Sunday, March 14, 2021

 


વિચિત્ર જુગલબંધી 

                                                                     દુનિયામાં સ્વાર્થ એવી વસ્તુ છે કે બે  વિરુદ્ધ ધર્મ અને વિચારધારા ધરાવતા બે દેશીને પણ સાથે લાવી દે છે.  રશિયાની પુતિનની સરમુખત્યારી તરફ વધી રહેલી સરકાર એના મુખ્ય વિરોધી નવલનીને ઝેર આપવાનો અને એને જેલમાં  નાખી દેવાનો આરોપો છે. અને યુરોપીઓન યુનિયને રશિયન જુલમી નીતિને  નીતિની  વખોડી કાઢી છેત્યારે એનાજ એક સભ્ય તુર્કી  અત્યારે એ બાબતમાં શાંત છે અનેરશિયા સાથે   મૈત્રી વધારી રહયા છે એ એક વિચિત્ર બાબત છે. તુર્કીના પ્રેસિડેન્ટ ધર્માન્ધ મુસ્લિમ સુરમુખ્યતાર છે જયારે પુતિન ખ્રિસ્તી રાજ્ય રુશના સરમુખત્યાર છે. એટલે એ દોસ્તી કજોડી બની ગઈ છે. સરમુખત્યારી વૃત્તિ જ બે વચ્ચે સામાન્ય છે.

                                                                એમની દોસ્તી પાછળ અનેક રાજકીય કારણો છે. ઇતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બંનેના સામ્રાજ્યો પરિવર્તનની ક્રાંતિને કારણે નાશ થયો હતો . રશિયાની  સામ્યવાદી ક્રાંતિ અને તુર્કમાન સામ્રાજ્યનું પતન પણ  ક્રાન્તિઓને આભારી હતી. આ ઇતિહાસિક વાત પણ સામાન્ય છે. થોડા વખત પહેલા રશિયા અને તુર્કી,  ક્રિમીઆ અને એઝેરબૈજાન વચ્ચેની લડાઈમાં એક બીજા સામે હતા. પરંતુ એ લડાઈનો અંત પણ તુર્કી અને રુસની સમજૂતી  થયો. એમાં રૂસને નાગોરનો ખરાબખ પ્રદેશનો કબ્જો મળ્યો અને તુર્કીને દક્ષિણ  કૌકાસુસનો આર્થિક કબજો મળ્યો.  કહેવાનું એમકે પોતાના સ્વાર્થમાટે મુસ્લિમ ધર્માન્ધ દેશ ક્રિશ્ચન દેશ સાથે પણ સમજૂતી કરી શકે છે. અને દુનિયાના લોકમતને ઠોકર મારી શકે છે પોતાની નીતિ સાથે પણ બાંધછોડ કરી શકે છે.



                                             પુતિન પણ તુર્કીના પ્રેસિડેન્ટના વખાણ કરતા થાકતા નથી કારણકે તુર્કીએ રશિયા પાસેથી મિલિટરી શસ્ત્રો મોટા પ્રમાણમાં ખરીદ્યા છે. અને જયારે તુર્કીમાં બળવો થયો ત્યારે પણ પુતિને હોશયારી પૂર્વક  તુર્કી પ્રેસિડેન્ટને ટેકો આપ્યો હતો. આજ તુર્કીએ એની સેક્યુલર નીતિ બદલીને ઇસ્લામિક નીતિ અપનાવી છે. ધર્મને નામે કાશ્મીરના પ્રશ્ન પર પાકિસ્તાનને  ટેકો આપે છે એમાં ચીન સિવાય બીજા કોઈ પણ દેશનો આજે પાકિસ્તાનને ટેકો નથી. 

                                                    ધર્મને તો રાજકીય સ્વાર્થ માટેજ ઉપયોગ થાય છે. પરંતુ વખત આવે તો ધર્મની પણ  ઐસી તેસી  કરી નાખવામાં રીઢા રાજકારણીઓ પાવરધા હોય છે . બાકી રશિયા અને  તુર્કી વચ્ચે આજે  સરહદો સિવાય કઈ પણ સામાન્ય નથી.

