Thursday, January 11, 2018


ભારતની સ્વતંત્રતા
                                                                          ભારત ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭મા સ્વતંત્ર થયુ તે પણ અહિંસા દ્વારા. . ઍમાથી ઘણા  ખરા રાષ્ટ્રોઍ પ્રેરણા લીધી અને ભારત બાદ દુનિયાના આફ્રિકા  તથા ઍશિયાના ગુલામ દેશો પણ સ્વતંત્ર થયા. ગાંધીજી કહ્યુ હતુ કે ' અમારે સ્વતંત્રતા સાથે સૂરાજ્યની જરૂર છે'. ભલે ભારત  સ્વતંત્ર  થયુ છે અને બંધારણ ઘડી ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦મા પ્રજાસત્તાક પણ થયુ પરંતુ ગાંધીજીના સ્વપ્નનુ સુરાજ્ય ભારતમા લાવી શક્યા નથી. આજે ૭૦ વર્ષ બાદ પણ સૂરાજ્યના ચિંહો દેખાતા નથી.

                                                                         રાષ્ટપિતા મહાત્મા ગાંધીનુ સૂરાજ્ય પર લખેલુ પુસ્તક વાંચી જવા જેવુ છે. ભારતમા  ભ્રષ્ટાચાર ચરમ સીમા પર ફૂલોફાલયો છે.  મૂલ્યોનો  છ્ડેચોક લીરા ઉડાડવામા આવી રહયા છે.   અનીતીઍ સીમા વટાવી દીધી છે.  હક્કો માટે લડતો ચલાવવામા આવે છે, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનો ઉપહાસ કરવામા આવે છે. ગમે ત્યા કચરો ફેકવામા આવે છે અને રસ્તાઓ, મોહોલ્લાઓ, કચરાથી ઉભરાય છે. ભીતો પાનની  પિચકારીથી રંગીન બનાવવામા  ગર્વ અનુભવાય છે.  પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ અબુલ કલામે લખ્યુ છે કે' ભારતીયો પરદેશમા બધાજ નીયમો પાડે છે પરંતુ જેવા ભારતના ઍરપોર્ટ પર  ઉત્તરે ઍટલે પિચકારીઓ મારવાની શરૂ કરે છે'  ઍમની સારા નાગરિકતાની  ભાવનાછોડી દે છે.

                                                                          ટુંકમા હાજરો વર્ષનુ ગુલામી માનસમાથી ભારતીયો હજુ મુક્ત થયા નથી. ઍમને સીધા ચાલવા માટે હજુ દંડાની જરૂરીયાત છે.  દેશભક્તિ, અને નગર પ્રત્યેની ફરજો પ્રત્યે તૅઓ બેદરકાર છે. ઍમને સસ્તામા સ્વતંત્રતા મળી છે અને  સ્વાતંત્ર  સૈનેકોઍ આપેલા બલિદાનથી તેઓ માહિતગાર નથી. કેટલાઓ કુટુમ્બો,  યુવાનો, અને યુવતીઓેઍ બલિદાન આપી સ્વતંત્રતા મેળવી છે ઍનો આધુનિક  ભારતીયોને ખ્યાલ નથી. આથી તેમને જણાવવુ જરૂરી છે.-

કેવી રીતે મળી સ્વતંત્રતા ----
કેવી રીતે મળી સ્વત્તંત્રતા ઍનો ખ્યાલ ક્યાથી આવે
કેટલી માતાઓના ખોળા સૂના ઍનો  ખ્યાલ ન આવે
આજે જે મળી સમરુધ્ધિ, અને ઉંચે મસ્તકે ફરવાની ખુમારી
કેવી રીતે મળી ઍનો ખ્યાલ  ન આવે
કેવી રીતે મળી સ્વતંત્રતા----
પરતંત્રતામા ત્યારે નીચા મોંઢે અત્યાચારો સહન કરતા હતા
પરદેશોમા પણ ત્યારે પહેચાન  હતી નહી જ્યારે
તેમાથી બહાર આવ્યા શી રીતે ઍનો ખ્યાલ ક્યાથી આવે
કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો ખ્યાલ ક્યાથી આવે.
કેવી રીતે  મળી સ્વતંત્રતા ----
                                                                                  આજની ભારતની  પરિસ્થિતિ જોતા લાગે છેકે જેટલા બલિદાન સ્વતંત્રતા માટે આપવા પડ્યા ઍનાથી વધારે બલિદાનો સ્વતંત્રતાને પચાવવા માટે આપવા પડશે.
                                                              **************************************

