Wednesday, August 8, 2012




રાજનીતિ અને ભ્રષ્ટ આચાર
==================
રાજનીતીમા અધર્મ સામે મહાભારત થયુ હ્તુ અને ચંદ્રગુપ્ત મૌર્યે અને ચાણક્યે રાજા ધનનંદ સામે યુધ્ધ ખેલ્યુ હતુ. ઇતીહાસ ઍનો સાક્ષી છે. જ્યારે ઍક દેશ બીજા દેશને સાથે ભ્રષ્ટ આચરણ કરે તો ઍ પોતાના દેશને ધનવાન બનાવવા માટેનુ આચરણ છે જે અનૈતિક છે. બ્રિટિશ શાસકોઍ ભારત સાથે ઍવુ જ કર્યુ હતુ. આપણે ઍને આપણને ચુસવાની ક્રીયા ઓળખાવી હતી. બ્રિટિશ પ્રજા ઍ ક્રીયાને દેશભક્તિમાની બિરદાવી હશે. ઍક બાજુ નૈતિકતા અને બીજી બાજુ પૂરેપૂરી અપ્રામાણિકતા હતી. પરંતુ સ્વતંત્રતા પછી જે ભારતમા ભ્રષ્ટાચાર થયો છે જેમા ૨૫ ઉપરાંત મોટા કૌંભાંડ ઑ થયા છે જેમા હજારો કરોડ રૂપિયાની હેરાફેરી થઈ ચૂકી છે. ભારતનુ ધન ઍમા પરદેશમા પણ ખેચાઈ ગયુ છે. આપણા જ લોકો હવે આપણને લૂટી રહ્યા. ઍમા કોઇ નૈતિકતાનુ તત્વ નથી.
                          અન્ના હજારે જેવા ઍકલ દોકલ નેતા ઍનિ સામે પડ્યા તો ઍમને પણ રાજનીતીના ચક્રવ્યુહમા થાક લાગ્યો છે. ઍમને પણ જેની સામે  વિરોધ હતો ઍ રાજનિતિને શરણે જવુ પડ્યુ છે. ઍમના જેવા પ્રામાણિક સજ્જન માટે રાજકારણ ભલે નર્ક સમાન હોય તો પણ દેશને ખાતર કોઇ પણ  બલિદાન ઑછુ નથી. ઍમા ઍમને સફળતા મળવી થોડી મુશ્કેલ છૅ પણ ઍમનો પ્રયત્ન પ્રસંશનીય છે. આથી આપણો પુરો ટેકો જરૂરી છે.  પ્રજાનો પુરો સહકાર મળી રહેશે ઍમા શંકા નથી.

                      સ્વતંત્રતા મેળવવામાટે  કેટલા બલિદાનો અપાયા છે, ઍ નો ખ્યાલ આજે નથી. આજેતો આપણા જ લોકો આપણને લૂટી સ્વતંત્રતાને ખતરામા મૂકી રહ્યા છે. આજે આપણે કોને ફરિયાદ કરિઍ! આપણી ઍ કમનસીબી છે. આપણે તો ઍટલૂ જ યાદ કરાવિયે કે-
કેવી રીતે મળી------
કેવી રીતે મળી સ્વતંત્રતા, ઍનો ખ્યાલ ન આવે
કેટલી માતાઓના ખોળા સૂના, દુખનો ઍ અણસાર ન આવે.
અમને મળી આબાદી,  કરવાની પુરી  મનમાની
ઉંચા મસ્તકે ઘુમવાની ખુમારી ક્યાથી આવી?
કેવી રીતે મળી----
પરતંત્ર હતા તો સહી લેતા હતા અન્યાયૂ અને અનાચાર,
હવે કોણ અટકાવે છે,ઍ દૂષણોનો સામનો કરવાને?
કેમ તૈયાર નથી થતા, સ્વતંત્રતાની કિંમત ચૂકવવાને
કારણકે ખબર નથી કેવી રીતે મળી સ્વતંત્રતા!
કેવી રીતે મળી----
ભારત દેસાઇ


