Saturday, November 19, 2022



સોનિયાકી ચીડિયાને રસ્તે ભારત

                                                                એક જમાનામાં ભારત' સોનાની ચિડિયાને' નામે પ્રખ્યાત હતું. વિશ્વના વેપારીઓ , લુટેરાઓ અને વિશ્વ વિજેતાઓ પણ ભારતનો એક કે પછી બીજા સવરૂપે લાભ લેવા તૈયાર હતા. તેઓ આવ્યાને સોના, ચાંદી હીરા, મોતિ, અને બધી રીતે   ભારતને લૂંટાય  એટલું લૂંટી ગયા.  એમાંથી   પોતે સમૃદ્ધ બન્યા . એમાંના છેલ્લા ભારતને ચૂસનાર  અંગ્રેજો હતા. જેમણે ભારતનો વિશ્વના વેપારમાં ૩૦ ટકા થી વધારો જેટલા હિસ્સાને ૩ ટકા થી નીચે  મૂકીને નીકળી ગયા.

                                                  ભારતના લોકોમાં બુદ્ધિ , ચાતુર્ય, અને જ્ઞાનને તેઓ લૂંટી શક્યા ન હતા આથી સ્વાતંત્રતા બાદ ભારતે ફરીથી પ્રગતિ કરવા માંડી છે. ઉદ્યોગો, વેપાર, એન્ડ વિજ્ઞાનિક સંધોધનમાં પ્રગતિ કરવા માંડી છે.  અર્થતંત્ર  દુનિયાના વિક્સિત દેશો સાથે આગળ વધીને આજે દુનિયાનું પાંચમું અર્થ તંત્ર બની  ચૂક્યું છે અને  ભારત પર ૨૦૦ વર્ષ રાજ કરનાર અંગ્રેજ અર્થતંત્ર કરતા પણ ભારતનું અર્થતંત્ર આગળ વધી ગયું છે. થોડાક જ વર્ષમાં એ વિશ્વના ૩જા અર્થતંત્ર પર પહોંચી શકે એવી શક્યતાઓ છે.



                                                     તે છતાં ભારતમાં  ૩૦% જેટલા  લોકો હજુ ગરબીરેખાની નીચે જીવે છે. એનું  મુખ્ય કારણ અમુક રાજ્યો હજુ પ્રગતિ કરી શક્યા નથી. જેમાં ઉત્તર પ્રદેશ , બિહાર,  રાજસ્થાન , ઝારખંડ , વેસ્ટ બંગાળ , અને પૂર્વના રાજ્યોનો પણ એમાં સમાવેશ થાય છે. એમની વસ્તી ભારતની વસ્તીની ૪૦%ટકા છે.  જયારે પશ્ચિમના/ દક્ષિણના  ગુજરાત, મહારાષ્ટ્ર , ગોવા , કર્ણાટક, તામિલનાડુ, જેવા રાજ્યો સારી એવી પ્રગતિ કરી છે. એથી ભારતની એ મૉટી સમસ્યા છે.  ઉત્તર પ્રદેશની વસ્તી ભારતની  ૧૭  % છે પણ ત્યાં નોકરીઓ ફક્ત  ૯% જેટલી જ છે. આમ ભારતમાં આવકોમાં મોટો તફાવત ઉભો થયો  છે.  તે ઉપરાંત પછાત રાજ્યોનો વસ્તી વધોરો પણ પ્રગતિશીલ રાજ્યોથી વધારે છે. 



                                                  આથી પછાત રાજ્યો પર વધારે ધ્યાન આપી એની વસ્તી કાબુમાં લેવી જોઈએ અને ઉદ્યોગીક પ્રગતિ વધારવી આવશ્યક છે. તોજ ભારત સંપૂર્ણ રીતે સમૃદ્ધિની દિશામાં આગળ વધી જશે. આ બાબતમાં ઉત્તરપ્રદેશ સરકાર સારો એવો પ્રયત્ન કરી રહી છે અને એના પરિણામો સારા આવશે એમ લાગી રહ્યું છે. પરંતુ બીજું પછાત રાજ્ય બિહાર હજુ પણ ગરીબીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યું છે. ટૂંકમાં સર્વ વિકાસથી જ ભારત સોનાની ચીડિયા જલ્દીથી બની શકશે. અથવા તો એક તરફ ગરીબી અને બીજી તરફ સમૃદ્ધિ એ સારી નિશાની નથી. આશ્ચર્યની વાત તો અમરિકામાં પણ ન્યુયોર્ક રાજ્ય અને મિસિસિપી રાજ્યની આવક વિષે પણ વિશાળ તફાવત છે.  



                                                    અંગ્રેજીમાં કહેવાયું છેકે ' એક બાજુ સમૃદ્ધિ અને બીજી બાજુ ગરીબી હોય તો ગરીબી સમૃદ્ધિ માટે હંમેશા ભયરૂપ બની રહે છે.' એથી સર્વ સમૃદ્ધિ વગરની 'સોનેકી ચીડિયા ' એક ડાઘ જેવી બની રહેશે. એટલા માટે  સર્વ  જગ્યાએ સુખ અને સમૃદ્ધિ  થાય એવા પ્રયાસો કરવા વધારે  જરૂરી છે. 

