Thursday, September 12, 2019

જાણીતા લેખકોની ગુજરાતી શાયરી

                                                         અમૃત ઘાયલ
-ના હિન્દૂ  નીકળ્યા  ન મુસલમાન નીકળ્યા
કબરો ઊંઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા
-કદી દાનની વાત ઉચ્ચારશો મા
 કર્યું કરાવ્યું  નહીં તો ધોવાઈ જશે
-નિહાળ્યા કરો જે  કઈ થાય છે તે
  વિચારો નહિ ,  મન વલોવાઈ જાશે.

                                                      શૂન્ય પાલનપુરી
-જેટલે ઊંચે જવું હો માનવી
 તેટલા ઊંચા વિચારો જોઈએ
-સહનતા આવડતી હો તો મુસીબતમાંય રાહત છે
  હૃદય જો  ભોગવી જાણે તો દુઃખ પણ  એક દોલત છે.
-અમે સમંદર ઉલેચ્યા છે પ્યારા
  નથી માત્ર છબછબીયા કીધા કિનારે

                                                     જાલન માતરી
-પજવે  છે આમ શાને  અલ્લાહ  તું  સીધો રહેને
  શું જોઈએ છે તારે હાજર થઈને  કહે
-કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
  નિજ ઘરથી નીકળી  નદી પાછી વળી  નથી.
-શ્રદ્ધાનો હો  વિષય  તો  પુરાવાની શું જરૂર
  કુરાનમાંતો  ક્યાંય પૈગંબરની સહી નથી



                                                       આદિલ મન્સૂરી
-ધોમધખતા રણ વિષે ચિંતા ન કર
  રણ વચ્ચે  પણ ખજૂરી હોય છે
-આમ તો હરદમ હજુરી હોય છે
  આપણા મનમાં જ દુરી હોય છે.
- એક પણ ઈચ્છા પુરીના થઇ શનિ
   હર ગઝલ આદિલ  અધૂરી હોય છે.
                                                        પરાજિત ડાભી
- એક સરખી ક્યાં  બધાની આંગળાની છાપ  છાપ છે
   એજ રીતે એક સરખા ક્યાં  બધાના પાપ છે.
-દિવસના સૂર્યનો  રંજાડ સહેવાની પડી આદત
 મને જળહળ થતી આ રાતની  બહુ બીક લાગે છે.
-દૂર ભાગી અહીંથી ક્યાં જશો ?
  તું ખુદા છો , ક્યાં છુપાવી દઉં  તને?

                                                            અમર પાલનપુરી
-ઊંડા ઘાતો કૈક સહયા
  પણ જાન ગયો  છે એક ઉઝરડે


                                                            મરીઝ
-આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
 જે વચન દેતા નથી  તેયે નિભાવી જાય છે



                                                             સૈફ પાલનપુરી
-ક્યારેક જીવન માર્ગ પર
  ફૂલોનીય  ઠોકર લાગે છે.
                                         ***************************************

