Saturday, December 24, 2016


દવાઓની આડઅસર
                                                                 વધારે પડતુ પ્રદુષણ, માનસિક  તણાવ, ખોરાકમા થતા ભેળસેળને કારણે રોગોનૂ પ્રમાણ  વધતુ જાય છે.  ઍની સામે નવી નવી દવાઓ બજારમા આવતી જ જાય છે. આની સામે લોકોની સહન શક્તિ પણ ઑછી થતી જાય છે અને નાની નાની બાબતો મા પણ લોકો દવાઓ લેવા માંડે છે. તે ઉપરાંત કેટલાક આરોગ્યના લગતા વિંમાઓના કવચને કારણે પણ દરદીઓને  મળતી દવાઓ મફત મા પડે છે.  આથી દવાઓં મોટા પ્રમાણ દરદીઑને  આપવામા આવે છે. જેનાથી ઘણીવાર દરદીઓ આડઅસરના ભોગ બની જાય છે.
૧)વૃધ્ધો  દવાઓ નાની નાની બાબતમા લેતા હોય છે અને પછી દવાઓની આડઅસરમા સપડાઈ જાય છે.  ૬૦ વર્ષના વૃધ્ધને બ્લડ પ્રેશરની દવા વધુ  પ્રમાણમા આપવામા આવે તો ઍ બેભાન થઈ જઈ શકે છે.
૨) અમેરિકાના આરોગ્ય વિભાગના શન્શોધન પ્રમાણે વૃધ્ધો ઍમનો ૩૫% સમય હોસ્પિટલમા વિતાવે છે. વૃધ્ધ દરદીઓને દવાની સમસ્યાને કારણે અમેરીકામા સરેરાસ ત્રણ દિવસ હોસ્પિટલમા વધુ રહેવુ પડે છે.  ભારતમા પણ વૃધ્ધો દવાનુ  આડોઆડ સેવન કરેછે  અને વધારે બીમાર થાય છે.
૩) ૨૦૦૬મા વૃધ્ધો પર દવાની આડ  અસરના ૪૦૦૦૦૦ કેસો નોંધાયેલા  હતા.
૪) દવાની આડઅસરથી  વૃધ્ધોને ચક્કર આવે છે અને પડી  જવાથી  હાડકાઓ તૂટી જાય છે. લાંબા વખત માટે હોસ્પિટલ મા રહેવુ પડે છે,
૫) હોસ્પિટલમાથી રજા આપે ત્યારે આપેલી દવાઓમાની આશરે ૪૪% દવાઓ  બિનજરૂરી હોય છે. પરંતુ ઍવી દવાઓ દરદીને  ખુશ રાખવા કે પછી  સારા મુડમા રાખવા માટે જ હોય  છે.
૬) અમુક દવાઓ દરદીને સારી લાગે તો દાક્તરને પુછ્યા વગર જ  ચાલુ રાખે છે.  જે આગળ  જતા ગંભીર બાબત બની રહે છે.
૭) ૨૦૧૩ ના સર્વે મુજબ  હોસ્પિટલમાથી  રજા અપાયા બાદ અપાયેલ દવાઓની આડઅસરને લીધે ૪૫ દીવસ મા ૨૦% દર્દીઓને સહન કરવુ પડ્યુ હતુ.
                             દવાઓની આડ અસરથી વૃધ્ધોને બચાવવા માટે અમેરિકાની ઍક હોસ્પિટલે  ઍક ખાસ વોર્ડની રચના કરી હતી. ઍના માટે દવાઓના નિષ્ણાતોને રાખવામા આવ્યા હતા. દવાની આડ અસરથી  પાછા  હોસ્પિટલમા દાખલ થતા ૨૨ દરદીઓમાથી ૩ દરદીઓનો ઘટાડો થયો હતો. કેટલીક હોસ્પિટલ દ્વારા સાવચેતી માટે અમેરીકામા વૃધ્ધો માટે આડઅસર ઉભી કરતી દવાઓની યાદી પણ તૈયાર કરેલી છે. ઘણીવાર  માનસિક બિમારીઓ અને હતાશા માટેની દવાઓ વૃધ્ધો પર ઘણી  અવળી અસરો કરે છે.  આથી નાની નાની બિમારીઓમા દવાના સેવન પર કાબૂ  રાખવો જરૂરી છે.  ઘણી  દવાઓ  દરદીને રોગો સામે મદદ  કરવા જતા આડઅસરને લીધે બીજા રોગો પણ ઉત્પન્ન થાય છે. આથી આપેલી દવાઓને લેવામા પણ સાવચેતી રાખવી જરૂરી છે.
                                                        **************************************

