Wednesday, June 3, 2020


સબકા સાથ
                                                                                       દુનિયામાં લોકોને  સાથમાં  લઈને કામ કરવામાં જે  સફળતાનો  આનંદ અને સંતોષ મળે છે એ અજબ છે. રતન તાતાએ કહ્યું છેકે  ' નજદીક  અને જલ્દી  પહોંચવું હોય તો એકલા જવું સારું પરંતુ મુસાફરી લાંબી હોય તો સમૂહ માં જવું  ઉચિત છે.' આથી પંખીઓ પણ આકાશમાં એક દિશામાં સમૂહમાં જ ઉડે છે કારણકે સમૂહમાં ઉડવાથી શક્તિઓ વધે છે અને અંતર પણ જલદી કપાઈ જાય છે .
                                ટીમ વર્ક માં  કાર્યદક્ષતા  વધે  છે અને જરૂર પડે નેતા પણ બદલવાનો અવકાશ રહે છે. સમૂહમાં  એકબીજા પ્રત્યે સ્નેહ , માન અને લાગણી પણ જન્મે છે. એક બીજાને પ્રોત્સાહિત કરવાથી નિષફળતાનો ભય દૂર થાય છે. અને ઉત્તમ પરિણામ મળે છે.

                                ટીમ ના સભ્યો જો એકબીજા પ્રત્યે માન રાખી એક લક્ષ્યથી કામ કરે તો  સર્વ તેમનું  લક્ષ તરફ જલદી પહોંચી શકે  છે. ટીમના સભ્યો જો એકબીજા તરફ માન રાખી, અને  મતભેદોને ભૂલી ને  કામ કરે જાય તો કોઈ સફળતાને અટકાવી શકે નહિ.
                                    ટીમમાં  મૈત્રી ભર્યા સબંધો જ ઉત્તમ સફળતા અપાવે છે. જરૂર પ્રમાણે  નેતાની બદલી કોઈ પણ જાતના સંગર્ષ વગર પર ઉતરે એજ ટીમ વર્કનો ઉત્તમ નમૂનો છે.

                                    પક્ષો જયારે સમૂહમાં ઉડે છે ત્યારે એક પક્ષી થાકી જાય તો બીજું પક્ષી એની સાથે ઉડવા માંડે છે અને એને સહારો આપે છે. નેતા બદલાતા પક્ષીઓના સમૂહમાં પણ નેતા પોતાનું સ્થાન છોડી
પાછળ ઉડવા માંડે છે. અને નવો નેતા એનું સ્થાન સહજ રીતે લઇ લે છે. અને આમ પક્ષીઓનો સમૂહ હજારો માઈલ ઉડીને એમના નિશ્ચિત સ્થાન પર સહી સલામત પહોંચી જાય છે. એમાંથી ટીમ વર્ક વિષે માનવ જાતે ઘણું ઘણું શીખવાનું છેકે ' સફળ ટીમ વર્ક શું કહેવાય?
                             *************************************************
                                                   

Wednesday, May 20, 2020

ગુજરાતી શાયરીઓ

                                                                   
                                                                      અમે સમંદર ઉલેચ્યો છે પ્યારા !
                                                                      નથી માત્ર  છબછબીયા  કીધા કિનારે .
                                                                            ' શૂન્ય પાલનપુરી '
                                                                       લોકોના  ઘા તો કૈક સહયા
                                                                       પણ જાન ગયો છે  એક  ઉઝરડે.
                                                                             'અમર પાલનપુરી'
                                                                        જોબન ગયુંને પાનખર આવ્યો
                                                                        ક્યારે બુઢાપો આવ્યો  તેનો ખ્યાલ ન આવ્યો.
                                                                        બુઢાપો જોઈને જવાની  થથરી જાય છે
                                                                        જેમ સૂકા પાંદળાઓથી  ઝાડની સુંદરતા ચાલી જાય છે.
                                                                               'ભારત  દેસાઈ '

