Tuesday, February 3, 2015

વિવિધ દેશોની ખાસિયત વિષે
                                                                                                                     
                         ૧) તમારી પાસે ઓઈલ હોય તો તમને સ્વતંત્રતા આપવી જરૂરી છે. -અમેરિકા
                         ૨)તમે અહી આવ્યા, તમે આંખો આંખ જોયુ કે તમારી કતલ નિશ્ચિત છે. -  ૧૩)અમે વોટતો આપિયે છીઍ પણ અમારીજાતીને.-ભારત
                         ૩) માનવ ઇતિહાસમા ૧૦૦૦૦ વર્ષ પહેલા અમારો ઉજ્જવળ ઇતીહાસ છે પરંતુ આજે અમે દેવાળીયા છે-ગ્રીસ
                         ૪) અમે અમેરિકા બનવાની તાલીમ લઇ રહ્યા છે- ઑસ્ટ્રેલિયા
                         ૫) અમારી બે સરકારો છે ઍક બેજિંગમા અને બીજી ધરમશાલામા-તિબેટ
                         ૬) અમારી ઍક વખત કીમત હતી પણ હવે  અમે જોડાઓ બનાવવા  માંડ્યા છે.- ઈટાલી
                         ૭) આમારે ત્યા વેપારમાટે આવેલા  લોકો મસાજ પાર્લરમા પહોચી જાય છે. - થાઈલેન્ડ
                         ૮)અમે આખી દુનિયામાથી પૈસા લેવા માટે તૈયાર છીઍ. -સ્વિજરલેંડ
                         ૯) હજુ અમે અમેરિકાને તોલે આવ્યા નથી.-કેનેડા
                         ૧૦)'લોર્ડ ઓફ ધ રિંગ' -ન્યૂજીલૅંડ
                         ૧૧) તમે જીવો ત્યા સુધી બોમ્બ ધડાકા થતા રહેશે-પાકિસ્તાન
                         ૧૨) ચિજ઼ અમારી બહુજ પસંદ છે અને શરણાગતિમા અમે માહિર છીઍ.
                         ૧3) ઘણા વર્ષો પૂર્વે થોડાક લોકો અહીઍ આવ્યા હતા. બસ ઍટલૂ જ! - ગ્રીન લૅંડ
                         ૧૪) ઘણા વર્ષો પૂર્વે થોડાક લોકો અહીઍ આવ્યા હતા. બસ ઍટલૂ જ! - ગ્રીન લૅંડ
                          ૧૫) બે હજાર વર્ષ પહેલા અમે અંમારા અસ્થિર સામ્રજ્યને ટકાવવા માટે દુનિયાની અજાયબી દીવાલ બાંધી હતી. હજુ પણ અમે ઍજ કેરી રહ્યા છે. -ચીન
                          ૧૬) અમે કુટુંબિક વેપારને રાષ્ટ્રનુ સ્વરુપ આપ્યુ છે.- સાઉદિ અરેબિયા
                          ૧૭) અંમારુ પહેલા વિશાળ સામ્રાજ્ય હતુ પરંતુ હવે લોકો અમને સ્પેનનો ભાગ સમજે છે. -પોર્ટુગલ
                          ૧૮)દોસ્તો અમારુ ખોવાયેલૂ વિમાન ક્યા છે?- મલેશિયા
                           ૧૯) અમારે માટે આખરે તો  વસ્તુ મુશ્કેલ બની રહે છે.-રશિયા
                           ૨૦) હજુ અમે શોધવા પ્રયત્ન કરી રહયા છેકે કોણ અમને છોડી ગયા છે?- મેંગોલિયા
                                      ***************************************

Friday, January 16, 2015

ગુજરાત અને સૂર્ય ઉર્જા

                                                                                                                                                     
ગુજરાતમા સૂર્યઉર્જામાથી ઈલેક્ટ્રીક સિટી ઉત્પન કરવાના મોટા પ્રોજેક્ટો ઉભા કરવામા આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાનો ઍશિયામા મોટામા મોટો પ્લાન્ટ ઉભો કરવામા આવ્યો છે.
                             
