Wednesday, November 11, 2020


 

અલાસ્કા 

                                                   અલાસ્કા એ અમેરિકાનું ૫૦ રાજ્યોમાંનું એક છે . જે  બહુજ  કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ખનીજોના ખજાનાઓથી સમૃદ્ધ રાજ્ય છે.  ઉત્તત ધ્રુવની નજદીક અને રશિયાના સાઇબિરિયાની પાસે  આવેલો પ્રદેશ છે. જુના કાળમાં એ રશિયાના  તાબામાં હતો પરંતુ રશિયા એને બિન ઉપયોગી પ્રદેશ સમજીને એને અવગણતું હતું. રશિયાના રાજા ઝારે એને અમેરિકાને તે વખતના ૭.૨ મિલિયન ડોલરમાં વેચી નાખ્યો હતો .



                                      તમે  ક્રૂઝિંગ દ્વારા કૅનેડાની સમુદ્ર ધૂની મારફતે અલાસ્કા પહોંચો તો તમને અલાસ્કાનું અલૌકિક  સૌંદર્ય જોવા મળશે .  હિમ શિખરો, પર્વતી ઝરણાઓ , બરફના ખાળકો ખડકઓ જોઈને તમે જે પ્રસન્નતા અનુભવો તે દુનિયાની ઘણી થોડી જગ્યાએ અનુભવશો.  બરફના ગ્લેસીયરને તમે નજદીકથી જુઓ અને જે રોમાંચ અનુભવો એનો આનંદ અનોખો હોય છે. 

                                           અલાસ્કાનો  પ્રદેશ બે  ટાઈમ  ઝોન માં આવેલો એટલો વિશાળ છે. ત્યાં ૫૦૦૦જેટલા  જ્વાળામુખી આવેલા છે અને સેંકડો તળાવો છે.  એક લાખ જેટલા બરફના ગ્લેસિયરસ  આવેલા છે. અલાસ્કાના  દરિયામાં ૧૦૦૦ જેટલી વિકરાળ  વહેલ માછલીઓ ફરતી રહે છે.



                                            અલાસ્કાની જમીનમાં ખનીજ તેલોના ભંડારો આવેલા છે.  સોનુ , ઝીંક , જેવી કિંમતી ધાતુઓ પણ અહીં નીકળે છે જે અલાસ્કાનો સમૃદ્ધ  બનાવે છે . અમેરિકામાં અલાસ્કાનો  ધાતુઓની પેદાશમાં  બધા રાજ્યોની પેદાશમાં બીજો નંબર છે. તે ઉપરાંત વિપુલ પ્રમાણમાં દરિયામાં માછલીઓ  મળે છે. અને ઘાઢ જંગલોને કારણે સારું એવું લાકડું પણ મળી રહે છે .




                                               અલાસ્કામાં કોઈ આવક વેરો નથી. ત્યાંના રહેવાસીઓને નિશ્ચિત  વાર્ષિક કેશ રકમ આપવામાં આવે છે એજ એની સમૃદ્ધિનો પુરાવો છે. આધુનિક રશિયા જરૂર અલાસ્કાનો અમેરિકાને  વેચી દેવા માટી પસ્તાતું  હશે પરંતુ એનો કોઈ અર્થ નથી.

                                    **************************************************  

                             

                                                                          

Thursday, November 5, 2020

 


આયુર્વેદ અને સ્વાસ્થ્ય                                                                     

                                                                   આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓએ જે કઈ સ્વાસ્થ્ય વિષે    લખ્યું છે  તેનું આજનાવિજ્ઞાને અનુમોદન કર્યું છે . કામનસીબે આયુર્વેદ લખેલું સમયની સાથે ભુલાતું ગયું અને આધુનિક વિજ્ઞાનનું  જ્ઞાન આગળ વધી ગયું.  ભારતે પણ આયુર્વેદને એના ગુલામી કાળમાં તદ્દન એને અવગણ્યું  તેથી એની મહત્વતા ઓછી થતી ગઈ. 

                                                                     આર્યુવેદ પણ કહે છેકે  સવારનો નાસ્તો વધારે પ્રમાણમાં લેવો ત્યાર બાદ બપોરેનું ભોજન જરા હળવું હોવું જોઈએ અને રાત્રિનું ભોજન તો તદ્દન હળવું હોવું જોઈએ. 

