Monday, December 14, 2020



 જૈન સમાજ 

                                                 જૈન સમાજ દુનિયામાં ચારથી પાંચ મિલિયન જેટલો છે પરંતુ શિક્ષિત સમાજ છે. એમનું શિક્ષણનું  પ્રમાણ ૯૦ % જેટલું છે.  ઘણેભાગે  જૈનો શાકાહારી અને એમાં પણ અમુક શાકભાજી ખાતા નથી. કોઈ પણ જાતના વ્યસનોથી દૂર રહે છે. દારૂ કે સિગારેટથી પણ દૂર રહે છે.

                                આમતો  નાનો સમાજ છે પરંતુ સમરુધ્ધ છે.  ભારતમાં જૈનો ૨૪% જેટલો આવક વેરો  ભરે  છે અને'જી ડી પી '  માં   એમનું ૧/૪ જેટલું  પ્રદાન છે. એટલેકે ભારતની અર્થ વ્યવસ્થામાં એમનું મહત્વનું પ્રદાન છે. હીરા ઉદ્યોગમાં જૈનો અગ્રગણ્ય છે. બેલ્જિયમમાં ૧૫૦૦ જૈનો છે જેઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દુનિયાના હીરાના વેપારમાં એમનો ૨/૩ જેટલો હિસ્સો છે.



                                 તેઓ બહુ જ ધાર્મિક અને બોલવા ચાલે  બહુજ કોમળ હોય છે. જૈનો પોતાનું દૈનિક કામ શરુ કરતા પહેલા અમુક વસ્ત્ર પરાધીન કરીને એમના મંદિર એટલે દેરાસર પર જરૂર જાય છે. તેઓ ધાર્મિક પણ હોય છે. પર્યુષણ ,દશ લક્ષણ , મહાવીર જયંતિ  વગેરે એમના તહેવારો છે. તેઓ અપવાસો પણ કરે છે અને કેટલાક જૈનો તો આમરણાંત અપવાસો પણ કરે છે.જૈનોમાં બે  પંથો  છે-દિગંબર અને શ્વેતામ્બર. જૈનોમાં પંચ મહાવૃત એ  મુખ્ય સિદ્ધાંતો છે.  -અહિંસા , સત્ય , અસતય , અપરિગ્રહ , અને બ્રહ્મચર્ય. જૈનોમાં કોઈ જાતિભેદ નથી. તેઓ દરેક આત્માને  સમાન માને છે. દરેક મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એવી એમની માન્યતા છે.જૈનોએ અબજો રૂપિયાના દાનો કરેલા છે અને કલાના નમૂના રૂપ જૈન મંદિરો બનાવેલા છે.ગુજરાતમાં આવેલા  પાલિતણાના અને હટ્ટીસિંઘના દહેરાઓ કલાની ઉત્તમ કૃતિઓ છે.



                                  જૈન તીર્થંકરોએ દુનિયાની આધ્યાત્મિક  વૈચારિકધારામાં સારું એવું પ્રદાન કરેલું છે. તે ઉપરાંત ગાંઘીજીની વિચારધારા પર જૈન સાધુ  રાજચંદ્રજીનો સારો એવો પ્રભાવ હતો. ગાંધીજીની સત્યાગ્રહની વિચારધારા એમના જૈન ગુરુ રાજચંદ્રજીને આભારી હતી. જૈન સાધુ  હીરા વિજયજીએ મોગલ સમ્રાટ અકબરને પણ શાકાહારી બનાવી દીધા હતા.



                                   અર્વાચીન જગતમાં પણ જૈનોએ સમાજમાં અનોખું પ્રદાન કરેલું છે. ગૌતમ અદાણી , વિક્રમ સારાભાઈ, અને સંજય લીલા ભણસાલીએ પણ એમના ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રદાન કરેલું છે. જૈનો ભલે નાનો સમાજ છે પણ  યહૂદીઓની જેમ એમનું પ્રદાન પણ ઘણું છે. 

                                            ************************************** 

Sunday, December 6, 2020

 


ઈશ્વર ક્યાં છે?

