનુ  બંધારણ અને ઍની નિસ્ફળતા

                                                               
                                                            ડૉક્ટર આંબેડકર ભારતના બંધારણના પિતામહ હતા. ઍમણે બંધારણ સભામા ક્હ્યુ હતુ કે' કોઈ પણ બંધારણની સફળતા  ઍના અમલ કરતા લોકો પર હોય છે.' આજે રાજકીય લોકોઍ બંધારણના ચિંથરા ઉડાડી દીધા છે.
                                                      આપણા બંધારણની ત્રણ શાખાઓ છે. વહીવટી, સંસદીય, અને ન્યાયી. રાજકીય વહીવટી શાખા ભ્રષ્ટાચારમા ખદબદી રહી છે. ઍક બાદ ઍક કોભાંડઓ બહાર આવી રહ્યા છે. ક્યાતો મંત્રીઓ સંડોવાયેલા હોય છૅ ક્યાતો ઍમનો વહીવટી અધિકારીઓ પર કાબૂ નથી. આમાથી પ્રધાન મંત્રી પણ બાકાત નથી.
                                                        સંસદીય શાખાઓ રાજકીય રમતનો અખાડો બની ગઈ છે. લૉકહિતના કાયદાઓ ઘડવાને બદલે  ટાઇમ વેડફીને મચ્છી બજારના તમાસા જેવી હાલત છે.
                                                         ન્યાય શાખામા નીચે સ્તરે શિથિલતા છે જેથી ન્યાય આપવામા ઍટલો વખત બગાડવામા આવે છે કે વર્ષો  બાદ મળતા ન્યાયની કોઈ કીમત રહેતી નથી. ફક્ત ઉચ્ચ ન્યાયલાય બધો કચરો સાફ કરવાનુ કામ કરી રહી છે. અપરાધીઓને જેલમા બેસાડવાનુ, ભ્રષ્ટાચારીઓને ઉંઘાડા પાડવાનુ, અને કાયદાઓનુ પાલન કરાવવાનુ કામ વહીવટી પાંખનુ પણ છે તે ઉંચ ન્યાયાલય કરી રહી છે. ઘણીવાર તો ન્યાયલયના આદેશોને કેવી રીતે નિસ્ફળ બનાવવાનુ કામ વહીવટી પાંખ કરી રહી હોય છે. આજ બતાવે છે રાજકીય, અને નેતાકીય ક્ષેત્રે  આપણે દેવાળુ કાઢ્યુ છે.
                                                          આવી સ્થિતિમા બંધારણનો કે લોકશાહીનો દોષ કાઢવાથી શો અર્થ? હવે તો બધા અનર્થો પર બુલ ડોજર ફેરવવાનો સમય આવી ગયો છે.  દેશને અરાજાગતામાથી  કાઢવા માટે અનિષ્ટોનો નાશ કરવાનો સમય આવી ગયો હોય ઍમ લાગે છે.
                               *************************************************

