Thursday, May 6, 2021



 મમતા બેનરજી

                                                                   તાજેતરના પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામોએ મમતા બેનરજીની 'ટીએમસી' ને બહુમતી આપી છે. આ વખતે મુખ્ય ટક્કર 'બીજેપી' અને ટીએમસી' વચ્ચે જ હતી. 'બીજેપી'  પોતાની બધી શક્તિ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી હતી પરંતુ મમતા બેનરજીએ એનો સામનો કરી જીત મેળવી લીધી.

                               મમતા બેનરજીને બંગાળની સિંહણ તરીકે આલેખવામાં  આવે છે. એમની રાજકીય કારકિર્દી  હંમેશા  સંગર્ષમય રહી છે અને અત્યાર સુધી એમાં એમણે સફળતા  મેળવી છે. પહેલા એમનો સંગર્ષ કોંગ્રેસ સામે અને પછી કૉમ્યૂનિસ્ટ સામે હતો . એ બંને  સામે એમણે સફળતા મેળવી હતી . બીજેપી સામેનો વિજય એ એમનો આખરી વિજય છે.

                                 મમતા એના ગરમ મિજાજ માટે  જાણીતા છે પરંતુ લોકોની  નાળને  બરાબર પારખી શકે છે. ટાટાની 'નેનો કાર પ્રોજેક્ટ' સામે લોકોનો રોષ પારખીને એમણે આગેવાની લીધી અને એમાં પણ સફળતા મેળવી હતી. તેઓ પોતાના મંતવ્ય સામે  કોઈની પણ શરમ રાખતા નથી.  તે છતાં એમની લોકપ્રિયતા પાછળ શું રહસ્ય છે એ જાણવું આવશ્યક છે.

                                  મમતાએ સંસદ તરીકેનું  પેંશન  અને મુખ્ય પ્રધાનનો રૂપિયા ૧૦૦૦૦૦/- પગાર પણ લીધો નથી. તેઓ બહુ સાદાઈથે  જીવન જીવે છે. ઘણે ભાગે તેઓ સામાન્ય ચંપલ પહેરીને ફરે છે. તેઓ સામાન્ય સાળી પહેરીને જ લોકોમાં રહે છે.  તેઓ ઇકોનોમિક ક્લાસમાં જ મુસાફરી કરે છે. સરકારી કારને બદલે પોતાની કારનો જ ઉપયોગ કરે છે.  તેઓ રાજ્યના પ્રવાસ દરમ્યાન  સરકારી ગેસ્ટ  હાઉસનું  ભાડું પોતાના પૈસામાથી  આપે છે . ચાના  પૈસા પણ આપવાનું ચુકતા નથી. આજ એમની લોકપ્રિયતાનું  રહસ્ય છે.  લોકોને એમની સાદગી અને નાણાકીય પ્રામણિકતા  ગમે છે.

                                  તેઓ નિપુણ રાજકારણી  છે  અને એમના રાજકીય હરીફોને એમની  ભાષામાં જ જવાબ આપે છે. એ પણ એમની સફળતાનું એક કારણ છે.

                                  મમતા બેનરજી બહુજ  વિવિધતા  ભર્યું  વ્યક્તિત્વ ધરાવે છે . તેઓ પ્રખ્યાત  લેખક , સંગીતકાર અને ચિત્રકાર પણ છે.  તેમણે ૬૨ લોકપ્રિય પુસ્તકો લખ્યા છે.  તેમણે કેટલાએ ગીતો લખ્યા છે અને એનું સંગીત પણ આપ્યું છે. મમતાજીના દોરેલા ચિત્રો પણ લોકપ્રિય બન્યા છે અને સારા ભાવે વેચાય છે. 

                                   એકવાર પત્રકારોએ એમણે પૂછ્યું હતું કે એમનું જીવન કેવી રીતે ચાલે છે? એની સ્પષ્ટતા કરતા એમણે કહ્યું કે' મને મારા પુસ્તકોની ૧૨ લાખ રૂપિયા  જેટલી નીયમીત  રોયલ્ટી મળે  છે એમાંથી મારુ જીવન સહેલાઈથી ચાલી જાય છે. તે ઉપરાંત મારા ચિત્રોમાંથી જે આવક થાય છે તે હું દાનમાં આપી દઉં  છું. ' આવા નેતા લોકપ્રિય હોય એમાં શું નવાઈ?

