Saturday, December 13, 2025



 દેશથી વિદેશ અને વિદેશથી દેશ 

                                                             સમૃદ્ધ દેશમાં  વિક્સિત દેશમાં કારકિર્દી માટે પ્રસ્થાન કરવું  એ સામાન્ય વાત છે. પરંતુ એ બાબતમાં ભારત અગ્રગણ્ય બની રહ્યું છે. એમાં બે વર્ગ છે એકતો વિદ્યાર્થી અને બીજો  ભણેલો વર્ગ જે પોતાની કારકિર્દી માટે જાય છે. 

                                                    એમાં અમેરિકા જનારા  ૭૦%ભારતીય  સોફ્ટવેર  એંજિનયોર  એચ -બી૧ વિઝા પણ જાય છે. અને ૩૦% ભારતીય વિદ્યાર્થી અમેરિકા, અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જાય છે.  એક વખત એને ભારતની બહાર  જનાર બુદ્ધિ ધન માનવામાં આવતું હતું  પરંતુ હવે બદલાતા સમય સાથે એને  સિરક્યુલેશન વસ્તી માનવામાં આવે છે. 



                                                એનું કારણ સમૃદ્ધ માનતા દેશો હવે એમના વહેતા ધોધને અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ માને છે કે બહારથી આવતા લોકો એ દેશની નોકરી લઇ લે છે. અને એમના દેશમાં બેકારી વધારી રહયા છે.  અને ઘણા ખરા  વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરી પાછા ફરતા નથી .



                                               આ સાચા કે ખોટા કારણ હોય પરંતુ  અમેરિકાએ  એચ બી ૧ વિઝાની ફી હવે $૧૦૦૦૦૦/- કરી નાખી છે. દાખલા તરીકે બ્રિટનમાં પરદેશી વિદ્યાર્થીઓમાં  ૨૫% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ  હોય છે.  પરંતુ એ લોકોને અભ્યાસ પૂરો થયા બાદ પાછા ફરવા માટે ૧૮ મહિનાનીજ મુદત આપવામાં આવી છે. એટલે કે એમણે જલ્દીથી દેશ છોડો જવું જોઈએ. બ્રિટનને લાગે છે કે પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કાર્ય પછી પાછા ફરવાને બદલે ગમેતે રીતે ત્યાંજ ઠસી પડે છે. કૅનેડાએ પણ પરદેશી વિદ્યાર્થી માટે  સંખ્યા ઓછી કરી નાખી છે. તે ઉપરાંત હવે વિદ્યાર્થીઓની ફીસ પર વધારેની ૬% લેવી નાખવાની તૈયારી કરી લીધી છે. આથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ ગયો છે. આમ છતાં ૧.૫ મિલિયન ભારતીય વિદ્યાર્થીઓ આખા વિશ્વમાં પથરાયેલા છે. પરંતુ હવે સમૃદ્ધ પરદેશોમાં  બહારના વિદ્યાર્થોઓને આવકારતા ખચકાય છે. જેને માટે એમના પોતાના  સામાજિક કે આર્થિક કારણ પણ હોઈ શકે.