                                            **********************************


 

 

                                                                  

                                   

Tuesday, March 9, 2021

 


ભારતથી અમેરિકા 

                                                 ભારતથી અમેરિકાની સફર બહુ રસપ્રદ હતું. લોકો વિમાન મુસાફરીમાં માસ્ક પહેરવાનું ચાલુ રાખતા હતા. એકબીજાની સાથે વાતચીત કરવાનું પણ બહુ ઓછું  રાખતા હતા એ કોરોના દૈત્યનું કામ હતું. દિલ્હીથી સાનફ્રાન્સીસકોની  વિમાની પ્રવાસ ૧૬ કલાકથી વધારે છે . એટલે લોકોના મોઢા પર વાતચીતના અભાવને કારણે તણાવ પણ દેખાતો હતો. સીટ પર લાંબો વખત સુધી માસ્ક પહેરી  બેસી રહેવાથી બેચેની વધે એ પણ સ્વાભાવિક છે. 

                                               વિમાની સેવામાં પણ કાપ મુકવામાં આવ્યો હતો એટલેકે  ઓછામાં ઓછી સેવાઓ આપવામાં આવતી હતી. ખાવામાં નિયમિત આપવામાં આવતી ડીશો આપવામાં આવતી હતી પરંતુ પીણાઓમાં કાપ મુકવામાં આવ્યો હોય જણાતું હતું. વિડિઓ સેવાઓ પણ બંધ હતી. એટલે વખત પસાર કરવો વધુ અઘરો બનતો  હતો . 



                                            ભારત સરકારની' વંદે માતરમ' નામ હેઠળ ચાલતી એ એર ઇન્ડિયાની વિમાની સેવા હતી. એમાં લોકોને ભારતથી અમેરિકા સલામતી રીતે કોરોના કાળમાં પહોંચાડવાની વ્યવસ્થા હતી. જેમાં પ્રવાસ દરમિયાન મનોરંજનનનો અભાવ હતો. એથી એ પ્રવાસ દરેક પ્રવાસી માટે કોરોના કાળમાં  નીરસ અને થાક સમાન નીકળ્યો હોય તો નવાઈ નહિ. એમાં પાછો જેટ લેગ લાગે તે જુદું.



                                            ભારતથી અમેરિકાના વાતાવરણમાં  આવવું  એટલે ઘણી વાર ઘોંઘાટમાંથી   શાંતિ જેવું વાતાવરણમાં આવવા જેવું છે. એમાં આ નીચેની કવિતા સાથ પુરાવે છે.

                                             પરમ શાંતિમાં --

                        ક્યાં ગયો વિવિધ અવાજોનો કોલાહલ 

                         મોટર સાઇકાલના બુલંદ ઘોંગાટઑ,

                        રીક્ષાઓના એક સરખા  રાગના સંગીતો 

                         ફેરિયાઓની મોટી મોટી બાંગો  

                         તો રાતના અંધારામાં  કૂતરાઓનું કરુણ રુદન

                         પણ અહીએ છે પરમ શાંતિ છે.

                         અહીં ન લોકોના કોઈ  નાદ , 

                         ન જાનવરોના  કોઈ  રુદન  

                          વહાનોના ના  કોઈ કર્કશ અવાજો

                          એટલે અહીં પરમ શાંતિ છે. 

                          અહીં  બાજુમાં કોઈ રહે છે એની ખબર નથી

                           રસ્તા પહોળા અને સુમસાન છે.

                           તપ કરવા જેવું વાતાવરણ છે.

                           હૃદયને પરમ આનંદ આપે એવી શાંતિ છે.

                              ભારત દેસાઈ.

                                               *********************************

                           

                             

                            

                                                   

Tuesday, March 2, 2021

 


મિત્રતા 

                                                                          મિત્રતા એક એવો સબંધ છેકે જે  ઘણીવાર લોહી સબંધો કરતા પણ વધુ ઉપયોગી બની રહે છે. જે વાતો તમે અગંત માણસોને નહિ કહી શકો તે મિત્ર સાથે ચર્ચી શકો છો. એટલા માટે કહેવાય છે કે સારો મિત્રો મળવા એ એક સારું નસીબ જ હોય છે.

