Thursday, November 2, 2017


ચીનની કૂટનીતિ   
                                                                                           ચીન અને ભારત વચ્ચે ઍશિયામા આર્થિક  નેતાગીરી માટે હરીફાઈ ચાલી રહી છે. તે ઉપરાંત  ભારત લોકશાહીને વરેલુ છે જ્યારે ચીનમા સરમુખત્યારી ચાલી રહી છે.   આથી બે  વિચારધારાઓનો સંઘર્ષ પણ ઍમા સમાયેલો છે.  આવા સંઘર્ષોની સાથે ચીન ઍની કુટનીતી પણ ચલાવી રહ્યુ છે. ભારતના પડોશી અને જાની દુશ્મન પાકિસ્તાન સાથે પણ  ચીનના સબંધો ઍક્દમ  નજદિક્ના છે. ચીને ભારતને રાજનીતિક  રીતે ઍના બીજા પડોસી રાજ્યો સાથે નજદીક્ સબંધો બાંધી ભારતને  ઘેરવા પ્રયત્નો કર્યા છૅ અને ઍ દિશામા આગળ  વધી રહયુ છે. ઍ પણ ઍની કુટનીતિનો ભાગ છે  જે દ્વારા ભારતને નીર્બળ બનાવવા અને પાછળ ધકેલવા પ્રયત્નશીલ છે.ભારતઍ નીતિનો સામનો કરવા પોતાની રીતે પ્રયત્નશીલ છે. આથી ચીનની ચાલને સમજવી જરૂરી છે.
                                                                                            ચીને ભારતના પડોસી રાષ્ટ્રોમા પોતાનો પગ પૈસાઓ વેરીને  મજબૂત કરી રહયુ છે.
૧) પાકિસ્તાનમા ચીન કરાચી ખાતે  અણુ રીઍક્ટર બનાવી રહ્યુ છે. ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબ્જામા રહેલા કાશ્મીરના ભાગમા હાઇવે બંનાવી આર્થિક કોરિડર બનાવી રહ્યુ છે, જે ભારતના હિતની વિરૂધ્ધમા છે.  પાકિસ્તાનનુ ગવાદાર બંદર બનાવી ઍમા પોતાનુ  લશ્કરી  મથક બનાવી રહયુ છે. પાકિસ્તાનના  મોટા માથાના ત્રાસવાદીઓને ભારતની સામે યૂનાઈટેડ નેશન્સમા રક્ષણ આપી રહ્યુ છે. પાકિસ્તાનમાથી પસાર થતો અને ચીને બાંધેલો કારાકોરમ હાઈવે દુનિયાની ઍક અજાઇબી જેવો છે. ઍનો ઉપયોગ ચીન ઍના વેપારને વધારવા માટે જ કરશે.
૨) મૈનામારમા ( બર્મા)  ખાણ  ક્ષેત્રમા ચીને ડૉલર ૭.૩ બિલિયનનુ રોકાણ કરેલુ છે, અને કિયાંક પ્યુ  બંદર બાંધી આપી  રહ્યુ છે.  મિટ્સન બંધ બાંધવા ૩.૬ બિલિયનનુ  રોકાણ કરવા પણ તૈયાર છે.
૩) શ્રી લંકામા  હમ્બન્તિતા  બંદર ચીને ભાડે લીધુ છે અને શ્રી લંકાનુ  ચીનને આપવાનુ  ડૉલર ૮ બિલિયનનુ દેવુ છે.
૪)નેપાળને ચીને બ્રૉડ બૅંડ ઈન્ટેરનેટની સગવડ કરી આપી છે. અને ડૉલર ૮.૩ બિલિયનનુ  રોકાણ કરવા માંગે છે.
૫)  માલદિવ પાસે ચીને  તદ્દન નિર્જીવ ટાપુ ૫૦ વર્ષના પેટે ભાડે લીધો છે જેના પર ઍ  પોતાના ઍરફોર્સેનો  બેજ઼ બનાવવા માંગે છે.
૬) ભૂટાન સાથે ચીનને ત્રણ સીમા વિવાદ  છે જેમાનો  દોકલામ ઍક છે. ચીન દોક્લામ વિવાદ છોડી દેવા તૈયાર છે જો ભૂટાન બીજા બે વિવાદોમા નમતુ આપે. તે ઉપરાંત  મોટુ ઍવુ રોકાણ ભૂટાનના વિકાસ માટે કરવા તૈયાર છે.
૭) બાંગ્લાદેશને ચીને બે  સબમરીન આપી છે. ઍમના ૩૪ પ્રોજેક્ટો માટે ડૉલર  ૩૫  બિલિયન રોકાણ કરવા તૈયારી દાખવી  છૅ.
                                                                          આ બધા પ્રલોભન ભારતના પડોશી રાષ્ટ્રોને ભારત સામે ઉભા કરવા માટેની કુટનીતી છે. તે ઉપરાંત ભારત પર દબાણ વધારવા માટે દોક્લમ, અરુણાચલ જેવા પ્રદેશો પર દાવો કરી રહયુ છે. બ્રહ્મ્મ્પુત્રા નદી પર બંધ બાંધી ચીને ઍના પાણી પર કબજો જમાવ્યો છે. અને હવે ઍનુ પાણી ટનેલ મારફતે વાળવાની યોજના બનાવી રહ્યુ છે. આ પણ ભારતને ઍક કે બીજી રીતે હેરાન કરવાની કુટનીતિના ભાગરૂપ જ છે. મુળમા ચીન પોતાની સર્વોપરીતતાનુ  પ્રદર્શન કરી રહ્યુ છે.
                                                         ***********************************