                                        આવી વિદ્યાર્થી માટેની વિશ્વિક વિષમ  પરિસ્થિતિમાં ભારતને  પરદેશી ચલણનો  ખર્ચો ઓછો થઇ જશે.  બીજું ભારતીય  વિદ્યાર્થીઓ  જર્મની, ફ્રાન્સ , રશિયા અને ચીન તરફ વળવા માંડ્યા છે. વ્યવસાયીઓ માટે હવે અમેરિકન પ્રતિબંધોને કારણે ભારતમાં તકો વધી રહી છે. અમેરિકન કંપનીઓ હવે એનું કામ ભારતીય કંપનીઓને સોંપવા જવા માંડી છે. બૅંગ્લૉરુમાં દરેક અમેરિકન કંપનીઓએ ગ્લોબલ કેપેબીલીટી સેંટર ખોલી નાખ્યા છે. જેઓ હવે સંધોધનો , ફરમાસિકેલ લેબો , અને આઉટ સોર્સીંગ કરવા માંડ્યું છે. એ ભારતને માટે લાભકારક છે.  ઘણા ભારતીય  એન્જીનયરો હવે  ભારતમાં પાછા ફરી પોતાની કંપનીઓ ખોલી રહયા છે નહીતો બીજી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે. તે ઉપરાંત ભારત સરકારે પણ નવી કંપનીઓને મદદ કરવા માંડી છે. આથી ભારત તરફનો  ભારતીય અમેરિકન નો પ્રસ્થાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.  પરદેશથી દેશનો પ્રવાહ શરુ થયો છે. આમ બ્રેન ડ્રેઇનનો  હવે બ્રેઈન ગેઇનના  રૂપાંતરની  શરૂઆત થઇ ચુકી છે. 



                                                      આમ સ્થળાન્તર ઉપરના સમૃદ્ધ દેશોના પ્રતિબંધો ઘણી વાર વિક્સિત દેશોને લાભ થઈ શકે છે. કારણકે આજે જ્યાં તકો મળે ત્યાં લોકો જાય છે. એથી આ સમય હવે બ્રેન સિરક્યુલેશનનો  સમય છે એમાં શંકા નથી. 

                                       ***********************************  

                                            

Sunday, December 7, 2025



ભારતની  આર્થિક  તાકાત 

                                                      અત્યારે ભારત ૫મી આર્થિક વિશ્વિક તાકાત છે અને ૧૯૨૬ માં એ વિશ્વની ૪થી આર્થિક  તાકાત બનવાની તૈયારીમાં છે. એ જાપાનની આર્થિક તાકાતને પણ પાછી પડી દેશે . એ ભારત માટે ગર્વની વાત છે. તે ઉપરાંત થોડા વખતમાં એ  જર્મનીની આર્થિક તાકાતને પણ પાર કરી જશે. એભારતની આર્થિક પ્રગતિને બતાવે છે. ઇન્ટરનેશનલ મોનટોરી  ફંડ  નું માનવું છે કે ૨૦૩૦ સુધીમાં  ભારતની આર્થિક તાકાત વિશ્વમાં અમેરિકા અને ચીન પછી ત્રીજી આર્થિક તાકાત બની શકે છે.



                                         તે છતાં ભારતને  હજુ પણ બીજા આર્થિક આંકડોને જોતા ઘણું કરવાનું બાકી છે એ બતાવે છે.  ભારતની સમૃદ્ધિ શહેરોમાં ઉંચા ઊંચા ભવ્ય  મકાનો , અને મોટા લાંબા , અને સુંદર રસ્તાઓમાં દેખાય છે. એનું શેર માર્કેટ દિવસે દિવસે વિક્સિત થઇ રહ્યું  છે. આશરે ૪૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ભારતમાં માધ્યમ વર્ગમાં પ્રવેશ કર્યો છે. એ પણ એક ધ્યાન લેનારી ભારતની સિદ્ધિ છે. તે છતાં ભારત હજુ ગરીબ દેશોની ગણતરીમાં  આવે છે . એના કારણો ને ધ્યાનમાં લઇ એ બાબતમાં કામ કરવાની જરૂરત છે.



                                                અત્યારે ભારતની માથા દીઠ આવકમાં ભારતનો  ૧૨૬ મોં ક્રમ છે જેને નીચે  લાવવાની જરૂર છે. પહેલા એ નંબર ૧૫૨ હતો  તેમાં પ્રગતિ થઇ છે, પરંતુ હજુ  વધુ કામ કરવાની જરૂર છે . એટલેકે ભારતની વધતી સમૃદ્ધિ ને યોગ્ય રીતે વહેંચણી કરવાની જરૂર છે. એટલેકે  ગરીબોની આવકને વધારવાની જરૂર છે. તે છતાં ભારતનો ગરીબી રેશિયો  છેલ્લા દસકામાં જેટલો ઘટવો જોઈએ એટલો ઘટ્યો નથી એમ વિશ્વ બેંક પણ માને છે. ભારતનો ભૂખમરાના રેશિયોમાં   ટોટલ ૧૨૩ માં  ૧૦૨ નંબર છે. એ ભારતની ગરીબાઈ વિષે ખ્યાલ આપી જાય છે.