                                        *****************************

Saturday, July 14, 2012


માતા અને પિતા- ૨૨મી જુલાઈ 'પેરન્ટ દિવસ' નીમીત્તે
====================================
માતા અને પિતા ઍ કુટુંબની મુખ્યકડીઓ  છે. ઍના પર આખો સમાજ નિર્ભર હોય  છે. આજે જે સમાજમા જે કરુપતા જોવામા આવે છે ઍની પાછળ માતા પિતાનો અનાદાર જ જવાબદાર છે. આર્થિક સમૃધ્ધિ ઘણીવાર કુટુંબનો  નાશ કરેછે, કારણકે ઍનાથિ અભિમાન, અને સ્વાર્થ વધે છે. સમૃધ્ધ દેશોમા ઍને કારણે  કુટુંબ પ્રથાનો નાશ થયો છે. વૃધ્ધોની દશા કફોડી થઈ છે. ઍમણે વડીલ દિવસ મનાવવાનુ શરૂ કર્યુ છે.
                                            પસ્ચિમના દેશો હવે ઍશયાની કુટુંબ વ્યવસ્થાની પ્રશંસા કરવા લાગ્યા છે.  પુત્રો પુત્રીને ઉછેરવા માટે પૈસા આપવા પડતા હોય, વિકલાન્ગોને સરકારે પોસવા પડતા હોય, યુવાનો ભણવાને વખતે આડે રસ્તે ચડી જતા હોય, ત્યારે સરકારોના ખર્ચા વધી જતા હોય છે. ઍ ચિંતાનો વિષય છે. ત્યારે ઍનો વિકલ્પ કુટુંબ પ્રથા જ્ છે. આથી ઍમણે કુટુંબ પ્રથાને પ્રોત્સાહન આપવા માંડ્યુ છૅ.
                                               અમેરિકાના ભૂતપુર્વ પ્રમુખ જોર્જ બુશ  કુટુંબ પ્રથાના સમર્થક હતા. તૅઓ કુટુંબ દ્વારા જ શિક્ષણને સુધારી શકાય ઍમ માનતા હતા. અત્યારે પરિસ્થિતિ મા બાપ માટે વિકટ બની રહી છે. આધુનિક જમાનામા યુવાનોને સમરુધ્ધિ મેળવવાના લોભમા પોતાના માબાપ માટે સમય નથી. ઍ પણ સમાજની કમનસીબી છે.                            
                                                માબાપના પ્રેમ સમજવા મા અથવા બાપ થવુ પડે છે. સંતાનો ઍમના કામમા ઍટલા વ્યસ્ત હોય છે કે ઍમને ખબર નથી હોતી કે ઍમના માબાપ વૃધ્ધ થયા છે. ઘણીવાર માબાપો પણ ભૂલી જાય છે કે સંતાનો મોટા થઈ ગયા છે. ઍક સત્ય છે કે પૂર્વના દેશોમા ઘણાખરા માબાપ  આર્થિક રીતે  નીર્બળ હોય છે જ્યારે પશ્ચિમના દેશોમા  માબાપ માનસિક રીતે સહન કરતા હોય છે.
                                                          **********************************

Sunday, July 8, 2012




ભારતે ગૌરવ લેવાજેવી ઍક ઇતિહાસીક બાબત        
==============================
થોમસ આલ્વા ઍડિસન ૧૯મી સદીના મહાન વિજ્ઞાનિક હ્તા. ઍમણે સિનેમાના કેમેરા, ઈલેક્ટ્રીક લાઇટ અને ગ્રામોફોનની શોધ કરી હતી. ઍમને કોઈક વીદ્વાન વ્યક્તિનો અવાજ સૌથી પહેલા રેકૉર્ડ કરવો હતો. આથી ઍમણે જર્મન વીદ્વાન પ્રોફેસર મૅક્સ મુલ્લરને વિનંતી કરી. મૅક્સ મુલ્લરે ઍમને યુરોપના વીદ્વાનોના સંમેલનમા આમંત્રણ આપ્યુ.
                                                           ઍ સંમેલનમા ઍમણે જે  પ્રવચન આપ્યુ તે ઍડીસનનુ વિશ્વમા પ્રથમ રેકૉર્ડ કરેલુ પ્રવચન હ્તુ. ઍમનુ રેકૉર્ડ થયેલુ પ્રવચન બીજી સેશનમા સાંભળાવવામા આવ્યુ. ઘણા લોકોને ઍ સમજવામા મુશ્કેલી પડી કારણકે ઍ સંસ્કૃતમા હતુ.  આથી મૅક્સ મુલ્લરને સભાસદોને સમજાવવુ પડ્યુકે તૅઓ વિશ્વના જુનામા જૂના ગ્રંથ રિગ વેદમા થી , 'અગ્નિ મીલે પુરોહિતમ' પર બોલ્યા હતા.  જેમા અગ્નિને ઉદ્દેશી કહેવાયુ છે કે "હે અગ્નિ તૂ અંધકારમા પણ પ્રજ્જવલે છે. અમે તારી પૂંજા કરી અંજલી અર્પણ કરીઍ છે. તૂ  અમારા કલ્યાણ માટે હમેશા પિતા જેમ પુત્ર માટે તત્પર હોય ઍમ તત્પર રહેજે."
                                                            'જ્યારે આખુ વિશ્વ ગુફા યુગમા હતુ. શરીરને ઢાંકવાનો જ્યારે ગમ ન હતો. ત્યારે ભારતમા આવી મહાન સંસ્કૃતી પ્રવર્તતી હતી. ત્યારે આ અધભૂત ગ્રંથ' વેદ' લખવામા આવ્યો હતો,' ઍમ તેમણે ઉમેર્યુ હતુ.
ભારત માટે ખરેખર ગૌરવની બાબત છે.

