Wednesday, December 22, 2021



ભારતની મુશ્કેલિઓ - રૂઢિઓ અને જડતા      

                                                            ભારતમાં આજે પણ ભાગલા પછી આસરે ૨૦ કરોડ મુસ્લિમો છે. અને  જે પાકિસ્તાનમાં મુસ્લિમો  છે  એમાંના ઘણા ખરા હિંદુમાંથીજ મુસ્લિમ બનેલા છે. હિંદુઓમાં જે રૂઢિઓની જડતા છે એણે મુસ્લિમ બનેલા હિંદુઓને પાછા હિન્દૂ ધર્મમાં  લેવામાં હંમેશ ઇન્કાર કર્યો છે. એનું ખરાબ પરિણામ આજે ભારત ભોગવી રહ્યું  છે.  આવી જડતા ભરી રૂઢિઓને લીધે આજે પણ હિંદુમાંથી મુસ્લિમ બનેલા લોકોમાં હિંદુઓ પ્રત્યે ક્રોધની ભાવના છે. રાષ્ટ્રીય સેવક સંઘના નેતાઓ પણ કહેછેકે  'બહુમતી મુસ્લિમોનો 'ડીનએ ' હિંદુઓને  મળતો છે. 'એજ બતાવે છેકે ભારતમાં  બહુમતી મુસ્લિમો હિંદુમાંથી જ  મુસ્લિમ બન્યા  છે. જયારે બહુમતી મુસ્લિમોને હિંદુઓ પ્રત્યે એમની જડતા ભરી રૂઢિઓ પ્રત્યે ક્રોધ હોય તે ભારતના હિતમાં નથી. 

                                         મહમદઅલી ઝીણા જેણે ભારતના ભાગલા કરી મુસ્લિમો માટે પાકિસ્તાન બનાવ્યું એના બાપદાદા અને  પિતા પુંજાભાઈ હિન્દૂ હતા.  પુંજાભાઇએ પોતાના ભરણપોષણ માટે માછીમારીનો ધંધો અપનાવ્યો હતો જેનો હિન્દુઓએ તે વખતે  વિરોધ કર્યો ને  એમને ન્યાત બહાર કર્યા. એવા સંજોગોમાં એમણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. થોડા સમય  પછી એમણે હિન્દૂ ધર્મમાં  પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી પણ તે વખતના હિન્દૂ સમાજે એમને પાછા લેવાની ઘસીને ના પાડી દીધી. એમના જ  એકપુત્રે એટલેકે મહમદઅલી ઝીણાએ પાકિસ્તાન ઉભુંકરી  ભારતને ભયંકર નુકશાન કર્યું અને એના પરિણામ આજે પણ ભારત  ભૉગવી રહ્યું છે.



                                    પાકિસ્તાને આજે પણ કોઈ  ઉદ્યોગીક કે આર્થિક પ્રગતિ કરી નથી પણ ભારત સામેના રોષ અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા પોષાય કે ન પોષાય તો પણ  ' અટૉમ બૉમ્બ' બનાવી લીધા છે.જોવાનું તો એછે કે  એ બૉમ્બ ને બનાવનાર અને ઇસ્લામિક બોમ્બના પિતા અબ્દુલ કાદિરખાન  ખાનનો જન્મ ભારતમાં ભોપાલમા જ થયો હતો. એના પિતા એક સ્કૂલ શિક્ષક હતા.  અબ્દુલ કાદિરખાન સ્કૂલ માં  હોશિયાર વિદ્યાર્થી હતા . ભાગલા પછી પણ એનું કુટુંબ ભોપાલમાંજ રહ્યું હતું . પરંતુ વખત જતા એમના  કુટુંબમાં  ભોપાલમાં  બેચેની  વધતા પાકિસ્તાન ચાલી ગયું હતું. પછી તો એમણે' અટૉમ બૉમ્બ' પાકિસ્તાન માટે કેવી રીતે બનાવ્યો એ પણ  એક રસમય ઇતિહાસિક વાર્તા છે . મૂળમાં  એક વખત એ ભારતીય મુસ્લિમ હતા. આમ ભારતીય મુસ્લિમોએ જ ક્રોધમાં ભારતને નુકશાન કર્યું છે. 

