Wednesday, April 6, 2016


 વલ્લભી વિદ્યાપીઠ
                                         ગુજરાત પૂરાણિક સમયથી ધર્મ,સંસ્કૃતી, વેપાર ઉદ્યોગનુ કેંદ્ર રહયુ છે. ઍ આધ્યાત્મિક ગુરુઓ અને સંતોની ભૂમિ રહી છે. ભારતના ઍવા  કોઈક જ સંત હશે જેણે ગુજરાતની પુણ્ય ભુમીની મુલાકાત ન લીધી હોય.  ભગવાન કૃષ્ણે જ્યારથી દ્વારીકામા વાસ કર્યો  ત્યારથી ગુજરાત પુણ્ય ભૂમિ બની ચૂકી છે. દયાનંદ સારસ્વતીથી માંડીને તે સહજાનંદ સ્વામી અને કબીરથી તે સ્વામી વિવેકાનંદે પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. ઇતીહાસના પાના પર મોટા સમ્રાટો, શાહેનશાઓ અન રાજાઓ પણ ગુજરાતની સમૃધ્ધિ પર આફરીન હતા. ભૌતિક  સમૃધ્ધિ સાથે પ્રાચીન કાળમા પણ ગુજરાત વિદ્યાનુ પણ  ધામ હતુ. તક્ષશિલા અને નાલંદા કક્ષાની  વલ્લભીપુર વીદ્યાપીઠ પણ હતી.  ઍમા ૮૦૦ શિક્ષકો અને ૬૪૦૦ વિદ્યાર્થી શિક્ષણ લેતા હતા.
               
                           
 વલ્લભી વીદ્યાપીઠની સ્થાપના ત્રીજી સદીમા સમ્રાટસ્કંદગુપ્તના વખતમા વલ્લભીપુર ખાતે થઈ હતી. વલ્લભીપુર અમદાવાદથી ૧૬૦ કીલોમીટરના અંતરે ભાવનગર જીલ્લામા આવેલુ છે. વીદ્યાપીઠનો ઉલ્લેખ સ્કન્દ પુરાણ અને પાણીની ઍ ઍના પુસ્તકમા પણકરેલો છે. ચીની પ્રવાસી  જિયાન જંગે ૬૪૭ મા વલ્લભીવિદ્યાપીઠની ભવ્યતા અને સમૃધ્ધિના પ્રસંસા કરી છે. તે વખતે વલ્લભીવિદ્યાપીઠ બૌધ્ધ ધર્મ નુ અગત્યનુ અભ્યાસી સ્થળ હતુ. ઍવુ કહેવાય છે કે રાજકર્તાના ધર્મ પ્રમાણે વીદ્યાપીઠમા તે ધર્મ નુ ચલણ રહેતુ. પરંતુ ઍ વીદ્યાપીઠ હિન્દુ જૈન અને બૌધ્ધ ધર્મના અભ્યાસનુ અગત્યનુ સ્થળ હતુ.

                                                  વલ્લભીપુર નામ સાથે વલ્લભ ઍટ લે કૃષ્ણ સાથે સબંધ હોય ઍવા કોઈ ઇતિહાસીક પુરાવા નથી પરંતુ ઍ સુતરનુ મોટુ વેપારિક કેન્દ્ર હતુ.  આથી વલ્લભીપુર નામ વલહિ સુતર પરથી આવ્યુ હશે ઍમ માનવામા આવે છે.  વલ્લભીપુરનો નાશ દરિયાના પાણી ફરી વરવાથી થયુ ઍમ માનવામા આવે છે. તે ઉપરાંત જમીનના પાણી પણ ખારા થઈ ગયા હશે. તેથી લોકો પણ સ્થળ છોડી ગયા હશે.