                                                                  લોકો પોતાના પ્રશ્નો કે પછી કુદરતી આફતો સામે બેજાર થઇ જય છેને અને ઈશ્વરને શરણે પહોંચી જાય છે. એના પર કેટલાક  કવિઓએ ઈશ્વરના  ભજનો, અને સ્તુતિઓ રચી છે. પરંતુ ઈશ્વરના દર્શન બહુ ઓછા કરી શકે છે. લોકો સાધુઓ. સંતો અને ગુરુઓના ચરણોમાં બેસી ઈશ્વરને મળવાની પ્રતીક્ષામાં બેસી જાય છે. ઈશ્વરની શોધતો દરેકે પોતાનીરીતે જ કરવી પડે છે. ઈશ્વરતો જાણે એક પ્રત્યક્ષ વસ્તુ ન હોય એમ દરેક માનવી એની શોધ મંદિર મસ્જિદ , ગિરિજાગ્રહ અને ગુરુદ્વારામાં શોધ્યા જ કરે છે. એક ગીતકારે પ્રખ્યાત  ગાયનમાં  લખી  નાખ્યું   છેકે ' દરશન દો  ધનશ્યામ --- મંદિર મંદિર મુરત તેરી પણ ન દેખી સુરત તેરી , યુગ બીતે પર મિલને આયે પ્રુરણવાસી રે ' એમાંથી ઈશ્વર શોધનો અનોખો આનંદ મળે છે પરંતુ જે રૂપમાં ઈશ્વરને મનુષ્ય જોવા માંગે એમાં એના દર્શન થતા નથી. આથી ઈશ્વરને કોઈ કાલ્પનિક રૂપમાં   જોવાની પ્રવૃત્તિ કોઈ અર્થ છે ખરો? 

                                                                  એક વસ્તુ જરૂર છે કે દરેક ચેતનમાં ઈશ્વરના એક સ્વરૂપનું દર્શન કરવાથી એક અનોખો આનંદ મળે છે . ભગવાન કૃષ્ણે અર્જુનને વિનંતીને માન આપી પોતાના મુખમાં અખંડ પૃથ્વીનો જીવંત ગોળો જ બતાવ્યો  હતો. એટલે કે' દરેક જીવંત વસ્તુઓમાં  હું છું.'



                                             એનાથી પ્રેરિત થઈને -

                                              હરિ તને દેખું ---

                                     હરિ તને દેખું  હર ચેતનમાં

                                     હર પળ એક નયા રૂપમાં 

                                     વાયુના સુસવાટે તારો સંચાર  છે 

                                     વીજળીના ઝબકારે તું તો દેખાય છે 

                                     હરિ તને દેખું-

                                     હિમ શિખરોના સૌંદર્યમાં  તું 

                                     વહેતા ઝરણાના સંગીતમાં તું 

                                     કદી સામે આવે દરિદ્ર નારાયણના રૂપમાં

                                     તો કદી દેખું પીડાતા માનવોમાં 

                                     હરિ તને દેખું ---

                                     જીવનભર શોધતો રહ્યો સારા જગમાં 

                                     જયારે તું બેઠૉતો  મારા અંતરમાં 

                                     હરિ તને દેખું ---

                                     ભારત દેશાઇ 

         ( આ કવિતા અમેરિકામાંથી પ્રસિદ્ધ થતા ' ગુજરાતી ડાઈજેસ્ટમાં પણ પ્રસિદ્ધ થઇ ચુકી છે.) 

       ' આથી ઈશ્વર સર્વત્રછે.' એમ ગુરુ નાનકે પણ કહ્યું છે ફક્ત એને ઓળખવાની દ્રષ્ટિ કેળવવાની જરૂરત છે. 

