Saturday, April 21, 2018


હાસ્યરસ
                                                                                                   હાસ્યરસ  ઉત્પન કરવો સહેલો નથી પણ કેટલાક ઍ કળામા નિપુણ હોય છે. બે જાતના હાસ્યરસ હોય છે. ઍક પોતાના પર કે પછી બીજા પર કરેલા વ્યંગ દ્વારા  ઉત્પન કરવામા આવે છે. આમા પોતાના પર કરવામા આવેલા  વ્યંગ અને કટાક્ષમાથી ઉદ્ભવેલુ હાસ્ય ઉત્તમ હોય છે. ઘણીવાર ઉચ્ચ બુધ્ધિનો ઉપયોગ કરીને પણ હાસ્ય ઉભુ કરવામા આવે છે.
                                                                                                   હાસ્યકારોના જીવન ઘણીવાર કરુણામય હોય છે પણ મોઢુ હમેશા હસતુ રાખે છે. સોક્રેટીસની પત્ની  ઘણી કર્કશ હતી પરંતુ સોક્રેટિસની વિનોદ્વ્રુત્તિઍ ઍમને દાર્શનિક બનાવી દીધા હતા. ગુજરાતી હાસ્યકાર ધનસુખ મહેતાની પત્નિઍ ઍની માનસિક સમતુલા ગુમાવી દીધી હતી  આથી ઍને હોસ્પિટલમા રાખવી પાડી હતી. જ્યારે ધનસુખભાઈ ઍને માટે ખાવાનુ લઈને જતા ત્યારે તે ઍમાના પર  જે વસ્તુ હાથમા આવે તે ફેકતી. આવી કરુણામય સ્થિતિમા પણ ધનસુખભાઈના મોઢા પર હાસ્ય ફરક્યા કરતુ.

                                                                                                    જ્યોતીદ્ર દવે જેવા ગુજરાતી હાસ્યકાર  હંમેશા પોતાના પાતળા શરીર પર કટાક્ષ મારીને હાસ્ય ઉત્પન કરતા. તેઓ  ઍક્વાર વિધવા  વિવાહ વિષે ચર્ચામા ગયા હતા. ચર્ચામા ઘણી ગરમાગરમી ચાલી. લોકો હિંસા અને ગાળાગાળી કરવા લાગ્યા. જ્યોતીન્દ્ર દવેઍ વિનોદ કરતા કહ્યુ'  ભાઈઓ આપણે વિધવા વિવાહ વિષે ચર્ચા કરવા માટે ભેગા થયા છે, નહિકે નવી વિધવા બનાવવા માટે'   જાણીતા લેખક અને નાટ્યકાર બનાર્ડ શો ઍક જાણીતી અભિનેત્રી સાથે ઍમનુ નાટક જોઈ રહયા હતા.  પેલી અભિનેત્રી ઍમના નાટકથી ઘણી પ્રભાવિત થઈ ગઈ હતી અને કહ્યુ ' શો આપણે લગ્ન કરિયે તો આપણા બાળકો તમારા જેવા વીદ્વાન અને મારા જેવા રૂપાળા થાય. બનાર્ડ શો ઍ વિનોદ કરતા કહ્યુ' ઉંધુ થયુ તો' આમા પણ ઉચ્ચ કક્ષાનુબૌધિક હાસ્ય છે.

                                                                                                      ઑસ્કર વાઇલ્ડ પર લોકોઍ સડેલા કેબેજીસ ફેક્યા હતા. ઍમણે હસતા હસતા કહ્યુ' . મિત્રો તમારો આભાર,  જ્યારે જ્યારે મને ઍની ગંધ આવશે ત્યારે તમારી યાદ દેવડાવશે.'
                                                                                                      આથી હાસ્ય ઉત્પન કરવાની પણ ઍક કળા છે જે ઘણા ઓછા પાસે હોય છે.
                                      ***************************************