Wednesday, October 16, 2013


ગુજરાતની અસ્મિતા

                                     
 ગુજરાતની અસ્મિતા નામનો ઉલ્લેખ કનૈઈયાલાલ મુન્શીઍ પોતાની નવલકથામા કરેલો. ગુજરાતના નાથમા ઍમણે સિધ્ધરાજ જયસીંહના વખતમા ગુજરાતના પ્રધાન મંત્રી મુંજાળની ભારતમા ફેલાયેલો પ્રભાવ વિષે વાત કરેલી છે. કર્ણાટકની રાજકુમારી  અને ગુજરાતની રાજમાતા મીનળદેવીના ગુણગાન ગાયેલા છે. ટુંકમા ગુજરાતની સમૃધ્ધિ અને પ્રભાવના વર્ણન કરેલા છે. ઍમાજ ગુજરાતની અસ્મિતાનુ રહસ્ય છુપાયેલૂ છે. ગુજરાતની અસ્મીતામા  ગુજરાતની સમૃધ્ધિ અને ગુજરાતનો ભારત પરનો પ્રભાવ સમાયેલો છે.
                                ગુજરાતની અસ્મિતાતો ઍજ દિવસે પ્રજવલિત થઈ જ્યારે ભગવાન કૃષ્ણે  મથુરાથી દ્વારકા તરફ પ્રસ્થાન કર્યુ હતુ અને દ્વારકાને સુવર્ણમય બનાવી હતી. ઍમના પગલા ઍ ગુજરાતની ભૂમિને અસ્મિતા અર્પી હતી. તેદિવસથી જ ગુજરાતની ભૂમિ પર મહાન રાજાવીઓ, અનેસંતોના પગલા પડવા માંડ્યા હતા. અને ગુજરાતનો પ્રભાવ ભારત વર્ષ પર વધી ગયો હતો. ત્યાર પછી પ્રભુઍ ગુજરાત પર કૃપા કરવામા પાછુ વળીને જોયુ નથી.
                                 દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, અને સ્વામી વિવેકાનંદ જેવા ક્રાંતિકારી સન્તોઍ પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. હૂ ઍન સૅન અને થોમસ જેવા પ્રવાસીઓ પણ ગુજરાતની સમરુધ્ધિથી પ્રભાવિત થયેલ હતા.  ગુજરાતના સૂરત, ખંભાત, જેવા બંદરો પર આખા વિશ્વના વાવટાઑ ફરકતા હતા. મહમ્મદ ગજની જેવા રાજાઓ પણ ગુજરાતની સમરુધ્ધિ લુટવા ચઢી આવ્યા હતા. મોગલ વખતમા ગુજરાત ભારતનુ રત્ન રાજ્ય હતુ. અકબરે ગુજરાત જીતીને ઍનિ રાજધાની ફતેહપુર સિકરીમા બુલંદ દરવાજો બનાવ્યો હતો. મોગલ બાદશાહ સૂરત બંદરથી જ હજ પર જતા. સુરતનુ મુગલે સરાહી ઍનો પુરાવો છે. ટૂકમા ગુજરાતની અસ્મિતાનો લાંબો ઇતીહાસ છે જેની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે.
                                   સ્વામી વિવેકાનંદને હિન્દુ સંદેશ પરદેશમા ફેલાવવાની પ્રેરણા ભૂમિ પણ ગુજરાત છે. હિન્દુસ્તાનની સ્વતંત્રતાની લડતની શરૂઆત કરનાર મહાત્મા ગાંધીઍ પણ ગુજરાતને પોતાની કર્મ ભૂમિ બનાવી હતી. હિન્દુસ્તાનમાથી રાજાશાહી નાબૂદ કરનાર સરદાર પણ ગુજરાતના સપૂત હતા. ભલે સંજોગો ઍ ઍમને ભારતના વડા પ્રધાન ન બનવા દીધા પરંતુ બીજા ઍક ગુજરાતી સપૂત મોરારજીભાઈઍ ભારતના વડા પ્રધાન બની ગુજરાતનુ નામ રૉશન કર્યુ હતુ.
                                  હજુ પણ ગુજરાતની અસ્મિતા ભારતમા ધૂમ મચાવી રહી છે. ગુજરાત આજે પણ ભારતનુ  સમરુધ્ધ અને વિકાસ અને વિકાસશીલ રાજ્ય છે. આજે પણ ઍક ગુજરાતી નેતા ભારતના વડા પ્રધાન થવાની હોડમા છે. ઍટલે દરેક ગુજરાતીનુ દિલ થનગની  રહ્યુ છે. ઍજ ગુજરાતની  અસ્મિતાનો પુરાવો છે.
ઍવુ રૂપાળુ ગુજરાત-
===============
પશ્ચીમે  ઘુંઘવતો સાગર, પૂર્વે ગીરીમાળાઑ છે
ઍવુ રૂપાળુ ગુજરાત, જ્યા સ્વર્ગમય દિન રાત છે
બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે નર્મદા અને મહી
દક્ષીણે તાપી અને અંબિકા, લીલી જાજમો પાથરી અહી
ઍવુ રૂપાળુ ગુજરાત જ્યા સ્વર્ગમય દિન રાત ચ્હે.
નરસિહના પ્રભાતિયાઓથી, જ્યા સૂર્યોદય થાય છે
કૃષ્ણ અને ગાંધીની ગાથાઓ જ્યા ગવાય છે
ઍવુ રૂપાળુ ગુજરાત જ્યા સ્વર્ગમય દિન રાત છે
ભારત દેસાઈ