                                                       વલ્લભીપૂરને ફરીથી શિક્ષણનુ ક્ષેત્ર બનાવવા માટે ત્યાના સમૃધ્ધ હીરાના વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છે. વલ્લભીપુરમા ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે ઍવી સંસ્થા ઉભી કરવા માંગે છે.  અને વલ્લભીપુર વીદ્યાપીઠની સમૃધ્ધિ પરત લાવવા માંગે છે.
                                                       ****************************************

Saturday, March 19, 2016

સંસારનો સાર
                                                                            ઍક્વાર સ્વામી ચિન્મયાનન્દે ઍમના પ્રવચનમા ક્હ્યુ કે આજીવનમા દરેકે બની શકે ઍટ લી મદદ જરૂરીયાત જનોને કરવી જોઇઍ. ત્યારે ઍમને ઍક શ્રોતાઍ પુછ્યુ ' જે લોકો અમારી પ્રગતિની વચમા આવ્યા હોય ઍમને મદદ શા માટે કરવી?' સ્વામીજી ઍ  તર્ત ક્હ્યુ' ઍ લોકો છે તો તમારી સફળતાની કીમત છે. માટે તમારે ઍમને મદદ કરવી જોઇઍ.'  ટૂકમા સફળ માનવીઓઍ જરૂરીયાત મન્દો ને સહાય કરવી જોઇઍ.
                                                                           કબીરતો અભણ પણ જ્ઞાની હતા.  મોટા માણસનો શુ અર્થ છે જે બીજાને મદદ ન કરે?  ઍમણે ઍમના દોહામા કહ્યુ છે કે 'બડા હુઆતો ક્યા હુઆ, જૈસે પેડ  ખજુર, પંથી કો છાયા નહી, ફળ લાગે અતી દુર.'
                                                                           જીવનમા ઘણા લોકો દુખમા જભગવાનને  યાદ  કરે છે.  સુખમા પ્રભુને ભૂલી જાય છે. આથી દુખ અસહ્ય થઈ જાય છે.  કબીર ઍટલા માટે કહે છે ' દુઃખમે સુમરન સબ કરે, સુખમે કરે ન કોય. જો સુઃખમે સુંમરીન  કરે, તો દુઃખ કાહે હોય?
                                                                          બીજુ જીવનમા જેવી દ્રષ્ટી તેવી દુનિયા તમને નજરે આવે છે. ઍટલે આપણી દ્રષ્ટિને સકારાત્મક રાખવી ઉચિત છે.  ઍ બાબતમા કબીરનુ કહેવુ છે કે 'બુરા જો દેખન મે ચલા, બુરા ન મિલિયા કોઈ. જો દિલ ખોજા  અપના, મુજાસા બુરા ન કોઈ.
                                                                           સારા અને ખરાબ દિવસો તો જીવનમા આવ્યા જ કરે, પરંતુ દરેક પીડિત પર કરુણા અને દયા રાખવી જરૂરી છે. આપણે પણ ક્યારે બુરી દશામા આવી પડીઍ ઍ વિષે આપણ ને પણ ખબર નથી. ઍ બાબતમા કબીર સચો ડ શબ્દોમા કહ્યુ છે ' માટી કહે કુંભારકો  તૂ કાયે રોંધે મોય,, ઍક દિન ઐસા આયેગા, મે રોંધે તુય. 'આવુ  અસામાન્ય જ્ઞાન અભણ વણકરમા હતા.
                                                                          ઍટલે   જ્ઞાન બાબતમા પ્રકાશ પાડતા ઍ આગળ કહે છે '  પોથી  પઢકર  જગ મુઆ,  પંડિત ભયા ન કોય. ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.' વાંચવાથી ફક્ત જ્ઞાન આવતુ નથી સાથે સાથે  પ્રેમ પૂર્વક સમજીને વાંચવુ જરૂરી છે.
                                                                            કબીર હિન્દુ હતા કે મુસલમાન હતા. કોઈ ને ખબર નથી. પરંતુ  ઍમને ઉછેરવામા મુસ્લિમ ગરીબ  વણકર હતો. તેઓ હિન્દુ શાશ્ત્રઓની ભાષા બોલતા હતા. સાઇ બાબા નૉ  પણ  ઉછેર પણ ઍક મુસ્લિમે કર્યો હતો પણ ઍમની ઉપદેશિક ભાષા  હિન્દુ ફિલોસોફી પર આધારિત હતી. આજ  ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે.
                                      ***********************************************

Thursday, March 17, 2016

હોળી


                                                                                                   ૨૩ મી માર્ચે  ભારતમા હોળીનો તહેવાર રંગેબેરંગી રંગોથી મનાવવામા આવશે. હોળી  ઍટલે વસંતનુ આગમન અને રંગેબેરંગી ફૂલોની ઋતુ. કુદરત ઍના સૌદર્યથી લોકોના દિલ મોહી લેશે. હોળી આમતો આધ્યાત્મ, અને આંતરિક રસ ઉત્તપન કરનારો તહેવાર છે, જેમા વેર જેરને દફનાવી કે દૂર કરી પ્રેમ અને ભાઈચારો વધારવાનો અવસર છે. પરન્તુ આજકાલ તો ઍમા શ્રુગાર રસ વધારે હોય છે. ઍમાથી ઘણા દૂષણો ઉત્ત્પન્ન થયા છે.  જેથી ઍ નીર્દોષ તહેવારને કલકિત બનાવી દે છે.