Saturday, October 21, 2017


દિપાવલીની મહત્વતા
                                                                                                              દિપાવલી ઍ હિન્દુઓનો મોટો તહેવાર છે.  ઍ અધર્મ પર ધર્મનો વિજયનો પર્વ છે. ઍ વાતાવરણ , આંતરિક મેલ, અને અજ્ઞાનતામાથી જ્ઞાન તરફ લઈ જનારો તહેવાર છે. દીપ  હંમેશ જીવનમા નવઉલ્લાસ લાવે છે. ઍટલેકે દિવાળી વિજ્ઞાનિક, આધ્યાત્મિક અને નવજીવન તરફ માર્ગદર્શન આપનાર તહેવાર છે. કહેવાય છેકે રામ રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા ત્યારથી ઉજવાતો તહેવાર છે. આથી ઍની પાછળ હજારો વર્ષનો ઇતીહાસ છે અને ઍમા હિન્દુઓની ધાર્મિક ભાવના સમાયેલી છે. ધાર્મિકતા ઉપરાંત ઍમા સંદેશ પણ છે જે વિશ્વ માટે મહત્વનો છે.


દિવાળી આવી નવ જ્ઞાનના દીવા લાવી
 નવરચના અને નવઉલ્લાસનો સંદેશો લાવી
ગરીબો માટે નવ આશાઓ લાવી
 ધનના સદુપયોગમાટે પ્રેરણાઑ લાવી
દિવાળી આવી---
ત્યાગ અને બલિદાનની ભાવનાઓ ઉપાસાવી
લોકોને માટે નવ સમાજની  રચના  કરાવી
 જીવનને સમૃધ્ધ અને સુખી બનાવી
 ચારે બાજુ આનંદમય  દુનિયા  લાવી
દિવાળી આવી---
બહારી અને આંતરિક મેલને કાઢી
સાથે મળીને  ઍક સુંદર  દુનિયા બનાવવા
દિવાળી આવી---



                                                                 હિન્દુઓ આખા વિશ્વમા  સ્થાપિત થયેલા છે ઍટલે દિવાળીનો સંદેશ આખી દુનિયામા ફેલાયેલો છે. આથી અમેરિકાથી તે ઑસ્ટ્રેલિયા સુધી  દિપાવલીનો પ્રકાશ હવે ફેલાય ચૂક્યો છે. પશ્ચીમે પણ  તાર્તિક્તાથી દિપાવલીના તહેવારનેઅપનાવી લીધો છે. કેટલાઍ દેશો હવે દિપાવલીના તહેવાર નીમીત્તે પોસ્ટલ સ્ટૅંપો પણ બહાર પાડી છે. આથી દિપાવલી હવે વિશ્વિક તહેવાર બની ચૂક્યોછે. ઍની   મહત્વતા ઍના સંદેશને કારણે છે.