Friday, October 4, 2013


આત્મ સન્ધોધન
-
                                                          જગતમા દુખ અને સંતાપનુ મૂળ બહારના કેટલાક  દૂષણોમા જે છુપાયેલુ છે. તેમા અહમ્ અન ઈર્ષા મુખ્ય    છે. પરંતુ આંતરિક રીતે જો  માણસ વિચારે અને પ્રભુની નજદિક જવા પ્રયત્ન થાય તો બધા જ દુખોનુ ઑસડ મ ળી આવવા સંભવ છે. આત્મ ખોજ અને તેનુ આલેખન કરવાથી જ જીવનમા આગળ વધી શકો છો. પોતાની ભૂલો શોધવા માટે પણ આત્મ ચિંતન આવશ્યક છે. ટૂકમા કહેવાય છે કે
આપણી ભુલને સમજવા  પણ મજા છે
બુધ્ધિ તણી ઍ  કસોટી બની જાય છે
ભુલને સમજ્યા પછી કબૂલવી ઍ નમ્રતા છે
ભુલને સુધારવી ઍમા આવડતનો સવાલ છે?
પણ ભુલને સુધારી શકોતો ઍ બુધ્ધિ અને આત્મ બળનુ પ્રમાણ છે.
ભારત દેસાઈ
                                           *************************************

Tuesday, September 24, 2013


જીવન જીવવાની કળા

                                  જીવન સુખ, શાંતિ અને તંદુરસ્ત રીતે જીવવાની પણ કળા છે. દરેકના જીવનમા ક્યાક્ તો દુખ અને સુખ સમાયેલા હોય છે. સુખ મેળવવા માટે મનુષ્યે પોતાની જાતને અમુક રીતે કેળવવી પડે છે. પરંતુ દુખ તો ઘણી વાર માંગી લીધેલા હોય છે, જે સુખની સાથે જ આવે છે. જેમકે ગરીબાઈમા ઘણીવાર પ્રેમ, સ્નેહ, કુટુંબ ભાવના વધુ હોય છે. જેનો સ્વાર્થ, અને દાવપેચમા સમરુધ્ધિમા રૂપાંતર ઘણુ ખરુ થઈ જાય છે. તે છતા જીવન જીવવાની કળા કેળવવાથી ઍકાન્તરે સુખ ભોગવી શકો છો.
૧) માનવી સકારાત્મક વિચાર શક્તિ કેળવે તો નકામા વિચારો આવતા બંધ થઈ જાય છે. કારણ કે જેટલા નકામા વિચાર કરી નકામા કામ કરો ઍના પરિણામો ખરાબ આવે છે. અને સાથે દુખ લાવે છે. માખી અને મચ્છરો હેરાન હેરાન કરી નાખે છે પણ ઍક્જ જાપટમા મરી જાય છે ઍ દુખદ છે. ઍમ નકામા કામો દુખદ પરિણામો લાવે છે. ટુંકમા' જેવુ વાવો તેવુ લ ણો'.
૨) મિત્રોમા વધારે પડતો વિસ્વાસ ન કરવો અને દુશ્મનનો ઉપયોગ કરતા શીખવુ રહ્યુ.
૩) તમારી આગલી વ્યૂહ રચનાને ખોલ્યા વગર  ઑછામા ઑછુ બોલવાથી મુશિબતોને દૂર કરીશકાય છે.
૪) જીભાજોડી કરવા કરતા કામ કરવાથી મનદુખ ઑછુ થાય છે.
૫) દુખી અને દુર્ભાગી લોકોથી દૂર રહેવાથી દુખ પણ દૂર ભાગે છે.
૬) લોકોમા વિશ્વાસ ઉભો કરો જેથી તમારા માર્ગમા અવરોધો ન આવે. તમે સુખેથી તમારા લક્ષે પહોચી શકો.
૭) દુશ્મનોને ક્ષમા કરવાથી દુખનુ મોટામા મોટુ કારણ દૂર કરી શકાય છે.
૮) ઍકલતા ઍ દુખનુ મોટામા મોટુ કારણ છે, ઍથી સ્નેહી, મિત્રો, અને સબંધીઓને સાથે રાખવાથી  દુખ ભૂલી અને સુખ મેળવી શકાય છે.
૯) કોઈ પણ વસ્તુનો ડર દુખ ઉભુ કરે છે. આથી અભય થવાનુ જરૂરી છે.
૧૦) તમારા આત્મસન્માનનો ભોગ ઍ મોટામા મોટુ દુખનુ કારણ બને છે. આથી કોઈ પણ કામ ગૌરવ પૂર્વક કરવાથી આનંદ અને સુખ લાવે છે.
                               ******************************************