હે અગ્નિ ---
-----------
હે અગ્નિ તૂ અંધકારમા  પ્રકાશ છે
તો પ્રકાશની અજબ શક્તિમા
તૂ જન્મ ઉત્તસવના દીપકોમા છે
તો અંતિમ મૃત્યુંની ચિતામા
તૂ સૂર્યની પ્રચંડ જ્વાલાઓમા છે
તો  જબુકતા તારાઓના પ્રકાશમા
 તૂ ક્યા નથી? ઍ શોધવુ મુશ્કેલ!
કારણ તૂ પ્રાણી માત્રના ઉદરમા
હે અગ્નિ  સ્વીકારો પ્રણામ અમારા
 કારણ તૂ વિશ્વના પાયામા.
હે અગ્નિ---
ભારત દેસાઈ
**********

                             ===================================

Friday, June 29, 2012



વિશ્વની આર્થિક પરિસ્થિતિ- ૨૦૧૨
======================
આજે આખા વિશ્વમા આર્થિક પરિસ્થિતિ ઘણી વિષમ છે.  અમેરિકા અત્યારે આર્થિક સંકટમા સપડાયેલૂ છે.
રોજગારી, રીયલ ઍસ્ટેટ,  અને આર્થિક સંસ્થાઓ વિકટ  પરિસ્થિતિમા છે. અમેરિકાનો જી ડી પી  વૃધ્ધિ ૨૦૧૦મા ૨%  જેટલી હતી.
અમેરિકન કંપનીઓે ઍ સસ્તા ભાવે ઍશિયાયિ દેશોમા કામ કરાવવાના લોભમા અમેરીકામા ઍમનો ઉધ્યોગીક પાયો ગુમાવી ચૂકી છે. ઍનિ અસર અમેરિકાની રોજગારી પર ઘણી અવળી થઈ છે.
                                         યુરોપની કમાણી કરતા ખર્ચા વધુ કરવાની વૃત્તિેઍ સ્પેન, ઈટાલી, અને ગ્રીસ જેવા દેશોમા દેવાડિયા જેવી સ્થિતી ઉભી કરી છે. યુરોપની પરિસ્થિતિેઍ પણ અમેરિકાની પરિસ્થિતિને વધારે ખરાબ બનાવી છે.
                                          ચીનનો  જી ડી પી વધારો પણ ૨૦૧૧ મા ઘટીને ૮% પર આવી ગયો છે. ચીનમા પણ હવે ઉગ્ર પરિસ્થિતિ ઉભી થઈ છે જેથી બીજી ક્રાંતિ લાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. આથી આ વર્ષના અંત સુધીમા ઍના ઉંચ રાજકીય સત્તા ધરાવતા પોલિટ બ્યુરોમા ધરખમ ફેરફારો આવી રહ્યા છે. બ્રા જીલ, અને ભારતના વૃધ્ધિ દર પણ ઑછા થઈ ગયા છે.
                                            અમેરિકાની આર્થિક પરિસ્થિતિનો આધાર બીજા દેશોની ઍના માલના માંગ પર આધારિત છે, જે અત્યારે મંદ છે.  આથી આખુ જગત મંદીમા સપડાયેલૂ છે. તે ઉપરાંત આખુ વિશ્વ ઉંચ મોંઘવારી દરથી પીડાય રહી છે.
                                            ટુંકમા વિશ્વ ઍક ગ્રામ સ્વરુપ બનિ રહ્યુ છે, અને કોઇ પણ દેશ ઍક્બિજાની અસરથી પર નથી.
આપણે જોઈેતો આખા વિશ્વની આર્થિક પરિસ્થિતીનુ અવલોકન નીચે પ્રમાણે છે. નીચે પ્રમાણે દેશોનો હિસ્સો વિશ્વ વેપારમા છે
૧)અમેરિકા- ૨૨%
૨)યુરોપ યૂનિયન-૧૮%
૩)બ્રાજીલ/ રશિયા/ ભારત/ ચીન-૨૦%
૪) બાકીના દેશો-૪૦%
                                        મૂક્ત્ત વેપારના જમાનામા હવે  હરીફાઈને સ્થાન છે, પરંતુ  શોષણને સ્થાન નથી. આથી ગરીબીને વિશ્વમાથી નાબૂદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
                                                      *****************************************

