Friday, December 30, 2011


૨૦૧૧નુ વર્ષ
=========
૨૦૧૧ ના વર્ષમા જનતા મોંઘવારી, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદીમા સબડતી રહી છે. જનતાની ઍ પીડાનો અંત ક્યારે આવશે તે કહેવુ મુશ્કેલ છે પરંતુ ઍમા રાહત મળે તો પણ બહુ છે. બીજી બાજુ ભ્રષ્ટાચારને નાથવા માટે ભારતમા પણ યુધ્ધ ચાલી રહ્યુ છે. ઍક વયોવૃધ્ધ સ્વચ્છ ગાંધીવાદી અન્ના હજારેઍ ભ્રષ્ટાચાર સામે અને ઍને નાથવામાટે કેટલી વાર અન્નશન કરવા પડ્યા છે. દરેક વખતે ભ્રષ્ટાચાર સામે મજબૂત લોકપાલનો કાયદો લાવવાના વચનો આપિને ભારત સરકારે અન્નશનો તોડાવ્યા છે. આખી વાતમા કરૂણતાતો ઍ છેકે ઍક દેશપ્રેમી વયોવૃધ્ધને ભોગે કેટલા ઍ માણસો પોતાના રોટલા શેકી રહ્યા છે. પરંતુ ભ્રષ્ટાચારનો રાક્ષસ તો ત્યાનો ત્યા જ્ છે. આતો મહાભારત જેવુ યુધ્ધ છે જેમા કૌરવો બાજુમા વિચિક્ષ્ણ યોધ્ધાઓ છે અને બીજી બાજુ ધર્મ, ધીરજ અને આંદોલન છે. લોકશાહી રીતે દરેક પ્રશ્ન હલ થઈ શકે છે. શાંતિમય રીતે જો ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નોનો ઉકેલ ના આવે તો ઍના પરિણામોઘણા વિપરીત જ હોય છે. ઘણા ઇતિહાસમાથી પણ શીખવા તૈયાર નથી ઍ પણ ઍક ક્મનશીબી છે. આપણે અન્ના જેવા નેતાને જ ટેકો આપી દેશ પ્રત્યેની આપણી શુભેચ્છાઓ વ્યક્ત કરીઍ. ૨૦૧૨ નુ વર્ષ સર્વને માટે સુખી સમરુધ્ધ અને આનંદમય નીવડે ઍવી પ્રભુને પ્રાર્થના.
"વતન તારા હાલ જોઈને ખુદાને દયા આવી
પણતને લુટનેવાળા દેશવાશીને દયા ના આવી
સ્વાતંત્ર સૈનિકો ઍ સર્વ પોતાનુ આપી દીધુ હતુ
આવી વતનની હાલત થશે ઍ કદી વિચાર્યુ ન હતુ"
ભારત દેસાઈ
૩૧મી ડિસેમ્બર ૨૦૧૧

Thursday, December 29, 2011



સર્વ દુખોનુ મૂળ?
===========
સ્વાધ્યાય આંદોલનના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આથવલે માનતા હતા કે "સર્વ દુખોનુ મૂળ આશક્તિમા છે. તે છતા આશક્તિ વગરનુ જીવન પણ જીવન નથી. બુધ્ધિ દ્રષ્ટીથી ઍનુ નિયમન જરૂરી છે." ગાંધીજી આગળ વધીને કહે છેકે' મારામા પણ કેટલીક નબળાઈઑ છે ઍટલે બીજાની નબળાઈઑ માટે શુ કહેવુ?આથી ગાંધીજી બીજાના ગુણોને જ જોતા અને ઍમના અવગુણો તરફ ઍ સહાનુભુતિ રાખતા." સુખ અને દુખ ઍ જીવનની પ્રક્રિયાઑ છે જેને બુધ્ધિથી જ હલ કરવી રહી.
સર્વ દુખોનુ મૂળ છે વાસના
ઍ વધી બને કામના
કામનાથી વધુ ત્રાસ આપનારી તૃષ્ણા
જે લાવે આશક્તિને કરવા માનવીને ફના
આશક્તિ વગરનુ જીવન શુ?
બૌધિકતાજ કરી શકે ઍનુ નિયમન
જે આશક્તીઓથી નિયમન કરે
ઍજ આ જગમા આનંદમયો રહે
સર્વ દુખોનુ મૂળ છે વાસના
જે માનવીને કરે અહા ફના
ભારત દેસાઈ
------------------------------

Wednesday, December 28, 2011



સૌદર્ય
=====
"જ્ઞાન કરતા દ્રષ્ટી મહત્વની છે" ઍમ વિનોબાજી માનતા હતા. અહિઍ દ્રષ્ટી ઍટલે દિવ્ય દ્રષ્ટિંની વાત છે. જેમકે સૌદર્ય માણી શકાય છે. અનુભવી શકાય છે. અને દિવ્ય શક્તીથી જોઈ પણ શકાય છે. ફક્ત સૌદર્ય સાથે વધુ રમવાથી તેનો નાશ થાય છે. ફૂલો ઍના સચોટ દાખલાઓ છે આથી સૌદ્રયને અનુભવમા, માણવામા, અને દિવ્ય દ્રષ્ટીથી જોવામા જ અનોખો આનંદ મળે છે.
"સૌદર્યને જુઓ ભવ્યતામાં
હરીની બંદગિમા
સંતોની પવિત્રતામા
તો બીજાની આનંદની પળોમા
દિન દુખીના કામોમા
ઍની ઝલખ દેખાય છે
વીરોની વિરતામા
ઍનુ તો પ્રતિબિંબ દેખાય છે
મહાન માનવની માનવતામા
ઍના નિજ દર્શન થાય
જંગલી પશુઓની ભયંકર્તામા
કદીક સૌદર્યના દર્શન થાય
સૌદર્યને જુઓ ભવ્યતામા
તો કદીક જંગલી પશુઓની ભયંકર્તામા"
ભારત દેસાઈ
===============