Monday, September 2, 2019

  વશિષ્ટ નાગરિકો  - અમેરિકા
                                                                           
                                                      (ગરબા - અમેરિકન સિનિયર સેંટર )
અમેરિકામાં સિનિયર સિટિઝનને  અનોખું સ્થાન આપવામાં આવેલું છે. અમેરિકા માને છેકે  વશિષ્ટ નાગરિકોની મહેનત અને એમના બલિદાને જ  અમેરિકાને સુપર પાવર બનાવી દીધું છે. એટલે એમની કદર થવી જ જોઈએ. એમની જરૂરિયાતો અને ઢળતી ઉંમરમાં એમની મુશ્કેલીઓને દૂર કરી એમના જીવનને આરામદાયી  બનાવવું જોઈએ. આનાથી ઉલ્ટું ઘણા દેશોમાં વશિષ્ટ નાગરિકોને વપરાઈ ગયેલી શક્તિ અથવાતો સમાજનેમાટે બોજારૂપ બની ગયેલી વ્યક્તિઓ માનવામાં આવે છે અને એમની સમાજ દ્વારા  અવગણના કરવામાં આવે છે. એમાંથી ભારત પણ મુક્ત નથી.
                                                         (સિનિયર કેર કમિશન- કાઉન્ટી )
                                                                           અમેરિકામાં વશિષ્ટ નાગરિકો માટે વાહન વ્યહવારમાં, સ્વાસ્થ્ય સગવડોમાં, મનોરંજનમાં,  બસ,રેલવે અને  એરલાઈન્સમાં ઓછા દરે સગવડ આપવામાં આવે છે. એમના માટે જગ્યાઓ પણ અલગ અલાયદી રાખવામાં આવે છે. વિકલાંગ સિનિયર માટે ચડવા ઉતારવાની સગવડો રાખવામાં આવે છે.  સ્ટોરોમાં અને મોલોમાં ખરીદીમાટે  અમુક દિવસો રાખવામાં આવે છે. ત્યારે તેમને તેમની જરૂરિયાતની ચીજો ઓછા દરે મળી  રહે છે.  વશિષ્ટ નાગરિકો જ્યારે રસ્તો  ક્રોસ કરતા  હોય તો  વાહનો એમનાથી દૂર ઉભા રાખવાનો કાયદો અમેરિકામાં  છે. એમને  ગભરાટ ન થાય એની કાળજી લેવામાં આવે છે. જ્યારે ભારતમાં લોકો વશિષ્ટ નાગરિકોને યોગ્ય આદર  આપતા નથી અને કટાક્ષમાં એમ પણ કહી દે છેકે  આ ઉંમરે બહાર શા માટે નીકળો છો?
                                                         (સિનિયર સેંટર - એક કાર્યક્રમ )       
ઓછી આવક વાળા વશિષ્ટ નાગરિકોને  ઓછા ભાડે ઘરો, મફત સ્વાસ્થ્ય  સેવા અને પેંશન પણ આપવામાં આવે છે. દર અઠવાડિયે ગરીબ વશિષ્ટઓને  એક ખાખી  પેપર બેગ જેમાં બ્રેડથી માંડી  ફળો  વગેરે વસ્તુઓ મફત  આપવામાં આવે છે. તે ઉપરાંત ફૂડ સ્ટેમ્પ આપવામાં આવેછે જેનાથી તેઓ મફત કરિયાણાની વસ્તુઓ તેઓ સ્ટોરમાંથી લઇ શકે છે . ઓછી આવક વાળા વિકલાંગ  વશિષ્ટ નાગરિકોને સરકાર સહાયકો પણ પુરા પાડે છે. પરંતુ આ બધી સગવડો કાયદામાં આવતા નાગરિકોને જ મળે છે. બસોમાં ઓછા દરે વશિષ્ટ નાગરિકો ફરી શકે છે. પરંતુ વિકલાંગો માટે સરકારી ખર્ચે બહાર કામ માટે જવા  સસ્તા દરે ટેક્સી ની પણ સગવડો હોય છે.

(દરેક કાઉન્ટી ખાતે વિકલાંગો માટેનું સલાહકાર બોર્ડ - જેમાં વિકલાંગોનું પણ  પ્રતિનિધિત્વ મોજુદ હોય છે.)

                                                               વશિષ્ટઓને  તેમના મનોરંજન માટે ઠેર ઠેર સિનિયર સેન્ટરો ખોલવામાં આવેલા છે. તેમાં સંગીત, નૃત્ય  જેવા કાર્યક્રમો  અને સ્વાથ્ય , વિજ્ઞાન તથા  તેમને મળતી સરકારી સગવડો વિષે  જે તે વિષયના નિષ્ણાતો દ્વારા   માહિતી આપવામાં આવે છે. ત્યાં  નજીવા દરે બપોરનું  ખાવાનું પણ પૂરું પાડવામાં આવે છે.
                                                                  આવા વશિષ્ટઓને લાગતા કાર્યક્રમો માટે સરકારે કમિશનો બનાવ્યા છે જેઓ વશિષ્ટોના જીવન ધોરણ ઉપ્પર લાવવા માટે સતત નજર નાખી રહેતા હોય છે.
એમાં 'સિનિયર કેર કમિશન '  ' ઈન હોમમાં સપોર્ટિવ  એડવાઈઝરી  બોર્ડ ' જેવી સંસ્થાઓ પણ હોય છે .

