Wednesday, December 7, 2022



ચોગડીયું 

                                                           હિન્દૂ ધર્મમાં સારું  ચોગડીયું એ કોઈ પણ શુભ  કામના શરૂઆત માટે  પસંદ કરવાંમાં આવે  છે. ચોગડીયું કામની સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે.  એટલે લોકો શુભ મુર્હત છેપણ જોવડાવે છે. એમાં ચોગડિયાની પસંદગી પણ આવી જાય છે. 

                              દિવસના આઠ ચોગડીયા હોય છે જે  દોઢ કલાકને અંતરે બદલાય છે. પહેલું ચોગડીયું   અને છેલ્લું ચોગડીયું એક જ હોય છે. એટલેકે પહેલું  અંતે પાછું આવે છે. ટૂંકમાં જેવી શરૂઆત એવો દરેક વસ્તુનો અંત  હોય છે. એજ જીવનનો મુખ્ય સંદેશ છે. આજ બતાવે છેકે  હિન્દૂ ધર્મમાં દરેક વસ્તુ પાછળ  તર્ક  અને  વજૂદ કારણો હોય છે.



                               મૂળમાં આઠ ચોગડિયામાં  ચલ  શુભ લાભ, અમૃત , ઉદ્વેગ રોગ  અને કાળ હોય છે  જેમાએક ચોગડીયું બે વાર આવે છે. એમાં ઉદ્વેગ  રોગ , અને કાળ નકારત્મક  હોય છે જ્યારે શુભ , લાભ અને અમૃત હકારત્મક હોય છે. એટલે શુભ કામ માટે  હકારત્મક વાતાવરણની જરૂરિયાત હોય છે. જયારે ચલને તટસ્થ માનવામાં આવે છે.



                                  ટૂંકમાં વિજ્ઞાનક અને તર્ક ભર્યા કાર્યોં માટે શુભ સમયની જ પસંદગી કરવામાં આવેછે. એથી કાર્યોં સફળતા પૂર્વક પુરા થાય છે. એના માટે શુભ અને અશુભ સમય દિવસ દરમિયાન  બતાવવામાં આવે છે. આથી જ હિન્દૂ માન્યતાઓ તર્ક અને વિજ્ઞાનિક કારણો પર આધારિત  હોય છે. 

                                  **********************************


                            

Friday, December 2, 2022



એક વનવાસી નેતા  

                                          ધર્મ  પ્રત્યેની લાગણીઓ  દરેક મનુષ્યમાં હોય છે. પછી ભલે એ  ઉચ્ચ શિક્ષિત  સનાતની  હોય કે પછી એ અશિક્ષિત  આદિવાસી હોય .  ભારતમાં અંગ્રેજો આવ્યા બાદ ક્રિશ્ચન મિશીનરીઓનીપ્રવૃત્તિઓ વધી અને આજે આપણે જોઈએ છેકે પછાત પ્રદેશોમાં ગરીબ અને અશિક્ષિત લોકો ક્રિશ્ચન બની ચુક્યા છે. એમાં મિશીનરીઓ તરફથી અપાતી આર્થિક અને શિક્ષણિક લાભો પણ જવાબદાર છે.

                                          આવી ક્રિશ્ચન   મિશીનરીઓની પ્રવૃત્તિ સામે ગુલામીના વખતમાં પણ ઘણા આદિવાસી નેતાઓએ લોકોને જાગૃત કરી એમાં  બિરસા    મુંડાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.  ઇતિહાસમાં એની જોઈએ એવી નોંધ લેવાંમાં આવી ન હતી પણ સ્વતંત્ર ભારતે હવે એની નોંધ લીધી છે અને આદિવાસી નેતા   બિરસા  મુંડાને એના ક્રિશ્ચન મિશીનરીઓ સામેની  લડત અને  બલિદાન માટે નવાજવામાં આવ્યા છે.



                                               ૧૫૦ વર્ષ પૂર્વે ક્રિશ્ચન મિશીનરીઓ ઓરીસ્સા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ  જેવા પછાત પ્રદેશોમાં વધારે પ્રવૃત્તિમય હતી ત્યારે  બિરસા   મુંડાએ તેમની સામે લડત ઉપાડી હતી અને હિંદુઓને  ક્રિશ્ચન બનાવવા સામે ઉગ્ર લડત ચલાવી હતી. તેની   સામે અંગ્રેજ સરકારે  આદિવાસીઓ  પર   જુલમ ગુજાર્યો   હતો. જેલોમાં તેમને નાખી દઈ એમના પર અસહ્ય જુલમ ગુજાર્યો હતો.