Friday, January 5, 2018


બુધ્ધિમા પણ વિવિધતા
                                                                                 વિશ્વમા અનેક જાતની બુધ્ધિ ધરાવતા માનવીઓ હોય છે.  તેઓ સામાન્ય માણસોથી જુદા પડે છે. વિવિધ બુધ્ધિ ધરાવતા માણસો ઍમની શક્તિ પ્રમાણે  વિશ્વમા ઍમનુ પ્રદાન કરી જાય છે. સામાન્ય માણસોને ઍમની શક્તીથી લાભો પણ થાય છે.
                                                                                બુધ્ધિમા વિવિધતાને જુદી જુદી રીતે તારવી શકાય છે. હોશિયાર,  ચપળતા,  વિવેચક,  સામર્થ વગેરે વગેરે બુધ્ધિના પ્રકારો છે.

                                                                                હોશીયારી જન્મ સાથે આવે છે જેમા જલ્દીથી શીખવાની શક્તિ હોય છે.  હોશીયારીમા વધઘટનો સવાલ જ હોતો નથી.  ઈંગ્લીશમા ઍને' આઇક્યૂ' કહેવામા આવે છે. આવા  ઉંચ 'આઈક઼્યુ' વાળા લોકો માટે કદીક સામાન્ય માણસો કરતા જુદાજ વર્ગો ચલાવવા પડે  છે. તેઓ ઑછી મહેનતે જલ્દી શીખી જાય છે.

                                                                               ચપળ લોકો સમાજમા લોકો કેવી રીતે કામ કરે છૅ ઍ નિયમ પ્રમાણે કામ કરે છૅ. ટૂકમા ઍ લોકો વાસ્તવિકતાને ઓળખીને  ચાલે છે અને પોતાનુ કામ કરતા હોય છે આથી તેઓ ઘણીવાર સફળ નીવડે છે. ઍમની ઍ આવડતને લોકો સ્માર્ટનેસ તરીકે ઓળખતા હોય છે. તૅઓ સમાજને પોતાની પ્ર્તિભાથી પ્રભાવિત કરતા હોય છે.

 
                                                                       
                                                                               વીવેચક લોકો પોતાની બુધ્ધિનો  ઉપયોગ  કરી દરેક વિષય પર ઍની ગુણવત્તા પ્રમાણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. ઍમના  વિચારોમા  સંશોધન, અને વિવેચના વધુ હોય છે.  તેમને સમાજમા ઉંચ દરજ્જો આપેલો હોય છે અને તેમના વિચારોને માનથી જોવામા આવે છે.
         
                                                             
                                                                              સામર્થ ધરાવતા લોકો જન્મથી  બુધ્ધિશક્તિ ધરાવતા નથી પણ ખૂબ મહેનત કરીને તૅઓ સિધ્ધિ મેળવે છે.  પરંતુ ઍમની અતૂટ મહેનતથી તેઓ સમાજમા અનોખુ પ્રદાન કરી જતા હોય છે.
                                                                             ટુંકમા બુધ્ધિમા વિવિધતા હોય છે પરન્તુ ઍ વિવિધતા સમાજની, રાષ્ટ્રની, કે  પછી  વિશ્વના વિવિધ ક્ષેત્રમા ઍમનુ પ્રદાન કરતી હોય  છે. જેનાથી વિશ્વમા પ્રગતીનુ ચક્ર ચાલુ રહેતુ હોય છે.
                                              **************************************