              કદાચ આજ મમતા બેનરજીની તાજેતરની  ચૂંટણીના  જીતનું રહસ્ય  પણ હોઈ શકે છે!

                                      ****************************************

    

             

Thursday, April 15, 2021



આપણી અજાણતા અને દુનિયા 

                                                       જ્ઞાન એ એવી ચીજ છે એની કોઈ મર્યાદા નથી . આથી મને બધુજ ખબરછે અને હું બધુજ જાણું છું એમકહેવું અહંમની  નિશાની છે.  આથી  દુનિયામમાં એવી ઘણી વસ્તુઓ છે જેના વિષે આપણે જાણતા નથી .

                                                      ઊંચા એપાર્ટમેન્ટના મકાનમાંથી ટ્રેન પસાર થતી કદાચ જ કોઈએ જોઈ હશે? ચીનમાં એવું  મકાન છે જેમાંથી ટ્રેન પસાર થાય છે.આપણે ઓસ્ટ્રેલિયા વિષે ઘણું સાંભળ્યું હશે. એ જાણીને આશ્ચર્ય થશે કે  ઓસ્ટ્રેલિયામાં ૧૦૦૦૦ દરિયા કિનારા (બીચ ) આવેલા છે જે બધા જોવા હોય તો ૨૭ વર્ષ લાગે.



                                                      પાઈનેપલ એવું ફળ છે જે  કેટલાએ બેરીસ  વર્ગના ફળોમાંથી ભેગા થઈને બનેલું છે. 

                                                       તાઈવાનમાં દરેક નાગરિકને ફ્રી વાઇફાઇ  મળે છે. જે પરદેશી મુસાફરોને પણ જોડે છે. રોલેક્સ વૉચ  કંપની  ચેરીટેબલે ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે જે એના નફાના  ૯૦ % અનાથ છોકરાની સંસ્થાને  દાન માં આપે છે. એની  જાણ બહુ ઓછાને હશે. સાઉદી અરેબિયાનું  કિંગ ફહાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, દામમામ ઘણું વિશાળ છે.  તે  એક લાખ  બાણું હજાર એકર જમીન પર ફેલાયેલું છે જે મુંબઈ  જેવા શહેર કરતા પણ વધુ ફેલાયેલ છે. 



                                                      ભારતની ગો એર  એરલાઈન્સ ફક્ત સ્ત્રી ફ્લાયિંગ અટેન્ડન્ટને જ રાખે છે. એ જાણીને પણ આશ્ચર્ય થાય છે. તેઓનું વજન ઓછું હોય છે જેનાથી એરલાઈન્સ વર્ષે  $૫૦૦૦૦૦/- જેટલું વિમાની ઇંધણ બચાવે છે. 

                                                       આઇસલેન્ડ એવો દેશ છે કે જેનું કોઈ લશ્કર નથી એથી એ દુનિયાનો બહુ શાંતિપ્રિય  દેશ મનાય છે.  ફરારી કાર બનાવનારી  કંપની એમના  કામદારોના  ફરારી કાર ખરીદવાની  મના ફરમાવી છે. એ પણ એક અજાયબ વસ્તુ છે. સિંગાપોરેમાં જાનવરોને પસાર થવા દેવા જુદો પુલ બાંધવામાં  આવ્યો છે. જેથી તેઓ સહેલાઈથી હાઈવે પસાર કરી શકે.

                                          *******************************  

                                                       

                                                         


                                                      

                                                        

                                                                

Saturday, April 10, 2021

 


માનવીની માનસિકતા  

                                                            માણસની વ્યથાઓનું  કારણ માનસિક હોય છે.  એને  માણસની  ઉંમર સાથે પણ સબંધ હોય છે .

                                       જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ  લોકોને મળવાનું ઓછું થાય છે અને એની માનસિક સ્થિતિ  એવી કક્ષાએ પહોંચે છે કે  એને બહુ ઓછા લોકોમાં વિશ્વાસ કરે છે. 

                                       માનવી સંબંધોમાં પણ જો તમે એના નામથી બોલાવોતો  તમારા સબન્ધો વધુ ગાઢ બને અને સબંધો સુધરે. આમાં પણ માનવીની મનોવૃત્તિ  વધુ કામ કરે છે.

