Tuesday, July 16, 2024

 


પ્રદુષણ 

                                           હવામાં વધતું જતું પ્રદુષણ એ અત્યારે વિશ્વમાં જીવનમરણનો પ્રશ્ન બની રહ્યો છે. ઉદ્યોગીક ક્રાંતિ  અને જમીનના તેલના  ઉપયોગે પ્રદૂષણ વધારી દીધું છે.  પ્રદૂષણો માનવીની તંદુરસ્તી પર અને હવામાન પર પણ આડઅસર પડી છે. એમાં પ્રદૂષણે માનવીઓના જીવનને વિવિધ રોગોની ભાળ આપી છે એ બહુ ખતરનાક છે. મુખ્યત્વે માનવીઓમાં શ્વાસોશ્વાસને  લાગતા  રોગો વધી રહ્યા છે. 



                                           અત્યારના સર્વે મુજબ કાર , ફેક્ટરીઓ ,ભયંકર આગો , લાકડા બળતા ચુલાઓ  દુનિયામાં આશરે વાર્ષિક ૯૦ લાખ જેટલા માનવીઓનું  અણધાર્યું  મોત નોતરે છે. એમાં દક્ષિણ એશિયામાં વધારેમાં વધારે મોત થાય છે. પ્રદુષણના  અંશો લોહી વડે છેક માનવીના  ફેફસા સુધી પહોંચી શ્વાશોશ્વાશના રોગો ઉત્પન્ન કરે છે. એમાં અસ્થમા, હૃદય રોગ અને સ્ટ્રોક  જેવી બીમારી પણ આવી શકે છે. સ્થૂળતા, ડાયાબિટીસઅને કોવિદ-૧૯ ના મૂળ પણ એમાં રહેલા હોય છે.

                                              વધારે વાહન વ્યહવાર જેવા વિસ્તારોની બાજુમાં રહેવાથી પ્રદુષણને લીધે બ્રેસ્ટ કૅન્સર જેવી બીમારી ૮% જેટલી વધવાની શક્યતા રહેલી છે . આ એક અમેરિકન સર્વેનું તારણ છે. તે ઉપરાંત વૃદ્ધો, બીમાર બાળકો વધારેમાં વધારે પ્રદુષણનો  ભોગ બને છે.  યુરોપના એક સર્વે પ્રમાણે પ્રદુષણને  કારણે નવજાત જન્મેલા બાળકો ઓછા વજનથી જન્મે છે . તે તેમની તંદુરસ્તી માટે ભયજનક હોય છે.



                                              અમેરિકામાં જંગલોમાં લગતી ભીષણ આગમાંથી ઉત્તપન થતું પ્રદુષણ માનવીય તંદુરસ્તીને અસર કરે છે. ઘણીવાર  ધુમાડાઓને લીધે વાતાવરણ ધુંધળુ  બને છે અને એવા વાતાવરણમાં  સ્યુસાઇડના કિસ્સાઓ વધી જાય  છે એવું તારણ પણ ઇલિનોઇસ  યુનિવર્સિટી ના પ્રોફેસરે  કરી છે.



                                                 આમ ખરાબ હવા  માનવીના સ્વાસ્થ્યને  અસર કરે છે. એથી જેમ બને તેમ પ્રદુષણ ઓછું કરવાના પ્રયત્નોને  લોકોએ પ્રોત્સાહિત  કરવા જોઈએ .  એમાં સર્વના સહકારની પણ જરૂરિયાત છે .

                                          ***********************************

Sunday, July 7, 2024

 


સૂર્ય નમસ્કાર 

                                                           હિન્દૂ માન્યતા પ્રમાણે સૂર્યની આદિકાળથી પૂજા થઇ થતી  આવી છે.  પ્રાતઃકાળે સૂર્યોદયે હિંદુઓ પાણીની આહુતિ આપીને સૂર્યને નમન કરે છે. એનું મુખ્ય કારણ સૂર્યને આ પૃથ્વીના જીવનદાતા માનવામાં આવે છે. દુનિયાની આ ચેતના સૂર્યને આભારી છે.  એટલા માટે  યોગની કસરતમાં પણ સૂર્યનમસ્કારને સ્થાન આપવામાં આવ્યું છે. આજ ભારતીય સંસ્કૃતિની  વિજ્ઞાનિક અવલોકનનું એક પાસું છે.