Wednesday, April 11, 2018


જીવન ઍક  યુધ્ધ
                                                                             જીવન ઍ સંગર્ષ છે અને દરેક  વ્યક્તિ ઍ ઍમાથી પસાર થવુ પડે છે. સામાન્ય માનવી  કે પછી ઍક્દમ સફળ માણસને પણ ઍમાથી પસાર થવુ પડે  છે. ઍટલા માટે જીવનમા માનવીઍ સફળતા કે નિસ્ફળતાથી નીરસ થઈને બેસી જવાથી પ્રગતી રુંધાઈ જાય છે.
                                  તમારુ  ધારેલુ ન થાય ઍટલે નાસીપાસ ન થવુ જોઇઍ. પરંતુ તમારા  ધૈયને વળગી રહેવુ જોઇઍ.  કહેવાય છે કે '  તમારુ ધારેલુ ન થાય તો ઈશ્વરથી નારાજ  ન થવુ જોઇઍ  કારણકે  ઈશ્વર તમને  ધારેલુ નહી આપીને તમારા માટે યોગ્ય હોય છે તે આપે છે.'
                                  તમને  મુસીબતમા ઘણા લોકો છોડી જાય છે કારણકે ઈશ્વરને તમારી ઍકલા હાથે જજુમવાની શક્તિમા વિસ્વાસ હોય છે. ' ઍક લેખકે કહ્યુ છે કે ' ઍક સામટી નિસ્ફળતાથી નિરાશ ન થવુ જોઇઍ કેમકે  ચાવિના જુમખાની છેલ્લી ચાવી પણ સફળતાનુ તાળુ ખોલી નાખે છે.' ચાણક્યે ક્હ્યુ છે કે ' કોઈ પણ કામ અસફળતાના ડરથી  છોડવુ નહી.
                                   આ બાબતમા સફળ અભિનેત્રી સોફિયા લોરેને ઍના જીવન  સંગર્ષની બાબતમા લખ્યુ છેકે " જ્યારે મને ખાતરી હતી કે હૂ હારી  જઈશ ત્યારે હૂ જીતી. જ્યારે મને લોકોની જરૂરત હતી ત્યારે તૅઓ મને છોડી ગયા. જ્યારે હૂ  આંસુઓ સુકવી નાખતા શીખી ગઈ ત્યારે મને રડવા માટે ખભો મળ્યો. જ્યારે હૂ  તિરસ્કાર કરતાં શીખી ગઈ ત્યારે  કોઈ મને સાચ્ચો પ્રેમ કરનાર મળ્યો. જ્યારે કલાકો સુધી  પ્રકાશની રાહ જોતી ત્યારે નીંદ્રા આવી જતી અને ત્યારે પ્રકાશ દેખાતો. આ જ જીવન છે.  તમે ગમે તેટલુ નક્કી કરો પણ તમને ખબર નથી કે તમારે માટે જીવને શુ નક્કી કર્યુ છે? તમને સફળતા વિશ્વમા રજૂ કરે છે પણ નિષ્ફળતા તમને દુનિયાની ઓળખાણ આપે છે. ખુશ રહો.  તમને લાગેકે  હવે કોઈ આશા રહી નથી અને વિચારોકે હવે કોઈ રસ્તો નથી. ત્યારે ઈશ્વર કહે  છે '  નિરાંતથી રહે, આ તોફ્કત વળાંક છે, નહી કે અંત છે."
                   આથી સામાન્ય માનવી કે પછી સફળ માનવી માટે  જીવન ઍક યુધ્ધ જ છે.
                                                *************************

Friday, April 6, 2018


વૃધ્ધો માટેની સાવચેતી
                                                                     જેમ ઉંમર વધતી જાય છે તેમ પોતાની સલામતી માટે અમુક કાળજીઓ રાખવી જરૂરી છે કારણ કે મોટી ઉંમરે શારીરિક ઈજાઓમાથી બહાર નીકળવુ  મુશ્કેલ થતુ  જાય છે. ધાઓને પણ  બરાબર થતા ઘણો વાર લાગે છે. આથી અમુક કાળજીઓ રાખવી જરૂરી  છે.
 ૧)દાદરા પર ચઢતી વખતે રૈલિંગનો સહારો લેવો જરૂરી છે.

