Tuesday, March 1, 2022



પક્ષીઓની જેમ વિહરું આકાશે---

                                                                       કવિઓએ પોતાની કવિતાઓમાં પક્ષીઓની જેમ આકાશની મોજ માણવા માટે ઘણું લખ્યું છે. પક્ષીઓ વિવિધ રંગોમાં આકાશમાં વિહરે છે અને હજારો માઈલની મુસાફરી કરી એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પ્રવાસ કરતા હોય છે એ જોઈને કદીક આપણને ઈર્ષા પણ આવે છે.



                                                       નળ સરોવરમાં કે પછી કચ્છના પાણી વાળા  રણ પ્રદેશમાં અમુક ઋતુઓમાં ઉત્તરી આવે છે ત્યારે વિવિધ રંગી એ પક્ષીઓને જોવા માટે લોકસમૂહ ભેગો થાય છે અને વિચારે છે કે આવા સુંદર પક્ષીઓને ઉડવાની શક્તિ આપીને ભગવાને ગજબ કરી છે.  ત્યારે પ્રશ્ન થાયછેકે પક્ષીઓ હજારો માઈલની મુસાફરી કેવી રીતે કરતા હશે?



                                                           એના માટે પક્ષીઓની શારીરિક શક્તિ વિષે જાણવાની જરૂર છે. પક્ષીઓની શ્વાસોશ્વાસ લેવાની શક્તિઓ એટલી પ્રબળ હોય છે કે તેઓ ઉંચાઈએ હજારો માઈલ ઉડી શકે છે. પંખીઓના હાડકાઓમાંથી  પણ હવા મળે છે .અને એ હવા નાના મોટા અને ખોપરીઓમાં  હાટકાઓમાં પણ હોય છે.  પક્ષીઓને બે ફેફસા હોય  છે જે નસો વડે હવા છાતી અને પેટને પણ પૂરીપાડે છે. હવામાં  ઓક્સિજનનું પ્રમાણ સારું એવું હોય છે જે એમની ઉડવાની શક્તિમાં વધારો કરે છે. એનાપરથી જાણી શકાય છે કે જે લોહી પક્ષીઓના  ફેફસામાંથી  નીકળેતે એકદમ વધારેને વધારે ઓક્સિજનનું પ્રમાણ લઈને નીકળે છે જે પક્ષીઓને લાબું  અને ઊંચું ઉડાનની શક્તિઓ આપે છે.



                                                    કુદરતની કરામતએ  દરેક પશુ પક્ષી અને  માનવી   માટે એમની જરૂરિયાત પ્રમાણે શારીરિક સગવડો પુરી પડી છે એ અદભુત છે .

                                      ****************************************    

                                                      

Wednesday, February 16, 2022

 


નોબેલ પુરસ્કાર 

                                                         નોબેલ પુરસ્કારનું નામ તો જગત ભરમાં વિખ્યાત છે. નોબેલ પુરસ્કાર મેળવવો એ કોઈ  પણ વ્યક્તિને માટે ગર્વની વાત છે.  પરંતુ નોબેલ પુરસ્કારના પ્રણેતાની કહાની પણ એટલી જ રસપ્રદ છે.

                                    નોબેલ પુરસ્કાર માટે પોતાની સંપત્તિ નું દાન કરીને આલ્ફ્રેડ નોબેલએ એક ઉમદા દાખલો વિશ્વમાં બેસાડ્યો છે.  આલ્ફ્રેડ નોબલે પાસે આટલી મોટી સંપત્તિ કેવી રીતે આવી તે પણ  જાણવા જેવી બાબત છે. આલ્ફ્રેડ નોબેલનો જન્મ સ્વીડનના  સ્ટોકહોલ્મ શહેરમાં ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ માં થયો હતો. તેઓ બહુજ સંપત્તિવાન ઉદ્યોગીક કુટુંબમાંથી આવતા હતા. તેઓ  રસાયનના વિજ્ઞાનિક હતા એના પ પ્રયોગો કરતા રહેતા હતા, એમાંથી એમની ફેક્ટરીમાં મોટી આગ લાગવાથી એમના ઘણા કામદારો મૃત્યુ પામયા હતા પરંતુ વધારે દુઃખની વાતા તો એમાં એના નાનાભાઈ એમીલનું દુઃખદ  મૃત્યુ થયું હતું . પરંતુ ૧૮૬૭માં એમણે કરેલી ડાઇનામાઈટની શોધે એમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવી અને એમાંથી અઢળક ઘન પણ મળ્યું.

