Saturday, August 10, 2019


શીખો
                                                                                         પરદેશી આક્રમણો  કારણે પંજાબને હંમેશા સહન કરવાનું આવ્યું છે. તે ઉપરાંત ગ્રીકો, હુણો, મોંગોલો જેવી પ્રજાના ક્રૂર આક્રમણોએ  હિન્દૂ  સંસ્કૃતિ ને રગદોળવામાં કઈ બાકી રાખ્યું નથી. કેટલાક  લૂંટફાટ કરીને ચાલી ગયા અને થોડા ભારતમાં જ રહી પડયા અને  પંજાબની પ્રજામાં ભળી ગયા. એમાંથી કેટલાક ક્રૂર પરદેશી મુસલમાન  રાજકર્તાઓએ પંજાબની  હિન્દૂ પ્રજાને  મુસલમાન બનાવવાની  ઝુંબેશમાં ક્રૂરતા દાખવવામાં  કઈ બાકી ન  રાખ્યું. એવા મુસીબત ભર્યા સમયમાં ગુરુનાનકજી જેવા સંતો બહાર આવી હિન્દૂ મુસ્લિમની એકતાના પાઠ ભણાવ્યા અને એમાંથી શીખ ધર્મનો ઉદય થયો. શીખ ધર્મમાં હિન્દૂ અને મુસ્લિમ ધર્મના સારા એવા  બધા જ ઉપદેશોનો સમાવેશ કરી હિન્દૂ મુસ્લિમ એકતાનો પાયો નાખવામાં આવ્યો હતો.  મૂળમાં તો શીખ ધર્મ મુસ્લિમ અને હિંદુઓ વચ્ચે કુશન રાખવાનું કાર્ય કરનારો ધર્મ છે. એથી શીખોમાં એક પુત્ર હિન્દૂ હોય તો  બીજો મુસ્લિમ પુત્ર મુસ્લિમ ધર્મ પણ  પાડતા હોય છે. આ હિન્દૂ મુસ્લિમ એકતાનો ઉત્તમ નમૂનો છે.

                                                                                  શીખો ઉમદા બહાદુર અને ઘણી મહેનતુ પ્રજા છે. એમને વિશ્વભરમાં  સફળતા મેળવી છે અને નામના કાઢી છે. ભારતની સ્વતંત્રતાની લડાઈમાં પણ મોટો ફાળો આપેલો છે. નેતાજી સુભાષ બોઝની સેનામાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર શીખ લશ્કરી સેનાપતિઓ હતા.  આવી  પ્રજાને ખાલિસ્તાન માટે ભડકાવવામાં  ભારત વિરોધી  તત્વો અને ગંદુ રાજકારણ હતું. એમાં કેટલાએ નિર્દોષ શીખોને સહન કરવું પડ્યું હતું. પરંતુ શીખોની ભારત પ્રત્યેની વફાદારીમાં કોઈ પરખ પડ્યો નથી.
                                                                                  શીખો ભારતીય લશ્કરમાં આશરે ૪૫% ટકા જેટલા છે.  એમની બહાદુરીનો કોઈ જોડ નથી.  આમ તો શીખૉ ની વસ્તી ભારતમાં ૨.૫% છે પરંતુ ભારતના વિકાસમાં એમનો ફાળો અમૂલ્ય છે.  શીખોની  ઉદારતા એમની  ભારતમાં ૬૭%જેટલા કરાતા દાનમાં દેખાઈ આવે છે.તેઓ ૩૩% જેટલો ફાળો કર માળખામાં નોંધાવે છે. અને દેશના વિકાસમાં ઉત્તમ ફાળો પણ આપે છે.