                                                                                                  હોળીમા અગ્નિને વધારે મહત્વ આપવામા આવ્યુ છે જે કચરાને બાળીને વાતાવરણને શુધ્ધ બનાવી દે છૅ અને દરેકને પ્રેરણા આપે છેકે આંતરિક દૂષણો પણ દૂર કરી મનુષ્યઓઍ શુધ્ધ થવુ જોઇઍ. પરંતુ ઘણુ ખરુ ઍની પાછળ નો મર્મ જ  ભૂલાઇ  ગયો છે. આથી હોળી તો આવે ને જાય છે પરંતુ સમાજમાનો કચરો તો ઍમનો ઍમ જ રહે છે.
હોળી ઍટલે---
હોળી જુદી જુદી જાતની હોય છે.
કભી કભી હિંસાની, તો કભી ઈર્ષાની.
 કામલીલાકી, ઔર સંસાર સંગર્ષની પણ હોળી હોય છે.
હોળી ઍટલે---
પણ ઍવી પણ હોળી હોય છે
જે જીવનને રંગોથી ભરી  દે,
દિલોને દિલોથી મિલાવી દે
નયા ઉમંગોથી ભરી દે
ઔર મૌસમોમા મસ્તી ભરી દે
હોળી ઍટ લે---
માનવીઓના મન ને નિર્મળ કરવા વાળી
દૂષણોને ભગાડ નારી પણ હોળી હોય છે.
ભારત દેસાઈ
                                                                ***********************************

Monday, March 14, 2016

ગુજ્જુઓ શા માટે  ઈર્ષાના ભોગ બન્યા છે?
                                                                  ગુજરાતીઓને મજાકમા ગુજ્જુભાઇ કહીને બોલાવવામા આવે.  શા માટે? ઍના કારણો જાણવા માટે બહુ દૂર જવુ  પડે  જવુ પડે ઍમ નથી. ગુજરાતીઓ મુળથી જ વેપારી અને સાહસિક પ્રજા છે. પોતાનો રસ્તો પોતાની રીતે શોધી કાઢે છે.
૧) ૨૦૦૧ મા  ભયંકર ધરતીકંમ્પ કચ્છ અને ગુજરાતમા આવ્યો હતો અને લોકોને ઍમ કે ગુજરાત હવે બેઠુ નહી થઈ શકશે. પરંતુ થોડા સમયમા જ ગુજરાત રાજ્ય અને કચ્છ જીલ્લો  ઍકદમ વિકસીત બની ગયા. ૨૦૦૨ ના હૂલ્લડો બાદ ગુજરાતમા શાંતિનો ભંગ થયો. લોકોને હતુકે ગુજરાતમા અસલામતી વધી જશે પણ ૨૦૦૨ પછી કોઈ પણ હૂલ્લડો થયા નથી. સ્ત્રી સલામતીની બાબતમા દેશમા ઉંચ નંબર પર છે. અમદાવાદ ૨૦૧૦મા તો આખા  ઍશિયીયામા જડપથી વિકસતુ  શહેર બની ગયુ હતુ.  આ બધી ઈર્ષાની બાબત નથી?
૨) દુનિયાની કોઈ પણ ખૂણે તમને ગુજરાતી મળશે. તેમની કમાણીના કરોડો રૂપિયા ગુજરાતમા  થલવાઇ રહયા છે. દુનિયાને ખૂણે ખૂણે સ્વામીનારાયણ ના મંદિરો બાંધીને  ગુજરાતીઓે ઍ ભારતીય સંસ્કૃતી અને કલાનો પ્રચાર કર્યો છે. અમેરીકામા પટેલો ઍ પોતાની મોટેલ રૂમોમા શ્રીમદ્ ભગવદ ગીતાની કૉપીઑ  રાખવાની હિમ્મતો રાખી ચૂક્યા છે.
૩)  ગુજરાતીઓ  વિશ્વના ૯૦% હીરાના પૉલિશ કરવાના વેપાર પર  પ્રભુત્વ ધરાવે. આથી ઍ હિરાઓને સ્પર્શ કરનારા વિશ્વ નાગરિકો ઍની ચમક અને સુંદેરતા જોઈને ગુજરાતીઓને બિરદાવતા હશે. ઍ જોઈને  સ્વભાવિક રીતે ઈર્ષા થાય ઍમા કઈ આશ્ચર્ય પામવા જેવુ નથી.


