Wednesday, September 27, 2017

શાયરોના બદલાતા વિચારો

                                                            કવિઓ અન શાયરો પોતાના વિચારો  સમય પ્રમાણે બદલતા રહેતા હોય છે ઍના નમૂનાઓ સાહિત્યમા  જોવા મળે છે. અને ઍ રસપ્રદ હોય છે.
                                                             મિર્જા ગાલીબે કહ્યુ-
'જાહિદ શરાબ પીને દે  મસ્જિદ મે બૈઠ કર
યા વો જગહ બતા દે જહા ખુદા નહી.'
( મને મસ્જિદ મા દારૂ પીવા દે અથવા મને જગા બતાવ જ્યા ઈશ્વર ન હો)

                                                              તો ત્યારબાદ વર્ષો બાદ બીજા ઍક શાયર અલ્લ્મા ઈકબાલે લખ્યુ કે-
'મસ્જિદ ખુદાકા ઘર હૈ, પીનેકી જગહ નહી
 કાફિર કે  દિલમે જા  વહા ખુદા નહી.'
( મસ્જિદ  ઈશ્વરનુ ઘર  છે, દારૂ પીવાની જગ્યા નથી. તૂ  નાસ્તીકના  દિલમા જા કારણકે ત્યા  ખુદા નથી.)

                                                                ૧૯ મી  સદીમા આજ વિચારને અવગણતા શાયર ફરાજે લખ્યુ-
'કાફિર કે દિલસે આયા હૂ,  મે યે દેખ કર ફરાજ
 ખુદા  મૌજુદ હૈ વહા,  પર ઉસે પતા નહી.'
(હૂ  નાસ્તીકના દિલથી પાછો ફરી રહ્યો છુ. મે જોયુ કે નાસ્તીકના દિલમા પણ  ઈશ્વર છે. પણ ઍને ખબર નથી.)
                                                                       ટુંકમા જમાના અને સમયની સાથે વિચારો પણ બદલાતા રહે છે. અને ઍમાથી  નવીનતા આવી રહે છે. ઍનો લાભ સાહિત્ય અને દુનિયાને મળતો રહે છે.  વહેતા પાણીની જેમ વહેતા વિચારો જ નવસર્જન લાવે છે.
                                                         *****************************************