                             હવે નર્મદા નદીની નહેરો પર ઍવા ઉર્જા પનલો મુકવામા આવશે જેથી જમીનનો પણ બચાવ થશે. નહેરના પાણીને સૂર્યની ગરમીથી ઉડી જતુ બચાવવામા આવશે અને સૂર્ય ઉર્જાથી ઉત્પન થનારી ઈલેક્ટ્રીક સિટી નહેરના પાણીને પમ્પોથી ઉલેચવામા મદદરૂપ થશે. તથા વધારેની ઈલેક્ટ્રીક સિટી નો ઉપયોગ ઈલેક્ટ્રીક ગ્રેડોને પણ આપવામા આવશે.
                                 ઍના અનુસંધાનમા  સરદાર નિગમ કૉર્પોરેશન દ્વારા વડોદરા નહેરો પર  ૧૦ મેગા વૉલ્ટ નો  સૂર્ય ઉર્જા  દ્વારા ઈલેક્ટ્રીક સિટી ઉત્પન કરવાની સોલર પેનાલો નાખવાંમા  આવી છે. ઍનો કુલ ખરચો ૧૮.૩ મિલિયન ડૉલર્સ અંદાજવામા આવ્યો  છે. મુદ્દરા ખાતે અદાણી પણ  ૨૫૦૦૦ કરોડનુ  સૂર્ય ઉર્જામા રોકાણ કરશે. આમ ગુજરાત  સૂર્ય ઉર્જામા આગળ વધી રહ્યુ  છે.
                                    સયુક્ત રાષ્ટ્રોના જનરલ સેક્રેટરી બાન કી  મૂને ભારતને   ૨૦૨૦ સુધીમા વિશ્વની  સૂર્ય ઉજા  શક્તિમા ૧૦% નો ફાળો નોધાવવાની અપીલ કરી છે.
                                        **********************************

Friday, January 9, 2015


પ્રવાસી ભારતીય દિવસ- ૭ જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી ૨૦૧૫
                                                                        મહાત્મા ગાંધી ૧૫ મી જાન્યુઆરી ૧૯૧૫ ના દિવસે સાઉથ આફ્રિકાથી મુંબઇ ખાતે પરત આવ્યા હતા. આથી ઍ દિવસને દરેક વર્ષે ભારત સરકાર પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામા આવે છે. વિવિધ દેશો ના ભારતીય મૂળના લોકોને આમંત્રણ આપી ઍમની સાથે વિચારોની આપલે કરવામા આવે છે અને ભારતીય મૂળના લોકો કેવી રીતે ભારતના લોકોનુ જીવન સુધારવામા મદદ કરી શકે ઍના વિચારોની આપલે કરવામા આવે છે. ઍના પરિણામે ભારતના ઘણા વિસ્તારોનો કાયાપલટ થયો છે. ઘણા વિદેશી ભારતીયોઍ ઍમના પોતાના વતનના ગામડાઓને આદર્શ ગામો બનાવી દીધા છે. કેટલા ઍ વિદેશી ભારતીયો ઍ પોતાના જ્ઞાન અને ધનની મદદ ભારતની કાયા પલટ કરવામા લગાવી દીધી છે. તોકેટલાક મદદ કરવા તૈયાર છે. ઍ દેશ માટે હિતકારક છે.

                                                                      આ ૧૯૧૫નુવર્ષે ગાંધીજી ભારત પાછા આવ્યા તેનુ સતાબ્દી વર્ષ છે અને  ઍની ઉંજવણી ગાંધીનગર, ગુજરાત ખાતે રાખવામા આવ્યુ છે. જેમા વડા પ્રધાન,  ઉપરાષ્ટ્રપતિ, અને ૪૦ દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત મોરીસ્યસ, ગીયાના, સાઉથઆફ્રિકા જેવા દેશોના મહાનુભાવો પણ હાજર રહ્યા છે. ૧૫ જેટલા પ્રવાસી ભારતીય મહાનુભાવોનુ સન્માન પણ કરવામા આવી રહ્યુ છે.

