Monday, December 14, 2020



 જૈન સમાજ 

                                                 જૈન સમાજ દુનિયામાં ચારથી પાંચ મિલિયન જેટલો છે પરંતુ શિક્ષિત સમાજ છે. એમનું શિક્ષણનું  પ્રમાણ ૯૦ % જેટલું છે.  ઘણેભાગે  જૈનો શાકાહારી અને એમાં પણ અમુક શાકભાજી ખાતા નથી. કોઈ પણ જાતના વ્યસનોથી દૂર રહે છે. દારૂ કે સિગારેટથી પણ દૂર રહે છે.

                                આમતો  નાનો સમાજ છે પરંતુ સમરુધ્ધ છે.  ભારતમાં જૈનો ૨૪% જેટલો આવક વેરો  ભરે  છે અને'જી ડી પી '  માં   એમનું ૧/૪ જેટલું  પ્રદાન છે. એટલેકે ભારતની અર્થ વ્યવસ્થામાં એમનું મહત્વનું પ્રદાન છે. હીરા ઉદ્યોગમાં જૈનો અગ્રગણ્ય છે. બેલ્જિયમમાં ૧૫૦૦ જૈનો છે જેઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દુનિયાના હીરાના વેપારમાં એમનો ૨/૩ જેટલો હિસ્સો છે.



                                 તેઓ બહુ જ ધાર્મિક અને બોલવા ચાલે  બહુજ કોમળ હોય છે. જૈનો પોતાનું દૈનિક કામ શરુ કરતા પહેલા અમુક વસ્ત્ર પરાધીન કરીને એમના મંદિર એટલે દેરાસર પર જરૂર જાય છે. તેઓ ધાર્મિક પણ હોય છે. પર્યુષણ ,દશ લક્ષણ , મહાવીર જયંતિ  વગેરે એમના તહેવારો છે. તેઓ અપવાસો પણ કરે છે અને કેટલાક જૈનો તો આમરણાંત અપવાસો પણ કરે છે.જૈનોમાં બે  પંથો  છે-દિગંબર અને શ્વેતામ્બર. જૈનોમાં પંચ મહાવૃત એ  મુખ્ય સિદ્ધાંતો છે.  -અહિંસા , સત્ય , અસતય , અપરિગ્રહ , અને બ્રહ્મચર્ય. જૈનોમાં કોઈ જાતિભેદ નથી. તેઓ દરેક આત્માને  સમાન માને છે. દરેક મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એવી એમની માન્યતા છે.જૈનોએ અબજો રૂપિયાના દાનો કરેલા છે અને કલાના નમૂના રૂપ જૈન મંદિરો બનાવેલા છે.ગુજરાતમાં આવેલા  પાલિતણાના અને હટ્ટીસિંઘના દહેરાઓ કલાની ઉત્તમ કૃતિઓ છે.



                                  જૈન તીર્થંકરોએ દુનિયાની આધ્યાત્મિક  વૈચારિકધારામાં સારું એવું પ્રદાન કરેલું છે. તે ઉપરાંત ગાંઘીજીની વિચારધારા પર જૈન સાધુ  રાજચંદ્રજીનો સારો એવો પ્રભાવ હતો. ગાંધીજીની સત્યાગ્રહની વિચારધારા એમના જૈન ગુરુ રાજચંદ્રજીને આભારી હતી. જૈન સાધુ  હીરા વિજયજીએ મોગલ સમ્રાટ અકબરને પણ શાકાહારી બનાવી દીધા હતા.



                                   અર્વાચીન જગતમાં પણ જૈનોએ સમાજમાં અનોખું પ્રદાન કરેલું છે. ગૌતમ અદાણી , વિક્રમ સારાભાઈ, અને સંજય લીલા ભણસાલીએ પણ એમના ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રદાન કરેલું છે. જૈનો ભલે નાનો સમાજ છે પણ  યહૂદીઓની જેમ એમનું પ્રદાન પણ ઘણું છે. 