                        ભારતીય સંસ્કૃતિમાં ગાયત્રી મંત્રનું  એટલું  જ મહત્વ છે જે સૂર્યની પ્રચંડ શક્તિનું મહત્વ સમજાવે છે. ગાયત્રીમંત્ર સૂર્યની શક્તિઓ વિષે વિવરણ કરતા  કહે છે કે' હે સુખ આપનાર ,દુઃખ દૂર કરનાર, સર્વમાં શ્રેષ્ટ , તેજસ્વી ,  બ્રહ્મ સ્વરૂપ ,(એટલેકે ઈશ્વર સ્વરૂપ ), પાપોનો  નાશ કરનાર   અમને તારી શક્તિ આપી સારા માર્ગે લઇ જા .' આજ બતાવે છે કે સૂર્ય આ પૃથ્વીના જીવોનો જીવનદાતા છે. અને એના નિસ્વાર્થ ગુણોની પ્રશંસા કરી એને માનવી જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે.



                           આ બાબતમાં આધુનિક વિજ્ઞાનીકો  કહે છેકે સૂર્ય એક વિશાળ ગેસ જેવા પદાર્થનો એક સળગતો એક વિશાળ  ગોળો છે . પરંતુ બહારના વાતાવરણના આવરણના ઠંડા પદાર્થો એને ધીમે ધીમે વખતો વખત મંદ કરી રહી છે . એનાથી એના પર જાડું આવરણ જામતું જાય છે જે વખતો વખત સૂર્યની ગરમી અને કિરણો  પૃથ્વી પર આવતા અટકાવી દેશે તો એની અસર પૃથ્વી જીવન પર ગણી ખરાબ થશે. એનાથી પૃથ્વી પર અંધકાર જામી જશે અને સખત ઠંડી પડવા માંડશે. પૃથ્વીનું જીવનની એ શરૂઆત  હશે.  અને આખી પૃથ્વી આદિ સ્વરૂપમાં નિર્જન બની જશે. આ એક વિજ્ઞાનિક અઘાહી છે એને માટે કરોડો વર્ષો વીતી જશે.



                     અત્યારે વિજ્ઞાનીકો સૂર્ય શક્તિનો ઉપયોગ ઇલેક્ટ્રિક શક્તિમાં રૂપાંતર કરવામાં લાગી ગયા છે જે સસ્તામાં  સસ્તી શક્તિ બની રહી છે.

                 આથી એક વાતતો સત્ય છે કે સૂર્યની પ્રચંડ શક્તિથીજ આ દુનિયાનું પોષણ  થઇ રહ્યું છે.

                                        **************************************

Tuesday, June 25, 2024

 


સુવર્ણ ભંડાર -પૃથ્વીના પેટાળમાં    

                                                                  પૃથ્વી પાર ઊંડામાં ઊંડો ખાડો  બ્રાઝિલમાં છે.  અને એ 'મોરો વેલહો 'નામે ઓળખાય છે. એનું ઊંડાણ ૬૭૨૫ ફીટ  જેટલું છે. એના તળિયે ઉષ્ણતામાન ૧૧૭ ડિગ્રી છે. 

                                                                 'મોરો વેલહો' એ ફક્ત ખાડો નથી પણ એક સમૃદ્ધ સોનાની ખાણ છે, જે ૧૮૩૪ થી અસ્તિત્વમાં  છે. ૧૧૭ ડિગ્રીમાં કામ કરવું ખાણિયાઓ માટે અશક્ય છે. એથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ખાણિયાઓ ઓછી ગરમીમાં ત્યાં   કામ કરી શકે. આથી અંદર ઉષ્ણતામાન ૯૮ ડિગ્રી જેટલું રહે.