Friday, December 23, 2011


દીકરી ઍ ઍની માતાનો પડછાયો હોય, તો પિતાનુ ઍ હૃદય હોય છે.
દીકરી
========
તૂ હતી તો બહારે હ્તી
જીવનમા કઈક હરીયાળી હતી
ઘર ગુજતુ હતુ કિલ્લોલથી,
આંગણ રંગોળીથી ભરપુર હતુ
તૂ હતી તો --
જીવનના ચઢાવમા થાક જો લાગતો
તારુ હાસ્યને જોઈને ઉતરી જતો
તારે ઍકદિ જવાનુ છે જાણી
ચહેરો ઍક્દમ ઉતરી જતો
તૂ હતી તો--
ઍ દિવસ પણ આવી ગયો
તૂ ધીમે પગલે આન્શુ સાથે નીકળી ગઈ
અમને અજાણ્યા બંનાવી બીજે ઘરે ચાલી ગઈ
શરીર સાસરિયે પણ દિલ અમારી પાસે આપી ગઈ
તૂ હતી તો--
હજુ તૂ આવે જ્યારે દિલ અમારા ફંફોળે,
પેલી બહારોની યાદોને વાગોળે
જતા પહેલા અમારી આંખોમા આંખો પરોવે
જાણે મૂકી ગયેલી ઍના દિલને અમારા હદયે ઢંઢોળે
અમારા આન્શુઓને આંખોમા જોઈને
ઍના દિલને નીહાળીને દૂરદૂર જવા નિહરે.
તૂ હતી તો--
ભારત દેસાઈ

Thursday, December 22, 2011


સ્ત્રી શક્તિ
======
આ ૭૦ વર્ષ પહેલાની સાચી કથા છે. મોકેલે નાશ કરેલી ભારતીય શિક્ષણ પ્રથામાથી બચી ગયેલી અને સ્ત્રી શક્તિઍ બચાવેલી આપણી ઍક પેઢીની વાત છે. આવીતો ઘણી વાર્તાઓ હશે પરંતુ કાગળ પર ઉતરાઈ નહી હોય. આપણી માતાઓ, બહેનો અને પત્નીઓ ઉભી કરેલી ઍ પેઢી જ તો લડી લડીને આપણને અમૂલ્ય સ્વતંત્રતા અપાવી છે.
ઍ દક્ષિણ ગુજરાતના નાના ઍવા શહેર વલસાડમા ઍ વિધવા ચાર પુત્રીઓ અને૨ પુત્રો સાથે રહેતી હતી. ઍક પુત્રતો સ્વાતંત્રતાના ગીતો અને કવિતાઓ લખવામા મશગુલ હતો આથી કોઈ આર્થિક મદદ ન હતી. જ્યારે નાનો પુત્ર કુટુંબ માટે ૫૦ રૂપિયા લાવતો ઍમાથી કુટુંમબનો નિર્વાહ ચાલતો. ગરીબી હતી પરંતુ ગરીમા હતી. સાથે સાથે દિલની વિશાળતા હ્તી. ઍના પોતાની પુત્રીના દીકરાઓ સાથે પીતરાઈના દીકરાઓ પણ ભણતા. જાણે આશ્રમશાળાનો નમૂનો હતો.
દરેકને માટે સરખા નીયમો હતા, બધાઍ સાથે તથા સરખુ ખાવાનુ. ખાતા પહેલા હાથ પગ બરાબર સાફ કરવાના, અનાજનો ઍક પણ દાણો બગાડવાનો નહી, રમવાને વખતે રમવાનુ પરંતુ અમુક નક્કી સમય સુધી અચૂક ભણવાનુ. પેલી વિધવા પાસે ઍક નેતરની સોટી પણ હતી જે સંજોગો પ્રમાણે તથા ભૂલચૂક પ્રમાણે ઉપયોગ પણ કરતી. જેટલી શિક્ષણની બાબતમા કડક હતી ઍટલી જે પ્રેમ આપવાની બાબતમા ઉદાર હતી. પોતપોતાની વસ્તુઓ દીકરાઓ પોતાની જગ્યા પર વ્યવસ્થિત રાખે તેનુ ધ્યાન રાખતી. ચારીત્રની બાબતમા જરા પણ સમાધાન કરતી નહી. અસત્ય, ચોરી, જુઠાનુ માટે સખત સજા થતી. આથી ઘરનુ વાતાવરણ ઘણુ પવિત્ર રહેતુ. ઍના કડક વલણ માટે સીધો જવાબ હતોકે 'મારી જવાબદારી પર મે તમને ભણવાને રાખ્યા ઍટલે તમારા ભવિષ્ય માટે પણ હૂ જવાબદાર ગણાવુ."
આટલા કડક નીયમો સાથે સર્વત્ર પ્રેમ, બંધુતાનુ વાતાવરણ હતુ. ત્યા રહેનારમાથી ઘણા આગળ જતા સ્વાતંત્ર સૈનિક બન્યા તો કેટલાકે તો ભારતીય મજુર આંદોલનમા નેતા પણ બન્યા.
ઍક સામાન્ય નિર્ધન વિધવા શુ પ્રદાન આપ્યુ ઍનો આ ઉત્તમ નમૂનો મે રજૂ કર્યો . મને પણ ઍ ઘરેલુ શાળામા બચપનમા લાભ મળ્યો હતો કારણકે પેલી ઉચ્ચ ચારિત્ર, આત્મ શક્તિવાળી, સ્ત્રી મારી નાની હતી.
**********************************

Tuesday, December 20, 2011


જીવનમા સુખ અને દુખ ઍ પ્રક્રિયાઓ છે ફક્ત માયાવી દુનિયાના ચક્રવ્યૂહમા આપણાથી ફસાઈ જવાય છે. સુખતો બધાની સાથે માણવાનુ છૅ, પરંતુ દુખતો ઍકલાઍ જ ભોગવવાનુ છે.
શરાબખાનાની શરાબ----
શરાબખાનાંની શરાબ તો હમેશ સાથે છે
જૂની જૂની યાદો પણ હંમેશ સાથે છે
આપણીરોટી ખાઈને કુતરાઓ પણ સાથે છે
પણ આપણા પોતાનામાથી કેટલા સાથે છે?
સુખમા તો બધા સાથે રહે
કારણકે સુખની મજાતો માણવા મળે
દુખમા બધા દુર ભાગે
કારણકે દુખ બધાને કારમુ લાગે
જીવનનુ આ કડવુ સત્ય સમજવૂ મુશ્કેલ છૅ
પણ જે ઉતારે તે જ રાજી રાજી છે
શરાબખાનાની શરાબ તો હમેશ સાથે છે
પણ આપણા પોતાનામાથી કેટલા સાથે છે?
ભારત દેસાઈ