                                                        (સિનિયરઓની પોતાના પ્રશ્નો વિષે ચર્ચા )                                                              
                                                                          બધા નિવૃત્ત ધધાદારીઓ પણ આવવા  કમિશનો પર પોતાની મફત સેવાઓ આપતા હોય છે. પરંતુ એમની આવી ઉમદા સેવાઓને રાજકારણીઓ પણ માનથી જુએ છે. અને એમને પ્રોત્સાહિત કરે છે. ભારતમાં માનદ સેવા કરનારા બહુ ઓછા જોવા મળે છે અને એવી સેવા કરનાર તરફ સમાજ અને રાજકારણીઓ તરફથી એટલું પ્રોત્સાહન મળતું નથી.

                                                           (સિનિયરઓની  ફેલોશિપ )                          
 આના પરથી જણાશે કે ભારતે વશિષ્ટઓ માટે ઘણું કરવાનું બાકી છે.  સૌથી પહેલા તો ભારતમાં  વશિષ્ટઓ પ્રત્યે  આજના યુવાનોમાં આદર ભાવ ઉત્ત્પન કરવાની  જરૂર છે. અને રાજકારણીઓમાં એમના પ્રશ્નો પ્રત્યે જાગૃતિ લાવવાની જરૂર છે.
                                          ***************************     
                                                     
                                                     

Thursday, August 22, 2019



લોકશાહીની પરિપક્વતા
                                                                          ભારતમાં અને અમેરિકામાં  લોકશાહી છે. ભારત એ દુનિયાની મોટામાં મોટી લોકશાહી છે.  પરંતુ  લોકશાહી ત્યારેજ સફળ નીવડે કે જયારે લોકો પોતાના હક્કો સાથે  એમની ફરજો પણ સમજે. બધું સરકારજ  કરે તો  લોકશાહી ચલાવવી મુશ્કેલ બને છે. એમાં રાજનેતાઓ અને નાગરિકોનો સહકાર જરૂરી છે. લોકશાહી તો મળી જાય છે પરંતુ  માનસિક રીતે લોકશાહીનો અમલ કરવો મુશ્કેલ બને છે.

                                           અમેરિકામાં લોકશાહી ખરા અર્થમાં જામી છે. લોકો પોતાના  હક્કો માટે  જાગૃત છે અને પોતાની દેશ  પ્રત્યેની ફરજ બજાવતા રહે છે.અમેરિકન લોકો  લાઈન  ઉભા રહી પોતાના ટર્નની  રાહ જુએ છે. અને  લાઈનમાં એકબીજાથી અંતર રાખી સંયમથી ઉભા રહેછે.ઍ ઉત્તમસજાગ  નાગરિકતાનો નમૂનો છે  ત્યાં કાયદાઓનું પાલન સરકાર કરાવવા  કરતા નાગરિકો  વધારે જાગૃતતાથી પાલન કરે છે.  એના કેટલાએ દાખલાઓ છે. કચરો નાખવા માટે અમેરિકનો કચરા પેટીઓ શોધે છે અને એમાં જ નાખે છે. કોઈની મોટર કાર ને નુકશાન થયું હોય તો નુકશાન કરનાર એના માલિકની ગેરહાજરીમાં એના વિન્ડશિલ્ડ પાર એનું નામ અને સરનામું લખી જાય છે. જેથી કાર માલિક એનું નુકશાન વસુલ કરી શકે. ટ્રાફિકના કાયદાનું ઉલ્લઘન માટે નો દંડ કોઈ પણ જાતની દલીલ વગર પોલીસને ભરી દે છે.  અમેરિકન લોકશાહીમાં ગુનાઓ માટે સજાનો રસ્તો બહુ ટૂંકા સમયનો હોય છે. ન્યાયપાલિકાઓ ન્યાય કરવામાં બહુજ ગતિશીલ હોય છે. ઘણાખરા ગુનાઓ માં ગુનેગારો પોતાના ગુનાઓ કબૂલ કરી લેછે કારણકે જૂઠ બોલવાની સજા વધુ હોયછે. એમાં નાગરિકોનો સહકાર મળી રહેછે. ૯૭% લોકો કર ભરે છે. એ નાગરિક પ્રામાણિકતાનો  નમૂનો છે.