Monday, December 12, 2016


શિક્ષણ પધ્ધતિ
                                                                      થોડા માણસોથી વિશાળ વસ્તી ધરાવતા ઍવા ભારત પર રાજ કરવુ સહેલુ ન હ્તુ. પરંતુ ઇંગ્લીશ પ્રજાનુ ચારિત્ર અને  દેશભક્તિઍ ઍ વસ્તુને સફળ બનાવી. જાતી, ધર્મો અને વેરજેર પર લડતા રજવાડાઓેઍ  ઍમા અંગ્રેજોને શક્તિ પુરી પાડી.પરંતુ અંગ્રેજો  અને ઍની તે વખતની સરકાર પણ વિચિક્ષણ હતી. ઍમણે મોકાલે નામના ઍમના પાર્લિયામેન્ટના સભ્યને ભારત આવી ભારતની તે વખતની પરિસ્થિતિનો ક્યાસ કાઢવા મોકલાવ્યા. ઍનો રિપોર્ટ પણ અધભૂત હતો. ઍમનુ કહેવુ હ્તુ કે' તે વખતની ભારતીય પ્રજાનુ ચરિત્ર ઘણુ ઉંચુ હતુ.ભિખારી જોવા મળતા ન હતા. રજવાડાઓ અંદર અંદર લડતા હતા પરંતુ ભારતીય શિક્ષણ પધ્ધતિ બહુજ ઉંચ હતી. આથી આવી પ્રજા પર રાજ કરવુ હોય તો સૌથી પહેલા ઍની શિક્ષણ પધ્ધતિનો નાશ કરવો રહયો.'
                                                આથી ભારતીય પ્રજાને ગુલામ રાખવા માટે અંગ્રેજોેઍ નવી ઍમને અનુકુળ શિક્ષણ પધ્ધતિ ઠોકી દીધી. ઍમાથિ ફક્ત કારકુનો, અને અનુકુળ અધિકારીઓ જ ઉત્પન્ન થાય. અંગ્રેજી ભાષા જ સર્વોચ્ચ છે .અને  ગોરા લોકો દ્વારા આવતી બધી વસ્તુઓ પણ ઉચ્ચ કક્ષાની છે.  અંગ્રેજોઍ શિક્ષણનુ માધ્યમ પણ અંગ્રેજી દાખલ કરી દીધુ. ઍથી સામાન્ય પ્રજાને કઈ  ગતાગમ ન પડે અને જેને બોલતા અને લખતા આવડે ઍ પ્રજાના સાહેબો બની બેઠા. આમ અંગ્રેજોઍ ભારતીય પ્રજામા ગુલામી માનસ ભરી દીધુ. ઍ પીડામા હજુ પણ ઘણા ખરા ભારતીયો પીડાઈ રહયા છે. આથી જ્યા સુધી ભારતીય શિક્ષણ પધ્ધતિમા મુળભુત ફેરફાર ન થાય ત્યા સુધી ભારતની ભવિષ્યને પણ બુરી અસર થશે.
                                                   આમ કહેવાનો અર્થ ઍ નથી કે અંગ્રેજી રાજ઼થી તદ્દન નુકશાન જ થયુ છે. રેલવે, રોડ, રાજ્યવ્યવસ્થા, ઍવી ઘણી બાબતો અંગ્રેજી રાજની દેણ છે પરંતુ  ગુલામી માનસે ભારતીય પ્રજાની કેડ ભાંગી નાખી છે જેમાથી ઉપ્પર આવતા કેટલાઓ દાયકાઓ  જશે ઍ કહેવુ મુશ્કેલ છે.
                                                   ગુલામી માનસ અને સ્વતંત્ર માનસનો સાદો દાખલો જોવો હોય તો અમેરીકામા લાખો અને કરોડો ઇંગ્લીશ નહી જાણનારા લોકોની પ્રગતી પરથી જોઈ શકાય  છે. જ્યારે ભારતમા હજુ પણ ઍવા લોકો છે જેઓ માને છેકે 'અંગ્રેજીનુ  જ્ઞાન માણસને હોશિયાર બનાવે છે અને અંગ્રેજી નહી જાણનાર તુચ્છ છે' આજ ગુલામી  માનસનુ પ્રતિબિંબ છે.

