Wednesday, August 10, 2016


મિત્ર
                                                                                                મિત્રતામા પ્રેમ, લાગણીઓ, ઍક્બિજાને માટે સન્માન અને સારા ખરાબ દિવસોની યાદો સમાયેલી હોય છે.  ઍ સબંધ લોહીનો નથી હોતો પણ તેનાથી પણ ગાઢ હોય છે. ઍમા ભૂતકાળ અને વર્તમાન હોય છે અને ઉજ્જવળ ભવિષ્યની અભિલાષાઑ પણ ગુથાયેલી હોય છે. મિત્રોની મળો  ઍટલે આનંદ થાય અને આ દુનિયામાથી ગુમાવેલા મિત્રો માટે વિષાદ થાય. દરેકના જીવનમા સમય અને સંજોગો સાથે મિત્રો આવે છે અને દૂર  થઈ જાય છે પરંતુ ઍમની યાદો તો જીવનમા હમેશા જોડાયેલી રહે છે,
                                                              મારા મિત્રોને યાદ કરુ ત્યારે બાળપણના મિત્રોની મીઠી યાદો હજુ સતાવી રહી છે. પતંગની તહેવારમા પતંગો ઉડાવવામા અને કપાયેલા પતંગોની લુટ તો અમે મિત્રો સાથે કરતા. ઘણીવાર હાથ અને પગ પણ છોલાઇ જતા પણ ઍ વખતને હજુ ભૂલાઇ જવાય ઍવો નથી.  ઍ મિત્રો  ક્યા ગુમ થઈ ગયા ઍ સમજાતુ નથી પરંતુ છોલાયેલા શરીર પરની નિશાનીઑ ઍમની યાદ ભુલાવા દેતા નથી. નાનપણમા ભમરડા, લખોટા અને કોડીઓની રમતોના સાથીઓમાના  કેટલાક તો આ જગતમા રહયા નથી.  તે છતા અમારી  નિર્દોષ રમતો ઍ મિત્રોની યાદો ભુલવા દેતી નથી. ઍ બધા મિત્રો સાથે લોહીનો કોઈ સબંધ ન હતો પરંતુ અમારી નિર્દોષતા ભર્યો પ્રેમ જ અમારી યાદો છે. મને જ્યારે તક મળે ત્યારે ઍ જ્ગ્યા પર જઈ ઍમની યાદ તાજી કરુ છુ પરંતુ કમનસીબે ઍ લોકો કે જગ્યા પણ હયાત નથી.  કહેવાનુ ઍટલૂ જ છેકે મિત્રોની મિત્રતા હજુ જીવીત છે.
                                                               અમારા  શાળાના મિત્રોમાથી ઘણાને સંજોગોવસાત મળવાનુ થતુ નથી પરંતુ ઍમાનો  ઍકાદ મિત્ર ગમે ત્યા મળી જાય તો બીજા મિત્રોને પણ યાદ કરી લઈ  અમારા ભૂતકાળને  વાગોળીઍ છીઍ. પરંતુ શાળાના અને કૉલેજેના મિત્રો વખતની સાથે જરા બદલાઈ પણ જાય છે. જીવનની કઠણાઈઑ, તેમની સિધ્ધીઓમા મિત્રતાને તોલવા પ્રયત્ન કરતા હોય છે. તે વખતે  સમજદારી અને ઍક્બિજાને સાચવવાની  તૈયારી મિત્રતાને ટકાવી રાખે છે.' ઍક મિત્રેતો નિખાલસતાથી ક્હ્યુ કે ' સંજોગોઍ ઍના સ્વભાવ અને વિચારોને બદલી નાખ્યા છે. આથી મિત્રતા જાળવવા ઍક બીજા સાથે સમજૂતીથી વર્તવુ પડશે.' ઍમા કદાચ  ઍનો અહમ કે માનસિક સ્થિતિ પણ પ્રવર્તતી હોઇ શકે પરંતુ  મિત્રતાનો ઍમા શો વાંક?  