Sunday, May 1, 2016

સગા દીઠા શાહ આલામના ભીખ માંગતા શેરીઍ

                                                                   
                                                                    મોગલોના છેલ્લા બાદશાહ  બહાદુર શાહ જફર ને અંગ્રેજો ઍ ૧૮૫૭ના બળવાની આગેવાની લેવા માટે  રન્ગુન ખાતે દેશ નિકાલ કર્યા હતા અને ત્યાજ ઍમનુ મૃત્યુ થયુ અને ઍમને ત્યાજ દફનાવી દેવામા આવ્યા હતા, ઍક કવિઍ ક્હ્યુ છે ' સગા દીઠા શાહ આલમના ભીખ માંગતા શેરીઍ, ' મોગલોની બાબતમા ઍ વસ્તુ તદ્દન સાચી પડી છે,
                                                                     જે મોગલોઍ તાજમહાલ, લાલ કિલ્લો,  અને બુલંદ દરવાજા જેવી ભવ્ય ઈમારતો બનાવી હતી. જેઓ કોહીનૂર હીરા જડીત મયૂરાસન પર બિરાજી આખા હિંદ પર રાજ઼ કરતા હતા તેના  સગાઑની સ્થિતી આજકાલ બહુજ કંગાળ છે.

                                                                 છેલ્લા મોગલ બાદશાહ  બહાદુરશાહ જફ્રરના પ્રપૌત્ર મિર્જા બેડર બખ્તની પત્ની  સુલતાના બેગમ કોલકત્તામા હાવરા વિસ્તારમા ઝુપડપટ્ટીમા કંગાળ જીવન વિતાવી રહી છે. ઍને ફક્ત ૬૦ પૌંડનુ પેન્શન મળે છે. ઍ ણે રાજ્ય અને કેન્દ્ર સરકારને સહાય માટે વિનંતી કરી હતી ત્યારે  ઍ ની પૌત્રીને ૧૫૦ પૉંડ મહિનાની નોકરી આપવામા આવી છે. રહેવા માટે ફક્ત બે રૂમ અને રસો ડુ  બીજા સાથે વાપરવુ પડે છે. આવા કંગાળ હાલતમા મોગલોના વારસો જીવન વિતાવી રહ્યા છે.


         
                                                     
                                                                    સુલતાના બેગમ  ચાહની દુકાન ચલાવી  તથા લોકોના કપડા સીવી ઍનુ ગુજરાન ચલાવે છે. બીજા સ્વજનો પણ ભણેલા નથી. આવી ઍમની કંગાળ હાલત જોઈને ઍના પૂર્વજોના આત્મા પણ નિસાંસા નાખતા હશે.
                                            ********************************************