                                                         સ્વતંત્રતાની લડાઈમા  ઘણાખરા નેતાઓ અંગ્રેજી  શિક્ષણ પધ્ધતીમાથી જ આવ્યા હતા, અને ઍમના પર અંગ્રેજ પધ્ધતીનો મોટો પ્રભાવ હતો. ઍમાના કેટલાકને તો હિન્દુ ધર્મ, હિન્દુ શિક્ષણ પધ્ધતિ વિષે બહુ વિશ્વાસ ન હતો. આ બાબતમા આપણા પ્રથમ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુના વિચારો જાણવા જેવા છે.
-'હિન્દુ સંસ્કૃતી વિષે વાત કરવી ઍ દેશના હિતમા નથી. હૂ શિક્ષણની દ્રષ્ટીઍ અંગ્રેજ છુ. મારા વિચાર આંતરરાસ્ટ્રીય છે. સંસ્કૃતી દ્રષ્ટિે ઍ મુસ્લિમ છુ. ફક્ત મારો જન્મ મને હિન્દુ ધર્મ સાથે જોડે છે.'
- બીજા ઍક પ્રધાનમંત્રી મોરારજીભાઈઍ ઍમની આત્મકથામા લખ્યુ છેકે'  નેહરુઍ  હિન્દુ ધર્મમા વધુ રસ  દાખવ્યો હોત તો ઘણો ફરક  પડત.
     
                             આજ બતાવે છેકે નેતા પ્રજાનુ માનસ ઘડવામા મહત્વનો ભાગ ભજવે છે.
                                                 **************************                                               

Friday, December 2, 2016

        જાણવા જેવુ                                                                                                                                                       ૧)અમેરિકાનો ૫૦% દરિયા કિનારો અલાસ્કામા છે.
           ૨) ઍમોજ઼ોનનુ  રૈન ફૉરેસ્ટ દુનિયાનો ૨૦% ઑક્સીજન પેદા કરે છે
           ૩) ઍંટારટિકા કોઈના કબજામા નથી પરંતુ દુનિયાનો  ૯૦% બરફ ઍંટારટિકામા છે. તે ઉપરાંત-                     -દુનિયાનો ૭૦% મીઠા પાણીનો જથ્થો પણ ત્યા છે.  આખી દુનિયાનો ઍ સૂકામા સુકો પ્રદેશ છે.
           ૪)બ્રાજિલનુ નામ સૂકામેવા જેવા ઍક ફળ પરથી પડ્યુ છે.
           ૫) સ્પેનનો અર્થ ' સસલાઑનો પ્રદેશ' થાય છે.
           ૬)  કેનેડામા આખી દુનિયાના બધા  તળાવોની સંખ્યા   કરતા પણ  વધુ તળાવો આવેલા છે.
           ૭) દમાસ્કસ ૭૫૩ બીસીમા ઍટલે રોમ પહેલા પણ વધુ સમૃધ્ધ  શહેર હતુ.
           ૮) ઇસ્તમ્બુલ, ટર્કી નુ ઍવુ શહેર છે કે જેનૂ સ્થાન યુરોપ અને ઍશિયા બન્નેમા છે.
           ૯) ૧૩૩ બીસીમા રૉમ દુનિયાનુ ઍવુ શહેર હતુ કે જેની વસ્તી  ૧0,00000 જેટલી હતી.
           ૧૦)  સાઇબીરિયા, રશિયામા દુનિયાનુ ૨૫% જંગલ આવેલુ છે.
           ૧૧)  વેનેજૂઍલાનો 'ઍન્જલ ધોધ ' આખી દુનિયામા વધૂમા વધુ ઉચાઈ ૩૨૧૨ ફુટ પરથી પડતો ધોધ  છે.

