Monday, January 11, 2021


 

પુણ્ય ભૂમિ ગુજરાત 

                                                    ગુજરાતની પુણ્ય ભૂમિ  હજારો સાલથી પવિત્ર થયેલી  છે. હજારો વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે ગુજરાતમાં પોતાની રાજધાની દ્વારકા સ્થાપી એને પવિત્ર બનાવી દીધી હતી. આજે પણ આખી દુનિયાના હિંદુઓ જીવનમાં એકવાર એ ભૂમિના દર્શન માટે જરુર આવે છે.

                                                    મહાભારતકાળના દુર્યોધનથી તે  આધુનિક યુગના વિવેકાનંદ્દ ટાગોર , નહેરુ જેવાએ કેટલીક વાર ગુજરાતની લટાર મારી ચુક્યા છે અને અહીંથી કૈક સારી પ્રેરણાઓ લઇ ગયા છે. વિવેકાનંદને અમેરિકા યાત્રાની પ્રેરણા અને મદદ ગુજરાતમાંથી જ  મળી હતી. કોઈ પણ સદ્દવિચારને ગુજરાતે હંમેશા પ્રોત્સાહન અને મદદ આપી છે. હિન્દૂ ધર્મમાં આર્ય સમાજ દ્વારા  પરિવર્તન અને સુધારા લાવનાર દયાનંદ સરસ્વતી એ ગુજરાતની જ દેણ છે.

                                                     હિંદુત્વની ભાવનાને દ્રઢ બનાવનાર રાષ્ટ્રીય સેવક સંઘની સ્થાપના ભલે નાગપુરમાં થઇ પરંતુ એમાં નેતાગીરી, ટેકો અને નાણા પુરા પાડનાર પણ ગુજરાત છે.  ૫૫૦ થી વધારે દેશી રાજ્યોમાં વહેંચાયેલા ભારતને એક કરનાર  સરદાર પટેલ ગુજરાતની ભૂમિની ભારતને ભેટ હતી  ગાંધીજીએ ભારતને સ્વરાજ અપાવ્યું અને મહંમદ અલી ઝીંણા જેણે ભારતના ભાગલા કરાવ્યા એ બંને નેતાઓ ગુજરાતના જ હતા. એટલેકે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બંને ગુજરાતી હતા.  ગુજરાતે આઝાદી પછી ભારતને મોરારજી દેસાઈ  અને નરેન્દ્ર મોદી જેવા બે  પ્રખર પ્રધાન મંત્રી પણ આપ્યા છે. 



                                                      ગુજરાત પુરાણા કાલથી સમરુધ્ધ રહ્યું છે. ભારતના બધા જ રાજાઓ કે સમ્રાટો હંમેશા ગુજરાત જીત્યા  વિના પોતાની જાતને અધૂરા સમજતા. તેઓ ગુજરાતની સમરુધ્ધિથી હંમેશા આકર્ષાયા હતા. મહંમદ ગઝનવી સોમનાથને લૂંટવા આવ્યો તો અકબરે ગુજરાતવિજયના  ગર્વમાં પોતાની રાજધાની ફતેહપુર સિક્રીમાં બુલંદરવાજો  બનાવ્યો .આજ ગુજરાતની સમરુધ્ધિની ઇતિહાસિક ગાથા છે. પોટુગીઝ , ડચ , અને અંગ્રેજો પણ સુરત બંદરે ગુજરાતના સમરુધ્ધ  વેપારનો લાભ લેવા આવ્યા હતા . તે વખતે સુરત બન્દર  પર ૫૬ દેશોના ઝંડાઓ  ફરકતા હતા. આમ પણ ગુજરાતની સાહસિક પ્રજા સુમાત્રા, જાવા આફ્રિકા , મધ્ય એશિયા , અને યુરોપ સુધી પહોંચ્યા હતા. આજે પણ ગુજરાત વેપાર  અને ઉદ્યોગોમાં આગળ છે જે ગુજરાતીઓની સાહસિકતા અને વેપારી લાક્ષણિતાને  આભારી છે.  કવિ ખબરદારે લખ્યું છે ને ' જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. '