                                                   બિરસા   મુંડા નો જન્મ  ઝારખંડના લોહરદગા ગામમાં ૧૮૭૫ માં આદિવાસી કુટુંબમાં થયો હતો. એમનો જન્મ બૃહસ્પતિ વારે થયો હતો એથી એમનું નામ બિરસા  રખ્ખા રાખવામાં આવ્યું હતું. શિક્ષણ અને બીજી મદદો માટે એમણે ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો અને એમનું નામ  બિરસા  ડેવિડ રાખવામાં આવ્યું. એમણે મિશીનરી સ્કૂલોમાં ક્રિશ્ચન ધર્મનો પ્રચાર અને હિન્દૂ ધર્મની અવગણના જોઈ એથી એમનું ર્હદય દ્રવી ઉઠ્યું  અને ફરીથી ધર્મ બદલી અને ક્રિશ્ચન મિશીનરીઓ  સામે લડત ચલાવી જેનું નામ ' ઉલ ગુલામ  ' આપ્યું એટલે કે ' ભારી કોહરામ '. એ ક્રાંતિકારી લડતમાં અનેક આદિવાસીઓને  ગોળી મારવામાં આવી ને જલિયાંવાલા જેવો હત્યા કાંડ કરવામાં આવ્યો. એમનું ૨૪ વર્ષની ઉંમરમાં જેલમાં જ મૃત્યુ થયું . માનવામાં આવે છે કે જેલમાં એમને આરસનિકનું  ઝેર આપવામાં આવ્યું હતું.



                                                 તેઓ આદિવાસી હતા પણ સ્વાતંત્ર સૈનિકની જેમ અંગ્રેજો સામે જુજમ્યા હતા અને શાહિદ થયા હતા. તેઓ આદર્શવાદી હતા. માંસ, શરાબના વિરોધી હતા. ગાય અને તુલસીની પૂંજાને  હિન્દૂ સનાતન સંસ્કૃતિ પ્રમાણે પ્રોત્સાહન આપતા હતા.

                                                    તેમણે ૧૩ વર્ષ સુધી આદિવાસીઓના ટેકા સાથે અંગ્રેજ રાજ સામે લડતા રહયા હતા. એક દેશ ભક્ત સ્વતંત્ર વીરની જેમ  વનવાસીઓમાં જાગૃતિ લાવી સ્વતંત્રતાની ચીંગારી પ્રજવિત કરી હતી.  જે મુશ્કેલ કામ હતું. ભારત એમના માટે આજે પણ એમનું ઋણી  છે.

                                                       ******************************** 

 

     

Saturday, November 19, 2022



સોનિયાકી ચીડિયાને રસ્તે ભારત

                                                                એક જમાનામાં ભારત' સોનાની ચિડિયાને' નામે પ્રખ્યાત હતું. વિશ્વના વેપારીઓ , લુટેરાઓ અને વિશ્વ વિજેતાઓ પણ ભારતનો એક કે પછી બીજા સવરૂપે લાભ લેવા તૈયાર હતા. તેઓ આવ્યાને સોના, ચાંદી હીરા, મોતિ, અને બધી રીતે   ભારતને લૂંટાય  એટલું લૂંટી ગયા.  એમાંથી   પોતે સમૃદ્ધ બન્યા . એમાંના છેલ્લા ભારતને ચૂસનાર  અંગ્રેજો હતા. જેમણે ભારતનો વિશ્વના વેપારમાં ૩૦ ટકા થી વધારો જેટલા હિસ્સાને ૩ ટકા થી નીચે  મૂકીને નીકળી ગયા.

                                                  ભારતના લોકોમાં બુદ્ધિ , ચાતુર્ય, અને જ્ઞાનને તેઓ લૂંટી શક્યા ન હતા આથી સ્વાતંત્રતા બાદ ભારતે ફરીથી પ્રગતિ કરવા માંડી છે. ઉદ્યોગો, વેપાર, એન્ડ વિજ્ઞાનિક સંધોધનમાં પ્રગતિ કરવા માંડી છે.  અર્થતંત્ર  દુનિયાના વિક્સિત દેશો સાથે આગળ વધીને આજે દુનિયાનું પાંચમું અર્થ તંત્ર બની  ચૂક્યું છે અને  ભારત પર ૨૦૦ વર્ષ રાજ કરનાર અંગ્રેજ અર્થતંત્ર કરતા પણ ભારતનું અર્થતંત્ર આગળ વધી ગયું છે. થોડાક જ વર્ષમાં એ વિશ્વના ૩જા અર્થતંત્ર પર પહોંચી શકે એવી શક્યતાઓ છે.