                             **********************************************  

Saturday, November 12, 2022



આત્મા એટલેકે  ઉર્જા 

                                                               આત્મા માટે દરેક ધર્મમાં  જુદી વ્યાખ્યા છે.  માનવીના મૃત્યુ બાદ મુસ્લિમ અને ક્રીચ્યન ધર્મમાં  દફનાવવામાં આવે છે. જયારે હિંદુઓ શરીરને અગ્નિદાહ દે છે.

                                                 ભગવાન કૃષ્ણએ ગીતામાં  આત્મા વિષે સ્પષ્ટ વિવેચન કર્યું છે.  અર્જુનને  પોતાના નિકટના સ્વજનો સામે યુદ્ધ લડવાની મરજી ન હતી . અર્જુને તો એટલે સુધી કહી દીધું હતુંકે મારા સ્વજનોને મારીને મારે રાજપાટ મેળવવું નથી. એના કરતા હું દૂર થઇ જાઉં એ ઉચિત હશે. ત્યારે શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યુકે ' શરીર  નાશવંત છે પરંતુ આત્માનો  કદી નાશ થતો નથી. તું એને મારશેકે  નહિ મારે એમનું શરીર તો એક દિવસ નાશ પામવાનું છે.  આથી તું તો ફક્ત એમના શરીરને મારવા માટે  નિમિત્ત માત્ર છે.' 

                                                     આગળ ચાલતા કૃષ્ણ કહેછેકે 'આત્મા તો અમર છે. એને જળ , વાયુ કે પછી અગ્નિ  પણ નાશ કરી શકતા નથી. આત્મા તો ફક્ત શરીર છોડીને બીજું શરીર ધારણ કરી લેછે. એથી તારા સ્વજનનોના શરીરોનો નાશ કરવા માટેનો તારો આ વિલાપ વ્યર્થ  છે. આથી તું તારી  ફરજ બજાવ અને યુદ્ધ કર. 'આમ ભગવાન કૃષ્ણ સ્પષ્ટ કહ્યું છે કે આત્મા 'એક ઉર્જા સમાન છે  ફક્ત એ  શરીર  જ બદલે છે. '



                                                      આજના વિજ્ઞાનિકોએ  પણ એજ સાબિત કર્યું છેકે 'ઉર્જાનો કોઈ નાશ થતો નથી પણ ફક્ત એનું સ્વરૂપ જ બદલાય છે.' આજ હજારો વર્ષો પહેલા હિન્દૂ ધર્મમાં  અને ગીતામા કહેવામાં આવ્યું છે.  એથી અગ્નિદાહની પ્રથા આ સિદ્ધાંત   પર અપનાવવામાં આવેલી છે. જેમાં શરીરનો મ્ર્ત્યુ બાદ નાશ કરવામાં આવે છે.

                                                        આથી મરેલાંનાં 'આત્માને શાંતિ મળે' એ કહેવાની પ્રથા  હિંદુઓ માટે વિચિત્રજનક  નથી લાગતી ? કારણકે  મૃત્યુ પામેલાનો આત્મા તો ત્વરિત  બીજા શરીરમાં દાખલ થઇ જાય છે.

                                     ****************************************

 

Sunday, November 6, 2022


 જીરું અને સ્વાસ્થ્ય                                             

                                             જીરામાં   મોઢામાં સ્વાદ ઉત્પન્ન  કરનારું તત્વ હોય છે અને માનવીય સ્વાથ્ય માટે પણ સારું છે. એમાં  થૈમલ નામનું તત્વ હોય છે જે  પ્રેમક્રિયાસને ઉત્તેજિત કરે છે. અને  જે  પાચન  શક્તિને વધારે છે.

                                       તે ઉપરાંત જીરું સોજાને ઓછું કરનારું  અને કેન્સર જેવા રોગમાં પણ મદદરૂપ થાય છે. એ  જાડાઈ ઓછું કરવામાં મદદ રૂપ થાય છે અને સુગર લેવેલને પણ ઓછું કરે છે.



                                        એ શરીરના   ટીસ્યુઓને   હાઈડ્રેટ કરીને તંદુરસ્ત અને ફ્રેશ બનાવે છે. એનામાં કૅલરી નથી તેથી એ હાનિકારક નથી.

                                          હાર્ટ  દાજરાને  પણ ઓછું કરવામાં સહાયરૂપ થાય છે. તે ઉપરાંત બ્લડ પ્રેસરને  પણ ઓચ્છુ કરવામાં  મદદ કરે છે. આમ જીરાનું પાણી સુરક્ષિત અને તંદુરસ્તી માટે ઉપયોગી છે. સવારનો સમય જીરા પાણી પીવા માટે વધુ અનુકૂળ  હોય છે.



                                          ટુંકમાં જીરાના ઘણા ઉપાયો છે. એમાં વાયુ પ્રકૃતિ વાળા  લોકો માટે પણ સારું છે. જીરું ચામડી માટે પણ સારું છે. એટલા માટે એનો કરોડો નો વેપાર થાય છે. અને ભારતમાં ઉત્તરગુજરાતમાં  મહેસાણાની બાજુમાં આવેલું ઊંજા ગામ એના કરોડોના વેપાર માટે પ્રસિદ્ધ છે.

                        ************************************ 

                                        


 

SATURDAY, OCTOBER 22, 2022