                                                                        ખુન્નસ ફરે છે લઇ ખંજર  શહેરમાં
                                                                         છલકી રહયા  છે રક્ત સરોવર શહેરમાં
                                                                        બેમાંથી એકે હોય તો  ના હોય આ દશા
                                                                         અલ્લાહ પણ નથી, નથી ઈશ્વર શહેરમાં
                                                                                    'અમૃત ઘાયલ ' 
                                                                          પજવે છે આમ શાને અલ્લાહ તું સીધો રહે
                                                                           શું જોઈએ છે  તારે હાજર  થઈને કહે
                                                                           શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી                                                                                                              જરૂર ?
                                                                           કુરાનમાં તો ક્યાંય પયગંબરની  સહી                                                                                                               નથી
                                                                                     'જાલન  માતરી '

                                                                           આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
                                                                            જે  વચન દેતા નથી તેયે નભાવી જાય છે.
                                                                                       'મરીઝ '
                                                                             તારું કશું ન હોય તો છોડીને આવતું
                                                                             તારું જો  બધું હોય તો છોડી બતાવ તું
                                                                                      ' રાજેશ વ્યાસ '

                                                                             મંગળ પર પહોંચ્યા એનો મતલબ શો?
                                                                             માણસથી  માણસ લગ  તો પહુંચાયું  નહિ.
                                                                                        'ભરત ભટ્ટ '

                                                                           ********************************


                   

                     

           

                                     

Thursday, May 14, 2020


પદ્મનાભસ્વામી  મંદિરનો ખજાનો
                                                                                              ભારતમાં મંદિરોમાં અઢળક  હીરા, મોતી,  રત્નો અને  સોનાનો ખજાનો પડ્યો છે જો એનો ઉપયોગ સારી રીતે થાય તો ભારતની  ગરીબી  નાબૂ દ થઇ જાય એમ છે. એમાં પદ્મનાભસ્વામી મંદિરનો ખજાનો તો એટલો અઢળક છે કે જે કેટલાએ દેશોના આર્થિક બજેટો  પાર કરી જાય એટલો છે.
                                                      પદ્મનાભસ્વામી એટલે વિષ્ણુનુંએ મંદિરનો ઇતિહાસ ૨૩૦૦ વર્ષ પૂર્વેનો છે.  ત્રાવણકોર મહારાજના એ ઇસ્ટ દેવ છે.  એ મંદિર તિરૂવંથપુરમ, કેરાલામાં આવેલું છે. પરંતુ એના એ, બી. સી, ડી , ઈ, એફ જે  'વોલટો, ' છે એમાં સોના ચાંદી, ઝવેરાતના અમૂલ્ય ખજાનાઓ પડેલા છે.  સી , ડી, ઈ , એફ  વોલટો તો ખોલવામાં આવેલા પરંતુ એ  અને બી જે બંધ હતા તે સુપ્રીમ કોર્ટના આદેશથી ખોલવામાં આવેલા ત્યારે એમાંથી અધધ જેટલું  ઝરઝવેરાત અને સોનુ નીકળ્યું તેની કિંમત કરવી મુશ્કેલ છે કારણકે એની એન્ટિક વૅલ્યુ 3  ટ્રિલિયન ડોલરથી પણ વધી જાય છે.

                                                       જયારે એ વોલ્ટના દરવાજા ખોલી  જમીનમાં આવેલી સુરંગ ખોલવામાં આવી અને પ્રકાશના  કિરણો એમાં દાખલ થયા ત્યારે અંદર પડેલા ઝરઝવેરાતથી રુમ જળહળી ઉઠ્યો હતો. જેમ અંધારી રાત્રિમાં તારાઓના પ્રકાશથી નભો મંડળ જળહળી ઉઠે .