                          સાચા મિત્રો એક બીજા સાથે લડીને પણ એક જ રહે છે. એમાં કોઈ દરજ્જાનો સવાલ ઉભો થતો નથી.  એમાં અહમને કોઈ સ્થાન નથી. ઈર્ષા જેવી કોઈ ચીજ હોતી નથી. એજ પરમ મિત્રતાની નિશાનીઓ છે.

                          શાળાના અને કોલેજના મિત્રો સાથેની મિત્રતા ઘણીવાર અતૂટ હોય છે કારણકે એ નિઃસ્વાર્થી વધુ હોય છે. ધંધાકીય મિત્રો પણ હોય છે . પરંતુ તેઓ ત્રણ જાતના હોયછે . એવી મિત્રતામાં ઘણીવાર મિત્રો એકબીજાનો ઉપયોગ કરવા માટે હોય છે. જયારે કેટલીક મિત્રતા સમય પસાર કરવા માટે જ હોય છે. મૂળમાં એમાં ઘણુંકરીને  ગુણોની ઉણપ હોય છે.



                           મિત્રો  હંમેશા  શુભેચ્છક  અને મિત્રતા માટે બલિદાનની ભાવનાવાળા હોવા જોઈએ અને વિકટ સમયમાં અણગમી પણ સાચી સલાહ આપે એવા હોવા જોઈએ .  ઘણીવાર મિત્ર પાસેની વધુ પડતી અપેક્ષાઓ રાખવાથી મિત્રતામાં તડ પડે છે. ઘણા એમાં મિત્રની દગાખોરી અને વિશ્વાસઘાત માની લે છે. 

                               ચિંતક મોન્ટેન  કહે છે કે ' સારો મિત્ર એ એક આધ્યાત્મિક  ભેટ છે '  ટૂંકમાં સારો મિત્ર  એ પ્રભુની  દેણ હોય છે.

                                      ******************************* 

Wednesday, February 17, 2021

 


પ્રીતિ પટેલ - બ્રિટનના  ગૃહ પ્રધાન 

                                                     પ્રીતિ પટેલ  બ્રિટિશ રાજકારણની એક ચપળ નેતા છે. સતત સંગર્ષ અને વર્ષોની મહેનત પછી  એ આવા અગત્યના સ્થાન પાર પહોંચ્યા છે.  એ ગુજરાતી મૂળના છે પરંતુ એમના પિતા સુશીલભાઈ યુગાન્ડામાં  હોટેલના વ્યવસાવમાં હતા. યુગાન્ડાના સરમુખત્યાર  ઈદી અમીને  ૮૦૦૦૦જેટલા એશિયાવાસીઓને   યુગાંડામાંથી   હાંકી કાઢ્યા હતા. તે વખતે સુશીલભાઈ લંડનમાં  આવીને વસ્યા અને  ફરીથી ન્યૂઝ પેપર એજન્ટ તરીકે ધંધો વિકસાવ્યો.  સાથે સાથે કોફી શોપ પણ શરુ કરી અને  બ્રિટનમાં પ્રસ્થાપિત થયા .

                                                       પ્રીતિ પટેલ  રાજકારણના પાઠ એમના પિતા પાસે પણ અમુક અંશે શીખેલા છે. તેમણે રાજકારણના વિષય સાથે પોસ્ટ ગ્રજ્યુએશન કરેલું છે. ૧૭ વર્ષની વયથી બ્રિટનની કોંઝર્વેટીવ   પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ પાર્ટીનું  પ્રેસ /મીડિયા ખાતું સંભાળી એના  પ્રવકતા તરીકે કામ કરી ચૂકેલા છે. તેઓ તેમના પિતાની જેમ રાઈટ વિંગના પહેલેથી સમર્થક રહયા છે.તેઓ એકવાર નોટિંગહામમાંથી ચૂંટણી હારી ગયા હતા પરંતુલોકો સાથે સંપર્ક જાળવી રાખી અંતે 'વિચલ'ની  સીટ પરથી  સફળ નીવડ્યા હતા..