                                            ************************************** 

Sunday, December 6, 2020

 


ઈશ્વર ક્યાં છે?

                                                                  લોકો પોતાના પ્રશ્નો કે પછી કુદરતી આફતો સામે બેજાર થઇ જય છેને અને ઈશ્વરને શરણે પહોંચી જાય છે. એના પર કેટલાક  કવિઓએ ઈશ્વરના  ભજનો, અને સ્તુતિઓ રચી છે. પરંતુ ઈશ્વરના દર્શન બહુ ઓછા કરી શકે છે. લોકો સાધુઓ. સંતો અને ગુરુઓના ચરણોમાં બેસી ઈશ્વરને મળવાની પ્રતીક્ષામાં બેસી જાય છે. ઈશ્વરની શોધતો દરેકે પોતાનીરીતે જ કરવી પડે છે. ઈશ્વરતો જાણે એક પ્રત્યક્ષ વસ્તુ ન હોય એમ દરેક માનવી એની શોધ મંદિર મસ્જિદ , ગિરિજાગ્રહ અને ગુરુદ્વારામાં શોધ્યા જ કરે છે. એક ગીતકારે પ્રખ્યાત  ગાયનમાં  લખી  નાખ્યું   છેકે ' દરશન દો  ધનશ્યામ --- મંદિર મંદિર મુરત તેરી પણ ન દેખી સુરત તેરી , યુગ બીતે પર મિલને આયે પ્રુરણવાસી રે ' એમાંથી ઈશ્વર શોધનો અનોખો આનંદ મળે છે પરંતુ જે રૂપમાં ઈશ્વરને મનુષ્ય જોવા માંગે એમાં એના દર્શન થતા નથી. આથી ઈશ્વરને કોઈ કાલ્પનિક રૂપમાં   જોવાની પ્રવૃત્તિ કોઈ અર્થ છે ખરો? 

                                                                  એક વસ્તુ જરૂર છે કે દરેક ચેતનમાં ઈશ્વરના એક સ્વરૂપનું દર્શન કરવાથી એક અનોખો આનંદ મળે છે . ભગવાન કૃષ્ણે અર્જુનને વિનંતીને માન આપી પોતાના મુખમાં અખંડ પૃથ્વીનો જીવંત ગોળો જ બતાવ્યો  હતો. એટલે કે' દરેક જીવંત વસ્તુઓમાં  હું છું.'



                                             એનાથી પ્રેરિત થઈને -

                                              હરિ તને દેખું ---

                                     હરિ તને દેખું  હર ચેતનમાં

                                     હર પળ એક નયા રૂપમાં 

                                     વાયુના સુસવાટે તારો સંચાર  છે 

                                     વીજળીના ઝબકારે તું તો દેખાય છે 

                                     હરિ તને દેખું-

                                     હિમ શિખરોના સૌંદર્યમાં  તું 

                                     વહેતા ઝરણાના સંગીતમાં તું 

                                     કદી સામે આવે દરિદ્ર નારાયણના રૂપમાં

                                     તો કદી દેખું પીડાતા માનવોમાં 

                                     હરિ તને દેખું ---

                                     જીવનભર શોધતો રહ્યો સારા જગમાં 

                                     જયારે તું બેઠૉતો  મારા અંતરમાં 

                                     હરિ તને દેખું ---

                                     ભારત દેશાઇ 

         ( આ કવિતા અમેરિકામાંથી પ્રસિદ્ધ થતા ' ગુજરાતી ડાઈજેસ્ટમાં પણ પ્રસિદ્ધ થઇ ચુકી છે.) 

       ' આથી ઈશ્વર સર્વત્રછે.' એમ ગુરુ નાનકે પણ કહ્યું છે ફક્ત એને ઓળખવાની દ્રષ્ટિ કેળવવાની જરૂરત છે. 