                                                          **************************************

Thursday, October 12, 2017


કબીર
                                                                                          કબીરે આધ્યાત્મિક સાહિત્યમા સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. તૅઓ સામાન્ય વણકર હતા. અને ઉચ્ચ શિક્ષણ પણ પામેલા ન હતા. ઍમણે ઍક  સામાન્ય જીવન જીવી લોકોને ઍમની ભાષામા સામાન્ય જ્ઞાન આપી લોકોના જીવનને સુખમય બનાવવામા  મદદ કરી હતી. ઍમના આજે પણ લાખો લોકો ભક્તો છે કારણકે ઍમના દુહાઓ ઍમના દિલ સરસા ઉત્તરી જાય છે.
                                                                                      ભરુચની બાજુમા આજે પણ કબીર વડ ઉભો છે.  કબીરે જીવનનાં સત્યો ઍના દુહાઓમા ગાયા છે જે આજે પણ ઍટલાજ જીવનને લાગુ પડે  છે.
કબીરે કહ્યુ છે કે-
"કુંભે બાંધા  જ્લ રહે, જ્લ બિન કુંભ ન હોય.
  જ્ઞાને બાંધા મન રહે, મન બીનુ જ્ઞાન ન હોય."
( માટીના કુંભમા પાણી  રાખી શકાય છે, પણ પાણી વગર કુંભ બનાવવો અશક્ય છે. તેવી  જ  રીતે મનને ડહાપણ જ કાબૂમા રાખી શકે છે, પરંતુ  ડહાપણ પણ મન વગર આવતુ નથી.)
ઈશ્વરના અસ્તિત્વ પર કબીર કહે છે-
" નહી ખાલમે, નહી પૌછ્મે, ના  હૅડ્ડી, ના માંસ મે
   ના મૈ  દેવલ, ના મૈ મસ્જિદ, ના કાબે,  કૈલાસમે
   મૈ તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસમે મે
   કહે કબીર સૂનો ભાઈ સાધો, સબ સાંસોકી  આંસુ મે
   મૌકો  કહા ઢૂંઢો બંદો, મૈ તેરે પાસમે.
( હૂ  નથીચામડીમા, હાડકામા  કે માંસમા, હૂ  ચર્ચમા, મસ્જીદમા, કે કૈલાસમા પણ નથી. મને  ન ઢૂંઢો બંદો હૂ તો તમારી બાજુમા છુ. તમારા સાંસોમા. )
               કબીરે ઍક ડહાપણની વાતમા કહ્યુ છે કે-
"બડા હુવાતો ક્યા , જૈસે પેડ ખજૂર.
  પંથીકો છાયા નહી, ફલ લાગે અતી દુર"
( મોટા હોવાનો શુ ફાયદો?  ખજૂરના  વૃક્ષની જેમ  કે 'કોઈ યાત્રીને છાયો પણ  ન આપે અને ફળ પણ નહી.')
                                     આમ અભણ કબીર  આધ્યાત્મના ઉંચ કક્ષા ઍ પહોચેલા સંત હતા.
                                                  *******************************

Saturday, October 7, 2017


પહેલુ સુખ તે જાતે નર્યા
                                                                     તંદુરસ્તીનૅ જળવવા માટે થોડા નીયમો જીવનમા પાળવા આવશ્યક છે. શરીરમા હોજરી, મુત્રાશય, હાર્ટ, વગેરે ઘણા અગત્યના અંગો છે. ઍને સારી રીતે સ્વસ્થ રાખવા માટે કાળજી લેવી આવશ્યક છે. હોજરી અને યૂરિનરી ટ્રેકને સ્વસ્થતા  માટે
૧) હમેશા ભૂખ કરતા ઑછુ ખાવુ જોઇઍ.
૨) દારૂ, અન ચોકલેટ જેવા પદાર્થોથી દૂર રહેવા પ્રયત્નો કરવા જોઇઍ.
૩) સૂતા પહેલા ખાવાની આદતો હાનિકારક છે.
૪)  સિગરેટ અને તમાકુના સેવનથી દૂર રહેવુ જોઇઍ.
૫) શરીરનુ વજન હમેશા કાબૂમા રાખવુ રહ્યુ.
૬) રાતના સુતી વખતે માથુ પાથરીથી ઉંચુ રાખવુ જોઇઍ.
૭) ચરબી વાળા પદાર્થો  ઑછા ખાવા.
૮)  વાયુ ઉત્ત્પન કરતો ખોરાક ઑછો ખાવો અથવા ઍનાથી દૂર રહેવુ.
૯) બિન્સ ખાવાથી પાચન શક્તિ  વધે છે.