                                                                                   શીખોના આશરે 59000 ગુરુદ્વારાઓ દરેક ધર્મ માટે ખુલ્લા  હોય છે.  એમાં દરરોજ  ૬૦ લાખ ગરીબ અને  તવંગર  લોકો મફત  ખાઈ શકે છે. આવો ઉમદા અભિગમ બહુ ઓછી પ્રજામાં જોવા મળે છે. આથી શીખ પ્રજા ભારતને માટે એક મજબૂત ટેકારૂપ છે અને એના માટે સર્વ ભારતવાસીઓને ગર્વ હોવો આવશ્યક છે .
                                                                                 ગુરુ નાનક દેવે મુસ્લિમોના પવિત્ર શહેર મક્કામાં  કહ્યું હતુંકે  'ઈશ્વર સર્વત્ર છે ' જે ભારતીય સંસ્કૃતિનો મુખ્ય અંશ છે.
                                               *********************************
                                         

Thursday, August 8, 2019


જીવન જીવવાની કળા
                                                                   જીવનમાં બીમારીઓ અને માનસિક રોગોથી પીડાતા લોકો દવાઓ  ખાય છે. કસરતો અને યોગા દ્વારા પીડાઓનો નિકાલ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ એનાથી પીડાઓમાંથી  તદ્દન મુક્તિ મેળવી મુશ્કેલ બને છે. આપણામાં કહેવત છે કે ' પહેલું સુખ તે જાતે નર્યા' એટલેકે જ્યા સુધી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય ત્યાં સુધી કોઈ પણ જાતનો  આનંદ ભોગવવો મુશ્કેલ છે. ખરા અર્થમાં સુખી થવા માટે માનસિક અને  શારીરિક  તંદુરસ્તી  સિવાય  શક્ય નથી.
                                                                એને માટે જીવન તરફનો આપણો અભિગમ બદલવાની જરૂરત છે.  આપણી દ્રષ્ટિ બદલવાની જરૂરત  છે .  ઘણીવાર આપણે સુખની શોધમાં આખી જિંદગી વેડફી નાખીએ  છીએ.  જાણીતા લેખક શયદા એ  એની શાયરીમાં   નિરાશામય  જીવન જીવી એને વેડફી નાખતા  લોકો માટે  લખ્યું છે કે ' અમસ્તી   વેડફી નાખું છું  એનું  કારણ છે ,જરૂરથી વધારે જિન્દગાની  લઈને આવ્યો  છું. '  જિંદગી એ પ્રભુએ   માનવીને આપેલી અમૂલ્ય ભેટ છે એને જીવી જાણવી જોઈએ. એટલા માટે આપણે  દષ્ટિકોણ અને આપણા બીજાસાથેના  વ્યહવાર  બદલવાની  જરુરત  છે.
                                                              ઘણાખરા રોગોના મૂળમાં   કાલ્પનિક માનસિક ચીજો હોય છે. તે ઉપરાંત અનિયમિત  જીવન પણ  એને માટે  જવાબદાર હોય.  એનાથી  નિદ્રામાં અડચણ થાય છે.  કલાકો સુધી  નિદ્રા લીધા પછી પણ  એ ઊંડી અને ઉત્તમ કક્ષાની ઊંઘ હોતી નથી. આવા સંજોગોમાં  માનવી થાક અને  બેચેની અનુભવે છે અને સુખ તથા  આનંદનો અભાવ અનુભવે છે. આવા સંજોગોમાં  તબિયત બગડે છે. આથી સુખમય અને તંદુરસ્ત  જીવન માટે સારી ઊંઘની જરૂરત છે.

                                                            લાગણીઓ પર પણ અંકુશ રાખવો આવશ્યક છે. નાની બાબતોમાં  છેડાઈ જવું એ જીવન માટે હાનિકારક  છે. કાલ્પનિક ભયોથી ઉશ્કેરાઈ જવાથી  એની અવળી અસર માનવીના જીવન પર પડે છે. આથી લાગણીઓને અંકુશમાં રાખવા માટે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરત છે. એનાથી જીવનમાં આનંદ વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.
                                                         'ચિંતા એ ચિતા સમાન છે'. એ કાલ્પનિક હોય છે. એના પર આપણો કોઈ અંકુશ નથી હોતો. પરંતુ એ જીવનમાં તણાવ વધારે છે.  તણાવ બ્લડ પ્રેસર , હૃદયરોગને  જેવા રોગોનું  મૂળ છે. આથી જે વસ્તુ પર આપણો કાબુ નથી અને ભવિષ્ય માં બની શકે  એ વસ્તુપર  તણાવ વધારવો  એ સારી નિશાની નથી. આથી તણાવને  દૂર રાખી મનને વાળવાની  કળા શીખવાની જરૂર છે. એમાં પણ સકારત્મક દ્રષ્ટિકોણ મદદ રૂપ બની રહે છે.