Sunday, December 18, 2011


કેટલાક માને છેકે ઈશ્વર છે જ નહી. ઍથી ઍમને કોઈનો ડર નથી. તો કેટલાક ઈશ્વરની શોધમા મંદિરો મસ્જિદો,અને ચર્ચોમા ભટકતા રહે છે. પરંતુ ઍમના વાણી અને વર્તન કઈક જુદા જ્ છે. આ જોતા આસ્તીક અને નાસ્તિક્મા શુ ફર્ક ચ્હે છે? ઍક વિખ્યાત સાયંટિસ્ટ કાર્લ સાગને કહ્યુ છેકે ' તમારી પાસે સાબિતી નથી ઍ કારણે વસ્તુ નથી ઍ માનવુ યોગ્ય નથી' ઍજ વસ્તુ પ્રભુંના અસ્તિવ માટે પણ લાગુ પડે છે. આ જગતમા જે ચાલી રહ્યુ છે ઍથી આપણામાના ઘણા નાખુશ છે તો પ્રભુને શુ પુચ્છવુ?
"આજકાલતો તો પ્રભુ પણ બેચેન છે
દુખનો માર્યો ઍ ક્યાક્ ગુમ થઈ ગયો છૅ
મંદિરોના ઘંટારવમા, અને મસ્જિદોની બંદગિમા
ગુરૂદ્વારાની ગુરુભક્તિયોમા, અનેચર્ચોની પ્રાથનાઓમા
બનાવતની ઍને બદબૂ આવે છે
પોતે બનાવેલા રમકડાઓઍ જ
ઍને ઍક રમકડુ બનાવી દીધુ છે
આથી તો પ્રભુ ઘણો બેચેન છે
શરમનો માર્યો બધેથી ગુમ છે"
ભારત દેસાઈ

Thursday, December 8, 2011


"તમારે જો દુનિયામા પરિવર્તન લાવવુ હોય તો તમારે જ પરિવર્તન બનવુ પડશે."
ગાંધીજી
આજ વસ્તુ લેખકોને પણ લાગુ પડે છે. લેખકોને માથે પણ પરિવર્તનની સામાજીક જવાબદારી હોયછે. પરંતુ જવાબદાર લેખકો કેટલા છે?
આવા પણ લેખકો --
આવા લેખકો હોય છે જેણે કલમ વેચી નાખી છે
બીજાને ખુશ કરવા માટે કઈ પણ લખી નાખે છે
ઍમના લખાણોમા કોઈ પ્રેરણા નહી, તો સંદેશનોતો સવાલ ક્યા?
ધન દોલત કીર્તિને માટે વેચી નાખ્યો છે આત્મા યહા
પોતાની પ્રસંસા માટે કઇ પણ કરવા તૈયાર છે
લેખનમા ફક્ત શબ્દો છૅ પણ ચેતના ત્યા છે ક્યા?
બીજાની ખુશામત દ્વારા સ્વાર્થ નીજનોકરતા રહે
સચ્ચાઈને લખવાનો ઍમનામા દમ પણ છે ક્યા?
સારો લેખક ઍવો હોય જેના દિલમા પ્રેમ હોય
ભાવનાઓથી તરબોળ અને સાગરની જેવી ગહરાઈ હોય
ધન ક્દી ખરીદી ના શકે તો સત્તા પણ નમાવી ના શકે
દિલ ભલે કઠીન હો પણ દિન દુખિયાનો બેલી હો
ભારત દેસાઈ
============================

Wednesday, December 7, 2011


દોસ્તી
====
દોસ્તી ઍવી ચીજ છે જે, કરવાથી થતી નથી
ઍતો ઍવી ચીજ છે જે આપોઆપ થઈ જાય છે
સિગારેટ અને શૂરાની દોસ્તી, ઍ દોસ્તી નથી
દોસ્તીમા શરીર અલગ પણ દિલદિમાગમા કોઈ ફર્ક નહી.
દોસ્તી હોય તો અર્જુન કૃષ્ણ જેવી જે ભાવ અને પ્રેમથી ભરપુર છૅ
કૃષ્ણ અને સુદામા જેવી હો જેમા સ્વાર્થનૅ કોઇ સ્થાન નહી
દોસ્તી ઍવી ચીજ છે જે કરવાથી થતી નથી
ઍતો ઍવી ચીજ છે જે આપોઆપ થઈ જાય છે
ભારત દેસાઈ
====================
હળવી પલો
==========
૧)ઍક સમસ્યા?
મારો પડોશી વારવાર બહાર આવી ઍનો મેલ બૉક્સ ખોલી રહ્યો હતો
હૂ દેખી થયો હેરાન!
મે પુછયુ 'શુ સમસ્યા છે?
'મારૂ કોમ્પ્યુટર કહી રહ્યુ છે ' તારુ મેલ બૉક્સ ખોલ'
ઍ તો મારી સમસ્યા છે,' પડોશીઍ જવાબ આપ્યો.
-------------------
૨) રસ્તામા પોલીસને પુછ્યુ 'હોસ્પિટલનો શોર્ટકટ બતાવ?
'પેલી ટ્રકની સાથે તારી કાર ટકરાવી દે.' પોલીસે હસતા હસતા જવાબ આપ્યો.
-------------------

Tuesday, December 6, 2011


લોકોઍ સ્વર્ગની ઍક કલ્પના કરેલી છે. અને માનવોઍ તો ઍનો અમલ કરી દીધો છે. દાખલા તરીકેલાસ વેગાસમા શુ છે?
ઇન્દ્ર શુ સ્વર્ગ બનાવે છે
માનવો પણ કમ નથી
ચારેબાજુ રંગીન લાઇટો હોય
તારોની જેમ તે જબૂગતી હોય
પલકોમા રંગો બદલતી હોય
ઍ સ્વર્ગથી શુ કમ છે?
સુંદર સજેલી સુંદરીઓ,
કમનીય કમરને હલાવતી હોય
અપ્સરાઑ આની સામે શુ?
તો ઍ સ્વર્ગ નહી તો શુ છે?
ભારત દેસાઈ
===============

Wednesday, November 23, 2011


તમે જો નરી આંખે દેખાતા માનવીઓને પ્રેમ ન કરી શકો તો, અદ્રશ્ય ઍવા ઈશ્વરને પ્રેમ કેવી રીતે કરી શકો?
"મધર ટરેસા"
આને શુ કહેવુ?
માનવો માનવોની ધર્મને નામેહત્યા કરે અને જીવતાને જલાવી દે
ઍ ધર્મ હોય તો અધર્મ શુ છે?
માનવો માનવોના શિર પુણ્ય નામે ઉડાડે, અને છાતિમા ચાકુ ચલાવે
ઍ પુણ્ય છે, તો પાપ શુ છે?
માનવો માનવોના ઘરો ન્યાયને નામે બાળે, અને ઘરોમા લૂંટો ચલાવે
ઍ જો ન્યાય છૅ તો અન્યાય શુ છૅ?
આ બધુ સાચુ માની માનવીઓ સ્વર્ગની આશા સેવે
અને ઍજ સત્ય હોય તો પાગલપન શુ છે?
ભારત દેસાઈ
-----------------------