Wednesday, April 20, 2016


'ભારત માતાકી  જય'
                                     જે ધરતી પર જન્મ લીધો હોય, અને જ્યા આપણામા સંસ્કારોનુ સિંચન થયુ હોય, ઍવી ધરતી કે જેના ઉદરમા ઉગેલા અનાજે  પોષણ કર્યુ હોય ઍવી ધરતી માતા કે ભારત માતાની જય બોલાવવામા શુ વાંધો હોય શકે? ભલે પછી ઍને  તમે  તમારી રીતે જય બોલાવો જેમકે' જય હિંદ', 'જય હિન્દુસ્તાન', 'જય ભારત', ઍમા શુ ફર્ક પડે છે.
                                      આવી નાની બાબતમા કેટલાક  લોકોઍ ઉપાહોહ મચાવી મૂક્યો છે. ઍક મુસ્લિમ નેતાઍ તો 'ભારત માતાકી જય 'બોલવાનો નન્નો પારખાવી દીધો છે. ઍક હિન્દુ નેતાઍ નહી બોલનારાઓના માથા વાઢી નાખવા સુધીની વાત કરી નાખી છે. કેટલાક  ધર્માન્ધોઍ તો નહી બોલનારાઓને દેશની બહાર ફેકી દેવાની વાત કર્રી છે. આ બધી વ્યર્થ નારાબાજી છે.
                                      મહત્વની વાત ઍ  છે કે દેશભક્તિના નારાઓ લગાવવાથી દેશ ભક્તિ આવી જતી નથી. ઘણીવાર દેશભક્તિના નારાઓ લોકોને ઉશ્કેરવા માટે અને પોતાનુ હીત સાધવામાટે હોય છે. નારા બાજીથી દેશમા દેશભક્તિ ઉત્પન થતી નથી.
                                      દુનિયામા અમેરિકા. જાપાન, જર્મની, જેવા દેશોમા નારા લગાવવા કરતા તેમના આચરણ દ્વારા દેશને મહાન બનાવે છે. આથી નારાબાજી કરતા દેશના, નાગરિકોમા, ઉચ્ચ ચરિત્ર, નાગરિકતાની ઉચ્ચ ભાવનાઓ, અને દેશ પ્રત્યેની ફરજની સભાનતા જ દેશમા દેશભક્તિ લાવી અને દેશને મહાન બનાવે છે.
                                         ભારતમા આપણે વર્તમાન કરતા ભૂતકાળને વાગોળીઍ છીઍ. જેમકે' ભારત મહાન છે'. બધાને ખબરછે કે ભારત અત્યારે મહાન નથી  કારણકે ભારતમા આદર્શ નાગરિકતા નથી. આપણા દેશના ચરીત્રનુ અધપતન થયુ છે. પ્રામાણિકતાનો અભાવ અને ભ્રષ્ટાચારથી  ખદબદી રહ્યો છે. તે ઉપરાંત ૭૦% લોકો હજુ ગરીબીમા સ ડી રહ્યા છે.
                                      આ બધી વસ્તુઓની દૂરસ્તી કરવાની જરૂર છે. આ બધુ બરાબર થઈ જશે તો દેશભક્તિ આપોઆપ આવી જશે. લોકો પાસે 'ભારત માતા કી જ્ય 'બોલાવવાની જરૂર નહી પડે ઍ અંદરથી બહાર આવશે. જે દેશમા બધુ બરાબર હોય તે દેશના લોકો ઍમના દેશ માટે ગર્વ અનુભવે છે.અમેરિકનો આજે ગર્વથી કહે છે ' અમારુ અમેરિકા મહાન છે'. ટૂકમા ભારતમા લોકો ઍમની આશક્તિઓને દૂર કરવાને બદલે ઍમની શક્તિ ખોટી દિશામા વાપરી રહ્યા છે.
                                        ***************************************************

Tuesday, April 12, 2016


સ્વર્ગ અને નર્ક
                                 કૃષ્ણે અર્જુનને ગીતામા કહ્યુ છે કે 'પ્રારબ્ધ માનવીના જીવનમા અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ કર્મો જ માનવીનુ પ્રારબ્ધ ઘડે છે.'સારા કર્મો સારુ પ્રારબ્ધ અર્પે છે અને ખરાબ કર્મો ખરાબ નસીબનુ નિર્માણ કરે છે. આથી આત્માનીશાંતિ અને અનંત સુખ જ જીવનને સ્વર્ગમય બનાવે છે, જ્યારે માનસિક  અને શારીરિક સંતાપ જ માનવીના જીવનને નર્કમય બનાવી મૂકે છે. ઍમા સકારત્મક જીવન દ્રષ્ટી જ સ્વર્ગનો આભાસ કરાવી શકે છે.
                                                                       ઘણા માને છે કે મૃત્યુ બાદ માનવીના કર્મ પ્રમાણે સ્વર્ગ કે નરક મળે છે પરંતુ મૃત્યુ બાદ માનવીના આત્માનુ શુ થાય છે ઍ કોઈ છાતી ઠોકીને કહી શકે ઍમ નથી. પરંતુ તમે માનવીને જે રીતે માનસિક અને શારીરિક રીતે મજા કરતા કે દુખી અન સંતાપ અનુભવતા જુઓ છો ત્યારે ઍવુ લાગે છે કે સ્વર્ગ અને નરક અહિઍ જ છે. ઍના માટે મૃત્યુ સુધી રાહ જોવાની જરુર નથી.