અમારી પરિપક્વતાઍ  અમારી મિત્રતા ટકાવી રાખી છે, અમે બધુ છોડીને અમારામા જે સમાનતા બચી છે ઍના પર અમારી મિત્રતા હજુ મજબૂત ટકી રહી છે. ઘણા લોકો કૃષ્ણ અને સુદમાની મૈત્રી યાદ કરી દુખી પણ થઈ જાય છે  પરંતુ  ભૂતકાળની સુઃખદ યાદો અને ભવિષ્યની ઉમદા મૈત્રીને ટકાવી રાખવા પ્રયત્ન કરવો જોઇઍ, ઍજ મીત્રને હૂ ઍજ શહેરમા હોવા છ્તા સંજોગો વસાત ન મળી શક્યો તો નાના બાળકની જેમ ખરાબ લાગ્યુ હતુ.  મારી બિમારી દરમિયાન ઍજ મિત્ર  મને ભાવતી વસ્તુઓ લાવતો રહેતો.ઍજ અમારી પ્રેમ ભરી મિત્રતાની નિશાની હતી. આથી મિત્રતા હોવી ઍ અગત્યનુ છે પરંતુ ઍને ટકાવી રાખવી ઍ વધારે અગત્યનુ છે.  અત્યારે ઍક વા ચાલે છે કે ' સગા વહાલા નથી પણ મિત્રો વહાલા બની રહે છે'
 ઍમા મિત્રતા અગત્ય  પાઠ ભજવે છે.

                                                                                  મારા કોલેજના મિત્રો  સાથે હમે વર્ષો સુધી મજાઓ અને મસ્તી કરતા રહેતા. બેજવાબદારી ભર્યુ, ઉચી અને કાલ્પનિક મહત્વાકાંશાવાળુ જીવન હમેશા ઘણુ  સારુ લાગે છે. મિત્રો સાથેની મજા મસ્તી પણ યાદ આવે છે.પરંતુ બધા મિત્રો  પોતપોતાની  જીવનની  ઘરેડમા પડી જાય ઍટલે મિત્રતાને યાદ કરવી  મુશ્કેલ થઈ જાય છે. તે છતા મળવાનુ થાય ત્યારે પેલી મજાક મસ્તીની કથા ચાલુ થઈ જાય છે. ઍને વાગોળવામા મજા પણ આવે છે. અમારા ઍક સૉલિસિટર કોલેજ મિત્ર તો હમેશા કહેતા કે ' જીવનમા ફરિયાદો કરવાની નહી અને મોઢુ હમેશા હસતુ રાખવાનુ.'  પરંતુ ઍનુ પોતાનુ મોઢુ જ હમેશા ગંભીર રહેતુ. અમે ઍની મજાક કરી આનદ માનતા. અમને ખબર હતીકે કૉલેજ પછી મળવાનુ ઑછુ થશે ઍટલે બધા મિત્રો મળીને મહાબળેશ્વરની મજા માણી હતી. તેને પણ અમે યાદ કરીને વાગોળીઍ  છીઍ.
                                                                          ટુંકમા મિત્રતા ઍ જીવનમા ગણી અગત્યની ભેટ છે ઍને જીવની જેમ સાચવવી જોઇઍ. ઍ પણ જીવનની અમૂલ્ય  મુંડી છે. ઘણીવાર ખરાબ માણસ પણ પોતાના મિત્રને નુકસાન કરતા વિચાર કરેછે અને સારા મિત્ર પોતાના મિત્ર માટે ઘણુ  નોચ્છાવર કરી દે છે. સારા મિત્ર મળવા ઍ પણ નસીબની વાત છે.
                   " સારો મિત્ર  ઍછેકે -
                      તમારા ભુતકાળને સમજી શકે,
                      તમારા વર્તમાનને સ્વીકારે.
                      તમારાભવિષ્યમા વિશ્વાસ છે.