                                                                     તે ઉપરાંત ખોરાકમાં શું લેવું અને શું ન લેવું એનું પણ વિવરણ કરવામાં આવ્યું છે.   કાર્બોહાઇડરટે  વાળો ખોરાક આછો ખાવો જેથી  શરીર હળવું રહે. 



                                                                       તંદુરસ્તી માટે રાતના ભોજન હળવું રાખવા  પર આયુર્વેદ વધારે ભાર મૂકે છે કારણકે રાતના આપણી પાચન ક્રિયા મંદ હોય છે. ભારે ખોરાક  રાતના ઊંઘને બગાડે છે.  માટે રાતના વધારે પ્રોટીન વાળા પદાર્થો ખાવા આવશ્યક છે. જેવાકે  દાળ ,ભાજી  અને લીલા શાકભાજી . રાતના ઓછા મસાલા વાળો  ખોરાક ખાવો જોઈએ.  કઢીને રાતના ભોજનમાંથી દૂર રાખવી જોઈએ એને બદલે દહીંમાંથી બનેલી  છાસ વધારે આવકારદાયક છે . રાતના વધારે પડતા મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ  કારણકે મીઠું  શરીરમાં પાણી વધારી ને બ્લડ પ્રેસ્સર  અને હ્દય રોગનું રિસ્ક વધારે છે. 

                                                                         તે ઉપરાંત આયુર્વેદ  ઓછી ચરબી વાળું દૂધ  અને તે પણ થોડા આદુના રસ સાથે લેવાનો આગ્રહ  રાખે છે. દૂધ પણ થોડું ગરમ હોવું જોઈએ અને ઠંડા  દૂધને શરીર માટે  હાનિકારક માનવામાં  આવે છે. ટૂંકમાં ચરબીવાળા અને ઠંડા પદાર્થો નું વધારે પડતું સેવન તંદુરસ્તી માટે હાનિકારક છે.

                                                                         આર્યુવેદ કહેછેકે  દિવસના અંત ભાગના પર જમીન અને પાણીનો  કાબુ હોય છે. એટલા માટે રાત્રીના ભોજન પર કાબુ હોવો જરૂરી છે.  આયુર્વેદ  માને છે કે તંદુરસ્ત ખોરાક ખાઈ તંદુરસ્ત શરીર  રાખો.  સારોએવો નાસ્તોસવારના કરો પરંતુ ત્યાર બાદના ભોજનો હળવી શક્તિ પેદા કરે એવાજ હોવા જોઈએ .

                                         ************************************  

                                                                         

Wednesday, October 14, 2020

 


વયસ્થોમાં માનસિક મૂંઝવણ 

                                                                                                               જેમ જેમ ઉંમર વધતી જાય છે  તેમ વયસ્થોમાં  ઘણી બાબતોમાં   મૂંઝવણ ઉભી થતી જાય છે.  ઘણા એને અલઝહેઈમર્સની શરૂઆત ગણે  કે પછી મગજનો કોઈ રોગ પણ હોઈ શકે છે.  પરંતુ એ મૂંઝવણના મુખ્ય  કારણો બીજાજ  હોઈ શકે છે. 

                                                      એના કારણોમાં  કાબુ બહારનો ડીયાબેટિસ, અથવાતો કિડનીમાં ઇન્ફેકશન અથવાતો  ડિહાઈડ્રેશન  પણ  હોય શકે . આથી એ કારણોની કાળજીઓ રાખવાની વધુ જરૂર છે. 

                                                      આથી વયસ્થોને  વધારેને વધારે  પાણી પીવાની  યાદ  આપવી જોઈએ .  જો તેમને પાણી ન પીવું હોય તો ફળોના રસ , અથવા  નારિયળનું પાણી , અથવા  ચા , અથવા  દૂધ , અથવા સૂપ કે પછી  પાણીવાળા ફળો ખાવાની ટેવ પાડવી જોઈએ . તેમના  માનસિક મૂંઝવણમાંથી એ વસ્તુઓ  રાહત આપી શકે છે.  પાણીથી ભરપૂર ફળોમાં   તરબૂચ , અનનસ, પીચ , નારંગી, ઓરંજ , અને  ટેન્ગરીન છે.  તે લેવા જોઈએ. 