Monday, December 18, 2017


અમેરિકન ફિલ્મ હીરો
                                                                                 અમેરિકન ફિલ્મ અભિનેતાઓને હોલીવૂડની ફિલ્મોમા તેમની ગ્લૅમરને જોઈને કોઇપણ અંજાય જાય છે. પરંતુ તેમની કારકિર્દી પાછળ રહેલી ઍમની અથાગ મહેનત અને ધગસની કોઈને જાણ હોતી નથી. તેઑઍ જીવનમા સફળતા કેવી રીતે મેળવી અને ઍ વિષે ઍના શુ વિચારો છે ઍ પણ રસદાયક છૅ. તૅઓ ઍ બાબતમા ઘણી ઉદારતા થી વાત કરે છે.
                                                                                અમેરિકન ગાયિકા લેડી  ગાગા કહે છેકે ઍને પણ સામાન્ય માણસની જેમ  અસલામિતી ની લાગણીઓ થી  શરૂઆતમા પીડાતી હતી. પરંતુ ઍ માને છે કે દરેક મનુષ્યમા મહાન કલાકાર બનવાની આવડત છુપાયેલી હોય છે ઍને બહાર લાવવાની કળા હોવી જોઇઍ. સખત મહેનત દ્વારા ઍ  ઉચ્ચ કક્ષાની ગાયિકા અને અભિનેત્રી બની છે.

                                                                                ડેન્જ઼ેલ વૉશિંગ્ટન જેમણે ઘણા ઍવૉર્ડ્સ મેળવીને  હૉલીવુડમા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે  નામ મેળવ્યુ છે ઍમનુ માનવુ છે કે  તમે તમારા ભયને ઓળખીને ચાલો. તમને  જે લાગણી થાય અને વિચારો આવે ઍને ઓળખી લો અને જીવનમા આગળ વધો.

                                                                              જિમ કેરી કે જે સફળ અભિનેતા છે.  તેઓ કેનેડિયન  અમેરિકન  હાસ્ય કલાકાર ઉપરાંત  લેખક અને ફિલ્મ નિર્માતા પણ છે. ઍમનુ શરૂઆતનુ જીવન બહુ જ સખત હતુ પરંતુ ઍમણે નક્કી કર્યુ હતુકે હૂ સફળ થઈને જ રહીશ. હૂ મિલ્લીઓનોર થઈને જ રહીશ. ઍમણે ઍમના  પાકીટમા ઍક મિલિયન ડૉલર નો ચેક લખીને રાખ્યો હતો. ઍક વખત ઍમણે હસતા ક્હ્યુ હતુકે સફળતા મળતા ઍટલા વર્ષો નીકળી ગયા કે પેલો ચેક જર્જરિત થઈ ગયો હતો પરંતુ હૂ મિલ્લીઓનેર થઈ ને જંપ્યો.  ઍ કહે છે કે માણસે  પોતાના ભવિષ્યને વારે વારે અને સ્પસ્ટ પ ણે જોવુ જોઇઍ. જેથી ઍક દિવસ ઍ વાસ્તવિક બની જાય.

                                                                             ઍક બીજા સફળ અમેરિકન અભિનેતા વિલી સ્મિથ કહે છે કે તમારે જ  નક્કી કરવાનુ  છેકે તમારે શુ કરવુ છે? તમારે શુ થવુ છે ? કેવી રીતે કરવુ છે?

                                                                            બીજા ઍક અમેરિકન હાસ્ય કલાકાર , લેખક, નિર્માતા સ્ટીવ હાર્વે નુ માનવુ છેકે "  ઍક વાત ચોક્કસ અને સત્ય છેકે  આનંદ અને ડિપ્રેશન સાથે રહી શકે જ નહી.  ઍટલે જ્યા તક મળે ત્યા હસતા જ રહો. તમારા મનમા ઍક વાત  આવી તો તેને  હાથ કરી જ શકશો."
                                                                            ટૂકમા સફળતા પાછળ કોઈને કોઈ ચોક્કસ વિચારધારા હોય છે. અને  ઍ વિચારધારાને સફળ માનવિઓે ઍ સખત પરિશ્રમ દ્વારા અમલમા મૂકી હોય છે.  કોઈ પણ સફળતા મફતમા મળતી નથી.
                                                               *****************