                                                          સુખ અને શાંતિમય જીવન જીવવા માટે  પ્રભુમાં શ્રદ્ધાની  જરૂરત છે કારણકે જીવનમાં ઘણી વસ્તુઓ બને છે અને બનવાની છે એના  માટે  કઈ કરી શકાતું નથી. એટલા માટે કેટલીક વસ્તુ પ્રભુ પર છોડવાથી જીવન શાંતિમય અને આનંદમય  બની રહે છે.   આજ જીવન જીવવાની  ઉત્તમ કળા છે.
                                  ****************************************
           

Wednesday, August 7, 2019


ભારતીય અર્થવ્યવસ્થા -  મંદી તરફ પ્રયાણ
                                                            શેર બજાર એ  અર્થવ્યવસ્થાનો  માપદંડ  છે જે અત્યારે અજબ ગજબ ઊથલપાથલમાંથી પસાર થઇ રહ્યું છે. ઘણી કંપનીઓની મૂડીનું ધોવાણ થઇ ગયું છે. સરકારને એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.
                                                      આ વર્ષના બજેટમાં  પૈસાદોરો પર સરચાર્જ નાખી કર વધારવામાં આવ્યો છે. તેના પ્રત્યાઘાત રૂપે પરદેશી રોકાણ પરત થવા માંડ્યું છે . અમેરિકાની અને ચીનની ટેરિફ યુદ્ધ પણ દુનિયાના ઘણા દેશની અર્થવ્યવસ્થા પર અસર કરી છે એમાંથી  ભારત પણ બાકાત નથી.
                                                       બેન્કો છૂટથી   ધિરાણ કરીને એમના ખરાબ ધિરાણોને વધારવા માંગતી નથી. આ પણ એક ધિરાણ નીતિમાં ગુંચવાડો છે.
                                                         ભારતનો દવા ઉદ્યોગ આખા વિશ્વમાં  અનુકરણીય છે એમાં પણ સરકારની દખલગીરીએ  વમળો સર્જ્યા છે.

                                                          સુરતના હીરા ઉદ્યોગ પણ  અત્યારે મંદીમાંથી  પસાર થઇ રહ્યોછે  એને લીધે લાખો  કારીગરો બેકાર થઇ ગયા છે. હીરા ઉદ્યોગને બેંક ધિરાણમાં તંગી અનુભવી રહ્યો છે. નીરવ મોદીના હજારો કરોડના ગોટાળાઓએ હીરા ઉદ્યોગની નીતિમત્તા વિષે સંદેહો ઉભા કર્યા છે.  જેની અવળી  અસર હીરા ઉદ્યોગને થઇ રહી હોય એમ લાગે છે.
                                                          કાપડ ઉદ્યોગ જે લાખો લોકોને રોજગારી આપતો હતો તે ચીન તરફ ઘસડાઈ  ગયો છે. કાપડ ઉદ્યોગને જીવિત કરવા માટે સરકારે મજબૂત પગલાં લેવા પડશે. સુતરાવ ઉદ્યોગ પણ હવે વિએટનામ જેવા દેશે  ખેંચી લીધો છે.
                                                           કૃષિ  ઉદ્યોગ માટે સરકાર ઘણા પ્રયત્નો કરે છે. જેમકે ખેડૂતોના દેવા માફ.  પરંતુ  ઉત્પાદન વધારવા આધુનિક પદ્ધતિ અપનાવવાની દિશામાં બહુ પ્રગતિ થઇ નથી. ખેડૂતોની આવકમાં બહુ  વધારો થયો હોય એ જણાતું નથી.  કૃષિ ઉદ્યોગમાં  રોજગારીની તકો  ઘટી રહી છે.
                                                             પોતાની નિસ્ફળતાને ઢાંકવા માટે સરકારી અફસરો  ખોટા બહાના બતાવી રહયા છે.
                                                              ટૂંકમાં આ બધી મંદીના આગમનની નિશાનીઓ  છે. આથી સરકારે સજાગ રહેવાની જરૂરત છે કારણકે સરકારી સંસ્થાઓ ઊંઘતી ન પકડાઈ જાય.
                                                   ********************************     

