Tuesday, September 13, 2016


આજ અને કલ
                                                                                               ભારતને સ્વતંત્રતા ૧૯૪૭ મા મળી ત્યારની પરિસ્થિતિ અને  આજની પરિસ્થિતિ જોઈઍ તો જમીન આસમાનનો  ફરક છે. ૧૯૪૭મા જે લોકોની આંખમા ચમક હતી તે હવે નિસ્તેજ થઈ ગઈ છે. ઍમની આશાઓ  કારમી મોંઘવારીથી  રોળાઈ ગઈ છે. રૂપિયાનુ અવમુલ્યન થયુ છે જે કારણે જીવન જીવવુ મુશ્કેલ બન્યુ છે. ગમે તેટલા પગારો વધે પણ મોંઘવારીને કારણે બે હાથો મળવા મુશ્કેલ બન્યુ છે. ગરીબો માટે તો જીવન વસમુ થઈ ગયુ છે. ઍક પછી ઍક આવેલી સરકારો ઍ પ્રગતિની અન વિકાસની વાત કરી મોંઘવારીને ઘટાડવાની વાત પર બેદરકારી દાખવી છે. ઍમા જ્નતા પાર્ટીની સરકારે ભાવો નીચે લાવવા પ્રામાણિકતાથી પ્રયત્નો કર્યા હતા અને ઍ વખતે જીવનની જરૂરીયાત વસ્તુઓના ભાવ નીચે લાવવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. અત્યારે મોંઘવારીનો દર ૫.૦૫ % છે તેમા આંકડાઓની કેટલી માયા જાળ છે ઍનો  ખ્યાલ નથી.
                                                          આજે શુ પરિસ્થિતિ છે ઍનો ખ્યાલ  ૧૯૪૭ અને આજના ભાવોના આંકડાઓ જોતા ખ્યાલ આવી શકે છે. ૧૯૪૭ મા ૧ ડોલર નો અને ૧  રૂપિયાનો ભાવ સરખો હતો પરંતુ અત્યારે ૧ ડોલરનો ૨૦૧૬ નો ભાવ રૂપિયા ૬૭ છે. ૧૯૪૭મા સિનેમાની સસ્તામા સસ્તી ટિકેટ ૪આનામા મળતી આજે ઍજ ટિકેટ ૧૫૦ થી ૩૦૦ રૂપિયામા મળે છે.  ૧૦ગ્રામ  સોનુ ૧૯૪૭મા ૮૮/૬૨ રૂપિયામા મળતુ તે ૨૦૧૬મા હજારો રૂપિયામા વધ્યાજ કરે છે, ૧૯૪૭ મા ક્લાર્કનો પગાર ૩૦ રૂપિયા માસિક હતો તે  માસિક રૂપિયા ૨૫૦૦૦/- પર પહોચી ગયો છે તે છતા લોકોને સંતોષ નથી. જે વેજિટેબલ થાળી ૧૯૪૭મા ૬ આનામા મળતી તે જ થાળી ૨૦૧૬મા હવે  ૧૨૦ થી૫૦૦ રૂપિયા જેટલી પડે છે. આવા ઉંચા ભાવ સામાન્ય માણસોને કેવી રીતે પોસાય? અરે સામાન્ય કોફીનો કપ જે ૧૯૪૭ મા રૂપિયા ચાર આનામા પડતો તે રૂપિયા ૨૦/-સુધી પહોચી ગયો છે. આતો ફક્ત દાખલાઓ છે. પરંતુ બીજી બધી વસ્તુઓના ભાવ આસમાને પહોચી ગયા છે. આ બધી મોંઘવારીની મોકાણ છે ઍને નાથવા જોઇઍ ઍવા પ્રયત્નો થતા નથી. વિકાસ અને ટૂંકા ઍવા ચૂટણી લક્ષી  ફાયદાઓ કરાવી આ મુદ્દાના પ્રશ્નને બાજુ પર સરકાવી દેવામા આવે છે.
                                                               ઘણા લોકો કહે છે આના કરતા બ્રિટિશ રાજમા સોંઘવારી હતી ઍટ લે સારુ હતુ. ઍમા દેશભક્તિની ઉણપ ન ગણાવી જોઇઍ પણ  દેશની વ્યવસ્થાને સુધારવાની જરૂર છે. પગારોને વધારીને મોંઘવારી ઉભી કરવા કરતા થોડા ઑછા પગાર સાથે ભાવોને કાબૂમા લઈ સામાન્ય માણસના બે હાથો જીવન ચલાવવામા મળી શકે ઍવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂરત છે.
                                                         *************************************** 