                                          કેટલાકની માનસિક સ્થિતિ એવી હોય છે કે  ફક્ત કોફીની સુગંધથી એની તંગ અવસ્થા દૂર થઇ જાય છે. એ પણ એક આશ્ચર્યની  વાત છે.

                                          માણસ ઘણીવાર ખોટા અને કલ્પિત વિચારો કરે જાયછે.  જે પ્રશ્નો  છે જ નહિ  એના વિષે વિચારો કરે જાય છે. એનાથી તે માનસિક  ડિપ્રેશનમાં  સરી પડે છે.

                                           જેની  ચિંતા કરતા હોય  અને એના તરફથી અચાનક કોઈ સંદેશો આવે તો  એની સારી અસર એ ચિંતિત  માનવીના શરીર પર થાય છે. અને એની માનસિક સ્થિતે તરત સુધરી જાય છે.



                                             જે લોકો જલદીથી બીજા સાથે  વાત વાતમાં  સંકોચ અનુભવે છે  એવા લોકો એના મિત્રોને વધારે વફાદાર હોયછે. તેઓ મિત્રોની લાગણીને ચોટ લગાવવા માંગતા નથી. એ પણ એક સકારત્મક માનસિક અવસ્થા છે. 

                                            સ્ત્રીઓ જેને વધારે પ્રેમ કરે છે એની સાથે સૌથી વધારે દલીલો કરે છે.આ પણ સ્ત્રીઓની માનસિક વૃત્તિનો એક નમૂનો છે. એટલા માટે જ કહેવાય છે કે સ્ત્રીને સમજવી મુશ્કેલ છે.



                                              ઘણા એક બીજા તરફ આકર્ષાય છે કારણકે તેમના શોખ સરખા હોય છે.  જેમકે સંગીતકારો, નૃત્યકારો  લેખકો,  ચિત્રકારો અને સરખા વિચારધારા ધરાવતા   લોકો એક બીજાના સારા મિત્રો બની રહે છે. એ પણ એક સરખા ઉત્પન્ન થતા  માનસિક  મોજાઓને આભારી હોય છે.

                                               આથી બધી જ  માનસિક વ્યથા પાછળ માણસની માનસિકતા જવાબદાર હોય છે.

                                          ***************************************   

 


                                             

Friday, April 2, 2021



આલ્બર્ટ  આઈન્સ્ટાઈન  

                                    આલ્બર્ટ  આઈન્સ્ટાઈન  મહાન વિજ્ઞાનિક  હતા પણ ઘણા ધૂની હતા. આથી ઘણી વખત તેમને   વિચારમાંને વિચારમાં યાદ ભ્રમ થઇ જતો . તેમનું વર્તન ઘણી વાર વિચિત્ર  થઇ જતું. વિચિત્ર લોકોએજ આ દુનિયામાં નવા નવા સર્જનો કર્યા છે.  આઈન્સ્ટાઈન  પણ એવું જ વ્યક્તિત્વ ધરાવતા હતા.

                                       અગત્યના સભારંભોમાં  પણ  તેઓ લગરવગર  કપડાં પહેરીને જતા. એમના પત્ની એમને હંમેશા ટોકતા રહેતા પણ તેઓ કહેતા' ત્યાં મને બધા ઓળખે છે એટલે કપડાં બહુ અગત્યના નથી.' ઘણીવાર મોટા વિજ્ઞાનિક સંમેલનોમાં તેઓ ટીપટોપ બની જતા નહિ અને કહેતા 'ત્યાં મને કોણ ઓળખે છે' ?

                                     તેમનો રેલેટીવીટીનો સિદ્ધાંત સમજાવવાની અનોખી રીત હતી. તેઓ કહેતા કોઈ સુંદર સ્ત્રી સાથે એક કલાક બેસવું  જાણે એક મિનિટ બેઠા  જેવું લાગે.  એજ રેલેટીવીટી છે. તમે તમારો હાથ ગરમ સ્ટવ પર એક મિનિટ માટે  મૂકોતો  તો જાણે તમે એ હાથ એક કલાક મુક્યો હોય એમ લાગે . આવી રીતે તેઓ રેલટીવીટી સિદ્ધાંત સમજાવતા. 