                                                                  બહારનું ઉષ્ણતામાન આશરે ૬૮ ડિગ્રી જેટલું રહે છે, પણ એને શક્તિશાળી પંખા દ્વારા ૪૨ ડિગ્રી જેટલું ઠંડુ કરવાંમાં આવે છે.  નીચે તટિયે પહોંચતા પહોંચતા રસ્તામા ગરમી વધતી રહે છે  એનું કારણ  અંદરના ગરમ  ખડકો અને પંખાના કોમ્પ્રેસરો જવાબદાર હોય છે. તે છતાં  ખાણિયાઓ  પ્રતિકૂળ ગરમ વાતાવરણમાં  સોનુ કાઢતા રહેતા હોય છે.

                                                                  આજ બતાવે છે કે મનુષ્યો  દુનિયાની કિંમતી ધાતુ  મેળવવા માટે  કેટલા ઊંડાણ સુધી પૃથ્વી ને કોતરી કાઢે છે. પછી પૃથ્વી  એનો કાળ કુદરતી આપત્તિ જેવી કે ધરતીકંપ દ્વારા બહાર કાઢે જ ને. આવાતો અનેક જાતના અત્યાચારો મનુષ્યો આ ધરતી પર કરતા રહે છે.



                                                                 ભયંકર ધરતીકંપો , નદીના પૂરો , સાગરના તોફાનો , હવાના તોફાનો , અતિ વરસાદનો  કોપ  અને દુકાળો  આ બધા મનુષ્યના કુદરત પરના અત્યાચારોને જ આભારી છે. જેને હવે હવામાનના બદલાવને નામે ઓળખવામાં આવે છે. આથી માનવ જાતે કુદરતના ખજાનાને લૂંટવામાંથી હવે પાછા વળવાનો વખત આવી  ગયો છે.

                                       *********************************

Wednesday, June 12, 2024

 


મજૂરી - ચીનની  રીતે 

                                               

                                ચીન એક સરમુખત્યારી પર ચાલતો દેશ છે. ત્યાં સરકાર જે કઈ કામ  આપે તે કામ કરવું પડે છે. એમાં  પસંદગીનો સવાલ બહુ ઓછો હોય છે.  એનો અર્થ દુનિયા જેને જબરજસ્તી મજૂરી કહે છે એવી મજૂરી પણ અસ્તિત્વમાં ત્યાં છે. 

                                 ચીનમાં ઝીનજિઆંગ પ્રાંત જ્યાં મુસ્લિમઓની  બહુમતી વસ્તી છે ત્યાં ચીને પોતાના અધિકારીઓને ગ્રામ વિસ્તારોમાં મોકલાવી લોકોની રહેણીકરણી અને એમના વિચારોને બદલવા માટે ઝુંબેશ ચલાવી છે. કોણાબજાર જેવા એક ગામમાં  ચીની અધિકારીઓ  વૈચારિક પ્રચારમાં  લાગેલા છે. તેમનો ઉદ્દેશ એ પણ છેકે જે ખેડૂતોને   ખેતી  તરફ અણગમો હોય તેમને  બીજી જાતના કામો તરફ વાળવા.  તેમને શિક્ષણિક  શિબિરો તરફ લઇ જવા જે બીજા અર્થમાં  અટકાયત કેમ્પ જેવા જ હોય છે. એવી વસાહતોને આંતકવાદ અને ધાર્મિક અસહિષ્ણતાને  નાબૂદ કરવા માટે પણ  ઉભી  કરવામાં આવી છે. પરંતુ એમાં લાખો  સ્થાનિક યિંઘુર  મુસ્લિમોનો ઉપયોગ જબરજસ્તી મજૂરી માટે પણ થઇ શકે છે. એટલા માટે અમેરિકા અને યુરોપીઅન યુનિયને પણ એવી મજૂરીમાંથી બનેલી વસ્તુઓની આયાત  પર પ્રતિબંધ મુકેલો છે . પૉલિસિલિકોન , પ્રોસેસ ટામેટા , અને કપડાં પણ એવી મજૂરી માંથી બનેલી વસ્તુઓમાં આવી શકે છે, જે ઝિંગજિયાન્ગમાથી  આયાત થાય છે.