                                                                       વિજ્ઞાન પણ કહે છે કે તમારા કૃત્યના પ્રત્યાઘાત ઍટલી જ ગતિથી સામી દિશામા પડે છે. આથી ખરાબ માનસિક કે શારીરિક કર્મોના ફળો ભવિષ્યમા માનસિક કે શારીરિક રીતે ઍક કે બીજા સ્વરૂપે ભોગવવા જ પડે છે. શારીરિક વ્યાધીઓ તો જોઈ શકાય પરંતુ માનસિક સંતાપ તો જોઈ શકતુ નથી. અને ઍ માનસિક સંતાપો માનવીના જીવનને નર્કમય બનાવી શકે છે. જીવનના બધી જાતના સુખો જો સ્વર્ગ હોય તો સંતાપો અને વ્યાધીઓ નર્ક સમાન  ગણાય.
                                                                        પૃથ્વી પરનુ સ્વર્ગ સંસારી સુખો અને કુદરતમા માણી શકાય છે જ્યારે કુદરતી આફતો અને સંસારી આફતોમા ઘણીવાર નર્કની બદબૂ આવે છે. આથી સ્વર્ગ અને નર્ક  અહી જ છે.   તમારી પાસે કુદરતને જોવાની દ્રષ્ટી હશે તો ઍમા પણ તમને સ્વર્ગ દેખાશે .

  પૃથ્વીનુ સ્વર્ગ
ઉંચા ઉંચા પર્વતો પર સફેદ ચાદર  છાયેલી હતી
ઍમાથી પાણીની ધારાઓ  નીચે પટકાતી હતી
ચારે બાજુ પાણી પાણી થઈ ગયુ અને તળાવ રચાઈ ગયુ
ઍ દ્રશ્ય જોઈને મને પળભર થયુ, જાણે સ્વર્ગ પૃથ્વી આવી ગયુ.

 અને પછી-
પેલા તૂટેલા ઝુપડાઓ જોયા, ઍમા ફરતા હાડપિંજારો જોયા
પેલા ઉકરડાઑમાથી સ્વાન, ઉંદરડા અને બેહાલ બાળકોને ખાતા જોયા
હુદય મારુ ફફડી ઉઠ્યુ કે આતે  કેવુ મે દ્રશ્ય જોયુ
જાણે  નર્ક પૃથ્વી પર ઉતરી આવ્યુ.


                                                              **************************************

Wednesday, April 6, 2016


 વલ્લભી વિદ્યાપીઠ
                                         ગુજરાત પૂરાણિક સમયથી ધર્મ,સંસ્કૃતી, વેપાર ઉદ્યોગનુ કેંદ્ર રહયુ છે. ઍ આધ્યાત્મિક ગુરુઓ અને સંતોની ભૂમિ રહી છે. ભારતના ઍવા  કોઈક જ સંત હશે જેણે ગુજરાતની પુણ્ય ભુમીની મુલાકાત ન લીધી હોય.  ભગવાન કૃષ્ણે જ્યારથી દ્વારીકામા વાસ કર્યો  ત્યારથી ગુજરાત પુણ્ય ભૂમિ બની ચૂકી છે. દયાનંદ સારસ્વતીથી માંડીને તે સહજાનંદ સ્વામી અને કબીરથી તે સ્વામી વિવેકાનંદે પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. ઇતીહાસના પાના પર મોટા સમ્રાટો, શાહેનશાઓ અન રાજાઓ પણ ગુજરાતની સમૃધ્ધિ પર આફરીન હતા. ભૌતિક  સમૃધ્ધિ સાથે પ્રાચીન કાળમા પણ ગુજરાત વિદ્યાનુ પણ  ધામ હતુ. તક્ષશિલા અને નાલંદા કક્ષાની  વલ્લભીપુર વીદ્યાપીઠ પણ હતી.  ઍમા ૮૦૦ શિક્ષકો અને ૬૪૦૦ વિદ્યાર્થી શિક્ષણ લેતા હતા.
               