Monday, November 21, 2011


ઍપલના સ્ટીવ જોબે આ દુનિયાની સકલ ઍમની અદભૂત શક્તિવડે બદલી નાખી છે. તેઓનુ થોડા વખત પહેલાજ કેન્સરની બિમારીથી મૃત્યુ થયુ. ઍમના મૃત્યુ સામેના યુધ્ધમા ઍમણે મૃત્યુ વિષે સુંદર લખ્યુ છે-
"મૃત્યુ ઍ જીવનની ક્દાચ સૌથી શ્રેષ્ટ શોધ છે. ઍ જીવનના બદલાવનો કાર્યવાહક છે. જે જુનાને સ્થાને નવો માર્ગ બતાવે છે."
આ કાવ્યમા મૃત્યુ ની નક્કરતાને સમજાવવા જ્ પ્રયત્ન કર્યો છે.
"મૃત્યુ શુ છે?
=======
અકેલા આવેલા અકેલા જવાનુ
અજાણ્યા માર્ગે છે વિહરવાનુ
નવજીવન અજાણી જગાઍ શરૂ કરવાનુ
જુના રસ્તાઓ ભૂલી નવે માર્ગે જવાનુ 
અકેલા આવેલા અકેલા જવાનુ
અજાણી  જગાનો ભય સતાવે સર્વને
ઍનો ઍહ્સાસ થતા રડાવે સર્વને
મૃત્યુતો નિસ્ચીત છૅ  જનમ સાથે
તૉ પણ પામર મનુષ્યો લડવાના ઍની સામે
અકેલા આવેલા અકેલા જવાનુ
ભારત દેસાઈ

Friday, November 18, 2011


આ શુ વિચિત્ર નથી?
==============
શેર માર્કેટ ખરાબ છે પણ લોકો ઍમા પડ્યા પાથર્યા જ રહે છે.
પૈસા ખરાબ વસ્તુ છે ઍમ ઘણા માને છે પણ લોકો પૈસા ભેગા કરેજ રાખે છે.
ઉચી જગ્યા પ્રાપ્ત કરનાર મનુશ્ય ઍકાન્ત જીવન જીવે છે. છતા લોકો ઉચ્ચ પદની ખ્વાહિસ રાખતા રહે છે.
દારૂ અને જુગાર સમાજમા સામાન્ય રીતે ખરાબ ટેવો મનાય છે તૉ પણ ઘણા લોકો ઍમા સંડોવાયેલા હોય છે
ઘણા ગરીબો સાયકલ ચલાવતા હોય છે પણ ઘણા પૈસાવાળાઓ કસરત રૂપે સાયકલ જેવા મશીન પર ચાલતા હોય છે.
ઘણા ગરીબો કામ કરીને ચરબી બાળતા હોય છે જ્યારે પૈસાદારો ચાલીને ચરબી બાળતા હોય છે.
--------------
સંસારમા પણ આવુ બનતુ હોય છે જે સમજાવુ મુશ્કેલ છે-
"મને સમજાતુ નથી કે----
મને સમજાતુ નથી કે આવુ કેમ થાય છે
વિચાર્યુ હોય કઈ અને અણધાર્યુ જ થઈ જાય છે
જીવનભર મારુ મારુ કરતા રહ્યા
અને પળમા બધુ ધૂળભેગુ થઈ જાય છે
હુ કોણ? હુ કરુ, મારાથી આ જગ ચાલે છે
ઍવા ભ્રમમા રહેનારા પણ પંચભૂતમા મળી જાય છે
મંદિરો, મસ્જિદો અને ગિરીજાગરો ભક્તોથી ચિક્કાર છે
તો પણ જગમા પાપોનો ભાર ક્યા ઑછો થાય છે
મને સમજાતુ નથી કે----"
ભારત દેસાઈ

Saturday, November 12, 2011


કુદરત પાસે શાંતિ, પ્રેરણા, અને અનોખો આનંદ પ્રાપ્ત થાય છે. કુદરતનીની નિર્દોષતા, અને નિર્મળતા આપણા જીવનને સૂ:ખીમય બનાવી દે છે. આથી જ આપણા સંતો અને ઋષીઓ ડુંગરો અને જંગલોમા ભમ્યાકરી આપણને જ્ઞાનનુ રસપાન કરાવતા રહ્યા છે. સંસારીઓેઍ પણ દુ:ખનાભારને ઑછો કરવા માટે કુદરતને શરણે થોડે થોડે સમયે જવુ જ -
મારે ભમવુ છે ડુંગરે અને હરીયાળી ખીણોમા
નદીઓના કોતરોમા તો પંખીઓના કલરવોમા
મારે કુદરતનો ખોળે રમવુ છે
જીવનના પરમ આનંદને માણવા.
મારે પવનના સૂંસવાટે થથરવુ છે
મેઘ અને વીજની જુગલબંધીને માણવી છે
જીવનના પરમ આનંદને માણવા.
મારે ભમવુ છે ડુંગરે અને હરીયાળી ખીણોમા
નદીઓના કોતરોમા તો પંખીઓના કલરવોમા
ભારત દેસાઈ

Thursday, November 10, 2011


જીવન ઍક સંઘર્ષ છે. ઍટલે ફૂલની પથારીતો નથી. છતા સ્વપ્ન જોયા વિના સંઘર્ષનુ દુ:ખ પણ ઑછુ થતુ નથી.
આથી લખ્યુ છેકે-
જિંદગી આ તે શુ કર્યુ, આનંદને બદલે આપી આંધીયા
વિચાર્યુતુ જીવનમા હશે પુરી મજા, વહાવશુ પ્રેમની નદિયા
પણ જિંદગી આ તે શુ કર્યુ, આનંદને બદલે આપી આંધીયા
વિચાર્યુતુ સ્વપનાઓ થશે સાકાર, અને ફૂલોથી ભર્યો હશે સંસાર
પણ જિંદગી આ તે શુ કર્યુ, આનંદને બદલે આપી આંધીયા
ભારત દેસાઈ
=========================

Tuesday, November 8, 2011


જીવનમા દરેકને પોતાની જન્મભૂમિ યાદ આવે છે. ઍની વિશેષતાઓ ઍમના હદયમા છવાયેલી હોય છે. કોણ પોતાના ઍ જન્મ સ્થળને પ્રેમ નથી કરતો? આ કાવ્યમા સ્થળની વિશેષતા સુંદર શબ્દોમા વણી લેવામા આવી છે.
ઍક બાજુ છે દરિયો, બીજી બાજુ નદિયા
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
નિતસવારે ને સંધ્યાકાળે મંદિરના ઘંટારવમા
દિન દુ:ખીને ધનવાનો પણ નમાવે મસ્તક જ્યા
ઍવુ મારુ ગામ સ્વર્ગ છે ઍનુ નામ
વર્ષામા નદિયાના પાણી હરીયાળી ચાદર ફેલાવે
વસંતે દરિયાની હવા ફૂલોની મહેકો ફેલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ભારત દેસાઈ
==============