 ૨) જેમકે ઉતાવળમા પગના  અંગૂઠાને પકડવા પ્રયત્ન ન કરવો. ઍ  પહેલા શરીરને વૉર્મ ઉપ કરવુ  જરૂરી છે.
 ૩) ઍક્દમ ઉતાવળમા  મસ્તક્ને ફેરવવુ નહી. ઍના માટે શરીરને તૈયાર કરવુ જરૂરી છે.
 ૪) પૅંટ ખુરશી કે  સ્ટૂલ પર બેસીને પહેરવુ.
 ૫) પીઠ પર સીધા સૂતેલા હોવ તો બેઠા થવા માટે તમારા શરીરના ડાબે કે જમણા પડખે બેઠા થવુ આવશ્યક છે.
  ૬) કસરત શરૂ કરતા પહેલા શરીરને વૉર્મ  અપ કરવુ  જરૂરી છે.
 ૭)  પાછલા પગેથી ચાલવાથી ઘણી ભય જનક ઈંજાઓ થવાની શક્યતાઓ છે.
  ૮) ભારે વસ્તુને ઉચક્વા માટે પહેલા  પગના  ઘુંટણોને વાળવા જોઇઍ. નહી કે કેડને.
  ૯) ખસતી વખતે  વધારે  પડતુ જોર ન આપવુ કારણ કે  જોર આપવાથી બીજા અંગોને ઈજા થવાનો સંભવ છે.
  ૧૦) ઉંઘમાથી ઉઠ્યા પછી   થોડો સમય  પછી ઉભા થવુ.

                                                                   ******************************

Saturday, March 10, 2018


હિન્દુ માન્યતાઓના વિજ્ઞાનિક કારણો
                                                                                હિન્દુઓની કેટલીક માન્યતાઓ  પુરાણિક કાળથી ચાલી આવે છે ઍની પાછ ળ ના વિજ્ઞાનિક કારણો ભૂલાઇ ગયા છે ઍ હિન્દુ ધર્મની કમનસીબી  છે.   પશ્ચિમના લોકો અજ્ઞાનતથી ઍની મજાક પણ ઉડાવે છે. ઍમને ખ્યાલ નથી કે હિન્દુ ઋષીઓ આજના વિજ્ઞાનિકો કરતા પણ વધારે જ્ઞાન ધરાવતા હતા. આજના વિજ્ઞાનિકો તો ઍમણે કરેલી વાતોને વાસ્તવિકતાજ આપી રહ્યા ચ્હે.

                                                                      હિન્દુઓ મંદિરમામા  દાખલ થતા જ  ઘંટ  વગાડે છે. ઘંટ નો રણકો  માણસના આત્માને પવિત્રતાથી ભરી દે છે અને  મનમાથી રાક્ષશી વિચારોનો નાશ કરે છે. તે ઉપરાંત મંદિરમા જવાથી સકારાત્મક શક્તિનો સંચય થાય છૅ જે મન અન આત્માને નવી શક્તિ આપે છે.
                                                                      ધાર્મિક વિધિઓમા અને મંદિરમા રેશમી કપડાઓ પહેરવામા આવે છે કારણકે રેશમી કપડામા ઍલેક્ટ્રો મેગ્નેટીક કિરણોને ચૂસી લેવાની  શક્તિ હાય છે જે ધારણ કરાનારને પૂંજા અને ધાર્મિક વિધિ કરવા માટે પરમ શાંતિ આપે છે.

                                                                       હિન્દુ   પરણીત સ્ત્રીઓ  વાળમા  કપાળ પર  સિંદુર  નાખે છે. સિંદુરમા પારો હોય છે જે લોહીના દબાણને ઑછુ કરે છે અને કામને  ઉત્તેજીત કરે છે.  આથી વિધવાઓને કપાળમા સિંદુર લગાડવા પર પ્રતિબંધ છે.  સિંદુરમા રહેલો હવેજ સોજાઓને દૂર કરે છે અને રોગોનો સામનો કરવામા સહાય રૂપ બને ચ્હે,
                                                                        સ્ત્રીઓની બંગ ડીઓનો   રણકાર નકારાત્માક  શક્તિઓને દૂર કરે છે.  જ્યારે કાનમા પહેરેલા ઍરિન્ગો વિચારોમા સ્પષ્ટ તા લાવે છે.

