Saturday, April 13, 2019


દુનિયાના પૈસાદારમા પૈસાદાર માણસની  દિનચર્યા- બિલ ગેટ્સ

                                                                                                                દરેક માણસ ઍ બાબત પોતાની જ કલ્પના હોય છે.  ઘણા તો ધનવાનોની  ભવ્ય રહેનીકરણીની  વાતોથી જ અંજાઈ જતા હોય છે.  પરંતુ બિલ ગેટ્સ જુદી જ માટીના જન્મેલા છે. ઍમના સંતાનો હોટેલમા મોટી ટીપ ઍના  વૈટરોને  આપતા હોય છે પરંતુ બિલ ગેટ્સ ની ટીપ બહુજ સામાન્ય હોય છે. બિલ ગેટ્સ માને છેકે ઍમના પિતા ઍમના સંતાનોના પિતાની જેમ ધનવાન ન હતા. આથી ઍમને સામાન્ય ટીપ આપવાની આદત છે. ઍમા ઍમની  સાદાઇ, સરળતા, અને ઍમનામા કોઈ જાતનુ અભિમાન નથી ઍ તરી આવે .છે. ઍમણે ગાંધીજીની  ટ્રસ્ટી શીપ  વિચારધારા અપનાવી છે અને ઍમની મિલકતનો મોટો ભાગ ' બિલ  અને મિલિંડા  ગેટ્સ ફાઉંડેશન ' દ્વારા દાન કરી દીધો છે. તેઓ ઍક વાર્ષિક પત્ર દ્વારા  લોકોને માહિતગાર કરે છે કે ગયા વર્ષમા લૉક હિતના કાર્યોમા થયેલ આશ્ચર્યજનક અનુભવો કેવા હતા.

                                                                                                                    તે ઉપરાંત ઍમની દૈનિક દિનચર્યા પણ ઘણી  રસપ્રદ છે. રાતની સાત કલાકની ઉંઘ તેઓ આરોગ્ય માટે આવશ્યક માને છે. વહેલી સવારના  તેઓ થોડુ ચાલી નાખે છે અન પછી જીમમા જઈને ટ્રેડ મિલ પર પણ થોડો શ્રમ કરે છે.  કોઈક વાર ટેનિસ પણ રમે  છે જે ઍમને ગમતી રમત છે. ત્યારબાદ તેઓ 'ન્યૂયોર્ક ટાઇમ્સ ' વૉલ સ્ટ્રીટ જર્નલ'   અને' ઈકોનોમિસ્ટ ' પેપરોંની ' હેડલાઇન્સ જોઈ જાય છે .  થોડો વિચાર કર્યા બાદ આખા દીવસનો કાર્યક્રમ જોઈ ઍના પર નોંધ  તૈયાર કરી નાખે છે. દીવસનો થોડો વખત ઍમેની લાઇબ્રેરીં મા પણ ગાળે છે અને પોતાને પસંદ આવેલી બૂકો લોકો સમક્ષ રજૂ  કરે છે.

                                                                                                                           જ્યારે ટાઇમ હોય છે ત્યારે પોતાનો વખત પોતાના બાળકો સાથે પસાર કરે છે. ઘણીવાર  ઍમના પુત્ર સાથે ' ઈલેક્ટ્રીક પ્લાન્ટ' કે પછી ' મીસ્સાઈલેસ સોલો' જેવી અણધારી જગાઍ પણ પહોચી જાય છે. ઍમને મિત્રો સાથે પત્તાનિ 'બ્રિડ્જ ની' રમત પણ રમવાનો શોખ છે.
                                                                                                                          બપોરના  ખાણામા ' ચીસ બર્ગર' ઍમની ગમતી ડિશ છે. ચોકોલેટના પણ ઍ શોખીન છે. પરંતુ રાતના પોતાની ડિશ પોતેજ પોતાની રીતે સાફ કરી નાખે છે. સંપતીઍ ઍમને સુખ સાયબી ભોગવવા કરતા શ્રમ જીવી જીવન જીવવા તરફ દોર્યા છે. અને લોકોની  કલ્પના  બહાર દુનિયાના ઍક ધનવાન માણસ સામાન્ય માનવી જેવુ જ જીવન જીવે  છે.
                                               ****************************