                                   આલ્ફેડ નોબેલનું મૃત્યુ ૧૮૯૬ માં ઇટાલીમાં સાન રેમો ખાતે થયું અને એમણે કરેલા વીલ પ્રમાણે એમની સંપત્તિનો મોટો ભાગ એમણે દાન કરીદીધો હતો .એમના સગાઓ આનાથી ખુશ ન હતા પણ આલ્ફ્રેડ એ એના વીલમાં એની સાથેજ કામ કરતા એક ઈજનેર રેગનેર સોહેલમેનને એના વીલનોl  એક્ઝીક્યુટેર નીમ્યો હતો જેણે નોબેલ ફોઉન્ડેશનની  રચના કરી હતી અને પહેલું શાંતિ ઇનામ જિન હેન્રી ડૂનત અને ફેડ્રિક પાસીને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ  ફિઝિક્સ , રસાયણ , મેડિકલ ,સાહિત્ય જેવા વિષયો પર પણ ઇનામ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.



                                      આલ્ફેડ નોબેલએ જયારે ડાયનામાઈટ ની શોધ કરી ત્યારે એ માનતા હતા કે એમની શોધ વિશ્વ યુદ્ધોનો અંત લાવશે કારણકે એનો ઉપયોગ એટલો વિનાશક હશે કે કોઈ પણ દેશ એનો ઉપયોગ કરતા ખચકાશે. પરંતુ એની આગાહી સાચી ઠરી નથી. તે છતાં યુરોપના ઉદ્યોગીક ક્રાંતિ  પછી  ખનીજ ઉદ્યોગ ખીલ્યો તેથી ડાયનામાઈટ એમાં ખુબજ ઉપયોગી નીવડ્યું છે. 

                                      આમતો આલ્ફ્રેડ નોબેલ બહુ સાદું જીવન જીવતા હતા. તેઓ એમના કામમાં બહુજ રોકાયેલા રહેતા  અને  એકલ  જીવન જીવતા. તેઓ રૂઢિવાદી હતા . તેમના કામદારોની સાથે પિતા તુલ્ય વર્તન કરતા . વિજ્ઞાનની બાબતમાં હંમેશા મદદ રૂપ રહેતા. એમણે એમના ધંધાને બોફેર જેવી ફાઉન્ડ્રી ખરીદીને વધારી હતી. આજે પણ  બોફેરની તોપોને ભારતીય સૈનિકો વાપરે છે. 



                                        આમ છતાં નોબેલ પ્રાઈઝ આજે પણ વિવાસ્પદ રહ્યું છે.  મહાત્મા ગાંધીનું નામ ઘણીવાર નોમિનેટે થવા છતાં એમને  એ પ્રાઈઝ આપવામાં આવ્યું નથી. પરંતુ  ૧૯૩૯ માં  એડોલ્ફ હિટલરને  નોમિનેટે કરવામાં આવ્યા હતા. તે છતાં નેલ્સન મંડેલા,  માર્ટિન લ્યૂથર કિંગ અને મધર ટેરેસાને આપવામાં આવેલા ઇનામોને વિશ્વે બહુમતીથી સ્વીકાર્યા છે. એવી જ રીતે કવિ રવીન્દ્રનાથને સાહિત્યમાં અને સી વી રામનને વિજ્ઞાનમાં મળેલા ઇનામોને ભારતીયો લોકોએ અને વિશ્વ એ ગર્વથી વધાવ્યા છે. 

                                         એક વાત તો સત્ય છેકે વિશ્વના શ્રેષ્ટ  લોકોને માન આપવામાં નોબેલ પ્રાઈઝ અગત્યનો ભાગ ભજવ્યો  છે. 