                                    ***********************************

                                      


Wednesday, December 2, 2020



ફિલ્મ અભિનેતા હો તો આવા હો 

                                               કેટલાકને ભગવાનને કુદરતી ભેટ આપી   હોય છે જેવોકે , દેખાવ, સુંદર અવાજ     , વ્યક્તિવ, અને કુટુમ્બીક સગવડો   પરંતુ કેટલાક  એવા હોય છેકે પોતાનું જીવન ઝુપડપટ્ટી અને કબ્રસ્થાનથી શરુ કરી રૂપેરી દુનિયામાં પોતાનું સ્થાન સંગર્ષો, આવડત  અને અથાગ મહેનતથી જમાવે છે. એમાંના એક હતા અભિનેતા  અને સ્ક્રીપટ લેખક કાદરખાન. એમણે ૩૦૦  ફિલ્મોમાં કામ  કર્યું અને એમાંથી ૨૫૦ ફિલ્મના સંવાદો લખ્યા હતા. 

                                            કેદારખાનાની જીવનકહાણી બહુજ કરુણમય હતી. મુસ્લિમ અફઘાન પિતા અને ભારતીય માતાના પુત્ર હતા પરંતુ માતા પિતાના લગ્ન જીવનમાં ભંગાણ થયું અને માટે પૂર્ણ લગ્ન કર્યા તે પણ કામયાબ  ન નીવડ્યું  અને કાદરખાનને માતા સાથે મુંબઈ ના કમાતી પુરા જેવા ખરાબ વિસ્તારમાં જીવન વિતાવવું પડ્યું. મા કાદરખાનને મસ્જીદે જવા સમજાવતી તો કાદરખાન કબ્રસ્થાનમાં પહોંચી જતા. કબ્રસ્થાનમાં તેઓ મૉટે  મોટેથીસંવાદો બોલતા ત્યાંથી એમની ફિલ્મી કારકિર્દી શરુ થઇ એમ કહેવાય.



                                           ગરીબીથી તંગ આવી કાદરખાને નોકરી શોધવા માંડી પણ મા એ કહ્યું નોકરીમાં થોડા પૈસા કમાઈ લઈશ પણ એથી તારી  ગરીબી કદી દુરનહી થાય એના કરતા તું ભણવા માંડ . આમ માના પ્રોત્સાહનથી કાદરખાન આગળ વધ્યા અને એન્જિનિયર  બન્યા. એના પિતા ઇસ્લામિક વિદ્વાન હતા. એમણે  એને ધાર્મિક જ્ઞાન માટે પ્રોત્સાહિત કર્યા  અને કાદરખાને ઇસ્લામિક સાહિત્ય અને અરેબિકમાં 'એમએ' કર્યું. આખરે તો એ લેખક જીવ હતા. કોલેજ વખતમાં  એક  કાર્યક્રમમાં એનો અભિનય જોઈને દિલીપકુમારે  પણ એને સંવાદો લખવાની ઓફર કરેલી. એમની કારકિર્દી દરમિયાન એમણે અમિતાભ અને ગોવિંદાની ફિલ્મોમાં  સંવાદો લખ્યા. અમિતાભને તે અમિતાભના નામથીજ બોલાવતા કારણકે એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. પરંતુ એમની દોસ્તીમાં ભંગાણ પડ્યું  જ્યારે એક નિર્માતાએ બધાને સૂચના આપીકે અમિતાભને સર કહીને બોલાવવા  ત્યારે કાદરખાને એ સૂચનાનું ઉલ્લઘન કર્યું તો કેદારખાનને એની ફિલ્મ માંથી દૂર કરવામાં આવ્યા. આમ એ બંનેની મૈત્રી તૂટી ગઈ. ઝૂકવા કરતા સહન કરવું પસંદ કર્યું. એક વસ્તુતો સત્ય રહેશેકે અભિતાભની  ઘણી ફિલ્મો કેદારખાનના સંવાદોને લીધે જ સફળતા પામી હતી.