                                    એકવાર  આઈન્સ્ટાઈન   ટેક્સીમાં  જતા હતા પરંતુ તેઓ એમનું  સરનામું  જ ભૂલી ગયા .  એમણે ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું ' તને  આઈન્સ્ટાઈન  ક્યાં રહે છે એની ખબર છે'? 'બધાજ એમને ઓળખે છે. એટલે પ્રિન્સ્ટનમાં બધાને ખબરછે એ ક્યાં રહે છે. તમારે  એમને મળવું છે?' ડ્રાઈવરે સવાલ કર્યો . ઈન્સ્ટાઇને કહ્યું ' હુંજ ઈન્સ્ટાઇન  છું. હું મારા ઘરનું સરનામું ભૂલી ગયો છું . તું મને મારે ઘરે લઇ જા. ' ટેક્સી ડ્રાઈવર ઈન્સ્ટાઇનને એને ઘરે લઇ તો ગયો પણ એમની પાસે ટેક્ષીનું ભાડું પણ ન લીધું.

                                    એકવાર આઈન્સ્ટાઈન ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ટિકિટ ચેકર આવ્યો . આઈન્સ્ટાઈન  શોધવા  પોતાના ખીસા ફમ્ફોળવા માંડ્યા. ટિકિટ  ચેકરે કહ્યું 'કઈ વાંધો નહિ. હું તમને ઓળખું છું. તમે કોણ છો. મને ખાતરી છે કે તમે ટિકિટ લીધી જ હશે. '  આઇન્સ્ટાઇને કહ્યું ' મને ખબરછે હું કોણ છું. પરંતુ મને એ ખબર નથી હું ક્યાં જઈ રહ્યો છું.' આવા ભુલકણા  હતા મહાન વિજ્ઞાનિક !



                                     એકવાર આઈન્સ્ટાઈન  અમેરિકાના  મહાન કલાકાર ચાર્લી ચેપ્લિન સાથે મુલાકાત થઇ તો આઇન્સ્ટાઇને ચાર્લી ચેપ્લિન ને કહ્યું 'તમારી કલાની આખી દુનિયા કદર કરે છે  અને તમે એક શબ્દ પણ ન કહો તો પણ દુનિયા સમજી જાય છે . મને તમારે માટે ગર્વ છે. '  ચાર્લી ચૅપ્લિને એનો સુંદર જવાબ આપ્યો હતો. 'તમારી વાત સાચી છે.  પરંતુ તમારી કિર્તી એના કરતા પણ મહાન છે.  દુનિયા તમને આદરથી જુએ છે તે છતાં કે ઘણી બાબતમાં તે તમને સમજી શક્તિ નથી. '

                                     ટૂંકમાં મહાન  માણસો ધૂની , ભુલકણા  અને વિચિત્ર હોય છે પરંતુ એવા જ માણસો દુનિયામાં નવી વસ્તુઓનું સર્જન કરતા હોય છે.

                                    ********************************* 

                                            

                                               

Sunday, March 14, 2021

 


વિચિત્ર જુગલબંધી 

                                                                     દુનિયામાં સ્વાર્થ એવી વસ્તુ છે કે બે  વિરુદ્ધ ધર્મ અને વિચારધારા ધરાવતા બે દેશીને પણ સાથે લાવી દે છે.  રશિયાની પુતિનની સરમુખત્યારી તરફ વધી રહેલી સરકાર એના મુખ્ય વિરોધી નવલનીને ઝેર આપવાનો અને એને જેલમાં  નાખી દેવાનો આરોપો છે. અને યુરોપીઓન યુનિયને રશિયન જુલમી નીતિને  નીતિની  વખોડી કાઢી છેત્યારે એનાજ એક સભ્ય તુર્કી  અત્યારે એ બાબતમાં શાંત છે અનેરશિયા સાથે   મૈત્રી વધારી રહયા છે એ એક વિચિત્ર બાબત છે. તુર્કીના પ્રેસિડેન્ટ ધર્માન્ધ મુસ્લિમ સુરમુખ્યતાર છે જયારે પુતિન ખ્રિસ્તી રાજ્ય રુશના સરમુખત્યાર છે. એટલે એ દોસ્તી કજોડી બની ગઈ છે. સરમુખત્યારી વૃત્તિ જ બે વચ્ચે સામાન્ય છે.