                                     તે ઉપરાંત ભારત  પ્રદુષણની   બાબતમાં ઘણું પાછળ છે.   પ્રેસ સ્વત્રંત્રતાની બાબતમાં પણ વધુ કરવાની જરૂરત છે. આર્થિક તાકાત જ એકલી મહત્વની નથી પરંતુ કરોડો ભારતવાસીઓનું  જીવનધોરણ  ઉપ્પર લાવવું  એ પણ મહત્વનું છે.

                  *************************************************              

Wednesday, December 3, 2025

 


ભારતીયોનું અમેરિકામાં પ્રદાન 

                                                       અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીયોનું બહુજ પ્રદાન છે. ભારતીયો અમેરિકાની અર્થવ્યવસ્થામાં મહત્વનું સ્થાન  ધરાવી રહ્યા છે.  ૪૦ % ભારતીય મૂળના લોકો અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં  માલિકી ધરાવે છે.

                                                               અમેરિકાની સિલીકોન વેલીમાં ૪૦% કામકારનારા લોકો ભારતીય મૂળના છે. એમના  પ્રસ્થાનથી વેલી વેરાન થઇ જાય એમ છે.

                                                                   તે ઉપરાંત નાસામાં કામ કરનારા ૧/૩ લોકો ભારતીય મૂળના છે. એનાથી અમેરિકાનું અવકાશ વિજ્ઞાન વિકસિત થઇ રહ્યું છે.



                                     વિજ્ઞાનિક રિસર્ચમાં  પણ ભારતીયો વગર અમેરિકામાં અવકાશ સર્જાઈ શકે છે.  અમેરિકાની વિશ્વ બેન્કિંગ સિસ્ટમમાં  પણ ૨૦% ભારતીય મૂળના લોકો કામ કરે છે. ભારત અમેરિકામાં ૪૦% જર્ણીક દવાઓ ભારતથી આવે છે. એના વિના અમેરિકાની આરોગ્ય વ્યવસ્થાને પણ નુકશાન થઇ શકે છે. અમેરિકાની હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સો પણ ભારતીય મૂળના સારા એવા લોકો કામ કરી રહ્યા છે. એના વગર હોસ્પિટલની ઈમરજંસી સેવાઓ પર પણ અસર થઇ શકે છે.

                                     ભારતીય મૂળના ટેકનીકલ માણસો વગર અમેરિકાની ઘણી એપ્સ ક્રેશ થઇ જાય, પેમેન્ટ સિસ્ટમ પણ નિસ્ફળ થઇ શકે અને ડેટા સેંટરમાં પણ ગભરાટ ફેલાઈ શકે છે.વેપારમાં પણ એની અસર થઇ શકે છે.



                                       ' અમેરિકામાં ભારતીયો અમેરિકન નાગરિકોના  કામ  લઇ રહ્યા છે એમ કહેવાય છે. ' એમાં આશ્ચર્ય જનક  નથી  કારણકે ભારતીય મૂળના લોકોએ અમેરિકામાં સિસ્ટમ બનાવી છે જે અમેરિકન આર્થિક વ્યવસ્થાને ધીમી કરી શકે છે. એને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. એટલા માટે જ ભારતીય મૂળના લોકોના પ્રદાનનું મહત્વ છે . 