                                                      એ ગુફામાંથી  ઝરઝવેરાત કાઢતા ૧૫ માણસોને એક દિવસ લાગ્યો હતો. એમાંથી સોનાની  ૪ફૂટ ઊંચી અને  ૩ ફુટ પહોળી શેષનાગ પાર બેઠેલા વિષ્ણુની મૂર્તિ પણ હતી. તે ઉપરાંત ૧૮ ફુટ લાંબો સોનાનો હાર,  સોનાની ઢાલ,  સોનાનું નારિયળ જેમાં હીરા , મોતી  અને રત્નો જડેલા  હતા. સોનાનું હીરા જડિત સિંહાસન, રોમન, નેપોલિયન, અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વખતના લાખો  સોનાના 
 સિક્કાઓ પણ મળ્યા હતા . ૧૧૦ કેરેટથી પણ વધારેના કેટલાએ હીરા મળ્યા હતા. એની સરખામણીમાં મશહૂર  કોહિનૂર હીરો જે ઇંગ્લેન્ડની રાણીના મુગટમા છે એતો ફક્ત ૧૦૫કેરેટના વજન વાળો છે. ટૂંકમાં આ સમૃદ્ધ ખજાનાનું મૂલ્ય રૂપિયામાં  આશરે ૧.૩ લાખ કરોડ થાય  જ્યારે ડોલરમાં  ૨૦૦ બિલિયોન થાય.  પરંતુ જોએની  એન્ટિક  વૅલ્યુ માં લેવામાં આવે તો ૭ થી વધારે  ટ્રિલિયન ડોલર જેટલી થવા જાય છે . કહેવાનો અર્થ એ છે કે એનું એટલું મૂલ્ય છેકે કોઈ પણ દેશની અર્થ વ્યવસ્થાને બદલી શકે છે .
                                                 હજુ બીજા બે નવા વૉલ્ટ મંદિરમાં  મળ્યા છે એને તો હજુ ખોલ્યા નથી.
આ દ્રષ્ટિએ જોઈએતો પદ્મનાભસ્વામી દુનિયાનું સમૃદ્ધમાં સમૃદ્ધ મંદિર છે. એમ કહેવાય છેકે પુરાણકારમાં એના ખજાનાને સમુદ્રમંથનમાંથી મળેલા ખજાનાથી પણ ભરવામાં આવ્યો છે.
                                       **********************************************      

Saturday, May 2, 2020


કોરોના અને રમૂજ
                                                                                              આજે આખી દુનિયા પર કોરોનાનો કેર વ્યાપેલો છે. કેટલાએ દેશોમાં તદ્દન લોક ડાઉંન ચાલે છે અને લોકો એમના ઘરોમાં પુરાયેલા છે. તે વખતે  જીવનને કેવી રીતે હળવું બનાવવું એ લોકોના પોતાના પર આધાર છે.  તે ઉપરાંત કોરોના પર રમૂજ ઉત્ત્પન કરતા ઘણા  દાખલાઓ બહાર આવ્યા છે. જીવનમાં મુશ્કેલ વખત કેવી હળવી રીતે પસાર કરવો એ પણ એક કળા છે.
                                     બહારનું દરરોજ ખાનારાને  હવે સવારસાંજ  પત્નીના હાથે ખાવું પડે છે. આથી એવા એક પતિએ પત્નીને કહ્યું કે' તારા હાથનું ખાઈ ખાઈને હવે હું અંચાઈ ગયો છું .'  હાજર જવાબી પત્નીએ કહ્યું' તો બહાર જાવ અને પોલિસનો માર ખાવ '.
                                     આપણામાં કહેવત છે કે ' એકલા આવેલા એકલા જવાના .'  પરંતુ હવે એવા દિવસો આવ્યા છે કે ' એકલા આવ્યા પણ જેટલા સંપર્કમાં તે બધા જવાના .'
                                     પત્નીએ પતિને કહ્યું  કે ' તમે માસ્ક પહેરી લો '. પતિને આશ્ચર્યતાથી કહ્યું '  હું તો ઘરમાંજ છું . બહાર તો જતો નથી પછી માસ્ક પહેરવાની શું જરૂર ?' અરે તમારું ૨૪ કલાક મોઢું જોઈ જોઈને હવે હું થાકી ગઈ છું.' પત્નીએ તરતજ જવાબ આપ્યો.'' બિચારો પતિ '


