Sunday, October 26, 2014


ગાંધી જયંતિ- ઑક્ટોબર, ૨ ૨૦૧૪
                                                                                                                                                                          આ મહિનામા જ ગાંધીજયંતિ ગઈ અને ઍને ઉપચારિક રૂપે  ઉજવવામા આવી. ગાંધીવાદનુ પાલન કરવા કરતા આપણે ભારતીઓ ઍનો ઉપયોગ કરવાનુ શીખી લીધુ છે. આપણે ઍમજ માનવા માંડ્યા છેકે ગાંધીવાદ સમયને અનુરૂપ નથી અને ઍને અત્યારના અનૈતિક વાતાવરણમા ઉપયોગ થઈ શકે ઍમ નથી. ઍમા લોકોનો વાંક નથી ઍને જે રીતે રજૂ કરવામા આવ્યો છે તે પ્રસ્તુત કરનારાઓનો વાંક છે ઍમા કેટલાક વેદિયા ગાંધીવાદિઑ પણ સામેલ છે.

                                              ગાંધીજીની અહિંસાની પણ આ જગતમા ઠેકડી ઉડાડવામા આવે છે. પાકિસ્તાન અને ચીન જેવા દેશો સામે ગાંધીજીની અહિંસા હાસ્યજનક છે.  ગાંધીજી સ્પષ્ટ પણે માનતા હતા કે અહિંસા દૂષ્ટતાનિ આગળ પગવાળી બેસી જવાની સ્થિતિ નથી. જ્યા કેવળ કાયરતા અને હિંસા વચ્ચે જ પસંદગી કરવાની હોય ત્યા તેઓ હિંસાની સલાહ આપતા હતા. હિન્દુસ્તાન પોતાના અપમાનનુ લાચાર બનીને સાક્ષી બને અથવા રહે તેના કરતા તે પોતાની આબરૂ જાળવવા શસ્ત્રોના આશ્રય લેવો જ જોઈઍ.

                                                 ગાંધીજીના અર્થ વ્યવસ્થા માટેના  વિચારોં પણ સ્પષ્ટ છે.  ઍમની વિચારશક્તિ ત્રણ સીધ્ધાંતો પર આધારિત હતા. દરેકે પોતાની ફરજો દરેક ક્ષેત્રમા નીષ્ઠાપુર્વક બજાવવી જોઇઍ જેથી આર્થિક વિકાસ ત્વરિત થાય. દરેક કમાણીના તમે ટ્રસ્ટી છો ઍટલે સમાજ પ્રત્યે તમારી આર્થિક મદદ કરવાની ફરજ છે. ઍનાથિ સામાજીક ઘર્ષણને દૂર રાખી શકાય છે. ત્રીજુકે દરેક વસ્તૂમા ઑછામા ઑછા કંટ્રોલો હોવા જોઇઍ. ઍટલે માનવ વિકાસ માટે મુક્ત આર્થિક વ્યવસ્થાના તેઓ ટેકેદાર હતા. રાજ પર વધારે પડતા આધારને ઘાતક સમજતા. તેઓ મૂડી વાદ અને સામ્યવાદ ના મહાન સંયોજક હતા.
                                                  તેઓ ગીતાને જીવન માર્ગ  દર્શક સમજતા હતા અને રામરાજ્યને આધુનિક જમાનામા જડતા પૂર્વક અપનાવ્યા સિવાય તેમણે લૉક કલ્યાણનો માર્ગ સુચવ્યો હતો.  તેઓના સામાજીક વિચારો આધુનિક જમાનાને અનુરૂપ હતા. સ્ત્રી સ્વાતંત્ર,અને સ્ત્રી શિક્ષણના હિમાયતી હતા.

                                                       આખી દુનિયાઍ આજે વિકટ પ્રશ્નોના ઉકેલ માટે ઍમના વિચારોમાથી માર્ગદર્શન મેળવ્યુ છે ત્યારે આપણા દેશને માટે તેઓના વિચારો કેવી રીતે સમયને અનુકુળ નથી ઍ સમજવૂ મુશ્કેલ છે? નેલ્સન મૅંડેલા, ડૉક્ટર માર્ટિન લુથર કિંગ, ગાંધીના વિચારે સફળ નીવડ્યા છે. બરાક ઓબામા અમેરિકન પ્રમુખ ઍમના વિચારોની કદર કરે છે ત્યારે ઍટલૂ તો સમજવૂ જ રહયુ કે ગાંધીવાદ હજુ સારા વિશ્વમા જીવીત છે અને વિશ્વના વિકટ પ્રશ્નો માટે પથદર્શક છે.