                                                 ડિહાઈડ્રેશન શરીર  અને મગજ માટે ઘણું નુકશાનકારક  છે.  તે  બ્લડપ્રેસર  વધારે છે. માનસિક તાણ વધારે છે . સ્વાસોસ્વાસમાં  તકલીફ ઉભી કરે છે. છાતીમાં દુખાવો , હૃદયના  ધબકારો  વધવા , અને બેહોશ થવા જેવી  બીમારી વધારે છે.  આથી ડીહાઇડ્રેશન બાબતમાં વયસ્થોએ બહુજ કાળજી રાખવી જરૂરી છે . 



                                                   આ એક  માહિતીને આધારે વિવેચન છે પરંતુ દરેક વયસ્થે પોતાની શારીરિક  સ્થિતિ પ્રમાણે પોતાના ડોક્ટરની  સલાહ પ્રમાણે ચાલવાની જરૂરિયાત છે. 

                                        ***********************************


Saturday, October 10, 2020



 મૂત્ર ચિકિત્સા 

                                                                 ઘણા લોકોને મૂત્ર ચિકિત્સા વિષે અણગમો  હોય છે કારણ કે મૂત્રમાંથી  આવતી વાસ , એનો સ્વાદ અને રંગ પણ વિચિત્ર હોય છે. પરંતુ કુદરતની કમાલ એવી છેકે  ખરાબ સ્વાદવાળી વસ્તુઓમાં એવા ગુણો ભરી દીધા હોય છે  કે માનવીને કમને પણ  એને આશરે જવું પડે છે.   જેમકે લીમડો, કારેલા, મેથી , જેવી વસ્તુઓ એટલી કડવી હોય છે છતાં  ઘણા રોગોમાં એનો ઉપાય અકસીર  હોય છે.  તેમ મૂત્ર પ્રત્યે સુઘ  હોવા છતાં ઘણા એનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને એ  ઘણા રોગો પર અકસીર બની રહ્યું છે. 

                         થોડા વખત પહેલા જ જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે વિદેશી ચેનલની મુલાકાતમાં જણાવ્યું હતુંકે તેઓની તંદુરસ્તીનું  કારણ તેમનું નિયમત ગૌ મુત્રનું સેવન છે. આજ પ્રમાણે એક વાર પરદેશ પ્રવાસ દરમિયાન એક અમેરિકન  ટીવી ચેનલને  પૃર્વ વડાપ્રધાન , મોરારજી દેસાઈએ  એમની તંદુરસ્તીનું રહસ્ય   એમનું સ્વમુત્રનું  સેવનને આભારી છે એમ જણાવ્યું હતું.  ટીવી એન્કરે એમને પૂછ્યું 'તમને એનું સેવન કરવાથી ખરાબ કે ગંદુ  લાગતું  નથી ?   હું તો મારું પોતાનું મૂત્ર પીવું છું પરંતુ કેટલાક  લોકોતો જાહેરબાથરૂમમાંથીલીધેલા મુત્રમાથી બનેલી દવાઓ લેછે. એમણે કેટલીયે દવાના નામો ત્યાંને ત્યાંજ આપ્યા. અને પેલા  ટીવી  એન્કરની બોલતી બંધ થઇ ગઈ . જાપાનમાં જાહેર મુતરડીમાંથી મેળવેલા મૂત્રમાંથી  જીવ બચાવે એવા ઈન્જેકશન બનાવવામાં આવે છે. એના નામો છે જેવાકે યુરોફાઈનેંસ પ્રોફાસી , એન્ટિનિઓ પ્લાસ્ટીન   પ્રાગાનીલ.  એમાંની છેલ્લી  દવાનો ઉપયોગ લોહીના ઘટટાને પીગળાવવામાં  મદદરૂપ થાય છે.  મુત્રમા  શરીર ઉપયોગી બહુ  મૂલ્યવાન તત્વોઓ હોય છે જેવાકે વિટામિન , ક્ષાર , લોહતત્વ , પ્રોટીન , એન્જાઈમ , હોર્મોન્સ વગેરે વગેરે .

                                               સ્વમૂત્રની બાબતમાં એના ગુણો વિષે હિન્દૂ  પ્રાચીન ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ખ્રિસ્તી   પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ છે કે ' તારા શરીરમાંથી નીકળતા પાણીનું પાન કર ' યુરોપ , જાપાન, ઓસ્ટ્રેલિયા , ચીન , ઇંગ્લેન્ડ , અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં પણ સ્વમૂત્ર ચિકિત્સા  પ્રચલિત છે.