                                                          કોઈપણ સરકારી વ્યક્તિ એની સત્તાનો  દૂર ઉપયોગ કરે તો  અમેરિકન નાગરિકઓ  સહન કરતા નથી. એમને એમના હક્કો પ્રત્યે તેઓ સજાગ છે અને સત્તાવાળાઓ સામે આંદોલન કરે છે નહીં તો  કોર્ટમાં  જાય છે. રાજદ્વારીઓ પણ લોકમતથી સજાગ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પણ એમણે આપેલા વચનોથી સજાગ છે અને  પ્રમુખની ફરી ચૂંટણી આવે તે પહેલા એમના વચનો પુરા કરવાના મૂડમાં છે. અમેરિકન રાજકારણીઓ એમને પ્રજાના સેવક સમજે છે એના માલિક નહિ. તેઓ પ્રજા સમક્ષ નમ્ર રીતે  વર્તણુક કરે છે. સત્તા પર આવ્યા બાદ એમની ભૂલ માટે કેટલાએ રસ્તા પ્રજા પાસે છે એનાથી તેઓ જાગૃત છે. એનું કારણ પ્રજા પણ જાગૃત છે.  કેટલાએ અમેરિકન પ્રમુખો અને રાજકારણીઓ સામે એમની ભૂલો માટે સજા ફટકારવાના દાખલાઓ મોજુદ છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચાર્ડ નિક્સનને એમના રાજકીય ગુના માટે એમનું પ્રમુખપદ છોડવું પડ્યું હતું . ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનને પણ  મહાવિયોગ  સામનો કરવો પડ્યો હતો . ઍ પણ પ્રજાની જાગૃતિને જ આભારી હતું.  અમેરિકાની પ્રજાની જાગૃતિ ને કારણે  અમેરિકામાં  વીઆઈપી સંસ્કૃતિ નથી.  રાજ્યના ગવર્નર પણ બાજુમાંથી પસાર થાય તો ખબર પડતી નથી.રાજકારણીઓ એમના મતદારો સાથે સતત સંપર્કમાં રહી એમના કરેલા લોકહિતના કાર્યોની માહિતી આપતા જ રહે છે. આજે પણ જે  અમેરિકન રાજકારણીઓના સંપર્કમાં હતો એમના સંપર્કઃ  સંદેશાઓ મળતા રહે છે. એ તો પરિપક્વ લોકશાહીનો પુરાવો છે.  આથીજ અમેરિકામાં ચૂંટાયેલા રાજકારણીઓનો  કોઈ પણ જનહિતના કાર્ય માટે મળવા મુશ્કેલી આવતી નથી.

                                                                                                                         હવે ભારતની લોકશાહી નું  અવલોકન કરો તો લોકો પોતાના હક્કો માટે જાગૃત છે પણ એમની દેશ પ્રત્યેની ફરજ પ્રત્યે અભાવ છે. કચરો ગમે ત્યાં રસ્તા પર નાખી દેતા પણ અચકાતા નથી. કોઈના વાહનને નુકશાન કરી કે કોઈ વ્યક્તિને ટક્કર મારી  નીકળી જવું એતો સામાન્ય છે. ત્રાફિક કાયદાઓનો ભંગ કરી પોલીસમેનને લાંચ આપી નીકળી જવા જેવા દાખલાઓતો સામાન્ય બનતા હોય છે. જાણવા પ્રમાણે ૯૭% લોકો સરકારી કરો ભરતા  નથી.  કેટલાક કેસોમાં તો ન્યાય મેળવતા  માણસની જિંદગી પુરી થઇ જાયછે. ન્યાય પ્રક્રિયા ભારતમાં ઘણી મંદ છે.  ઘણા રાજકારણીઓ ચૂંટાયા પછી પોતાને જનતાના માલિક માની બેસે છે અને પોતાને કોઈક મોટી વ્યક્તિ માનવાના રોગથી પીડાતા હોય છે. એટલે કે  'વીઆઈપી'  સંસ્કૃતિથી  પીડાતા હોય છે. લોકોમાં પણ એટલી જાગૃતિ નથી કે એવા રાજકારણીઓને  સીધા કરી શકે. ભારતમાં ગુનેગાર રાજકારણીઓને સજા  અપાવવી મુશ્કેલ હોય છે. ઘણા રાજકારણીઓનો સંપર્ક કરવામાં મુશ્કેલી ઉભી થાય છે આમાં ગરીબ , અભણ અને ગ્રામીણ પ્રજાને સહન કરવું પડે છે.  આમ પ્રજાના કેટલાક  લોકો ફક્ત હક્કો ભોગવે છે પરંતુ દેશ પ્રત્યેની ફરજ બજાવતા નથી.
                                                       આજ પરિપક્વ અને સામાન્ય લોકશાહીમાં ફરક છે.  ભારતે એ બાબતમાં ઘણું કરવું બાકી છે.
                                                  ****************************************   