                                     અત્યાર સુધી ટ્રકની પાછળ લખવામાં આવતું હતું કે' થોડું  અંતર રાખો ' પણ હવે કોરોના કાળમાં  માણસની પાછળ  એવું  લખવાનો સમય આવી ગયો છે.
                                      હવે કુદરતની બલિહારી તો જુઓ કે જયારે વાતાવરણ શુદ્ધ થયું છે. શુદ્ધ હવા મળે છે . ત્યારે  મોઢા પર માસ્ક પહેરી રાખવો પડે છે.
                                          કોરોનાએ હવે  શ્વાસની  કિંમત વધારી દીધી છે કારણકે એ ફેફસા પર જ હુમલો  કરે છે અને શ્વાસ લેવાની શક્તિ હણી લે  છે. અને માણસ મૃત્યુ પામે છે.
                                       જોવાનું તો એ છે કે પતિ પત્ની વચ્ચે વાત કરવાનો વખત ન હતો ત્યાં હવે વખત જ  વખત  છે.  માં બાપને પુત્ર પુત્રી સાથે કામ પૂરતી વાત કરવાનો સબંધ હતો ત્યાં હવે માબાપ પુત્રો કે પછી પુત્રીએ બનાવેલી નવી નવી વાનગીઓ માણવા માંડયા છે. આ બધો કોરોનાનો જ પ્રતાપ છે. સમયની આ બલિહારી છે.
                                            **********************************
                                     
                                     

Tuesday, April 21, 2020


ડ્રેગનનો કેર
                                                                                                               ચીન એક એવો દેશ છે જે ડ્રેગનને નામે પણ ઓળખાય છે. ડ્રેગન આખરે શું છે? ડ્રેગન એક વિશાળ ભયંકર પ્રાણી છે જેના નામ સાથે ચીનની પહેચાન છે. ચીન ડ્રેગન જેટલો જ  વિશાળ દેશ છે અને એની શક્તિઓ ડ્રેગનની શક્તિને ટપીજાય એવી મજબૂત છે. એ વસ્તીમાં પણ દુનિયામાં અવ્વલ છે. એ  લુચ્ચાઈ, અને હોશિયારીમાં દુનિયામાં કોઈ પણ દેશથી ઉત્તરે એમ નથી. એથી એનું ઉપનામ ડ્રેગન ઉચિત છે.

                                                    ચીન એની વિસ્તારવાદી વૃત્તિ માટે જગતમાં પ્રખ્યાત છે. એની મહત્વાકાંક્ષા વિશ્વ સત્તા બનવાની છે. અત્યારે એની શક્તિઓએ એનું સ્થાન વિશ્વની બીજી કક્ષાની સત્તાની ક્રમે આવી ચૂક્યું છે પરંતુ હવે તે અમેરિકાને મહાત કરી પ્રથમ કક્ષાની વિશ્વ સત્તા બનવાની હોડ માં છે. એના માટે જાત જાતની તરકીબો અજમાવી રહ્યું છે.
                                                    ચીનની આજુબાજુ જે આશરે  ૧૮ દેશોની સરહદો છે એ બધા દેશો અને ચીન વચ્ચે તણાવભરી સ્થિતિ પ્રવર્તતે  છે. એ દરેકની સાથે એક કે બીજી રીતે ચીનને સરહદો વિષે તકરાર જેવી પરિસ્થિતિ છે. હવે એને વધારી ચીને  હવે દક્ષિણ ચીનના સમુદ્ર પર પોતાનો દાવો કર્યો છે. આજુબાજુમાં આવેલા કેટલાએ  ટાપુઓ પર ચીને પોતાનો દાવો નોંધાવ્યો છે. એનાથી જાપાન , વિયેતનામ.ફિલિપાઇન્સ,   મલયએશિયા, અને ઇન્ડોનેશિયા જેવા કેટલાએ દેશો સાથે ચીનનો તણાવ વધી ગયો છે. દુનિયાનો ૨/૩ આંતર રાષ્ટ્રીય  વેપાર દક્ષિણ ચાઇના સમુદ્ર મારફતે થાય છે એટલે ચીન હવે અમેરિકા સાથે પણ સીધા ઘર્ષણ માં આવી ગયું છે. આ બધા ઘર્ષણો પાછળ ચીનની એકજ મુરાદ છે કે એને એની શક્તિનું  ભાન બીજા દેશોને કરાવવાનું છે.