                                                         બ્રિટનના માજી વડા પ્રધાન ડેવિડ કેમરીનની કેબિનેટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ, રોજગાર ખાતું અનેપછી પરદેશ ખાતું પણ સંભાળતા હતા. બ્રિટિશ સરકારની પરવાનગી વગર ઈઝરાઈલ સરકાર સાથે   ખાનગી મિટિંગ કરવા માટે  એમનું રાજીનામુ માંગી લેવામાં આવ્યું હતું . આમ તે રાજકારણમાં હંમેશા વિવાસ્પદ રહયા છે. તેઓ યુરોપિયન યૂનિઓનમાંથી' બ્રિટને  નીકળી જવું જોઈએ 'એના  પ્રખર ટેકેદાર રહયા છે. આથી બોરિક  જોનસનના પ્રધાન મંડળમાં હોમ સેક્રેટરીનું સ્થાન પામ્યા હતા.

                                                              તેમણે  ૨૦૧૪ માં  ટેક સલાહકાર એલેક્ષ નાસ્ડેક સાથે લગ્ન કર્યા હતા અને હવે એમનો ફ્રેડી નામનો પુત્ર પણ છે. તેઓ સુંદર પ્રભાવશાળી  અંગ્રેજી બોલે છે . તેઓ બોલે છે ત્યારે  ગાલમાં ખાડા પડેછે. તેઓ  પુરી માહિતી સાથે  વિશ્વાસથી બોલે છે એજ એમની સફળતાનું રહસ્ય છે. તેઓ સુંદરતા સાથે બહુજ હોશિયાર રાજકારણી છે.

                                                                  જે બ્રિટેને ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું એજ બ્રિટનમાં એક ભારતીય મૂળની  દીકરી  બ્રિટનના પ્રધાન મંડળમાં બીજા સ્થાને બિરાજે છે . એ કોઈ નાની સુની વાત નથી . એના માટે દરેક ભારતીય ગર્વ લઇ શકે છે. 

                                   **************************************  

                                                              

Tuesday, February 9, 2021



લાબું અને સુખી જીવન

                                                                       આપણા ઋષિ મુનિઓ  વેદિક વખતે જીવનમાં સદીઓ ફટકારી જતા એવા દાખલાઓ છે. પરંતુ એમના જીવનનો અભિગમ બહુજ ઉચ્ચ કોટિનો હતો . એમનું જીવન નિયમિત,  સાદો અને શુદ્ધ ખોરાક, સતત લોકઉપયોગી જીવન ,  સાથે આધ્યાત્મિક જીવન પણ જીવતા. એમાંથી લોકોને પણ લાબું જીવવાની પ્રેરણા મળતી રહેતી. પરંતુ   ધીમે ધીમે એ બધું પ્રગતિમય જીવનને નામે છોડી દેવાયુંકે ભુલાય ગયું . એથી જીવનની દોરી પણ ઓછી થવા માંડી. તે છતાં આજે પણ જાપાન જેવા દેશો છે જ્યા ૧૦૦ વર્ષની વયના સેંકડો માણસો મળી આવે છે જેઓ તંદુરસ્ત , સુખી , લાબું જીવન જીવે છે .

                                    જાપાન બહુ નેનો દેશ છે પરંતુ આર્થિક રીતે દુનિયામાં બહુ  સધ્ધર દેશ છે. જાપાનમાં ઓકિનાવા શહેરમાં કેટલાએ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો તંદુરસ્ત, સુખી અને આનંદમય જીવન જીવે છે.  એને માટે એમનો સકારાત્મક જીવન જીવવાની કળા જવાબદાર છે.