                                *****************************************

 

  

Friday, February 11, 2022

 


પહેલું  સુખ તે જાતે નર્યા.

                                                    સારી તંદુરસ્તી એ જીવનમાં મોટામાં મોટું સુખ છે કારણકે  તંદુરસ્તી વગરની સંપત્તિ કે પછી સત્તા નો કોઈ અર્થ નથી. સારી તંદુરસ્તી માટે માણસે પોતે જ કાળજી રાખવી જોઈએ. 

                                         ખાવાના ખોરાક પણ ધ્યાન રાખવું જોઈકે કારણકે ગમેતેમ  ખાવાથી તબિયત બગડે છે. કેળા, આદુ , સાદું દહીં, પપૈયા, સફરજન , ઓટ મીલ, ઠંડી ચા જેવી ચીજો  લેવાથી ઘણીવાર ખરાબ પેટને રાહત આપે છે.



                                        દારૂ ને  સૂંઘવાથી કે શરીર પર લગાડવાથી  'નોસીયા' જેવી  બીમારી દૂર થાય છે. પરંતુ ખાલી પેટે કેટલીક  વસ્તુઓ  લેવાથી  બીમારી ઉભી થાય છે . ભુખા પેટે ચા, કોફી પીવાથી એસીડીટી થાય છે . ખાલી પેટે સલાડ ખાવાથી એસીડીટી ,એન્ડ ઘણીવાર હાર્ટ બર્નિંગ થઇ શકે છે. જમરૂખ પણ ખાલી પેટે ખાવાથી  પેટનો દુખાવો થઇ શકે છે. ટમેટો પણ ખાલી પેટે એસીડીટી ઉભી કરે છે.

                                        પ્રોટીન શરીર ના ઘડતર માં અગત્યનો ભાગ ભજવે છે. ૭૦% ભારતીયો પ્રોટીનની અછતથી પીડાય છે એમાં  સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. એનાથી શરીરમાં નબળાઈ , થાક વધારે લાગે છે. શરીરની રોગો સામે લડવાની શક્તિ ઓછી થઇ જાય છે. સિંઘનું માખણ, લીલા ચણા , દાળ , ઈંડા , દહીં અને સૂકો મેવા , પ્રોટીનની અછતને પુરી કરી શકે છે. પરંતુ વધારે પડતું પ્રોટીન શરીરનું વજન વધારી શકે છે.  મૂત્રાશય  , હાર્ટ કે કેન્સર જેવી ગંભીર બીમારીઓ  પણ ઉભી કરી શકે છે.

                                            આ બતાવે છેકે આહાર પાર  માણસની તંદુરસ્તીનો આધાર રહે છે માટે સામાન્ય  કાળજી લેવાની જરૂર છે. માણસ વધારે ને અયોગ્ય ખોરાક ખાવાથી જ સહન કરે છે. એ પણ સત્ય છે કે કરોડો લોકોને બે વાર પૂરતું  ખાવાનું  પણ મળતું નથી પણ તે જીવી શકે છે. ટૂંકમાં ભૂખ્યા લોકો કરતા  અયોગ્ય ખોરાક   ખાવાથી માણસો  વધારે મરે છે.

                                  ************************************* 

Wednesday, February 2, 2022



એલન મસ્ક- બ્રહ્માંડનો માનવી 

                                               જે વ્યક્તિને  આખા બ્રહ્માંડ મંડળમાં  રસ  હોય એને બ્રહ્માંડ માનવીનું જ  પદ આપી શકાય. જેને સોલાર સિસ્ટમથી માંડીનેતે અવકાશ અને ગ્રહો પર  વિહરવું છે એવા એલન મસ્ક માનવી છે. દુનિયામાં જે અસંભવ વસ્તુઓ છે એમાં એલન મસ્ક ઝુકાવીદે છે.

                                             મસ્કએ   ઇલેકટ્રીક કારથી માંડીનેતે રોકેટ સુધીના ઉદ્યોગોમાં ઝંપલાવેલું છે. એમને ઇલેક્ટ્રિક મોટર કાર  ડ્રાઈવર વગરની બનાવી દુનિયાને કાર્બન મુક્ત બનાવવી છે. ' નાસા '  બાદ માનવીઓને અવકાશમાં સહેલ કરાવવાનું બીડું એમણેઝડપેલું છે. એમાં એમની ' સ્પેસ એક્સ ' કંપની આજકાલ કામ કરી રહી છે.     