                                          ************************************

                             

                                                                

                                                            

                                         

Saturday, November 15, 2025



 એલ્ઝહેઈમર

                                                                                એલ્ઝહેઈમર એ એવો રોગ છે જેમ માનવી પોતાની ઓળખ જ ભૂલી જાય છે. પોતાના સ્વજનોને ભૂલી જાય છે તો દુનિયામાં પોતાની ઓળખ ભુલાવી દે છે. ઘણે ભાગે એ રોગ વૃદ્ધાવસ્થામાં વધારે દેખાય છે. કેટલાએ દુનિયાની મહાન વ્યક્તિઓ એનો ભોગ બનીછે. એ રોગના ભોગ બનેલા લોકોની સ્થિતિ બહુજ દયાજનક થઇ જાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનોલ્ડ રેગન એ રોગના ભોગ બન્યા હતા. ઘણીવાર સેન મોનિકાના દરીયા કિનારે એમનો  પૌત્ર એમને લાકડી સાથે દોરી જતા નઝરે પડતા . એ દ્રશ્ય એક વખતના દુનિયાના તાકાતવાન માનવ માટે દયાજનક હતી. પરંતુ તો રોગ જેનાથી એ પીડાતા હતા તે ભયંકર રોગ હતો.

                                             એ રોગના ઉકેલ માટે દુનિયાના કેટલાએ વિજ્ઞાનીકો લાગેલા છે પણ સંતોષજનક ઉકેલ હજુ મળી શક્યો નથી. એ એટલો ભયંકર રોગ છેકે સમયની સાથે પરિસ્થિતિ વિપરીત  થતી જાય છે. 

                                              અત્યાર સુધીના વિજ્ઞાનિક  તારણો જણાવે છે કે  એલ્ઝહેઈમરને ખોરાકની આદતો બદલવાથી કે કસરતો દ્વારા અટકાવી શકાય છે. તે ઉપરાંત સામાજિક રીતે લોકસંપર્કમાં રહેવાથી એની અસરને ઓછી કરી શકાય છે.


                                               એલ્ઝહેઈમર  માટે  'સિલ્વર  બુલેટ'  જેવી દવાઓ પણ  આપવામાં  આવે છે પણ એની અસર વષે  હજુ પણ શંકાઓ ઉભી છે. 

                                                 એલ્ઝહેઈમરને શરૂઆતથી શોધવા માટે લોહીનો ટેસ્ટ પ લેવામાં આવે છે પણ એના તારણ હજુ પણ એટલો આધાર રાખી શકતો નથી .એવું નિષ્ણાતોનું માનવું છે.

                                                દુન્યવી કારણો જેવાકે રંગભેદ , તંદુરસ્તી , આજુ બાજુનું વાતાવરણ પણ  એ રોગને વધારવામાં કારણભૂત બનતા હોય છે એવું પણ માનવામાં આવે છે. કેટલાક સંધોધન  કરનારાઓ એ બાબતમાં ઉકેલ શોધવા પ્રયત્નો કરી રહ્યા છે. 



                                                મૂળમાં વિજ્ઞાનીકોનું  માનવું  છેકે  એલ્ઝહેઈમર નું ઉદ્ધભવ 'તાઓ' અને  એમિલોઈડ બીટા જેવા પ્રોટીન મગજમાં  ભેગા થવાથી થાય છે. એ સમયની સાથે નેયુરોન સેલને નુકસાન કરે છે . એમાંથી જ અલઝહેઈમર જેવો રોગ ઉત્પન્ન થાય છે. એના પરસંધોધન દ્વારા દવાઓ બનાવવા પ્રયત્ન કરી રહયા છે.

એ દવાઓમાં 'સાઈડ ફફેક્ટ' નો પણ ભય હોય છે. એમાં મગજમાં લોહી સ્ત્રાવ અથવા લખવા જેવી ફફેક્ટ લાગે એવી ઘટના બનવાનો સંભવ પણ હોય છે.

                                                  આથી અલઝહેઈમરના ઉકેલમાં અનેક અવરોધો છે તે છતાં પહેલા કરતા અત્યારે  વિજ્ઞાનીકોની શોધોને લીધે એ રોગના ઉકેલમાં સારી એવી પ્રગતિ કરી છે.

