Monday, January 27, 2020


અહમનો   સંગર્ષ
                                                                                   દુનિયામાં સર્વત્ર  જંગો  જે ચાલી  રહયા છે એની પાછળ માનવીઓનો  અહમ જ હોય છે. સિરિયામાં અમેરિકા અને રશિયાનો અહમ ટકરાઈ  રહ્યો  છે. અમેરિકા અને ઇરાનના  અહમે યુદ્ધ સુધીની નોબત લાવી દીધી છે. સમાજમાં અને રાષ્ટ્રમાં માનવી માનવી અને રાજકારણીઓના અહમ ટકરાઈ જાય છે  ત્યારે અનાચાર સર્જાય છે.

                                                                                   માનવી એક વસ્તુ ભૂલી જાય છેકે  કુદરતની કે પ્રભુ આગળ એમની અમુક મર્યાદાઓ હોયછે, અને એમાં એના અહમના ચૂરેચૂરા થઇ જાય છે.  એને  કવિતામાં નીચે મુજબ વર્ણવી છે, પરંતુ  એ સમજવું માનવી માટે મુશ્કેલ છે.  માનવી મોહમાયાના અંધારપટમાં આંધળો બની ચુક્યો છે.

                                            " ઊંચા  ડુંગરો બનાવી પ્રભુએ
                                             માનવીના  અહમને પડકાર્યો છે
                                              ઊંડા સાગરો બનાવી
                                              માનવોને  તેમની મર્યાદા  બતાવી છે
                                              મગરમચ્છની જેમ દોડી જતી
                                               નદીઓ વહેવડાવી
                                               માનવોની ગતિને પડકારી છે
                                               વીજળીના ભયંકર કડાકાઓમાં
                                               માનવીના ઉન્માદને પડકાર્યો છે
                                                વંટોળોના વંટોળમાં
                                                માનવોને ચકરાવે  ચઢાવે  છે
                                                જંગલની  પરમ શાંતિમાં
                                                જંગલી પશુઓ  વસાવી
                                                માનવી માનવી વચ્ચેની    જંગલીયાતને
                                                 પ્રાણીઓ કરતા બદતર બતાવી છે"
                                                 ભારત દેસાઈ

                                              ****************************
 


                                                     
                                     