Sunday, December 10, 2017


સ્વાસ્થ્ય ઍ સુખનુ પ્રથમ પગલુ
                                                                      શારીરિક સ્વાસ્થ્ય વગર કોઈ પણ  જાતનુ માનસિક કે ભૌતિક સુખ ભોગવી શકાય નહી. આથી શારીરિક સુખ કેવી રીતે જળવાઈ રહે ઍ   ધ્યાન રાખવુ જરૂરી છે.  ઍના માટે થોડા સામાન્ય નીયમો જાળવવા ઘણા ઉચ્ચિત છે.
ઍના માટે ઉચિત ખોરાક, નિયમિત આરામ અન થોડી અનુકુળ અને શરીર યોગ્ય કસરતો કરવી જરૂરત છે. ઍના થી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
                                                                      બીજુ માનસિક સુખ પણ જીવનમા અગત્યનુ છે. કોઇ પણ બાબતમા અપેક્ષાઓ  ઑછી રાખવી જોઇઍ. અહમને તળિયે લાવી દેવો જોઇઍ. અને જીવનમાથી  નકારત્વ તત્વોને દૂર કરી દેવા.. આ બધા નીયમોનુ પાલન  પાલન કરવુ જેથી  માનસિક સુખ પ્રાપ્ત થાય.
                                                                        ત્રીજુ અને  આખરી સુખ આધ્યાત્મિક સુખ છે જેમા આત્મા અને શરીરને  જુદા પાડી ઍને ઓળખવા પ્રયત્ન કરવો રહયો. ભૂતકાળને  છોડી દો અને ભવિષ્યની ચિંતાથી મુક્ત રહો પણ ભવિષ્યની યોજનાઓ આગળથી ઘડી કાઢો. વર્તમાંનમાથી તમારી જાતને મુક્ત કરવા પ્રયત્ન કરો.  આસક્તીઓથી મુક્ત થઈ વેર વૃત્તિ જેવી નબળાઈ ઑ યી દુર રહો. કોઇપણ આશા વગર જરૂરીયાતમન્દોને  મદદ કરો. દરરોજ પ્રાર્થના  દ્વારા પરમ પ્રભુને શરણે જવુ  જરૂરી છે. ઉપરના નીયમોને અનુસરવાથી  માનવી આધ્યાત્મિક સુખ મળે ચ્હે.
                                 ટૂકમા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખ જ માણસને તંદુરસ્તી બક્ષે છે.
                                             **********************************        

Sunday, December 3, 2017


આંતકવાદ
                                                                                   આંતકીઓની  મૂળ જન્મભૂમિ પાકિસ્તાન બની ચુક્યુ છે. ઇંડિયાના ભાગલા અંગ્રેજોની કુટનીતિ હતી તો ધર્મને નામે દેશના ભાગલા કરી પોતાની મહત્વકાંક્ષા પુરી કરવી ઍ મહમદઅલી જીણાની રાજનીતિ હતી.  જીણા સ્વભાવે કે આદતે ઇસ્લામી ન હતા. ઍના બધા મિત્રો હિન્દુઓ અને પારસી હતા. ઍમના બધા શોખો પશ્ચિમી હતા. ઈસ્લામના ઘણા નીયમો તેઓ પાડતા ન હતા. પાકિસ્તાન તો ઍમની રાજકીય મહત્વકાક્ષાની ઍક નિશાની છે.  તેઓ કરાચીમા પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે ઍમના મીત્રો વગર  જુરતા હતા. ઍમણે કહી દીધુ હતુ કે હવે હિન્દુ મુસ્લીમનો ભેદ ભૂલી બધાઍ સાથે રહેવુ જોઇઍ. ટુંકમા ઍમને ઈસ્લામિક પાકિસ્તાન જોઈતૂ ન હતુ.  ઍકવાર તો ઍમણે કબૂલી લીધુ હતુ કે પાકિસ્તાનની રચના ઍ ઍમની મોટી ભુલ હતી. ઍમને પાકિસ્તાનના ભાવી  પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો. તેઑઍ ઉભુ કરેલુ આંધળી ધાર્મિકતાનુ ભુત ઍમની હાજરીમા  જ ધુણવા માંડ્યુ હતુ.
                                               આજે ધર્મ જનુનિ ઈસ્લામિક લોકોઍ પાકિસ્તાનની હલાત   મરુભુમી જેવી કરી નાખી છે. દરરોજના બોમ્બ ધડાકાઑ અને અસંખ્ય મોતોઍ પાકિસ્તાનની ધરતીને લોહોયાળ બનાવી  દીધી છે.  ઍનુ કારણ પાકિસ્તાનમા ઉછેરાઇ રહેલો આંતકવાદ છે. ટુંકમા આંતકવાદ અને કાશ્મીરનો પ્રશ્ન પાકિસ્તાન સરકાર અને સૈન્ય માટે ઍમના અસ્તિત્વનુ સાધન બની ગયુ છે.