                                                         અંતે ભારતીય શાંતિ નોબલ પ્રાઇસ વિજેતા કૈલાશ સત્યારથી ના શબ્દોમા કહિયેતો " હૂ મારી જાતને વધુ સન્માનિત અનુભવત જો મહાત્મા ગાંધીને પહેલા આ પુરસ્કાર અપાયો હોત." આનાથી વધુ સારી શ્રધ્ધાઅંજલી ગાંધી વિચાર અને ગાંધીવાદને હોય શકે?
                                                        ******************************

Thursday, October 23, 2014


દિપાવલી
                                                                                                                                                           દિવાળીનો  મહીમા અનોખો છે. અંધારામાથી પ્રકાશ તરફ દોરી જનારુ પર્વ, ગંદકીમાથી સ્વચ્છતામા લઇ જનારુ પર્વ, દુઃખમાથી ઉલ્લાસમા દોરી જનારુ પર્વ,  બાહ્ય અને આંતરિક મેલોને સાફ કરનારુ પર્વ છે. કુદરત પણ પુરબહાર મા ખીલવા માંડે છે. લોકોની આંખોમા ચમક આવી જાય ઍવો ઍ તહેવાર છે જેથી લોકો દીપા વલીની આતુરતાથી રાહ જુઍ છે અને ઍને નવા નવા કપડાઓ, અને આભુષણો પહેરી ઍને ઉજવે છે. જાત જાતની મિઠાઈઓ ખાઈને ઉજવે છે. આથી દિવાળીનો મહિમા આવો પણ છે.
આવી દિવાળી---
આવી દીવાળીને લાવી છે દીવા
નાવરચનાના દ્વારો ખુલ્લા કરવા
ધનવાનો માટે લાવી નવ સંદેશા
દરિદ્રો માટે થોડો થોડો ત્યાગ કરવા
આવી દિવાળી---
મજદુરો માટે લાવી નવ આશા
વધુ પસીનો વહાવી વધુ સમરુધ્ધિ મેળવવા
લોકસેવકો માટે લાવી નવી પ્રેરણા
ત્યાગની ભાવનાથી વધુ સેવા કરવા
આવી દિવાળી---
આવોસાથે મળી ઍક અવાજે વાતો કરિયે
ઍકતા અને પરિશ્રમ દ્વારા દેશને આગળ લઈ જઈ ઍ
આવી દિવાળી---
ભારત દેસાઈ
                                 **********************************

Saturday, October 11, 2014



 સૌરાષ્ટ્ર


                                                                                                                                                     (Rukhmani Temple-Dwarika)


                                                                 
                                                                                       આસૌરાષ્ટ્રની રસધાર પવિત્ર ભૂમિ છે
                                                                                      જ્યા કલાપીનો કલારવ ગુંજ્યો તો
                                                                સ્વતંત્રતાનો શંખનાદ જ્યાથી મેઘાણી ઍ ફૂક્યો તો
                                                                                      ઍવી સૌરસ ભરી આ પવિત્ર ભૂમિ છે
                                                                                      આ સૌરાષ્ટ્રની---
જ્યા જલારામ બાપુઍ વાણી વહાવી હતી
નરશી મહેતા જ્યા પ્રભુ ભક્તીથી નાહ્યાતા
ભગવાન કૃષ્ણે જ્યા દ્વારિકા વસાવી હતી
ઍવી  આ શોરઠની પુણ્ય ભૂમિ છે
આ સૌરાષ્ટ્રની---
                                                                               
                                                   ( Lions in Safari park- Gir forest)                                    
                                                                                 હજુ પણ ગરવો ગીરનાર જ્યા ઉભો છે
                                                                                 તળેટીમા સાવજની જ્યા ત્રાડ સંભળાય છે
                                                                                 હજુ પણ સાગરને કિનારે સોમનાથના ઘંટારવ થાય છે
                                                                                 ઍવી રસ તાલ સૌરાષ્ટ્રની ભૂમિ છે.
                                                                                 આ સૌરાષ્ટ્રની---
                               
                                  (Before Bhavnath Temple and Girnar in the background- Junagadh)

                                                          (On the Sea shore of Somnath)
ભારત દેસાઈ

                     *************************

Thursday, October 9, 2014



પ્રભુ ક્યા નથી?