                                                  બંધ કોશ ઍ પણ ઍક પીડાકારક રૉગ છે જે માણસને બેચેન બનાવી દે છે. ઍક રીતે જોતા ઍ પણ  આંતરડાને લાગતો જ રૉગ છે. ઍટલા માટે
૧) ભોજન નિયમિત હોવુ જોઇઍ.
૨) ફાઇબર વાળા પદાર્થો વધુ ખાવા જોઇઍ.
૩)  વધારે પાણી પીવાની આદત રાખવી.
૪) જુલાબની આદતથી દૂર રહેવુ.
૫) શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઇઍ.
૬)બંધકોશ કદીક માનસિક હોય છે ઍટલા માટે સામાન્ય પ્રવૃિતિઓ સાથે બીજી પ્રવૃત્તિઓ પ્રત્યે પણ અનુકુળતા કેળવવી રહી.

                                                        આખરે તો આપણે આપણા શરીરનુ જેટલુ ધ્યાન રાખીઍ ઍટલુ શરીર સારુને અને સ્વસ્થ રહે છે.
                                                  ***************************************

Wednesday, October 4, 2017


ભારત વિશેનો ઍક અહેવાલ
                                                                           આ માહિતીઑ  વાંચી તમને ખ્યાલ આવશે કે ભારતનો વિકાસ કેમ આટલો ઈયળની ગતિઍ  ચાલે છે?  પ્રજાની  ધગશ અને ઍની પ્રવૃત્તિઓ પર જ દેશના વિકાસનો દર આધારિત છે. આખરે નેતાઓ પણ ઍ પ્રજામાથી જ આવે છે અને પ્રજાની આદતો પર ઍમને પણ અવલંબીત રહેવુ પડે છે. નીચે આપેલા આંકડાઓ કદાચ ૧૦૦ ટકા  સાચા ન હોય તો પણ ઍમા ઘણે અંશે તથ્ય સમાયેલૂ છે.  આથી ઍના  પર વિચાર કરવુ આવશ્યક છે. ઍમા કઈ પરિવર્તન લાવવાથી દેશને લાભ થઈ શકે. ભારતની વસ્તીને નીચે મુજબ ઍક અહેવાલમા વહેચવામા આવ્યો છે.

૧) ઍક કરોડ બાવાઓ અને ભિખારીઓ છે.
૨) ઍક કરોડ હોસ્પિટલોમા દાખલ થયેલા હોય છે.
૩) ઍક કરોડ નેતાગીરી કરે છે. ઍમની કમાણી પ્રજાના પૈસા સિવાય ક્યાથી આવે ઍ પણ પ્રશ્ન છે.
૪) ૨ કરોડ પાંચ વર્ષની  નીચેના છે.
૫) ૭ કરોડ નૃિવૃત્ત વશિષ્ટ નાગરિકો છે.
૬)  ૧૦ કરોડ આશરે બેકાર છે.
૭) ૧૧ કરોડ કોલેજમા અભ્યાસ કરી રહ્યા છે.
૮) ૧૪ કરોડ સ્કૂલમા અભ્યાસ કરી રહ્યા છે.
૯) ૩૧ કરોડ સરકારી કર્મચારીઓ છે. ઍમાના કેટલા ઍમનુ કામ બરાબર કરે છે ઍના કોઈ આંકડાઓ નથી.
૧૦) ૨૨ કરોડ મહિલાઓ છે જે  કામ કરતી નથી. ઍમા કદાચ ઘણી ઘરકામ કરતી હશે પરંતુ ઍના આંકડાઓ નથી.
૧૧)  ૧ કરોડ ફેસ બુક જેવા સામાજીક મીડીયા પર સમય પસાર કરી રહયા છે.
                                                                   આતો૧૦૧ કરોડ વસ્તીના આંકડાઓ છે. બાકીની  વસ્તીના આંકડાઓ પણ ઉપર જણાવેલા આંકડાઓના ટકાવારી પ્રમાણે વહેચવા રહ્યા. આ બધા પ્રજાની  પ્રવૃત્તિના આંકડાઓ જોતા દેશમા ઘરખમ ફેરફારોની આવશક્યતા જરૂરી છે. નહી તો ભારત પ્રગતિશીલ વિશ્વની સાથે પગ મીલાવવામા પાછળ રહી જશે ઍમા શંકા નથી. ઍ વાતને ધ્યાનમા રાખી યોગ્ય પગલાઓ આવશ્યક છે જે ભારતના હિતમા છે.