                            *******************************************

Saturday, November 19, 2016


વશિષ્ટ  જીવન  કે પછી વયસ્થ જીવન
                                                                              વશિષ્ટ નાગરિક અને  વયસ્થ નાગરિકનો  તફાવતમા  બહુજ પાતળી રેખાઓ હોય છે. બધા  વયસ્થ નાગરિક વશિષ્ટ નાગરિક બની શકતા નથી. લોકોનો નિવૃતિનો અર્થ જ કેવો સમજે છે, ઍના પર ઍનો આધાર રહેલો હોય છે.
                                      નિવૃત્તિ ઍટલે  વખતને વેડફતા રહેવુ. બધી ચાલુ પ્રવૃત્તિઓ બંધ કરી દેવી.  ગપ્પાઑ મારતા રહેવુ ઍવો અર્થ કરો તો વશિષ્ટ નાગરિક બનવુ મુશ્કેલ છે. હા ઍવી શિથિલ જીવન શૈલીથી વયસ્થ નાગરિક જ રહી શકો છો. નિવૃત્તિ પછી તમારે વૈવાસીક પ્રવૃત્તિઓ બદલી તમારી મનગમતી પ્રવૃત્તિઓ શરૂ કરવાની હોય છે.જે સમય મળે  ઍમા સકારાત્મક પ્રવૃતિઓ કરવી રહી જેથી તમને અને તમારા કુટુંબને કોઈ જાતની  તકલીફ ન થાય અને તમે  સુખી જીવન જીવી શકો. તોજ તમે આદર્શ વશિષ્ટ નાગરિક બની શકો.

                                         વૃધ્ધાવસ્થામા તમને બાળકો જેવી જિંદગી જીવવાની આકાંશાઓ જાગે ઍ સ્વભાવિક છે કારણકે તમે જીવનમા અનેક મુશ્કેલીઓ અને જવાબદારીઓ નીભાવીને નિવૃત્તિ કમાવી છે. પરંતુ બાળકો જીવી નિર્દોષતા તમે ક્યાથી લાવશો? તમે બાળકોની જેમ બિનજવાબદાર જીદગી કેવી રીતે જીવી શકો?  ઍક  કવિઍ બાળપણને યાદ કરી લખ્યુ છેકે-
                                        " રોનેકી  વજહ ન થી, હસનેકા બહાના ન થા
                                          ક્યો હો ગયે ઈતને બડે, ઇસસે અચ્છા તો બચપનકા જમાના થા "
તમે ચાહો તો પણ બાળપણની જીદગી વૃધ્ધાવસ્થા અશક્ય છે, આથી પ્રયત્ન કરીને સુખી અને આનંદમય જીવન જીવવા માટે વશિષ્ટ નાગરિક ખરા અર્થમા બનવુ જરૂરી છે. ઍમા સામાન્ય નીયમો અપનાવવાની જરૂરત છે જેથી પોતે અને આજુબાજુના લોકો પણ શાંતીથી અને આનંદથી જીવી શકે. નીયમો સરળતાથી સ્વીકારી શકાય ઍવા અપનાવી લેવાની જરૂરત છે. જેવાકે-
-જીવનને  બધી જાતની પીડા અને મુશ્કેલી સહિત મજબૂતીથી જીવવુ જરૂરી છે.
-જરૂરી  બોલવામા હિત છે.
-બીજાને સલાહ આપવામાથી દૂર રહેવુ આવશ્યક છે.
-તમારા પ્રશ્નો બીજાને કહેવાથી દૂર રહેવુ કારણકે ઍક કવિે ઍ ક્હ્યુ છે કે " હાથ લંબાવતુ નથી કોઈ સહારો આપવા માટે તો,
ઈર્ષામા ઍક બીજાના જુઓ પગ ખેચતા કરી દીધા"
-કરકસરથી જીવતા રહેવુ સારુ
-'ઍકલા રહેવાની ટેવ પાડવી જોઇઍ'  રજનીશજીનુ જ કહેવુ છે.
- પુસ્તકો તમારા અંત સુધી સાથ આપશે ઍટલા માટે સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડવી આવશ્યક છે.
- જીવન પ્રત્યે સકારાત્મક  વિચારધારા જરૂરી છે.
- જીવનમા લખવુ  અને વાંચવુ સહેલુ છે પરંતુ જીવનમા ઉતારવુ મુશ્કેલ છે. નિયતિને સમજવૂ પણ મુશ્કેલ છે. માટે કૃષ્ણાઍ અર્જુનને કહ્યુ છે કે " તુ મારે શરણે આવ. ઍટલેકે ભગવાનની ઈચ્છાને તાબે થા."