                                  *******************************************

                                                  

Friday, November 7, 2025

 


આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ (એઆઈ ) -અમેરિકા અને ચીન

                                                                                                                         અમેરિકન ઉપ પ્રમુખ જે ડી વાંસ કહે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ માં  હરીફાઈ એ  હથિયારો બનાવવાની  એક  દોડ છે. ' અમેરિકા જો એના પાર કાબુ રાખવાની જંજાળમાં પડશે તો એમજ ગૂંગળાઈ રહેશે. આજ બતાવે છે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ ની કેટલી મહત્વતા છે. અમેરિકન  કંપનીઓ પણ એના પર અંકુશો ઓછા રાખવાની હિમાયત  કરે છે. ટૂંકમાં તો આ વિષય પર આગળ વધવા માટેની અમેરિકા અને ચીન વચ્ચેની   હરીફાઈ છે. 



                                                                                           એમાં અમેરિકાનો અને ચીનના માર્ગો જુદા છે. અમરિકાનું ભાષાકીય  એઆઈ મોડેલ સામે ચીને દિપસિંક મોડેલ બહાર પાડ્યું છે. એ ઓછા ફંડથી બનાવી લોકો માટે બહાર પાડ્યું છે. ચીન એનો ઉપયોગ દરરોજની મુશ્કેલીઓ સામે એનો ઉપયોગ કરવા માગે છે. એનો ઉપયોગ ચીન એની ફેક્ટરીઓના ઉત્પાદન વધારવા કરી રહ્યું છે.  જયારે એના મોડેલનો ઉપયોગ  મોટા  આંકડાકીય સેન્ટરો ઉભા કરવા માટે કરી રહ્યું છે. ચીન એના મોડેલનો  ઉપયોગ લોકોઉપયોગી  કરવા માટે આગળ વધી રહ્યું  છે.  અમેરિકા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટનો ઉપયોગ  માનવ શક્તિ ને ઓળંગી સર્વોચ્ચ ઇન્ટેલીજન્ટ વ્યવસ્થા બનાવવાનો  છે. 

                                                                                              ચીન 'એઆઈ માં આંધળી દોડમાં  નથી . એ  એનો ઉપયોગ વિવિધ  માનવી ક્રિયાઓમાં  એનો  ઉપયોગ કરી માનવી સુવિધાઓ વધારવામાં કરવાનો છે. તે ઉપરાંત એઆઈ  ને સસ્તું અને વધુ ગતિવાન બનાવવા ચીન પ્રયત્ન કરી રહ્યું છે. એટલે કે કોમ્પ્યુટી શક્તિ વધારવા કરતા એને લોકો માટે કરવા આગળ વધી રહ્યું છે. એઆઈ નો ઉપયોગ  રોબટૉને વધારેને  વધારે માનવી બુદ્ધિ આપી તેનો ઉપયોગ કરવા  માંગે છે. એને માનવીય  મગજની શક્તિ આપવા માંગે છે જેથી એ સામાન્ય માનવીય પ્રવૃત્તિઓ વધારે સારી રીતે કરી શકે.



                                                                                         આમ જુદા રસ્તાઓ અમેરિકાની આર્થિક વ્યવસ્થાને વધારે મદદ રૂપ બની રહે છે. પણ ચીનનો રસ્તો માનવી પ્રવૃત્તિઓને વધારે પ્રોત્સાહિત કરી શકે છે અને માનવીને વધુ શક્તિવાન બનાવી શકે છે,

                                                                                     તંદુરસ્ત હરીફાઈ હંમેશા માનવ સમાજ માટે હિતકારક હોય છે.