                                        ગુજરાતની ઉત્તરમાં માં અંબા વસે છે .સૌરાષ્ટ્માં જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વારકામાં ભગવાન કૃષ્ણનું  ધામ છે , મધ્ય ગુજરાતના ડાકોરમાં દ્વારકાધીશ  છે. દક્ષિણ ગુજરાતમાં તડકેશ્વર મહાદેવ જેવા પવિત્ર ધામ છે. સૌરાષ્ટ્રમાંથી  કલાપીનો કલરવ , નરસિંહ મહેતાના પ્રભાતિયાં , અને મેઘાણીના શોર્ય ગીતો આવ્યા તો ઉત્તર ગુજરાતમાંથી તાનારીરીના સંગીત નિપુણતા તો મધ્ય ગુજરાતમાંથી ગોવેર્ધનરામનો  ભવ્ય ગ્રંથ સરસ્વતીચંદ્ર  આવ્યો.  નર્મદના ' યા હોમ  કરીને પડો, ફતેહ છે આગે ' ના બુલંદ આહવાન પણ ગુજરાતને મળ્યા છે. બોટાદકરની પેલી કવિતા હજુ ગુજરાતમાં ગુંજે છે ' સાચે જ જનની જોડ જગે નહિ જડે રે લોલ. '



                                                  ગુજરાતની પુણ્ય ભૂમિમાં આજે પણ મોરારી બાપુની  અને રમેશભાઈ ઓઝાની ધાર્મિક  કથાઓ  સંભળાય.  ટાટા , અંબાણી , અદાણી અને અઝીઝ પ્રેમજી એવા ઉદ્યોગ પતિઓ આજે પણ ગુજરાતને સમૃદ્ધ બનાવી રહયા છે. નર્મદાના પાણી હવે ગુજરાતની રસાતાળ ધરતીને વધુને વધુ  ફળદ્રુપ બનાવી રહ્યા છે.  આવું છે રૂપાળું ગુજરાત -

"પશ્ચિમે ઘૂઘવાતો સાગર , પૃર્વે ગિરી માળાઓ છે 

આવું  રૂપાળું ગુજરાત જ્યાં સ્વર્ગમય દિન રાત છે

બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે નર્મદા અને મહી

દક્ષિણે તાપી અને અંબિકાએ લીલી જાજમ બિછાવી અહીં 

નરસિંહના પ્રભાતિયાઓથી  જ્યાં સૂર્યોદય થાય  છે 

કૃષ્ણ અને ગાંધીની ગાથાઓ  જ્યાં રાત દિન ગવાય છે 

પરદેશોમાં પર્વતો  સાગરો   અને ભવ્ય નદીઓ ત્યાં 

તો પણ ગુજરાતીઓના ભૂલે ગુજરાતની માટી ત્યાં"

ભારત દેસાઈ  

( અમેરિકામાં / કૅલિફૉર્નિયા ખાતે  'ગુજરાત દિવસ' ના સોવેનિયરમાં પ્રસિદ્ધ )   

                                 **********************************

Friday, January 1, 2021

 


દુઃખોનું મૂળ અને નિવારણ  

                                                                                      માનવીનું  મન  જ બધા પ્રશ્નોના મૂળમાં હોય છે. મન હંમેશા કોઈને કોઈ બાબતમાં ભમ્યા કરતુ હોય છે. એને કાબુમાં રાખવું બહુજ મુશ્કેલ છે. એના માટે આધ્યાત્મિકતાને પચાવવી જરૂરી છે. માણસ આધ્યામિકતા અપનાવેછે પરંતુ માનવીનું મન મોહમાં તણાઈને આધ્યામિકતા સાથે દગો કરે છે.  ખરેખર આધ્યમિકતાને  જીવનમાં પચાવી જનાર બહુ ઓછા હોય છે. 