                                                                    **********************************

Wednesday, September 27, 2017

શાયરોના બદલાતા વિચારો

                                                            કવિઓ અન શાયરો પોતાના વિચારો  સમય પ્રમાણે બદલતા રહેતા હોય છે ઍના નમૂનાઓ સાહિત્યમા  જોવા મળે છે. અને ઍ રસપ્રદ હોય છે.
                                                             મિર્જા ગાલીબે કહ્યુ-
'જાહિદ શરાબ પીને દે  મસ્જિદ મે બૈઠ કર
યા વો જગહ બતા દે જહા ખુદા નહી.'
( મને મસ્જિદ મા દારૂ પીવા દે અથવા મને જગા બતાવ જ્યા ઈશ્વર ન હો)

                                                              તો ત્યારબાદ વર્ષો બાદ બીજા ઍક શાયર અલ્લ્મા ઈકબાલે લખ્યુ કે-
'મસ્જિદ ખુદાકા ઘર હૈ, પીનેકી જગહ નહી
 કાફિર કે  દિલમે જા  વહા ખુદા નહી.'
( મસ્જિદ  ઈશ્વરનુ ઘર  છે, દારૂ પીવાની જગ્યા નથી. તૂ  નાસ્તીકના  દિલમા જા કારણકે ત્યા  ખુદા નથી.)

                                                                ૧૯ મી  સદીમા આજ વિચારને અવગણતા શાયર ફરાજે લખ્યુ-
'કાફિર કે દિલસે આયા હૂ,  મે યે દેખ કર ફરાજ
 ખુદા  મૌજુદ હૈ વહા,  પર ઉસે પતા નહી.'
(હૂ  નાસ્તીકના દિલથી પાછો ફરી રહ્યો છુ. મે જોયુ કે નાસ્તીકના દિલમા પણ  ઈશ્વર છે. પણ ઍને ખબર નથી.)
                                                                       ટુંકમા જમાના અને સમયની સાથે વિચારો પણ બદલાતા રહે છે. અને ઍમાથી  નવીનતા આવી રહે છે. ઍનો લાભ સાહિત્ય અને દુનિયાને મળતો રહે છે.  વહેતા પાણીની જેમ વહેતા વિચારો જ નવસર્જન લાવે છે.
                                                         *****************************************