                                                                        મુદ્દાની વાત એ છે કે હિંદુઓ એમની રૂઢિઓ અને એની જડતાને વળગી રહ્યા ન હોત તો આજે ભારતમાં આટલા મુસ્લિમો પણ ન હોત અને મુસ્લિમોને હિંદુઓ પ્રત્યે એટલો આક્રોશ પણ  ન હોત.  આપણે હવે બીજા ધર્મના લોકોને અપનાવવામાં વધુ  ઉદારતા દાખવવાવાની  જરૂરિયાત છે.

                                     ******************************      

Wednesday, December 15, 2021



જેવી સંગત તેવી અસર 

                                        વિશ્વમાં એક સામાન્ય માન્યતા છે કે જેવા મિત્રો તેનાથી માનવીની ગણતરી થાય છે. સારા મિત્રો સમાજમાં ઉચ્ચ સ્થાન અપાવે છે પરંતુ ખરાબ મિત્રો માનવીની કફોડી સ્થિતિ કરી નાખે છે. નબળી સંગત નુકસાન પહોંચાડે છે અને મજબૂત સંગત માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે.  અર્જુનની કૃષ્ણ  સાથેની સંગત એને વિજય અપાવે છે જયારે મજબૂત એવા વીર કર્ણ દુર્યોધનની સંગતે હાર પામી વીરગતિ પામે છે.

                                           આજના જમાનામાં પણ જો તમે સરકારી કામ માટે જાઓ તો તમે નિરાશાથી ઘેરાઈ જશો અને તમને લાગશે કે  જીવન બહુજ મુશ્કેલ છે. સરકારી આંટીઘૂટી કોઈને પણ નિરાશા તરફ ધકેલી  દે છે. કોઈ સારો અને હોશિયાર સરકારી  કર્મચારી લોકોની મુશ્કેલીઓ દૂર  કરી શકે છે.  આજ બતાવે છે સારા અને ખરાબ સંગતની અસર કેવી હોય છે.

                                        સાધુ ,સંત  જેવા માણસોનો સંગાથ  ઘણાને  બલિદાન  અને કોઈને આપવાની વૃત્તિને ઉત્તેજિત કરે છે.  કોઈની વસ્તુ પડાવી લેવાનો વિચાર કદી આવતો નથી.

                                         સારા શિક્ષકો  સારા નાગરિકો ઘડે છે. અને એવા  શિક્ષકો વિદ્યાર્થીઓમાં ભણવાની કે વધુ શીખવાની વૃત્તિ  ઉત્તેજિત કરે છે. એવીજ રીતે તમે  કોઈ વિદ્વાન વિજ્ઞાનિકને મળો તો તમને થશે કે  તમે કઈ જાણતા નથી એટલે કે તમે અજ્ઞાની છો. પરંતુ એવા સંગતથી તમે જરૂર કંઈક જાણવા મળશે .

                                       એજપ્રમાણે ખેડૂત અને મજૂરનું જીવન જોઈને તમને કદાચ વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળશે . વેપારીઓ સાથે વાત કરવાથી  અને એની કમાણી  જોઈને તમને થશે કે તમારી કમાણી એની વિસાતમાં કઈ નથી.

                                       રાજકારણી થવા માટે કોઈપણ જાતની વિશિષ્ટ લાયકાત જરૂરી નથી. એમને જોઈને થશે કે તમે જે લાયકાત મેળવવા મહેનત કરી એનો  કોઈ અર્થ નથી. રાજકારણીઓની સંગત ભણેલાઓ  માટે લગુ ગ્રંથિ ઉભી કરી દે છે. એવી જ રીતે સારા મિત્રો સ્વર્ગ ઉભું કરીશકે છે પરંતુ ખરાબ મિત્રો આજુબાજુ નર્ક ઉભું કરી દે છે. 

                                       એવી જ રીતે દારૂડિયાઓનો સંગત દારૂડિયા બનાવી દે છે અને વ્યક્તિ માટે એનું જીવન કુટુંબ અને સમાજ માટે  બોજારૂપ  અને નક્કામું બનાવી દે છે. 

                                       આજ બતાવે છેકે વ્યક્તિનું  સંગત જીવનમાં સુખ અને દુઃખનો આધાર બની રહે છે. એથી જીવનની ગતિ નક્કી કરવા માટે માણસે પોતે જ પોતાની સંગત શોધવાની હોય છે.

