Wednesday, April 20, 2016


'ભારત માતાકી  જય'
                                     જે ધરતી પર જન્મ લીધો હોય, અને જ્યા આપણામા સંસ્કારોનુ સિંચન થયુ હોય, ઍવી ધરતી કે જેના ઉદરમા ઉગેલા અનાજે  પોષણ કર્યુ હોય ઍવી ધરતી માતા કે ભારત માતાની જય બોલાવવામા શુ વાંધો હોય શકે? ભલે પછી ઍને  તમે  તમારી રીતે જય બોલાવો જેમકે' જય હિંદ', 'જય હિન્દુસ્તાન', 'જય ભારત', ઍમા શુ ફર્ક પડે છે.
                                      આવી નાની બાબતમા કેટલાક  લોકોઍ ઉપાહોહ મચાવી મૂક્યો છે. ઍક મુસ્લિમ નેતાઍ તો 'ભારત માતાકી જય 'બોલવાનો નન્નો પારખાવી દીધો છે. ઍક હિન્દુ નેતાઍ નહી બોલનારાઓના માથા વાઢી નાખવા સુધીની વાત કરી નાખી છે. કેટલાક  ધર્માન્ધોઍ તો નહી બોલનારાઓને દેશની બહાર ફેકી દેવાની વાત કર્રી છે. આ બધી વ્યર્થ નારાબાજી છે.
                                      મહત્વની વાત ઍ  છે કે દેશભક્તિના નારાઓ લગાવવાથી દેશ ભક્તિ આવી જતી નથી. ઘણીવાર દેશભક્તિના નારાઓ લોકોને ઉશ્કેરવા માટે અને પોતાનુ હીત સાધવામાટે હોય છે. નારા બાજીથી દેશમા દેશભક્તિ ઉત્પન થતી નથી.
                                      દુનિયામા અમેરિકા. જાપાન, જર્મની, જેવા દેશોમા નારા લગાવવા કરતા તેમના આચરણ દ્વારા દેશને મહાન બનાવે છે. આથી નારાબાજી કરતા દેશના, નાગરિકોમા, ઉચ્ચ ચરિત્ર, નાગરિકતાની ઉચ્ચ ભાવનાઓ, અને દેશ પ્રત્યેની ફરજની સભાનતા જ દેશમા દેશભક્તિ લાવી અને દેશને મહાન બનાવે છે.
                                         ભારતમા આપણે વર્તમાન કરતા ભૂતકાળને વાગોળીઍ છીઍ. જેમકે' ભારત મહાન છે'. બધાને ખબરછે કે ભારત અત્યારે મહાન નથી  કારણકે ભારતમા આદર્શ નાગરિકતા નથી. આપણા દેશના ચરીત્રનુ અધપતન થયુ છે. પ્રામાણિકતાનો અભાવ અને ભ્રષ્ટાચારથી  ખદબદી રહ્યો છે. તે ઉપરાંત ૭૦% લોકો હજુ ગરીબીમા સ ડી રહ્યા છે.
                                      આ બધી વસ્તુઓની દૂરસ્તી કરવાની જરૂર છે. આ બધુ બરાબર થઈ જશે તો દેશભક્તિ આપોઆપ આવી જશે. લોકો પાસે 'ભારત માતા કી જ્ય 'બોલાવવાની જરૂર નહી પડે ઍ અંદરથી બહાર આવશે. જે દેશમા બધુ બરાબર હોય તે દેશના લોકો ઍમના દેશ માટે ગર્વ અનુભવે છે.અમેરિકનો આજે ગર્વથી કહે છે ' અમારુ અમેરિકા મહાન છે'. ટૂકમા ભારતમા લોકો ઍમની આશક્તિઓને દૂર કરવાને બદલે ઍમની શક્તિ ખોટી દિશામા વાપરી રહ્યા છે.
                                        ***************************************************