Sunday, June 24, 2012


ભારતનોરાષ્ટ્રીય ધ્વજ
================
અમેરીકામા ૧૪જૂને ફ્લેગ દિવસ તરીકે ઉજવવામા આવે છે. આથી ભારતના રાષ્ટ્રીય ધ્વજ વિષે પણ લખવાની પ્રેરણા જાગી.
સ્વતંત્રતાની લડાઈ દરમ્યાન કોંગ્રેસે તીરંગો અને વચમા રેટીયાવાળો ધ્વજ અપનાવેલો હતો, પરંતુ ૨૨મી જુલાઇ ૧૯૪૭ મા
તીરંગો અને વચમા આશૉક ચક્ર વાળો ધ્વજ ભારતીય રાસ્ટ્રિય ધ્વજ તરીકે અપનાવ્યો.
                                                 ઉપરનો ભગવો બહાદુરી અને બલિદાનનુ પ્રતીક છે તો વચમાનો સફેદ રંગ સત્ય અને પવિત્રતાનો પ્રતીક છે. જ્યારે નીચેનો લીલો રંગ શાન્તિ અને જહેજલાલીનો સંદેશો આપે છે. વચમાનુ આશૉક ચક્ર ધર્મના સાશનનુ  પ્રતીક છે.
                                                 રાષ્ટીય તહેવારો પ્રસંગે આપણે ઍને સલામી આપિયે અને રાસ્ટ્રિય શોકને પ્રસંગે ઍને અડધી કાઠીઍ ચડાવિયે પણ ખરા! તે છતા ઘણી વાર થાય છે કે આપણે ઍના ઉદ્દેશોને રાષ્ટ્રીય  જીવનમા ઉતાર્યા છે ખરા! આવો ઍક  વિચાર આવે છે?
                                          ********************************