                                    *************************************

Sunday, August 7, 2016


સ્વતંત્રતા
                                                                                          ભારતનો  સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઑગસ્ટના દિવસે આવે છે અને ઍ 70 મો સ્વાતંત્ર દિવસ હશે. આપણે સ્વતંત્રતો થયા છે પરંતુ માનસિક રીતે સ્વતંત્ર નથી થયા. આથી આપણે  બાહ્ય રીતે દેશભક્તિ તો બતાવીઍ  છીઍ પરંતુ આપણા રગેરગમા દેશભક્તિ કેટલી વહે છે ઍ શંકાની બાબત છે. શંકા ઍટલા માટે થાય છેકે ઍક દેશના નાગરિક તરીકે આપણે કેટલા જવાબદાર છે ઍ ચર્ચાનો વિષય છે.
બેજવાબદારીના ચિંહો આપણી સામાજીક જીવનમા દેખાઈ રહ્યા છે. ચારે બાજુ ગંદકી, અને પાનની પિચકારીઓના ચિતરામણ સામાન્ય વસ્તુ બની ગઈ છે.  કાયદાઓ પાળવા પ્રત્યેનો અભાવ, અને કાયદાઓના ચુગાલમાથી કેવી રીતે ભ્રષ્ટાચાર દ્વારા નીકળી જવાની વૃતિ હવે સામાન્ય વસ્તુ  બની ગઈ છે. ઍ ઉચ્ચ નાગરિકતાની નિશાની નથી, સામાજીક જીવનમા ચરિત્ર, અને નીતિમત્તાને મહત્વ કરતા પૈસા અને સત્તાને વધારે મહત્વ આપવામા આવે છે. આથી ભ્રષ્ટાચાર અને અનીતિ વધી ગઈ છે.  આપણને સ્વતંત્રતા તો મળી ગઈ પરંતુ લોકો સૂરાજ્ય માટે  વલખા મારી રહ્યા છે. જેવુ રાષ્ટ્રનુ ચરિત્ર ઍવુ રાજ્ય બની રહયુ છે. સારા માણસો પર રાષ્ટ્ર ચાલે છે પરંતુ ઍ અપવાદ ન હોવુ જોઇઍ.થોડા નહી પણ બહુમતી લોકો સારા બને ત્યારે જ રાષ્ટ્ર ઉપ્પરઆવે ઍવા દાખલાઓ પણ મોજુદ છે.  આથીગાંધીજીનુ  સૂરાજ્ય  ભારતમા હજુ આવ્યુ નથી. ઍના અનુસંધાનમા સ્વાતંત્ર સૈનિકોની વેદના દર્શાવતી થોડી પંકતીઓ-
કેવી રીતે મળી સ્વતંત્રતા---
કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો આજ ખ્યાલ ન આવે
કેટલી માતાઓના ખોળા થયા સૂના ઍનો ખ્યાલ ન આવે
તમને મળી આબાદી, પુરી કરવાની બધી ખ્વાવિશ
ઉચા મસ્તકે ફરવાની ખુમારી ક્યાથી આવી તેનો ખ્યાલ ન આવે?
કેવી રીતે મળી સ્વતંત્રતા---
પરતંત્ર હતા તો મૂંગે મોઢે અન્યાય સહન કરતા હતા
સ્વતંત્રતાને કારણે  અનાચારીઓ ખુલ્લા પડી રહયા આજે
દેશનુ નામ રૉશન કરવાની હોશ ક્યાથી આવી?
 કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો  ખ્યાલ ન  આવે
કેવી રીતે મળી  સ્વતંત્રતા ---
લાખો લોકોની નિશ્વાર્થ કુરબાનીઑ સાથે કેટલી જિંદગીઓ બરબાદ થઈ
જેલની કાળી કોટડીઓમા કેટલી જિંદગીઓ વીતી ગઈ
ત્યારે આ મહામૂલી સ્વતંત્રતા મળી
ઍનો આજે ખ્યાલ ન આવે
કેવી રીતે મળી સ્વતંત્રતા---
ભારત દેસાઈ
                                             *************************************

Thursday, August 4, 2016


નેહરુ વંશાવળી અને લત્તે લત્તે નામાવલી
                                                             નરેન્દ્ર મોદી  સત્તામા આવ્યા ત્યાર થી ઍક સુત્ર  જોશમા અમલમા મુકવામા આવ્યુ છેકે કોંગ્રેસ વિહીન ભારત. આમતો કૉંગ્રેસ ઍટલે અત્યારે તો નહેરૂ કટૂંબ જ સામે આવે છે.  આમ પણ જુઓતો કોંગ્રેસે નેતાગીરીમા તો  દેવાળુ કાઢેલા જેવી સ્થિતિ છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી જેવી મૉટી માછલીઑને  કોંગ્રેસ નામના તળાવ માથી કાઢીલો તો બધી સત્તા ભૂખી બાકીની માછલીઓ આપો આપ જ મરી જાય અને  બીજા કોઈને કઈ કરવાનુ ન રહે. ઍટલા માટે કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ  નહેરૂ વંશની જ ગુણ ગાથા ગાયા જ કરે છે.
                                                                મોદિજી માટે બે મુશ્કેલ વસ્તુઓઍ છેકે હજારો નેહરુવંશના નામો હટાવી દેશના બીજા યોગ્ય  નેતાઓને પણ  સ્થાનો, પુલો, રસ્તાઓ, ઍરપોર્ટ, પોર્ટ, અને શિક્ષણીક સંસ્થાઓમા નામ જોડાવી તેમને ન્યાય અપાવવો. અને બીજુ કાર્ય  નહેરૂ વંશે વર્ષોના તેમના રાજ્ય દરમિયાન તેમના માણસોને અગત્યના સ્થાનો પર બેસાડી દીધા છે ઍની જગ્યાઍ પરિવર્તન માટે બીજા યોગ્ય માણસોને બેસાડવા. આ બંને વસ્તુઓનો અમલ કરવા જતા ઍમની સામે વિરોધ અને કોલાહલ નો સામનો કરવો પડે છે.
                                                                ગાંધી અને સરદારનુ નામો ગણાય ઍટલી જગ્યા ઍ હોઈ શકે પરંતુ નેહરુ વંશની નામાવલી ગણવી પણ મુશ્કેલ છે.  મુળમા તો ભારતના ઇતિહાસના મોટા નામો જેવાકે શિવાજી, રાણા પ્રતાપ, લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગૉર, કસ્તુરબા, આંબેડકર, રાની લક્ષ્મીબાઇ, મૌલાના આજાદ જેવાને પણ અન્યાય થયો હોય ઍવુ લાગે છે.
                                                               નહેરૂ ગાંધી વંશના નામ પર-
૧) ૬૦૦ સરકારી યોજનાઓ
૨) ૯૪ શિક્ષણિક  સંસ્થાઓ અને વિશ્વ વિદ્યાલયો
૩) ૫૧ અવૉર્ડ ઑ
૪) ૩૯ આરોગ્ય કેન્દ્ર, અને હોસ્પિટલો
૫) ૧૫  સ્કૉલરશિપો
૬) ૧૫ રાષ્ટ્રીય, અન આંતર રાષ્ટ્રીય  મ્યુસિયમો
૭) ૬૮૬ જિલ્લાઓમા, અને ૭૧૫૭ શહેરોમા  ઑછામા ઑછી ઍક સોસાયટીઓ નહેરૂ/ ગાંધી વંશના નામ સાથે સંકળાયેલી છે.
                                                                 આ આંકડાઓ પરથી નથી લાગતુ કે ક્યાક્  કેથે અતિરેક થઈ ગયો છે.
                                           *****************************************