                                                       કોરોનાના ચેપના વિશ્વ  ફેલાવા બાદ ચીન આખી દુનિયામાં બદનામ થઇ ચૂક્યું છે. ચીનની સામે આક્ષેપોના  ઢગલાઓ ઉભા થઇ ગયા છે. ચીને આખી દુનિયાથી કોરોના કારણે થયેલા  મોતના સાચા આકડાઓ છુપાવ્યા છે એવો પણ એક  આરોપ ચીન સામે છે. કોરોના વિષે સાચી માહિતી ચીને દુનિયાને સમયસર પુરી  ના  પાડી એથી કોરોના એ આખી દુનિયામાં  માનવીઓની લાશોનો ઢગલાઓ ઉભા કરી દીધા. આખી દુનિયાની અર્થવ્યવસ્થાને  હાનિ પહોંચાડવા માટે ચીને કોરોના નામના દૈત્યનો ઉપયોગ કર્યો છે એવું વિશ્વના ઘણા  દેશો હવે માનવા માંડયા છે. અમેરિકાએ તો ચીનની સામે  તપાસ  શરુ  કરી દીધી છે, અને ચેતવણી પણ આપી છે કે કોરોના રોગની બાબતમાં  ચીને જો કોઈ પણ બેદરકારી કે બદઈરાદાથી કઈ પણ કર્યું હશે તો એને  આખા વિશ્વને નુકસાન ભરપાઈ કરવું પડશે. અમેરિકા એના દરેક નાગરિકના મોતનો બદલો કેવી રીતે લે છે એનાથી વિશ્વ આખું માહિતગાર છે . અત્યારે તો કોરોનાના કેરથી અમેરિકન નાગરિકોના મોતથી લાશોના ઢગલા સર્જાયા છે.   એ અમેરિકા કેવી રીતે ભૂલી શકશે એ એક પ્રશ્ન છે ?

                                     એ પણ જોવાનું છે કે જ્યારે આખું વિશ્વ કોરોનના કેરથી  ત્રાહિ ત્રાહિ પોકારી ગયું છે ત્યારે ચીને પોતાના માલનો વેચાણ કરવાનું શરુ કરી દીધું છે. ચીનના કારખાનાઓ એ એમનું ઉત્પાદન શરુ કરી દીધું છે , ચીને આર્થિક રીતે નબળા વિશ્વ માર્કેટનો લાભ લઇ વિશ્વની મોટી મોટી કંપનીઓમા પોતાનું ધિરાણ વધારી એના પર  પોતાનું  વર્ચસ્વ વધારી રહ્યું છે.  ચીનની બધી પ્રવૃતિઓ ચીન વિષે શંકા ઉત્પન્ન કરી જાય છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીન વિશ્વમાં આ ખરાબ વખતમાં પોતાનું આર્થિક વર્ચસ્વ વધારવા માટેની હોડમાં છે. હવે એવો સમય આવ્યો છેકે  આર્થિક વર્ચસ્વ દ્વારા જ વિશ્વમાં મહાસત્તા બની શકાય છે.  આથી ઘણા  લોકોને  ચીનની અત્યારની હિલચાલને એ દિશામાં આગળ વધતી જણાય છે.
                                       કોરોના રોગનું  જન્મ  સ્થાન ચીન છે એટલે લોકોમાં શંકા ઉદ્યભવી છે કે એ કદાચ માનવીએ પોતાના સ્વાર્થ માટે ઉભી કરેલો મહાદૈત્ય  પણ હોઈ શકે? એક વાતમાં તથ્ય જરૂર છેકે  ચીન મહત્વાકાંક્ષી  અને  વિશ્વની મહાસત્તા  બનવાની હોડમાં છે.
                                           ************************************
                                   