Sunday, January 12, 2020


કુદરતનું સ્વર્ગ
                                                                                       કુદરતમાં જ સ્વર્ગ સમાયેલું છે એવું આપણા પૂર્વજો માનતા હતા એથી કુદરતના ભાગરૂપ નદી , સમુદ્ર,  હિમપર્વતો, વાયુ , નીર, અગ્નિ અને ધરતી વગેરેની પુંજા કરતા. એમની જાળવણી કરતા. આથી કુદરત પણ એમના પર આફરીન રહેતી અને એમના અસ્તિત્વને જાળવવામાં હંમેશ અનુકૂળ રહેતી. પરંતુ પ્રગતિના નામે અથવા  પોતાના સ્વાર્થ સાધવા જ્યારથી  માનવોએ કુદરતને લૂંટવા માંડી  ત્યારથી કુદરત રૂઠી છે અને હવે  વાવાઝોડા, નદીઓમાં પૂર, દરિયાનું તાંડવ, હિમ પ્રપાત અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સામાન્ય થઇ ગઈ છે. હવામાન વિપરીતથઈ ગયું છે. માનવજાતને માટે વાતાવરણ વિષમય બની ગયું છે . રોગચાળો વધી ગયો છે.
                          ભૂતકાળમાં જે કુદરતને ખોળે માનવો  અંતિમ જીવન ગાળતા તેને બદલે કુદરતી  આપત્તિઓથી  રિબાઈ રિબાઈને  મરી  રહયા છે . માનવો અને ધરતીતો એજ છે, ફક્ત કુદરતી વાતાવરણ  બદલાઈ ગયું છે. આજે પણ સંતો , સાધુઓ  કુદરતને શરણે જ રહે છે કારણકે એજ ધર્મ કહે છે.
                             ભૂતકાળમાં પણ સાધુ સંતો હિમ પ્રદેશોમાં કુદરતને ખોળે રહેતા અને અદ્રશ્ય થઇ જતા. મહાભારતમાં  પણ શ્રી કૃષ્ણની  સલાહ મુજબ  પાંડવો  પિતાનું રાજકાજ છોડીને સ્વર્ગમય  હિમાલયમાં જ  કુદરતને શરણે થયા હતા કારણકે આખરે  કુદરતને ખોળે જ સ્વર્ગ સમાયેલું છે. એ સ્વર્ગમાં દિવ્ય માનવીઓ જ લાંબો વખત પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.  એને  કવિએ બહુજ સુંદર રીતે મૂક્યું છે.
હિમાલયની નીરવ શાંતિમાં -
હિમાલયની નીરવ શાંતિમાં ધર્મરાજ આંસુઓ વહાવે
કુદરત પણ વિલાપ કરે  પ્રચંડ પડઘાઓના  રૂપમાં
રઝળતા રઝળતા લોથપોથ થઈને  ગુમ ભાઈઓને શોધે
જે કદી  ન હતા,  એમને છેહ  દેનારા
હિમાલયની નીરવ શાંતિમાં  -----
માથું ઠંડીમાં ફાટે,  પણ દબાવી આપનાર નકુલ ક્યાં છે ?
થાકમાં ખભે  લઇ દોડનારો  ભાઈ  ભીમ  ક્યાં છે.?
કપરા કાળનો   માર્ગદર્શક  સહદેવ દેખાતો નથી
એમના એકજ શબ્દે ગાંડીવ ચઢાવનાર અર્જુન પણ ગુમ છે.
હિમાલયની નીરવ શાંતિમાં  ---
ક્યાં છે મારા  મિત્ર કૃષ્ણ,  યાદવોના સ્વામી
મુસીબતોમાં  ખડકની જેમ સાથે રહેનારા
બધા બાંધવોને બરફ ખાઈ ગયા છે.
નિરાશ ધર્મરાજ એકલા શ્વાન સાથે સ્વર્ગ દ્વારે જઈ ચઢયા
હિમાલયની નીરવ શાંતિમાં  ----
ચારેકોર કુદરતી   સૌંદર્ય જોઈને  ધર્મરાજ અચરજ ઉભા
 ગમ એટલોજ છે કે એ જોવા એના ભાઈઓ  ન રહયા
ભારત દેસાઈ
                                     ટૂંકમાં કુદરતનું  સૌંદર્યમય  સ્વરૂપ જ સ્વર્ગ છે.
                                           *************************************
 

   

Monday, January 6, 2020


રવીન્દ્રનાથ ટાગોરનું મંથન
                                                                        રવીન્દ્રનાથ ટાગોર એક મહાન સાહિત્યકાર જેમણે એમની કૃતિ 'ગીતાંજલિ'  દ્વારા નોબલે ઇનામ  મેળવ્યું   હતું. તેઓ મહાત્મા ગાંધીની પણ નજદીક હતા અને ગાંધીજીએ એમને ગુરુદેવનું નામ આપ્યું હતું. તેઓ રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રપ્રેમી હતા. એમણે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ 'વિશ્વ ભારતી વિદ્યાલય ' બનાવ્યું હતું . તેઓ મહા ચિંતક પણ હતા.
                                          તેઓ કહ્યુંછેકે  માનવી મંદિર માં શામાટે જાય છે ? મંદિરમાં જઈને માનવી  ફૂલો ચઢાવી દીપ પ્રગટાવે છે. પ્રભુને પ્રાર્થના કરે છે.  પ્રભુ સામે મસ્તક નમાવી દે છે. તે ઘણીવાર પોતાની ભૂલોમાટે  માફી પણ માગે છે. એ બધું ઠીક છે પણ માનવી જીવનમાં શું છે એ વધારે મહત્વનું છે. માનવીનું સ્વરૂપ જે મંદિરમાં હોય છે એવું વ્યહવારમાં હોતું નથી.


                                         આથી ગુરુદેવ રવીન્દ્રનાથે  કહ્યું છે કે માનવીએ મંદિરમાં જતા પહેલા માનવીએ પોતાનું અંતર શોધ કરાવી જોઈએ  કે તે શું છે? એટલે કે એ  પહેલા પોતાના ઘરને  પ્રેમ અને દયાથી સુગંધિત કરવું જોઈએ.  પોતાનામાંથી  અંધકાર , પાપ , અભિમાન અને અહમને દૂર કરવો જોઈએ . બીજા તરફ નમ્રતા કેળવી અને કોઈને પણ દુઃખ પહોચાડ્યું  હોઈ તો એની માફી માંગવી જોઈએ.  નબળા લોકોને મદ્દદ કરી યુવાનોને શક્તિશાળી બનાવવા જોઈએ . બીજા જો કોઈ તમારું અપમાન કરે, અને  દિલ દુભાવે  તો એને માફ કરી દેવા જોઈએ.
                                           આવા વ્યક્તિવ સાથે મંદિરમાં  જવું   માનવ જીવન માટે વધુ  સુસંગત છે એવું તેઓ માનતા હતા. આવા ઉમદા ગુણો જીવનમાં ઉતાર્યા સિવાય મંદિરની મુલાકાત ફક્ત એક આંટાફેરા સમાન જ બની રહે છે. એવા એમના ઉમદા વિચાર હતા.
                                             ********************************* 