                                                એમની બીજી એક કંપની' સ્ટાર લિંકે ' અવળકાશમાં  ૧૮૦૦  સેટેલાઇટ મોકલાવીને  ઇન્ટરનેટની રચના કરી રહી છે. સ્પેસમાં ઈન્ટરનેટ ઉભું થવાથી દુનિયાને અદભુત ભેટ મળવાની છે.

                                              એમની એક કંપની  'નેયુરલિન્ક ' એવી શોધ કરી રહી છેકે  મગજના  નેયુરોનને ઇમ્પ્લાન્ટ કરી શકશૅ. એ સ્વાસ્થ્ય માટે મોટામાં મોટી ભેટ હશે.



                                                બોરિંગ કંપની એક એવી ટનલ બનાવી રહી છે જે ટ્રાફિક ની મોટી સમસ્યાને હલ કરવા પ્રયત્ન કરી રહી છે. 

                                                એલન મસ્ક  મોટા ' સ્ટાર શિપ' રોકેટ દ્વારા માર્સ પર પહોંચવા માંગે છે. એમની એ મોટી છલાંગ છે. તેઓ આગળ જતા લોકોને પણ ત્યાં લઇ જવા માંગે છે.

                                                  થોમસ એડિસનની જેમ તેઓ તેમની કોઈ પણ  તેમની કલ્પનાને સ્વરૂપ આપવા માંગે છે. તેઓ દરેક સમસ્યાના ઊંડાણમાં જઈને  ફિઝિક્સના સિદ્ધાંતો  લાગુ કરે છે. તેઓ તેમના સાથીઓમાં પણ અસંભવ વસ્તુઓને સંભવ બનાવવામાં પ્રેરણારૂપ બની રહે છે.

                                                  એમણે કુદરતની અજાયબીમાં ક્તુહલતા છે. એમણે દુનિયાના જીવનને આનંદમય બનાવી અવકાશની મુસાફરીને સામાન્યબનાવવી છે. એમણે આર્ટિફિશ્યલ ટેકનોલોજીનો ઉપયોગ લોકોના સારા માટે કરવો છે, એલન મસ્કનો  કુદરતની અજબ કરામતને  એમના સંધોધનો અને રચનાઓ દ્વારા  ઉકેલવા ઉમદા પ્રયાસો છે. એથી જ એમની માતા એને નાનપણથી બુદ્ધિશાળી કહેતી આવી છે.

                                                          ************************************************** 

                                               

Saturday, January 22, 2022



ગુજરાતી સાહિત્યમાં પ્રદાન -લેખકો 

                                       ગુજરાતી સાહિત્યમાં  ઘણા  નામાંકિત લેખકો થઈ ગયા. દરેકે પોતાના અમુક મનપસંદ  વિષયો પર લખી ગયા છે. ઘણા વાંચકો એનાથી પરિચિત નહીં હોય.  તે ઉપરાંત ક્યાં લેખકે ક્યાં વિષય પર લખ્યું છે એ જાણવાથી વાચકો તેમને જે વિષય પર રુચિ હોય  તે પ્રમાણે મનપસંદ  લેખકોની કૃતિઓ  વાંચી શકે છે. 

                                 નરસિંહરાવ દિવેટિયાએ  અનેક પ્રભુ ભક્તિના કાવ્યો લખ્યા છે. એમનું  પ્રખ્યાત ભજન 'મંગલ મંદિર ખોલો દયામય ' એ એમની ભવ્ય કૃતિ છે. 

                                ઋતુઓનું અદભુત સૌંદર્ય હોય છે. કવિ દલપતરામને પ્રકૃતિના સૌંદર્યમાં અનોખો આનંદ આવતો હતો . તેમને એના પર ઘણું લખ્યું છે.