                                    ***********************************

                                      


Wednesday, December 2, 2020



ફિલ્મ અભિનેતા હો તો આવા હો 

                                               કેટલાકને ભગવાનને કુદરતી ભેટ આપી   હોય છે જેવોકે , દેખાવ, સુંદર અવાજ     , વ્યક્તિવ, અને કુટુમ્બીક સગવડો   પરંતુ કેટલાક  એવા હોય છેકે પોતાનું જીવન ઝુપડપટ્ટી અને કબ્રસ્થાનથી શરુ કરી રૂપેરી દુનિયામાં પોતાનું સ્થાન સંગર્ષો, આવડત  અને અથાગ મહેનતથી જમાવે છે. એમાંના એક હતા અભિનેતા  અને સ્ક્રીપટ લેખક કાદરખાન. એમણે ૩૦૦  ફિલ્મોમાં કામ  કર્યું અને એમાંથી ૨૫૦ ફિલ્મના સંવાદો લખ્યા હતા. 

                                            કેદારખાનાની જીવનકહાણી બહુજ કરુણમય હતી. મુસ્લિમ અફઘાન પિતા અને ભારતીય માતાના પુત્ર હતા પરંતુ માતા પિતાના લગ્ન જીવનમાં ભંગાણ થયું અને માટે પૂર્ણ લગ્ન કર્યા તે પણ કામયાબ  ન નીવડ્યું  અને કાદરખાનને માતા સાથે મુંબઈ ના કમાતી પુરા જેવા ખરાબ વિસ્તારમાં જીવન વિતાવવું પડ્યું. મા કાદરખાનને મસ્જીદે જવા સમજાવતી તો કાદરખાન કબ્રસ્થાનમાં પહોંચી જતા. કબ્રસ્થાનમાં તેઓ મૉટે  મોટેથીસંવાદો બોલતા ત્યાંથી એમની ફિલ્મી કારકિર્દી શરુ થઇ એમ કહેવાય.



                                           ગરીબીથી તંગ આવી કાદરખાને નોકરી શોધવા માંડી પણ મા એ કહ્યું નોકરીમાં થોડા પૈસા કમાઈ લઈશ પણ એથી તારી  ગરીબી કદી દુરનહી થાય એના કરતા તું ભણવા માંડ . આમ માના પ્રોત્સાહનથી કાદરખાન આગળ વધ્યા અને એન્જિનિયર  બન્યા. એના પિતા ઇસ્લામિક વિદ્વાન હતા. એમણે  એને ધાર્મિક જ્ઞાન માટે પ્રોત્સાહિત કર્યા  અને કાદરખાને ઇસ્લામિક સાહિત્ય અને અરેબિકમાં 'એમએ' કર્યું. આખરે તો એ લેખક જીવ હતા. કોલેજ વખતમાં  એક  કાર્યક્રમમાં એનો અભિનય જોઈને દિલીપકુમારે  પણ એને સંવાદો લખવાની ઓફર કરેલી. એમની કારકિર્દી દરમિયાન એમણે અમિતાભ અને ગોવિંદાની ફિલ્મોમાં  સંવાદો લખ્યા. અમિતાભને તે અમિતાભના નામથીજ બોલાવતા કારણકે એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. પરંતુ એમની દોસ્તીમાં ભંગાણ પડ્યું  જ્યારે એક નિર્માતાએ બધાને સૂચના આપીકે અમિતાભને સર કહીને બોલાવવા  ત્યારે કાદરખાને એ સૂચનાનું ઉલ્લઘન કર્યું તો કેદારખાનને એની ફિલ્મ માંથી દૂર કરવામાં આવ્યા. આમ એ બંનેની મૈત્રી તૂટી ગઈ. ઝૂકવા કરતા સહન કરવું પસંદ કર્યું. એક વસ્તુતો સત્ય રહેશેકે અભિતાભની  ઘણી ફિલ્મો કેદારખાનના સંવાદોને લીધે જ સફળતા પામી હતી.



                                             કેદારખાન એટલા દેખાવડા ન હતા પરંતુ એમના અભિનય અને સંવાદોની બોલવાની અદા  લોકોને  પસંદ હતી. કાદરખાનના લખેલા ઘણા સંવાદો હજુ પણ લોકો યાદ કરે છે.  એમના ફિલ્મો માટે લખેલા આ થોડા દાખલાઓ છે. 