૪) ગુજરાતમા દારુબન્ધી, અને રાજ્ય શાકાહારી પણ છે.  અમેરિકાના અશ્વેત નેતા માર્ટિન લુથેર કિંગ અને આફ્રિકાના નેલ્સન મંડેલાના ગુરુ મહાત્મા ગાંધીની ગુજરાત જન્મ અને કર્મભૂમિ છે.  તથા ભારતને બે પ્રધાન મંત્રીઓ મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીની ગુજરાત જન્મ અને કર્મભૂમિ પણ છે.




૫)  ગુજરાતે  ધીરુભાઇ અંબાણી, આજીમ પ્રેમ જી, વિક્રમ સારાભાઈ. સામ પિત્રોદા. હોમી ભાભા,  ટાટા, સુનિતા વિલિયમ,વાડીયાસ, જેવી વિશ્વ વિખ્યાત વ્યક્તિી ઓની ભેટ પણ આપી છે.
                                                                  આથી જો  ગુજરાતીઓને ગુજ્જુભાઇ કહેવામા આવતા હોય અને કેટલાકને ઈર્ષા થતી હોય તો દરેક ગુજરાતીને ગર્વ  થવો  જોઈ ઍ.
                                      ***************************************
 

Monday, February 15, 2016


મોદી સરકારનુ સરવૈયુ
                         મોદી સરકારની સિધ્ધિઓની ઑછી ચર્ચા થાય છે પરંતુ કેટલાક પ્રધાનૉના અને' બીજેપી' નેતાઓના બિનજવાબદાર નિવેદનોમાથી પોરા કાઢી  તેની ચર્ચાઓ વધુ થાય છે. રાજ્યોમા થતી ઘટનાઓ સાથે મોદી સરકારને કોઈ લેવાદેવા ન હોવા છતા મોદી સરકાર પર પથ્થરો ફેકવામા આવે છે. ઍમા થોડેઘણે અંશે સરકારી પ્રચાર સસ્થાઑની  નિસ્ક્રીયતા પણ જવાબદાર છે. કારણ કે સરકારની સિધ્ધીઓને જનતા સુધી પહોચાડવામા સરકારી સંસ્થાઓ નિષ્ફળ નીવડી છે.
                            આંતરાષ્ટ્રીય ક્ષેત્રે નરેન્દ્ર મોદીઍ ભારતની છબી ગરીબ રાષ્ટ્ર કરતા વિશ્વની ઉભરતી  મહાસત્તા તરીકે ઉભી કરી છે.  પરદેશી નાણાઓના રોકાણમા ૪૦%વધારો થયો છે. ભારતના વિદેશી ચલણ નુ બૅલેન્સ ઍક્દમ ઉંચે ગયુ છે. કરંટ  અકાઉંટની પુરાંત ઑછી થઈ ગઈ છે.  વેપારિક  ઇંડેક્સ ૫૪.૩ સુધી ઉપ્પર ગયો છે અને મૅન્યૂફૅક્ચરિંગ તથા સર્વિસ સેક્ટર નો ઇન્દેક્ષ ઉપ્પર ગયો છે.  મોટરકારનુ  ઉત્પાદન વધ્યુ છે. સોફ્ટવરેનો નિકાસ પણ વધ્યો છે, કોલસાનુ ઉત્પાદન ૨૦૧૫ મા  ઍકદમ ઉંચાઇઍ  થયુ હતુ. નાના અને નવા ઉધ્ધોગોને પણ પરદેશી ધિરાણ મળવા માંડ્યુ છે. ઍલેક્ટ્રિસિટી નુ ઉત્પાદન પણ વધ્યુ છે.  જૂના અને નકામા  ૧૨૫ કાયદાઓને રદ કરવામા આવ્યા છે. રેલવે  પણ હવે  રેકૉર્ડ  કૅપિટૅલ રોકાણ કરવા માંડી છે. નવા રસ્તાઓ બાંધવામા સરકારે પહેલ કરી છે.  આ બધુ સરકારની  પ્રોત્સાહિત નીતિને જ આભારી છે.
                               પરંતુ  મોંઘવારીને ઘટાડવામા સરકાર સફળ થઈ નથી. મોંઘવારીનો દર ૫.૬૧% જેટલો ઉંચો રહ્યો છે. ગ્રામીણ વિસ્ત્તારમા રાહત પહોચાડવામા સરકાર નિષ્ફ્ળ નીવડી છે.  ઍના પ્રત્યાઘાત બિહારની ચુટણીમા પડી ચૂક્યા છે. પરદેશમા રહેલા કાળા નાણા લાવવામા સરકાર સફળ થઈ નથી.
                                 આમ મોદી સરકારે 'સારા દિવસો લાવવા માટે ઘણુ કરવાનુ બાકી છે અને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
                                        **********************************