                                               આ  બધુ ઍટલા માટેકે જીવનના  અસ્તાચલમા સુખી અને  આનંદમય જીવન જીવવા માટે અમુક નીયમો સ્વીકારવા રહયા અને જે વસ્તુ પર આપણો કાબૂ નથી ઍમા પ્રભુ  શ્રધ્ધા રાખવી જરૂરી  છે. તોજ આપણે આદર્શમય વશિષ્ટ જીવન જીવનને અંતે જીવી  શકાય.
                                                 **************************************************૮

Tuesday, November 15, 2016


આકરા આર્થિક પગલા
                                                                        કાળા નાણાઍ ૮૦% ભારતીય  આર્થિક નાણાકિય સ્થિતિ પર કબજો જમાવી દીધેલો છે. ઍનો  ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃતીઓમા, ગુનાખોરીમા અને  મોજમજાહમા કરવામા આવે છે. આથી અર્થતંત્ર નબળુ બનતુ જાય છે. તે ઉપરાંત સરકાર અબજો રૂપિયાની આવક ગુમાવીરહી છે જેનો ઉપયોગ લૉક ઉપયોગી કાર્યમા થઈ શકે. કાળા નાંણા ગુનાઓનો પણ વધારો કરતુ રહે છે. ભાવોના પર કાબૂ  રાખવાનુ પણ  સરકાર માટે મુશ્કેલ બની રહ્યુ છે.
                                      આથી સરકારે ૮ મી નવેમ્બરે મધ્ય રાત્રીથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને રદ કરવાનો આકરો નીર્ણ ય લીધો હતો જેમા લોકોઍ બહુત્તર કાળા નાણા   સંઘરેલા હોય છે. ભારત ઘણો વિશાળ દેશ છે અને ૧૨૦કરોડની વસ્તીને કારણે તદ્દન સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ છે. ઍનો લાભ ખરાબ તત્ત્વો લઇ રહ્યા છે. નવી નોટો અને અન્ય  રૉકળ રકમોની અછતનો અસામાજીક તત્વો અને વિરોધી રાજકીય પક્ષો લાભ લઈ રહ્યા છે. સામાન્ય જનતાને કેશની અછતને કારણે હાડમારીઓ લાંબી લાંબી લાઈનોમા ઉભા રહીને ભોગવવી  પડી છે. પરન્તુ સારા પરીણામો માટે ઍ પીડા  ભોગવવી જ રહી.
                                         ભારતીય બંધારણની રચના વખતે  ડૉક્ટર આંબેડકરે કહ્યુ હતુ કે ' બંધારણની સફળતા, ઍનો ઉપયોગ કરનારા પર જ રહેશે.'  આથી કોઈ પણ દેશહિતના પગલાની સફળતા ઍમના લોકો પર જ હોય છે. આથી  સામાન્ય જનતાનો સાથ મળી રહેતા પગલા સફળ થવાની પુરી શક્યતા છે. તે છતા પગલાને નિષ્ફળ બનાવવા જે ચાલી રહયુ છે ઍનુ અવલોકન કરવુ જરૂરી છે. કાળા નાણાંને સફેદ કરવા માટે કેટલાક લોકો
૧) ગામડાઓના લોકોના બૅંક ખાતામા  પોતાના કાળા પૈસા  જમા કરાવી રહયા  છે. સરકારની ગરીબ લોકો માટેની 'લોકધન' ખાતાઑનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
૨) ઉધ્યોગપતિઓ પોતાના નોકરિયાતના  ખાતાઓનો પણ ઉપયોગ કરી  રહયા છે.
૩)  કેટલાકે કાળા નાણા કાળાબજારને ભાવે  સોનૂ. હીરા અને સોનાના ઘરેણાઓમા રોકાણ  કરી લીધુ છે.
૪) સામાન્ય માણસના ખાતાઓમા પણ  કમિશન આપીને  કાળાનાણા કાયદાકિય રીતે જે જમા કરાવ્યા છે.
                                          આતો  દાખલાઓ  છે જેના પર પણ સરકારની કડી નજર છે. આવા આર્થિક કડક પગલાની  અસર રુપે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાઓની નોટો  કચરા પેટી અને નદીઓમા દેખાવા માંડી છે. આ પગલાઓથી નકલી નોટોનો પણ નાશ નિશ્ચિત બન્યો  છે.  રાષ્ટ્રવિરોધી અને અસામાજીક તત્વોના ગુનાઓ પર પણ અંકુશ આવશે.  બૅંકોની ડિપૉજ઼િટો વધશે. સરકારની આવક વધશે.
                                           આ  યોજના કેટલા અંશે સફળ થશે  ઍનુ  પરિણામ આવવાને હજુ વાર લાગશે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઍ માંગેલા ૫0 દિવસો સુધી રાહ જોવી પડશે.
                                                ********************************************