Saturday, July 20, 2019


કુદરત અને મનુષ્ય
                                                                                       હવામાનના બદલાવે વિશ્વમાં દાટ વાળી દીધો છે. ચારે બાજુ  દુકાળ, વાવાઝોડા, અતિશય  વરસાદ, નદીઓમાં બાઢ. પહાડોમાં  લેન્ડ સ્લાઇડ્સ, ધરતીકંપોએ, માનવીના જીવનનને હચમચાવી નાખ્યું છે. એને માટે માનવી પોતેજ જવાબદાર છે. એણે પણ કુદરતને રગદોળવામાં કઈ બાકી રાખ્યું નથી. કચરો, ગંદા પાણી, અને પૃથ્વીની ખોદી ખોદીને વેરાન બનાવી નાખી છે. પહાડોને કલુષિત કર્યા છે. ઓઈલને માટે દરિયાના દરિયા ખોદી નાખ્યા છે. પહાડો પરના બરફને પણ પીગળાવી નાખ્યા છે. ટૂંકમાં પૃથ્વીને  વીંધી નાખી છે.
                                                                                         પછીતો કહેવાય છેકે' જેવું વાવો તેવું લણો ' જેવું તમારું આચરણ તેવું જ પછી પરિણામ ભોગવો'. આથી હવે કુદરતે પણ પોતાનું જોર બતાવવા માંડ્યું છે. પરંતુ  એને સમજવાની પણ માનવોમાં સમજણ નથી  અને એક કવિએ લખ્યું છે ઍમ કુદરતને વરસાદ માટે  પ્રાર્થના કરી રહયા છે. કુદરત એક જગાએ પાણી પાણી કરી નાખે છે  અને બીજી જગ્યાએ પાણી પાણી માટે ત્રાહિ ત્રાહિ પોકરાવે છે. પોતાને બહુજ બુદ્ધિશાળી માનતા માનવીઓને  ઘૂંટણીએ પાડી રડાવે છે. ત્યારે પામર મનુષ્ય કુદરતને પ્રાર્થના કરે છે.

મેઘ તું ---
મેઘ તું ઝરમર ઝરમર વરસ
ગરમીથી ત્રાસેલી ધરાને એક   ચુંબન દે
મેઘ તું----
તળાવો સૂકા પડ્યાને, અને  નદીઓ છે વીરાન
તારા નિર્મલ જળથી એના ઉરમાં કર ભરાણ
લીલા લીલા પાકો તારા રાહે લાગ્યા કરમાવા
એનું સિંચન કર  તુજ અમૃત જળથી બચાવવા
મેઘ તું ----
આગ  ઝરતી ધરા હવે બહુ ત્રાસી ગઈ છે
એ પણ હવે ધીરજ ગુમાવી ધ્રુજવા માંડી ગઈ છે
માનવોના પાપોથી  તું  બહુ ત્રાસેલો છે
પણ  વણવાંકે ધરતીને  શા કાજે ત્રાસ દઈ રહ્યો છે આજે.
મેઘ તું ----
ભારત દેસાઈ
                                          ઘણી વાર કુદરત  પ્રાર્થના સાંભળે  પણ છે પરંતુ માનવોએ કુદરત તરફનું એમનું વર્તન સુધારવાની જરૂરત લાગતી  નથી? એજ આપણી કમનસીબી છે.
                                             ********************************* 