Saturday, August 10, 2019


શીખો
                                                                                         પરદેશી આક્રમણો  કારણે પંજાબને હંમેશા સહન કરવાનું આવ્યું છે. તે ઉપરાંત ગ્રીકો, હુણો, મોંગોલો જેવી પ્રજાના ક્રૂર આક્રમણોએ  હિન્દૂ  સંસ્કૃતિ ને રગદોળવામાં કઈ બાકી રાખ્યું નથી. કેટલાક  લૂંટફાટ કરીને ચાલી ગયા અને થોડા ભારતમાં જ રહી પડયા અને  પંજાબની પ્રજામાં ભળી ગયા. એમાંથી કેટલાક ક્રૂર પરદેશી મુસલમાન  રાજકર્તાઓએ પંજાબની  હિન્દૂ પ્રજાને  મુસલમાન બનાવવાની  ઝુંબેશમાં ક્રૂરતા દાખવવામાં  કઈ બાકી ન  રાખ્યું. એવા મુસીબત ભર્યા સમયમાં ગુરુનાનકજી જેવા સંતો બહાર આવી હિન્દૂ મુસ્લિમની એકતાના પાઠ ભણાવ્યા અને એમાંથી શીખ ધર્મનો ઉદય થયો. શીખ ધર્મમાં હિન્દૂ અને મુસ્લિમ ધર્મના સારા એવા  બધા જ ઉપદેશોનો સમાવેશ કરી હિન્દૂ મુસ્લિમ એકતાનો પાયો નાખવામાં આવ્યો હતો.  મૂળમાં તો શીખ ધર્મ મુસ્લિમ અને હિંદુઓ વચ્ચે કુશન રાખવાનું કાર્ય કરનારો ધર્મ છે. એથી શીખોમાં એક પુત્ર હિન્દૂ હોય તો  બીજો મુસ્લિમ પુત્ર મુસ્લિમ ધર્મ પણ  પાડતા હોય છે. આ હિન્દૂ મુસ્લિમ એકતાનો ઉત્તમ નમૂનો છે.

                                                                                  શીખો ઉમદા બહાદુર અને ઘણી મહેનતુ પ્રજા છે. એમને વિશ્વભરમાં  સફળતા મેળવી છે અને નામના કાઢી છે. ભારતની સ્વતંત્રતાની લડાઈમાં પણ મોટો ફાળો આપેલો છે. નેતાજી સુભાષ બોઝની સેનામાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર શીખ લશ્કરી સેનાપતિઓ હતા.  આવી  પ્રજાને ખાલિસ્તાન માટે ભડકાવવામાં  ભારત વિરોધી  તત્વો અને ગંદુ રાજકારણ હતું. એમાં કેટલાએ નિર્દોષ શીખોને સહન કરવું પડ્યું હતું. પરંતુ શીખોની ભારત પ્રત્યેની વફાદારીમાં કોઈ પરખ પડ્યો નથી.
                                                                                  શીખો ભારતીય લશ્કરમાં આશરે ૪૫% ટકા જેટલા છે.  એમની બહાદુરીનો કોઈ જોડ નથી.  આમ તો શીખૉ ની વસ્તી ભારતમાં ૨.૫% છે પરંતુ ભારતના વિકાસમાં એમનો ફાળો અમૂલ્ય છે.  શીખોની  ઉદારતા એમની  ભારતમાં ૬૭%જેટલા કરાતા દાનમાં દેખાઈ આવે છે.તેઓ ૩૩% જેટલો ફાળો કર માળખામાં નોંધાવે છે. અને દેશના વિકાસમાં ઉત્તમ ફાળો પણ આપે છે.