Sunday, November 6, 2016


ધનવાન અને શ્રીમંત
                                                                                                                                                           ભારતીય સંસ્કૃતીઍ  ધનવાન અને શ્રીમંત વચ્ચે બરાબર અંતર જાળવી રાખ્યુ છે. ઍટલેકે બધા ધનવાન શ્રીમંત હોતા નથી અને શ્રીમંતોને તમે ધનવાન સાથે સરખાવી ન  શકો. ઍમની  ઓળખાણ જ તદ્દન જુદી છે,
                                      ધનવાનો પૈસાને માટે તડપતા હોય છે અને તેઓ બધી રીતે સુખી હોતા નથી. ઘણીવાર ધન ધનવાનો માટે સજા રૂપ બૅની રહે છે. કેટલાક ધનવાનોની ધન પ્રાપ્તિમા શોષણ, દગા, લુચ્છાઈ અને લોકોના નિશાશાઓ  પણ હોય છે. ધનવાનોંમા લોભ, મોહ, ઈર્ષા, અહંકાર પણ સામેલ હોઈ શકે છે. તે ઉપરાંત ધનવાનો જલ્દીથી ધનનો ત્યાગ પણ કરી શકતા નથી. આથી ટૂકમા ધનવાનોમા સાત્વિકતા અને અધ્યામિકતા જેવા ગુણોનો અભાવ હોય છે.