Friday, September 15, 2017


નરેન્દ્ર મોદીની સરકાર
                                                                                 નરેન્દ્ર મોદી પાસે લોકો પાસે પહોચવાની અને ઍમની પાસે ઍમની વાતોને રજૂ કરવાની અદભૂત કળા છે. આ આવડતે ઍમણે ઍમના રાજકીય શત્રુઓને પરાજીત કર્યા છે.  ઘણીવાર ઍમની વાતો ગમે કે ન ગમે તો પણ લોકોને ગળે ઉતારી દેવામા સફળ પણ થયા છે. ઍજ  ઍમની રાજકીય સિધ્ધી છે. 'નોટબંધી' અને' જી ઍસ ટી, ' જેવી બાબતોમા લોકોને તકલીફ પડી હોય તો પણ ઍનો વિરોધ જનતાઍ મજબૂતીથી નોધાવ્યો નથી ઍ નરેન્દ્ર  મોદીની મોટી સિધ્ધિ છે. 'અમદાવાદનો રિવર ફ્રંટ' અને બુલેટ ટ્રેનનો પ્રૉજેક્ટ બીજી  પાયાની જરૂરીયાત કરતા વધુ મહત્વના છે  ઠસાવવામા ઍ  સફળ નીવડ્યા છે.
                                                                                   નરેન્દ્ર મોદી ગુજરાત માટે તો વધું ઉપયોગી નીવડ્યા છે.  નર્મદા બંધની ઉચાઈ પૂરેપૂરી મંજુર કરાવી અને ગુજરાતની જીવાદોરી સમાન યોજનાને સંપૂર્ણ કરાવવામા ઍમને સફળતા મળી છે.  જોકે નહેરોનુ ઘણુ  કામ હજુ બાકી છે. ગુજરાતને ઓઈલ રૉયલટીમા પણ ન્યાય અપાવ્યો છે. ગુજરાતમા રસ્તાઓ, અને બુલેટ ટ્રેન જેવો પ્રૉજેક્ટ અપાવવામા સફળ રહયા છે. જાપાન કે ચીન જેવા દેશો દ્વારા  ગુજરાતમા ઉદ્યોગો લાવવામા ઍમનોં મોટો ફાળો છે. ટુંકમા માજી કોંગ્રસી સરકાર દ્વારા દબાવવામા આવેલા ઘણા ગુજરાતના પ્રોજેક્ટોને મંજુરી મળી રહી છે.
                                                                                       મોદી સરકાર આજે દેશમા પરદેશી નાણાનુ રોકાણ લાવવામા સફળ નીવડી છે. વિદેશી રોકાણ ૨૦૧૬ મા ૪૬.૪ બિલિયન ડૉલર્સ  જેટલુ આવ્યુ છે. વિદેશ નીતીમા મોદી પાકિસ્તાન અને ચીનને કોર્નર કરવામા સફળ રહ્યા છે. ઍશિયામા પોતાની આર્થિક અને મિલિટરી તાકાત દ્વારા  નાના દેશોને ભયભીત કરતા ચીંનની સામે ઍક મોરચો રચવામા સફળ રહ્યા છે.મોદી ઍ જૂના અને નકામા ઘણા કાયદાઓને રદ કરીદીધા છે. કાળા નાણાંને ડામવા માટે ઓનલાઇન  વ્યહવારોને મોદી સરકાર ઉત્તેજન પણ આપી રહી છે. બેનામી સંપતી પર મોદી સરકારનો ભરડો સખત થઈ રહ્યો છે. વધુને વધુ લોકોને ટૅક્સના દાયરામા લાવવા માંટે જુંબેશ ઉપાડવામા આવી છે. આ બધી સાકારત્મક બાબતો છે.
                                                                                              તે છ્તા ઘણા પ્ર્શ્નોપર મોદી સરકાર સામનો કરી રહી છે. નોટેબંધી બાદ 'જી ડી પી' ૨  પોઈન્ટ નીચે  ગયો છે, અને આશરે બે લાખ કરોડનુ નુકશાન થયુ છે.  ભાવો વધ્યા છે.  બેરોજગારી  આશાના પ્રમાણમા ઘટી  નથી. . નોટેબંધી બાદ નવી નોટો છાપવાનો ખર્ચ ૭૯૬૫ કરોડ જેટલો આવ્યો છે. ઉત્ત્પાદનમા નુકશાન થયુ છે. નાગરિકોની દિવસની આવક ઍવરેજ ફક્ત $૧.૯૦ થીઑછી  રહી  છે. સરકારી બૅંકોની ખરાબ ધિરાણના આંકડાઓ વધી રહ્યા છે.  સરકારી બૅંકોની 'નોન પર્ફૉર્મિંગ અસેટ' બૅંકોના ટોટલ ધિરાણના ૯% સુધી પહોચી ગઈ છે. ઍ બતાવે છે કે બૅંકોની સ્થિતિ સંતોષકારક નથી.
                                                                                         આથી મોદી સરકારે પરિસ્થિતિને અંકુશમા લાવવા માટે ઘણુ કરવાનુ હજુ બાકી છે  અને ૨૦૧૯ના ચૂટણી ઘણી નજદિક આવી રહી છે.
                                     **********************************************