                                                       
                                            

Tuesday, April 7, 2020



ચર્ચિલ અને  સરદાર
                                                                                       ચર્ચિલએ બ્રિટનના મજબૂત નેતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં ડગમગી ગયેલા ઇંગ્લેન્ડને બહાર કાઢી યુદ્ધમાં વિજય અપાવવામાં એમનો મોટો ફાળો હતો. યદ્ધની જીતમાં મદમસ્ત બનેલા  અને સંસ્થાનવાદી મનોવૃતિવાળા ચર્ચિલને જ્યારે ઇંગ્લેન્ડની લેબર સરકારે ભારતને આઝાદી આપી તે પસંદ ન હતી .
                             યુદ્ધ બાદ ઇંગ્લેન્ડના લોકોએ એમને ચૂંટણીમાં પરાજિત કર્યા અને ત્યારબાદ  ચૂંટાયેલી લેબર સરકારે જ્યારે ભારતને સ્વાતંત્રતા આપવાની જાહેરાત કરી ત્યારે ચર્ચિલે એમનો ભારત અને એના નેતાગીરી સામેનો  દ્વેષ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ઓકી કાઢ્યો હતો. એમણે કહ્યું કે " ઇન્ડિયામાં સત્તા બદમાશ, ગૂંડા, અને  ફ્રી બૂટરના હાથોમાં જઈ રહી છે. તેઓ  નબળા માણસો હશે અને થોડા વર્ષો બાદ એમનું નામનિશાન પણ નહિ મળે"  એમને એમ કે એ એવો બકવાદ કરી જશે અને ઇન્ડિયાના નેતાઓમાંથી કોઈ પ્રતિસાદ પણ નહિ મળશે.એમણે ભારતની નેતાગીરીને નબળી  માની લીધી હતી.  અમને ખબર ન હતી કે પ્રિન્સ બીસ્માર્કને પણ ચઢી જાય એવા નેતા ભારતમાં પડયા હતા.
                                       સરદાર પટેલે એને ભારતનું ઘોર અપમાન માન્યું અને એનો સણસણતો જવાબ આપ્યો." તમે  સામ્રાજ્યવાદના બેશરમ સામ્રાજ્યવાદી છો, જ્યારે સામ્રાજ્યવાદ એના અંતિમ ડુસકા લઇ રહ્યો  છે, ત્યારે  તમારી જીદ અને મૂર્ખામીભરી  વિચારશરણી દ્વારા ઇંગ્લેન્ડની  ઘોર ખોદનારા તમે  છેલ્લી વ્યક્તિ હશો. એમાં મને તમારું ડહાપણ, તર્ક અને કલ્પનાનો અભાવ જણાય છે.  જો ઇંગ્લેન્ડની હીસ મેજેસ્ટી સરકાર એવું ઇચ્છતી હોય કે ભારત ઇંગ્લેન્ડ સાથે મૈત્રી ભર્યા સબંધો રાખે તો  તેને જોવું પડશે કે ઇંગ્લેન્ડના રાજપુરુષો દ્વારા  ભારત પર ઝેરી અને મલિન હુમલાઓ બંધ કરાવે. હવે બ્રિટિશ રાજપુરુષો અને અન્યોએ   અમારા દેશ સાથે  મૈત્રીપૂર્ણ , સદ્ભાવ ભર્યો વર્તાવ રાખવો પડશે."
                                          આવો સરદારનો  સણસણતો જવાબ જોઈ  ચર્ચિલની બોલતી બંધ થઇ ગઈ.
એમણે એમનો બોલવાની રીતને બદલી   અને જવાબમાં કહ્યું " તમારા જવાબથી પ્રભાવિત થયો. મને તમારી નવી  સરકારે જવાબદારી  પૂર્વક જે પ્રશ્નોને હલ કર્યા તે બદલ ગર્વ છે. મિસ્ટર પટેલ તમારી પાસે સારું વિશ્વ  વધુ સેવાઓને જોવાની  અને તમને સાંભળવાની  અપેક્ષા રાખે છે. તમારે તમારી જાતને ભારતની અંદર જ પ્રવૃતિમય  ન રાખવી જોઈએ ." 
   