                                      જ્યારે શ્રીમંતો સાથે  અધ્યામિકતા. સાત્ત્વિકતા, અને  જ્ઞાન ધનની સાથે જોડાયેલુ છે. તેઓ સાક્ષર, વિચારક, ચિંતક, પંડિત અને ધનવાન પણ હોય છે. તેઓ ઉજળા, અમીર, ઉમદા દિલવાળા, ઠરેલ અને અન્યોને મદદરૂપ થનારા હોય છે. શ્રીમંતોની શ્રીમંતાઈ સમરુધ્ધિ બનીને રહે છે. શ્રીમંતો ધન પ્રાપ્તિ  ઍકાગ્ર ચિત્તથી પ્રાપ્ત કરે છે. લક્ષ્મીના  ગુણો  જેવાકે  ધાન્ય, ધૈર્ય, ગજ, સંતાન, વિજય, વિદ્યા,ધન, સુખ, અનેશુભ નસીબ  શ્રીમંતોમા હોય છે.  રુગવેદમા શ્રીમંતોને શુભ સૌભાગ્ય માનવામા આવ્યા છે. અથર્વવેદમા શ્રીમંતોને શુભ નસીબ,  સંપતી, સમૃધ્ધિ, સફળતા અન સુખનો સમનવય માનવામા આવે છે.


                                    આવો તફાવત ધનવાનોઅને શ્રીમંતો વચ્ચે રહેલો છે. તમે સહેલાઈથી ધનવાન તો બની શકો છો પરંતુ શ્રીમંત બનવુ મુશ્કેલ કામ છે.
                                              ******************************************** 

Tuesday, October 18, 2016

અનાવિલ
   
                                                                                           
      અનાવિલ  બ્રાહ્મીણ જ્ઞાતી આમ વસ્તીની દ્રષ્ટિેઍ ગુજરાતમા  ઘણી નાની છે, પરંતુ ઍનૂ પ્રદાન ગુજરાતના જાહેર જીવનમા ઘણુ મોટુ છે. ઍમના મૂળ ' અનાવલ 'જેવા દક્ષિણ ગુજરાતના  નાના ઍક ગામ સાથે  છે.  ઍ જ્ઞાતિ ગુજરાતમા વાપી અને તાપી વચ્ચે વસેલી  હતી. હવે તે વિશ્વ અને ભારત વ્યાપી  છે. ઍ જ્ઞાતીની  ઉત્તપતિ શ્રી રામની સાથે સંકળાયેલી છે.
                         અનાવિલો બાહોશ, નિપુણ વ્યવસ્થાપક, અને ઇતિહાસમા શાસકો વતી કર ઉઘારાવવાની કામગીરી કરતા. આથી મોગલો અને મરાઠા વખતમા તેમને કર ઉઘારાવવા માટે દેસાઈગીરી પણ આપેલી હતી અને  ઍ માટે ઍમને  દેસાઈગીરી પણ મળતી હતી. આથી દેસાઈઓના સ્વભાવમા ક્ષત્રીયોના ગુણ વધારે આવેલા છે જેવાકે ક્રોધ, અભિમાન અને  તીક્ષ્ણ જીભ વગેરે વગેરે. બ્રિટિશોના વખતમા પણ દેસાઈઓ  રેલવે, ઇન્ષુરેન્સ કંપની, બૅંકો, અને શિક્ષણ જેવા ક્ષેત્રોમા ઉચ્ચ પદવીઑ ધરાવતા હતા.

                               સ્વતંત્રતાની લડાઈમા પણ ઍમણે મહત્વનો ફાળો આપેલો છે. મહાદેવ દેસાઈ, ભુલાભાઇ દેસાઈ, મોરારજી દેસાઈ, ખંડુભાઇ દેસાઈ,  ઠાકોરભાઇ દેસાઈ,  જેવા નેતાઓ સ્વાતંત્રની લડાઈમા  અદભૂત ભાગ ભજવ્યો હતો, મોરારજી દેસાઈ વડાપ્રધાન પદ સુધી પહોચ્યા હતા,
                               જ્ઞાતિ નાની પણ દેશ વ્યાપી  પ્રદાન સારુ રહયુ  છે. હવે જ્ઞાતિના નવી પેઢીની ફર્જ બની રહી છે કે પરંપરાને ચાલુ રાખે.  શરદ પૂનમની રાત્રીઍ  અનાવિલ મિત્ર મંડળ અમદાવાદની  યુવતીઓની  ગરબા ની રમજટની તસ્વીરો-
                                                                *************************************