Wednesday, November 2, 2011


ભગવાન બુધ્ધે કહ્યુ છે"તમે કોઈ પણ વસ્તુ સ્વીકારો નહી ત્યા સુધી ઍનાથિ દુખ થવાનુ જરૂરી નથી. તમે તમારા સુખ દુખ પ્રભુને અર્પી, તમારે નિરકારી થઈ જવુ. ઍમાજ તમને પરમ શાંતિ, સંતોષ અને સુખ પ્રાપ્ત થશે." આ કવિતાનુ ઍમાજ પ્રેરણા છે.
હરિ હુ તારે શરણે આવ્યો છુ
તારા આપેલા સુખ દુખને,
તુજ ચરણે ધરવા આવ્યો છુ
ભકતજનોને કાંટા ધર્યાં,
અને દુર્જનોને ફૂલમાળાઓ
તારી ઍ અજબ લીલાઓ સમજવા આવ્યો છુ
હરિ હુ તારે શરણે આવ્યો છુ
ભારત દેસાઈ
==========

Tuesday, November 1, 2011


1)જો ખોટુ કરશો તો અહિૈજ ભરસો
સ્વર્ગ અહી છે અનેનર્ક અહી છે
જેવુ કરશો ઍવૂ ભરસો
કોઈ ભરે શરીરની પીડાથી
તો કોઈ ભરે ગરીબીની વ્યથાથિ
સુખ સાયબી હોવા છતા
ધીમે મરસો મનની પીડાથી
જો ખોટુ કરશો તો અહિજ ભરસો
Bharat Desai
2)હવે ઍ બચપનની--
હવે ઍ બચપનની દોસ્તી ક્યા છે
સ્વાર્થ વગરની યારી ક્યા છે
પેલી નિર્દોષ લુચ્છાઈઓ ક્યા છે
નિમ બાબતમા થતી લડાઈઓ ક્યા છે
યુવાનિમા હવે ઍ દોસ્તી ક્યા
હુસાતુસિ અને અભિમાન હવે દોસ્તીમા
ઈર્ષા અને ઉંચનીચ પણ દોસ્તીમા
હવે ઍ બચપનની દોસ્તી ક્યા
ભારત દેસાઈ

Sunday, October 30, 2011


1)ભજન
========

“ભગવાન આપણી અંદર રહેલો છે એટલે હું ભગવાન છું. ‘અહમ બ્ર્હમ અસમી’આપણા પુરાણો કહે છે.”

એક ગુજરાતી કવી જાલન માતરી કહે છે.”ઋધ્ધાનો હો વીષય તો પુરાવાની શી જરુર છે, કુરાનમા તો ક્યાય પયગમ્બરની સહી નથી.” આ પ્રભુના અસ્તીત્વને લાગુ પડે છે.

==================================================================
હરી તને દેખુ—
————–
હરી તને દેખુ હર ચેતનમા,
હર પલ એક નયા રુપમા.
વાયુના સુસવાટે તારો સંચાર છે,
વીજળીના ઝબકારે તંુ તો દેઆય છે.
હરી તને દેખું—
હીમ શીખરોના સૌદયૌમા તું,
વહેતા ઝરણાના સંગીતમાં તુ.
કદી સામે આવે ગરીબીના રુપમા,
તો કદી દેખું, પીડાતા માનવોમાં.
હરી તને દેખું—
જીવનભર શોધ કરી તારી જગમાં,
જ્યાંરે તું બેઠોતો મારાં અંતરમાં
હરી તને દેખું—
ભારત દેસાઈ
===================

2)ગીત
=====

ભાભીના સ્નેહનો—

—————–
ભાભીના સ્નેહ્નો અનોખો છે રંગ,
સાતે રંગોમાનો કોઇ ન રંગ.
ભાભીના સ્નેહનો—
માતાનું વહાલ અને રાખીનો પ્રેમ છે,
મી્ત્રોની મીત્રતાનો ઍનામાં સુંગંધ છે.
દીયેર ભોજઈનો નીરમલ જ્યાં પ્રેમ છે,
જ્સોદા અને કાના જેવો એ સ્નેહ છે.
ભાભીના સ્નેહનો—

ભારત દેસાઈ

===================

3)કાવ્ય
=====

રામચરીત્રમા ભવભુતી લખે છેકે ‘બે વ્યક્તીના જયારે ર્હદય મળી જાય છે ત્યારે તેમાથી પ્રેમ અમીરસનુ ઝરણુ નીકળે છે.
મીર ઉરદુમા એવુજ કૈઇ કહે છે ‘મહુબતકી આતીશસે અખગર હૈ દીલ,મહુબત ન હોવે તો પથ્થર હૈ દીલ.’ એટલેકે ‘પ્રેમની આગથી હદયમા ચીનગારીઑ ઊઠે છે. પ્રેમ ન હોયતો હદય પથ્થર છે.’
================================
પ્રેમ એટલે-

———–

પ્રેમ એટલે આકર્ષણ નહી,

બે શરીરોનું મીલન નહી,

વાસનાઓનો એ મધપુડૉ નથી,
લંપટાતાને કોઇ સ્થાન નથી.
પ્રેમ એટલે—
બાહ્ય નખરાને એમાં સ્થાન ક્યાં?
સુન્દરતાતો એક અન્શ યહાં.
એકબીજા માટૅ મરવું એમાંપ્રેમ ક્યાં?
સ્વાર્થની બદબુ આવે છે એમાં.
પ્રેમ એટલે—
ધી હોમવાથી અગ્નિ સુગંધીત થાય,
તેમ સમયની સાથે પ્રેમ ગંથીત થાય.
એકબીજા વગર જીવન શુન્ય લાગે જયાંરે,
સાચો પ્રેમ થયો એમ સમજવું ત્યાંરે.
પ્રેમ એટલે—
ભારત દેસાઈ
===================