Monday, December 23, 2019



 સંપર્ક જોડાણ 

                                                                                               સ્વામી  વિવેકાનનદે સંપર્ક અને  જોડાણ વચ્ચેનો તફાવત  નીચેના પ્રસંગમાં સચોટ રીતે અમેરિકન પત્રકારોને  સમજાવ્યો  હતો. આજકાલ લોકો સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ એ ઉપરછલ્લો  હોય છે. જયારે એમાંથી આજના  વખતમાં  આત્મીયતા વિસરાઈ ગઈ છે એની બાબતમાં સ્વામીજીએ નીચેના પ્રસંગમાં  લોકોનું ધ્યાન દોર્યું છે.
                                                    
એક "સાધુ"નો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો.
પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં "સંપર્ક" ("Contact"*) અને  જોડાણ ("Connection") પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણ"માં મુકનારી છેશું તમે "સમજાવીશકશો?*
"
સંન્યાસી "સ્મિતકર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું.
પત્રકારન પૂછ્યું: તમે ન્યુયોર્કમાં રહો છો?*પત્રકાર: હા.
"
સંન્યાસી": તમારા ઘરમાં કોણ કોણ છે?*પત્રકારને લાગ્યું કે *"સાધુ"* એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણકે "સાધુ"નો સવાલ "બહુ જ વ્યક્તિગતઅને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો.
છતાં પણ પત્રકાર બોલ્યો: મારી "માંહવે નથી, "પિતા"* છે અને "3 ભાઈઓઅને એક "બહેનછે. બધા જ પરણેલા છે.
"
સંન્યાસી" "ચહેરાપર "સ્મિત"* લાવી પૂછ્યું: તમે તમારા "પિતાસાથે વાત કરો છો?પત્રકાર "ચહેરા"થી "ગુસ્સે"* થતો લાગ્યો.
"
સંન્યાસી"એ પૂછ્યું: તમે તમારા "પિતાસાથે "છેલ્લે ક્યારે વાત"કરી હતી?પત્રકારે પોતાના "ગુસ્સા"ને દબાવતા જવાબ આપ્યો: કદાચ એક મહિના પહેલા"!

"
સંન્યાસી"એ પૂછ્યું: "શું તમે ભાઈ બહેનકાયમ મળો છો? તમે "બધા જએક "પરિવાર"ની જેમ "છેલ્લા ક્યારે મળ્યાંહતાં?  એ સવાલ પર પત્રકારના માથા પર પરસેવો આવી ગયો, ઈન્ટરવ્યૂ "હુંલઉં છું કે આ "સાધુ"?* એવું લાગ્યું જાણે "સાધુ પત્રકાર"નો ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે?એક "ઉદાસીભર્યા ઉદગારસાથે પત્રકાર બોલ્યો: બે વર્ષ પહેલાં "ક્રિસમસપર.*

"
સંન્યાસી"એ પૂછ્યું: "કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા"?પત્રકાર પોતાની "આંખો"માંથી નીકળેલા "આંસુ"ઓ લૂછતાં બોલ્યો: "ફક્ત દિવસ"*!

"
સંન્યાસી"એ પૂછ્યું: "કેટલો સમયતમે "ભાઈ-બહેનો"એ તમારા "પિતા"ની "એકદમ નજીક બેસી"ને પસાર કર્યો?પત્રકાર "હેરાનગી"અને "શર્મિન્દગીઅનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો.

