Wednesday, October 14, 2020

 


વયસ્થોમાં માનસિક મૂંઝવણ 

                                                                                                               જેમ જેમ ઉંમર વધતી જાય છે  તેમ વયસ્થોમાં  ઘણી બાબતોમાં   મૂંઝવણ ઉભી થતી જાય છે.  ઘણા એને અલઝહેઈમર્સની શરૂઆત ગણે  કે પછી મગજનો કોઈ રોગ પણ હોઈ શકે છે.  પરંતુ એ મૂંઝવણના મુખ્ય  કારણો બીજાજ  હોઈ શકે છે. 

                                                      એના કારણોમાં  કાબુ બહારનો ડીયાબેટિસ, અથવાતો કિડનીમાં ઇન્ફેકશન અથવાતો  ડિહાઈડ્રેશન  પણ  હોય શકે . આથી એ કારણોની કાળજીઓ રાખવાની વધુ જરૂર છે. 

                                                      આથી વયસ્થોને  વધારેને વધારે  પાણી પીવાની  યાદ  આપવી જોઈએ .  જો તેમને પાણી ન પીવું હોય તો ફળોના રસ , અથવા  નારિયળનું પાણી , અથવા  ચા , અથવા  દૂધ , અથવા સૂપ કે પછી  પાણીવાળા ફળો ખાવાની ટેવ પાડવી જોઈએ . તેમના  માનસિક મૂંઝવણમાંથી એ વસ્તુઓ  રાહત આપી શકે છે.  પાણીથી ભરપૂર ફળોમાં   તરબૂચ , અનનસ, પીચ , નારંગી, ઓરંજ , અને  ટેન્ગરીન છે.  તે લેવા જોઈએ. 



                                                 ડિહાઈડ્રેશન શરીર  અને મગજ માટે ઘણું નુકશાનકારક  છે.  તે  બ્લડપ્રેસર  વધારે છે. માનસિક તાણ વધારે છે . સ્વાસોસ્વાસમાં  તકલીફ ઉભી કરે છે. છાતીમાં દુખાવો , હૃદયના  ધબકારો  વધવા , અને બેહોશ થવા જેવી  બીમારી વધારે છે.  આથી ડીહાઇડ્રેશન બાબતમાં વયસ્થોએ બહુજ કાળજી રાખવી જરૂરી છે . 



                                                   આ એક  માહિતીને આધારે વિવેચન છે પરંતુ દરેક વયસ્થે પોતાની શારીરિક  સ્થિતિ પ્રમાણે પોતાના ડોક્ટરની  સલાહ પ્રમાણે ચાલવાની જરૂરિયાત છે. 

                                        ***********************************


Saturday, October 10, 2020



 મૂત્ર ચિકિત્સા 

                                                                 ઘણા લોકોને મૂત્ર ચિકિત્સા વિષે અણગમો  હોય છે કારણ કે મૂત્રમાંથી  આવતી વાસ , એનો સ્વાદ અને રંગ પણ વિચિત્ર હોય છે. પરંતુ કુદરતની કમાલ એવી છેકે  ખરાબ સ્વાદવાળી વસ્તુઓમાં એવા ગુણો ભરી દીધા હોય છે  કે માનવીને કમને પણ  એને આશરે જવું પડે છે.   જેમકે લીમડો, કારેલા, મેથી , જેવી વસ્તુઓ એટલી કડવી હોય છે છતાં  ઘણા રોગોમાં એનો ઉપાય અકસીર  હોય છે.  તેમ મૂત્ર પ્રત્યે સુઘ  હોવા છતાં ઘણા એનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને એ  ઘણા રોગો પર અકસીર બની રહ્યું છે. 

                         થોડા વખત પહેલા જ જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે વિદેશી ચેનલની મુલાકાતમાં જણાવ્યું હતુંકે તેઓની તંદુરસ્તીનું  કારણ તેમનું નિયમત ગૌ મુત્રનું સેવન છે. આજ પ્રમાણે એક વાર પરદેશ પ્રવાસ દરમિયાન એક અમેરિકન  ટીવી ચેનલને  પૃર્વ વડાપ્રધાન , મોરારજી દેસાઈએ  એમની તંદુરસ્તીનું રહસ્ય   એમનું સ્વમુત્રનું  સેવનને આભારી છે એમ જણાવ્યું હતું.  ટીવી એન્કરે એમને પૂછ્યું 'તમને એનું સેવન કરવાથી ખરાબ કે ગંદુ  લાગતું  નથી ?   હું તો મારું પોતાનું મૂત્ર પીવું છું પરંતુ કેટલાક  લોકોતો જાહેરબાથરૂમમાંથીલીધેલા મુત્રમાથી બનેલી દવાઓ લેછે. એમણે કેટલીયે દવાના નામો ત્યાંને ત્યાંજ આપ્યા. અને પેલા  ટીવી  એન્કરની બોલતી બંધ થઇ ગઈ . જાપાનમાં જાહેર મુતરડીમાંથી મેળવેલા મૂત્રમાંથી  જીવ બચાવે એવા ઈન્જેકશન બનાવવામાં આવે છે. એના નામો છે જેવાકે યુરોફાઈનેંસ પ્રોફાસી , એન્ટિનિઓ પ્લાસ્ટીન   પ્રાગાનીલ.  એમાંની છેલ્લી  દવાનો ઉપયોગ લોહીના ઘટટાને પીગળાવવામાં  મદદરૂપ થાય છે.  મુત્રમા  શરીર ઉપયોગી બહુ  મૂલ્યવાન તત્વોઓ હોય છે જેવાકે વિટામિન , ક્ષાર , લોહતત્વ , પ્રોટીન , એન્જાઈમ , હોર્મોન્સ વગેરે વગેરે .