                                                પાકિસ્તાનની ભૂમિ  કાશ્મીરના પ્રશ્નના બહાના હેઠળ  આંતકવાદી સંઘઠનોનૂ અડ્ડો બની રહયુ છે. પાકિસ્તાનમા તાલિબાન, હિજ઼્બુલ, જમાત ઉદ્ દાવાને, લશ્કરે તોયેબાનો જેવા આંતકવાદી સંસ્થાઓ ફુલીફાલી છે. ઍના પડઘાઓ બીજા મુસ્લિમ જગતમા  પડ્યા છે અને ઍમાથી પ્રેરણા રૂપ ભયંકર આંતકવાદી સંસ્થા  આઈ ઍસ આઇ  ઍ આખા વીશ્વમા હાહાકાર મચાવી દીધો છે.
                                                પૂર્વ પાકિસ્તાની પ્રમુખ અને પૂર્વ સેના અધ્યક્ષ પરવિજ મુસર્રફે પાકિસ્તાની આંતકવાદીઓને દેશના હીરો  તરીકે નવાજ્યા છે. આવા સંજોગોમા વિશ્વના રાષ્ટ્રોઍ સયુક્ત મૉર્ચો આંતકવાદ સામે માંડી ઍનો નાશ કરવો આવશ્યક છે. નહી તો પછી વીશ્વે  આંતકવાદ રૂપી  રાક્ષસનો  ભોગ બનતા રહેવુ પડશે અને નિર્દોષ માણસો ઍના ભોગ બનતા રહેશે. આંતકવાદીઓના હાથમા જો અણુ  શસ્ત્રો આવી ગયા તો વિશ્વનો નાશ ચોક્કસ છે.
                                      ******************************************

Tuesday, November 14, 2017


અભિનય અને વાસ્તવિકતા
                                                   હૉલીવુડની ઍક ટીવી સીરિયલ' ક્વાંટિકોમા' ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા'ઍફબીઆઇ 'ઍજેંટ આલેક્સ  પૅરિશના નામ  હેઠળ કામ કરી રહી  છે. ઍના અભિનયને  વિશ્વિક તરે પ્રસંસા પણ કરવામા આવી છે અને ઍવાર્ડથી નવાજવામા આવી છે. ઍ ઍક વાર વિશ્વ સુંદરી બની ચૂકી છે અને બોલીવૂડમા પણ સફળ અભિનેત્રી છે. આ ઍક ભારતીય અભિનેત્રીની અમેરીકામા પણ
સફળતાની કહાની છે.
                                                     જ્યારે અમેરીકામા ઍક ભારતીય અમેરિકન યુવતી આશા રન્ગપ્પા 'ઍફબીઆઇ' ઍજેંટ રહી ચૂકી છે. તેણે 'ઍફબીઆઇ' ક્વાંટિકો,  વર્જીનિયા ખાતે સખત ટ્રેનિંગ  લઇ 'ઍફબીઆઇ ' ની  ન્યૂયોર્ક  ડિવિજનલ ઑફીસમા  ત્રણ વર્ષ કામ કર્યુ હતુ.  ઍનો મુખ્ય વિષય  હતો ' કાઉંટર ઇંટેલિજેન્સ' . ઍ અમેરિકાની  સલામતીની દ્રષ્ટી ઍ બહુજ અગત્યની બાબત ગણાય છે. આશાઍ ઍના ઍક સાથી  ઍજેંટ સાથે લગ્ન પણ કર્યા હતા, પરંતુ ત્યારબાદ ઍની સાથે ડાઇવોર્સ થઈ ગયા હતા.
                                                '  ઍફબીઆઇ'  છોડી દીધા બાદ  આશાઍ 'યેલ યૂનિવરસિટી 'ખાતે  ' જૅકસન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ અફેર્સમા ' અસોસીયેટ ડીન તરીકે જોડાઈ ગઈ હતી. અને' યેલ' માથી કાયદાની ડિગ્રી પણ મેળવી.
                                                      આજે ઍ અમેરિકન ટીવી પર અને  વર્તમાનપત્રોમા અમેરિકાની સલામતી બાબતોને લાગતી વિવેચક બની ગઈ છે, પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રંપની ચૂટણી વખતે  રશિયા ઍ કરેલા હસ્તપેક્ષ વિષે પણ ઍ વિલેક્ષણ કરતી રહે છે.
                                                         પ્રિયંકા ચોપરાની 'ક્વાંટિકો સીરિયલના' અભિનયની ઍ  પ્રશંસા કરે છે પરંતુ ઍ સેરિયલને ઍ થોડુ સત્ય અને  નાટકિયતાનુ મિશ્રણ માને છે.  ઍને મતે પ્રિયંકાની સફળતા બીજી  સાઉથ  ઍશિયન સ્ત્રી માટે અમેરીકામા પ્રેરણા રૂપ બની રહી છે.
                                     મુદ્દાની વાત તો ઍ છે કે ભારતીય યુવતીઓ  કોઈ પણ રીતે પશ્ચિમની યુવતીઓથી ઉતરતી નથી.
                                            **************************