Friday, September 15, 2017


નરેન્દ્ર મોદીની સરકાર
                                                                                 નરેન્દ્ર મોદી પાસે લોકો પાસે પહોચવાની અને ઍમની પાસે ઍમની વાતોને રજૂ કરવાની અદભૂત કળા છે. આ આવડતે ઍમણે ઍમના રાજકીય શત્રુઓને પરાજીત કર્યા છે.  ઘણીવાર ઍમની વાતો ગમે કે ન ગમે તો પણ લોકોને ગળે ઉતારી દેવામા સફળ પણ થયા છે. ઍજ  ઍમની રાજકીય સિધ્ધી છે. 'નોટબંધી' અને' જી ઍસ ટી, ' જેવી બાબતોમા લોકોને તકલીફ પડી હોય તો પણ ઍનો વિરોધ જનતાઍ મજબૂતીથી નોધાવ્યો નથી ઍ નરેન્દ્ર  મોદીની મોટી સિધ્ધિ છે. 'અમદાવાદનો રિવર ફ્રંટ' અને બુલેટ ટ્રેનનો પ્રૉજેક્ટ બીજી  પાયાની જરૂરીયાત કરતા વધુ મહત્વના છે  ઠસાવવામા ઍ  સફળ નીવડ્યા છે.
                                                                                   નરેન્દ્ર મોદી ગુજરાત માટે તો વધું ઉપયોગી નીવડ્યા છે.  નર્મદા બંધની ઉચાઈ પૂરેપૂરી મંજુર કરાવી અને ગુજરાતની જીવાદોરી સમાન યોજનાને સંપૂર્ણ કરાવવામા ઍમને સફળતા મળી છે.  જોકે નહેરોનુ ઘણુ  કામ હજુ બાકી છે. ગુજરાતને ઓઈલ રૉયલટીમા પણ ન્યાય અપાવ્યો છે. ગુજરાતમા રસ્તાઓ, અને બુલેટ ટ્રેન જેવો પ્રૉજેક્ટ અપાવવામા સફળ રહયા છે. જાપાન કે ચીન જેવા દેશો દ્વારા  ગુજરાતમા ઉદ્યોગો લાવવામા ઍમનોં મોટો ફાળો છે. ટુંકમા માજી કોંગ્રસી સરકાર દ્વારા દબાવવામા આવેલા ઘણા ગુજરાતના પ્રોજેક્ટોને મંજુરી મળી રહી છે.
                                                                                       મોદી સરકાર આજે દેશમા પરદેશી નાણાનુ રોકાણ લાવવામા સફળ નીવડી છે. વિદેશી રોકાણ ૨૦૧૬ મા ૪૬.૪ બિલિયન ડૉલર્સ  જેટલુ આવ્યુ છે. વિદેશ નીતીમા મોદી પાકિસ્તાન અને ચીનને કોર્નર કરવામા સફળ રહ્યા છે. ઍશિયામા પોતાની આર્થિક અને મિલિટરી તાકાત દ્વારા  નાના દેશોને ભયભીત કરતા ચીંનની સામે ઍક મોરચો રચવામા સફળ રહ્યા છે.મોદી ઍ જૂના અને નકામા ઘણા કાયદાઓને રદ કરીદીધા છે. કાળા નાણાંને ડામવા માટે ઓનલાઇન  વ્યહવારોને મોદી સરકાર ઉત્તેજન પણ આપી રહી છે. બેનામી સંપતી પર મોદી સરકારનો ભરડો સખત થઈ રહ્યો છે. વધુને વધુ લોકોને ટૅક્સના દાયરામા લાવવા માંટે જુંબેશ ઉપાડવામા આવી છે. આ બધી સાકારત્મક બાબતો છે.
                                                                                              તે છ્તા ઘણા પ્ર્શ્નોપર મોદી સરકાર સામનો કરી રહી છે. નોટેબંધી બાદ 'જી ડી પી' ૨  પોઈન્ટ નીચે  ગયો છે, અને આશરે બે લાખ કરોડનુ નુકશાન થયુ છે.  ભાવો વધ્યા છે.  બેરોજગારી  આશાના પ્રમાણમા ઘટી  નથી. . નોટેબંધી બાદ નવી નોટો છાપવાનો ખર્ચ ૭૯૬૫ કરોડ જેટલો આવ્યો છે. ઉત્ત્પાદનમા નુકશાન થયુ છે. નાગરિકોની દિવસની આવક ઍવરેજ ફક્ત $૧.૯૦ થીઑછી  રહી  છે. સરકારી બૅંકોની ખરાબ ધિરાણના આંકડાઓ વધી રહ્યા છે.  સરકારી બૅંકોની 'નોન પર્ફૉર્મિંગ અસેટ' બૅંકોના ટોટલ ધિરાણના ૯% સુધી પહોચી ગઈ છે. ઍ બતાવે છે કે બૅંકોની સ્થિતિ સંતોષકારક નથી.
                                                                                         આથી મોદી સરકારે પરિસ્થિતિને અંકુશમા લાવવા માટે ઘણુ કરવાનુ હજુ બાકી છે  અને ૨૦૧૯ના ચૂટણી ઘણી નજદિક આવી રહી છે.
                                     **********************************************