                                           ************************************     


Friday, December 10, 2021

 


ભારતના અનોખા ગામડાઓ 

                                                                                     શહેરો કરતા ગામડાઓનું જીવન વધારે શાંત, સુખી અને  ભયરહિત હોય છે.  ઉદ્યોગીક ક્રાંતિને કારણે શહેરો તરફ દોડ વધી ગઈ છે. એથી  માનવીનું જીવન તણાવવાળુંને અને  એકદમ મશીન જેવું બની ગયું છે. એમાંથી કેટલીયે શારીરિક અને માનસિક એવી ભયંકર બીમારિઓએ ભરડો લીધો છે . આથી ઘણીવાર જીવન દુઃખી અને  નરક સમાન પણ બની જાય છે. ત્યારે માનવીને પોતાનું નાનું ગામડાની યાદો આવેછે પરંતુ તે વખતે ઘણો  વિલંબ થઇ ગયો હોય છે. 



                                          આથી જોઈએ કે કેટલાક ગામડાઓનું જીવન કેટલું આદર્શ હોય છે!  મહારાષ્ટ્રમાં શેની શિંગળાપુર નામનું એક ગામ છે ત્યાં ઘરોમાં બારણા કે પછી બારીઓ પણ નથી. એટલેકે ઘરો તદ્દન ખુલ્લા રાખેલા હોય છે.  ત્યાં કદી ચોરી થતી નથી એટલે પોલીસ સ્ટેશન પણ નથી. આવું સ્વર્ગ તો દેવોની ભૂમિમાં જ જોવા મળે! બીજા એક ગામ 'હિવારે બજારમાં'  કોઈ પણ ગરીબ નથી.  ગામમાં ૬૦ જેટલા  કરોડપતિ  છે  અને ગામનો જીડીપી ઘણો ઊંચો છે. 


                                              ગુજરાતમાં  'પુંસરી 'ગામમાં  દરેક ઘરમાં સીસી ટીવી , વાઇફાઇ , છે અને દરેક સ્ટ્રીટમાં ' સોલર' શક્તિથી ચાલતી લાઈટો  છે. 



                                             કર્ણાટકના' કુલઢેરાં ' ગામમાં  કોઈ નથી રહેતું  પણ ત્યાંના દરેક મકાનો સુરક્ષિત  રહે છે.  બીજા એક ગામ' મત્તુર' માં  લોકો એટલા શિક્ષિત છે કે ગામના દરેક માણસ સંસ્કૃત જાણે છે અને સંસ્કૃતમાં જ  વાત કરે છે.  



                                             મેઘાલયનું એક ગામ ' માલવિયોંગ'એ  એશિયાનું  સ્વચ્છમાં સ્વચ્છ  ગામ તરીકે જાણીતું છે. 

                                               ભારતના  ગામડાઓનો ઉપ્પર ઉલ્લેખ છે  જ્યા સ્વર્ગીય વાતાવરણ છે અને લોકો સુખી છે.  તે ઉપરાંત ગામડાઓમાં વાતાવરણ શાંત, અને સુખી છે. એને આધુનિક સગવડો આપવાની જરૂર છે. જેથી ગામડામાંથી  શહેર તરફ જતો જન પ્રવાહને અટકાવી શકાય છે. એનાથી લોકો સુખ શાંતિથી  પોતાના વતનમાં રહી શકે. શહેરોના દુષણો , ઝુપડપટ્ટીઓ,  ગંદકી, કોન્ક્રીટના જંગલોને દૂર કરી શકાય એમ છે એમાં શંકા નથી.

                             *******************************************  

Tuesday, November 16, 2021

 


હિન્દૂ ધર્મ 

                                                                એક વખત હતો જયારે  પરદેશમા હિન્દૂ ધર્મ વિષે ઘણી ગેરસમજ હતી. બ્રિટિશો એને અંધશ્રધ્ધાળુ દેશમાં ખપાવતા હતા. સપેરાઓનો દેશ, જે સાપોને નચાવી આનંદલેનારો દેશ મનાતો હતો. તેઓ તદ્દન એને અભણ એવા દેશમાં ખપાવતા હતા.