                                                                      સામ પીત્રોદા જેવા  પ્રવાસી ભારતીય નિષ્ણાતે તો ગામડાઓ સુધી ટેલિફોન સેવાઓ પહોચાડી દીધી છે ઍ જેવી તેવી સિધ્ધિઑ નથી. આમ ભલે ભારતીય મૂળના લોકો વર્ષોથી પરદેશમા રહેતા હોય પરંતુ પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ અન ઋણ ભુલ્યા નથી ઍવુ લાગે છે. ઍમની લાગણી અને દેશપ્રેમને આ રીતે જ રજૂ કરી શકાય.-

ક્યા છે?-
અહિઍ ડુંગરમાળાઑ છે
નદીઓના નિર્મળ.નીર પણ છે
પ્રભાત સમયે ઍજ સૂર્યોદય આ દેશમા
રાત્રી ઍ રૂપેરી ચાંદનીની છે મજા
પણ વતનની માટીની મહેક ક્યા?
ફળફૂલોથી લચકતા બગીચાઓ
અને પંખીઓના મીઠા ક્લરવો પણ છે
આલ્હાદક મૌસમ ચારેબાજુ છે
પણ વતનની સુગંધી પેલી લહેરો ક્યા?
બરફી ટોચો લાગે હીરજડીત માળા
લીલી છમ ખીણો લાગે પાથરેલી જાજમ
 પૃથ્વી પર જાણે સ્વર્ગ  ઉતર્યુ લાગે
પણ  ગંગા જમના પવિત્ર નીર ક્યા?
ભારત દેસાઈ
                                 *********************************

Tuesday, January 6, 2015


આતતાયી
                                                                                                                                                   મનુશ્રુતિમા આતતાયીનો અર્થ સમજાવવામા આવ્યો છે જે આ હળહળતા કળીયોગમા ચારે બાજુ નજરે પડે છે. તે કદીક સ્વજનો, સગાઓમા, મિત્રોમા મળી આવે છે. આતતાયી લોકો કેવા હોય છે તેનુ  વિવરણ ગણુ રસપ્રદ છે. ગીતાના પહેલા અધ્ધાયમા ઍનો અર્જુને પોતાના પ્રિય કુટુંબી  અને સગાસ્નેહીઓ માટે ઉલ્લેખ કરેલો છે. ઍમા વિષાદ અને લાગણીઓ છલકાતી નજરે પડે છે પરંતુ ઍ શબ્દની અંદર ગૂઢ અર્થ છુપાયેલો છે. અર્જુન કૃષ્ણને કહે છે કે "આતતાયી' લોકોને મારીને મારે પાપમા નથી પડવુ. ત્યારે કૃષ્ણ મનમા ને મનમા હસતા વિચારતા હશે કે " ઍ લોકો સજા અને મોતને લાયક છે."

આતતાયી ઍટલે
 આગ લગાડી લોકોને રહેસી નાખનારા
 આક્રમણ દ્વારા લોકોની વસ્તુ ઉપાડી જાણનારા
 સંપતીને લૂંટી જનારા લુટારુઓ
 આતતાયી જ કહેવાય
 બીજાની જમીનો પડાવી લેનારા
 વિષ આપિને હત્યા કરનારા
 ટુંકમા બીજાની વસ્તુ પડાવી લેનારા
 આતતાયી જ કહેવાય

                                 આવા લોકોને મારવામા  પાપ ક્યા છે. આથી અર્જુનનો વિષાદ કૃષ્ણ માટે ઉચિત ન હતો. આથી આજના આ મહાભારતમા પણ આતતાયી લોકો  જ ઍજ સજાને લાયક છે ઍમ આપણો ધર્મ સ્પષ્ટતા પૂર્વક કહે છે. આમ અર્જુનના વિષાદ યોગમા પણ સંદેશ રહેલો છે. ઍને ફક્ત કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે ન લેવો જોઇઍ.
                                            **********************************