Thursday, September 19, 2013


જાપાન અને ચીન

                                      જાપાન અને ચીન દુનિયાના મજબૂત રાષ્ટ્રો છે, આર્થિક દ્રષ્ટીઍ ઍમનો બીજો અને ત્રીજો નંબર  આવે છે. જાપાનને તો હમેશા ધરતીકંપ અને સુનામી રંજાડતાં રહે છે. જ્યારે ચીન પણ ઍના થી બાકાત નથી. ચીનને પણ નદીઓ અને તોફાનો હેરાન કરતા રહે છે પરંતુ પ્રજાનુ ખમીર ઘણુ ઉંચુ રહે છે.
                                     ચીનની વિશેષતા ઍ  છે કે દુનિયાની મોટી શોધો ચીની પ્ર્જાઍ જ આપેલી છે. ગન પાવડર, પેપર, છાપ કામ, પેપર ચલણ, પવન ચક્કી, કેન્સરની કેમેરોપથી, ફટાકડા, ગંજીફાની રમત, રેશમી કાપડ, ઍકયૂ પ્રસેર પધ્ધતિ, દિશા શોધક યંત્ર, દારૂ, અન રૉકેટ ઍ ચીનની દેણ છે.  આધુનિક જમાનામા પણ ચીન આંતરિક મથક, સેટેલાઈટ લૉંચિંગ સેંટર, મિસાઈલ ટેકનોલોજી, સાઇબર સેક્યૂરિટી, મંગળ અને ચંદ્ર અભિયાન, અંતરિક્ષ ટેલીસકોપ, અને માનવ સેટેલાઈટ મોકલવાની ટેક્નોલોજીમા આગળ છે.
                                     જાપાન તો આખી દુનિયાની શોધો ભેગી કરી ઍવી અદભૂત ચીજો બનાવે છેકે ઍ દુનિયાના બજારોમા બહુ વેચાય જાય છે. પ્રથમ સર્યોદયના દેશની સાથે જાપાન આર્થિક રીતે સધ્ધર છે. જાપાની લોકોની દેશભક્તિ ઘણી ઉંચી કક્ષાની છે. તૅઓને પોતાના બૌધ ધર્મ પ્રત્યે ઘણો આદર છે અને પોતાના દેશમા બીજા ધર્મની દખલ સહન કરતા નથી. મુસ્લિમોને જાપાનમા નાગરિત્વ આપતા નથી અને ધર્મ  પરિવર્તનની તદ્દન વિરૂધ્ધ છે. બાળકોને નાનપણથી જ સ્વચ્છતાના પાઠ ભણાવવામા આવે છે. જાપાનમા કોઈ વ્યક્તિગત કાયદાઓ નથી. પોતાના દેશની સરહદોનુ રક્ષણ કેવી રીતે કરવુ ઍ જાપાન પાસે શીખવા જેવુ છે. ચીન જેવી મહા સત્તાને પણ જાપાને વસ્તી વગરના થોડા ટાપુઓ માટે પડકારી છે. જાપાનના હાથ અમેરિકાઍ વિનાશક શસ્ત્રો  માટે કરાર દ્વારા બાંધી દીધા છે. તે છતા પોતાની રીતે મજબૂત છે.
                                       ચીન અને જાપાનીસ પ્રજા બધી રીતે સ્વતંત્ર છે અને કોઈપણ જાતના ગુલામી માનસથી પીડાતી નથી.
                                          ******************************

Sunday, September 8, 2013


ડૉલર કેમ મજબૂત બનતો જાય છે?