                                                      એમને ખબર પણ ન હતીકે ભારતીય ઋષિમુનિઓ પોતાની બુદ્ધિ કૌશલ્યથી દરેક વિજ્ઞાનમાં પ્રગતિ સાધી હતી. રામસેતુથી માંડી  રામના પુષ્પક વિમાનને પણ કલ્પના ગણી ઘણા ઠેકડી  ઉડાવતા રહેતા. મહાભારતમાં સંજય હસ્તિનાપુરમાં બેઠા બેઠા  અંધ ધુતરાષ્ટ્રને કુરુક્ષેત્રના યુદ્ધનો અહેવાલ આપતો   રહેતો હતો. વિજ્ઞાને આબધી વસ્તુઓને આજે સત્ય પુરવાર કરી છે. વિડિઓ  અને વિમાનો આજના  જમાનાની આવૃત્તિઓ છે. અમેરિકાની સંસ્થા નાસાએ રામસેતુ ભારત અને શ્રી લંકા વચ્ચે દરિયામાં મોજુદ છે એનું  અનુમોદન પણ કર્યું છે. આથી ભારતીય સંસ્કૃત્તિની વાતો  કોઈની કલ્પના નહિ પણ તથ્ય પર આધારિત  છે.



                                                         હવે પરદેશીઓ એટલેકે પશ્ચિમી લોકોં ભારતને બરાબર સમજવા માંડ્યા  છે.  નાસાએ અત્યારે જાહેર કર્યું છેકે સૂર્યમાંથી જે અવાજ આવે છે તે ઓમઃ સમાન છે. જેનું ભારતીય સંસ્કૃત્તિમાં બહુજ  મહત્વ છે. 



                                                        ગૌ મૂત્રનો ઉપયોગ ભારતીય શાસ્ત્રોમાં આરોગ્ય  માટે ઉત્તમ ગણવામાં આવ્યું  છે. એનો ઉપયોગ કેન્સર જેવા રોગોમાં પણ થઇ શકે છે એવું માનવામાં આવે છે.  હજુ સુધીમાં 'ચાર પેટેન્ટઓ' ગૌ મૂત્રની અમેરિકામાં નોંધાવવામાં આવી છે. આ ગૌ મૂત્રની ઉપયોગીતા પુરવાર કરે છે.



                                                         હવે 'ગીતા ' અમેરિકન યુનિવરસિટીમાં શીખવવામાં  આવે છે. ઇન્ડોનેશિયા જેવા દેશે તો પોતાની એરલાઈન્સનું  નામ 'ગરુડ' આપેલું છે. એના ચલણી  નોટ પર શ્રી ગણેશનો ફોટો રાખવામાં આવ્યો છે.  પૃર્વ પ્રમુખ બારાક ઓબામા એના ગજવામાં  હનુમાનનો  ફોટો રાખે છે . આ પણ ભારતીય હિન્દૂ  સંસ્કૃતિનું  ગૌરવ છે.



                                                           જર્મન એરલાઈન્સ 'લુફથાન્સા'નું નામ સંસ્કૃત  શબ્દ પરથી આવેલું છે.જેનો અર્થ એરોપ્લેન થાય છે. હિન્દૂકુશ પર્વત  'અફઘાનિસ્તાનમાં 'આવેલો  છે. ચાર હજાર વર્ષ પુરાણા હિન્દૂ મંદિરો વિયેતનામમાં  આવેલા છે. 

                                                            આ બતાવે છેકે  હિન્દૂ સંસ્કૃતિ અને માન્યતાઓ  તથ્ય અને વિજ્ઞાન

પર આધારિત છે. એનો પ્રભાવ આખા વિશ્વમાં ફેલાયેલો છે. 

                                         **********************************************     

Thursday, November 11, 2021

  


હાઈ ટેકમાં બધાથી આગળ - જાપાન 

                                                                         જાપાન આદર્શ દેશ છે  અને એની પ્રજા પણ શિસ્તબંધ અને ઉદ્યમી  છે. વિજ્ઞાનિક શોધોનો ઉપયોગ જાપાને એમના નાગરિકોની  સુવિધાઓ વધારવામાં ઉપયોગ કર્યો છે.