                                                                        ઑમ મંત્ર પણ બોલવાથી  મનને પરમ શાંતિ મળે છે. યોગાથી માનસિક અને શારીરિક તંદુરસ્તી બની રહે છે ઍ હવે વિશ્વે પણ સ્વીકારી લીધુ છે.
                          ટુંકમા હિન્દુ ધર્મ વિજ્ઞનાનીક ઢાંચા પર રચાયેલો ધર્મ ઍમ કોઈ પણ જાતની અંધ શ્રધાને સ્થાન નથી.
                                                          **********************************

Monday, March 5, 2018


બચપણ
                                                                                                 જીવનમા માનવીની જેમ ઉંમર વધે છે તેમ તેમ તેને ભૂતકાળની મીઠી યાદો આવવા માંડે છે. જ્યારે ઍ બચપણ મા હોય છે ત્યારે ઍનુ જીવન નિર્દોષ મય હોય છે પરંતુ ત્યારની અમુક  ઍમની મર્યાદાઓને કારણે ઍને ઍમ થાય છે કે ક્યારે હૂ બાળપણ છોડી મોટો થઈ જાઉ અને બધી મર્યાદાઓ ઓળંગીને મારી રીતે જિંદગી  જીવવા માંડુ. પરંતુ ઍ ભૂલી જાય છે કે બાળપણને ઓળંગવાથી ઍનો નિર્દોષ આનંદ, પ્રેમ, લાગણીઓને ભુલીને આ દુનિયાના બહુજ મુશ્કેલ, ક્રુર, અને કપટી વાતાવરણમા દાખલ થવાનો છે જ્યા ઍના ભાઈઑ ભગિનિઑ, સ્વજનો, મિત્રો,  અને બધા સબંધોમા સફળતા માટે ઍક જાતની વણથંભી હરીફાઈમા ઉતરવાનુ છે. જીવનમા જીવન આનંદ અને ખુશીથી જીવવા માટે ઍક સંઘર્ષ કરવાનો છે. ઍમા  આઘાતો, ઉજરડાઓ પણ સહેવાના છે.  આમ જીવન  સંઘર્ષ  કરતા કરતા પેલા બચપણ ની નીર્દોષતા પણ ગુમાવી દીધી હોય છે.
                                આમતો દરેક સારી  અને ખરાબ વસ્તુઓનો અંત તો આવે જ છે અને સંઘર્ષો  કરતા કરતા ઍને ઍક દિવસે ભાન થાય છે કે ઍ હવે વૃધાવસ્થામા પહોચી ગયો હોય છે.   ઍના જીવનની સફળતા અનેનિષ્ફળતાનુ અવલોકન કરવા જતા ઍને . ઍનુ  બચપણ જે નિર્દોષ અને લાગણીશીલ હોય છે તેની યાદ આવવા માંડે છે. પરંતુ ત્યારે બધુ બદલાઈ ગયુ હોય છે અને ઍ ભૂતકાળને વાગોળવા માંડે છે. અને બદલાવને સ્વીકારવા તૈયાર હોતો નથી અને કહે છે-
હવે ઍ  શહેર ન  રહ્યુ-
હવે પેલો બરફનો ગોળો ક્યા છે
ચટકાદાર ચના પણ ચાલી ગયા
પૈસોમા મળવા  વાળી મગફલિયા ક્યા છે
આ  સિમેન્ટના જંગલોમા રમવાની જગ્યા નથી
હવે ઍ શહેર ન રહ્યુ-
સડકપર ચાલવાની  જગ્યા નથી
જ્યા લહેરથી સાઇકલો ફેરવતા  હતા
 રેલવે સ્ટેશન જે કદી વેરાન રહેતુ હતુ
ત્યા  ઉભા રહેવાની જગ્યા નથી.
હવે .ઍ શહેર ન રહ્યુ-
ઍક  સિનેમા ઘર હ્તુ ત્યા  સિનિમા જોયા કરતા
 ઍ આજે ખંડેર  બનીને ઉભુ છે
  હૂ  પાગલની જેમ મારુ બચપણ  શોધું છુ
  જેને વર્તમાને મિટાવી દીધુ છે.
  હવે ઍ શહેર ન રહયુ-
  બધુ મારી પાસે છે પણ મારૂ બચપણ નથી રહ્યુ
   શહેર તો ઍજ છૅ પણ હવે ઍ . શહેર ન રહ્યુ
   હવે ઍ  શહેર ન  રહ્યુ-
                                                        **************************************