Tuesday, April 12, 2016


સ્વર્ગ અને નર્ક
                                 કૃષ્ણે અર્જુનને ગીતામા કહ્યુ છે કે 'પ્રારબ્ધ માનવીના જીવનમા અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ કર્મો જ માનવીનુ પ્રારબ્ધ ઘડે છે.'સારા કર્મો સારુ પ્રારબ્ધ અર્પે છે અને ખરાબ કર્મો ખરાબ નસીબનુ નિર્માણ કરે છે. આથી આત્માનીશાંતિ અને અનંત સુખ જ જીવનને સ્વર્ગમય બનાવે છે, જ્યારે માનસિક  અને શારીરિક સંતાપ જ માનવીના જીવનને નર્કમય બનાવી મૂકે છે. ઍમા સકારત્મક જીવન દ્રષ્ટી જ સ્વર્ગનો આભાસ કરાવી શકે છે.
                                                                       ઘણા માને છે કે મૃત્યુ બાદ માનવીના કર્મ પ્રમાણે સ્વર્ગ કે નરક મળે છે પરંતુ મૃત્યુ બાદ માનવીના આત્માનુ શુ થાય છે ઍ કોઈ છાતી ઠોકીને કહી શકે ઍમ નથી. પરંતુ તમે માનવીને જે રીતે માનસિક અને શારીરિક રીતે મજા કરતા કે દુખી અન સંતાપ અનુભવતા જુઓ છો ત્યારે ઍવુ લાગે છે કે સ્વર્ગ અને નરક અહિઍ જ છે. ઍના માટે મૃત્યુ સુધી રાહ જોવાની જરુર નથી.

                                                                       વિજ્ઞાન પણ કહે છે કે તમારા કૃત્યના પ્રત્યાઘાત ઍટલી જ ગતિથી સામી દિશામા પડે છે. આથી ખરાબ માનસિક કે શારીરિક કર્મોના ફળો ભવિષ્યમા માનસિક કે શારીરિક રીતે ઍક કે બીજા સ્વરૂપે ભોગવવા જ પડે છે. શારીરિક વ્યાધીઓ તો જોઈ શકાય પરંતુ માનસિક સંતાપ તો જોઈ શકતુ નથી. અને ઍ માનસિક સંતાપો માનવીના જીવનને નર્કમય બનાવી શકે છે. જીવનના બધી જાતના સુખો જો સ્વર્ગ હોય તો સંતાપો અને વ્યાધીઓ નર્ક સમાન  ગણાય.
                                                                        પૃથ્વી પરનુ સ્વર્ગ સંસારી સુખો અને કુદરતમા માણી શકાય છે જ્યારે કુદરતી આફતો અને સંસારી આફતોમા ઘણીવાર નર્કની બદબૂ આવે છે. આથી સ્વર્ગ અને નર્ક  અહી જ છે.   તમારી પાસે કુદરતને જોવાની દ્રષ્ટી હશે તો ઍમા પણ તમને સ્વર્ગ દેખાશે .

  પૃથ્વીનુ સ્વર્ગ
ઉંચા ઉંચા પર્વતો પર સફેદ ચાદર  છાયેલી હતી
ઍમાથી પાણીની ધારાઓ  નીચે પટકાતી હતી
ચારે બાજુ પાણી પાણી થઈ ગયુ અને તળાવ રચાઈ ગયુ
ઍ દ્રશ્ય જોઈને મને પળભર થયુ, જાણે સ્વર્ગ પૃથ્વી આવી ગયુ.

 અને પછી-
પેલા તૂટેલા ઝુપડાઓ જોયા, ઍમા ફરતા હાડપિંજારો જોયા
પેલા ઉકરડાઑમાથી સ્વાન, ઉંદરડા અને બેહાલ બાળકોને ખાતા જોયા
હુદય મારુ ફફડી ઉઠ્યુ કે આતે  કેવુ મે દ્રશ્ય જોયુ
જાણે  નર્ક પૃથ્વી પર ઉતરી આવ્યુ.