                                                     તે છતાં ભારતમાં  ૩૦% જેટલા  લોકો હજુ ગરબીરેખાની નીચે જીવે છે. એનું  મુખ્ય કારણ અમુક રાજ્યો હજુ પ્રગતિ કરી શક્યા નથી. જેમાં ઉત્તર પ્રદેશ , બિહાર,  રાજસ્થાન , ઝારખંડ , વેસ્ટ બંગાળ , અને પૂર્વના રાજ્યોનો પણ એમાં સમાવેશ થાય છે. એમની વસ્તી ભારતની વસ્તીની ૪૦%ટકા છે.  જયારે પશ્ચિમના/ દક્ષિણના  ગુજરાત, મહારાષ્ટ્ર , ગોવા , કર્ણાટક, તામિલનાડુ, જેવા રાજ્યો સારી એવી પ્રગતિ કરી છે. એથી ભારતની એ મૉટી સમસ્યા છે.  ઉત્તર પ્રદેશની વસ્તી ભારતની  ૧૭  % છે પણ ત્યાં નોકરીઓ ફક્ત  ૯% જેટલી જ છે. આમ ભારતમાં આવકોમાં મોટો તફાવત ઉભો થયો  છે.  તે ઉપરાંત પછાત રાજ્યોનો વસ્તી વધોરો પણ પ્રગતિશીલ રાજ્યોથી વધારે છે. 



                                                  આથી પછાત રાજ્યો પર વધારે ધ્યાન આપી એની વસ્તી કાબુમાં લેવી જોઈએ અને ઉદ્યોગીક પ્રગતિ વધારવી આવશ્યક છે. તોજ ભારત સંપૂર્ણ રીતે સમૃદ્ધિની દિશામાં આગળ વધી જશે. આ બાબતમાં ઉત્તરપ્રદેશ સરકાર સારો એવો પ્રયત્ન કરી રહી છે અને એના પરિણામો સારા આવશે એમ લાગી રહ્યું છે. પરંતુ બીજું પછાત રાજ્ય બિહાર હજુ પણ ગરીબીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યું છે. ટૂંકમાં સર્વ વિકાસથી જ ભારત સોનાની ચીડિયા જલ્દીથી બની શકશે. અથવા તો એક તરફ ગરીબી અને બીજી તરફ સમૃદ્ધિ એ સારી નિશાની નથી. આશ્ચર્યની વાત તો અમરિકામાં પણ ન્યુયોર્ક રાજ્ય અને મિસિસિપી રાજ્યની આવક વિષે પણ વિશાળ તફાવત છે.  



                                                    અંગ્રેજીમાં કહેવાયું છેકે ' એક બાજુ સમૃદ્ધિ અને બીજી બાજુ ગરીબી હોય તો ગરીબી સમૃદ્ધિ માટે હંમેશા ભયરૂપ બની રહે છે.' એથી સર્વ સમૃદ્ધિ વગરની 'સોનેકી ચીડિયા ' એક ડાઘ જેવી બની રહેશે. એટલા માટે  સર્વ  જગ્યાએ સુખ અને સમૃદ્ધિ  થાય એવા પ્રયાસો કરવા વધારે  જરૂરી છે. 

                             **********************************************  

Saturday, November 12, 2022



આત્મા એટલેકે  ઉર્જા 

                                                               આત્મા માટે દરેક ધર્મમાં  જુદી વ્યાખ્યા છે.  માનવીના મૃત્યુ બાદ મુસ્લિમ અને ક્રીચ્યન ધર્મમાં  દફનાવવામાં આવે છે. જયારે હિંદુઓ શરીરને અગ્નિદાહ દે છે.

                                                 ભગવાન કૃષ્ણએ ગીતામાં  આત્મા વિષે સ્પષ્ટ વિવેચન કર્યું છે.  અર્જુનને  પોતાના નિકટના સ્વજનો સામે યુદ્ધ લડવાની મરજી ન હતી . અર્જુને તો એટલે સુધી કહી દીધું હતુંકે મારા સ્વજનોને મારીને મારે રાજપાટ મેળવવું નથી. એના કરતા હું દૂર થઇ જાઉં એ ઉચિત હશે. ત્યારે શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યુકે ' શરીર  નાશવંત છે પરંતુ આત્માનો  કદી નાશ થતો નથી. તું એને મારશેકે  નહિ મારે એમનું શરીર તો એક દિવસ નાશ પામવાનું છે.  આથી તું તો ફક્ત એમના શરીરને મારવા માટે  નિમિત્ત માત્ર છે.' 