                                                અમેરકાનુ અર્થ તંત્રમા સુધારો ડોલરની મજબૂતાઈનુ કારણ છે. ઍના મુખ્ય કારણોહવે અમેરિકા કરવેરા વધારવાની બાબતમા આગળ વધી રહયુ છે અને વહીવટી ખરચોમા કાપ મૂકી રહ્યુ છે. તે ઉપરાંત અમેરિકન લોકોની ખરીદ શક્તિમા પણ વધારો થતો દેખાઈ રહ્યો છે. સેલમા થઈ રહેલો  વધારો ઍનો પુરાવો છે.
                                                 અમેરીકામા બેરોજગારીનો દર ઑછો થતો જઈ રહ્યો છે અને રોજગારીની તકો વધી રહી છે. મોટરકારના વેચાણમા પણ સુધારો આવ્યો છે. ઘરોના ભાવ વધવા માંડ્યા છે ઍ બધા કારણો  ડોલરની કીમતમા વધારાને ટેકો આપી રહયા છે. ઈરાક અને અફઘાનીસ્તાનના યુધ્ધમાથી અમેરિકા લગભગ બહાર નીકળી ગયુ છે અને સિરીયામા દાખલ થવા પહેલા પણ બેવાર વિચાર કરી રહ્યુ છે. આમ અમેરિકન સરકાર હવે અર્થતંત્રને મજબૂત કરવામા પ્રયત્નશીલ છે. અમેરિકન કૉર્પોરેટ ક્ષેત્રે પણ દેવાનો બોજો કાબૂમા આવી રહ્યો છે, અને 'સ્ટાન્ડર્ડ અને પૂવર્સ' નો  આંક ૮૦% વધ્યો છે.
                                                  આથી ૨૦૧૫મા અમેરિકન જીડીપી નો દર ૧.૫ થી ૩% સુધી પહોચવાની આગાહી છે. ફેડરલ રિજ઼ર્વની હળવી નાણા નીતિેઍ  પણ આર્થિક સ્થિતિમા ફરક લાવ્યો છે.
                                                   અમેરિકન ડૉલર  સામે ભારતીય રૂપિયો ૬૮.૮૩ અને ઈન્ડોનેશિયન રૂપિયો ૧૧૨૬૫ પર છે. દુનિયાના બીજા ચલણ પણ ડોલરનો માર સહી રહ્યા છે. જાપાની યેન ૯૭.૩૪ પર અને કોરિયન વૉન ૧૧૧૫.૩૫ પર છે.
                                                  ભારતીય રૂપિયો નીચે જઈ રહ્યો છે કારણકે ભારતીય બેન્કોના ખરાબ ધિરાણ વધી રહ્યા છે. ઇંટ્રેસ્ટ રેટ ઉંચા છે. નિકાસો વધી અને આયાતો ઘટી છે.  આપણી ચાલુ ખાતાની ખાંધ વધી રહી છે કારણકે પેટ્રોલ અને સોનાની આયાત વધતી જ જાય છે. ઍના પર પૂરતો અંકુશ નથી. રિજ઼ર્વ બેન્કે કોણ અને કેટલો વેપાર કરી શકે તેના પર પણ નિયંત્રણ મુકેલા છે. રૂપિયો તૂટવાના કારણમા વિદેશી હાથ પણ હોઈ શકે કે  રાજકીય પણ હોય શકે. રાજકીય નેતાઓ પોતાના વિદેશમા મુકેલા કાળા પૈસાની રોકડી વધુ કરવા માગતા હોય. ભૂતકાળમા પણ ચૂંટણી વખતે ડૉલરના ભાવ વધી ગયા હતા. મુળમા તો દેશની નબળી આર્થિક પરિસ્થિતિ જવાબદાર હોય છે.
                                *****************************************

Sunday, September 1, 2013


આજની ભારતની પરિસ્થિતિ

                             આજે ભારતની જનતા પરિસ્થિતિથી ત્રાસી ગઈ છે. મોંઘવારી અસહ્ય બની ચૂકી છે. રૂપિયો ઍનૂ મૂલ્ય ગુમાવી રહ્યો છે. પ્રગતી પણ અટકી ગઈ છે. દેશના દુશ્મનો આપણી સરહદો સાથે અડપલા કરી રહયા છે. ભ્રષ્ટાચારે મર્યાદાઓ વટાવી દીધી છે. સરકાર વહીવટ પર  કાબૂ રાખી શકતી નથી ત્યારે જનતા બિચારી પીસાઈ રહી છે. જનતાને કઈ સુજ પડતી નથી.
જનતા બિચારી શુ કરે?
---------------------
 નેતાઓ રખેવાળ મટી લુટેરા બન્યા,
લોકોના નાણાઓથી ઘર ભર્યા
શરમ આબરૂ ઍમણે નેવે મુક્યા
તો જનતા બિચારી શુ કરે?
 લુટેરાઓ નેતા બની બેઠા
 ધોળે દિવસે તારાઑ બતાવ્યા
 સારા માનવીઓ જીવતા મર્યા
તો જનતા બિચારી શુ કરે?
કાયદાઓ જ્યારે કામ  ન આવે
 નેતાઓઍ કાયદાને દાસ બનાવ્યા
ચારે બાજુ અંધકાર  ફેલાયો
ત્યારે જનતા બિચારી શુ ?
આ અંધકારમા જો કોઈ ચિનગારી લગાવે
તો જનતા બિચારી શુ કરે?
ભારત દેસાઈ
                                        ***************************************