Wednesday, December 17, 2014


વાવેલા બીજના ફળો
                                                                                                                                        રશિયાને અફઘાનીસ્તાનમાથીતગેડી મૂકવાં માટે પાકિસ્તાન અને અમેરિકા ઍ ઍક  ભુત ઉભુ કરેલુ તેનુ જલ્લાદ સ્વરુપ આજના તાલિબાનો છે. હવે ઍ ભૂતે ભયંકર સ્વરુપ ધારણ કર્યુ છે અને જુદા જુદા સ્વરૂપે ઍ ભુત હવે સારી દુનિયાને ધ્રુજાવી રહ્યુ છે. ઍ દુનિયામા ગમેત્યા પ્રદેશમા ગમે ત્યારે ત્રાટકી પડે છે. કોઈક વાર ભારતમા તો કોઇક્વાર ઓસ્ટ્રેલિયા કે પછી અમેરિકા કે કૅનડા પર પણ તૂટી પડે છે. યૂરોપ, અને મુસ્લિમ દેશો પણ ઍનાથી બાકાત નથી.  તાલિબાનો, અલકાયદા, આઈ ઍસ આઈ ઍસ ઍ બધા જુદા જુદા નામે આંતકવાદ ફેલાવે છે અને નિર્દોષ માનવોની હત્યા કરવામા આવે છે. ઍ હત્યાઓમાથી સ્ત્રીઓ, બાળકો, અને મુસ્લિમો પણ બાકાત નથી.


                                                   આ લોકો ઍટલા ક્રુર હોય છેકે માસૂમ બાળકોની પણ હત્યા કરતા અચકાતા નથી ઍ પણ ઍક દુખ દાયક ઘટના છે. આંતકવાદીઓઍ ૨૦૦૪ મા બેસલાન, રશિયામા ૧૮૬ બાળકો અને બીજા ૯૯ માણસોને મારી નાખ્યા હતા.  ઍ પણ  સ્કૂલ પર હુમલો હતો.  તેવોજ હુમલો ૧૬ મી ડિસેંબરના દિવસે પેશાવરમા આર્મી સ્કૂલ પર કરવામા આવ્યો અને ૧૪૧ માણસોને મારી નાખવામા આવ્યા. ઍમા ૧૩૨ સ્કૂલના બાળકો જ હતા. પાકિસ્તાની લશ્કરના તાલિબાનો સામેના પગલાના વિરૂધ્ધમા ઍ ક્રુર હત્યાકાંડ કરવામા આવ્યો હતો. ઍ હત્યાકાંડથી આખુ પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યુ છે. આખા  વિશ્વનો પાકિસ્તાન પ્રત્યે ઍ બાબતમા સહાનુભુતિ અને ટેકો છે.

                                                  "પોતે કરેલા પોતાને હૈયે વાગે"ઍવી હાલત અત્યારે પાકિસ્તાનની છે.   પાકિસ્તાન તાલિબાન અને આંતકવાદ દ્વારા અદ્રશ્ય યુધ્ધ ભારત સાથે લડતુ રહ્યુ છે, કારણ કે સીધુ યુધ્ધ ભારત સામે લડવામા મુશ્કેલી છે. પરંતુ હવે પોતે કરેલા ખરાબ કૃત્યો ઍને જ નડી રહયા છે.  આથી  પેશાવરના બાળસંહાર પછી પાકિસ્તાન ઍમાથી શીખી તાલિબાન અને આંતકવાદ સામેની લડતમા આખી દુનિયા સાથે જોડાઈ જવુ જ઼ોઈઍ. તાલિબાન અને આંતકવાદને કોઈ પણ સ્વરુપમા પાકિસ્તાને વખોડી કાઢવુ જ઼ોઈઍ.
                                           **************************************