                                             કેદારખાન એટલા દેખાવડા ન હતા પરંતુ એમના અભિનય અને સંવાદોની બોલવાની અદા  લોકોને  પસંદ હતી. કાદરખાનના લખેલા ઘણા સંવાદો હજુ પણ લોકો યાદ કરે છે.  એમના ફિલ્મો માટે લખેલા આ થોડા દાખલાઓ છે. 

'દુઃખ જબ હમારી કહાની સુનતા હૈ , તો ખુદ ખુદ દુઃખી હો જાતા હૈ ' સંવાદોના 

(બાપ નંબરી , બેટા દસ નંબરી )

' જીન્દગીમેં આદમી દોઇચ ટાઈમ ઇતના જલ્દી ભાગતા હૈ , ઓલિમ્પીકકા રેસ હો  યા પોલીસકા કેસ હો '

(અમર, અકબર , એન્થની )

' મુહબ્બતકો સમજના હૈ તો પ્યારે ખુદ  મુહબ્બત કર, કિનારેસે કભી અંદાઝ- એ - તુફાન નહી હોતા'

 (હમ)

                                                    આ બતાવે છેકે ગમે તેવા વિષમ સંજોગોમાં  પણ સોનુ તો ચમકે છે. કાદરખાનની કહાની કમાટીપુરાથી તે રૂપેરી ફિલ્મી દુનિયા સુધીની અદભુત કથા છે .

                                      *********************************************

                                     


   

Tuesday, November 17, 2020



ભારતની પરિસ્થિતિ 

                               ભારત અત્યારે ઘણી જ મુશ્કેલ આર્થિક અને બળતી ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો જેવી પરિસ્થિતિમાં છે . એક બાજુ ચીન અને બીજીબાજુ પાકિસ્તાને સરહદો પાર તણાવની પરિસ્થિતિ ઉભી રાખી છે . બીજી બાજુ કોરોનાએ ભારતને આર્થિક રીતે ભાંગી નાખ્યું છે. 

                                નરેન્દ્ર મોદીજી એ પરિસ્થિતિની બરોબર સામનો કર્યો છે.નોટબંધી અને આખાદેશમાં નવી  'જીટીએસ' પદ્ધતિ દાખલ કરી એમણે મોટો દાવ  ખેલ્યો છે. કાશ્મીરમાંથી ૩૭૦ મી કલામ હટાવી અને  લોકોની સૈકાઓ જૂની આશા સમાન રામમંદિર બાંધવા આગળ વધી રહયા છે. પરદેશી ભારતીયો પણ તેમના નાના મોટા પ્રશ્નો હાલ કરવા માટે ભારત સરકાર પર ખુશ છે.  પરંતુ આર્થિક દ્રષ્ટિએ ભારતની હાલત બુરી છે. એવું લાગે છે કે કુશળ અર્થશાસ્ત્રીની  ભારતને જરૂર છે. મૂળમાં અર્થશાસ્ત્ર અને રાજકીય બાબતો તદ્દન જુદી છે આથી એને એની રીતે જ ઉકેલવી પડશે .



                               અત્યારે ભારતની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે  એનો 'GDP' અત્યારે -૨૩.૯ ટકા  પર છે. એના માટે કોરોના વખતના બીજા દેશોના' જીડીપી' જોઈએતો 

૧)અમેરિકા નો  જીડીપી: -  ૯.૧ ટકા 

૨)બ્રાઝિલનો       "      :  - ૧૧.૪ ટકા

૩)કેનેડા              "      :  - ૧૩   ટકા   

૪)સિંગાપોર         "     :   -૧૩.2 ટકા

૫)બ્રિટન             "     :   - ૨૧.૭ ટકા 

૬) રશિયા            "     :    - ૮ ટકા 

૭)જાપાન             "     :    - ૯.૯ ટકા 

૮)ઓસ્ટ્રેલિયા        "     :    - ૬.૩ ટકા 

૯)સાઉથ કોરિયા    "     :    -૨.૭ ટકા 

૧૦) સ્વિત્ઝરલેન્ડ    "     :    - -૯.૩ ટકા 

                                                       આ બધા દેશો કોરોનાથી પીડિત છે પરંતુ ભારતનો જીડીપી સૌથી નીચો ગયો છે. એ ભારતની કમનસીબી છે . આશ્ચર્યની વાત તો એ છે કે ચીન  જ્યાંથી કોરોના વાઇરસ શરુ થયો હતો  એનો જીડીપી સૌથી  સંતોષકારક +૩.૨ ટકા છે. 