                               આધ્યમિકતાને જીવનમાં સાચા અર્થમાં ઉતારવામાટે  જીવન પ્રત્યેનો અભિગમ બદલવો પડે છે. જેમાંથી દુઃખ કે પછી  કડવાશ પેદા થાય એવી વસ્તુઓમાંથી મુક્ત થવું જોઈએ. તાઓ તે ચિંગ કહે છે તેમ' જીવનમાંથી કોઈની હરીફાઈ કે પછી દેખાદેખીનો ત્યાગ કરતા શીખવું જોઈએ. જેથી પોતાની પાસે રહેલી વસ્તુઓમાંથી સંતોષ માણી શકાય  અને મનથી આનંદિત રહી શકાય.આધ્યાત્મિકતા એજ  માર્ગે જઈ શકાય .

                                જીવનમાં બનતા પ્રસંગોને પોતાની મરજી પ્રમાણે વાળવાનો પ્રયત્ન કરવો એ પ્રવાહોની સામે તરવા બરાબર છે.  એ  જીવનમાં દુઃખોની હારમાળા સર્જે છે.  આંતરિક અશાન્તિઓ પેદા કરે છે. તે ઉપરાંત જીવનમાં  કોઈ પણ તૃષ્ણાને સંપૂર્ણ રીતે સંતોષી શકાતી નથી. તૃષ્ણા એવી વસ્તુછે જો એને અંકુશમાં ન રાખવાથી  વધતી  જ જાય છે.  એ દુઃખનું મોટું કારણ બની જાય છે. આથી જીવનની જરુરુયાતોને ઓછી કરવાથી જ તૃષ્ણા પર અંકુશ આવી શકે છે. જીવનમાં દુઃખોને દૂર રાખવા માટે જે રીતે સંજોગો રાખે એ રીતે રહીને એમાં સંતોષ માનવામાં છે.  કારણકે  આધ્યામિકતા એ એક સત્ય છે એ કોઈ ફેશન નથી. 

                                  ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છેકે કોઈ પણ કામ ફળની આશા વગર નિશ્વાર્થ ભાવે કરવાથી દુઃખને દૂર રાખી શકાય છે.  કોઈ પણ કામનું પરિણામ ઈશ્વર પર છોડી દેવાથી જ પરમ સંતોષ મળે  છે. અને દુઃખને દૂર રાખી શકાય છે. મહાભારતના યુદ્ધમાં  પાંડવોનો  વિજય થયો હતો  પરંતુ  તેઓ સુખી ન હતા. કારણકે પરિણામથી તેઓ પર ન હતા. એટલે  પરમ મુક્તિ માટે એમણે હિમાલયનો માર્ગ લીધો હતો. 

                                  અધ્યામિકતાનો ખરો પરચો તો મૃત્યુ સામે આવે  ત્યારે થાય છે અને એ  ક્ષણિક હોય છે. એમાં કોઈ ગહનતા હોતી નથી . મરેલા શબને જોઈને બે ઘડી  મનુષ્ય વિચારવા માંડે છે.

 શું લાવ્યા? અને શું લઇ જવાના?

આવ્યા ત્યારે શું લાવ્યા

જતી વખતે શું લઇ જવાના 

જીવ જતા નિજીવ શરીર ભૂમિ પર ઉતારી  દેવાય  

ક્યારે અંતિમ યાત્રા શરુ એની રાહ જોવાય  

ત્યારે સમજાયું  શું લાવ્યા ને શું લઇ જવાના 

શું લાવ્યા? ---

 જીવનમાં કપટ કે  કાવાદાવાનો  શું  અર્થ 

ઈર્ષા અને  અહમનો  નાકામતાઓ સમજાઈ.

જે મેળવ્યું  તે  સાથે  નથી  આવવાનું 

ન સગા સબંધીઓ પણ   આવવાના 

ત્યારે સમજાયું  શું લાવ્યા  ને શું લઇ જવાના 

શું લાવ્યા?---

સિકંદર પણ ગયો  ખાલી હાથે  કફનમાં 

સમજાવી ગયો નથી લઇ ગયો કઈ પણ અહીંથી 

રાજ અને ખજાનાઓ  અહીં જ  ગયો મૂકી

ત્યારે સમજાયું શું લાવ્યાને  શું લઇ જવાના 

શું લાવ્યો ?