                                      ઓકિનાવા શહેરમાં  દરેક ૧૦૦ નાગરિકોમાંથી ૨૪ નાગરિકો ૧૦૦ વર્ષથી વધુ વયના છે. તેઓની  લાંબી વયનું કારણ સીધું સાદું જીવન અને સાદો ખોરાક છે.  તેઓ હસમુખ જીવન જીવે છે અને મિત્રો  સાથે પ્રેમ અને લાગણીમય સબંધો સાથે આનંદમય જીવન વિતાવે છે . તેઓ વહેલી સવારે બહાર નીકળી જાયછે અને પુત્રો, સગા સબંધીઓ સાથે આનંદ માણે છે. જીવનમાં ચિંતાને દૂર રાખે છે જેથી એમના જીવનને અસર થતી નથી. પોતાની જાતને લોકસેવામાં પરોવી દે છે .



                                      તેઓ પોતાને આવડતું અને  ગમતું કામ કરતા રહે છે. તેઓ  સતત કાર્યશીલ રહે છે. માણસ નો ખાવામાં  પણ સંયમરાખી ૮૦% જેટલી જ ભૂખને સંતોષે છે. સાથે જરૂરી કસરતો પણ કરતા રહે છે. તેઓ માનસિક તણાવ રહે એવી પ્રવૃતિઓથી  દૂર રહે છે.  ધ્યાન  કરી  આધ્યાત્મિકતાનો વધારો કરે છે.  તેઓ   વધારેને વધારે કુદરતને માણી યુવાનીનો આનંદ માણે છે. કારણકે યુવાની અને વૃદ્ધાવસ્થામાં  બહુ ફરક નથી . એતો મનુષ્યની માનસીક સ્થિતિ છે.  નાની નાની વસ્તુઓનો ત્યાગ કરીને જ જીવનની દરેક પણ માણી શકાય છે. ટૂંકમાં વૃદ્ધાવસ્થા અને માણસની જીવનદોરી વચ્ચે મનુષ્યનો અભિગમ જ અગત્યનો ભાગ ભજવે છે.

                                     આથી જાપાનીસોની લાંબી વય તેમના જીવન પ્રત્યેના સાકરાત્મક અભિગમને જ આભારી છે . એને અપનાવીને  કોઈપણ લાબું, તંદુરસ્ત અને આનંદમય જીવન વિતાવી શકે છે.

                               **************************************  

                                          

Monday, February 1, 2021




આદર્શ નેતાઓ - લોકો માટે એક દ્રષ્ટાંત 

                                                                         ઉત્તમ નેતાઓજ દુનિયામાં બદલાવ લાવી શકે છે.  ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮માં   એક શખ્સે  મહાત્મા ગાંધીને ગોળીઓથી વીંધી નાખ્યા હતા . એવીજ રીતે અબ્રાહમ લિંકનને પણ એક સભાગૃહમાં વીંધી નાખ્યા હતા. પરંતુ બંને નેતાઓએ એમની કારકિર્દીમાં અજબ બદલાવ  લાવ્યા હતા . મહાત્મા ગાંધીએ ભારતને આઝાદી અપાવી અને એમના  માર્ગ દુનિયાના બીજા પરાધીન  દેશોને પણ આઝાદી માટે તૈયાર કર્યા અને તેમને પણ આઝાદી અપાવી. એમનું જીવન શુદ્ધ અને આદર્શમય હતું. લોક સેવા સિવાય એમને બીજો કોઈ ઉદ્દેશ ન હતો. 'મારું જીવન જ મારો સંદેશ છે'  દ્વારા એમણે કરોડો લોકોને સાદું, નીતિમય અને ધાર્મિક જીવન જીવતા શીખવ્યું . 