4)(ગરબો)
========
નીકળ્યાછે —
———–
નીકળયા છે આરાસુરના ડુંગ્રેથી મા,
પહોચ્યાં છે ગબ્બર્ને ગોખલે,
હાલોને માના દર્શન કરીએ.
નીકળયા છે—
ડોકમા ઝુલે છે નવરત્નનો હાર,
કાનના કુંડળઓ નાચે છે અપાર,
હાલોને માનું રુપ જોવા જઈઍ.
નીકળ્યા છે—
સુરજનીૅંૅં જેમ તેજ માનીૅ છે આંખ,
વાઘ્ની પીઠ પર માતો છે સવાર,
હાલોૂને માનું તેજ જોવા જઈએ.
નીકળયા છે—
એક હાથે ધરી ગદા બીજા હાથે ત્રીશુલ,
દુશટોને હણવા મા છે આતુર,
હાલોને માનું ભયંકર રુપ જોવા જઈએ.
નીકળયા છે—
ભારત દેસાઈ
==================================

5)(રાસ)
======
પુનમનો ચાંદલો —
———–
પુનમનો ચાંદલો બહું ગમે મને,
કાનાનો વાહલો બહું ગમે મને.
પુનમનો ચાંદલો—
જમનાને કીનારે,ગોપીઓને સન્ગે,
કાનાના રાસમા ચાંદનીને સન્ગે,
રમતોૂ જે ચાંદલો બહું ગ્મે મને.
પુનમનો ચાંદલો—
ગોકુલની ઝાડીઓમા ગોવાળો સન્ગે,
કાનાની લીલામાં હાજર ચાંદલીયો
કાનાનો સાથીડો બહું ગમે મને.
પુનમનો ચાંદલો—
દ્વારીકાના મહેલોમા રાણીઓને સન્ગે
રાસ રમતા કાનાનો સાથીડૉ ચાંદલો,
વારે વારે જોવાનોૂ બહું ગમે મને.
પુનમનો ચાંદલો—
ભારત દેસાઈ
==========================

6) હળવુ હાસ્ય
========
A)મારા મરણ પર તમે આન્સુ ન બહાવસો
મારા મરણ પર દોસ્તો ગમ ન કરશો
મારી યાદ આવે તો સીધા ઉપર જ આવજો.

========================

B)જીવનમા જશ નથી
પ્રેમમા રસ નથી
હુ વીચ્ારુ છુ બેઠો બેઠો
કે મારા સીવાય આ ખાડામા કેટલા પડૅ છે?

=======================

C)બોલયા કરે એ મૈતરી
ચુપ રહે એ પ્રેમ
મીલન કરાવે એ મૈતરી
જુડાઇ સટાવે એ પ્રેમ
હસાવે એ મૈતૃરી
રડાવે એ પ્રેમ
તો પણ લોકો મૈત્રી ંમુકીને કેમ કરે છે પ્રેમ

=========================

સંતનો સમાગમ લાભ કારક હોય છે.

——————————-
7)કાવ્ય

======

કાવ્ય પર આદીલ મન્સુરીૅ કહે છે
‘જન્જીરમા ખુશબુ કદી જકડાય નહી
રેતીથી સરીતા કદી બાન્ધી ન શકાય
આદીલ એ દીશામા તમે કોશીશ ન કરો
શબ્દોમા કવીતા કદી બાન્ધી ન શકાય.
=========================
(હીમાલયમા યુધીશથીર એકલા પડી ગયા છે. બધા બન્ધુઓ બરફમા ઓગળી ગયા છે. એમની સાથે એમનો શ્વાન છે. એ વીલાપ કરતા કરતા સ્વ્ર્ગને દ્વારે પહોચે છે.)

હીમાલયની નીરવ શાંતીંંમા–
===================

હીમાલયની નીરવ શાન્તીંમા ધર્મરાજ આન્સુઓ વહાવે
કુદરત પણ વીલાપ કરે, ભાંડૂઑના વીરહમાં
સામે સ્વર્ગ દ્વાર છે, દ્વાર્પાલ આવકારે છે.
એમને માટૅ આવકાર, પ્ણ ઍંમનાં સ્વાન માટે નકાર છે.
હીંમાલયની નીરવ શાંતીંમાં——-
દ્વારપાલને યાચના કરે છે.
———————–
સારું જીવન રહ્યો છે સાથે, મોતમાં પણ ઍનો સાથ
એને રઝળતો મુકીને ના આવું, તારે દ્વાર
એનો જો સાથ નહી તો તારુ સ્વરગ તુંછ્છ છે,
દ્વારપાલને આવી દયાને સ્વાનનો પણ થયો ઉધ્ધાર.
હીમાલયણની નીરવ શાંતીમાં—-
ભારત દેસાઈ
===================

“બચપણની નીર્દોશતા લુચ્ચાઈ જેવી બાબતમાં પડતી નથી પણ યુવાની ઘણીવારંં લુચ્ચાઈંમાં પડી જવાથી ઍને નીરદોશતા સાથે સબંધ હોતો નથી.”
=============================================
8)ગીત
===
બચપણ તારી યાદ સતાવે
મીઠા મીઠા સ્ભારણાઑ લાવે
ભીરુઓ સાથેની ધમાચકડીઓ
ભાઈબહેનોની નીર્દોસ રમતો
તેમા થતી થોડી ઇન્ચાઈઑની
ંમીઠી યાદો સતાવે
બચપણ—-
લગાવતા પતં્ગોની પૈચો
મેદાનોમા પતંગોની લુંટો
દોડ્તા દોડતા છોલાતા અંગો
એની હજુ યાદો આવે
બચપણ—-
ભારત દેસાઇ
================

9)ગુજરાત
=====
ગુજરાતની ધરતી કર્ષણ,્ સુદામા,નરસીંહ મહેતા,મીરાં,દયાનંદ સરસ્વટી,વીવેકાનંદ અને ગાંધીજી જેવાં મહાન માનવોની પુણ્ય ભુિમ છે. અહીએ રાખેંંગાંર અને િસ્ધ્રાજ જેવા વીર રાજવીઓં પાક્યાં છે. એની સમરુધી અને ખ્યાતી સાત સાગરો પાર પ્રસરેલી છે. એવા ઇિતહાિસક ગુજરાતની વાત છે.
========================

ઍવુું રુપાળુ ગુજરાત
=============

પસ્ચીમેે ઘુંઘવતો સાગર
પુર્વે ગીરીંમાળાઓ છે
એવુંું રુપાળુ ગુજરાત
જ્યાંસ્વરગમય દીનરાત છે
એવું—
બનાસ, સાબરમતી વહે ઉત્તરે,
મધ્યે દેવી નરમદા અને મહી
દક્શીણે તાપી અને અંમ્બીકા
પાથ્રી છે લીલીછમ જાજમો અહી