                           
 વલ્લભી વીદ્યાપીઠની સ્થાપના ત્રીજી સદીમા સમ્રાટસ્કંદગુપ્તના વખતમા વલ્લભીપુર ખાતે થઈ હતી. વલ્લભીપુર અમદાવાદથી ૧૬૦ કીલોમીટરના અંતરે ભાવનગર જીલ્લામા આવેલુ છે. વીદ્યાપીઠનો ઉલ્લેખ સ્કન્દ પુરાણ અને પાણીની ઍ ઍના પુસ્તકમા પણકરેલો છે. ચીની પ્રવાસી  જિયાન જંગે ૬૪૭ મા વલ્લભીવિદ્યાપીઠની ભવ્યતા અને સમૃધ્ધિના પ્રસંસા કરી છે. તે વખતે વલ્લભીવિદ્યાપીઠ બૌધ્ધ ધર્મ નુ અગત્યનુ અભ્યાસી સ્થળ હતુ. ઍવુ કહેવાય છે કે રાજકર્તાના ધર્મ પ્રમાણે વીદ્યાપીઠમા તે ધર્મ નુ ચલણ રહેતુ. પરંતુ ઍ વીદ્યાપીઠ હિન્દુ જૈન અને બૌધ્ધ ધર્મના અભ્યાસનુ અગત્યનુ સ્થળ હતુ.

                                                  વલ્લભીપુર નામ સાથે વલ્લભ ઍટ લે કૃષ્ણ સાથે સબંધ હોય ઍવા કોઈ ઇતિહાસીક પુરાવા નથી પરંતુ ઍ સુતરનુ મોટુ વેપારિક કેન્દ્ર હતુ.  આથી વલ્લભીપુર નામ વલહિ સુતર પરથી આવ્યુ હશે ઍમ માનવામા આવે છે.  વલ્લભીપુરનો નાશ દરિયાના પાણી ફરી વરવાથી થયુ ઍમ માનવામા આવે છે. તે ઉપરાંત જમીનના પાણી પણ ખારા થઈ ગયા હશે. તેથી લોકો પણ સ્થળ છોડી ગયા હશે.


                                                       વલ્લભીપૂરને ફરીથી શિક્ષણનુ ક્ષેત્ર બનાવવા માટે ત્યાના સમૃધ્ધ હીરાના વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છે. વલ્લભીપુરમા ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે ઍવી સંસ્થા ઉભી કરવા માંગે છે.  અને વલ્લભીપુર વીદ્યાપીઠની સમૃધ્ધિ પરત લાવવા માંગે છે.
                                                       ****************************************

Saturday, March 19, 2016

સંસારનો સાર
                                                                            ઍક્વાર સ્વામી ચિન્મયાનન્દે ઍમના પ્રવચનમા ક્હ્યુ કે આજીવનમા દરેકે બની શકે ઍટ લી મદદ જરૂરીયાત જનોને કરવી જોઇઍ. ત્યારે ઍમને ઍક શ્રોતાઍ પુછ્યુ ' જે લોકો અમારી પ્રગતિની વચમા આવ્યા હોય ઍમને મદદ શા માટે કરવી?' સ્વામીજી ઍ  તર્ત ક્હ્યુ' ઍ લોકો છે તો તમારી સફળતાની કીમત છે. માટે તમારે ઍમને મદદ કરવી જોઇઍ.'  ટૂકમા સફળ માનવીઓઍ જરૂરીયાત મન્દો ને સહાય કરવી જોઇઍ.
                                                                           કબીરતો અભણ પણ જ્ઞાની હતા.  મોટા માણસનો શુ અર્થ છે જે બીજાને મદદ ન કરે?  ઍમણે ઍમના દોહામા કહ્યુ છે કે 'બડા હુઆતો ક્યા હુઆ, જૈસે પેડ  ખજુર, પંથી કો છાયા નહી, ફળ લાગે અતી દુર.'
                                                                           જીવનમા ઘણા લોકો દુખમા જભગવાનને  યાદ  કરે છે.  સુખમા પ્રભુને ભૂલી જાય છે. આથી દુખ અસહ્ય થઈ જાય છે.  કબીર ઍટલા માટે કહે છે ' દુઃખમે સુમરન સબ કરે, સુખમે કરે ન કોય. જો સુઃખમે સુંમરીન  કરે, તો દુઃખ કાહે હોય?
                                                                          બીજુ જીવનમા જેવી દ્રષ્ટી તેવી દુનિયા તમને નજરે આવે છે. ઍટલે આપણી દ્રષ્ટિને સકારાત્મક રાખવી ઉચિત છે.  ઍ બાબતમા કબીરનુ કહેવુ છે કે 'બુરા જો દેખન મે ચલા, બુરા ન મિલિયા કોઈ. જો દિલ ખોજા  અપના, મુજાસા બુરા ન કોઈ.
                                                                           સારા અને ખરાબ દિવસો તો જીવનમા આવ્યા જ કરે, પરંતુ દરેક પીડિત પર કરુણા અને દયા રાખવી જરૂરી છે. આપણે પણ ક્યારે બુરી દશામા આવી પડીઍ ઍ વિષે આપણ ને પણ ખબર નથી. ઍ બાબતમા કબીર સચો ડ શબ્દોમા કહ્યુ છે ' માટી કહે કુંભારકો  તૂ કાયે રોંધે મોય,, ઍક દિન ઐસા આયેગા, મે રોંધે તુય. 'આવુ  અસામાન્ય જ્ઞાન અભણ વણકરમા હતા.
                                                                          ઍટલે   જ્ઞાન બાબતમા પ્રકાશ પાડતા ઍ આગળ કહે છે '  પોથી  પઢકર  જગ મુઆ,  પંડિત ભયા ન કોય. ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.' વાંચવાથી ફક્ત જ્ઞાન આવતુ નથી સાથે સાથે  પ્રેમ પૂર્વક સમજીને વાંચવુ જરૂરી છે.
                                                                            કબીર હિન્દુ હતા કે મુસલમાન હતા. કોઈ ને ખબર નથી. પરંતુ  ઍમને ઉછેરવામા મુસ્લિમ ગરીબ  વણકર હતો. તેઓ હિન્દુ શાશ્ત્રઓની ભાષા બોલતા હતા. સાઇ બાબા નૉ  પણ  ઉછેર પણ ઍક મુસ્લિમે કર્યો હતો પણ ઍમની ઉપદેશિક ભાષા  હિન્દુ ફિલોસોફી પર આધારિત હતી. આજ  ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે.
                                      ***********************************************