                                ગની દહીંવાલા એ 'જીવનના સંગર્ષ અને એમાં નિષફળતા'  પર સારું એવું સાહિત્યમાં પ્રદાન કર્યું છે. જયારે અમૃત ઘાયલ 'કેવી રીતે શાનદાર જીવન જીવવા' પર લખ્યું છે. મરીઝએ ' પ્રવાસ' પર સારું એવું સાહિત્યમાં પ્રદાન કર્યું છે. 

                                    કનૈયાલાલ  મુનશીની નવલકથાઓ સાક્ષરતા ભરી છે એમાં એમણે ઘણી ઉચ્ચ રીતે ગુજરાતના નાથનો પરિચય આપ્યો છે. જયારે કવિ ઉમાશંકરે  દૂધમાં સાકરની જેમ  સુંદર  રીતે  ભળવાનો પરિચય કરાવ્યો છે.



                                    ઝવેરચંદ  મેઘાણીએ સ્વાતંત્રતાની લડાઈમાં દેશભક્તિનો પારો ચડાવ્યો હતો. અને એમાં કસુંબાનો  રંગ લગાવ્યો હતો. જો કોઈએ સરસ્વતીચંદ્ર  નવલકથાના રૂપમાં મોટી  સાક્ષરતાનો  પરિચય કરાવી, એક  મોટો ગ્રંથ ગુજરાતી સાહિત્યને આપ્યો હોય તો તે  ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. 

                                    ગુજરાતીઓ વિશ્વ વ્યાપી છે એનો પરિચય કવિ ખબરદારે ' જ્યા જ્યા ગુજરાતી વસે ત્યાં ત્યાં  ગુજરાત' દ્વારા કરાવ્યો. બોટાદકરે 'માં'ના ભવ્ય બલિદાનની કથા ' જનની જોડ જગે નહિ જડે રે લોલ ' દ્વારા કરાવ્યો. 

                                     રમણલાલ વસંતલાલ દેસાઈએ એમની નવલકથાઓમાં  આઝાદીના લડતના આદર્શોની રજૂઆતો કરી છે. જ્યારે નરસી મહેતા તો આદર્શ વૈષ્ણવ જનની ગાથા ગાઈ ગયા છે.

                                     કલાપી મહાન કવિ હતા જેમણે પ્રેમની જ્યોતને જાગૃત કરી હતી. એમની કૃતિ ' જ્યાં જ્યા નઝર મારી ઠરે યાદી ભરી છે આપની' એક અજોડ કૃતિ છે.

                                      ચંદ્રકાન્ત બક્ષીનું જીવન પ્રત્યે ઘણું તીક્ષ્ણ વલણ હતું . તેઓ માનતા કે ' ખરાબ આદતો નાની ઉંમરમાં શરુ કરવી જોઈએ જેથી મધ્યવયમાં તેને છોડી શકાય ' કવિ નર્મદને કોણ નથી ઓળખતું ?  એમણે આઝાદીની આગ લગાડી  અને ગુજરાતની અમિતાની વાત કરી. . એમની કૃતિ ' યા હોમ કરીને પડો. ફતેહ છે આગે'.   

                     આજ બતાવે છે કે વિવિધ લેખકોએ વિવિધ વિષયો પર લખ્યું છે.દરેક વાચકો  એની રુચિ પ્રમાણે આનંદ માણી શકે  છે.  

                                          ******************************  

                                  

Sunday, January 9, 2022

   


અનામતની આડ અસર 

                                                              કેટલીક સગવડો લોકોના માટે આપવામાં આવે છે. પરંતુ જયારે એનો અતિરેગ થાય છેત્યારે એનો મૂળભૂત હેતુ ભુલાઈ જાય છે અને એનામાં વિકૃતિઓ આવીજય છે. ભારતના બંધારણમાં ૧૦ વર્ષ માટે પછાત જાતિઓ માટે અનામત ની જોગવાઈ કરવામાં આવી હતી  પરંતુ એને મત બેન્કનું સાધન બનાવી  રાજકારણીઓએ હંમેશને માટે રાખી લીધી છે. એનાથી  બીજી સવર્ણ જાતિઓમાં ઘણો જ અસંતોષ અને રોષ ઉભો થયો છે. એમાં અન્યાયનું તત્વ પણ ઉમેરાયું છે.