                                                                                                           
                                                                                                              " જાહિદ શરાબ પીને દે
                                                                                                                 મસ્જિદ મે બૈઠ કર
                                                                                                                  યા વો જગહ બતાદે
                                                                                                                   જહા ખુદા નહી"
                                                                                                                   -મિર્જા ગાલિબ-
ત્યાર બાદ ઈકબાલે લખ્યુ
" મસ્જિદ ખુદા કા ઘર હૈ
   પિનેકી જગહ નહી
   કાફિર કે દિલંમે જા
   વ હા ખુદા નહી"
                                                   અને ત્યારબાદ૨૦મી સદીમા ફરાઝે ઍના જવાબમા લખ્યુ
                                                                  " કાફિરકા દિલસે આયા હૂ
                                                                      મે ઍ દેખ કર ફરાઝ
                                                                       ખુદા મૌજુદ હૈ વહા
                                                                       પર ઉસે પતા નહી"

ઍટલે થયુ-
હરિ તને દેખુ હર ચેતનમા
હર પલ ઍક નયા રૂપમા
વાયુના સુસવાટે તારો સંચાર છે
વીજળીના ઝબકારે તુ તો દેખાય છે
હિમ શીખરોના સૌદર્યોમા તુ
વહેતા ઝરણાના સંગીતમા તુ
જીવનભર શોધી રહ્યો હૂ તને જગમા
ક્યારનો તુ બેઠો મારા અંતરમા
હરિ તને દેખુ---
ભારત દેસાઈ


                                                  આજ બતાવે છેકે સર્વ ધર્મો માને છે કે પ્રભુ સર્વત્ર છે.

                                               
                               **************************************

Tuesday, September 30, 2014


માયા
                                                                                                                                                          પ્રભુઍ માયા બનાવી આખી દુનિયાને પાગલ બનાવી દીધી છે. માયા ઍટલે સબંધની માયા, પૈસાની માયા, સત્તાની માયા અને જીવનમા સઘળુ પૂરા પરાકાષ્ટાથી માણવાની ઘેલછા. ઍ ઘેલછામા માણસ હેવાન બની જાય છે. ભાઈ ભાઈનુ ખુન કરે, દિકરો બાપનુ પણ કાસળ કાઢી નાખે. માને પણ સંતાનો રજળતી કરી નાખે છે. સત્યતો ઍ છેકે આ દુનિયાની વસ્તુઓ મૃગજળ સમાન છે. માનવી દુનિયામા આવે ત્યારે ખાલી હાથે આવે છે અને જાય છે ત્યારે ખાલી હાથે જ જાય છે. મહાન વિજેતા સિકંદર તો ઍના જીવનને અંતે સમજી ગયો હતો કબરમા જતા પહેલા ખાલી હાથ બહાર રાખ્યો હતો. આ ખૂન ખરાબા, અત્યાચાર, યુધ્ધો, હિંસા, મહાભારત, માયાને જ આભારી છે. ટૂકમા ભગવાને માયાની રચના કરીને માનવીને હરાવી દીધો છે. માનવીને પામર બનાવી દીધો છે.

માયા
પ્રભુ તે અજબ દુનિયા બનાવી
માયાનુ સર્જન કરીને માનવીને હરાવ્યો
જન્મ બનાવ્યોને મૃત્યુ બનાવ્યુ,
વચમા જીવન રૂપી નાટક  સજાવ્યુ
પ્રભુ તે--
મૃગજળ જેવો સંસાર બનાવી
માનવોને મદમસ્ત બનાવ્યા
સંસારને સંઘર્ષમય બનાવી
સુઃખ દુઃખનુ  સર્વ કારણ બનાવ્યુ
પ્રભુ તે--
ધન અને સત્તાની મોહિનીથી
માનવોને પાગલ જેવા બંનાવી
માયાની જાળમા ફસાવી
ભૂલવી દીધૂકે ખાલી હાથે જવાનુ
પ્રભુ તે--
ભારત દેસાઈ
                              *******************************************