                                                                એમની દોસ્તી પાછળ અનેક રાજકીય કારણો છે. ઇતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બંનેના સામ્રાજ્યો પરિવર્તનની ક્રાંતિને કારણે નાશ થયો હતો . રશિયાની  સામ્યવાદી ક્રાંતિ અને તુર્કમાન સામ્રાજ્યનું પતન પણ  ક્રાન્તિઓને આભારી હતી. આ ઇતિહાસિક વાત પણ સામાન્ય છે. થોડા વખત પહેલા રશિયા અને તુર્કી,  ક્રિમીઆ અને એઝેરબૈજાન વચ્ચેની લડાઈમાં એક બીજા સામે હતા. પરંતુ એ લડાઈનો અંત પણ તુર્કી અને રુસની સમજૂતી  થયો. એમાં રૂસને નાગોરનો ખરાબખ પ્રદેશનો કબ્જો મળ્યો અને તુર્કીને દક્ષિણ  કૌકાસુસનો આર્થિક કબજો મળ્યો.  કહેવાનું એમકે પોતાના સ્વાર્થમાટે મુસ્લિમ ધર્માન્ધ દેશ ક્રિશ્ચન દેશ સાથે પણ સમજૂતી કરી શકે છે. અને દુનિયાના લોકમતને ઠોકર મારી શકે છે પોતાની નીતિ સાથે પણ બાંધછોડ કરી શકે છે.



                                             પુતિન પણ તુર્કીના પ્રેસિડેન્ટના વખાણ કરતા થાકતા નથી કારણકે તુર્કીએ રશિયા પાસેથી મિલિટરી શસ્ત્રો મોટા પ્રમાણમાં ખરીદ્યા છે. અને જયારે તુર્કીમાં બળવો થયો ત્યારે પણ પુતિને હોશયારી પૂર્વક  તુર્કી પ્રેસિડેન્ટને ટેકો આપ્યો હતો. આજ તુર્કીએ એની સેક્યુલર નીતિ બદલીને ઇસ્લામિક નીતિ અપનાવી છે. ધર્મને નામે કાશ્મીરના પ્રશ્ન પર પાકિસ્તાનને  ટેકો આપે છે એમાં ચીન સિવાય બીજા કોઈ પણ દેશનો આજે પાકિસ્તાનને ટેકો નથી. 

                                                    ધર્મને તો રાજકીય સ્વાર્થ માટેજ ઉપયોગ થાય છે. પરંતુ વખત આવે તો ધર્મની પણ  ઐસી તેસી  કરી નાખવામાં રીઢા રાજકારણીઓ પાવરધા હોય છે . બાકી રશિયા અને  તુર્કી વચ્ચે આજે  સરહદો સિવાય કઈ પણ સામાન્ય નથી.

                                            **********************************


 

 

                                                                  

                                   

Tuesday, March 9, 2021

 


ભારતથી અમેરિકા 

                                                 ભારતથી અમેરિકાની સફર બહુ રસપ્રદ હતું. લોકો વિમાન મુસાફરીમાં માસ્ક પહેરવાનું ચાલુ રાખતા હતા. એકબીજાની સાથે વાતચીત કરવાનું પણ બહુ ઓછું  રાખતા હતા એ કોરોના દૈત્યનું કામ હતું. દિલ્હીથી સાનફ્રાન્સીસકોની  વિમાની પ્રવાસ ૧૬ કલાકથી વધારે છે . એટલે લોકોના મોઢા પર વાતચીતના અભાવને કારણે તણાવ પણ દેખાતો હતો. સીટ પર લાંબો વખત સુધી માસ્ક પહેરી  બેસી રહેવાથી બેચેની વધે એ પણ સ્વાભાવિક છે. 

                                               વિમાની સેવામાં પણ કાપ મુકવામાં આવ્યો હતો એટલેકે  ઓછામાં ઓછી સેવાઓ આપવામાં આવતી હતી. ખાવામાં નિયમિત આપવામાં આવતી ડીશો આપવામાં આવતી હતી પરંતુ પીણાઓમાં કાપ મુકવામાં આવ્યો હોય જણાતું હતું. વિડિઓ સેવાઓ પણ બંધ હતી. એટલે વખત પસાર કરવો વધુ અઘરો બનતો  હતો . 