                                                                                   શીખોના આશરે 59000 ગુરુદ્વારાઓ દરેક ધર્મ માટે ખુલ્લા  હોય છે.  એમાં દરરોજ  ૬૦ લાખ ગરીબ અને  તવંગર  લોકો મફત  ખાઈ શકે છે. આવો ઉમદા અભિગમ બહુ ઓછી પ્રજામાં જોવા મળે છે. આથી શીખ પ્રજા ભારતને માટે એક મજબૂત ટેકારૂપ છે અને એના માટે સર્વ ભારતવાસીઓને ગર્વ હોવો આવશ્યક છે .
                                                                                 ગુરુ નાનક દેવે મુસ્લિમોના પવિત્ર શહેર મક્કામાં  કહ્યું હતુંકે  'ઈશ્વર સર્વત્ર છે ' જે ભારતીય સંસ્કૃતિનો મુખ્ય અંશ છે.
                                               *********************************
                                         

Thursday, August 8, 2019


જીવન જીવવાની કળા
                                                                   જીવનમાં બીમારીઓ અને માનસિક રોગોથી પીડાતા લોકો દવાઓ  ખાય છે. કસરતો અને યોગા દ્વારા પીડાઓનો નિકાલ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ એનાથી પીડાઓમાંથી  તદ્દન મુક્તિ મેળવી મુશ્કેલ બને છે. આપણામાં કહેવત છે કે ' પહેલું સુખ તે જાતે નર્યા' એટલેકે જ્યા સુધી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય ત્યાં સુધી કોઈ પણ જાતનો  આનંદ ભોગવવો મુશ્કેલ છે. ખરા અર્થમાં સુખી થવા માટે માનસિક અને  શારીરિક  તંદુરસ્તી  સિવાય  શક્ય નથી.
                                                                એને માટે જીવન તરફનો આપણો અભિગમ બદલવાની જરૂરત છે.  આપણી દ્રષ્ટિ બદલવાની જરૂરત  છે .  ઘણીવાર આપણે સુખની શોધમાં આખી જિંદગી વેડફી નાખીએ  છીએ.  જાણીતા લેખક શયદા એ  એની શાયરીમાં   નિરાશામય  જીવન જીવી એને વેડફી નાખતા  લોકો માટે  લખ્યું છે કે ' અમસ્તી   વેડફી નાખું છું  એનું  કારણ છે ,જરૂરથી વધારે જિન્દગાની  લઈને આવ્યો  છું. '  જિંદગી એ પ્રભુએ   માનવીને આપેલી અમૂલ્ય ભેટ છે એને જીવી જાણવી જોઈએ. એટલા માટે આપણે  દષ્ટિકોણ અને આપણા બીજાસાથેના  વ્યહવાર  બદલવાની  જરુરત  છે.
                                                              ઘણાખરા રોગોના મૂળમાં   કાલ્પનિક માનસિક ચીજો હોય છે. તે ઉપરાંત અનિયમિત  જીવન પણ  એને માટે  જવાબદાર હોય.  એનાથી  નિદ્રામાં અડચણ થાય છે.  કલાકો સુધી  નિદ્રા લીધા પછી પણ  એ ઊંડી અને ઉત્તમ કક્ષાની ઊંઘ હોતી નથી. આવા સંજોગોમાં  માનવી થાક અને  બેચેની અનુભવે છે અને સુખ તથા  આનંદનો અભાવ અનુભવે છે. આવા સંજોગોમાં  તબિયત બગડે છે. આથી સુખમય અને તંદુરસ્ત  જીવન માટે સારી ઊંઘની જરૂરત છે.