Saturday, March 3, 2018


સાઈકલિંગ
                                                                                                            મોટરકારના આગમન પહેલા આપણા પૂર્વજો સાઈકલનો વાહન  તરીકે  વ્યહવારમા ઉપયોગ કરતા હતા. માઈલોનુ અંતર કાપવામા સાઇકલો બહુજ ઉપયોગી સાધન હતુ. જેમ વખત પસાર થયો તેમ તેમ થોડા વિદ્યાર્થીઓ પણ ઍનો ઉપયોગ શાળા જ્વા માટે પણ કરવા માંડ્યા. હવે તો વિદ્યાર્થીઓ સ્કૂટર  જેવા કીમતી સાધનો વાપરવા માંડ્યા છે. પરતુ ઍનાથી વિદ્યાર્થીઓની તબિયત અને શાળાની આજુબાજુનુ વાતતવરણ અને ઘોંઘાટનુ સ્તર પણ વધી ગયુ છે.
             
                                                                                           
 પશ્ચિમના દેશોમા હવે હવામાનના આવેલા બદલાઍ  સાઈકલનુ મહત્વ વધારી દોધુ છે. મોટરકાર દ્વારા થતુ પરદુષણ હવે માનવીના જીવન અને હવામાન પર ઘણી વિપરીત અસર પાડી રહ્યુ છે. ઍટલે  પશ્ચિમમા હવે સાઈકાલને  નિર્દોષ વાહન તરીકે સ્વીકારી લીધુ છે. વધુ કરીને હવે સાઈકાલને તંદુરસ્તી  જાળવવા અને કસરતના સાધન તરીકે ઉપયોગ કરવા માંડ્યા છે.  લાંબુ સાઈકલિંગ અથવા તો  પર્વત પર  બાઈકઈંગ ઍક કસરતનુ સાધન બની ચુકયુછે અને ઍનો ઉપયોગ હવે પૈસાદારથી માંડીને સામાન્ય નાગરિકો પણ કરવા માંડ્યા છે. હવે તો રાજમાર્ગો પર સાઈકલ માટે જુદા રસ્તાની પણ વ્યવસ્થા કરવામા આવે છે જેથી સાઈકલિંગ સલામત  રહે છે.

                                                                                                              સાઈકલના આર્થિક ફાયદાઓ પણ છે. દાખલા તરીકે-
૧) ઍના માટે વિમાની જરૂરીયાત નથી.
૨)  કોઈ જાતના ઈંધણની ઍને જરૂરીયાત નથી.
૩) ઍને સર્વિસિંગ કરવાની જરૂરત પડતી નથી કે પછી  મોટર કારની જેમ દરરોજ સાફ કરવાની  જરૂરીયાત રહેતી નથી.
૪) ઍને  પાર્કિંગની વધુ જગ્યા પણ જોઇતી નથી.
૫) લાંબો વખત ચાલે છે.
૬)  સાઈકલિંગ કરનારાઓ બહુ બીમાર નથી પડતા અન ડૉક્ટર પાસે  ઘણુ ખરુ જવુ પડતુ નથી.
                                                                                                              તે ઉપરાંત  સાઈકલિંગ આર્થિક વિકાસમા કોઈ મોટો ભાગ ભજવતુ  નથી. જેમકે હોટેલોમા  જનારા લોકો  ઓછામા ઑછા ૧૦   દાંતના ડોક્ટરોને, ૧૦ કાર્ડીઓલોજિસ્ટને  કે પછી વજ્ન ઉતારનાર નિષ્ણાતોને રોજગારી પુરી પાડે છે. ટુંકમા સાઈકલિંગ વાતાવરણને શુધ્ધ રાખે છે અને લોકોની તંદુરસ્તી વધારવામા મદદરૂપ થાય છૅ. આજના આધુનિક યુગમા ઍક નિર્દોષ વાહન છે.
                                                         *****************************************