                                            ભારત સરકારની' વંદે માતરમ' નામ હેઠળ ચાલતી એ એર ઇન્ડિયાની વિમાની સેવા હતી. એમાં લોકોને ભારતથી અમેરિકા સલામતી રીતે કોરોના કાળમાં પહોંચાડવાની વ્યવસ્થા હતી. જેમાં પ્રવાસ દરમિયાન મનોરંજનનનો અભાવ હતો. એથી એ પ્રવાસ દરેક પ્રવાસી માટે કોરોના કાળમાં  નીરસ અને થાક સમાન નીકળ્યો હોય તો નવાઈ નહિ. એમાં પાછો જેટ લેગ લાગે તે જુદું.



                                            ભારતથી અમેરિકાના વાતાવરણમાં  આવવું  એટલે ઘણી વાર ઘોંઘાટમાંથી   શાંતિ જેવું વાતાવરણમાં આવવા જેવું છે. એમાં આ નીચેની કવિતા સાથ પુરાવે છે.

                                             પરમ શાંતિમાં --

                        ક્યાં ગયો વિવિધ અવાજોનો કોલાહલ 

                         મોટર સાઇકાલના બુલંદ ઘોંગાટઑ,

                        રીક્ષાઓના એક સરખા  રાગના સંગીતો 

                         ફેરિયાઓની મોટી મોટી બાંગો  

                         તો રાતના અંધારામાં  કૂતરાઓનું કરુણ રુદન

                         પણ અહીએ છે પરમ શાંતિ છે.

                         અહીં ન લોકોના કોઈ  નાદ , 

                         ન જાનવરોના  કોઈ  રુદન  

                          વહાનોના ના  કોઈ કર્કશ અવાજો

                          એટલે અહીં પરમ શાંતિ છે. 

                          અહીં  બાજુમાં કોઈ રહે છે એની ખબર નથી

                           રસ્તા પહોળા અને સુમસાન છે.

                           તપ કરવા જેવું વાતાવરણ છે.

                           હૃદયને પરમ આનંદ આપે એવી શાંતિ છે.

                              ભારત દેસાઈ.

                                               *********************************

                           

                             

                            

                                                   

Tuesday, March 2, 2021

 


મિત્રતા 

                                                                          મિત્રતા એક એવો સબંધ છેકે જે  ઘણીવાર લોહી સબંધો કરતા પણ વધુ ઉપયોગી બની રહે છે. જે વાતો તમે અગંત માણસોને નહિ કહી શકો તે મિત્ર સાથે ચર્ચી શકો છો. એટલા માટે કહેવાય છે કે સારો મિત્રો મળવા એ એક સારું નસીબ જ હોય છે.

                          સાચા મિત્રો એક બીજા સાથે લડીને પણ એક જ રહે છે. એમાં કોઈ દરજ્જાનો સવાલ ઉભો થતો નથી.  એમાં અહમને કોઈ સ્થાન નથી. ઈર્ષા જેવી કોઈ ચીજ હોતી નથી. એજ પરમ મિત્રતાની નિશાનીઓ છે.

                          શાળાના અને કોલેજના મિત્રો સાથેની મિત્રતા ઘણીવાર અતૂટ હોય છે કારણકે એ નિઃસ્વાર્થી વધુ હોય છે. ધંધાકીય મિત્રો પણ હોય છે . પરંતુ તેઓ ત્રણ જાતના હોયછે . એવી મિત્રતામાં ઘણીવાર મિત્રો એકબીજાનો ઉપયોગ કરવા માટે હોય છે. જયારે કેટલીક મિત્રતા સમય પસાર કરવા માટે જ હોય છે. મૂળમાં એમાં ઘણુંકરીને  ગુણોની ઉણપ હોય છે.



                           મિત્રો  હંમેશા  શુભેચ્છક  અને મિત્રતા માટે બલિદાનની ભાવનાવાળા હોવા જોઈએ અને વિકટ સમયમાં અણગમી પણ સાચી સલાહ આપે એવા હોવા જોઈએ .  ઘણીવાર મિત્ર પાસેની વધુ પડતી અપેક્ષાઓ રાખવાથી મિત્રતામાં તડ પડે છે. ઘણા એમાં મિત્રની દગાખોરી અને વિશ્વાસઘાત માની લે છે. 

                               ચિંતક મોન્ટેન  કહે છે કે ' સારો મિત્ર એ એક આધ્યાત્મિક  ભેટ છે '  ટૂંકમાં સારો મિત્ર  એ પ્રભુની  દેણ હોય છે.

                                      *******************************