એવું—
નરસીંહના પ્ર્ભાતીયાઓથી
જ્યા સુંર્યોદય થાય છે
ક્રષ્ણ્ અને ગાંધી સુધીની ગાથાઓ
રાત દીન સંભળાય છે
એવું—
અમેરીકાથી જાપાન સુધી
સારા વીશ્વે ગુજરાતીઑ વસે
સ્મરુધીની રેલમછેલ થકી
ગુજરાતીઓ ઝોળીઓ ભરે
ઍવું—
પરદેશે પર્વતો અને સાગરો છે
ભવ્ય નદીયા અને ફુલોની બગીયા
તો પણ ગુજરાતીઓ ઢુંઢે શું?
મુલકની સુગંધીત માટી ક્યાં?
એવું—
ભારત દેસાઈ
=================

10)શાયરી
=======

(યુવાની અને બુંઢાપાનો ટકરાવ સામાન્ય રીતે થાય છે, પરંતુ ઍના સુમેળમાં જ માનવોનું કલ્યાણ છે.)
બુંઢાપાના ખ્યાલથી-
બુંઢાપાના ખ્યાલ્થી જવાની થથરી જાય છે,
જેમ પીળા પાંદડાઓ આખરે સુકાં થઇ જાય છે.
જવાનીની ંંમસ્તીમા જુવાની ભુલી જાય છે,
કે બુંઢાપો એની મસતીને મસળવા રાહ જોતો હોય છે.
બ્ંઢાપાના ખ્યાલથી-
જવાની બુંઢાપા પર હસ્યાં કરતી હોય છે,
એનેે ખબર નથીકે બુંઢાપાનુ અંિતમ હાસ્ય હોય છે.
જવાનીંમા જોસ હોયતો, બુંઢાપાનો અનુભવ છે,
બ્ન્નેના સુંમેળમા જ સ્ંખ શાંિત્ હોય છે.
બુંઢાપાના ખ્યાલથી-
ભારત દેસાઈ
===============

11)(કાવ્ય)

========

કોઇ એક જીવ બતાવો જે પોતાની માને પ્રેમ નથી કરતો? અરે મા તરફ બેદરકાર પણ્ ઍના મોત બાદ એના વગર ઝુરતા હોય છે. કંઇ નહીતો એના નીશ્વાર્થ પ્રેમને યાદ કરતા હોય છે. માની બાબતમા અહેમદ મકરાની કહૅ છે “અચાનક ફ્રીથી જ મા યાદ આવી, બધાએ દરદની દવા યાદ આવી”
=================================================================
ંંમા તે—
મા તેે પાપા પગલી ભરતા શીખવ્યું
જીવન યુધ્ધમાં જીવતા પણ શીખવ્યું
તારા ઋઉણ્ને ન કરી શકાય અદા
કોઇ કરવા જાય તોે મુરખ કહેવાય અહા
મા તે—
પુત્રને વાગે શરીરેતો, લોહી નીકળે માને
સદા આપતી રહે, પણ કદી કંઇ ના લે
સર્વને ખબર છે પ્રેમની ઍ ભુખી
એ પણ ન આપોતો, યાદ કરી રહો દુખી
ભારત દેસાઈ
============================================

12)ગીત
======
આપણામા કહેવત છેકે’આશા અમર છે.’ આશા વગર સફ્ળતા મળવી ંમુશ્કેલ છે. નીરાશામા માનવી મોત માટે રાહ જોતો થઈ જાય છે. આશાવાન માણસ સ્વપ્ન જોતો થઈ જાય છે અને સ્વપ્નમાથી કઈક નવીન સરજન થાય છે. નવસરજન એજ પ્રગિતનું િચન્હ છે.માટૅ માણસે આશા છોડવી ન જોઈએ.
===================================================================================
અાશાની પાંખે —
આશાની પંાખ જીવવું છે મારે
કલ્પનાના ખોળૅ ને ઋધધાની આંખે
આશાની પાંખે—
પ્ંખી બનીને ધુંમુ આકાશે
માછલી બનીને હું િવહરું સાગરે
જાવનના ગમને સંભારવા ન મારે
ગ્મના બોજે મરવું શાને?
આશાની પાંખે—
ઉચાં શીખ્રો પર બેસીને મારે
ધ્રતીનું સૌદર્ય જોવુ છે મારે
કાળા ખ્ડ્કોને ભુલીને મારે
નીચે હરીયાલ જોવી છે મારે
આશાની પાંખે—
ભારત દેસાઈ
=================

૧૩)શાયરી
=======

માણ્સનો અહમ સ્ત્તા, ધર્મ,અને ધન દ્વારા બીજાઓ પર આિધપત્ય જમાવે છે. અને એ બધા જં દુષણોના મુળમાં છે.
==========================================================================
એક પર બીજાનું વર્ચસ્વ, એ સત્તાની જાળ છે,
નબળા પર બળવાનનું સામ્રાજ્ય, સત્તાનો પ્રભાવ છે.
ધનવાનોની ધનલીલામા કેટલાએ લલચાઇ જાય છે,
સારા નરસાનું ભાન ભુલી,લક્સ્મીને શરણે થઈ જાય છે.
ધરમ ગુરુઓના ફતવાઓમા,ધર્મગ્રનથોનું તો ફક્ત નામ છે,
ધરમને િનજ સ્વાર્થે મચડી, અસત્યને સત્ય બતાવાય છે.
બધાં શોષણો, અને દુષણૉમા, ધન,ધરમ, કે સત્તા હોય છે.
કોઇ પણ વસ્તુનો દુરઉપીયોગ, સર્વ નાશ્નું મુળ છે.
ભારત દેસાઇ
==================================

૧૪)ગીત
======
માધવ તારી આંખોમાં—
ંમાધવ તારી આંખોમાં આંસુંઓ દીઠાં અપાર
માનવોએ મુંકી ંમાનવતાને,તુ ્ધણો લાચાર
માધવ તારી આંખોમાં—
ધોળૅ િદવસે રસ્તા ઉપર અબળાઓ લુંટાય છે
રાત્રીઓના અંધકારમા કેટલાયે દેહો ચુંન્થાય છે
દુર્જનોનાં રાજ ચાલેને, સજ્જનો ધરમાં થથરે છે
હદસે્રુષ્ટોની વાહ જોઇને, ધ્રમ બીચારો કંપે છે
માધવ તારી આંખોમાં—
ક્યાં લગી તું જોતો રહેશે, આવા પાપાચાર?
ક્યાં લગી સહતો રહશે, આવા દુરાચાર?
હવે તો પારથ્ને કહી દેકે ચઢાવે એના ધનુષબાણ
ૈવીધીં નાંખે પાપીઓને, સ્થાપવા ધર્મત્ણો આચાર
માધવ તારી આંખોમાં—
ભારત દેસાઇ
================================