'દુઃખ જબ હમારી કહાની સુનતા હૈ , તો ખુદ ખુદ દુઃખી હો જાતા હૈ ' સંવાદોના 

(બાપ નંબરી , બેટા દસ નંબરી )

' જીન્દગીમેં આદમી દોઇચ ટાઈમ ઇતના જલ્દી ભાગતા હૈ , ઓલિમ્પીકકા રેસ હો  યા પોલીસકા કેસ હો '

(અમર, અકબર , એન્થની )

' મુહબ્બતકો સમજના હૈ તો પ્યારે ખુદ  મુહબ્બત કર, કિનારેસે કભી અંદાઝ- એ - તુફાન નહી હોતા'

 (હમ)

                                                    આ બતાવે છેકે ગમે તેવા વિષમ સંજોગોમાં  પણ સોનુ તો ચમકે છે. કાદરખાનની કહાની કમાટીપુરાથી તે રૂપેરી ફિલ્મી દુનિયા સુધીની અદભુત કથા છે .

                                      *********************************************

                                     


   

Tuesday, November 17, 2020



ભારતની પરિસ્થિતિ 

                               ભારત અત્યારે ઘણી જ મુશ્કેલ આર્થિક અને બળતી ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો જેવી પરિસ્થિતિમાં છે . એક બાજુ ચીન અને બીજીબાજુ પાકિસ્તાને સરહદો પાર તણાવની પરિસ્થિતિ ઉભી રાખી છે . બીજી બાજુ કોરોનાએ ભારતને આર્થિક રીતે ભાંગી નાખ્યું છે. 

                                નરેન્દ્ર મોદીજી એ પરિસ્થિતિની બરોબર સામનો કર્યો છે.નોટબંધી અને આખાદેશમાં નવી  'જીટીએસ' પદ્ધતિ દાખલ કરી એમણે મોટો દાવ  ખેલ્યો છે. કાશ્મીરમાંથી ૩૭૦ મી કલામ હટાવી અને  લોકોની સૈકાઓ જૂની આશા સમાન રામમંદિર બાંધવા આગળ વધી રહયા છે. પરદેશી ભારતીયો પણ તેમના નાના મોટા પ્રશ્નો હાલ કરવા માટે ભારત સરકાર પર ખુશ છે.  પરંતુ આર્થિક દ્રષ્ટિએ ભારતની હાલત બુરી છે. એવું લાગે છે કે કુશળ અર્થશાસ્ત્રીની  ભારતને જરૂર છે. મૂળમાં અર્થશાસ્ત્ર અને રાજકીય બાબતો તદ્દન જુદી છે આથી એને એની રીતે જ ઉકેલવી પડશે .



                               અત્યારે ભારતની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે  એનો 'GDP' અત્યારે -૨૩.૯ ટકા  પર છે. એના માટે કોરોના વખતના બીજા દેશોના' જીડીપી' જોઈએતો 

૧)અમેરિકા નો  જીડીપી: -  ૯.૧ ટકા 

૨)બ્રાઝિલનો       "      :  - ૧૧.૪ ટકા

૩)કેનેડા              "      :  - ૧૩   ટકા   

૪)સિંગાપોર         "     :   -૧૩.2 ટકા

૫)બ્રિટન             "     :   - ૨૧.૭ ટકા 

૬) રશિયા            "     :    - ૮ ટકા 

૭)જાપાન             "     :    - ૯.૯ ટકા 

૮)ઓસ્ટ્રેલિયા        "     :    - ૬.૩ ટકા 

૯)સાઉથ કોરિયા    "     :    -૨.૭ ટકા 

૧૦) સ્વિત્ઝરલેન્ડ    "     :    - -૯.૩ ટકા 

                                                       આ બધા દેશો કોરોનાથી પીડિત છે પરંતુ ભારતનો જીડીપી સૌથી નીચો ગયો છે. એ ભારતની કમનસીબી છે . આશ્ચર્યની વાત તો એ છે કે ચીન  જ્યાંથી કોરોના વાઇરસ શરુ થયો હતો  એનો જીડીપી સૌથી  સંતોષકારક +૩.૨ ટકા છે. 