Sunday, September 3, 2017


અનોખા પારસીઓ
                                                                           સેકડો વર્ષો પહેલા પારસીઓ ઈરાનથી ગુજરાતને કિનારે ઉત્તર્યા હતા. ઍમણે તે વખતે ત્યારના રાજાને વચન આપ્યુ હતુકે ' જેમ દૂધમા સાકર મળી જાય છે ઍમ તમારી પ્રજા સાથે ભળી જઈશૂ'. ઍમણે ઍમનુ વચન વર્તનમા, વફાદારીમા અને ઍમના કાર્ય દ્વારા કરી બતાવ્યુ છે. ઍમની સામે આજ સુધીમા કોઈ ફરિયાદ નથી. ઍમણે કદી દેશ પાસે કઈ માગ્યુ નથી પણ હમેશા આપ્યુ છે.
                                          ઍમના હાવભાવ અને ઍમની પોતાની મધુર ગુજરાતી ભાષા વડે દેશના દિલો જીતી લીધા છે. કોઈની સાથે કેજિયો કરવો સહજ ઍમના સ્વભાવમાજ નથી પરંતુ સામેના માણસનુ દિલ જીતવુ ઍ ઍમની ખાસીયત છે.  ઍ લઘુમતી જ્ઞાતિ હોવા છતા પારસીઓે ઍ કદી  લઘુમતીના હક્કોની માંગણી કરી નથી. કદી અનામતની માંગણી પણ કરી નથી. સરકાર સામે કદી આંદોલન પણ કર્યુ નથી.  ઍમણે ઍમને હિન્દુ બહુમતીનો ડર લાગે છે ઍવુ પણ દર્શાવ્યુ નથી. ઍ ઍમની ઉદારતાનો ઍક દાખલો છે. ઍમણે કદી બોમ્બ કે પછી પથ્થરમારો પણ કર્યો હોય ઍવો દાખલો શોધવા જવુ પડે ઍમ છે. ટુંકમા ઍમણે ઍમની દેશ પ્રત્યેની વફાદારીના અનેક દાખલાઓ પૂરા પાડ્યા છે.

                                        પારસી જ્ઞાતિઍ દાદાભોય નવરોજાજી જેવા દેશભક્ત આપ્યા છે તો જમશેદજી ટાટા,  જે આર ડી ટાટા, રતન ટાટા,  શાપૂરજી પાલનજી,  અને ગોદરેજ જેવા ઉદ્યોગપતિઑ પણ આપ્યા છે.   હોમી ભાભા જેવા વિજ્ઞાનિક, તો જુબીન મહેતા જેવા વિશ્વવિખ્યાત સંગીતકાર પણ આપ્યા છે.  સોલી સોરાબજી જેવા વિખ્યાત ધારાશાસ્ત્રી પણ પારસી  અને રૂસી મોદી જેવા  ક્રિકેટર પણ પારસી  જ હતા. પારસીઓેઍ રુસ્તમ કરંજિયા જેવા  પત્રકાર પણ આપ્યા છે. ફિલ્ડ માર્શલ માણેકશા પણ પારસીઓની દેણ છે. બોમન ઈરાની,  ડેજી ઈરાની, હોમી વાડિયા જેવા કલાકારોઍ પારસી કમ્યૂનિટીનુ નામ રૉશન કર્યુ છે.

                                          થોડા વખત પહેલા જ પારસીઓનુ નવુ  વર્ષ 'પટેટી' ગયુ . પારસીઓેઍ આપેલા સંદેશાને દરેક ભારતીયોયે ધ્યાનમા રાખવો જોઈઍ કે ' દેશ પાસે માંગવા કરતા તમે દેશ માટે શુ કરો છો ઍ અગત્યનુ છે'
                                                           *******************************