"
સંન્યાસી"એ પૂછ્યું: "શું તમે તમારા "પિતાસાથે "નાસ્તોકર્યો? "બપોરેકે "રાત્રેસાથે "જમ્યાછો? *શું તમે તમારા "પિતા"ને પૂછ્યું કે "કેમ છો"? તેમની "તબિયતકેવી છે? "માતા"ના "મૃત્યુપછી તેમનો "સમયકેવી રીતે "પસારથઈ રહ્યો છે?* 

"
સંન્યાસી "પત્રકાર"નો "હાથપકડ્યો અને કહ્યું: "શરમાશોકે "દુઃખી નાથશો. "મને અફસોસછે કદાચ "મારા"થી "તમને અજાણતાં દુઃખપહોચાડ્યું હોય તો! પરંતુ "આ જતમારા સવાલનો "જવાબછે "સંપર્ક"અને જોડાણ" (Contact and Connection)

"
તમે તમારા પિતા"* સાથે "ફક્ત સંપર્ક"
 (Contact)
માં છો પણ "તમારૂંએમની સાથે "કોઈ જ" "Connection" નથી. "તમેતેમની સાથે "જોડાયેલા જનથી. *You are not connected to him.તમે તમારા "પિતાસાથે ફક્ત "સંપર્ક"માં છો, "જોડાયેલા જનથી. 

*"Connection" 
હંમેશા "આત્મા"નું* હોય છે. *"હૃદય"થી 'હૃદય"નું* હોય છે. *એક સાથે "બેસવું"* અને *"ભોજનલેવું, "એકબીજા"ની "સારસંભાળકરવી, "સ્પર્શકરવો, "હાથમિલાવવો, "આંખો"નો "સંપર્કથવોકેટલોક "સમયએકસાથે વિતાવવો* આ *"જરૂરી"* છે.

*
તમે તમારા "પિતા", "ભાઈ"* અને *"બહેનો"ના "સંપર્ક"માં ("Contact") છો પરંતુ તમારૂ "એકબીજાસાથે કોઈ "જોડાણ" ("Connection") નથી.
પત્રકારે "આંખોલૂછી અને બોલ્યો: મને એક "સારો"અને "અવિસ્મરણીય પાઠશીખવવા બદલ "ધન્યવાદ"! આજે  પણ "લોકો"ની આવી "પરિસ્થિતિ થઈ રહી છે. બધાના "હજારો સંપર્ક" ("contacts") છે પણ કોઈને "એકબીજા"* સાથે "લગાવ"-"જોડાણ" ("connection"*) નથી. કોઈ "" "વિચાર વિમર્શનહિ. પ્રત્યેક "વ્યક્તિપોતાની "નકલીદુનિયામાં ખોવાયેલી છે.
                                   ***************************

Tuesday, December 17, 2019


મા એટલે નિર્મળ પ્રેમનું ઝરણું -

                                                         " સવારના છ વાગે  સાત કહી જલ્દી જગાડી  દે
                                                           ખરાબ સપના ન આવે કહી સુતા પહેલા પગ સાફ કરાવી દે
                                                           ખાવામા શાક ઓછું હોય તો  તું ખાઈ લે, મને ભૂખ નથી એમ કહે
                                                            હું નહિ હોઉં તો મારું  ભાવતું શાક પણ  ન બનાવે
                                                            હું સ્કૂલે જતો ત્યારે  હું કઈ નથી મૂકતી કહી
                                                            મારી બેગમાં મને ભાવતી ચીજ મૂકી દેતી
                                                            કરકસર કરતી પણ કહેતી સિનેમા હોલમા લાંબુ બેસાતુ નથી
                                                            એને  સાડી લેવા કહેતો તો કહેતી કબાટમાં ઘણી પડી છે
                                                             મારી ખામીઓ છુપાવી મારી સિદ્ધીઓના ગુણગાન ગાતી
                                                             મારા ભલા માટે વારે ઘડીએ અપવાસ કરતી .
                                                             હું સંસારની  જ્ન્જાળમાં એને ભૂલી જતો
                                                             તો પણ તેતો મીઠું મીઠું હસી લેતી
                                                             જાણે સ્વર્ગમાંથી  વહેતુ  પ્રેમનું  ઝરણું
                                                              પૃથ્વી પર ઉતરી ન આવ્યું હોય
                                                              આજે  ક્યાંક મારા હૃદયને ઠેસ  પહોંચે ત્યારે 
                                                               સ્વર્ગમાં માનું હૃદય જરૂર  ઘવાતું  હશે ત્યારે "
                                                                ભારત દેસાઈ

                                                               *********************************** 

 