                                                              આજ પ્રમાણે   નાના મોટા ગુનાઓમાં પકડાયેલા કેદીઓનો પણ ઉપયોગ જબરજસ્તી  મજૂરી કરવામાં આવે છે. તે ઉપરાંત જમીનો જવાથી પણ બેકાર ખેડૂતો બીજા કામો કરવામાં પ્રોત્સાહિત  થાય છે પછી ભલે એ કામો ઘરથી નજદીક હોય કે પછી દૂર હોય. લાચારીનો ઉપયોગ પણ જબરસ્તી  મજૂરી  માટે  થઇ શકે છે.



                                                                મૂળમાં સસ્તી મજૂરી  વેતન અને જબરજસ્તી  સસ્તું  સારું અને વધારે ઉત્પાદનમાં મદદ રૂપ બને છે. પરંતુ બીજા અર્થમાં એ મજૂરોનું શોષણ બની રહે છે.

          ચીનનો માલ જે આજે દુનિયામાં સસ્તો અને  સારા  તરીકે વેચાય છે એમાનું એક રહસ્ય  જબરજસ્તી મજૂરી પણ હોય શકે ?  

                                        ************************************************         

    


 

Saturday, June 1, 2024



આંદામાનની  આદિકાળની વસ્તી    

                                                            આંદામાનની આજુબાજુ સેંકડો નાના મોટા ટાપુઓ છે જેના પર હજુ  જંગલોમાં વસ્તી વસે છે જે આજની દુનિયાથી અલગ તેમનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. અને આદિ વખતની સંસ્કૃતિમાં જીવન જીવી રહ્યા છે. તેઓને માનવીઓ તેમને અને તેમની સંસ્કૃતિને ખલેલ પહોંચાડે તે પસંદ નથી. તેઓ તિર કામઠા કે  ભાલા જેવા  હથિયારથી સ્વરક્ષણ  કરે છે. તેઓને આધુનિક સંસ્કૃતિ અને એમની માનવજાત પ્રત્યે કોઈ લગાવ નથી. ઘણા  ભારતીય અને પરદેશી સાહસિકોએ તેમની અંદર ડોકિયાં કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેમણે તેનો ઝનૂની રીતે સામનો કર્યો છે. એમની વસ્તી પહેલા હજારોમાં હતી તે સેંકડોમાં આવી ગઈછે.



                                      કેટલાક આધુનિક સંધોધન કરનારાઓએ એમાંથી યુક્તિઓ અપનાવી  થોડા ઘરડા અને બાળકોને આધુનિક સંસ્કૃતિમાં લાવવા પ્રયત્નો કર્યા એમાંના ઘરડાઓ મૃત્યુ પામ્યા અને યુવાનો અને બાળકોને એમની  વસ્તીમાં પાછા કરવા પડયા.  માર્કો પોલો  એ ટાપુઓ પર તેરમી સદીમાં ગયા ન હતા પણ એણે  લખ્યું  છે કે એ ટાપુ પર  રહેનારા લોકો  એકદમ જંગલી અને એકદમ નિર્દય છે.એમનું માથું, દાંતો , અને આંખો કુતરા જેવા લાગે છે. તેઓ જે કોઈ પરદેશી હાથમાં આવે તેને ક્રુરતાથી મારી ખાઈ જાય એવા હોય છે .૬૦૦ વર્ષ પછી આર્થર કોનન ડોયલે લખે છે કે ' અહીંના લોકોની આંખો  ખૂની અને  શેરલોક હોમ્સની નવલકથામાં આવતા ખૂનીના જેવી લાગે છે. એક જર્મન સંધોધકે તો એ આદિ પ્રજાને  આદિ ચિમ્પાનીસ જેવા જણાવ્યા છે. એક ભારતીય સંધોધક વિશ્વજીત પંડ્યાએ   એ પ્રજાની  આદિ કાળની કલા , પેઇન્ટિંગ અને અન્ય વસ્તુઓની  પ્રશંસા કરી છે.  ટૂંકમાં પરદેશીઓએ આંદામાનની એ આદિ પ્રજાની કાળી બાજુ પર પ્રકાશ નાખવા પ્રયત્નો કર્યા છે. 