Saturday, April 6, 2019


સત્યની શોધમા- ગૌતમ બુધ્ધ
                                                         બુધ્ધે પોતાની સંસારીક જીવનમા લોકોને દુઃખી થતા જોયાને અને ઍના નિરાકારણની શોધમા નીકળી પડ્યા. ઍમાથી દુનિયામા ઍવી વિચારધારા  ઉત્તપન થઈ જે આગળ જતા બૌધ ધર્મ બની ગયો. જેનો પ્રચાર દુનિયા ભરમા ફેલાયો. તિબેટ, ચીન, અને જાપાનથી માંડીને તે દૂર દૂર દક્ષિણ ઍશિયા સુધી ફેલાયો. જે ધર્મનો ભારતમા લય થઈ ગયો પણ વિશ્વના બીજા દેશોમા આજે પણ પ્રચલીત છે. મુળભુત ભારતીય વિચારધારામાથી ઉત્પન થયેલા ઍ ધર્મમા ઍવુ તો શુ છે જેણે પારકા દેશોમા પણ ઍનુ સ્થાન જમાવી રાખ્યુ છે.
                                                         બુધ્ધને  જ્ઞાન તો બુધ્ધ ગયામા જ થયુ પણ ઍનો સ્વીકાર વિશ્વવ્યાપી બની ગયો છે.  બુધ્ધે ક્હ્યુ કે 'પોતાના વિષે વિચારવુ ઍમા કોઈ સ્વાર્થ નથી કારણકે વ્યક્તિ પોતેજ પોતાના પ્રશ્નો માટે જવાબદાર હોય છે. આથી ઍનો ઉકેલ પણ ઍના હાથમા હોય છે. તમે બીજાના  ગેરવર્તનને માફ કરી દો ઍનો અર્થ ઍ નથી કે તમે ઍને સ્વીકારો છો પરંતુ તમે તમારા જીવનમા આગળ વધવા માટે ઍ  ગેરવાજબી  વર્તનને માફ કરી દો છો. બીજાની સાથે તમે કેવી રીતે વર્તો છો ઍના પરથી જ તમારી કક્ષા નક્કી થાય છે. તમે તમારા પ્રમાણે તમારુ જીવન જીવો છો  દરેકને તમારા જીવનને સમજાવવા માટે જીવન જીવતા નથી. જે લોકો તમને  ગણતા નથી ઍનાથી દૂર રહેવુ આવશ્યક છે.
                                                           બુધ્ધ  કહે છે કે દયા ઍક ઍવી ભાષા છે કે જેને  અંધ લોકો જોઇ શકે છે અને બહેરાઓ પણ સાંભળી શકે છે. દરેકે મોટી મોટી જાહેરાતો કરવા કરતા નક્કર  કામો કરતા રહેવુ જોઇઍ.  નસીબ પર આધાર રાખવા કરતા સખત કામ કરતા રહેવુ  જોઇઍ.
                                                                 આના પરથી લાગશે કે હિન્દુ વિચારધારાનો આમા સમાવેશ છે. ઍક  વખત ઍવો હતો કે સારા ભારતમા બૌધ્ધ ધર્મ ફેલાયેલો હતો. રાજાઓ પણ  બૌધ્ધ ધર્મથી પ્રભાવિત હતા. આદી શંકરાચાર્યે આખા ભારતમા ફરીને લોકોને પ્રશ્ન કર્યો કે ' બૌધ્ધ ધર્મમા શુ નવુ છે જે હિન્દુ ધર્મમા નથી?'  આખરે કાશીમા હિન્દુ સંતો અને બૌધ્ધ  મોંકો વચ્ચે દિવસો સુધી વિવાદ થયો અને અંતમા હિન્દુ સાધુ સંતોનો વિજય થયો. ત્યારથી બૌધ ધર્મનો ભારતમાથી  વિલયની શરૂઆત થઈ ગઈ.
                                        ***********************************

Tuesday, April 2, 2019


ફળો અને ઍનો આહાર
                                                                                                          લોકોમા માન્યતા  છેકે ફળો ખાવાથી તંદુરસ્તી  સારી રહે છે પરંતુ  ક્યારે અને ક્યા ફળો કેવા શારીરિક પ્રશ્નો માટે યોગ્ય છે તે બહુ થોડા લોકો જાણતા  હોય છે.
                                                                                                             ફળો ભૂંખા પેટે ખાવાથી વધારે લાભદાયક હોય છે. ફળોને રાંધીને ખાવાથી ઍના  પોસ્ષ્ટિક તત્વોનો નાશ થાય છે. બની શકે તો  ફળો નો તાજો રસ જ પીવો જોઇઍ.  ત્રણ દિવસ ફક્ત ફળો ખાવાથી શરીરમાથી  હાનિકારક ટૉક્સીક પદાર્થો દૂર કરી શકાય છે.
                                                                                                          ડ્રાય . ફ્રૂટ્સમા  અખરોટ હાર્ટ માટે લાભદાયક છે. જ્યારે કાજુ લોહીના દબાણને  ઑછુ કરે છે.  પિસ્તા  કૉલોસ્ટ્રોલ માટે લાભદાયક છે. બદામ શરીરની નસોને  પોષણ આપી શકે છે.
                                                                                                           ઍપલ્ હાર્ટને મજબૂત  બનાવે છે જ્યારે કીવી પાચન  શક્તિને મજબૂત કરે છે. શરીરને ઉતારવા માટે ઍપ્રિકેટ ઉપયોગી થાય છે. કેળા સુગરને સ્થિર કરવામા  મદદ કરી શકે છે.  દ્રાક્ષ મગજની શક્તિ વધારી  શકે છે. તરબુચ કીડનીના કાર્યને મજબૂત કરવામા મદદ રૂપ થાય છે. લીંબુ પાણી શરીરને રેફ્રેશ અને મદદ કરે છે.
                                                                                                         ટુંકમા ફળો યોગ્ય રીતે લેવામા આવે તો શરીરની તંદુરસ્તી માટે બહુ જ ઉપયોગી હોય છે.
                                                   ***************************