Thursday, March 17, 2016

હોળી


                                                                                                   ૨૩ મી માર્ચે  ભારતમા હોળીનો તહેવાર રંગેબેરંગી રંગોથી મનાવવામા આવશે. હોળી  ઍટલે વસંતનુ આગમન અને રંગેબેરંગી ફૂલોની ઋતુ. કુદરત ઍના સૌદર્યથી લોકોના દિલ મોહી લેશે. હોળી આમતો આધ્યાત્મ, અને આંતરિક રસ ઉત્તપન કરનારો તહેવાર છે, જેમા વેર જેરને દફનાવી કે દૂર કરી પ્રેમ અને ભાઈચારો વધારવાનો અવસર છે. પરન્તુ આજકાલ તો ઍમા શ્રુગાર રસ વધારે હોય છે. ઍમાથી ઘણા દૂષણો ઉત્ત્પન્ન થયા છે.  જેથી ઍ નીર્દોષ તહેવારને કલકિત બનાવી દે છે.


                                                                                                  હોળીમા અગ્નિને વધારે મહત્વ આપવામા આવ્યુ છે જે કચરાને બાળીને વાતાવરણને શુધ્ધ બનાવી દે છૅ અને દરેકને પ્રેરણા આપે છેકે આંતરિક દૂષણો પણ દૂર કરી મનુષ્યઓઍ શુધ્ધ થવુ જોઇઍ. પરંતુ ઘણુ ખરુ ઍની પાછળ નો મર્મ જ  ભૂલાઇ  ગયો છે. આથી હોળી તો આવે ને જાય છે પરંતુ સમાજમાનો કચરો તો ઍમનો ઍમ જ રહે છે.
હોળી ઍટલે---
હોળી જુદી જુદી જાતની હોય છે.
કભી કભી હિંસાની, તો કભી ઈર્ષાની.
 કામલીલાકી, ઔર સંસાર સંગર્ષની પણ હોળી હોય છે.
હોળી ઍટલે---
પણ ઍવી પણ હોળી હોય છે
જે જીવનને રંગોથી ભરી  દે,
દિલોને દિલોથી મિલાવી દે
નયા ઉમંગોથી ભરી દે
ઔર મૌસમોમા મસ્તી ભરી દે
હોળી ઍટ લે---
માનવીઓના મન ને નિર્મળ કરવા વાળી
દૂષણોને ભગાડ નારી પણ હોળી હોય છે.
ભારત દેસાઈ
                                                                ***********************************