Saturday, July 13, 2019


વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસ
                                                           હિન્દૂ વિચારધારામાં નિવૃત્તિના સમયને બહુજ  વિજ્ઞાનિક સ્વરૂપ આપવામાં આવેલું  છે . એક સમય એવો હતોકે લોકોની રહેણી કરણી પર માણસનું આયુષ્ય રહેતું. ઘણા ઋષિમુનિઓ શતાયુની ઉપર જીવતા. સામાન્ય માણસનું જીવન પણ લાંબુ રહેતું  કારણકે તે વખતે માનવી જીવન સાદું, નિયમિત, અને ઓછી જરૂરિયાત વાળું રહેતું.  આથી  વૃદ્ધાવસ્થામાં  માનવી સુખી જીવન જીવે એવી વ્યવસ્થા સમાજે કરેલી હતી. હિન્દૂ માન્યતા પ્રમાણે વનપ્રસ્થાઆશ્રમ ૪૮ થી ૭૨ વર્ષ સુધી ગણવામાં આવતી. ૭૨ વર્ષ પછીની અવસ્થાને સન્યાસાશ્રમ ગણવામાં આવતી પરંતુ આજના સમય માટે એ વાસ્તવિક નથી.
           
                                                              આજના સમયની અનુકૂળતા પ્રમાણે પ્રાચીન ધોરણો અપનાવવા મુશ્કેલ છે. કારણકે આજના જમાનામાં માણસો નિવૃત્તિ ૬૦ વર્ષ પછી શરુ થાય છે. એટલે વૃદ્ધાવસ્થા / વાનપ્રસ્થાશ્રમ ની શરૂઆત જ એવરેજ ૬૦ વર્ષથી ગણીએ તો  સન્યાસાશ્રમની શરૂઆત   ૭૫ વર્ષથી ગણી શકાય. આજના સંજોગો પ્રમાણે  એમાં બદલાવ આવશ્યક છે પરંતુ વિચારધારા તો સમાજના હિતમાં જરૂર અપનાવી  શકાય.

                                                          વૃદ્ધાવસ્થા / વાનપ્રસ્થાશ્રમમાં દાખલ થતા જ હિન્દૂ સમાજ  એવ્યક્તિ પાસે સમજદાર અને જવાબદાર વ્યક્તિ તરીકે જીવે એવી અપેક્ષા રાખતી જેથી એના યુવાન કુટુંબી જનોનું જીવન સુખ શાંતિથી વીતે.  વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને  એમનું દ્રષ્ટિકોણ આજુબાજુના વાતાવરણને અનુકૂળ  બનાવવાની કુટુંબ પ્રત્યે એમની ફરજ હતી. પોતાનો અહંમ અને સિદ્ધિઓને ભૂલી જય એક  વિનમ્ર વ્યક્તિ તરીકે જીવવાનું રહેતું. એમાજ કુટુંબનું  હિત સમાયેલું  હોય છે એમ માનવામાં આવતું.  ગુણૉ વર્તનમાં પ્રતિબિંબ થવા જોઈએ એવી હિન્દૂ વિચારધારામાં માન્યતા હતી. આને કારણે કુટુંબોમાં સુખ,  શાંતિ,  અને મેળ રાખવામાં વૃદ્ધ વડીલો અગત્યનો ભાગ ભજવતા. આજે કદીક  વૃદ્ધો કુટુંબની સુખ , શાંતિના ભંગ માટે નિમિત્ત રૂપ બનતા હોય છે કારણકે એમનામાં  એમની ફરજ, અને એમની કુટુમ્બીક જવાબદારીનો અભાવ હોય છે. તેઓ તેમના ગુણૉ માંથી વિચલિત થઇ ગયા હોય છે.
                                               જે માણસની ઉંમર વધે  એમ એમણે દુનિયાની ઘણી પ્રવૃત્તિઓમાંથી  દૂર થતા શીખવું પડે. કુટુમ્બીક વિવાદોથી  દૂર રહેતા શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ તોજ તેઓને શાંતિ અને આનંદમય જીવન મળી  શકે. ૬૦ થી ૭૫ વયનો ગાળો વૃદ્ધો માટે વાનપ્રસ્થાશ્રમનો સમય છે. કુટુમ્બીક વસ્તુઓમાં માથું  ન મારી સાદું અને આરોગ્યમય જીવન તરફ વળવુ જોઈએ. વાણીમાં કાબુ રાખી લોકોની લાગણીઓને  ઘાયલ કરવાથી દૂર રહેવું જોઈએ. આને માટે જ વૃદ્ધો માટે એ સમયની રચના હિન્દૂ સંસ્કૃતિમાં  કરવામાં આવેલી છે. એ સમયમાં જ માનવી ને દુનિયાથી તદ્દન વિમુખ કરવાની  શરૂઆત કરવામાં આવે છે.