Sunday, November 5, 2017


પાણી
                                                                                       પાણી ઍ માનવ જીવનની જીવન દોરી છે. પાણી વગરના જીવનની  કલ્પના પણ ન થઈ શકે. પૃથ્વી પરનુ જીવન પાણીને આભારી છે.  વિજ્ઞાનિકો  ગ્રહો પર કે પછી બ્રમ્હાંડમા ક્યા પાણી છે ઍની શોધ ચલાવી રહ્યા છે. ભારતે અત્યારે ઍક યાન ચન્દ્ર પર મોકલ્યુ હતુ અને માહિતી મેળવી હતીકે ત્યા પણ અમુક ભાગમા પાણી છે. ઍ ઘણી  મહત્વની માહિતી છે.

                                                                                      માનવીના શરીરમા કે પછી લોહીમા પણ ૭૦% પાણી છૅ, જે  જીવન અર્પે છે.  અનાજને  પકાવવામા પાણીની જરૂર પડે છે. જીવનને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે પાણી આવશ્યક છે. માનવી જીવનમા જીવવા માટે ઑક્ષિજનની જરૂર છે જે પાણીનો ઍક અંગ છે. ઍટલેકે પાણી હાઇડ્રૉજન અને ઑક્ષિજનથી બનેલુ છે. જ્યા પાણી હોય ત્યાજ બધી સંસ્કૃતિઓ વસેલી છે.
આથી પાણી માટે કહેવાય છેકે-

પાણી
પાણી આકાશમાથી જમીન પર આવે છે
ઍનો ના કોઈ આકાર, અને જમીન અંદર પણ વહે છે
ઍ તરસ્યાઓની તરસ મીટાવે અને ધરતીને સ્વચ્છ બનાવે
થાકેલાનો થાક ઉતારે અને ઍમના જીવનમા તાજગી લાવે
પાણી
પોચુ અને નિર્મળ છે સ્વભાવમા, અને જ્યા ત્યા સમાઇ જાય
પણ વિફરે તો વિનાશ લાવી મૂકે જ્યા ત્યા જીવનમા
આમ તો ગુણો  ગણાય નહી છે ઍટલા ઍના
 પણ અવગુણ ઍટલા  ભયંકર કે પ્રલય ફેલાવી દે ઍવા
પાણી
પાણીથી જીવન અને જીવો છે અને પૃથ્વી પર સ્વર્ગ છે
પરંતુ ઍનામા ઍવી શક્તિ છે કે જગતને નરક બનાવી શકે પલકમા
પાણી

                                                     *****************************