Saturday, December 14, 2019


આધુનિક બાલ ઉછેર
                                                                                             આધુનિક યુગમાં બાળ ઉછેર બહુ જ વિપરીત બની રહ્યો છે . એનું કારણ વાલીઓ અને શિક્ષકમાં રહેલી ઉણપો છે. એ લોકો બાળકોને પ્રોત્સાહન આપવાને બદલે એમના પર શિક્ષણ નો બોજો વધારવામાં નિમિત્ત રૂપ બની રહયા છે.
                                           દરેક માતાપિતાને પોતાના બાળકને અવ્વલ નંબર પર રહે એવી મહેચ્છા હોય છે.. પોતાના બાળકોને બીજાના બાળકો સાથે સરખાવતા રહે છે . એમાં  બાળકોનું  આત્મસન્માન ગવાય છે અને એમનામાં નકારત્મક તત્વો દાખલ થાય છે. એમનો વિકાસ રૂંધાવા માંડે  છે. માતા પિતા થી ડરી સાચી વાત કહેતા  ભય અનુભવે છે.  શરમ અનુભવે છે અને માતા પિતાથી  તેમની વાતો છુપાવા માંડે છે. ઘણીવારતો શાળાના રિપોર્ટો પણ માતાપિતાના હાથ સુધી આપતા નથી કે પછી પહોંચતા નથી.
આથી એમની નબળાઈઓમાંથી બહાર નીકળવાના બધા રસ્તા બંધ થઇ જાય  છે. ઉપરથી માતાપિતા તેમના વિચારો બાળકો પર બળજબરીથી  નાખે છે. એમાં બાળકોને પોતાના રસ્તે જવામાં પણ મશ્કેલીઓ ઉભી થાય છે.
                                                   તેઉપરાંત  સ્કૂલોમાં પણ શિક્ષકોનું ધોરણ જોઈએ એવું  હોતું નથી કે જે બાળકોની મુશ્કેલીઓ અને અપેક્ષાઓને સમજી  શકે. શિક્ષકોને તો બાળકો  જાતે બધું  તૈયાર કરે એવું કામ ગમે છે . અને જે બાળકોને તૈયાર કરવા પડે એ ઘણા શિક્ષકો માટે બોજારૂપ લાગે છે. એવા કમનસીબ બાળકો એમના ભોગ બને છે. અને એમના વિષે વિસમ અહેવાલો પણ એમના વાલીઓને મોકલાવ્યા  કરે છે .
                                                          આવી પરિસ્થિતિમાં બાળકોને ન તો વાલીઓ કે પછી શિક્ષકો તરફથી કોઈ મદદ કે પછી પ્રોત્સાહન  મળતું નથી. આખરમાં તો સારું વાતાવરણ અને પ્રોત્સાહનજ  સારી નવી પેઢીનું સર્જન કરી શકે છે.
                                                           વાલીઓ જો બધા જ ઈચ્છે કે એના બાળકો જ પહેલા આવે કે આગળ રહે એ શક્ય નથી તો બીજાના વધારે  હોશિયાર  બાળકો  ક્યાં જશે ? ટૂંકમાં દરેક વાલીએ પોતાના બાળકોની ઉણપો અને હોશિયારીઓને સમજી જાણી તેને સુધારવા પ્રયત્ન કરવો રહ્યો. એને બીજાના બાળકોની સાથે સરખાવી  ઉતારી ન પાડવા જોઈએ . એમની સારી વસ્તુઓને પહેચાની તેને પ્રોત્સાહિત કરવા જોઈએ.

                                                                ઘણીવાર ઉચિત પ્રોત્સાહન  ગમે તેવા બાળકોને ઉપ્પર આવવામાં મદદ કરે છે. એમાં થોમસ એડિસન વિષેનો એક વિડિઓ જોવા જેવો છે જેમાં એની માતાએ એને પ્રોત્સાહિત  કરીને  કેવી રીતે એને એક મહાન વિજ્ઞાનિક બનાવ્યા હતા.  ટૂંકમાં મોટિવેશન એટલેકે ઉચિત પ્રોત્સાહન જ માણસનું વ્યક્તિત્વ બનાવે છે.  ઘણા બાળપણમાં એટલા તેજસ્વી નથી દેખાતા પણ આગળ જતા એ મહાન કામ કરી જાય છે. એની પાછળ ઉચિત તક  અને  પ્રોત્સાહન જ જવાબદાર હોય છે.
                                               ***********************************      