                                                ૭૫ વર્ષ પછી સન્યાસ આશ્રમ શરુ થાય છે. જેમાં સર્વ માયા છોડી  ધાર્મિક અને આધ્યાત્મિક  જીવન જીવવાની અપેક્ષા રાખવામાં આવે છે.  જીવનમાં જન્મ અને મૃત્યુ  સત્ય છે. આથી સન્યાસ આશ્રમ એવો સમય છે જેમાં માનવી નિર્મોહી અને સન્યાસી જીવન જીવતા  માનવી મૃત્યુને આખરે ભય વગર આનંદ પૂર્વક મૃત્યુને  આવકારવા તૈયાર કરી દેવામાં આવે છે . એવી છે હિન્દૂ સંસ્કૃતિ જેમાંથી વિચલિત થવાથી આધુનિક યુગમાં હિન્દૂ સમાજ  પરિણામો ભોગવી રહ્યો છે અને વૃદ્ધાવસ્થા અભિશાપ બની રહી છે.
                                                 ********************************              

Wednesday, July 10, 2019


શિક્ષક એટલે ગુરુ
                                                                                  આખા દુનિયામાં શિક્ષકનું સ્થાન મહત્વનું  છે.  અમેરિકામાં પણ મોટી  કંપનીઓના વડાઓ અમેરિકન  યુનિવર્સિટીઓના પ્રોફેસરો પાસે  તેમની  કંપનીઓના પ્રશ્નો  અને સમસ્યાઓ વિષે માર્ગ દર્શન મેળવતા રહેતા હોય છે. તેઓને તેમના શિક્ષકો વિષે બહુજ  માન હોય છે. જ્યા  શિક્ષકોને માન આપવામાં આવે છે ત્યાંજ સફળતા મળતી હોય છે.  બધાજ સમૃદ્ધ અને શિક્ષિત  દેશોમાં શિક્ષકોનું ઉચ્ચ સ્થાન હોય છે, એમાં શંકા નથી. કેટલાએ વિદ્વાન શિક્ષકોના પુત્રોએ પણ જગતમાં નામના મેળવી છે.
                                                    ભારતની સંસ્કૃતિમાં શિક્ષકનું સ્થાન બહુ ઉચ્ચું  આંકવામાં આવેલું છે મહાભારતમાં  દ્રોણ અને રામાયણમાં વશિષ્ટનું  સ્થાન ઘણું મહત્વનું  હતું. મહાભારતના યુધ્દ્ધ પહેલા અર્જુને પોતાના ગુરુ દ્રોણને અભિવાદન કરી આશીર્વાદ લીધા  હતા. બધાને ખબરછેકે ગુરુ દ્રોણ કૌરવો પક્ષે  હતા. ગુરુદક્ષિણામાં એકલવ્યે પોતાનો અંગુઠો આપીને ગુરુ પ્રત્યેના ઋણનો અજોડ દાખલો પૂરો પાડ્યો હતો.  ભગવાન કૃષ્ણએ વિદ્યા શીખવા માટે ગુરુ સાંદિપની  અને એની પત્નીની આદરપૂર્વક સેવા કરી હતી.  જ્યારથી ગુરુ પ્રત્યેનો આદર ઓછો થવા માંડ્યો ત્યારથી ભારતની સંસ્કૃતિ  અને સમૃદ્ધિનો  નાશ થયો છે.   ચાણક્ય  જેવા વિદ્વાન ગુરુએ ચંદ્રગુપ્તને સમ્રાટ બનાવ્યો અને સમ્રાટ ધનંજયનો  નાશ કરી નાખ્યો. આ પણ ગુરુની શક્તિનો એક દાખલો છે.
                                                     આદિ શંકરાચાર્યે  જીવનમાં માણસને  ઉત્તમ ગુરુનું મહત્વ સમજાવ્યું છે મહાત્મા ગાંધીએ જૈન સાધુ રાજચંદ્રને એમના ગુરુ તરીકે સ્વીકારી એમના વિચારીને  અત્યંત સન્માન આપતા  હતા