ભારત દેસાઈ 

(  અમેરિકામાં પ્રસિદ્ધ થયેલ કવિતા સંગ્રહ -'હાર્ટ બિટ્સ ' માંથી )

                                 આને સ્મશાન વૈરાગ્ય કહેવાય આધ્યમિકતા નહિ  

                                          **************************************

 

Monday, December 14, 2020



 જૈન સમાજ 

                                                 જૈન સમાજ દુનિયામાં ચારથી પાંચ મિલિયન જેટલો છે પરંતુ શિક્ષિત સમાજ છે. એમનું શિક્ષણનું  પ્રમાણ ૯૦ % જેટલું છે.  ઘણેભાગે  જૈનો શાકાહારી અને એમાં પણ અમુક શાકભાજી ખાતા નથી. કોઈ પણ જાતના વ્યસનોથી દૂર રહે છે. દારૂ કે સિગારેટથી પણ દૂર રહે છે.

                                આમતો  નાનો સમાજ છે પરંતુ સમરુધ્ધ છે.  ભારતમાં જૈનો ૨૪% જેટલો આવક વેરો  ભરે  છે અને'જી ડી પી '  માં   એમનું ૧/૪ જેટલું  પ્રદાન છે. એટલેકે ભારતની અર્થ વ્યવસ્થામાં એમનું મહત્વનું પ્રદાન છે. હીરા ઉદ્યોગમાં જૈનો અગ્રગણ્ય છે. બેલ્જિયમમાં ૧૫૦૦ જૈનો છે જેઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દુનિયાના હીરાના વેપારમાં એમનો ૨/૩ જેટલો હિસ્સો છે.



                                 તેઓ બહુ જ ધાર્મિક અને બોલવા ચાલે  બહુજ કોમળ હોય છે. જૈનો પોતાનું દૈનિક કામ શરુ કરતા પહેલા અમુક વસ્ત્ર પરાધીન કરીને એમના મંદિર એટલે દેરાસર પર જરૂર જાય છે. તેઓ ધાર્મિક પણ હોય છે. પર્યુષણ ,દશ લક્ષણ , મહાવીર જયંતિ  વગેરે એમના તહેવારો છે. તેઓ અપવાસો પણ કરે છે અને કેટલાક જૈનો તો આમરણાંત અપવાસો પણ કરે છે.જૈનોમાં બે  પંથો  છે-દિગંબર અને શ્વેતામ્બર. જૈનોમાં પંચ મહાવૃત એ  મુખ્ય સિદ્ધાંતો છે.  -અહિંસા , સત્ય , અસતય , અપરિગ્રહ , અને બ્રહ્મચર્ય. જૈનોમાં કોઈ જાતિભેદ નથી. તેઓ દરેક આત્માને  સમાન માને છે. દરેક મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એવી એમની માન્યતા છે.જૈનોએ અબજો રૂપિયાના દાનો કરેલા છે અને કલાના નમૂના રૂપ જૈન મંદિરો બનાવેલા છે.ગુજરાતમાં આવેલા  પાલિતણાના અને હટ્ટીસિંઘના દહેરાઓ કલાની ઉત્તમ કૃતિઓ છે.



                                  જૈન તીર્થંકરોએ દુનિયાની આધ્યાત્મિક  વૈચારિકધારામાં સારું એવું પ્રદાન કરેલું છે. તે ઉપરાંત ગાંઘીજીની વિચારધારા પર જૈન સાધુ  રાજચંદ્રજીનો સારો એવો પ્રભાવ હતો. ગાંધીજીની સત્યાગ્રહની વિચારધારા એમના જૈન ગુરુ રાજચંદ્રજીને આભારી હતી. જૈન સાધુ  હીરા વિજયજીએ મોગલ સમ્રાટ અકબરને પણ શાકાહારી બનાવી દીધા હતા.



                                   અર્વાચીન જગતમાં પણ જૈનોએ સમાજમાં અનોખું પ્રદાન કરેલું છે. ગૌતમ અદાણી , વિક્રમ સારાભાઈ, અને સંજય લીલા ભણસાલીએ પણ એમના ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રદાન કરેલું છે. જૈનો ભલે નાનો સમાજ છે પણ  યહૂદીઓની જેમ એમનું પ્રદાન પણ ઘણું છે. 

                                            ************************************** 

Sunday, December 6, 2020

 


ઈશ્વર ક્યાં છે?