Thursday, December 5, 2019


વૃદ્ધાવસ્થાની વીટમ્બણાઓ
                                                                               જીવનમાં જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ  એની સામાજિક મહત્વતાનો ઘટાડો થોડી થોડી થતી જ રહે છે. પરંતુ એનો ખ્યાલ આવતો નથી. એ એક  એવી પ્રક્રિયા છે કે જેમ પૃથ્વી ગોળ ફરે છે પરંતુ પૃથ્વી પર રહેનારાને એનો જરા પણ આભાસ થતો નથી. આથી  જયારે માનવી વૃદ્ધા વસ્થાએ પહોંચે છે ત્યારે એને ભાન થાય છે કે સમાજમાં એની મહત્વતા ઘટી રહી છે. એજ સમય છે જયારે દરેક માનવે જીવતા શીખવું પડેછે જેના પર એના સુખનો અને શાંતિ નો આધાર રહે છે.
                                                                                જીવનમાં આજુબાજુના માણસો ઓછા થતા જાય છે. જ્યારે વડીલો આ દુનિયાથી વિદાય થઇ ગયા હોય છે. અને આવતા યુવાન લોકો  અવગણતા થઇ ગયા હોય છે. એમાં પતિ પત્નીમાંથી  એકનું મૃત્યુ થઇ ગયું હોય તો પરિસ્થિતિ વાળું વિકટ બની જાય છે. તે  વખતે  લાગણીઓના અભાવ વચ્ચે એકલતામાં રહેવાના સંજોગો ઉભા થઇ જાય છે.  સોસાયટી એવા લોકો તરફ બેદરકાર હોય છે. ત્યારે માનવીને એની સફળ અને ઉચ્ચ કારકિર્દીની યાદ આવે છે. કદાચ એકલા ખૂણામાં ઉભારહેવાનો  પણ વારો આવે.
                                                                              આવા વિકટ સંકટો માં  માનવી નો દુઃખ ભર્યો ગણગણાટ  શરૂથઈ જાય છે.  આવા સંજોગોમાં ઘણીવાર  રોગો અને જાત જાતની શારીરિક  તકલીફો  શરુ થઇ જાય છે. તેવામાં કોઈપણ દિવસ કોઈ પણ જાતની તકલીફ  વગર જવાની કલ્પના કરવી મુશ્કેલ બની રહે છે. આવા સંજોગોમાં એવા પગલાંઓ લેવાની જરૂર છે જે ઉપરની તકલીફોમાંથી રાહત અને મુક્તિ આપે.

                                                                                આવા સંજોગોમાં પોતાની જાતને  સકારત્મક બનાવવી એ સમયની માંગ હોય છે. માણસે પોતાને શારીરિક રીતે તંદુરસ્ત રાખી  આત્મ વિશ્વાસ વધારવો જોઈએ. ગરેલું જીવન જીવવાની તૈયારી પણ રાખવી જોઈએ . એ સમય જો સામાન્ય રીતે વિચારો તો બાળપણમાં પાછા ફરવાનો સમય છે.  જેથી જીવનના મુશ્કેલ વખતને નિદોર્ષતા પૂર્વક બાળકની જેમ પસાર કરી શકાય. આવા વખતમાં ફક્ત તમારું  ધ્યાન રાખનાર જ બદલાય છે. દાખલા તરીકે બાળપણમાં માતા પિતા સંભાળ રાખનાર હોય છે  જયારે વૃદ્ધાવસ્થામાં  નજદીકના સગાઓ રહે છે. જોકે આવા સંજોગોમાં માણસની આજુબાજુ  કાવતરાખોરો , અને લુચ્ચાઓ વધવાનો સંભવ છે તેનાથી સાવધાની રાખવાની જરૂરિયાત હોય છે. આથી પૈસાદારીની બાબતમાં સચેત રહેવું જરૂરી  છે.


                                                                    તે છતાં નમ્ર રહી  અને બધુજ ખબર છે અને જાણકાર છે એવો દેખાવ કરવાથી  દૂર રહેવાની જરૂર છે. ટૂંકમાં જીવનના છેલ્લા વર્ષોમાં  બધી માયા અને સંબંધોને દૂર કરી  સરળતાથી  આ જગતમાંથી માનસિક રીતે પણ  નીકળી જવાની તૈયારી કરવી જોઈએ.  જીવનને  કુદરતના રસ્તે  લઇ જવાની સરળતા કરી આપવી જોઈએ એજ  અંતિમ સત્ય છે. એમાજ સુખમય વૃધ્ધાવસ્થાનું   રહસ્ય   છે.
                                            ***************************************