Sunday, August 27, 2017


વિશ્વની   અજાયબીઑ

                                                                   ૧) હોન્દુરાસનુ, 'સૅન  પૅડ્રો' શહેર વિશ્વમા વધૂમા વધુ  ભયજનક  શહેર છે, જે ગેરકાયદેસર ડ્રગનુ મોટુ સ્થળ છે.  ત્યા દરરોજના ત્રણ ખૂન થાય છે.
૨)  દુનિયાનુ ગરમ  સ્થળ  અમેરિકાના રાષ્ટીય ઉદ્દયાનમા  આવેલી  'ડેથવૅલી' છે. જુલાઇ ૧૩,૧૯૧૩મા ઍનુ ઉષ્ન તામાન  ૫૬ સેંટિગ્રેડ હતુ.
૩)  દુનિયાનુ ' ઍનટારટીકા' ઍ દુનિયાનો વધૂમા વધુ ઠંડો પ્રદેશ છે.  ઑગસ્ટ ૨૦૧૦ ઍનુ ઉષ્ણ તામાન - ૯૩ સેંટિગ્રેડ હતુ.
૪) દુનિયાનુ ગીચ વસ્તી વાળુ શહેર ચીનનુ  'શહાંગાઈ' શહેર છે, જેની વસ્તી ૨૪ મિલિયન છે.
૫)  ઑછામા ઑછિ વસ્તી વાળુ દુનિયાનુ શહેર' વૅટિકેન સિટી' છે. ૮૪૨ જેટલી આશરે ઍની વસ્તી છે.
૬)  દુનિયાનુ ધનવાન  શહેર 'ટોક્યો' છે, જેનુ જીડીપી' $ ૧૫૨૦/- બિલિયન ' છૅ.
૭) દુનિયાનુ  ગરીબ શહેર ડેમોક્રૅટિક રિપબ્લિક કોંગોનૂ' કિંસાસા' છે જ્યા લોકોની આવક $ ૧/- થી પણ ઑછી છે.
૮) દુનિયાની ઉંચી જગા નેપાળમા 'માઉંટ ઍવરેસ્ટ' છે, જેની ઉંચાઈ ૨૯૦૨૯  ફીટ છે.
૯)  દુનિયાની ઉંડી જગા ઈસરાયલ/ જોર્ડનમા  'ડેડ સી' છે, જે દરિયાના લેવેલ થી '૧૪૦' ફીટ નીચે છે.
૧૦) દુનિયામા વધારેમા વધારે વરસાદ 'મોવસીન રામ' ભારતમા પડે છે, જે  વરસનો '૪૬૭.૩૫ ઈંચ ' જેટલો હોય છે.
૧૧) જગતની સૂકી જગા' ઍટકામાના 'રણ પ્રદેશમા છે,  જે '  સાયૂથઅમેરીકામા' આવેલુ છે.
૧૨)  અમેરિકાના ઍરીજોના  રાજ્યના ' યૂમા' શહેરમા સુર્ય  ૧૧ કલાક તપતો રહે છે જે ઍ શહેરને જગતનુ સનીયેસ્ટ શહેર બનાવે છે.
૧૩) બ્રાજીલ દુનિયાનો 'સેક્સીયેસ્ટ' દેશ છે.
૧૪) જાપાન દુનિયાનો  ઑછામા ઑછો સેક્સી દેશ છે. ૪૫ %  સ્ત્રીઑ સેક્સમા રસ ધરાવતી નથી.


                                                   ********************************

Friday, August 11, 2017


 કવિઓના અદભૂત વિચારો
                                                        'જ્યા ન પહોચે રવિ ત્યા પહોચે કવિ' ઍવી કવિઓની  કલ્પનાઓ હોય છે પરંતુ  ઍમની રચનાઓમા અદ્ભુતતા હોય છે અને ઍમા ગુઢતા પણ હોય છે. ઍમા સંદેશની સાથે મધુરતા પણ હોય છે. જીવનમા  દરેક મનુષ્યે પોતાની શક્તિ પ્રમાણે સદ્કાર્યો કરવા જોઇઍ. ઍવા બધા સદકાર્યો પર જ સંસાર ચાલી રહ્યો છે.
 ઍક કવિ કહે છેકે-
"ઉપાડશે કોણ કામ મારુ ઍવુ અસ્ત થતા સૂરજે  પુછ્યુ?
સાંભળી જગત આખુ  નિરુત્તર રહયુ."
 પણ માટીનુ કોડીયુ બોલ્યુ
 'મારાથી બનતુ હૂ કરી છ્ટીશ'
ઍમા  સંદેશ છેકે સામાન્ય માનવી પણ સાકારત્મક હોય તો દુનિયામા સારુ ઍવુ કામ કરી શકે છે.
                                                            ઘણા લોકો  નફરતમા પણ પ્રેમ જુઍ છે. આથી બહુ સંતાપ થતો નથી. ઍથી ઍક કવિઍ રમુજમા કહ્યુ છેકે -
"નફરત કરવાવાળા પણ ગજબ પ્રેમ કરે છે મને
  જ્યારે પણ મળે છે ત્યારે મને કહે છે"- ' છોડીશ નહી  તને '
                                                               તે ઉપરાંત જીવનમા ઘણા જ  ટકરાવ આવેલા જે  માનવીને  મુશ્કેલીમા મૂકે છે. અને રસ્તો કાઢવો પણ મુશ્કેલ બને છે. આનો  ઍક દાખલો કવિઍ આપ્યો છે.
" સમજાતી નથી  જિંદગીની  રીત ઍકબાજુ કહે છે કે ' ધીરજના ફળ  મીઠા હોય છે.'
   અને બીજીબાજુ  કહે છેકે સમય  કોઈની રાહ જોતો નથી."
                            આવા સંજોગોમા માનવીઍ  પોતાની સામાન્ય બુધ્ધિનો જ ઉપયોગ  કરવો રહ્યો.
                                                            *************************************