                                                              **************************************

Wednesday, April 6, 2016


 વલ્લભી વિદ્યાપીઠ
                                         ગુજરાત પૂરાણિક સમયથી ધર્મ,સંસ્કૃતી, વેપાર ઉદ્યોગનુ કેંદ્ર રહયુ છે. ઍ આધ્યાત્મિક ગુરુઓ અને સંતોની ભૂમિ રહી છે. ભારતના ઍવા  કોઈક જ સંત હશે જેણે ગુજરાતની પુણ્ય ભુમીની મુલાકાત ન લીધી હોય.  ભગવાન કૃષ્ણે જ્યારથી દ્વારીકામા વાસ કર્યો  ત્યારથી ગુજરાત પુણ્ય ભૂમિ બની ચૂકી છે. દયાનંદ સારસ્વતીથી માંડીને તે સહજાનંદ સ્વામી અને કબીરથી તે સ્વામી વિવેકાનંદે પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. ઇતીહાસના પાના પર મોટા સમ્રાટો, શાહેનશાઓ અન રાજાઓ પણ ગુજરાતની સમૃધ્ધિ પર આફરીન હતા. ભૌતિક  સમૃધ્ધિ સાથે પ્રાચીન કાળમા પણ ગુજરાત વિદ્યાનુ પણ  ધામ હતુ. તક્ષશિલા અને નાલંદા કક્ષાની  વલ્લભીપુર વીદ્યાપીઠ પણ હતી.  ઍમા ૮૦૦ શિક્ષકો અને ૬૪૦૦ વિદ્યાર્થી શિક્ષણ લેતા હતા.
               
                           
 વલ્લભી વીદ્યાપીઠની સ્થાપના ત્રીજી સદીમા સમ્રાટસ્કંદગુપ્તના વખતમા વલ્લભીપુર ખાતે થઈ હતી. વલ્લભીપુર અમદાવાદથી ૧૬૦ કીલોમીટરના અંતરે ભાવનગર જીલ્લામા આવેલુ છે. વીદ્યાપીઠનો ઉલ્લેખ સ્કન્દ પુરાણ અને પાણીની ઍ ઍના પુસ્તકમા પણકરેલો છે. ચીની પ્રવાસી  જિયાન જંગે ૬૪૭ મા વલ્લભીવિદ્યાપીઠની ભવ્યતા અને સમૃધ્ધિના પ્રસંસા કરી છે. તે વખતે વલ્લભીવિદ્યાપીઠ બૌધ્ધ ધર્મ નુ અગત્યનુ અભ્યાસી સ્થળ હતુ. ઍવુ કહેવાય છે કે રાજકર્તાના ધર્મ પ્રમાણે વીદ્યાપીઠમા તે ધર્મ નુ ચલણ રહેતુ. પરંતુ ઍ વીદ્યાપીઠ હિન્દુ જૈન અને બૌધ્ધ ધર્મના અભ્યાસનુ અગત્યનુ સ્થળ હતુ.

                                                  વલ્લભીપુર નામ સાથે વલ્લભ ઍટ લે કૃષ્ણ સાથે સબંધ હોય ઍવા કોઈ ઇતિહાસીક પુરાવા નથી પરંતુ ઍ સુતરનુ મોટુ વેપારિક કેન્દ્ર હતુ.  આથી વલ્લભીપુર નામ વલહિ સુતર પરથી આવ્યુ હશે ઍમ માનવામા આવે છે.  વલ્લભીપુરનો નાશ દરિયાના પાણી ફરી વરવાથી થયુ ઍમ માનવામા આવે છે. તે ઉપરાંત જમીનના પાણી પણ ખારા થઈ ગયા હશે. તેથી લોકો પણ સ્થળ છોડી ગયા હશે.


                                                       વલ્લભીપૂરને ફરીથી શિક્ષણનુ ક્ષેત્ર બનાવવા માટે ત્યાના સમૃધ્ધ હીરાના વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છે. વલ્લભીપુરમા ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે ઍવી સંસ્થા ઉભી કરવા માંગે છે.  અને વલ્લભીપુર વીદ્યાપીઠની સમૃધ્ધિ પરત લાવવા માંગે છે.
                                                       ****************************************