Saturday, December 13, 2014


કલીયુગ
                                                                                                                                                                    મહાભારતના યુધ્ધ બાદ યુધિષ્ઠીરે ભિસ્મપિતાને પુછ્યુ હતુકે" અમારે તો યુધ્ધ જોઇતુ જ ન હતુ. અમારાપર યુધ્ધ લાદવામા આવ્યુ હતુ. આવુ શા માટે બને છે? જ્યારે નિર્દોષ અને ભલા માણસોં હેરાન થાય છે. ભિસ્મપિતાને ત્યારે ખબર ન હતી કે ઍ કલીયુગના પડછાયા હતા.  આજની પરિસ્થિતિથી કોઈ પણ સદ્દ્ગ્રહસ્થ વ્યક્તિ  ખુશ  ન  હશે ઍનુ કારણ આપણે કલીયુગમા જીવી રહ્યા છે
                આપણા ઋષીમુનિઑ વીદ્વાન  અને પ્રખર ભવિષ્યવેતા હતા કે ઍમણે સતયુગમા જ આવનારા ખરાબ સમયના ઍંધાન ભાખી નાખ્યા હતા. તેમણે આપણે અત્યારે જે કલીયુગમા રહિઍ છિઍ ઍનુ વર્ણન આપણા પુરાણોમા કરી નાખ્યુ હતુ. ઍમણે શ્રીમદ્ ભગવદમા જે કઈ કલીયુગ વિષે લખ્યુ છે તેમાથી આપણે પસાર થઈ રહ્યા છે. અત્યારે ઘણુ કરીને અસત્યનો અને દૃષ્ટોનો જ  વિજય પ્રવર્તે છે.
                   શ્રીમદ્ ભાગવદમા કલીયુગના લક્ષણો સ્પષ્ટરીતે વર્ણવામા આવ્યા છે જે આજની પરિસ્થિતિ પ્રમાણે જ છે.

૧) કલીયુગમા ધર્મ, સત્ય,સ્વચ્છતા, સહનશીલતા,દયા, સ્મૃતિ,શારીરિક શક્તિ, વગેરેનો લય થશે.
૨)  ઘનથી જ માણસ ઓળખાશે. ન્યાય, અને કાયદા સત્તાને આધીન હશે.
૩) ફક્ત  બનાવટ અને આકર્ષણને લીધે સ્ત્રી પુરુષો સાથે રહેશે. લુચ્છાઈથી જ વેપારમા સફળતા મળશે. સ્ત્રી પુરુષની શક્તિ તેમની કામનાની નિપુણતામા જ ગણાશે. બ્રાહ્મણો ફ્ક્ત જનોઈ પહેરવાથી જ ઓળખાશે.
૪) બહારના દેખાવ પરથી માણસની આધ્યાત્મિક શક્તીનુ મૂલ્યાકન થશે. જે  શબ્દોમા રમી શકશે ઍને જ .વીદ્વાન માનવામા આવશે.
૫)પૈસા વગરના માણસને અપવિત્ર માનવામાઆવશે.  બાહ્ય દેખાવને ગુણ માનવામા આવશે. મૌખિક વચનો પર લગ્ન નક્કી થશે. ફ્ક્ત સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જશે.
૬) પવિત્ર સ્થળો જળ સંગ્રાલયની નજીક લઇ જવાશે. વાળ ઓળવાની શૈલી પરથી સુંદરતા નક્કી થશે. પેટ ભરીને ખાવાનુ જ જીવનનુ  ધૈય બની જશે. જે કુટુંબનુ ભરણપોષણ કરી શકે ઍને જ સશક્ત મનાશે. ધાર્મિક સીધ્ધાંતોનો ફક્ત આબરૂ જાળવવાં માટે જ ઉપયોગ કરવામા આવશે.
૭) દુનિયા ભ્રષ્ટાચારી ઓથી ભરપુર રહેશે. સત્તા ફક્ત આવા શક્તિશાળી  લોકોના હાથમા ચાલી જશે.
૮) દુકાળ, આકરા કરો ને લીધે લોકો પાંદળા, કન્દમૂળ, માંસ, ફળ અને ફૂલો ખાવા પડશે. લોકોનુ જીવન બરબાદ થશે.
૯)લોકો શરદી,હવા, ગરમી, વરસાદ, અને સ્નોથી પીડાશે.  લોકો ભૂખ, તરસ, વગેરેથી દુખી થશે.
૧૦) મનુષ્યનુ આયુષ્ય ૫૦ ની આજુબાજુ રહેશે.
૧૧) પોતાના વડીલોનુ રક્ષણ કરવામા લોકો નિષ્ફળ રહેશે.
૧૨) માણસો પૈસા ખાતર ઍક બીજાને નફરત કરશે, અને પૈસા માટે મિત્રો, સ્નેહીઓ, પોતાની જાતનુ બલિદાન આપવા તૈયાર હશે. ભગવાનના નામથી લોકો પૈસા ઉઘારાવશે. પોતાનુ જીવન ચલાવવા  સાધુંના વસ્ત્રો ધારણ કરશે. આવા માણસો ઉચ્ચસ્થાન પર બેસી ધર્મના સીધ્ધાંતો પર પ્રવચનો આપશે.

