Friday, May 24, 2013




માને મારી અંજલી
=============
૧૨મી મે ૨૦૧૩ના દિવસે અમેરીકામા મધર ડે ઉજવાયો. લાખો ડોલરો, ભેટ, કાર્ડો, અને શુભેચ્છા ગુલદસ્તોમા ખરચી નાખવામા આવ્યા. વ્યસ્ત જીવનમા ઍક દિવસ જરૂર માતા માટે કાઢવામા આવે છે. ભારતીય સંસ્કૃતિમાતો માના આશીર્વાદ વગર કોઈ કામ થતા નથી. આથી બારેમાસ અને ચોવીસ કલાક 'માતૃ દેવ ભવ' હોય છે. તો હૂ પણ માતૃ પ્રેમમા સ્નાન કરી લઉ.
હે 'મા' -
જ્યારે જ્યારે ઠોકર વાગે
ત્યારે ત્યારે તુજ નામ હૈયે આવે
આફત હો કે સંકટ હો
તારી યાદ મને આવી જાય.
જ્યારે--
જેવુ કરશે ઍવા ફળ પામસે
ઍજ તારો બોધ હતો
તૂ ગઈ ને વર્ષો વીત્યા
પણ તુજ વેણ હજુ કાનોમા ગુજે
જ્યારે--
તારા પ્રેમની નદી મા નાહવા
હજુ મુજ ઈંચ્છા મરી નથી
તારા ખોળામા સુવાની તરસ
હજુ પણ મટી નથી.
જ્યારે--
તૂ સુતી છે ચીર નીંદરમા
હવે ખલેલ પહોચાડવી નથી
આખી જિંદગી ઓડવી તને
તારી ચીર શાંતીંમા ભંગ કરવો નથી
જ્યારે--
ભારત દેસાઈ
                                   ******************************************

Thursday, May 16, 2013



માનવી અને પશુ પક્ષીઓ
================
                             ઘણીવાર માનવીઓનુ આચરણ પશુ અને પક્ષીઓ કરતા પણ હિન હોય છે. માનવી અહમ્, પૈસા, ઈર્ષા, અને વેરજેરમા પશુઑ કરતા પણ ખરાબ વર્તન  કરે છે. મિલકતની લડાઈઓમા મા બાપનુ મોઢુ પણ જોતા નથી.  ભાઈબહેનોના  ક્લેશમા કોઈ મરણ પામે તો આખરી ક્રિયા કર્મમા પણ ભાગ લેતા નથી. ઘણીવાર કુટુંબિક  ક્લેશ જોઈને માતા પિતા ત્રાહી ત્રાહી પોકારી જાઇ છે. બધાને ખબર છેકે કઈ સાથે આવવાનુ નથી  છતા માયામા આંધળા થઈ ગયા હોય છે.
                             માનવી અને પશુઓમા શુ ફરક છે? માનવીને પ્રભુ ઍ વિચારવા માટે મગજ આપ્યુ છૅ. તો  માનવી પશુની જેંમ કેમ વર્તે છે? માનવીને વિચારવાની શક્તિ મગજ દ્વારા આપિને બધા દૂષણો ઉભા કીધા છે. માનવી બોલી શકે છે ઍટલે ઍમની લાગણીઓને વ્યક્ત કરી શકે છે. તેને બદલે બોલીને ઍક બીજા સાથે દુશ્મનાવટ ઉભી કરે છે. જ્યારે પશુઓ પાસે વિચારશક્તિ કે  બોલવાની શક્તિ નથી પણ માનવી કરતા સારી રીતે જીવી જાઇ છે. 'જીવો જીવસ્ય ભોજનમ' પ્રમાણે મોટા જાનવારો  નાનાને ખાય છે પરંતુ ભૂખથી વધારે ખાતા નથી. માનવીઓ માટે તો નબળાનુ શોષણ કરવામા કોઈ માપદંડ નથી..
                               કોઈ મૃત્યુ પામે તો અમે માનવીઓ ૧૩ દિવસની વિધિ પતાવી ભૂલી જઈ ઍ  પરંતુ પશુ પંખીઑ ઍમની રીતે મૃત્યુનો  શોક મનાવે છે અને મૃત્યુની ગરીમા પણ જાળવે છે.  કાગડાઓ પણ પોતાના સાથીના મરણ પર ભેગા થઈ કેકારવ કરી આકાશને ગજવી મૂકે છે. પોતાંના  મરેલા સાથીના શરીર પર દરેક કોઈને કોઈ વસ્તુ મૂકી અંજલી આપે છે. કુતરા પણ મરેલા ઍના માલીકને શોધવા ચક્કર લગાવતા રહે છે. બિલાડી પણ ઍના મૃત સાથિના શોકમા દિવસો સુધી રડતી રહે છે. હાથીઓ પણ પોતાના ટોળીના મૃત હાથીનુ શરીર શોધી તેની આજુબાજુ ફ્રેરા ફરી શ્રધ્ધાંજલી આપે છે.
                               જોવાનુ તો ઍ છે કે સંસ્કૃતિના પ્રતીક સમાન માનવીઓ ચડે કે પછી માનવીની  જેમજે બોલી શકતા નથી,  અને વિચારી શકતા નથી ઍવા પશુ પંખીઓ ચડે? ઍ માનવીઓઍ જ વિચારવાનુ છે.
                                            *************************************

Wednesday, May 8, 2013











સ્વાસ્થ્ય વિષે અમેરિકાની ઉંચ મેડિકલ સ્કુલોનુ  શુ માનવુ છે?
====================================
હાર્વર્ડ મેડિકલ સ્કૂલનુ કહેવુ છેકે-
---------------------------
૧) વિટામિન-ડી (સૂર્ય, ઈંડા, માછલી, કેપછી દૂધાળા પદાર્થોમાથી) તમને બ્લડ પ્રેશર, અને હાર્ટ અટૅક ને અટકાવવામા મદદ કરે છે.
૨)  યોગ્ય કસરત અને દવા દર્દીને ઍન્જિનામાથી  મુક્ત કરે છે અને ' ઍન્જિઑપ્લાસ્ત્રી ' ઑપરેશન માટે કદાચ જવુ નહી પડે.
૩) અચાનક હાર્ટના હુમલા વખતે  ઉંડી ઉધરસો ખાવાથી કદાચ થોડી વધારે સેકન્ડનો ટાઇમ મળી જાય છે, પરંતુ ઍ હુમલો શાને લીધે છે ઍનિ અજાણતા હોવાને કારણે ઈમરજન્સી નંબરનો  ઉપયોગ કરવો ઍક્દમ આવશ્યક છે.
મેયો ક્લિનિકનુ કહેવુ છે કે-
૪) વધારે પાણી પીવાથી તે શરીરને  ઘણી રીતે મદદ રૂપ બને છે.
૫) કૅફિન વાળા પદાર્થો શરીરને  હાનિકારક  છે.
૬) ઍલ્રર્જી ઉત્પન કરનારા પદાર્થોથી દૂર રહેવુ સારુ- જેવો કે સિગરેટનો ધૂમાળો, કેટલાક ખાદ્ય પદાર્થો,  કેટલાક દૂધના પદાર્થો, અને જાનાવરોના વાળના ખોળો.
૭) પેટમા વધારે પડતા ઍસીડ ઉત્પન્ન કરનારા પદાર્થોથી દૂર રહેવુ ઉચિત છે  કારણકે ઘણીવાર પેટનો ઍસિડ ગળા સુધી ફેકાય છે અને ઍ ગળાને  પજવે છે. ઍથિ થુક ગળવાનુ મુશ્કેલ બંને છે.
                                         *******************************************