                                                                  લોકો પોતાના પ્રશ્નો કે પછી કુદરતી આફતો સામે બેજાર થઇ જય છેને અને ઈશ્વરને શરણે પહોંચી જાય છે. એના પર કેટલાક  કવિઓએ ઈશ્વરના  ભજનો, અને સ્તુતિઓ રચી છે. પરંતુ ઈશ્વરના દર્શન બહુ ઓછા કરી શકે છે. લોકો સાધુઓ. સંતો અને ગુરુઓના ચરણોમાં બેસી ઈશ્વરને મળવાની પ્રતીક્ષામાં બેસી જાય છે. ઈશ્વરની શોધતો દરેકે પોતાનીરીતે જ કરવી પડે છે. ઈશ્વરતો જાણે એક પ્રત્યક્ષ વસ્તુ ન હોય એમ દરેક માનવી એની શોધ મંદિર મસ્જિદ , ગિરિજાગ્રહ અને ગુરુદ્વારામાં શોધ્યા જ કરે છે. એક ગીતકારે પ્રખ્યાત  ગાયનમાં  લખી  નાખ્યું   છેકે ' દરશન દો  ધનશ્યામ --- મંદિર મંદિર મુરત તેરી પણ ન દેખી સુરત તેરી , યુગ બીતે પર મિલને આયે પ્રુરણવાસી રે ' એમાંથી ઈશ્વર શોધનો અનોખો આનંદ મળે છે પરંતુ જે રૂપમાં ઈશ્વરને મનુષ્ય જોવા માંગે એમાં એના દર્શન થતા નથી. આથી ઈશ્વરને કોઈ કાલ્પનિક રૂપમાં   જોવાની પ્રવૃત્તિ કોઈ અર્થ છે ખરો? 

                                                                  એક વસ્તુ જરૂર છે કે દરેક ચેતનમાં ઈશ્વરના એક સ્વરૂપનું દર્શન કરવાથી એક અનોખો આનંદ મળે છે . ભગવાન કૃષ્ણે અર્જુનને વિનંતીને માન આપી પોતાના મુખમાં અખંડ પૃથ્વીનો જીવંત ગોળો જ બતાવ્યો  હતો. એટલે કે' દરેક જીવંત વસ્તુઓમાં  હું છું.'



                                             એનાથી પ્રેરિત થઈને -

                                              હરિ તને દેખું ---

                                     હરિ તને દેખું  હર ચેતનમાં

                                     હર પળ એક નયા રૂપમાં 

                                     વાયુના સુસવાટે તારો સંચાર  છે 

                                     વીજળીના ઝબકારે તું તો દેખાય છે 

                                     હરિ તને દેખું-

                                     હિમ શિખરોના સૌંદર્યમાં  તું 

                                     વહેતા ઝરણાના સંગીતમાં તું 

                                     કદી સામે આવે દરિદ્ર નારાયણના રૂપમાં

                                     તો કદી દેખું પીડાતા માનવોમાં 

                                     હરિ તને દેખું ---

                                     જીવનભર શોધતો રહ્યો સારા જગમાં 

                                     જયારે તું બેઠૉતો  મારા અંતરમાં 

                                     હરિ તને દેખું ---

                                     ભારત દેશાઇ 

         ( આ કવિતા અમેરિકામાંથી પ્રસિદ્ધ થતા ' ગુજરાતી ડાઈજેસ્ટમાં પણ પ્રસિદ્ધ થઇ ચુકી છે.) 

       ' આથી ઈશ્વર સર્વત્રછે.' એમ ગુરુ નાનકે પણ કહ્યું છે ફક્ત એને ઓળખવાની દ્રષ્ટિ કેળવવાની જરૂરત છે. 