                                                      સ્ત્રીઓને પ્રસંગો અનુરૂપ કપડાં બદલવાની આદતો હોય છે. જાપાને એવી જાતનું કાપડ બનાવ્યું છે કે એનો રંગ આપોઆપ બદલી શકે છે.  એથી કપડાં બદલવાની જરૂરિયાત જ  ઉભી થતી નથી. એ પણ એક નવી વિજ્ઞાનિક સુવિધા છે.

                                                       આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એવી ખુરસીઓ બનાવી છેકે તાળી પાડીને એને અમુક જગ્યાએ ગોઠવી શકાય છે. એટલે ટેબલની પાસે જઈને એની જાતે પાર્ક થઇ શકે છે. આનાથી ખુરસીઓનો ઉપયોગ જુદા જુદા પ્રસંગો માટે એને ઉંચક્યા વગર ફક્ત સેન્સરથી એને ખસેડી અને ગોઠવી શકાય છે.

                                                       પાટા વગર ટ્રેક પર ચાલે એવી ચાર ટ્રેક વાળી મોનો ટ્રેનની  સુવિધા ત્યાંના નાગરિકોને  આપવામી આવી છે.  ટ્રેન  આવે એટલે એના ટ્રેકો આપોઆપ બદલાઈ  જાય છે.   અને એમાં ઘણી સારી સગવડો આપવામાં આવી છે. 



                                                           સોનન ટ્રેન ટ્રેકની નીચે દોડે છે જે જમીનથી ૧૦ ફીટ ઉપ્પર દોડે  છે. શહેરના ટ્રાફિકને પણ એનાથી રાહત મળે છે. લટકતી ટ્રેનના  ટ્રેકને મોટા થાંભલાઓથી જોડેલા હોય છે. ટ્રેનની મુસાફરી તદ્દન આરામદાયક હોય છે. આ લટકતી દોડતી ટ્રેન ચુમ્બકીય સિદ્ધાંતો પર દોડે છે.    



                                                         ઊંચી  બહુમાળી ઇમારતોમાં જે લિફ્ટો હોય છે એમાં ટોઇલેટની પણ સુવિધા આપવામાં આવે છે.  ઇલેક્ટ્રિક નિસ્ફળતાને કારણે નાગરિકોને તકલીફ ન થાય એટલા માટે આવી સગવડો આપવામાં આવી હોઈ છે. 

                                                            જાપાનમાં  ઝડપી ટ્રેનો દોડે છે એની ગતિ ૫૮૧  માઈલ પર  કલાકની હોય છે. એને ચુમ્બકીય શક્તિથી ચલાવવામાં આવે છે. ટ્રેનમાં ઑટોમૅટિક  દરવાજા હોય છે જે ટ્રેન સ્ટેશન પર આવે ત્યારે ખુલે છે અને ટ્રેન ઉપડે એટલે બંધ થઇ જાય છે. આથી અકસ્માત થવાની શક્યતા ઓછી થઇ જાય છે. જાપાની નાગરિકો પણ શિસ્તબંધ રીતે પહેલા  ટ્રેનમાંથી ઉત્તરે  છે અને ત્યારબાદ લોકો  ટ્રેનમાં ચડે છે. 

                                                         ટ્રેનો મકાનોમાંથી પસાર થતી જાપાનમાં  જોવા મળે છે. એનું કારણ કે  ટ્રેનના પાટા નાખવા માટે જમીન  આપવાની જમીનના માલિકોએ નકારી હતી. આથી નાગરિકોની અડચણને દૂર કરવા મકાનોમાંથી ટ્રેનનો માર્ગ બનાવ્યો હતો.



                                                            તે ઉપરાંત પ્લાસ્ટિકનો  રિસાયકલિંગ  એ જગતમાં  મુશ્કેલ પ્રશ્ન  બની ગયો છે પરંતુ જાપાનમાં દરેક સ્ટેશન પર રિસાયકલિંગ  મશીનો નાખવામાં આવ્યા છે. નાગરિકો એમાં પ્લાસ્ટિકની વાપરેલી વસ્તુઓ નાખે છે અને સામેથી સરકાર પૈસા આપે છે.

                                                ટૂંકમાં જાપાને  વિજ્ઞાનનો ઉપયોગ નાગરિકોની સુવિધા વધારવામાં કર્યો  છે. અને એમાં લોકોનો પણ સારા નાગરિકો તરીકે સંપૂર્ણ સહકાર હોય છે. આથી જાપાન એક આદર્શ રાષ્ટ્ર બની ચૂક્યું છે.