                                             **********************************

  

Saturday, November 1, 2025

 


મદિરાનો પ્રભાવ 

                                                                   મદિરાનું  સેવન એ આદિકાળથી ચાલી આવે છે. ભારતીય સંસ્કૃતિમાં એને સોમરસ તરીકે  ઓળખ આપવામાં આવી છે. એનો ઉપયોગ માનવીના દિલને વાસ્તવિકતાથી દૂર  કરી દહેલવા માટે કરવામાં આવે છે. દુનિયામાં વસ્તુઓ ખરાબ નથી હોતી પણ એનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ જ જવાબદાર હોય છે. એનો ઉપયોગ માનવીના મગજના તંતુઓને જરાક હળવા કરવામાં આવે ત્યાં સુધી મદિરા  હાનિકારક બનતું નથી. પણજ્યારે એનો ઉપયોગ અતિશય કરી જીવનના કઠિન પ્રશ્નોને ભૂલવા માટે  કરવામાં આવે ત્યારે એ માનસિક અને શારીરિક રીતે નુકશાનકારક બની રહે છે. ત્યારે આધુનિક  જમાનામાં દારૂ બની જાય છે. અને ઘણીવાર માનવી જીવનને નાશ કરી નાખે છે. 

                             આથી દારૂને કાબુમાં રાખવા માટે અમેરિકી , રશિયન, ભારત જેવી સરકારોએ  કાયદા કર્યા પણ એમાં સફળતા મેળવામાં મુશ્કેલ બન્યું છે. કારણકે  દારૂ પર કાબુ વ્યક્તિ પોતે જ રાખી શકે છે . એમાં કાયદાઓ બહુ ઉપયોગી નીવડતા નથી . પરંતુ એક વસ્તુ તો સત્ય છે કે  દારૂના અતિ સેવનથી એની શરીર પર ઘણી અવળી અસર થાય છે. તે છતાં ધનિક અને શક્તિશાળી વ્યક્તિઓને દારૂના અતિસેવન કરતા અટકાવવા મુશ્કેલ છે. એટલેકે મનુષ્ય જ પોતાનો દુશ્મન બની રહે છે.



                               દારૂનું અતિસેવન માનવીના શરીરના ઘણા  અંગો પર અસર કરે છે .એમાં વધારેમાં વધારે નુકસાન માનવીના લીવરને થાય છે. ત્યારબાદ એ હાર્ટ ,આંતરડા, પેંક્રિયાસ અને મગજને દારૂની ભયંકર અસર થાય છે.આ બધી બીમારીઓનો આધાર 'દારૂ કેટલો પીવામાં આવે છે. અને કેટલા વખત એ લોહીમાં રહે છે.' એમ નિષ્ણાતો કહે છે. એમ  માનવામાં આવે છે કે  પુરુષો જો દિવસમાં   ચારથી  વધારે ડ્રિન્કનો  સેવન કરે અને સ્ત્રીઓ દિવસમાં  ત્રણ કરતા વધારે ડ્રિન્કનો ઉપયોગ કરે તો એમની તંદુરતીની  અસર કરે છે. એમને લાંબેગાળે હાઈ બ્લડ  પ્રેસર , હાર્ટ પ્રોબ્લેમ , અને લીવરની બીમારી લાગુ પડે છે. એ કૅન્સરને પણ નોતરી શકે છે. તે ઉપરાંત માનવીની ઇમ્યુન સિસ્ટમ નબળી પડી અને મગજને પણ એની અસર થાત છે.



                             દારૂનું સેવન બંધ કરવાથી લીવરની બીમારી ધીમે ધીમે ઓછી થવા માંડે છે એમ નિષ્ણાતોનું માનવું છે. દારૂનું સેવન ઊંઘની બીમારી , સ્વભાવ બદલવાની બીમારી અને ડિપ્રેશન જેવી બીમારીનું ઉદ્ભવ સ્થાન છે એવું સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાતોનું માનવું છે. સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાત ટેટનું  માનવું છે કે 'દારૂનું સેવનની  લત અને સામાન્ય સેવનની ટેવ વચ્ચે બહુ પાતળી  દોરી હોય છે જે સેવન કરનારની નજરથી ક્યારે ઓળંગી જવાય છે. તે ખબર પડતી નથી. 