                                               સ્વમૂત્રની બાબતમાં એના ગુણો વિષે હિન્દૂ  પ્રાચીન ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ખ્રિસ્તી   પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ છે કે ' તારા શરીરમાંથી નીકળતા પાણીનું પાન કર ' યુરોપ , જાપાન, ઓસ્ટ્રેલિયા , ચીન , ઇંગ્લેન્ડ , અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં પણ સ્વમૂત્ર ચિકિત્સા  પ્રચલિત છે.

                                                 સ્વમૂત્ર ચિકિત્સામાં  પણ અમુક નિયમોં છે. જેમ કે વહેલી સવારના પહેલા મૂત્રનો આગળ અને પાછલો ભાગ છોડીને બાકીના મૂત્રનો જ ઉપયોગ કરવાનો હોય છે.સ્વમૂત્ર ચિકિત્સાનો ઉપયોગ  આંખ , કાંન ,  દાંત , નાક, ગળું, ,વાળ  અને ચામડીના રોગોની  માવજત માટે પણ કરવામાં આવે છે. અગત્યની વાતતો એ છેકે એ ચિકિત્સા પદ્ધતિનો ગરીબ અને ધનવાન અને બધા  વર્ગ  કરી શકે છે. 

                                                       *************************  

                          

                                                      


Saturday, October 3, 2020



ચીની ચાલ 

                                                                                       ચીન આજે દુનિયામાં એકદમ અળખામણું બની ચૂક્યું છે એના ગણા વજૂદ કારણો છે.એકતો કોરોના વાયરસને જન્મ આપ્યો અને એના વિશેની બધી વિગતો લાંબા વખત સુધી છુપાવી. તથા  દુનિયામાં એનો ફેલાવો  થવા  દીધો. ચીન પર  એવો પણ આરોપ છેકે  કોરોના વાયરસની ઉત્તપતિ  ચીનની રાસાયણિક લેબમાંજ થયો અને ત્યાંથી જ એ લીક થઈને આખી દુનિયામાં પ્રસરી ગયો. આજે કોરોના વાયરસે   આખી દુનિયાની અર્થવ્યવસ્થા ખેરવી નાખી એના માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે . એની પાછળ પણ ચીનની વિશ્વિક સર્વોપરિતા મેળવવાની ચાલ ગણવામાં આવે છે. 

                                              ચીનની ચાલબાજી એકજ ક્ષેત્રમાં નથી.  હોંગકોંગ અમારું છે એમ કહી બ્રિટનને ખોટા વચનો આપી પડાવી લીધું . તાઇવાન પણ અમારું છે એમ કહી ધિકતીધરા હજુ ચાલુ છે. એટલુંજ નહીં પણ  આજુબાજુના બધાજ  દેશોની જમીનો પર ચીનની નજર છે અને તક મળે એટલે તેમની જમીનો પચાવી પાડવાની તૈયારીમાં છે.  ભારત સાથે એને  લડાખ, સિયાચીન , અરુણાચલ પ્રદેશ , નાની મોટી કેટલીયે જગાઓ માટે ૩૪૮૮ કિલોમીટરની સરહદ પર ઝગડો છે. કીર્ગીસ્થાનના કેટલાક પ્રદેશો પર પણ ચીનનો દાવો છે. કીર્ગીસ્થાને તો એની  ચીનની સાથેની  સરહદો સીલ કરીદીધી છે.  તજિકિસ્થાને ૫૦ કિલોમીટર જેટલી જમીન ચીનને આપી દીધી છે તો પણ ચીનને હજુસંતોષ નથી . ચીનને  અફઘાનિસ્તાન સાથે પણ સરહદી ઝગડો છે. નેપાળની પણ કેટલીક જમીન ચીને પચાવી પાડી છે. એજ પ્રમાણે ભૂતાન, અને મ્યાનમાર સાથે પણ સરહદી ઝગડો છે.

                                             ચીન દક્ષિણ ચીની સમુદ્ર પણ પોતાનો માને છે. દક્ષિણ સમુદ્રમાં  આવેલા કેટલાએ ટાપુ પર ચીને દાવા ઠોક્યાં છે. આથી ચીનને  મલેશિયા , સિંગાપોર ,લાઓસ, વિયેતનામ ફિલિપાઇન, બ્રુનોઇ , ઇન્ડોનેશિયા  અને સાઉથ કોરિયા જેવા દેશો સાથે પણ  ઘર્ષણ શરુ થયું છે.રશિયા અને મોંગોલિયા સાથે પણ ચીનના સરહદી ઝગડાઓ છે. 

                                           ચીન  ગરીબ અને નબળા દેશોને  ધિરાણ કરી એમને ફસાવે છે. અને પછી એમના કુદરતી સાધનો અને જમીનો પર કબજો જમાવી ત્યાં પોતાના થાણા બનાવી એમને ગુલામ બનાવી દે છે. આ પણ ચીનની એક ચાલ છે.

                                                આવી વિસ્તારવાદી નીતિને  હવે અમેરિકા , ઓસ્ટ્રેલિયા , જાપાન, સાઉથ કોરિયા , બ્રિટન અને યુરોપના દેશો ઓળખી ગયા છે. એમાં એમને ચીનની વિશ્વ સત્તા બનવાની ગંધ આવેછે. તેમાં કોરોના વાયરસે આગમાં  પેટ્રોલ નાખવા જેવી પરિસ્થિતિ  ઉભી કરીછે. એમાંથી વિશ્વ યુદ્ધનો ભડકો થવાની પણ શક્યતા છે. મૂળમાં તો ચીનની દરેક ક્ષેત્રમાં  વધી રહેલી ચાલબાજી  જ જવાબદાર છે. એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ચીનને કોની સાથે  ઝગડો નથી ?

                                    ****************************************