Wednesday, February 14, 2018


શિવરાત્રી
                                                                                    ભારતભરમા અને આખા વિશ્વમા હિન્દુઑઍ ગઈકાલે ઍટલે ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૮ ઉજવી. શિવરાત્રી ઍ કરોડો જનોની ઍક અનંત શ્રધ્ધાનુ પ્રતીક છે.  હિન્દુ  ધર્મમા શિવ ઍવી શક્તિ છે જે જરૂર પડે તો ખરાબ તત્વોનો નાશ પણ નોતરી શકે છે. શીવને આમ તો ઘણા ભોળા માનવામા આવે છે, પરંતુ ક્રોધિત થાય તો સર્વત્ર નાશ ફેલાવી શકે છે. કહેવાય છેકે  આસુરી શક્તિઓ ભોળાનાથ શીવને ઍમની ભક્તિ દ્વારા વશ કરી શકે છે. ઍનો હિન્દુ પુરાણમા રાવણ ઍક અજોડ દાખલો છે.  જ્યારે ઍવી આસુરી શક્તિઓના નાશ માટે અને વિશ્વને બચાવવા માટે વિષ્ણુ જેવી વિશ્વનુ પાલન કરનારી શક્તિઍ મેદાનમા આવવુ પડે છે.

                                                                                      હિન્દુ ધર્મની વિચાર ધારા આમતો  વિજ્ઞાનિક  સીધ્ધાંતો પર જ આધારિત છે. સૃષ્ટિની રચના ત્રણ પ્રકૃતિઓ પર આધારિત છે જેવી કે રચનાત્મક, પાલનકાત્મક અને નાશક. શિવની શક્તિ ત્રીજી પ્રાકૃતિમા સમાયેલી છે. પરંતુ ઍમા ભારોભાર નિર્દોષતા અને ત્યાગની ભાવના છે. આથી ઍ  શક્તિનો ઉપયોગ વિશ્વના ભલા માટે જ થાય છે. વિજ્ઞાન હવે જેને સાબિત કરવા જઈ રહયુ છે ઍને હિન્દુ વિચારધારાઓે ઍ હજારો વર્ષો પહેલા ઘોષિત  કરેલુ છે.
                                                                                        ઍવી શિવ શક્તિ વિષે  કહેવાય છેકે-

શિવ ઍટલે-
શિવ ઍટલે ત્યાગ, શિવ ઍટલે સુંદર
શિવ  ઍટલે  સત્ય, શિવ ઍટલે શક્તિ
શિવ ઍટલે સાદાઈ,શિવઍટલે તાંડવ
શિવ ઍટલે દુનિયાનુ  જહેર  પીનાર
 તાંડવ દ્વારા બુરાઈનો નાશ  અને
 જહેર પીને   વિશ્વને શુધ્ધ કરનાર
 શિવ ઍટલે-
                                                                                               શિવ વિચારધારાનો મુખ્ય પ્રવાહ છે, ઍટલા માટે ભારતમા ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમા  શિવના પવિત્ર ૧૨ જ્યોર્તિ લિંગો આવેલા છે. તે ઉપરાંત અંબર નાથ અને કૈલાશ જેવા શિવમય યાત્રાના સ્થળો આવેલા છે. દરેક વર્ષે કરોડો ભારતીયો ઍ  સ્થળોની  મુલાકાતો લઈ પોતાને  ધન્ય માને છે.

                                                                                                   તિબેતમા આવેલા કૈલાસને શીવનુ પવિત્રમા પવિત્ર સ્થળ મનાય છે.  હવે  હાઇટેક ના  જમાનામા  ગૂગલ અર્થે કૈલાસના ફોટાઓ લીધા છે જેમા કૈલાસ  પર્વત પરશીવની   ધ્યાનમય મૂર્તિના  દર્શન થાય છે.  જેનુ ચિત્ર ઉપ્પર ટૉંચ પર દર્શાવેલુ છે.  આનાથી અમેરિકાની સ્પેસ રિસર્ચ સંસ્થા 'નાસા' ને આશ્ચર્ય થયુ છે. ઍજ  હિન્દુ વિચારધારાનુ  વિજ્ઞાનિક પુરાવો છે.
                                            ******************************************