                                                                 પછાત વર્ગમાં જન્મવાથી એમને કોલેજોમાં, નોકરીઓમાં, અને બઢતીમાં આગળ હક્ક મળી જાય છે. એ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે.  ભારતની બ્રાહ્મણોની ૧ .૪ બીલીઓનોની વસ્તીમાં ઘણો જ અસંતોષ પ્રવર્તે છે. એમની માંગણી છે કે ભારતમાં અનામતને લીધે  બ્રાહ્મણોને નોકરીમાં , બઢતીમાં અને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ છે. એમની તો હવે માંગણી છે કે તેઓને થતા અન્યાયોને કારણે એમને પણ અનામત માં  મુકવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.

                                                              આથી બ્રાહ્મણો હવે તકોની શોધમાં પરદેશ ગમન કરવા માંડ્યા છે. અમેરિકા માં  એચઃ૧ બી વિઝા પર નોકરી કરવા જતા  યુવાનોમાં મોટા ભાગના  સવર્ણો  હોય છે. એ વિઝા પર અમેરિકામાં નોકરી કરતા યુવાનોમાં ૨/૩ ભારતીયો જ હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે  અમેરિકાની મોટી કંપનીઓ જેવીકે ગૂગલ , મીકરસોફ્ટ , આઇબીએમ , કે અડોબએ ના વડા બધા બ્રાહ્મણો જ છે. બીજું બ્રાહ્મણો વેપાર કરતા શિક્ષણમાં , કાયદામાં અને સાઈન્સમાં  વધારે નિપુણ નીવડે છે, એટલે એમને પરદેશમાં નોકરીની પણ સારી એવી તકો મળી રહે છે. એથી એમની ભારતમાંથી  પરદેશ ગમનની પ્રવૃત્તિઓ  વધી છે.  મૂળમાંતો ભારતનું બુદ્ધિધન પરદેશમાં ઘસડાય રહ્યું છે.

                                                           અમેરિકાના હાલ ના  ઉપ પ્રમુખ  કમલા હરીશ પણ ભારતીય મૂળના છે. તેઓ દક્ષિણ ભારતના બ્રાહ્મણ કુટુંબમાંથી આવે છે. એમની માતાને પણ અનામતનું ભૂતે હેરાન કર્યા હતા. એમને પણ બ્રાહ્મણ હોવાને નાતે કોલેજમાં પ્રવેશ મેળવવાંમા મુશ્કેલીઓ ઉભી થઈ હતી. એમણે અમેરિકામાં  સ્કોલરશીપ મેળવી હતી અને ત્યાંથી પીએચડી મેળવી. અને ત્યાર બાદ કેન્સર પર શોધ કરવામાં જીવન વિતાવ્યું હતું. 

                                                             ભારતે પરદેશોને પોતાના હોશિયાર પુત્રો આપ્યા છે પરંતુ સાથે એના જાતિવાદની પણ ભેટ આપી છે. કૅલિફૉર્નિયામાં જાતીય ભેદભાવના અસંખ્ય કેસો ભારતીયોએ કંપનીઓ સામે માંડેલા છે. 

                                                             એક વસ્તુ પણ સત્ય છે કે ભારતીયો દુનિયાની બધી પ્રજા કરતા  વધારેમાં વધારે નાણા ભારતમાં મોકલાવે છે. અનામતની આડઅસરે ભારતની  બહાર સારો એવો ફાયદો કરાવ્યો છે.

                                        **************************************

                                                              

Sunday, January 2, 2022



જાપાન પાસે  શું શીખવાનું છે? 

                                                                        જાપાન નાનો  દેશ  છે ,પરંતુ દુનિયાની મોટી ત્રીજી આર્થિક તાકાત છે. એને પોતાના પ્રશ્નો છે એને ઉકેલવા એણેજે પ્રયત્નો કર્યા છે એ પ્રસંસનીય છે.