                                                      આજે કયો યુગ ચાલે છે ઍ તો આપણે સહેલાઈથી નક્કી કરી શકિઍ ઍમ છે. તે છતા કળીયુગનો ઍક મહત્વનો ગુણ છે ઍ પણ ભૂલવો ન જોઇઍ કે  " કળીયુગમા ભગવાનનુ નામ શ્રધ્ધાથી લેવાથી ભૌતિક લોકમાથી નિર્વાંણ મેળવી શકાય છે. ઍવુ પણ આપણા શાસ્ત્રઑ કહી ગયા છે.
                                            *******************************************

Sunday, December 7, 2014



ત્રીજા વિશ્વ યુધ્ધ તરફ-
                                                                                                                                                             આજે વિશ્વભરમા  આંતકવાદ ફેલાયેલો છે અને અમેરિકાથી તે રશિયા, ચીન  સુધી ઍના મૂળિયા ફેલાયેલા છે. આખુ વિશ્વ આંતકવાદની વેદનાથી પીડાઈ રહ્યુ છે. ભલે ઘણા વિષયો પર મતાંતર હશે પરંતુ આંતકવાડના સામના માટે ઘણા ખરા રાષ્ટ્રો ઍક છે. તેઓ સયુક્ત મોર્ચો આંતકવાદ સામે ખોલવા તૈયાર થયા છે. ઍનુ મુખ્ય કારણ આંતકવાદ લોકોના વિકાસ સામેનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે.

                           આંતકવાદના મુળમા શિક્ષણ અને રોજગારીનો આભાવ તથા ગરીબી, અને અંધશ્રધ્ધા છે. આમા મુસ્લિમસમાજ વધુ ને વધુ ભોગ બન્યો છે જે ઉપલા બધા અભાવોથી પીડિત છે. તે ઉપરાંત મુસ્લિમ ધર્મગુરુઓ ઍમા ઘી હોમવાનુ કામ કરે છે. આથી આફ્રિકાથી તે પાકિસ્તાન સુધી મુસ્લિમ જગત આંતકવાદની  પીડા ઍક કે બીજા સ્વરૂપે અનુભવી રહ્યુ છે.



                         
                      મુસ્લિમ રાષ્ટ્રોમા લોકશાહીઍ ધર્માંધતા સામે માથુ ટેકવી દીધુ છે ઍટલે લોકશાહી લાંબો વખત ટકતી નથી અને  ઍમાથિ જ  આંતકવાદનો ઉધ્વવ થવા માંડ્યો છે.  આથી ધાર્મિક તત્વો ધીકતી ધરાની નીતિ અપનાવી રહ્યા છે. આજે અમેરિકા, બ્રિટન, યુરોપ, રશિયા, ચીન ભારત, આફ્રિકા અને બધા ખંડો આંતકવાદમા હોમાઈ ગયા છે.


                                                  કેટલાક રાષ્ટ્રો જેવાકે ઑસ્ટ્રેલિયા, કેનેડા, અને જાપાને  તો મુસ્લિમ સમાજને તેમના કાયદા પ્રમાણે જીવવાની નોટીસ આપી દીધી છે.  તે ઉપરાંત વિશ્વ અભિપ્રાય હવે આંતકવાદની સામે ઍક થઈ રહ્યો છે જે આંતકવાદને ઉત્પન કરનારા દેશો સામે મોર્ચો માંડવા તત્પર બન્યા છે. ઍમાથિ વિશ્વ યુધ્ધની ચિનગારીના તણખા દેખાઈ રહ્યા છે ઍની નોંધ લેવી જરૂરી છે.
                          .*******************************************