                                                         એક વસ્તુ સત્ય છે છેકે એ આદિ પ્રજાને અલાયદીરીતે રહેવાનો માનવ હક્ક છે  એમાં જો કોઈ દખલ કરે તો તેમનો  સામનો કરવાનો એમના હક્કને કોઈ  વિરોધ કરી ન શકે.  તેઓ કોઈ પણ શસ્ત્રથી કે  ખૂની હુમલાથી સામનો કરી શકે છે.



                  આપણી પણ આદિ સંસ્કૃતિ અને એની પ્રજાને રક્ષણ આપવાની ફરજ બની રહે છે.

                                      ***************************************** 

                                          

Monday, May 27, 2024

 


ભક્તિનો મહિમા 

                                       ઘણા લોકો પોતાની ઈચ્છા પ્રાપ્તિ માટે ભક્તિ કરે છે. જયારે ઘણા પ્રભુની પ્રાપ્તિ  માટે ભક્તિ કરતા રહે છે.  પ્રભુની પ્રાપ્તિ એટલે મોક્ષની ખેવના સાથે પ્રભુ ભક્તિ કરે છે.  એ બધામાં નિશ્વાર્થ ભક્તિ કરનારા ઉચ્ચ ભક્તો કહેવાય છે. પરંતુ ભક્તિમાર્ગમાં  ત્યાગ અને મોહ માયા વગર ભક્તિ કરે છે એને જ જીવનમાં મુક્તિ મળે છે. નરસિંહમહેતા  અને મીરાંબાઈ જેવા ભક્તો પણ થઇ ગયા છે જેમની પ્રભુ ભક્તિ નિર્મળ અને પવિત્ર હતી. એમાં મોહ સ્વાર્થ  જેવી કોઈ વસ્તુ ન હતી. એમાં એક કવિએ કહ્યું છે 

                   હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ 

                   હરિનો આવે બુલાવો તો એને કોઈ ગમ નહિ 

                   એને ભાઈઓ શું અને ભાંડુઓ શું 

                   અને ભગિની અને ભારથા શું 

                   હરિને  મળવા થકી એને કોઈ રસ નહિ 

                   હરિને  ભજનારાને  માયાનો કોઈ મોહ નહિ 

                   એને ઈર્ષા નહિ અને અભિમાન  નહિ 

                   અહમ તણો કોઈ અંશ નહિ 

                   એને હરિમાં ભળવા સિવાય કોઈ લક્ષ નહિ

                    હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ 

                     હરિનો આવે બુલાવો તો એને કોઈ ગમ નહિ 



                                                       ટૂંકમાં ભક્તિમાં  સાચા ભક્તોએ  મોતના પર વિજય મેળવી લીધો હોય  છે. અને તેઓ મોતથી પણ ભય રહિત હોય છે. તેઓ લોકોથી પણ પર હોય છે. તેઓ પ્રભુમાં લીન થઇ ગયા હોય છે.  આવા ભક્તો પર પ્રભુ આવરી જાય એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. 