                                                         આજ બતાવે છેકે ભારતની આર્થિક સ્થિતિ બહુજ નબળી કક્ષાએ પહોંચી છે. કરોના વાઇરસ પહેલા પણ ભારતની આર્થિક સ્થતિ સારી ન હતી એથી એના માટે કોઈ સમર્થ આર્થિક નિષ્ણાતની આવશક્યતા છે કારણકે ભયની ઘંટડીઓ વાગવા માંડી છે. રાજકીય દાવપેચ કરતા આર્થિક સ્થિતિને દુરસ્ત કરવાની જરૂરત છે. એમ નહિ કરવામાં આવશે તો દેશ દાયકાઓ પાછળ ચાલી જશે. 

                                                  ****************************** 

Sunday, November 15, 2020

 


ગિલગિટ અને બાલટિસ્તાન                   

                                                                                       આ એવા પ્રદેશો છે જેના વિષે ઘણા ભારતીયો કદાચ જાણતાનહિ હોય. ૧૯૪૭ માં કાશ્મીરના રાજા હરિસિંઘે ભારત સાથે જોડાણ  કરવામાં જે ઢીલ કરી હતી તેનું પરિણામ આજે પણ એ પ્રદેશો ભોગવી  રહયા છે.  પાકિસ્તાની આક્રમણખોરો શ્રીનગરને ઝાંપે આવી ગયા ત્યારે ડરીને હરિસિંહએ ભારતને શરણે આવ્યા. તે દરમિયાન પાકિસ્તાનીઓએ  ગિલગિટ અને બાલટિસ્તાનને કબજે કરી લીધા હતા. જે પ્રદેશો જમ્મુ કાશ્મીરના પ્રદેશ હતા.એના પર આજે પણ પાકિસ્તાન ગેરકાયદેસર કબજો જમાવી  દીધો છે . આવા પ્રદેશોને આજે  પાકિસ્તાનીકબજા ધરાવતા પ્રદેશો બની ગયા છે.



                                             ગિલગિટ અને બાલટિસ્તાન એ ચીનની સરહદને અડીને આવેલો ૭૨૪૯૬ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ છે.  આ પ્રદેશ ખનીજોથી સમૃદ્ધ પ્રદેશ છે. એની બહુમતી મુસ્લિમ  પ્રજા શિયા પંથી અને એમને પાકિસ્તાનના મુસ્લિમ સુન્ની પંથીઓ સાથે ફાવતું નથી. તે ઉપરાંત પાકિસ્તાની લશ્કર એમના પર સારો એવો જુલ્મ કરે છે. એમને પસંદ નથી.તેથી તેઓએ  આઝાદીની લડત ઉપાડી છે. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે  શખ્સગામ ખીણનો ૫૧૮૦ ચોરસ કિલોમીટર જેટલો  પ્રદેશ ચીનને ભેટમાં આપી દીધો છે. એનો પણ ત્યાંના  લોકોમાં વિરોધ છે.