                                                 સ્વમૂત્ર ચિકિત્સામાં  પણ અમુક નિયમોં છે. જેમ કે વહેલી સવારના પહેલા મૂત્રનો આગળ અને પાછલો ભાગ છોડીને બાકીના મૂત્રનો જ ઉપયોગ કરવાનો હોય છે.સ્વમૂત્ર ચિકિત્સાનો ઉપયોગ  આંખ , કાંન ,  દાંત , નાક, ગળું, ,વાળ  અને ચામડીના રોગોની  માવજત માટે પણ કરવામાં આવે છે. અગત્યની વાતતો એ છેકે એ ચિકિત્સા પદ્ધતિનો ગરીબ અને ધનવાન અને બધા  વર્ગ  કરી શકે છે. 

                                                       *************************  

                          

                                                      


Saturday, October 3, 2020



ચીની ચાલ 

                                                                                       ચીન આજે દુનિયામાં એકદમ અળખામણું બની ચૂક્યું છે એના ગણા વજૂદ કારણો છે.એકતો કોરોના વાયરસને જન્મ આપ્યો અને એના વિશેની બધી વિગતો લાંબા વખત સુધી છુપાવી. તથા  દુનિયામાં એનો ફેલાવો  થવા  દીધો. ચીન પર  એવો પણ આરોપ છેકે  કોરોના વાયરસની ઉત્તપતિ  ચીનની રાસાયણિક લેબમાંજ થયો અને ત્યાંથી જ એ લીક થઈને આખી દુનિયામાં પ્રસરી ગયો. આજે કોરોના વાયરસે   આખી દુનિયાની અર્થવ્યવસ્થા ખેરવી નાખી એના માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે . એની પાછળ પણ ચીનની વિશ્વિક સર્વોપરિતા મેળવવાની ચાલ ગણવામાં આવે છે. 

                                              ચીનની ચાલબાજી એકજ ક્ષેત્રમાં નથી.  હોંગકોંગ અમારું છે એમ કહી બ્રિટનને ખોટા વચનો આપી પડાવી લીધું . તાઇવાન પણ અમારું છે એમ કહી ધિકતીધરા હજુ ચાલુ છે. એટલુંજ નહીં પણ  આજુબાજુના બધાજ  દેશોની જમીનો પર ચીનની નજર છે અને તક મળે એટલે તેમની જમીનો પચાવી પાડવાની તૈયારીમાં છે.  ભારત સાથે એને  લડાખ, સિયાચીન , અરુણાચલ પ્રદેશ , નાની મોટી કેટલીયે જગાઓ માટે ૩૪૮૮ કિલોમીટરની સરહદ પર ઝગડો છે. કીર્ગીસ્થાનના કેટલાક પ્રદેશો પર પણ ચીનનો દાવો છે. કીર્ગીસ્થાને તો એની  ચીનની સાથેની  સરહદો સીલ કરીદીધી છે.  તજિકિસ્થાને ૫૦ કિલોમીટર જેટલી જમીન ચીનને આપી દીધી છે તો પણ ચીનને હજુસંતોષ નથી . ચીનને  અફઘાનિસ્તાન સાથે પણ સરહદી ઝગડો છે. નેપાળની પણ કેટલીક જમીન ચીને પચાવી પાડી છે. એજ પ્રમાણે ભૂતાન, અને મ્યાનમાર સાથે પણ સરહદી ઝગડો છે.

                                             ચીન દક્ષિણ ચીની સમુદ્ર પણ પોતાનો માને છે. દક્ષિણ સમુદ્રમાં  આવેલા કેટલાએ ટાપુ પર ચીને દાવા ઠોક્યાં છે. આથી ચીનને  મલેશિયા , સિંગાપોર ,લાઓસ, વિયેતનામ ફિલિપાઇન, બ્રુનોઇ , ઇન્ડોનેશિયા  અને સાઉથ કોરિયા જેવા દેશો સાથે પણ  ઘર્ષણ શરુ થયું છે.રશિયા અને મોંગોલિયા સાથે પણ ચીનના સરહદી ઝગડાઓ છે. 

                                           ચીન  ગરીબ અને નબળા દેશોને  ધિરાણ કરી એમને ફસાવે છે. અને પછી એમના કુદરતી સાધનો અને જમીનો પર કબજો જમાવી ત્યાં પોતાના થાણા બનાવી એમને ગુલામ બનાવી દે છે. આ પણ ચીનની એક ચાલ છે.