Thursday, February 4, 2016


નેતા
                                                       દેશ ચલાવવા માટે ઉત્તમ નેતાગિરીની જરૂર હોય છે. ઉત્તમ લોકો હોય શ્રેષ્ટ બંધારણ હોય પરંતુ નેતા જો નીર્બળ હોય તો દેશની અધોગતિ થાય છે. ઍટલે ઍક વાત બહુ જ પ્રચલિત બની છેકે ' જ્યારે રોમ બળતુ હતુ ત્યારે રોમન સમ્રાટ નિરો ફ્યૂડલ વગાડતો હતો.' ઍટલે કે દેશનો નાશ થઈ રહ્યો હતો ત્યારે રાજા બેદરકારી પૂર્વક આયાશીમા મશગૂલ હતો આ વાત નેતાગીરીને પણ લાગુ પડે છે.


                                           
                                        કૃષ્ણની નેતાગીરીઍ  પાન્ડવોને જીત અપાવી. સિજ઼રને લીધે રોમનો વિશ્વ વિજેતા બન્યા. નેપોલીયનની નેતાગીરી નીચે ફ્રાન્સે મહાનતા પ્રાપ્ત કરી.આધુનિક યુગમા પણ લેનિન અને માત્સે તુન્ગ ની સફળ આગેવાની ને લીધે રશિયન અને ચીનની ક્રાંતિ સફળ રહી. અબ્રાહમ લિંકનના નેતૃત્વ નીચે ગુલામી પ્રથા અમેરીકામાથી નાબૂદ થઈ શકી. ગાંધીજીની મજબૂત આગેવાની નીચે ભારત સ્વતંત્રતા  મેળવી શક્યુ. આ બતાવે છૅ કે સબળ નેતૃત્વ જ કોઇ પણ દેશની સફળતાના મુળમા હોય છે.

                                      સબળ નેતા માટે  અમુક  ગુણોની પણ આવશક્યતા હોય છે. જેવાકે-
૧) તેઓ સમય વેડફતા નથી અને પોતાના નિર્ણયો માટે ખેદ અનુભવતા  નથી.
૨)પોતાને મળેલી સત્તાને  વેડફી નાખતા નથી.
૩) તેઓ સમયને ઓળખીને ચાલે છે.
૪) તેઓ પોતાની સત્તા બહારની વસ્તુઓ પર ધ્યાન આપતા નથી.
૫) બધાને ખુશ કરવા માટે ચિંતા કરતા નથી
૬) ગણતરી પૂર્વકના  નિર્ણયો લેવામા માને છે.
૭) ભૂતકાળને વાગોળવા કરતા ભૂતકાળમાથી શીખવા પ્રયત્ન કરે છે.
૮) ઍકની ઍક ભુલ વારે ઘડી કરતા નથી.
૯)બીજાની સફળતાને સરળતાથી સ્વીકારી લે છે.
૧૦) નીડર હોય છે. ડર જેવો  શબ્દ ઍમની ડીક્ષનરી મા હોતો નથી.
૧૧) ઍમને દુનિયા પાસે કોઈ અપેક્ષા નથી.
૧૨) તેમને કોઈ વસ્તુની જલ્દી જલ્દી પરિણામની  અપેક્ષા નથી હોતી અને પહેલી નિસ્ફળતાથી  નાશિપાસ થતા નથી.