                                          આજ બતાવે છેકે સરદારનું વ્યક્તિવ આંતરાષ્ટ્રીય રાજપુરુષના કક્ષાએ હતું. એથી તો એના દુશ્મનો પણ એમણે માનની દ્રષ્ટિએ જોતા હતા. ભારતના રજવાડાઓ પણ એમની મુત્સદીગીરીથી ડરતા હતા અને ચપોચપ પોતાના રાજ્યો ભારતમાં સમાવી દીધા હતા. હૈદરાબાદનો કબજો લીધા બાદ નિઝામને પણ કહી દીધું હતું કે ' તમારે  જાતે ભારતના  નાયબ વડા  પ્રધાનનું  સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેવું પડશે.' એથી જ લોકો એમને લોખંડી પુરુષ તરીકે જ ઓળખતા. આજે નર્મદા પર ઉભેલું અને વિશ્વનું ઊંચામાં ઊંચું એમનું   સ્ટેચ્યુ એમના  ચાણકયમય અને લોખંડી વ્યક્તિવ રજુ કરે છે.
                                                  ***************************

Thursday, April 2, 2020


રામ નવમી - મર્યાદા પુરષોત્તમ રામ
                                                             આજે રામનવમી છે. ત્યારે આ વર્ષે રામની એમની જન્મભૂમિ પર, હવે ભારતની સર્વોચ્ચ કોર્ટના ચુકાદા બાદ,  વર્ષો સુધી હિન્દૂ સમાજની વ્યથા બાદ,  ભવ્ય રામ મંદિર બાંધવાનું શરુ કરવામાં આવશે.  મોગલ બાદશાહ  બાબરના સરદારે ધર્માંધતા બતાવી રામજન્મ ભૂમિ પર એક  મોટી  બાબરી  મસ્જિદ તાણી બાંધી એના પરિણામ રૂપ રામ જન્મ ભૂમિ વિવાદિત થઇ હતી. પ્રશ્ન  ફક્ત એજ હતો કે બે ધર્મોના  વચ્ચેનો ટકરાવ.  આમતો  રામ પહેલા અયોધ્યામાં પ્રગટ થયા હતા અને બાબરી મસ્જિદ એના હજારો  વર્ષો બાદ અયોધ્યામાં અસ્તિવમાં આવી હતી. એમાં પણ રામની મર્યાદા વચમાં આવી અને કોર્ટના ચુકાદા બાદ જ  રામની જન્મ  ભૂમિ નક્કી થઇ શકી.  હવે મંદિર બનવાની તૈયારીઓ થઇ રહી છે.
                                                            રામ એક આદર્શ અને મર્યાદા પુરુષ હતા જે  પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિની દેણ છે. કદી આદર્શ અને મર્યાદાનો સુમેળ આ જગતના જટિલ પ્રશ્નો સામે નિસ્ફળ નીવડે  છે . એટલા માટે સીતાનો ત્યાગ, તેપણ એક ધોબીના કટાક્ષથી કરવામાં આવ્યો. તેનો  હિન્દૂ સમાજમાં સ્ત્રીને એક   અન્યાય રૂપ ગણવામાં આવે છે.  મોગલ ઇતિહાસમાં તો બાપને મારી રાજગાદી પર બેસી જવાની જે પ્રથા હતી. તે સામે પિતાના કહેવાથી પોતાનો રાજગાદીનો  હક છોડી રામે  વનમાં જવું, અને તે પણ એમના નાના ભાઈ  ભરતની  ઈચ્છા  વિરુદ્ધ. એ પગલાને  ઘણા લોકો આદર્શમય વિચાર ધારાની પરાકાષ્ટા માને છે. અને આજના જામાનામાં એને મૂર્ખતા પણ માનવા આવે તો એમાં નવાઈ નહી.
                                                              પરંતુ મર્યાદામાં રહી આદર્શમય  જીવન જીવી શકાય છે એ રામાયણનો અને રામના જીવનનો  મુખ્ય આશય છે.  એ માર્ગ વિકટ અને મુશ્કેલ  છે તે છતાં એમાં આત્મ સંતોષ,  અને સમાજમાં ઝગડા ટંટા દૂર કરવાનો સહેલો  માર્ગ બતાવવામાં આવ્યો છે.