Wednesday, August 2, 2017


જીવન જીવવુ ઍ પણ કળા છે
                                                                                   જીવનમા સુખ સાયબી અન સમૃધ્ધિ પ્રાપ્ત કરવી ઍ પુરતુ નથી પરંતુ ઍની સાથે સારુ સ્વાસ્થ અને આંતરિક આનદ પણ જરૂરી  છે.  તમે ઘરમા દિવસો સુધી  બધી સાયબી સાથે જીવો અને કોઈ સકારાત્મક પ્રવૃત્તિ ન કરો તો થોડાજ દિવસોમામા તમને બેચેનીનો અનુભવ થશે  અને ઍવુ લાગશેકે  તમે જાણે મૃત્યુની રાહ જોઈ રહ્યા છો. તમને ઍમ પણ લાગવા માંડસે કે તમે કોઈ લાંબી  બિમારીથી પીડાતા હો. આવી  પરિસ્થિતિમા સમજવૂ જરૂરી છેકે તમારી જીવન  જીવવાની પધ્ધતિમા કઈક ખામી છે.
                                                   આવા સંજોગો અને માનસિક સ્થિતિમા આયાશીભરી અને આળસુ જિંદગી જ માનવીનો મોટી દુશ્મન બની જાય છે.  આથી મનુષ્યે હંમેશા  સક્રિય અને સકારાત્મક જીવન  તરફ જ વળવુ જોઇઍ.   સક્રિય અને  સકારત્મક શબ્દોને સમજવુ સરળ છે પરંતુ ગીતાને સમજવૂ અને ઍને જીવનમા ઉતારવાની જેમ મુશ્કેલ છે.
                                                    આ બાબતમા સ્પેનીશ કવિ પાબ્લો  નેરુદાની ઍક સરળ કવિતાને જીવનમા ઉતારવી આવશ્યક છે. ઍ કવિતા માટે ઍ કવિને નોબલ  પ્રાઇજ઼ મળ્યુ  છે. ઍ કવિતામા કવિ નેરુદા  કહે છે કે જે માનવી  અમુક  પક્રિયાઑ નથી  કરતો ઍ  મરવા માટે જ જીવતો હોય છે.

                                                     માનવી ઍ ગમતા પ્રવાસો કરવા  અને  સારા પુસ્તકો વાંચવા જોઇઍ. પોતાનુ આત્મસન્માન જાળવી બને ત્યા સુધી લોકોના સારા ગુણોના વખાણ કરવા જોઇઍ. તે ઉપરાંત બીજાઓને મદદ કરવાની પ્રવૃત્તિઓ કરવી રહી. પોતાની આદતોના ગુલામ બન્યા વગર  દૈનિક  વહેવાર બદલીને રસ્તાઓ બદલતા રહેવુ જોઇઍ. અજાણ્યા માણસો સાથે  પરિચય કેળવતા રહેવુ. તમે તમારા કામઓથી સંતુષ્ટ હોવુ જરૂરી છે. જીવનમા  અનિશ્ચતા હોય છે ઍટલા માટે નિશ્ચિતતાને તજી દેવી ન જોઇઍ. ટૂકમા  સ્વપ્નોનો પિછો કરી ઍને હાંસલ કરવા જોઇઍ. કોઈ સમજદારની સલાહને અવગણવી ન જોઇઍ.  ટૂંક મા આબધી વસ્તુઓનુ પાલન કરવાથી સફળ, સુખી અને આનંદમય જીવન વિતાવી શકાય છે. ઍજ જીવન જીવવાની કલા છે.