Monday, March 14, 2016

ગુજ્જુઓ શા માટે  ઈર્ષાના ભોગ બન્યા છે?
                                                                  ગુજરાતીઓને મજાકમા ગુજ્જુભાઇ કહીને બોલાવવામા આવે.  શા માટે? ઍના કારણો જાણવા માટે બહુ દૂર જવુ  પડે  જવુ પડે ઍમ નથી. ગુજરાતીઓ મુળથી જ વેપારી અને સાહસિક પ્રજા છે. પોતાનો રસ્તો પોતાની રીતે શોધી કાઢે છે.
૧) ૨૦૦૧ મા  ભયંકર ધરતીકંમ્પ કચ્છ અને ગુજરાતમા આવ્યો હતો અને લોકોને ઍમ કે ગુજરાત હવે બેઠુ નહી થઈ શકશે. પરંતુ થોડા સમયમા જ ગુજરાત રાજ્ય અને કચ્છ જીલ્લો  ઍકદમ વિકસીત બની ગયા. ૨૦૦૨ ના હૂલ્લડો બાદ ગુજરાતમા શાંતિનો ભંગ થયો. લોકોને હતુકે ગુજરાતમા અસલામતી વધી જશે પણ ૨૦૦૨ પછી કોઈ પણ હૂલ્લડો થયા નથી. સ્ત્રી સલામતીની બાબતમા દેશમા ઉંચ નંબર પર છે. અમદાવાદ ૨૦૧૦મા તો આખા  ઍશિયીયામા જડપથી વિકસતુ  શહેર બની ગયુ હતુ.  આ બધી ઈર્ષાની બાબત નથી?
૨) દુનિયાની કોઈ પણ ખૂણે તમને ગુજરાતી મળશે. તેમની કમાણીના કરોડો રૂપિયા ગુજરાતમા  થલવાઇ રહયા છે. દુનિયાને ખૂણે ખૂણે સ્વામીનારાયણ ના મંદિરો બાંધીને  ગુજરાતીઓે ઍ ભારતીય સંસ્કૃતી અને કલાનો પ્રચાર કર્યો છે. અમેરીકામા પટેલો ઍ પોતાની મોટેલ રૂમોમા શ્રીમદ્ ભગવદ ગીતાની કૉપીઑ  રાખવાની હિમ્મતો રાખી ચૂક્યા છે.
૩)  ગુજરાતીઓ  વિશ્વના ૯૦% હીરાના પૉલિશ કરવાના વેપાર પર  પ્રભુત્વ ધરાવે. આથી ઍ હિરાઓને સ્પર્શ કરનારા વિશ્વ નાગરિકો ઍની ચમક અને સુંદેરતા જોઈને ગુજરાતીઓને બિરદાવતા હશે. ઍ જોઈને  સ્વભાવિક રીતે ઈર્ષા થાય ઍમા કઈ આશ્ચર્ય પામવા જેવુ નથી.


૪) ગુજરાતમા દારુબન્ધી, અને રાજ્ય શાકાહારી પણ છે.  અમેરિકાના અશ્વેત નેતા માર્ટિન લુથેર કિંગ અને આફ્રિકાના નેલ્સન મંડેલાના ગુરુ મહાત્મા ગાંધીની ગુજરાત જન્મ અને કર્મભૂમિ છે.  તથા ભારતને બે પ્રધાન મંત્રીઓ મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીની ગુજરાત જન્મ અને કર્મભૂમિ પણ છે.




૫)  ગુજરાતે  ધીરુભાઇ અંબાણી, આજીમ પ્રેમ જી, વિક્રમ સારાભાઈ. સામ પિત્રોદા. હોમી ભાભા,  ટાટા, સુનિતા વિલિયમ,વાડીયાસ, જેવી વિશ્વ વિખ્યાત વ્યક્તિી ઓની ભેટ પણ આપી છે.
                                                                  આથી જો  ગુજરાતીઓને ગુજ્જુભાઇ કહેવામા આવતા હોય અને કેટલાકને ઈર્ષા થતી હોય તો દરેક ગુજરાતીને ગર્વ  થવો  જોઈ ઍ.
                                      ***************************************