                                                            લાગણીઓ પર પણ અંકુશ રાખવો આવશ્યક છે. નાની બાબતોમાં  છેડાઈ જવું એ જીવન માટે હાનિકારક  છે. કાલ્પનિક ભયોથી ઉશ્કેરાઈ જવાથી  એની અવળી અસર માનવીના જીવન પર પડે છે. આથી લાગણીઓને અંકુશમાં રાખવા માટે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરત છે. એનાથી જીવનમાં આનંદ વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.
                                                         'ચિંતા એ ચિતા સમાન છે'. એ કાલ્પનિક હોય છે. એના પર આપણો કોઈ અંકુશ નથી હોતો. પરંતુ એ જીવનમાં તણાવ વધારે છે.  તણાવ બ્લડ પ્રેસર , હૃદયરોગને  જેવા રોગોનું  મૂળ છે. આથી જે વસ્તુ પર આપણો કાબુ નથી અને ભવિષ્ય માં બની શકે  એ વસ્તુપર  તણાવ વધારવો  એ સારી નિશાની નથી. આથી તણાવને  દૂર રાખી મનને વાળવાની  કળા શીખવાની જરૂર છે. એમાં પણ સકારત્મક દ્રષ્ટિકોણ મદદ રૂપ બની રહે છે.

                                                          સુખ અને શાંતિમય જીવન જીવવા માટે  પ્રભુમાં શ્રદ્ધાની  જરૂરત છે કારણકે જીવનમાં ઘણી વસ્તુઓ બને છે અને બનવાની છે એના  માટે  કઈ કરી શકાતું નથી. એટલા માટે કેટલીક વસ્તુ પ્રભુ પર છોડવાથી જીવન શાંતિમય અને આનંદમય  બની રહે છે.   આજ જીવન જીવવાની  ઉત્તમ કળા છે.
                                  ****************************************
           

Wednesday, August 7, 2019


ભારતીય અર્થવ્યવસ્થા -  મંદી તરફ પ્રયાણ
                                                            શેર બજાર એ  અર્થવ્યવસ્થાનો  માપદંડ  છે જે અત્યારે અજબ ગજબ ઊથલપાથલમાંથી પસાર થઇ રહ્યું છે. ઘણી કંપનીઓની મૂડીનું ધોવાણ થઇ ગયું છે. સરકારને એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.
                                                      આ વર્ષના બજેટમાં  પૈસાદોરો પર સરચાર્જ નાખી કર વધારવામાં આવ્યો છે. તેના પ્રત્યાઘાત રૂપે પરદેશી રોકાણ પરત થવા માંડ્યું છે . અમેરિકાની અને ચીનની ટેરિફ યુદ્ધ પણ દુનિયાના ઘણા દેશની અર્થવ્યવસ્થા પર અસર કરી છે એમાંથી  ભારત પણ બાકાત નથી.
                                                       બેન્કો છૂટથી   ધિરાણ કરીને એમના ખરાબ ધિરાણોને વધારવા માંગતી નથી. આ પણ એક ધિરાણ નીતિમાં ગુંચવાડો છે.
                                                         ભારતનો દવા ઉદ્યોગ આખા વિશ્વમાં  અનુકરણીય છે એમાં પણ સરકારની દખલગીરીએ  વમળો સર્જ્યા છે.

                                                          સુરતના હીરા ઉદ્યોગ પણ  અત્યારે મંદીમાંથી  પસાર થઇ રહ્યોછે  એને લીધે લાખો  કારીગરો બેકાર થઇ ગયા છે. હીરા ઉદ્યોગને બેંક ધિરાણમાં તંગી અનુભવી રહ્યો છે. નીરવ મોદીના હજારો કરોડના ગોટાળાઓએ હીરા ઉદ્યોગની નીતિમત્તા વિષે સંદેહો ઉભા કર્યા છે.  જેની અવળી  અસર હીરા ઉદ્યોગને થઇ રહી હોય એમ લાગે છે.
                                                          કાપડ ઉદ્યોગ જે લાખો લોકોને રોજગારી આપતો હતો તે ચીન તરફ ઘસડાઈ  ગયો છે. કાપડ ઉદ્યોગને જીવિત કરવા માટે સરકારે મજબૂત પગલાં લેવા પડશે. સુતરાવ ઉદ્યોગ પણ હવે વિએટનામ જેવા દેશે  ખેંચી લીધો છે.
                                                           કૃષિ  ઉદ્યોગ માટે સરકાર ઘણા પ્રયત્નો કરે છે. જેમકે ખેડૂતોના દેવા માફ.  પરંતુ  ઉત્પાદન વધારવા આધુનિક પદ્ધતિ અપનાવવાની દિશામાં બહુ પ્રગતિ થઇ નથી. ખેડૂતોની આવકમાં બહુ  વધારો થયો હોય એ જણાતું નથી.  કૃષિ ઉદ્યોગમાં  રોજગારીની તકો  ઘટી રહી છે.
                                                             પોતાની નિસ્ફળતાને ઢાંકવા માટે સરકારી અફસરો  ખોટા બહાના બતાવી રહયા છે.
                                                              ટૂંકમાં આ બધી મંદીના આગમનની નિશાનીઓ  છે. આથી સરકારે સજાગ રહેવાની જરૂરત છે કારણકે સરકારી સંસ્થાઓ ઊંઘતી ન પકડાઈ જાય.
                                                   ********************************     