                                                       **************************************

Sunday, July 9, 2017


સફળ માનવીઓનુ ચિંતન
                                                                                                   રાજકીય અને સરકારી બાબતો બહુજ  રસદાયક હોય છે અને ઍમા પડેલા રાજકારણીયો સારી રીતે વાકેફ હોય છે. ઘણા રાજકારણીઓે ઍ નિખાલસ પ્રમાણે  ઍના પર પોતાના વિચારો રજૂ કરેલા છે.  તે ઉપરાંત રાજકારણીઓ માટે કોઇ જાતની આવડતની જરૂરીયાત હોતી નથી. ઘણીવાર જાનતાને ભોગે ઍ લોકો ઘણુ શીખી લે છે.

                                                                                                        ઍ બાબતમા અમેરિકન રાજકારણી   જૉન આદમઍ કટાક્ષમા કહ્યુ છે કે "  મારા વર્ષોના અનુભવ પરથી કહુ છુકે ઍક નકામો માણસ શરમજનક બની રહે છે. જ્યારે  બે નકામા માણસો કાયદાકીય કંપની પણ બનાવી શકે છે. અને મારુ માનો  તો ત્રણ થી વધારે નકામા માણસોની સરકાર બની રહે છે."  માજી અમેરિકન પ્રમુખ રેનોલ્ડ રીગન આગળ વધી કહે છેકે " સરકાર ઍક તરફ  ઍવી કડી છે જે વધારેને વધારે સત્તાની ભૂખ ધરાવતી  સંસ્થા છે પણ બીજી  તરફ બિનજવાબદાર હોય છે" રોનાલ્ડ રીગન સરકાર ઑછામા ઑછી સત્તા વાપરે  ઍ મતના હતા.  ટૂકમા રાજકારણીઓ પાસે ઑછી સત્તા હોય અને પ્રજા વધુ સ્વતંત્ર હોય ઍ દેશના હિતમા હોય છે.  ઍઑસોપ ન નામનાચિંતક્નો  રાજકારણીયો વીશેનો  અભિપ્રાય જાણવા જેવો છે. ઍ  માનતા કે'  સામાન્ય ચોરને ફાંસી પર લટકાવી દેવામા આવે છે અને મોટા ચોરોને ઉચ્ચ સામાજીક ઓધ્ધા પર મુકવામા આવે છે.'

                                                                                                        આપણને ખબર છેકેચાર્લી ચેપ્લિન હાસ્યના બેતાજ બાદશાહ હતા પરંતુ  ઍમના જીવનના અનુભવો જાણવા જેવા છે.  ઍમનુ માનવુ  હતુ કે' દુનિયામા કોઈ પણ ચીજ કાયમી નથી. મુશ્કેલીઓ પણ નહી'.  આખી દુનિયાને હસાવનારે ક્હ્યુ કે '  મને વરસાદમા ચાલવુ ગમે છે કારણકે કોઈ પણ મારા આંસુ જોઈ ન શકે.'   હાસ્ય ઍમનુ જીવન હતુ. ઍ માનતા કે જે દિવસે હસ્યા ન હોઇઍ ઍ વ્યર્થ દિવસ છે. ટૂકમા  દુખ અને મુસીબતોમા પણ માણસે હસતા રહેવુ જોઇઍ જેથી દુખ ઑછુ થાય.

                                                                                                            બધા દુખોના મુળમા માણસની આકાંશાઓની નિષ્ફળતા છે. ડેલ કારનેગી કહે છેકે' સફળતા ઍને જ મળે છે જે દિલ લગાવીને કામ કરે છે'. તે ઉપરાંત બીજાના ભલા માટે કરેલ કામની સફળતામા જે  આનંદ  મળે ઍ અનોખો હોય છે. ઍટલે આલ્બર્ટ  આઈનસ્તાઈન  કહે છે કે ' બીજાના માટે જીવવુ જ ઉત્તમ છે.'  ઍ બધા દુખોનુ ઑસડ છે.

                                                    *********************************