Thursday, June 14, 2012


પિતાને ઍક અંજલી ('ફાધર્સ દિવસ'-૧૭ જૂન ૨૦૧૨ નીમીત્તે)
=====================================================================
(ઉપર ચિત્રમા રામના વનવાસ વખતે દશરથનો વિષાદ અને બીજા ચિત્રમા મહાત્મા ગાંધી ઍમનાંપુત્ર હીરાલાલ સાથે)
----------------
-પિતા ઍ  કુટુંબનુ છત્ર છે, ઍના જવાથી કુટુમ્બ અસલામતી અનુભવે છે.
-પિતા ઍક અચકાઓને સહન કરતુ યંત્ર છે જેઍના કટૂંબીઓને આફતો  અને દુખોથી દૂર રાખે છે.
-માતા ખુલ્લા મને રડી નાખે છે, જ્યારે પિતાને તો ઓસીકામા મોઢુ છુપાવી રડવુ પડે છે, કારણકે ઍનિ ઉંઘાડી નિરબળતા કુટુંબમા અરાજકતા લાવી શકે છે.
- માતાનો પ્રેમ કોમળ અને અચળ હોયછે, તો પિતાઍ પોતાનો પ્રેમ બાજુઍ મૂકી તો કટૂંબના હિતમા ખડકની જેમ મજબૂતજ રહેવુ પડે છે.
-માતા માટે પુત્રોઅને પુત્રીઓને અખુટ પ્રેમ હોય છે. પિતાને તૅઓ ઘણીવાર વિલન સ્વરૂપે નિહાળે છે કારણકે પિતાને જ તેમના હિતમા અથવા તો કુટુંબના હિતમા કડવા નિર્ણયો લેવા પડે છે
-માતાનો પ્રેમ વહેતી નદી જેવો છે તો પિતાનો પ્રેમ દરિયા જેવો ગહેરો છે.
-પિતા ઍના સંતાનોમા ઍનૂ પ્રતિબિંબ જુઍ છે.
પિતા સંતાનોને લીધે ગર્વ પણ અનુભવે છૅ, તો કદીક પિતા માટે સંતાનો દુખના ભારરૂપ બની રહે છે.
દશરથને માટે રામ ગર્વ રૂપ હતા પરંતુ કૃષ્ન્ન માટે ઍનો પુત્ર પીડારૂપ હતો. શાહજી માટે શિવાજી મહાન પુત્ર હતા પરંતુ મહાત્મા ગાંધીને ઍમાના પુત્ર હીરાલાલ ખુબજ દુખ રૂપ હતા. ઘણી વાર દૂષ્ટ સંતાનોને લીધે પિતાનુ જીવન દુખી થઈ જાય તો ઘણીવાર સંતાનોને લીધે પિતાનો ઉધ્ધાર થઈ જાય છે. ઍવો ભાગ્યે પિતા હશે જેને ઍના સંતાનો પ્રત્યે પ્રેમ નહી હોય? પિતાનો પ્રેમ દૂર વર્ષતા વરસાદ જેવો છે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી પણ ઠંડક તો જરૂર અનુભવી શકાય છે. આથી પિતાના અસ્તિત્વની જરૂરીયાત હોય છે.
                    પિતા---
તમે નથી તો  મુસીબતોમા શુ કરુ ઍવો પ્રશ્ન થાય છે?
તમારી જીવનની ડાયરી ખોલુ તો ઍનો જવાબ મળી જાય છે
આજે જીવનમા  સંઘર્ષો ખેલુ, ત્યારે તમારી કઠીન પળોની યાદો આવે છે
અનેતમે બતાવેલા માર્ગોથી જ  મારા કોયડા ઑ ઉકલી જાય છે.
ભારત દેસાઈ

                                       ---------------------------------

Friday, June 1, 2012


ભારતનુ સરવૈયુ-જુન ૨૦૧૨
===================


 આશાજનક
  =======

૧)વસ્તી- ૧.૨ બિલિયન, જેમાંની બહુમતી યુવાનો
૨)ખરીદ શક્તિને  આધારે દુનિયાની ત્રીજો દેશ
૩)ખેતીની બાબતમા સ્વાલમ્બિ
૪)બૌધિકતામા પણ સ્વાલમ્બિ
૫)અણુ અને મિસાઇલ્સ શસ્ત્રોથી સજ્જ
૬)જીડીપી ૭૧/૨%
૭) આંતરાસ્ટ્રીય નાણાનુ ભંડોળ ૨૯૦ અબજ ડૉલર.
૮) ૧૩% લોકો ઍશ આરામથી જીવી રહ્યા છે.
૯) સોનાનો ભંડાર ૨૬.૨૧ અબજ ડૉલર
.----------------------------------------

નિરાશાજનક
=========
૧) મોંઘવારી ૭% થી ૧૦%
૨)૩૧% જનતા હજુ ગરીબીમા સબળે છે.
૩)૫૬% જનતા જીવન ટકાવવા સંઘર્ષ કરી રહી છે.
૪) મોબાઇલ ફોન ઘણા છે, પણ ઘણી જગાઍ  ટોયલેટ નથી.
૫) ઘણી મોટી મોટરકારો બને છે, પણ મોટા રસ્તાઓ નથી.
૬) સ્વતંત્રતામા સ્વચ્છંદતા છે પણ સૂરાજ્ય નથી,
--------------------------------------------------