                                    ***********************************

                                      


Wednesday, December 2, 2020



ફિલ્મ અભિનેતા હો તો આવા હો 

                                               કેટલાકને ભગવાનને કુદરતી ભેટ આપી   હોય છે જેવોકે , દેખાવ, સુંદર અવાજ     , વ્યક્તિવ, અને કુટુમ્બીક સગવડો   પરંતુ કેટલાક  એવા હોય છેકે પોતાનું જીવન ઝુપડપટ્ટી અને કબ્રસ્થાનથી શરુ કરી રૂપેરી દુનિયામાં પોતાનું સ્થાન સંગર્ષો, આવડત  અને અથાગ મહેનતથી જમાવે છે. એમાંના એક હતા અભિનેતા  અને સ્ક્રીપટ લેખક કાદરખાન. એમણે ૩૦૦  ફિલ્મોમાં કામ  કર્યું અને એમાંથી ૨૫૦ ફિલ્મના સંવાદો લખ્યા હતા. 

                                            કેદારખાનાની જીવનકહાણી બહુજ કરુણમય હતી. મુસ્લિમ અફઘાન પિતા અને ભારતીય માતાના પુત્ર હતા પરંતુ માતા પિતાના લગ્ન જીવનમાં ભંગાણ થયું અને માટે પૂર્ણ લગ્ન કર્યા તે પણ કામયાબ  ન નીવડ્યું  અને કાદરખાનને માતા સાથે મુંબઈ ના કમાતી પુરા જેવા ખરાબ વિસ્તારમાં જીવન વિતાવવું પડ્યું. મા કાદરખાનને મસ્જીદે જવા સમજાવતી તો કાદરખાન કબ્રસ્થાનમાં પહોંચી જતા. કબ્રસ્થાનમાં તેઓ મૉટે  મોટેથીસંવાદો બોલતા ત્યાંથી એમની ફિલ્મી કારકિર્દી શરુ થઇ એમ કહેવાય.



                                           ગરીબીથી તંગ આવી કાદરખાને નોકરી શોધવા માંડી પણ મા એ કહ્યું નોકરીમાં થોડા પૈસા કમાઈ લઈશ પણ એથી તારી  ગરીબી કદી દુરનહી થાય એના કરતા તું ભણવા માંડ . આમ માના પ્રોત્સાહનથી કાદરખાન આગળ વધ્યા અને એન્જિનિયર  બન્યા. એના પિતા ઇસ્લામિક વિદ્વાન હતા. એમણે  એને ધાર્મિક જ્ઞાન માટે પ્રોત્સાહિત કર્યા  અને કાદરખાને ઇસ્લામિક સાહિત્ય અને અરેબિકમાં 'એમએ' કર્યું. આખરે તો એ લેખક જીવ હતા. કોલેજ વખતમાં  એક  કાર્યક્રમમાં એનો અભિનય જોઈને દિલીપકુમારે  પણ એને સંવાદો લખવાની ઓફર કરેલી. એમની કારકિર્દી દરમિયાન એમણે અમિતાભ અને ગોવિંદાની ફિલ્મોમાં  સંવાદો લખ્યા. અમિતાભને તે અમિતાભના નામથીજ બોલાવતા કારણકે એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. પરંતુ એમની દોસ્તીમાં ભંગાણ પડ્યું  જ્યારે એક નિર્માતાએ બધાને સૂચના આપીકે અમિતાભને સર કહીને બોલાવવા  ત્યારે કાદરખાને એ સૂચનાનું ઉલ્લઘન કર્યું તો કેદારખાનને એની ફિલ્મ માંથી દૂર કરવામાં આવ્યા. આમ એ બંનેની મૈત્રી તૂટી ગઈ. ઝૂકવા કરતા સહન કરવું પસંદ કર્યું. એક વસ્તુતો સત્ય રહેશેકે અભિતાભની  ઘણી ફિલ્મો કેદારખાનના સંવાદોને લીધે જ સફળતા પામી હતી.



                                             કેદારખાન એટલા દેખાવડા ન હતા પરંતુ એમના અભિનય અને સંવાદોની બોલવાની અદા  લોકોને  પસંદ હતી. કાદરખાનના લખેલા ઘણા સંવાદો હજુ પણ લોકો યાદ કરે છે.  એમના ફિલ્મો માટે લખેલા આ થોડા દાખલાઓ છે. 