Saturday, July 20, 2019


કુદરત અને મનુષ્ય
                                                                                       હવામાનના બદલાવે વિશ્વમાં દાટ વાળી દીધો છે. ચારે બાજુ  દુકાળ, વાવાઝોડા, અતિશય  વરસાદ, નદીઓમાં બાઢ. પહાડોમાં  લેન્ડ સ્લાઇડ્સ, ધરતીકંપોએ, માનવીના જીવનનને હચમચાવી નાખ્યું છે. એને માટે માનવી પોતેજ જવાબદાર છે. એણે પણ કુદરતને રગદોળવામાં કઈ બાકી રાખ્યું નથી. કચરો, ગંદા પાણી, અને પૃથ્વીની ખોદી ખોદીને વેરાન બનાવી નાખી છે. પહાડોને કલુષિત કર્યા છે. ઓઈલને માટે દરિયાના દરિયા ખોદી નાખ્યા છે. પહાડો પરના બરફને પણ પીગળાવી નાખ્યા છે. ટૂંકમાં પૃથ્વીને  વીંધી નાખી છે.
                                                                                         પછીતો કહેવાય છેકે' જેવું વાવો તેવું લણો ' જેવું તમારું આચરણ તેવું જ પછી પરિણામ ભોગવો'. આથી હવે કુદરતે પણ પોતાનું જોર બતાવવા માંડ્યું છે. પરંતુ  એને સમજવાની પણ માનવોમાં સમજણ નથી  અને એક કવિએ લખ્યું છે ઍમ કુદરતને વરસાદ માટે  પ્રાર્થના કરી રહયા છે. કુદરત એક જગાએ પાણી પાણી કરી નાખે છે  અને બીજી જગ્યાએ પાણી પાણી માટે ત્રાહિ ત્રાહિ પોકરાવે છે. પોતાને બહુજ બુદ્ધિશાળી માનતા માનવીઓને  ઘૂંટણીએ પાડી રડાવે છે. ત્યારે પામર મનુષ્ય કુદરતને પ્રાર્થના કરે છે.

મેઘ તું ---
મેઘ તું ઝરમર ઝરમર વરસ
ગરમીથી ત્રાસેલી ધરાને એક   ચુંબન દે
મેઘ તું----
તળાવો સૂકા પડ્યાને, અને  નદીઓ છે વીરાન
તારા નિર્મલ જળથી એના ઉરમાં કર ભરાણ
લીલા લીલા પાકો તારા રાહે લાગ્યા કરમાવા
એનું સિંચન કર  તુજ અમૃત જળથી બચાવવા
મેઘ તું ----
આગ  ઝરતી ધરા હવે બહુ ત્રાસી ગઈ છે
એ પણ હવે ધીરજ ગુમાવી ધ્રુજવા માંડી ગઈ છે
માનવોના પાપોથી  તું  બહુ ત્રાસેલો છે
પણ  વણવાંકે ધરતીને  શા કાજે ત્રાસ દઈ રહ્યો છે આજે.
મેઘ તું ----
ભારત દેસાઈ
                                          ઘણી વાર કુદરત  પ્રાર્થના સાંભળે  પણ છે પરંતુ માનવોએ કુદરત તરફનું એમનું વર્તન સુધારવાની જરૂરત લાગતી  નથી? એજ આપણી કમનસીબી છે.
                                             *********************************