                                                          એવી જ રીતે અબ્રાહમ લીન્કને અમેરિકામાં ગુલામી પ્રથા દૂર કરી રંગભેદ ને નાબૂદ કર્યો.  એમણે એમના જીવનમાં અમુક સિદ્ધાંતોનું પાલન કરીને લોકોમાં દાખલા  બેસાડ્યા. એમના દીકરાને એની સ્કૂલમાં બીજા બધા વિદ્યાર્થીની જેમ જ  ગણવાની એના શિક્ષકોને તાકીદ કરી હતી.  એમનો  શિક્ષકને લખેલો એ  પત્ર  આજે પણ  ઇતિહાસિક  બની ગયો છે. તેઓ માનતા કે દરેકને 'સમાન માનવાના' બંધારણીય હક્કો છે. એમનું સાદું જીવન અને આદર્શમય સિદ્ધાંતો અમેરિકન લોકો માટે એક સંદેશ રૂપ બની ચુક્યા છે.



     


                                                   

 નેતાઓ સાદું અને સિદ્ધાંત પ્રેરિત જીવન સમાજમાં લોકોની દ્રષ્ટિમાં પણ બદલાવ લાવે છે. સ્વાર્થી અને નીતિ વગરના નેતાઓ સમાજમાં  દુરાચાર ફેલાવી શકે છે.  એથી નેતાઓના દુરાચારને લીધે જ આજે દુનિયામાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. લાલબહાદુર જેવા નેતાઓને આજે પણલોકો યાદ  કરે છે કારણકે એમણે એમના સાદા અને સ્વચ્છ જીવન દ્વારા લોકોમાં દાખલો બેસાડ્યો હતો. એમણે કાર ખરીદવા માટે બેંક પાસેથી લોન લીધી હતી.  ભારતના  વડા  પ્રધાન હોવા છતાં એમની પાસે કોઈપણ મૂડી ન હતો. તેઓ પ્રધાન હોવા છતાં પણ એની જાણ એમની માતાને  ન હતી કારણકે  તેઓ માનતા કે તેમની ' માં' ભૂલથી પણ એમના હોદ્દાનો ઉપયોગ ન કરે. એમનું જીવન જ લોકો માટે એક દ્રષ્ટાંત બની રહ્યુ  છે .  પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ એમની જે કઈ થોડી બચત એમના સરકારી આવકમાંથી મળી હતી તે કુટુંબ ને આપવાને બદલે  વિદ્યાપીઠને આપી દીધી હતી. એમને મળેલી નાની મોટી કિંમતી  ભેટો પણ લોકસંસ્થાઓને આપી દીધી હતી.  આજે તો કેટલાક નેતાઓએ રાજકારણને  એક આર્થિક ઉત્પાદનનો  ધંધો બનાવી દીધો છે જે લોકોને  ગલત સંદેશો આપે છે.



                                          અમેરિકન પ્રમુખ  ટ્રુમેન સામાન્ય કુટુંબમાંથી  આવતા હતા અને ધંધામાં પણ એમને સફળતા મળી ન હતી .  તે છતાં મહેનત અને ઈમાનદારીથી અમેરિકાના પ્રમુખના પદે પહોંચ્યા હતા.  બીજા વિશ્વ યુદ્ધનો અંત લાવી  શાંતિ સ્થાપવામાં એમનો મોટો ફાળો હતો.  એમણે અમેરિકાને યુદ્ધ દરમિયાન   બહાદુર નેતાગિરી  પુરી  પાડી  હતી.  પરંતુ એમનું જીવન સાદું અને પ્રામાણિક હતું.  વાઈટ હૉઉસ છોડ્યા પછી એમની પાસે રહેવાનું ઘર ન હતું એટલે એમણે એમના સાસુના ઘરમાં રહેવું પડ્યું હતું. નિવૃત્ત પ્રમુખને મળતું ૨૫૦૦૦ ડોલરના વાર્ષિક પેંશનમાંથી જ પોતાનું  જીવન વિતાવ્યું હતું. એ પહેલા પ્રમુખ હતા જેણે રાજ્ય તરફતી મળતા સ્વાસ્થ્ય લાભ' મેડિકેર' નો ઉપયોગ કર્યો હતો.  કેટલાએ પ્રમુખો એમના નિવૃત્તિ સમયમાં કરોડો ડોલરના માલિકો હોય છે.  ટૂંકમાં  'ટ્રુમેન વાઈટ હૉઉસમાં   કઈ પણ  લીધા વગર આવ્યા હતા ને કઈ પણ લીધા સિવાય સામાન્ય માણસની જેમ  ગયા હતા' . આજ એમના સ્વચ્છ  રાજકીય જીવનનો પુરાવો છે.  લોકો માટે અને રાજકારણીઓ માટે ઉમદા દ્રષ્ટાંત છે.