                                           *******************************************

                     

                     

                             

Tuesday, May 14, 2024

 


જાપાનીસ શોધો અને વ્યાધિઓ 

                                                                 જાપાન અત્યારે વૃદ્ધોની વસ્તીથી છલકાઈ રહ્યું છે એ જાપાન માટે ચિંતાનો વિષય છે. યુવાનોની વસ્તી ઘટી રહી છે. એથી રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થા પર એની આડી અસર થાય છે. પરંતુ વૃદ્ધોની વસ્તી વધવાનું કારણ એમની શારીરિક આવરદા સારા અને તંદુરસ્થ  જીવન જીવવાની શૈલી છે. તંદુરસ્થ જીવન પણ એમની  વિજ્ઞાનિક અને સંધોધન આધારિત  વિચારધારા પર અવલંબિત છે.

                                                              આવા પ્રાકૃતિક સંધોધનોએ લોકોની તંદુરસ્તી વધારીને લોકોના આયુષ્યને વધારી દીધું છે. એનો મોટો લાભ વૃદ્ધોને જ થયો છે. જાપાનીસો  માને  છેકે   કેન્સર ,હાર્ટને લગતા રોગો અને શ્વાસો શ્વાસના રોગો પ્રદુષણને આભારી છે તેથી દેશમાં પ્રદુષણ ને શુદ્ધ રાખવું જરૂરી છે. એની શરૂઆત સ્વચ્છતાથી કરવી જરૂરી છે.આમ જાપાન સ્વસ્છ દેશ બની રહ્યો છે. અને પ્રદુષણ પણ ઘટાડવામાં સારા એવા પ્રયાસો થયા છે.


                                                           બીજા સામાન્ય રોગો જેવા કે એસિડિટી તંગ જીવનને લીધે થાય છે એમાં ખોરાકનો ભાગ મહત્વનો નથી એવું જાપાનીસ એના પર સંધોધનોને કારણે માને છે .તેજ પ્રમાણે અસ્થમા જેવા રોગો દુઃખી માનસને કારણે થાય છે.  માનવીઓમાં    હાયપરટેન્શન જેવા રોગો લાગણીઓને કાબુમાં ન રાખવાથી ખીલે છે એમાં મીઠું  મહત્વનો ભાગ ભજવતું નથી. વધારે પડતી આરામદાયક જિંદગી જીવવાથી  કોલસ્ટ્રેલ જેવી બીમારીઓ આવે છે. એમાં ચરબી પદાર્થો એટલા જવાબદાર હોતા નથી. 

                           તે ઉપરાંત ડાયાબિટીસ જેવી બીમારીઓ વધારે પડતા જિદ્દી સ્વભાવથી વધે છે  અને એનાથી પેન્ક્રીયાઝમાં  બગાડો થાય છે એમાં એકલી ખાંડને જ  દોષ દેવાથી કોઈ  ફાયદો નથી. વધારે પડતો  દ્વેષ અને લાગણીઓનો  ઉશ્કેરાટ  કિડની પર અસર કરે છે. સ્નાયુઓના રોગો પણ વધારે પડતી ચિંતાને આભારી હોય છે. 

                                                            તે ઉપરાંત જાપાનીસો  મનને કોઈ  ઉંચ્ચ ધૈયમાં પરોવી એમાં કેન્દ્રિત રાખવામાં માને છે.  અને એ દિશામાં પ્રયત્ન શીલ રહે છે. નિયમિત કસરતો પણ કરતા રહે છે. લોકોમાં ભળતા રહેછે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતા રહે છે. તેઓ વધુને વધુને  મિત્રો બનાવતા રહે છે. પોતે હસતા રહેવું બધાને હસતા રાખવામાં માને છે. આમ તેઓ સકારત્મક  શારીરિક અને માનસિક  પ્રવૃત્તિઓ કરે છે. આથી તંદુરસ્તી સારી રહે છે અને આયુષ્ય  પણ વધે છે.

આમ જાપાનીસ 'સંધોધનો  દ્વારા  તંદુરસ્ત  અને  પોઝિટિવ  જીવન  જીવવાથી જ ઘણા રોગોને નિવારી શકાય છે એવું માને છે.'

                                          ***********************************