                                                        ચીનાઓએ સિંધુ નદી પર બંધ બાંધવા  માટે તૈયારીઓ કરી લીધી છે.   એનાથી ઘણી ફળદ્રુપ જમીનો ડૂબી જશે  એથી  લોકોનો જબરજસ્ત  વિરોધ છે. આજ પ્રદેશમાંથી ચીનની  પાકિસ્તાની  ગ્વાદર બંદર સુધીની સડક પસાર થાય છે. એનો પણ લોકોનો વિરોધ છે.  પાકિસ્તાને નામના એ પ્રદેશના પ્રમુખ  અને વડા  પ્રધાન  નીમેલા છે એ રાજ કરેછે.  એમની સામે પણ  ત્યાંના  લોકોને અસંતોષ છે અને એમને આઝાદ થવું છે અને ભારત પ્રત્યે પણ સહાનુભૂતિ છે.  



                                                        ભારતે પણ બધા ગેરકાયદેસર ચીનના પ્રોજેકટોનો  વિરોધ કરેલો છે. પરંતુ આ પ્રદેશો ભારતમાટે  વ્યુહની   દ્રષ્ટિએ  બહુજ અગત્યનો છે.  આજે નહિ તો કાલે ભારતે એ પ્રદેશોનો એટલેકે પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશોનો કબજો લીધા વગર છૂટકો નથી.

                                 **************************************

                                          




 









                                    












          

           

                                  





          

           

                                  

Wednesday, November 11, 2020


 

અલાસ્કા 

                                                   અલાસ્કા એ અમેરિકાનું ૫૦ રાજ્યોમાંનું એક છે . જે  બહુજ  કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ખનીજોના ખજાનાઓથી સમૃદ્ધ રાજ્ય છે.  ઉત્તત ધ્રુવની નજદીક અને રશિયાના સાઇબિરિયાની પાસે  આવેલો પ્રદેશ છે. જુના કાળમાં એ રશિયાના  તાબામાં હતો પરંતુ રશિયા એને બિન ઉપયોગી પ્રદેશ સમજીને એને અવગણતું હતું. રશિયાના રાજા ઝારે એને અમેરિકાને તે વખતના ૭.૨ મિલિયન ડોલરમાં વેચી નાખ્યો હતો .



                                      તમે  ક્રૂઝિંગ દ્વારા કૅનેડાની સમુદ્ર ધૂની મારફતે અલાસ્કા પહોંચો તો તમને અલાસ્કાનું અલૌકિક  સૌંદર્ય જોવા મળશે .  હિમ શિખરો, પર્વતી ઝરણાઓ , બરફના ખાળકો ખડકઓ જોઈને તમે જે પ્રસન્નતા અનુભવો તે દુનિયાની ઘણી થોડી જગ્યાએ અનુભવશો.  બરફના ગ્લેસીયરને તમે નજદીકથી જુઓ અને જે રોમાંચ અનુભવો એનો આનંદ અનોખો હોય છે. 

                                           અલાસ્કાનો  પ્રદેશ બે  ટાઈમ  ઝોન માં આવેલો એટલો વિશાળ છે. ત્યાં ૫૦૦૦જેટલા  જ્વાળામુખી આવેલા છે અને સેંકડો તળાવો છે.  એક લાખ જેટલા બરફના ગ્લેસિયરસ  આવેલા છે. અલાસ્કાના  દરિયામાં ૧૦૦૦ જેટલી વિકરાળ  વહેલ માછલીઓ ફરતી રહે છે.



                                            અલાસ્કાની જમીનમાં ખનીજ તેલોના ભંડારો આવેલા છે.  સોનુ , ઝીંક , જેવી કિંમતી ધાતુઓ પણ અહીં નીકળે છે જે અલાસ્કાનો સમૃદ્ધ  બનાવે છે . અમેરિકામાં અલાસ્કાનો  ધાતુઓની પેદાશમાં  બધા રાજ્યોની પેદાશમાં બીજો નંબર છે. તે ઉપરાંત વિપુલ પ્રમાણમાં દરિયામાં માછલીઓ  મળે છે. અને ઘાઢ જંગલોને કારણે સારું એવું લાકડું પણ મળી રહે છે .