માણસ ગમે એટલો કાબેલ હોય, ગમે એટલો મહેનતુ હોય તો પણ અસફળ થાય છે. ત્યાંરે એને એની મર્યાદાઓનું ભાન થાય છે. એ મર્યાદાઓ જ એને પર્ભુના અસ્તીત્વનો સંકેત આપે છે. તો કિવ હદય શું કહે છે?
==============================================================
15)કાવ્ય
====
પર્વતો બનાવીને ઇશવ્રે માનવોને પડકાર્યંા છે,
સાગરો બનાવીને એની મર્યાદાઓ બતાવી છે
મગરમચ્છની જેમ દોડતી નદીઓ બનાવીને,
માનવોની ગિતને પડકારી છે

િેવજળીના કડાકાઓની ભયંકરતામાં,
એણે માનવવોના ઉન્માદઓને બ્રેક લગાવી છે
જંગલની િનરવ શાંતીમા જંગલી જાનવરો બનાવીને,
માનવોની જંગલીયાત તરફ એક ઇશારો છે
ભારત દેસાઇ

================================

૧૬(કાવ્ય) આ કાવ્ય એક પરદેશી ગુજરાતીની વતન પ્રેમથી લાગણીનુ પ્રતિબિમ્બ છે

==========================================

ક્યા છે?

અહી ભવ્ય ડુગરમાળાઓ છે,

અને નદીઑના નિર્મળ નીર છે.

પ્રભાતને સોનેરી કિરણૉ સજાવે અહા,

રુપેરી ચાન્દનીની પણ મઝા છે.

ખરેખર કુદરત આફરીન અહા!

પણ ગુજરાતની માટીની મહેક ક્યા?

ફલફુલોથી લચતા બગીચાઓ છે,

અને પન્ખીઑના કલરવ પણ છે.

મદમસ્ત આવરણ સર્વત્ર અહા!

પણ ગુજરાતની સુગન્ધી હવા ક્યા?

બરફી ટૉચો લાગે હીરાનો હાર,

લીલીછમ હરિયાળી ખીણો અહા.

સ્વર્ગ પ્રુથ્વી પર આવ્યુ જાણૅ!

પણ નરમદાના નીર ક્યા?

અહીએ ભલે બધે સ્વર્ગ હોય,

પણ ગુજરાતના પેલા માણસો ક્યા?

ભારત દેસાઇ

==============================

૧૭)(લેખ-મારી મા)-૨૦૦૯-’મધરસ ડૅ’-નિમીત્તે

==========
મારી માનુ નામ કમુબહેન હતુ, પણ સાસરામા એને શાન્તાબહેન નામ આપ્યુ હતુ. તે સુદર,સરલ અને પ્રેમાળ હતી. તે બહુ ભણૅલી ન હતી પણ એનામા સ્થળ અને સમય સાથે સમન્વય સાધવાની અનોખી આવડત હતી.
મારો જન્મ વલસાડમા થયો પણ મને કરાચી લઈ ગઈ હતી. તે વખતે મારા પિતા સીન્ધમા સક્કર બેરેજ પર કામ કરતા હતા. હુ દોઢ વરસ હતો ત્યારે મારી માસી મને વલસાડ મારી નાની પાસે લઈ આવી હતી. દોઢથી દસ વરસ સુધી હુ માના પ્રેમથી વન્ચિત રહ્યો. મને યાદ છેકે એ મને લેવા આવી ત્યારે મારા આખા શરીરે પ્રેમથી હાથ ફેરવી બોલી હતી”દીકરા તુ તો એક્દમ લેવાઇ ગયો છે.” એના પ્રેમે મારા વરસોની એના વિરહની પ્યાસ બુઝાવી દીધી હતી.
મારી મા અન્યાયો સામે લડનારી અને ભય રહિત સ્ત્રી હતી. સયુક્ત કુટુબમા તે અન્યાયો અને આત્મસન્માન માટે ઝઝુમી હતી. ઍ અમારે માટે પ્રેરણા દાયક ગુણો હતા. તેને અવગુણૉ માટે તીરસ્કાર હતો. ચોરોને અને લફન્ગાઓને પકડી એને સજા કરાવતા મે જોઇ છે.
માનવ સબન્ધોમા તે નિપુણ હતી. અમારા ઘરમા ધાર્મિક પ્રસન્ગો, અને દાવતોઑની પરમ્પરા ચાલુ રહેતી. કુટુમ્બિક મિત્રોની મુસીબતોમા તે એમની પડખે રહેતી. આથી સબન્ધો ગાઢ રહેતા.
તે ડાયાબીટીસ, હદય બિમારીઓથી વરસોથી પીડાતી હતી પણ એના રોજીલા જીવનમા કઇ ફરક પડતો ન હતો. એકવાર એને હાર્ટ એટેક હતો અને અમે બધા કુટુમ્બીજનો એની જીવવાની આશા ગુમાવી બેઠા હતા ત્યારે એણે કહ્યુ” હુ ઘરે પાછી આવુ છુ. તમે નાહક્ની ચીન્તા કરો છો” આજ એની આત્મશક્તિ બતાવતી હતી.
આત્મશક્તિનો એ ધોધ હતો.
મારા પિતાના મ્રુત્યુ બાદ એણે કહ્યુ ” હવે હુ બહુ જીવવાની નથી” એની મરણૉત્તર ક્રિયાની સુચનાઓ પણ આપવા લાગી હતી. ઍના છેલ્લા દિવસો કાઢવા તે મારી સાથે રહેવા આવી હતી. ‘ભયલા હવે વધારે જીવવાની નથી’ એમ કહ્યુ ત્યારે મને લાગ્યુ કે એણૅ જીવવાની ઈચ્છ ગુમાવી દીધી છે. એની આત્મશક્તીનો અન્ત આવ્યો છે. મે લાગણી સભર એને કહ્યુ ‘ તુ હવે અમારા માટૅ જીવશે. હવેના બધા દિવસો અમારા છે.’આખરે એની ઇચ્છા મુજબ એણૅ આખ મીચી દીધી. એ જીવી અને મરી એની મરજી મુજબ!
અમને આત્મસન્માન અને ભયરહિત સન્સ્કારી જીવન જીવવાની પ્રેરણા આપતી ગઈ. ઘણીવાર આત્મશક્તી માણસના શરીર પણ વિજય મેળવી લે છે એ મારી માના જીવનમાથી જ શીખ્યો છુ.
————————–

Comments (1)
85 queries. 2.263 seconds.