Monday, September 22, 2014


દુઃખ
                                                                                                                                                      દુનિયામા જાત જાતના દુઃખનો અનુભવ થાય છૅ. કેટલાક શારીરિક તો કેટલાક આંતરિક હોય છે. શારીરિક દુઃખો તો મટી જાય છે. ઍનાથી કદાચ ટેવાઈ જવાય છે પરંતુ આંતરિક દુઃખ ઍવુ છેકે જે કહી શકાતુ નથી અને સહી પણ શકાતુ નથી. ઘણીવાર માનવી પીડાઈ પીડાઈને મરે છે. આથી કોઈને પણ આંતરિક દુઃખ પહોચાડતા પહેલા હજાર વાર વિચાર કરવો રહ્યો.
આંતરિક દુઃખ પહોચાડનાર માનવીની જીભ વધારેમા વધારે કાતિલ હોય છે. આથી કહેવાય છેકે ' બોલવાની લાચારી હોય તે સિવાય મૌન જ ઉચીત છે. મહાભારતમા વાણી વીલાસે જ નાશ નોતર્યો હતો. ઇતીહાસના પાના પણ ભયંકર હિંસાના તાંડવે વાણી વિલાસને લીધે રક્તથી રંગાયેલા છે. તો પણ લોકો ઍમાથી બોધ લેતા નથી. રાષ્ટ્રો, સમાજો, અને કુટુંબોનો તીવ્ર જીભો ઍ નાશ કરી નાખ્યો છે. ઍના પર અનેક ગ્રંથો અને પુરાણો લખાયેલા છે.
              વધુ બોલવાથી માનવી વધુને વધુ ઍની જાતને હલકી બનાવે છે અને બીજાને આંતરિક દુખ પહોચાડે છે. આથી સહેલો રસ્તો ન બોલવામા છે . ઘણા લોકો ભગવાન બુધ્ધને દુઃખ પહોચાડવા ગાળો પણ ભાંડી જતા પરંતુ બીજાને દુખ પહોચાડવા કરતા તેઓ મૌન રહેતા. ગાંધીજી પણ અઠવાડિયામા ઍક વાર મૌન પાડતા હતા. ઍ પણ  પોતાની જીભ પર કાબૂ રાખવાની ઍક કસરત જ હતી.
                ઘણીવાર દુઃખ સહન કરવાની પણ મર્યાદા હોય છે. આથી માનવીઓ પશુપંખીઓ અને કુદરત પણ થાકી જાય છે.

દુઃખના આંસુઓ---
સ્ત્રીની આખમા આન્શુઓ દુખોથી ભરાઈ આવે છે
હરણાઓ પણ શિકારીઓના ત્રાસથી નિર વહાવી લે છે
માતાઓ પણ સંતાનોના ત્રાસે મૂક મને આંસુઓ વહાવે
વાદળાઑ પણ નીરના ભારે આન્શુઓ વહાવતા હોય
દુઃખના આંસુઓ---
અતી દુઃખના કારણે દિલ પણ રડી લેતા હોય છે
જેટલુ દુઃખ ભારે ઍટલા વધારે નિર નીકળી  જાય છે
નિર ન હોત તો દુઃખ કેમ કેરી ધોવાત?
ક્યા જઈને પ્રાણીઓ  પોતાના દુઃખના ગીત ગાત?
દુઃખના આંસુઓ---
દુઃખના નિર સર્વત્ર પાથરાયા ઍ માનવીની કરામત છે
ભગવાનને નાહકનો દુઃખનો  માલિક બનાવાય છે
ભારત દેસાઈ
                **********************************************