                                           એનો મોટો પ્રશ્ન એના વધતા જતા વૃદ્ધઓની સંખ્યા છે. એની અસર એના આર્થિક વિકાસ પણ પડી છે. એના માટે જાપાને લોકોની નિવૃત્તિની વય ૭૦ કરી નાખીછે. એથી જાપાનમાં  ૩૩% જેટલા ૭૪ વયના વૃદ્ધોની નોકરી ચાલુ  છે.  તે ઉપરાંત જાપાનના કેટલાક  વિસ્તારોમાં વૃદ્ધોને  પેગોડામાં (મંદિરોમાં ) પાદરી  (પુંજારી કે મોન્ક ) તરીકેનીમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તેઓ તેમના અનુભવનો ઉપયોગ લોકોને દોરવણી આપવામાં અને પેગોડાની વ્યવસ્થામાં કરી શકે. વૃદ્ધોને ખેતી કરવી હોય તો ખેતર પર નજર રાખવામાટે ડ્રોન જેવી  હાઈ ટેકનોનોલોજી પણ મદદ આપવામાં આવેછે. આમ વૃદ્ધોને દેશ હિતની પ્રવૃત્તિમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.    નવયુવાનો નવી ઉદ્યોગીક કંપનીઓમાં નોકરીએ  લાગે છે. એથી ઉદ્યોગીક વિકાસને પણ વેગ મળે છે.

                                             બીજું જાપાનમાં ધરતીકંપ અને દરિયાયી તોફાનો સામાન્ય થઇ ગયા છે જે આર્થિક રીતે જાપાનને તબાહ કરી રહ્યા છે. જાપાને એના પુલો, અને મકાનોને  ધરતીકંપ સામે  ટકી શકે એવા બનાવવા માંડ્યા છે. શહેરોમાં જમીનની નીચે ૧૨ દિવસ સુધી પાણી પુરા પાડી શકે એવા ભંડારો બનાવ્યા છે.  અને લોકોમાં કુદરતી આફતો સામે ટકી રહેવા માટે વાતાવરણ ઉભું કર્યું છે.  લોકોમાં  સરકાર પર વધારે આધાર  ન રાખવાની વૃત્તિઓ ઉભી કરી છે.



                                               અત્યારે જયારે કોવિદ ૧૯ ની બીમારી  ચાલી રહી છે ત્યારે દુનિયામાં  જાપાનનો મૃત્યુ દર દુનિયામાં ઓછામાં  ઓછો  છે, અને પુરે પુરી વેકસિન લેવાનો દર પણ ઘણો ઉચ્ચો છે.

                                                 ટેક્નોલોજીમાં  પણ જાપાનમાં રોકાણ ઘણું છે. 'યુનીકુઓથી નિન્ટેન્ડો 'જેવી ૫૦ કંપનીઓ જાપાનમાં છે.એમાં રોબોટ અને સેન્સર જેવી ટેક્નોલોજીમાં  તેઓ  આગળ છે. અને એનું સારું એવું માર્કેટ ઉભું કર્યું છે .

                                                      ૨૦૫૦ સુધીમાં ઝીરો કાર્બનનું લક્ષ્ય પહુચવાનો જાપાનનો ઈરાદો છે. હવામાનનો બદલાવથી જાપાન વધારે પીડિત છે. પરંતુ એનો સામનો લોકસહયોગથી કરવામાં જાપાન સફળ થયું છે.

                                                    ચીન અને અમેરિકા જેવી મહાસત્તા વચ્ચે વેપારની બાબતમાં   જાપાનએ પોતાનું સમતોલન જાળવી રાખ્યું છે. તે ઉપરાંત જાપાને અમેરિકા , સાઉથ કોરિયા , ઇન્ડિયા  અને ઓસ્ટ્રેલિયા 

સાથે ચાઇના સામે લશ્કરી અને વેપારી સબંધો વધાર્યા છે અને પોતાની સલામતી પણ વધારી દીઘી છે.

                                                    આમ જાપાન પાસે પ્રતિકૂળ સંજોગોને કેવી રીતે પોતાની તરફેણ લાવવાની કુનેહ શીખવા લાયક છે.

         

                                              **********************************