                                                આવી વિસ્તારવાદી નીતિને  હવે અમેરિકા , ઓસ્ટ્રેલિયા , જાપાન, સાઉથ કોરિયા , બ્રિટન અને યુરોપના દેશો ઓળખી ગયા છે. એમાં એમને ચીનની વિશ્વ સત્તા બનવાની ગંધ આવેછે. તેમાં કોરોના વાયરસે આગમાં  પેટ્રોલ નાખવા જેવી પરિસ્થિતિ  ઉભી કરીછે. એમાંથી વિશ્વ યુદ્ધનો ભડકો થવાની પણ શક્યતા છે. મૂળમાં તો ચીનની દરેક ક્ષેત્રમાં  વધી રહેલી ચાલબાજી  જ જવાબદાર છે. એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ચીનને કોની સાથે  ઝગડો નથી ?

                                    ****************************************  

Monday, September 14, 2020



અબળા શક્તિ 

                                                                           આજે સ્ત્રીઓને અબળા માની એનો ઉદ્ધાર કરવા માટે  કેટલાક લોકો એક આંદોલન ચલાવી રહયા છે. મૂળમાં તો સ્ત્રીઓમાં આંતરિક શક્તિ એટલી છેકે તે પુરુષોને પાછળ પાડી શકે છે. ફક્ત એને રૂઢિચુસ્ત  અને હોશિયાર લોકોએ  ધાર્મિક, સામાજિક અને કુટુંબિક  કારણો દ્વારા દબાવી રાખી છે. લોકશાહીના જમાનામાં સ્ત્રીઓના મતોની પણ ઘણી શક્તિ છે એથી એમનો  અને એમની લાગણીઓને રાજકીય દ્રષ્ટિએ ઉપયોગ કરી કરવામાં આવે છે.  પરંતુ જ્યાં જ્યા સ્ત્રીઓને તક મળી છે ત્યાં તેમણે એમની શક્તિ બતાવી દીધી છે. સ્ત્રીઓએ  હવે  રાજકારણ , કળા અને સંસ્ક્રુતિના ક્ષેત્રમાં , અને સમાજમાં ઉચ્ચ સ્થાનો મેળવી ચુકી છે .



                                         માર્ગરેટ થેચર બ્રિટનના બહુજ મજબૂત વડા પ્રધાન ગણાયા  છે. એમણે ભલભલા પુરુષ રાજપુરુષોને મહાત કર્યા હતા . એમનું માનવું હતું કે ' પુરુષો બોલવામાં  હોશિયાર  હોય છે. પણ કામને જલદી અને સારી રીતે  પૂરું કરાવવું હોય તો એ સ્ત્રીઓ દ્વારાજ સારી રીતે થઇ શકે.' એમાં એમણે સ્ત્રી શક્તિને બિરદાવી છે.



                                           જાણીતી હોલિવુડ  અભિનેત્રી  ઔડ્રી  હેપ્બર્ન તો માનતી હતી કે આ જગતમાં કોઈ પણ ચીજ  હાસિલ કરવી અશક્ય નથી કારણકે  ઇમ્પોસિબલ શબ્દ જ કહે છે કે (આઈ એમ પોસિબલ ) ' એટલેકે દરેક વસ્તુ શક્ય છે. આજ  અભિનેત્રીની શક્તિનો અને આત્મા વિશ્વાસનો   પરિચય  આપે છે .



                                            એલીના રૂઝવેલ્ટ  અમેરિકન પ્રેસિડેન્ટ  રૂઝવેલ્ટના પત્ની હતા પરંતુ તેમના સામાજિક કાર્ય માટે આખા અમેરિકામાં બહુજ પ્રસિદ્ધ  હતા . તેઓ પ્રેસિડેન્ટને માટે એક પ્રેરણા  હતા. તેમણે સ્ત્રી શક્તિને બિરદાવતા લખ્યું કે ' સ્ત્રી એ એક ચાની બેગ જેવી છે. એ કેટલી કડક છે એ ત્યાં સુધી ખબર ન પડે જ્યા સુધી એ ગરમ પાણીમાં ન મુકવામાં આવે . એટલેકે સ્ત્રીની  શક્તિ  ખરાબ સમયમાં ખબર પડે છે. 