                         થોડા સમયમાટે દારૂનું સેવન બંધ કરવાનો પ્રયોગે પણ સાબિત કર્યું છે કે' એ માનવીને શારીરિક , અને મગજને  પણ ફાયદાકારક  હોય છે.' આ એક સંપૂર્ણ સત્ય છે.

                                  ***********************************

                                 

Friday, October 24, 2025

 


એલોન મસ્ક દુનિયાના  ધનિક અને  શક્તિશાળી વ્યક્તિ

                                                                                                             અલોન મસ્ક એક બુદ્ધિવાન વ્યક્તિ છે. એમણે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખની  ચૂંટણી જીતવામાં મદદ કરીને એની કાબેલિયત બતાવી દીધી હતી. એમના અને ટ્રમ્પ વચ્ચે ઘાઢ સબંધ છે. પરંતુ બે શક્તિશાળી વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થવાનો સંભવ છે. એથી જયારે ટ્રમ્પએ ગુસ્સામાં મસ્કના ઉદ્યોગીક સામ્રાજ્યને મળતી સરકારી મદદ બંધ કરવાની વાતો  કરી ત્યારે મસ્કે  સરકારી પ્રોજેક્ટ ડ્રેગન અવકાશની તરત જાહેરાત કરી દીધી . આ પ્રસંગે અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ શુભેચ્છકોએ વચમાં પડી એ વાતને ઠંડી પાડી દીધી હતી.  આજ બતાવે છે કે અમરિકાનો અવકાશ પ્રોજેક્ટ મસ્કના મિજાજ  પર અવલંબિત છે.



                                                                મસ્કની સ્પેસ - એક્ષ  કંપનીનું ફાલ્કન -9 સ્પેસ રોકેટ  સ્પેસ મુસાફરી માટે  ઘણું જ મહત્વનું બની ચૂક્યું છે. એણે ૪૮૫ મિશન સફળતા પૂર્વક પાર પાડ્યા છે. મસ્કનું  રોકેટ આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને પણ સફળતા પૂર્વક સેવા આપી રહ્યું છે.

                                                                   અમેરિકન સ્પેસ ફોર્સ એ  પણ સ્પેસ -એક્ષને   ૫.૯  મિલિયન ડોલરનો કરાર  પેન્ટાગનના મિલિટરી સેટેલાઇટ  અવકાશમાં મુકવા માટે આપ્યો છે. તે ઉપરાંત અમેરિકન મિલિટરી  સ્પેસ એક્ષની સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ  સર્વિસનો ઉપયોગ કરી રહી છે. તે ઉપરાંત ૨૨ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ અમેરિકન સરકારે મુસ્કની કંપનીઓને આપ્યો છે.

                                                                      આજ બતાવે છે કે  અમેરિકન સરકાર અને મસ્કની એક બીજા પર અવલંબિત છે. મસ્કના મિત્ર જારેડ ઇસાકમેનની નિમણુંક નાસાના મુખિયા  તરીકે ટ્રમ્પએ નિમણુંક કરી છે એજ બતાવે છેકે મસ્કની સરકારમાં કેટલું  ચલણ છે.  આમ દુનિયાના ધનિક વ્યક્તિ મસ્ક  સરકારી સત્તા પર કેટલો આધિપત્ય ધરાવે છે. તે ઉપરાંત સ્પેસ પ્રોજેક્ટમાં મહત્વ ધરાવતા અમેરિકાના કૅલિફૉર્નિયા ,ટેક્સાસ , અને ફ્લોરિડા જેવા રાજ્યો પણ એલોન મુસ્કના મજબૂત ટેકેદારો છે.



                                                                       એલોન મસ્ક દુનિયાના  અત્યન્ત વિદ્વાન , ધનિક અને બહુ જ શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે.

                                          *************************************