Wednesday, September 7, 2016


રાષ્ટ્રીય રત્નો અને રાષ્ટ્રીય તારલાઓ
                                                         રાષ્ટ્રીય રત્નો અને રાષ્ટ્રીય તારલાઓં વચ્ચેનો તફાવત બહુજ પાતળો છે પરંતુ ઍને સમજવો બહુ  જરૂરી છે. રાષ્ટીય રત્નો  દેશને બનાવે છે. દેશમા પ્રગતિ અને બદલાવ લાવે છે .  દેશને ખાતર પોતાના સર્વસ્વનુ બલિદાન આપી અને જરૂર પડે તો પોતાના જીવનુ પણ રાષ્ટ્ર માટે બલિદાન આપે છે. રાષ્ટ્રિય તારલાઓ પોતાની અમુક આવડતોને કારણે દેશમા પ્રસિધ્ધ થઈ જાય છે, અને અઢળક ધન પણ કમાઈ લે છે. ફિલ્મ કલાકારો, રમતવીરો, ચિત્રકારો, નૃત્યકારો,ઇત્યાદિ  લોકો દેશના તારલાઑ છે જે દેશને સન્માન અપાવે છે. ઘણીવાર દેશનારત્નો ઍ ઉભા કરેલા માળખા પર તારલાઓ પોતાની દુનિયા ઉભી કરે છે. આ તથ્યના આધાર પર જ બન્નેની સમીક્ષા કરી, ઍમની કદર કરવી જોઇઍ. ઍમને સરખા ગણી સરખાવવા . રાષ્ટ્રીય રત્નોને અન્યાય થશે.

                                                              ભારતમા ભારત રત્નો અને અન્ય રાષ્ટ્રીય તારલાઓને ઍક્જ હરોડમા હવે મૂકી દેવામા આવ્યા છે. ભારતના સપુતો જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર  ઇત્યાદિ ભારત રત્નથી નવાજવામા આવ્યા છે પરંતુ સાથે સાથે રાષ્ટ્રીય તારલા જેવાકે સૅચિન તાંડુલકર, અને લતા મંગેશકરને પણ ભારત રત્નથો નવાજવામા આવ્યા છે ઍ ભારતની પ્રજાઍ વિચારવાનુ છે. દરેક ક્ષેત્રમા ઉચ્ચ ખિતાબો છે ઍ  રાષ્ટ્રીય તારલાઓનેઆપી ન શકાય ઍ પણ ઍક વજુદ પ્રશ્ન છે?  પરંતુ વોટ બૅંક્ની પધ્ધતિેઍ ઍ પ્રશ્નને ગૂચવી નાખ્યો જણાય છે.

                                                           ફિલ્મી કલાકારોને હવે ભારતના ઉપલા ગ્રહમા નિમવાની ઍક પ્રથા છે ઍમા કલાકારને દરજ્જો મળી જાય છે પરંતુ દેશને ઍમા કેટલો લાભ થાય છે ઍ જોવાની જરૂર છે?  અહેવાલ પ્રમાણે  મિથુન ચક્રવર્તીની રાજ્યસભામા હાજરી ફક્ત ૧૦% છે જ્યારે અભિનેત્રીની રેખાની હાજરી ફક્ત ૫% જેટલી જોવામા આવી છે. આ ફક્ત દાખલાઓ  છે. સવાલ કોઈ વ્યક્તિનો નથી પણ આપણી  સિસ્ટમમા  રહેલી ખામીનો છે. અમેરિકા જેવા દેશમા જે ફિલ્મ કલાકારોને કે બીજા તારલાઓને રાજકારણમા રસ હોય તો ભાગ લે છે પણ ચૂંટાઈ આવે છે. જ્યારે ભારતમા ઘણીવાર રાજકારણીઓ તારલાની લોકપ્રિયતાનો ઉપયોગ  કરી લેતા હોય છે. ઍ રાજકારણની બલિહારી છે. મુળમાતો  લોકશાહીમા રહેલા આપત્તિજનક છિદ્રો  પૂરાવાની જરૂર છે.
                                                ************************************  