Sunday, September 7, 2014


ગણપતી પર્વ
                                                                                                                                                             અત્યારે ગણપતી પર્વ પૂર જોશમા ચાલી રહ્યુ છે, રાજનેતાઓથી માંડીને તે સામાન્ય માણસો પણ ઍમા મૂશગુલ છે. ચારેબાજુ વાતાવરણ સંગીત, ગાયન, વાજિન્ત્રોના અવાજોથી ભર્યુ છે. ઍમા ગણપતિની પાછળની શ્રધ્ધા કે પછી આનંદ માણવાનુ અને મનોરંજન મેળવવાનુ પર્વ બની ગયુ છે, ઍ સમજવૂ મુશ્કેલ બની ગયુ છે. ઘણીવાર  ગણપતિના નામનો ઘોંઘાટ ઘણા માટે ત્રાસ જનક બની જાય છે. તે છતા ધર્મને નામે ચાલવા દેવામા આવે છે. દુખની વાતતો ઍ છેકે ગણપતિ પર્વનો મહિમા પણ ઘણા માણસોને ખબર પણ નથી. ફક્ત પોતાના ભલા સિવાય ઍમને કોઈ ગતાગમ હોતી નથી.
                                 ઍ પર્વને સામાજીક સ્વરૂપે લેવુ જોઇઍ. બાલ ગંગાધર તિલકે ઍંને દેશની ઍકતાના સ્વરૂપે ઉજવવાની વિનંતી કરી હતી અને ઍને ટેકો પણ આપ્યો હતો. અગત્સ્ય ઋષિઍ ઍને ઉત્તર અને દક્ષિઁણ ભારતની સંસ્કૃતિની ઍકતા ઉભી કરવામા કર્યો હતો. પુરાતન કાળમા દક્ષિણ ભારતમા પશુઓ, પક્ષીઑ, કુદરતને વધુ મહત્વ આપતા હતા. ઍની પૂંજાપાઠમા વધુ માનતા હતા. આધુનિક જમાનામા પણ હવે વૈશ્વિક રીતે મહત્વ અપાય રહયુ છે. તે જમાનામા પણ આપણા લોકો અને ઋષીઓ વીદ્વાન તથા દિર્ધ દ્રષ્ટીવાળા હતા. ગણપતિ ઍ બે સંસ્કૃતિના ઍકતાનુ પ્રતીક છે. ઍટલે કે હાથી અને મનુષ્યનુ પ્રતીક છે. તે ઉપરાંત ગણપતિ સિધ્ધિ અને ડહાપણની આપણને પ્રેરણા આપે છે. ઍ અર્થમા સમજવામા જ સર્વનુ કલ્યાણ છે.
                                     ઘણાને મસ્જિદ્દના બાંગોની માઇક પરના મોટા અવાજો પસંદ નથી હોતા તેમ આપણા તહેવારોના માઈક પરના અવાજો પણ ઘણાને માટે ત્રાસજનક બની જતા હોય છે. આથી આપણે પશ્ચિમી દેશો પાસે શીખવા જેવુ છે. પોતાના તહેવારો બીજાને ખલેલ પહોચાડ્યા સિવાય સમજીને ઉજવવા જોઇઍ. તહેવારોમા મનોરંજન કરતા ઍનો સંદેશ મહત્વનો હોય છે.
                                       ઍનો અર્થ ઍ નથી કે  શ્રધ્ધાળુઓને દુખ પહોચાડવુ, પરંતુ દરેક પર્વની ઉંજવણી ઍના ઉદ્દશોને સમજી  વાતાવરણને કલુશિત કર્યા વગર કરવી જોઇઍ. ભારતીયો આવી બાબતમા અન્યની વાત સમજવામા જરા પાછળ છે.
                                        ઉપરના અનુસંધાનમા અમદાવાદના કોટ વિસ્તારમા આવેલા ઍક પુરાતન અને પ્રસિધ્ધ ગણપતી મંદિરમા ગણપતિનો મહિમા ગાતો નીચે મુજબ મંત્ર લખેલો છે
ઔમં નમો સિધ્ધિવીનાકાય, સર્વ કાર્ય કરતે
સર્વ વિઘ્ન પ્રસન્નનાય, સર્વરાજ્ય વશ કરણાય
સર્વ જન, સર્વ પુરુષ આકર્ષનાય
શ્રી ઔંમ સ્વાહા---
અને કહેવાય છેકે અધ્યાર્થમા કે મનમા બોલેલા મંત્રોજ ઉચિત ફળ આપે છે. ઍનો અર્થ ઍમ થાય છે કે આપણા શાસ્ત્રો પણ અવાજની  વધૂ પડતી કલુશિક્તાને ઉત્તેજન આપતા નથી.
                                              *************************************.