                                                                આદર્શ રામના મર્યાદા જીવન સામે હિન્દૂ સંસ્ક્રુતિમાં એક બીજી વિચારધારાનું આરોપણ  મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનું જીવન દ્વારા કરવામાં આવ્યું છે. તેને  તદ્દન જીવનની વાસ્વિકતાને અનુરૂપ  બતાવવામાં  આવ્યું છે. એમાં  કાવાદાવા, પ્રપંચો અને યુદ્ધોના નિર્માણ સુધીનીં પરિસ્થિતિ બતાવવામાં આવી છે. એમાં ઘણી વાર મર્યાદા અને આદર્શોનું ઉલ્લઘન  બતાવવામાં આવ્યું છે. પરંતુ એ બધાનો સાર એ છે કે કેટલા દ્રુષ્ટો , અધર્મીઓ , ખરાબ વ્યક્તિઓનો નાશ કરવામાં  ખરાબ રસ્તા અપનાવી સારા પરિણામો લાવી શકાય છે.

                                                               મૂળમાં રામના જીવનનો સંદેશ જ એ છેકે મનુષ્યે સારું અને મર્યાદા પૂર્વક j જીવન જીવવું જોઈએ.  જ્યારે કૃષ્ણના જીવનનો સંદેશ છે કે "  વિકટ  સંજોગોમાં  અધર્મી સામેની લડાઈમાં પરિસ્થિતિને  અનુરૂપ વર્તવાની છૂટ હોવી  જોઈએ.  પરંતુ એના પરિણામો સમાજને માટેઉત્તમ અને લાભદાયક આવવા જોઈએ".  આખરે કયો રસ્તો લેવો એ મનુષ્ય પર છોડવામાં આવ્યો છે.  આજ હિન્દૂ સમાજમાં પ્રાચીન કાલથી પ્રવર્તતી લોકશાહીનો નમૂનો છે.  રામાયણ એની શરૂઆત હતી અને મહાભારત એનો બીજો છેડો છે. જે સંસ્કૃતિના આધાર ભૂત પાયા છે.
                                                           રામના જીવનને અનુસરવું સામાન્ય માનવી માટે મુશ્કેલ છે. એ કારણે રામનું મહત્વ હિન્દૂ સંસ્કૃતિમાં વધુ છે.  એટલાજ માટે શુભ અને અશુભ બંને પ્રસંગોએ હિંદુઓમાં રામ નામનું રટણ  અનિવાર્ય બન્યું છે.
                                                    ***********************