                                                                    શિષ્ય ગમે તેટલો ઉંચાઈએ  પહોંચે પરંતુ  ગુરુ માટે તો શિષ્ય જ રહે છે.  પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ એના સ્કૂલના પારસી  પ્રિન્સિપાલ મહેતાનું અત્યંત આદર કરતા હતા તેઓ ૧૯૩૭ માં  પહેલીવાર  પ્રધાન થયા ત્યારે એમના વતન વલસાડ ગયા.  ત્યારે  મેહતા  સાહેબ એમનું અભિવાદન કરવા માટે પહોંચ્યા હતા. મોરારજીભાઈ જેવા ટ્રેનમાંથી ઉતર્યા તેવા તેમણે એમના ગુરુને લોકોના ટોળાની પાછળ એકલા ઉભેલા જોયા. એમનાથી એના ગુરુની અપેક્ષા  જોવાઈ નહિ. તેઓ ટોળામાંથી રસ્તો કાઢી ગુરુ પાસે  પહોંચ્યા  અને ચરણ  સ્પર્શ  કર્યો અને આશીર્વાદ લીધા. લોકો આશ્ચર્યથી જોઈ રહયા.  લોકોના હારતોરા કરતા એમના ગુરુના આશીર્વાદ વધારે મહત્વના હતા.
                                                                     અબ્રાહમ લિંકનનો એના પુત્રના  શિક્ષકને લખેલો પત્ર હજુ પણ જગ પ્રસિદ્ધ  છે અને હજુ પણ વંચાય છે.

                                                                        ઓમાનના સુલ્તાનનો  દાખલો  વાંચવા જેવો છે. ભારતના રાષ્ટ્પતિ શંકર દયાળ  શર્મા  ઓમાનની મુલાકાતે ગયા હતા.  સામાન્ય રીતરસમ  મુજબ સુલતાનના એક પ્રતિનિધિએ  રાષ્ટ્પતિનું  સન્માન  એરપોર્ટ પર કરવાનું  હતું પરંતુ સુલતાન પોતે  ભારતીય રાષ્ટ્પતિનું સ્વાગત કરવા હાજર રહયા હતા.  એમણે પોતે કાર ચલાવીને રાષ્ટ્પતિને હંકારી ગયા. લોકોને આશ્ચર્ય  થયું  એમણે જવાબમાં  કહ્યું ' જ્યારે પૂનામાં હું ભણતો  હતો ત્યારે ત્યાં ઘણી સારી  વસ્તુઓ શીખ્યો  હતો. હું ભારતના રાષ્ટ્પતિને લેવા ગયો ન હતો પરંતુ હું મારા શિક્ષક શંકર  દયાળ શર્માને  લેવા માટે ગયો હતો. તેઓ મારા પૂનામાં પ્રોફેસર  હતા.  અમને  મારી ગાડીમાં હંકારી જવામાં મારું ગૌરવ સમજુ છું.   એમાં  શિષ્યનો શિક્ષક  માટેનો આદર  કેટલો ઊંચો હૉય  છે તે દેખાય  આવે છે.
                                                                                  આધુનિક જમાનામાં  શિક્ષકોનું  ધોરણ પણ નીચું ગયું છે અને શિક્ષણનું  ધોરણ પણ એટલુંજ   નીચે પહોંચી ગયું છે.  એનું કારણ શિક્ષણનું વેપારીકરણ અને ભૌતિકવાદ  છે.   નૈતિકતાના પતનએ એમાં ઘી હોમવાનું  કામ કરી રહ્યું  છે . આથી શિક્ષક અને શિષ્ય વચ્ચે  આદરનો  પ્રભાવ  ઓછો થતો જાય છે. શિક્ષક અને શિષ્ય વચ્ચે આદર પુર્નજીવિત  થાય એ સમયની માંગ છે.
                                            ****************************** 