                                               અલાસ્કામાં કોઈ આવક વેરો નથી. ત્યાંના રહેવાસીઓને નિશ્ચિત  વાર્ષિક કેશ રકમ આપવામાં આવે છે એજ એની સમૃદ્ધિનો પુરાવો છે. આધુનિક રશિયા જરૂર અલાસ્કાનો અમેરિકાને  વેચી દેવા માટી પસ્તાતું  હશે પરંતુ એનો કોઈ અર્થ નથી.

                                    **************************************************  

                             

                                                                          

Thursday, November 5, 2020

 


આયુર્વેદ અને સ્વાસ્થ્ય                                                                     

                                                                   આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓએ જે કઈ સ્વાસ્થ્ય વિષે    લખ્યું છે  તેનું આજનાવિજ્ઞાને અનુમોદન કર્યું છે . કામનસીબે આયુર્વેદ લખેલું સમયની સાથે ભુલાતું ગયું અને આધુનિક વિજ્ઞાનનું  જ્ઞાન આગળ વધી ગયું.  ભારતે પણ આયુર્વેદને એના ગુલામી કાળમાં તદ્દન એને અવગણ્યું  તેથી એની મહત્વતા ઓછી થતી ગઈ. 

                                                                     આર્યુવેદ પણ કહે છેકે  સવારનો નાસ્તો વધારે પ્રમાણમાં લેવો ત્યાર બાદ બપોરેનું ભોજન જરા હળવું હોવું જોઈએ અને રાત્રિનું ભોજન તો તદ્દન હળવું હોવું જોઈએ. 

                                                                     તે ઉપરાંત ખોરાકમાં શું લેવું અને શું ન લેવું એનું પણ વિવરણ કરવામાં આવ્યું છે.   કાર્બોહાઇડરટે  વાળો ખોરાક આછો ખાવો જેથી  શરીર હળવું રહે. 



                                                                       તંદુરસ્તી માટે રાતના ભોજન હળવું રાખવા  પર આયુર્વેદ વધારે ભાર મૂકે છે કારણકે રાતના આપણી પાચન ક્રિયા મંદ હોય છે. ભારે ખોરાક  રાતના ઊંઘને બગાડે છે.  માટે રાતના વધારે પ્રોટીન વાળા પદાર્થો ખાવા આવશ્યક છે. જેવાકે  દાળ ,ભાજી  અને લીલા શાકભાજી . રાતના ઓછા મસાલા વાળો  ખોરાક ખાવો જોઈએ.  કઢીને રાતના ભોજનમાંથી દૂર રાખવી જોઈએ એને બદલે દહીંમાંથી બનેલી  છાસ વધારે આવકારદાયક છે . રાતના વધારે પડતા મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ  કારણકે મીઠું  શરીરમાં પાણી વધારી ને બ્લડ પ્રેસ્સર  અને હ્દય રોગનું રિસ્ક વધારે છે. 

                                                                         તે ઉપરાંત આયુર્વેદ  ઓછી ચરબી વાળું દૂધ  અને તે પણ થોડા આદુના રસ સાથે લેવાનો આગ્રહ  રાખે છે. દૂધ પણ થોડું ગરમ હોવું જોઈએ અને ઠંડા  દૂધને શરીર માટે  હાનિકારક માનવામાં  આવે છે. ટૂંકમાં ચરબીવાળા અને ઠંડા પદાર્થો નું વધારે પડતું સેવન તંદુરસ્તી માટે હાનિકારક છે.

                                                                         આર્યુવેદ કહેછેકે  દિવસના અંત ભાગના પર જમીન અને પાણીનો  કાબુ હોય છે. એટલા માટે રાત્રીના ભોજન પર કાબુ હોવો જરૂરી છે.  આયુર્વેદ  માને છે કે તંદુરસ્ત ખોરાક ખાઈ તંદુરસ્ત શરીર  રાખો.  સારોએવો નાસ્તોસવારના કરો પરંતુ ત્યાર બાદના ભોજનો હળવી શક્તિ પેદા કરે એવાજ હોવા જોઈએ .

                                         ************************************