'દુઃખ જબ હમારી કહાની સુનતા હૈ , તો ખુદ ખુદ દુઃખી હો જાતા હૈ ' સંવાદોના 

(બાપ નંબરી , બેટા દસ નંબરી )

' જીન્દગીમેં આદમી દોઇચ ટાઈમ ઇતના જલ્દી ભાગતા હૈ , ઓલિમ્પીકકા રેસ હો  યા પોલીસકા કેસ હો '

(અમર, અકબર , એન્થની )

' મુહબ્બતકો સમજના હૈ તો પ્યારે ખુદ  મુહબ્બત કર, કિનારેસે કભી અંદાઝ- એ - તુફાન નહી હોતા'

 (હમ)

                                                    આ બતાવે છેકે ગમે તેવા વિષમ સંજોગોમાં  પણ સોનુ તો ચમકે છે. કાદરખાનની કહાની કમાટીપુરાથી તે રૂપેરી ફિલ્મી દુનિયા સુધીની અદભુત કથા છે .

                                      *********************************************

                                     


   

Tuesday, November 17, 2020



ભારતની પરિસ્થિતિ 

                               ભારત અત્યારે ઘણી જ મુશ્કેલ આર્થિક અને બળતી ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો જેવી પરિસ્થિતિમાં છે . એક બાજુ ચીન અને બીજીબાજુ પાકિસ્તાને સરહદો પાર તણાવની પરિસ્થિતિ ઉભી રાખી છે . બીજી બાજુ કોરોનાએ ભારતને આર્થિક રીતે ભાંગી નાખ્યું છે. 

                                નરેન્દ્ર મોદીજી એ પરિસ્થિતિની બરોબર સામનો કર્યો છે.નોટબંધી અને આખાદેશમાં નવી  'જીટીએસ' પદ્ધતિ દાખલ કરી એમણે મોટો દાવ  ખેલ્યો છે. કાશ્મીરમાંથી ૩૭૦ મી કલામ હટાવી અને  લોકોની સૈકાઓ જૂની આશા સમાન રામમંદિર બાંધવા આગળ વધી રહયા છે. પરદેશી ભારતીયો પણ તેમના નાના મોટા પ્રશ્નો હાલ કરવા માટે ભારત સરકાર પર ખુશ છે.  પરંતુ આર્થિક દ્રષ્ટિએ ભારતની હાલત બુરી છે. એવું લાગે છે કે કુશળ અર્થશાસ્ત્રીની  ભારતને જરૂર છે. મૂળમાં અર્થશાસ્ત્ર અને રાજકીય બાબતો તદ્દન જુદી છે આથી એને એની રીતે જ ઉકેલવી પડશે .



                               અત્યારે ભારતની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે  એનો 'GDP' અત્યારે -૨૩.૯ ટકા  પર છે. એના માટે કોરોના વખતના બીજા દેશોના' જીડીપી' જોઈએતો 

૧)અમેરિકા નો  જીડીપી: -  ૯.૧ ટકા 

૨)બ્રાઝિલનો       "      :  - ૧૧.૪ ટકા

૩)કેનેડા              "      :  - ૧૩   ટકા   

૪)સિંગાપોર         "     :   -૧૩.2 ટકા

૫)બ્રિટન             "     :   - ૨૧.૭ ટકા 

૬) રશિયા            "     :    - ૮ ટકા 

૭)જાપાન             "     :    - ૯.૯ ટકા 

૮)ઓસ્ટ્રેલિયા        "     :    - ૬.૩ ટકા 

૯)સાઉથ કોરિયા    "     :    -૨.૭ ટકા 

૧૦) સ્વિત્ઝરલેન્ડ    "     :    - -૯.૩ ટકા 

                                                       આ બધા દેશો કોરોનાથી પીડિત છે પરંતુ ભારતનો જીડીપી સૌથી નીચો ગયો છે. એ ભારતની કમનસીબી છે . આશ્ચર્યની વાત તો એ છે કે ચીન  જ્યાંથી કોરોના વાઇરસ શરુ થયો હતો  એનો જીડીપી સૌથી  સંતોષકારક +૩.૨ ટકા છે. 