Tuesday, July 2, 2019

ઊંઘ
                                                                                                                ઊંઘ માનવીના જીવનનું અગત્યની  વસ્તુ છે એના પરજ એના જીવનની તંદુરસ્તી નો આધાર હોય છે.  ઘણા રોગોનું મૂળ પૂરતી  નિંદ્રા ન આવવાના કારણે હોય છે.
                                                  પૂરતી ઊંઘ ન આવવાના  કારણો ઘણા છે. જેમકે ઘણી  ઊંચાઈએ વિમાનમાં પ્રવાસ દરમિયાન કેટલાકને  ઊંઘ નથી આવતી.  એમાં સમયના  ગેપ ને લીધે પણ ઊંઘ આવતી નથી. વિમાનના એન્જિનનો અવાજ પણ ઊંઘને અડચણ ઉભી કરેછે. ઘણા એને જેટ લેગ કહે છે.
                                                   તે ઉપરાંત  ડિપ્રેશન,  ચિંતા,  અને માનસિક તણાવ પણ ઊંઘને અવરોધે છે.  દમ, પાર્કિન્સન, અને કૅન્સર જેવા રોગોના દુખાવા પણ ઊંઘના દુશ્મનો છે.
                                                    મચ્છર, માખી, માંકડ અને ઘોરવાનો  અવાજ  માનવીની ઊંઘને અડચણો ઉભી  કરે છે.

                                                        જયારે ઊંઘ ન આવવાનો  રોગ લાગુ પડે છે, તેને ઈંસોમિઆ  કહેવામાં આવે છે.  ઈંસોમિઆના લક્ષણો શું છે? પથારીમાં સુતા ઊંઘ ન આવવી.  જલ્દી સૂવાથી પણ ઊંઘ ન આવવી. દિવસે ઊંઘ આવે , અને બગાસા  આવે. થાક લાગે  અને માથું દુખે.  ઉલ્ટી અને દુખાવો થાય તથા ઊંઘ ન આવવાથી ચિંતા થાય.

                                                           આનો ઉપાય શું?  ચાહ, કોફી જેવા પીણા ન પીવા.  ટીવી અને કોમ્પ્યુટોર રાતના સુતા પહેલા બંધ કરી દેવા.  હાથ પગ ધોઈ અને સ્વચ્છ કપડા પહેરીને સૂવું.  સુતા પહેલા હળવું સંગીત સાંભળવું.
                                                         યોગ પણ અનિંદ્રા માટે સારો ઉપાય છે. જો અનિંદ્રાનો રોગ અસહ્ય  બને તો  માનસિક  નિષ્ણાતનો  સંપર્ક પણ આવશ્યક  છે. પરંતુ એક વાત ચોક્કસ છેકે  અનિદ્રાનો રોગ શારીરિક  કરતા માનસિક વધુ છે જેમાં ચિંતા એને  વધારે છે.
                                      ************************************