                                           આદર્શ  નેતાઓજ  સમાજમાં બદલાવ લાવી શકે છે.

                                       ********************************************* 

                        

Sunday, January 17, 2021



વૃદ્ધાવસ્થા                                  

                                                  બુઝર્ગો જેઓ રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો ફાળો વિવિધ ક્ષેત્રોમાં આપીને નિવૃત્ત થાય છે ત્યારે તેમની સાથે સમાજ કેવો વ્યહવાર  કરે છે એના પર માટે  સમાજનું મૂલ્યાંકન થાય છે.  બુઝર્ગોનું સમાજ કેટલું સન્માન કરેછે અને સગવડો આપીને એમની નિવૃત્ત જીવન  સરળ બનાવે એના પર જ સમાજની સંસ્કૃતિનો ખ્યાલ આવે છે.  દુનિયામાં વૃદ્ધોનું જીવન ધારીએ એટલું સરળ નથી  એમાં સમાજની  એને મદદ  અને સહાનુભૂતિ  આવશ્યક છે. 

                                                  પશ્ચિમી સમાજમાં વૃદ્ધોને યોગ્ય માન અને સ્થાન આપવામાં આવે  છે. એમના માટે જુદી બેઠકો, વિકલાંગ બુઝર્ગો માટે જુદી વ્યવસ્થાઓ, એમના માટે  અમુક દિવસોએ ઓછા ભાવથી વેચાણોની વ્યવસ્થા કરવામાં આવે છે. રેલવે/ વિમાન પ્રવાસમાં  અને સિનેમામાં પણ ઓછી કિંમતે ટિકિટો  આપી એમના જીવનને હળવું બનાવવામાં આવે છે.  એમને ઉત્તમ મેડિકલ સગવડો એમની આવક પ્રમાણે  પુરી પાડવામાં આવે છે .  વાહન ધારકો માટે પણ બુઝર્ગોને લાગતા ઉત્તમ નીતિ નિયમો બનાવ્યા છે.  જ્યારે બુઝર્ગો રસ્તા પરથી પસાર થતા હોય તો વાહનો તેમનાથી દૂર રાખવાના નિયમો બનાવવામાં આવ્યા છે.  આ રીતે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેનું  એમનું  ઋણ અદા કરવામાં આવે છે. સામાજિક સમારંભો એમને અગત્યનું સ્થાન પણ આપવામાં આવે છે. સરકાર એમની ફરિયાદોને  મહત્વ  આપેછે . એમના માટે જુદા જુદા  કમિશનો બનાવવામાં આવ્યા છે જે એમની શારીરિક , આર્થિક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પરંતુ એમાં એકજ ઉણપ છેકે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોની  નાજુક  લાગણીઓની ઘણીવાર અવગણના થતી હોય છે.  એમાં સમાજની આર્થિક અને કુટુમ્બીક વ્યવસ્થા જવાબદાર બની રહે છે. ઘણીવાર બધી સગવડો સાથે બુઝર્ગોની સ્થિતિ મશીન સમાન બની રહે છે. કુટુંબીજનો તરફથી  એમની  ઈમોશનલ જરૂરિયાતઓ સમયને  અભાવે સંતોષાતી નથી. એજ ભૌતિક સમાજની કમનસીબી છે.  વૃદ્ધ અવસ્થામાં ઘણીવાર આર્થિક સાથે પ્રેમ અને કુટુમ્બીક કાળજીની પણ જરૂરિયાત હોય છે. આજ પશ્ચિમી સંસ્કૃતિની કમી છે.