                                                         આજ બતાવે છેકે ભારતની આર્થિક સ્થિતિ બહુજ નબળી કક્ષાએ પહોંચી છે. કરોના વાઇરસ પહેલા પણ ભારતની આર્થિક સ્થતિ સારી ન હતી એથી એના માટે કોઈ સમર્થ આર્થિક નિષ્ણાતની આવશક્યતા છે કારણકે ભયની ઘંટડીઓ વાગવા માંડી છે. રાજકીય દાવપેચ કરતા આર્થિક સ્થિતિને દુરસ્ત કરવાની જરૂરત છે. એમ નહિ કરવામાં આવશે તો દેશ દાયકાઓ પાછળ ચાલી જશે. 

                                                  ****************************** 

Sunday, November 15, 2020

 


ગિલગિટ અને બાલટિસ્તાન                   

                                                                                       આ એવા પ્રદેશો છે જેના વિષે ઘણા ભારતીયો કદાચ જાણતાનહિ હોય. ૧૯૪૭ માં કાશ્મીરના રાજા હરિસિંઘે ભારત સાથે જોડાણ  કરવામાં જે ઢીલ કરી હતી તેનું પરિણામ આજે પણ એ પ્રદેશો ભોગવી  રહયા છે.  પાકિસ્તાની આક્રમણખોરો શ્રીનગરને ઝાંપે આવી ગયા ત્યારે ડરીને હરિસિંહએ ભારતને શરણે આવ્યા. તે દરમિયાન પાકિસ્તાનીઓએ  ગિલગિટ અને બાલટિસ્તાનને કબજે કરી લીધા હતા. જે પ્રદેશો જમ્મુ કાશ્મીરના પ્રદેશ હતા.એના પર આજે પણ પાકિસ્તાન ગેરકાયદેસર કબજો જમાવી  દીધો છે . આવા પ્રદેશોને આજે  પાકિસ્તાનીકબજા ધરાવતા પ્રદેશો બની ગયા છે.



                                             ગિલગિટ અને બાલટિસ્તાન એ ચીનની સરહદને અડીને આવેલો ૭૨૪૯૬ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ છે.  આ પ્રદેશ ખનીજોથી સમૃદ્ધ પ્રદેશ છે. એની બહુમતી મુસ્લિમ  પ્રજા શિયા પંથી અને એમને પાકિસ્તાનના મુસ્લિમ સુન્ની પંથીઓ સાથે ફાવતું નથી. તે ઉપરાંત પાકિસ્તાની લશ્કર એમના પર સારો એવો જુલ્મ કરે છે. એમને પસંદ નથી.તેથી તેઓએ  આઝાદીની લડત ઉપાડી છે. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે  શખ્સગામ ખીણનો ૫૧૮૦ ચોરસ કિલોમીટર જેટલો  પ્રદેશ ચીનને ભેટમાં આપી દીધો છે. એનો પણ ત્યાંના  લોકોમાં વિરોધ છે.

                                                        ચીનાઓએ સિંધુ નદી પર બંધ બાંધવા  માટે તૈયારીઓ કરી લીધી છે.   એનાથી ઘણી ફળદ્રુપ જમીનો ડૂબી જશે  એથી  લોકોનો જબરજસ્ત  વિરોધ છે. આજ પ્રદેશમાંથી ચીનની  પાકિસ્તાની  ગ્વાદર બંદર સુધીની સડક પસાર થાય છે. એનો પણ લોકોનો વિરોધ છે.  પાકિસ્તાને નામના એ પ્રદેશના પ્રમુખ  અને વડા  પ્રધાન  નીમેલા છે એ રાજ કરેછે.  એમની સામે પણ  ત્યાંના  લોકોને અસંતોષ છે અને એમને આઝાદ થવું છે અને ભારત પ્રત્યે પણ સહાનુભૂતિ છે.  



                                                        ભારતે પણ બધા ગેરકાયદેસર ચીનના પ્રોજેકટોનો  વિરોધ કરેલો છે. પરંતુ આ પ્રદેશો ભારતમાટે  વ્યુહની   દ્રષ્ટિએ  બહુજ અગત્યનો છે.  આજે નહિ તો કાલે ભારતે એ પ્રદેશોનો એટલેકે પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશોનો કબજો લીધા વગર છૂટકો નથી.

                                 **************************************