                                                     ****************************



                                                            


     

                                                               

Friday, November 5, 2021

 


તમાકુ -એનો કાળોકેર 

                                             તમાકુનો ઉપયોગ ખાવામાં કે પછી  મોઢા  વડે હુક્કા, બીડી અને સિગરેટે દ્વારા માણવામાં  આવે છે. આ આદત કેટલાએ યુગોથી ચાલી આવે છે. જુના જમાનામાં વિજ્ઞાન આગળ વધેલું ન હતું એટલે  અગણિત માણસો એની લતને લીધે મરી જતા પરંતુ એનો કોઈને ખ્યાલ ન આવતો.

                                  આજના વખતમાં વિજ્ઞાને સાબિત  કર્યું છે કે જે લોકોને કોઈ પણ જાતની  તમાકુની લત   હોય  તેને કેન્સર જેવી ભયંકર બીમારી થવાની સંભાવના છે. એટલા માટે એવી લત ધરાવનાર માટે સરકારે પણ ચેતવણી આપી પગલાં ભર્યા છે. તમાકુ ધરાવતા પેકેટો પર અને ફિલ્મોમાં પણ તમાકુના સેવન સામે ચેતવણી આપવામાં આવે છે. તમાકુથી ઘણાને મોઢાના, ફેફસાના કૅન્સરો થાય છે અને એવા કેસો આવતાજ રહે છે.



                                     આજકાલ યુવાનોમાં સિગરેટ પીવાની એક ફેશન બની ગઈ છે ક્યાંતો ઘણાને એની લત લાગી ગઈ છે. એ આવતા જનરેશન માટે પણ  ભયની ઘંટી બની ગઈ છે. આશ્ચર્યની વાતતો એ છેકે હવે આજની કેટલીક આધુનિક સ્ત્રીઓ પણ સિગરેટ  પીવા માંડી છે. ઘણાને એમાંથી તાજગી મળે છે એવા દાવા પણ આગળ આવે છે. પરંતુ લાંબા ગાળે એ નુકસાનકારક છે એવો ખ્યાલ  બહુ ઓછાને હોય છે.



                                          જેને તમાકુના મસાલા ખાવાની આદત હોયછે તેઓ અઠવાડિયામાં  ચાર  આઉન્સ તમાકુ ચાવે છે. તે આશરે  વાર્ષિક 17 અને  ૧/૨ પાઉન્ડ જેટલો ખરાબ  પદાર્થ  થાય.  એમાં રેતી , પાંદડા,  ઓલિવનું તેલ , બીજા હાનિકારક  પદાર્થો પણ હોય છે.  એ માનવીના દાંતો પર કેમિકલ અને મિકેનિકેલ અસર પણ કરે છે. ઘણીવાર દાંતો પીળા, કાળા  કે  ફીકા પડી જાય છે એવા પણ ડેન્ટલ સંઘઠનના  અહેવાલ છે. જે લોકો પાઇપ પીવે છે એમને પણ મોઢાના કેન્સર થવાના દાખલા છે. તે ઉપરાંત તમાકુને  લીધે  વર્ટિગો, ખોટા વિચારો, અપચો , નર્વસનેસ , અને ખોરાક પણ  ઓછો થઇ જાય  એવા રોગો  થઇ  જાય છે. 

                                           મૂળમાં તમાકુ માનવીના  સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એના માટે  વધુ લોકજાગૃતિ લાવવી જરૂરી છે.

                                          ***************************************

 

Wednesday, October 20, 2021



ભવિષ્યનું યુદ્ધ 

                                         આજના અને ભૂતકાળમાં યુધ્ધે  સૈનિકોનો અને લોકોમાં ભયાનક વિનાશ વેર્યો હતો. સમ્રાટ અશોકનો કલિંગના યુદ્ધમાં સૈનિકો અને લોકોમાં જે  મહાવિનાશ  થયો એને જોઈને  હૃદય પલટો થઇ ગયો હતો.  બીજા વિશ્વ યુદ્ધમાં  લાખો  લોકોનો, સૈનિકોના નાશ થયો. કેટલાએ દેશોમાં રસ્તાઓ, મકાનો, પુલો, બંદરો. એરપોર્ટ   અને બંધોનો વિનાશ બોમ્બમારાથી  થયો હતો.  ઘણા વિનાશોતો યુદ્ધના લક્ષ્યથી  પર હતા .