                                             કેટલીક સ્ત્રીઓ બિન્દાસ હોય છે એજ એમની સફળતાનું રહસ્ય હોય છે.  એમાં અભિનેત્રી  કેથેરીન હેપ્બર્નનું  એક કથન યાદ રાખવા જેવું છે ' એ કહે છેકે  'તમે બધા  નિયમો પ્રમાણે ચાલો તો પછી જીવનમાં કોઈ  આનંદ જેવું શું રહે ?. આવી જલદ વિચારશરણીમાં એને સફળતા અને આનંદની ચાવી દેખાય છે.આ વિચારમાં દુર્ગા ની શક્તિનો આભાસ થાય છે.  સ્ત્રીની દુર્ગા શક્તિ ઘણીવાર વિનાશક બનેલી આપણે નિહાળી છે .

                                                બીજી એક અભિનેત્રી બેટ્ટી  ડેવિસ તો જીવનમાં અશક્ય વસ્તુ કરવામાં માને છે જેથી  પોતાના કામને આગળ વધારી શકાય.



                                                  સ્ત્રીઓમાં નિર્ણય શક્તિ અદભુત હોય છે  એનો દાખલો રાણી લક્ષ્મીબાઈનો છે. એણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં એનું રાજ બ્રિટિશોના હાથમાં નહિ જવા દે અને અંગ્રેજોને એ ભારે પડી ગયા. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને ચોખ્ખું કહી દીધું હતું કે 'મહાભારતના મહાસંહાર માટે એનો પ્રતિશોધ જવાબદાર હતો.' આજ સ્ત્રી શક્તિનો એક અજોડ દાખલો છે.

                                                   આથી સ્ત્રી શક્તિને  ઉપ્પર લાવવા કરતા એમને  પૂરતી સ્વાતંત્રતા અને સમાનતા નિખાલસ  દિલે પુરુષોએ સ્ત્રીને  આપવાની જરૂરત છે. એમનામાં શક્તિ આપવાના આંદોલનો ચલાવવાની કોઈ જરૂરિયાત  નથી. 

                                                       *********************************        

                                    

                                     

Friday, September 11, 2020

 


ગાંધીજીનો તદ્દન સામાન્ય અને સાદો આહાર

                                                                          ગાંધીજીનું જીવન ખુલ્લી બુક જેવું હતું . તેઓ તદ્દન સાદું જીવન ભારતના ગરીબ લોકોને અનુરૂપ હતું. તેઓનો પહેરવેશ અને હાવભાવ  સામાન્ય માનવી જેવું જ હતું. તેઓ ધાર્મિક હતા અને કહેતાકે હું દ્રરિદ્ર નારાયણમાં પરમાત્માના દર્શન કરું છું.  એથી એમના સાદા જીવન જેવું એમનો આહાર પણ સાંમાન્ય લોકો જેવો હતો.

                                                                              ગાંધીજી શાકાહારી અને ઘણુંખરું   કાચું  તથા  રાંધ્યા વગરનો આહાર પસંદ કરતા . સવારસાંજ  લીંબુનો રસ મધની  સાથે લેતા . તેઓ ફણગારેલાં ઘઉંને આહારમાં પસંદ કરતા . દરરોજ  ૨૨૦ એમ એલ  બકરીનું દૂધ પસંદ કરતા.  ઘણીવાર  તેઓ ગાયનું દૂધ કે  નાળિયેરનું દૂધ  પણ પી લેતા. 



                                                                             દરરોજ ૨૦૦ ગ્રામ ઘી નો પણ ઉપયોગ  કરતા.  એમના આહારમાં ૨૩૦ ગ્રામ  તાજા ફળોનો અને કઠોરનો  પણ ઉપયોગ કરતા .  તે ઉપરાંત લસણ પણ એમના આહારનો એક ભાગ હતો. સૂકો મેવો કદી કદી એમના આહારમાં  માર્યાદિત પ્રમાણમાં જ ઉપયોગ કરાતો .

                                                                                  તે ઉપરાંત દરરોજ શારીરિક કસરતો એમના જીવનનું અંગ  હતું. 

                                                                                સાદું ભોજન અને સાદું જીવન શરીરને  વધારાની ઉર્જા આપે છે તે એમની જીવન શૈલી પરથી સિદ્ધ થાય છે. ગાંધીજીનું સાદું અને સાધુમય જીવન ભારતવાસીઓ  માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ બની ગયું હતું . આથી ભારતની પ્રજા એમને સંતની જેમ આદર કરતી હતી. 

                                                      **********************************