                                                     આગળ ચાલતા કૃષ્ણ કહેછેકે 'આત્મા તો અમર છે. એને જળ , વાયુ કે પછી અગ્નિ  પણ નાશ કરી શકતા નથી. આત્મા તો ફક્ત શરીર છોડીને બીજું શરીર ધારણ કરી લેછે. એથી તારા સ્વજનનોના શરીરોનો નાશ કરવા માટેનો તારો આ વિલાપ વ્યર્થ  છે. આથી તું તારી  ફરજ બજાવ અને યુદ્ધ કર. 'આમ ભગવાન કૃષ્ણ સ્પષ્ટ કહ્યું છે કે આત્મા 'એક ઉર્જા સમાન છે  ફક્ત એ  શરીર  જ બદલે છે. '



                                                      આજના વિજ્ઞાનિકોએ  પણ એજ સાબિત કર્યું છેકે 'ઉર્જાનો કોઈ નાશ થતો નથી પણ ફક્ત એનું સ્વરૂપ જ બદલાય છે.' આજ હજારો વર્ષો પહેલા હિન્દૂ ધર્મમાં  અને ગીતામા કહેવામાં આવ્યું છે.  એથી અગ્નિદાહની પ્રથા આ સિદ્ધાંત   પર અપનાવવામાં આવેલી છે. જેમાં શરીરનો મ્ર્ત્યુ બાદ નાશ કરવામાં આવે છે.

                                                        આથી મરેલાંનાં 'આત્માને શાંતિ મળે' એ કહેવાની પ્રથા  હિંદુઓ માટે વિચિત્રજનક  નથી લાગતી ? કારણકે  મૃત્યુ પામેલાનો આત્મા તો ત્વરિત  બીજા શરીરમાં દાખલ થઇ જાય છે.

                                     ****************************************

 

Sunday, November 6, 2022


 જીરું અને સ્વાસ્થ્ય                                             

                                             જીરામાં   મોઢામાં સ્વાદ ઉત્પન્ન  કરનારું તત્વ હોય છે અને માનવીય સ્વાથ્ય માટે પણ સારું છે. એમાં  થૈમલ નામનું તત્વ હોય છે જે  પ્રેમક્રિયાસને ઉત્તેજિત કરે છે. અને  જે  પાચન  શક્તિને વધારે છે.

                                       તે ઉપરાંત જીરું સોજાને ઓછું કરનારું  અને કેન્સર જેવા રોગમાં પણ મદદરૂપ થાય છે. એ  જાડાઈ ઓછું કરવામાં મદદ રૂપ થાય છે અને સુગર લેવેલને પણ ઓછું કરે છે.



                                        એ શરીરના   ટીસ્યુઓને   હાઈડ્રેટ કરીને તંદુરસ્ત અને ફ્રેશ બનાવે છે. એનામાં કૅલરી નથી તેથી એ હાનિકારક નથી.

                                          હાર્ટ  દાજરાને  પણ ઓછું કરવામાં સહાયરૂપ થાય છે. તે ઉપરાંત બ્લડ પ્રેસરને  પણ ઓચ્છુ કરવામાં  મદદ કરે છે. આમ જીરાનું પાણી સુરક્ષિત અને તંદુરસ્તી માટે ઉપયોગી છે. સવારનો સમય જીરા પાણી પીવા માટે વધુ અનુકૂળ  હોય છે.



                                          ટુંકમાં જીરાના ઘણા ઉપાયો છે. એમાં વાયુ પ્રકૃતિ વાળા  લોકો માટે પણ સારું છે. જીરું ચામડી માટે પણ સારું છે. એટલા માટે એનો કરોડો નો વેપાર થાય છે. અને ભારતમાં ઉત્તરગુજરાતમાં  મહેસાણાની બાજુમાં આવેલું ઊંજા ગામ એના કરોડોના વેપાર માટે પ્રસિદ્ધ છે.

                        ************************************ 

                                        


 

SATURDAY, OCTOBER 22, 2022

 



Friday, October 21, 2022



શકુંતલાદેવી -માનવીય કોમ્પ્યુટર 

                                                          શકુંતલાદેવી   ઇન્ડિયન ગણિતશાસ્ત્રી  અને કોમ્પ્યુટર સાથે હરીફાઈ કરી શકે એવી વ્યક્તિ હતી. તેઓ મોટા  આંકડાઓની ગણતરીઓ સેકન્ડોમાં કરી શકવાની અજબ શક્તિઓ ધરાવતા હતા.  એના કારણે તેમણે ગિનીસબુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોધાવેલાં હતા.