                                                  પૂર્વની   સંસ્કૃતિમાં સયુંકત કુટુંબ પ્રથાએ એક સમયે વૃદ્ધોની સ્થિતિ સારી  હતી.  એમનું  સમાજમાં માન દરજ્જો જળવાઈ રહેતો હતો . એમના જીવનના અનુભવો અને જ્ઞાનનો ઉપયોગ કુટુંબમાં ઉપયોગમાં લેવાતો. ભારત, ચીન અને જાપાન જેવા દેશોમાં સમાન સંસ્કૃતિ અને સંજોગો પ્રવર્તતા હતા   પરંતુ દેશોની  ભૌતિક  પ્રગતિએ અને ઉદ્યોગીકરણે  માનવી પોતાની જાત અને પોતાના કુટુંબને મહત્વ આપવા માંડયું અને સંયુક્ત કુટુંબ તૂટવા મંડાતા કુટુંબોમાં વૃદ્ધોની પરિસ્થિતિ વિપરીત થવા માંડી. કુટુંબોમાં એમનું માન ઓછું થવા માંડયું  અને એમને કુટુંબમાં એક બોજા સમાન કેટલાક લોકો માનવા લાગ્યા . આથી આજે ઘરડા ઘરો વૃદ્ધોથી ઉભરાવા માંડ્યા છે .અને ઘણા વૃદ્ધોની હાલત ખરાબ બની રહી છે. હવે સરકાર અને સમાજ વૃદ્ધો માટે જાત જાતની નાણાકીય સહાય  અને કાયદાઓ બનાવી રાહત આપવા  પ્રયત્નશીલ છે  પરંતુ કુટુમ્બીક લાગણી અને પ્રેમ  જેવી  રાહત આવી ભૌતિક વસ્તુઓ વૃદ્ધોને  વૃદ્ધાવસ્થામાં આપી શકે નહીં . ઘણીવાર વૃદ્ધોની અવગણના કરવામાં પણ આવે છે.  ઘણા સભારંભોમાં એમને અલગ પાડી એમને દૂર પણ રાખવામાં આવે છે. કેટલીક યુવા વસ્તી એમને વપરાઈ ગયેલી શક્તિ સમજી એમની અવગણના પણ કરે છે.  એ લોકો એ પણ ભૂલી જાય છે કે એક દિવસે તેઓ પણ વૃદ્ધાવસ્થામાં પહોંચવાના છે.  આ સમાજની એક કમનસીબી જ ગણાય.

                                                      વૃદ્ધો વિષે જે સર્વેના આંકડા  જોઈએ તો  વૃદ્ધોની બેહાલી સમજી શકાય છે.  સર્વે કહેછે કે ૫૦%વૃદ્ધોને જમવા જુદા બેસાડાય છે. ૨૦% ને સગવડો હોવા છતાં ઘરના લોકોથી અલગ રખાય છે. ૯૦%પુત્રોને કામ પરથી આવ્યા પછી માબાપ સાથે વાત કરવાનો સમય હોતો નથી .  ૭૦% માં બાપને તમને  શું સમજ પડે કહી ટાળવામાં આવે છે.  ૯૦%  માં બાપને સામેથી પૈસા વૃદ્ધ અવસ્થામાં   માંગવા પડે છે . શરીર સારું નથી ચાલતું  હોતું નથી. નજદીકના સગા સ્નેહીઓ, મિત્રો અને કદીક પતિ પત્નીમાંથી એક ચાલી જવાથી એકલા પડી જાય છે અને નવા નવા લોકો સાથે પારો પડે છે  એનાથી એમની તકલીફો વધી  જાય છે. 

                                                   વૃદ્ધ પ્રત્યે દરેકનો અભિગમ ખરાબ  હોય છે એમ  કહેવું યોગ્ય નથી પરંતુ એમાં અપવાદોને ગણી શકાય નહિ .  મૂળમાં તો  બુઝર્ગોને એમની વૃદ્ધાવસ્થામાં  પ્રેમ, લાગણી અને માવજતની પૈસા કરતા વધારે જરુરુયાત  હોય છે.  જે સમાજની અને કટુંબની  ફરજ બની રહે છે.

                                          ***************************************