Monday, September 5, 2016


ભારતની ગરીબી
                                                                                   ૭૦ વર્ષની  સ્વતંત્રતા પછી ભારતે પ્રગતી કરી છે. આપણી આર્થિક પ્રગતિના ગુણગાન પણ ગાઈ શકાય ઍમ છે. ઉદ્યોગોમા,  અણુ  વિજ્ઞાનમા, રોકેટ અને અવકાશ વિજ્ઞાનમા, .સારી ઍવી પ્રગતિ કરી  છે.  વિશાળ અન લાંબા રસ્તાઓ બનાવ્યા, મોટા બંધો બાંધ્યા, અને નદીઓ પર યુરોપની નદીઓની જેમ રિવર ફ્રંટો પણ બનાવ્યા. હવે તો  મેટ્રો અને તેજ રેલવે ગાડીઓ પણ આવી રહી છે. ગામડાઓમા રસ્તાઓ,પાણી, અન વીજળીની વ્યવસ્થાઓ કરવા પ્રયત્નો ચાલે છે. જાણે ભારત યુરોપ અને અમેરિકાની હરીફાઈમા ન ઉતર્યુ હોય!

                                                                                    ભારતની હજુ પણ કમનશીબી છે કે  ભારતના આત્મા  ગામડાઓને હજુ પૂરેપૂરી રીતે આધુનિક સેવાઓ પુરી પાડી શક્યા નથી. શાળાઓના મકાનો, ડોક્ટરો, શીક્ષકો, પુરી વાહનવ્યહવાર વ્યવસ્થા કે પછી સ્વચ્છતા પણ આપી શક્યા નથી . ઘણા ગ્રામજનોની ગરીબી  જાનવરથી પણ  બદ્ત્તર  છે. દેશ આગળ વધી રહ્યો હોય પણ ગરીબી વધી રહી હોય ઍ સારી નિશાની નથી.  આ પરિસ્થિતિ માટે ધનિકો અન ગરીબી વચ્ચેનો ફાસલો વધી રહ્યો છે.  ધનવાનો વધારે ધનિક બની રહ્યા છે અને ગરીબો વધારેને વધારે ગરીબ બની રહયા છે. ગરીબોને દેશની  પ્રગતિનો લાભ મળી રહ્યો નથી. આથી ઍ બાબતમા તુરંત પગલા લેવા જરૂરી છે. આ બાબતમા છેલ્લા અહેવાલ મુજબ ભારતની સંપત્તિનો ૫૪ % હિસ્સો કરોડપતીઓના હાથમા છે. ભારત વિશ્વમા ૧૦મો સંપતી વાન દેશ હોવા છ્તા સરેરાશ ભારતીય ગરીબ છે.  આ બતાવે છે કે સંપત્તિની બાબતમા ભારતની આસમાનતા જાપાન, ઑસ્ટ્રેલિયા, યૂકે, અને અમેરિકા કરતા પણ પાછળ છે.  અસમાનતા દૂર કરવામા આવશે તો જ ભારતમા સમૃધ્ધિના દર્શન થશે. બ્રિટનમા ઍક પ્રૉવર્બ છે કે "ઍક બાજુ સમૃધ્ધિ અને બીજી બાજુ ગરીબી હોય તો ગરીબી સમૃધ્ધિ માટે ભયજનક બની રહે છે."  આ તથ્ય સમજવૂ જરૂરી છે.
                                                          ************************************