                                                                તેઓ એ બે ૧૩ ડિજિટ નંબરના ગુણાકાર  ૨૮ સેકન્ડમાં કરી બતાવ્યા હતા. ૧૯૭૭માં શકુંતલાદેવીએ  ૨૩ રુટ ઓફ ૨૦૧ આંકડાની ગણતરી ૫૦ સેકન્ડમાં કરી હતી. તેઓ કોમ્પ્યુટર સમાન શક્તિ ધરાવતા હતા,  એટલેકે તેઓ તે વખતના યુનિવલ ૧૧૦૧ કોમ્પ્યુટરની હરીફાઈ માં હતા. એ એક અજાયબ શક્તિ ધરાવતા હતા.  શકુંતલાદેવી સામે ટકી રહેવા માટે યુનિવલ કોમ્પ્યુટર  માટે સ્પેશ્યલ પ્રોગ્રામ લખવામાં આવ્યો હતો જેથી તે શકુંતલાદેવી  સાથે તેની ગણતરી કરવાની શક્તિઓ સામે હરીફાઈ કરી શકે.



                                                           આમ શકુંતલાદેવી ભારતનું ગૌરવ હતા જેના માટે દરેક ભારતીયો  પણ ગૌરવ લઇ શકે છે.

                                  *************************************


                                                               

Thursday, October 13, 2022



ચીનની  પડતી ,

                              ચીનની  વધતી તાકાત સાથે એની દાદાગીરી પણ વધી ગઈ હતી. ચીન એની આજુબાજુના દેશો સાથે સરહદોની બાબતમાં ઝગડી રહ્યું છે. તાઇવાનનો કબજો લેવા માટે વારેઘડીએ છમકલાઓ કર્યા જ કરે છે. એથી ચીનને ઘણા દેશો સાથે રાજકીય સંબધો તંગ થઇ ગયા છે.

                                તે ઉપરાંત ટ્રમ્પએ ચીન સાથે વેપાર યુદ્ધ શરુ કરી દીધું હતું.  યુરોપીઅન દેશોએ પણ ચીનના માનવહકના ભંગ માટે બહિષ્કાર શરુ કર્યું છે. અને એમના વેપારને ચીનથી વાળવાના મથામણમાં છે. ઇંગ્લેન્ડે ચીનની વસ્તુઓ પર કર વધારી દીધો છે. અને કેટલાક નિયંત્રણો પણ લાદ્યા છે. ભારતે પણ લડાખના સરહદી વિવાદને લીધે ચીન પર નિયંત્રણો લાદેલા છે. એનાથી વધારે દુનિયાના દેશો કોવિદ-૧૯ માટે ચીનને જવાબદાર માને છે. આથી ચીને ઝીરો કોવિદ નીતિ અપનાવી છે એથી એની અર્થ વ્યવસ્થાને પણ નુકશાન થયું છે.



                              ચીનના આર્થિક આંકડાઓ પણ નીચે જઈ રહયા છે.  વર્લ્ડ  બેન્કના અહેવાલ પ્રમાણે ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ચીનનો નિકાસનો વૃદ્ધિ દર ૨૩.૫ ટકા જેટલો હતો  તે ઘટીને  કરોના કાળ પછી  ૧૮.૪ ટકા પર નીચો આવી ગયો છે. પહેલા ૧૮ કરોડ લોકોને રોજગારી મળતી હતી  એ ક્ષેત્રમાં પણ ૧.૫  બેરોજગાર બન્યા છે. બાંધકામ ક્ષેત્રમાં પણ લોકોનો વિસ્વાસ રહ્યો નથી . એની અસર ચીનના જીડીપી પર થયો છે એથી ચીનનો જીડીપી  ૪.૩ ટકા પર નીચો આવી ગયો છે.

                            વિદેશી કંપનીઓ એમનું રોકાણ ચીનમાંથી ખસેડી રહયા છે અને એનો પણ ફટકો ચીનને પડી રહ્યો છે.ચીની કંપનીઓના નફામાં પણ ઘટાડો આવ્યો છે. અમેરિકામાં ઘણી ચીની કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે એની અવળી અસર ચીનના આર્થિક સ્થિતિ પર પડી છે.  ચીનના ૧૦૦ દેશો ચાલતા બીઆરઆઈ  પ્રોજેક્ટ ઓ પણ એની અસર થઇ છે. એથી એવું લાગે છેકે ચીનની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

                                     ***************************