                               હવે પછીના યુદ્ધો ઉચ્ચ  ટેક્નોલોજી  દ્વારા લડવામાં આવશે જેનું લક્ષ્ય ઓછા વિનાશથી વધારેમાં વધારે લાભ મેળવવાનો  હશે. એમાં સૈનિકોને , યુદ્ધ વિમાનોને , દરિયાયી યુદ્ધ વાહનોને , ટેન્કોને અને યુદ્ધને લગતા બધા સાધનોને  ઉચ્ચ ટેકનોલોજીથી  સજ્જ કરવામાં આવશે. જેથી યુદ્ધ ઓછા નુકશાન સાથે જીતી શકાય .



                                 હવે લશ્કરમાં  હાઈટેકની 'આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ'  નો પણ ઉપયોગ થવા માંડ્યો  છે. દાખલા તરીકે  જેનાથી ચહેરાની પહેચાનનો ઉપયોગ થશે .  દીવાલની કે  ઝાડીઓની  બીજી બાજુનું ચહલપહેલ  પણ જાણી શકાય છે. તે ઉપરાંત હવે દરેક સૈનિકોને પણ  નવી ટેક્નોલોજી 'વાસ્તવિકતાની નજદીક જતી ટેક્નોલોજીથી ' સજ્જ કરવામાં આવશે.એને' ઔગ્મેન્ટેડ  સિસ્ટમ' કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં એને ' ટેકટિકલ ઇન્ટેલિજન્સ' પણ કહેવામાં આવે છે.

                                    એને સૈનિકોના માથા પર લગાડેલી હેલમેટમાં  લગાડવામાં આવશે જેથી એ યુદ્ધ મેદાનમાં ક્યાં સુરંગો લગાડવામાં આવી છે તે જાણી શકાશે આજુબાજુનું પાણી  કેટલું  ઝેરી છે તે પણ જાણી શકાશે. તે ઉપરાંત દૂર દુશ્મન   સૈનિકોની હિલચાલ કેવી છે  તે પણ જાણી શકાશે. સેન્સર દ્વારા દુશ્મન  સૈનિકોની  કેટલા અંતરે  હિલચાલ ચાલી રહી છે તે પણ જાણી શકાશે.  આવી  માહિતીઓ સૈનિકોને  વધારે રક્ષણ આપશે અને  જીવની ખુવારી ઓછી થઇ જશે. તે પણ અજાણી યુદ્ધભૂમિમાં  બની શકશે . યુદ્ધમાં  એમાંના ઘણા હાઈટેક સાધનો સૈનિકો છાતીએ પણ લગાવી શકશે.

                                    આવા હાઈટેકના સાધનો 'હોલોલેન્સ' નેવીના યુદ્ધ વાહનો પર પણ થઇ શકશે. ટેન્કમાં  બેઠેલા  સેનિકો અંદર બેઠા બેઠા આજુબાજુની બધી માહીતોઓ મેળવી યુદ્ધ નીતિ નક્કી કરી શકશે.

                                ફક્ત આ ટેક્નોલોજી યુદ્ધ મેદાનથી દૂર બેઠેલા સેનાપતિઓ સૈનિકો કદાચ 'પપેટની' જેમ ઉપયોગ કરી શકશે પરંતુ  ટેક્નોલોજીથી  સજ્જ સૈનિકો સેનાપતિઓની ઉપયોગીતા પણ ઓછી કરી નાખી શકે છે. તે ઉપરાંત કોઈ પણ સંજોગોમાં જો  હાઈટેક સાધનો યુદ્ધમાં નિસ્ફળ નીવડે નો તો મોટી મૂંઝવણ પણ ઉભી કરી શકે છે. આતો સંભાવનાઓની  વાત થઇ. પરંતુ  એક વાત ચોક્કસ છેકે હવે પછીના યુદ્ધો હાઈ ટેકની મદદથી જ લડાશે જેમાં ઓછા નુકસાને વધારે લક્ષ્યો મેળવી શકાશે અને  યુધ્ધો લાંબા સમય સુધી નહિ ચાલે.

                                       **************************************