                                           આવા ચરિત્રવાળા નેતાઓ  જ સફળતાને  વરતા હોય છે અને દરેક રાષ્ટ્રો આવા વિચિક્ષણ નેતાની તેમના ઉધ્ધાર માટે રાહ જોતા હોય છે.

                                           ****************************************                  

Wednesday, February 3, 2016


હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ
                          હિન્દુ ધર્મનુ નામ સીંધુ નદી પરથી આવ્યુ છે. સીંધુ નદીના .પશ્ચિમ તરફ હિન્દુ સંસ્કૃતિનો જબરજસ્ત પ્રભાવ વધતો રહ્યો હતો. હિન્દુ ઍક ધર્મ કરતા જીવન જીવવાની પધ્ધતિ બની રહી. ઍમા  વિવિધ કળાઓના અને વિચારોના વિકાસને પણ મહત્વ આપવામા આવ્યુ છે. આથી હિન્દુ સંસ્કૃતી ઍ કેટલા ચીંતકો, વીદ્વાનોના પ્રદાનથી બનેલી સંસ્કૃતી છે.
                           બુધ્ધ, જૈન, શિખ ધર્મોના પાયામા હિન્દુ વિચારધારાના મૂળિયા છે. હિન્દુ ધર્મનો કોઈ સ્થાપક છે કે પછી ન કોઈ ઍનો સંચાર કરનાર સંસ્થા છે. ઍટલા માટે જ ઍને સનાતન ધર્મ માનવામા આવે છે.

                           હિન્દુસ્તાન ઍ વધારેમા વધારે હિન્દુ વસ્તીવાળો દેશ દુનિયામા નથી કારણ કે હિન્દુઓની વસ્તી ૮૦.૫% છે જ્યારે નેપાળમા હિન્દુઓની વસ્તી ૮૩.૩%. છે. તે છતા ભારતમા આશરે  ૮૦ કરોડ હિન્દુઓ વસે છે. ભારત ઉપરાંત હિન્દુ ધર્મનો પ્રભાવ નેપાળ, બંગલા દેશ, માઇયૂનમાર,(બર્મા), માલાયા, કોમ્બાડિયા, થાઇલૅંડ. ઈંડોનેશિયા અને બીજા દક્ષિણ ઍશિયન દેશોમા છે.
                           ભારતમા  ૧૦૮૦૦ જાણીતા મંદિરો છે પરન્તુ ઍ જાણીને આશ્ચર્ય થાઇ છે કે મોટામા મોટુ હિન્દુ મંદિર કોંબોડિયામા છે. તાજેતરમા જ દરિયામા ડૂબી ગયેલુ હિન્દુ મંદિર ઈંડોનેશિયામા મળી આવ્યુ છે. માલાયામા સુબ્રમણિયામ સ્વામી નુ ઉંચામા ઉંચુ સ્ટૅચ્યૂ છે.  સમુદ્રમંથનનુ સ્ટૅચ્યૂ થાઇલૅંડના સુવર્ણભૂમિ ઍરપોર્ટની બહાર ઉભેલુ છે.
                           ચીનને માર્શલ આર્ટ ઍ ભારતની ભેટ છે.  યોગા, ડેસિમલ સિસ્ટમ, જીરો, (૦), લગ્ન વ્યવસ્થા, વાસ્તુ શાશ્ત્ર, આર્યુવેદ, નક્ષત્ર શાશ્ત્ર, કૉસમિક ઍનર્જી, ઍ હિન્દુ સંસ્કૃતિની દેણ છે.
                             અમેરિકન પ્રમુખ ઓબામા હનુમાનનુ નાનુ પ્રતીક ઍમના ખીસામા લઈને ફરે છે, કારણકે ઍને ઍ શક્તીનુ પ્રતીક સમજે છે ઍપલના સ્થાપક સ્ટીવ જોબને પણ હિન્દુ સંસ્કૃતિમા ઘણી શ્રધ્ધા હતી ઍટલા માટે ઍમણે ભારતની મુલાકાત લીધી હતી અને ફેસ બૂકના સ્થાપક  માર્કને  આધ્યામિકતા અને શાંતિ માટે  કૈન્ચીધામ મંદિર, ઉત્તરાખંડની મુલાકાત લેવા સલાહ આપી હતી. આજ  બતાવે  છે કે આદિકાળથી તે આજ સુધી હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ વિશ્વ વ્યાપી રહ્યો છે.
                                              **************************************