                                                         આજ બતાવે છેકે ભારતની આર્થિક સ્થિતિ બહુજ નબળી કક્ષાએ પહોંચી છે. કરોના વાઇરસ પહેલા પણ ભારતની આર્થિક સ્થતિ સારી ન હતી એથી એના માટે કોઈ સમર્થ આર્થિક નિષ્ણાતની આવશક્યતા છે કારણકે ભયની ઘંટડીઓ વાગવા માંડી છે. રાજકીય દાવપેચ કરતા આર્થિક સ્થિતિને દુરસ્ત કરવાની જરૂરત છે. એમ નહિ કરવામાં આવશે તો દેશ દાયકાઓ પાછળ ચાલી જશે. 

                                                  ****************************** 

Sunday, November 15, 2020

 


ગિલગિટ અને બાલટિસ્તાન                   

                                                                                       આ એવા પ્રદેશો છે જેના વિષે ઘણા ભારતીયો કદાચ જાણતાનહિ હોય. ૧૯૪૭ માં કાશ્મીરના રાજા હરિસિંઘે ભારત સાથે જોડાણ  કરવામાં જે ઢીલ કરી હતી તેનું પરિણામ આજે પણ એ પ્રદેશો ભોગવી  રહયા છે.  પાકિસ્તાની આક્રમણખોરો શ્રીનગરને ઝાંપે આવી ગયા ત્યારે ડરીને હરિસિંહએ ભારતને શરણે આવ્યા. તે દરમિયાન પાકિસ્તાનીઓએ  ગિલગિટ અને બાલટિસ્તાનને કબજે કરી લીધા હતા. જે પ્રદેશો જમ્મુ કાશ્મીરના પ્રદેશ હતા.એના પર આજે પણ પાકિસ્તાન ગેરકાયદેસર કબજો જમાવી  દીધો છે . આવા પ્રદેશોને આજે  પાકિસ્તાનીકબજા ધરાવતા પ્રદેશો બની ગયા છે.



                                             ગિલગિટ અને બાલટિસ્તાન એ ચીનની સરહદને અડીને આવેલો ૭૨૪૯૬ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ છે.  આ પ્રદેશ ખનીજોથી સમૃદ્ધ પ્રદેશ છે. એની બહુમતી મુસ્લિમ  પ્રજા શિયા પંથી અને એમને પાકિસ્તાનના મુસ્લિમ સુન્ની પંથીઓ સાથે ફાવતું નથી. તે ઉપરાંત પાકિસ્તાની લશ્કર એમના પર સારો એવો જુલ્મ કરે છે. એમને પસંદ નથી.તેથી તેઓએ  આઝાદીની લડત ઉપાડી છે. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે  શખ્સગામ ખીણનો ૫૧૮૦ ચોરસ કિલોમીટર જેટલો  પ્રદેશ ચીનને ભેટમાં આપી દીધો છે. એનો પણ ત્યાંના  લોકોમાં વિરોધ છે.

                                                        ચીનાઓએ સિંધુ નદી પર બંધ બાંધવા  માટે તૈયારીઓ કરી લીધી છે.   એનાથી ઘણી ફળદ્રુપ જમીનો ડૂબી જશે  એથી  લોકોનો જબરજસ્ત  વિરોધ છે. આજ પ્રદેશમાંથી ચીનની  પાકિસ્તાની  ગ્વાદર બંદર સુધીની સડક પસાર થાય છે. એનો પણ લોકોનો વિરોધ છે.  પાકિસ્તાને નામના એ પ્રદેશના પ્રમુખ  અને વડા  પ્રધાન  નીમેલા છે એ રાજ કરેછે.  એમની સામે પણ  ત્યાંના  લોકોને અસંતોષ છે અને એમને આઝાદ થવું છે અને ભારત પ્રત્યે પણ સહાનુભૂતિ છે.  



                                                        ભારતે પણ બધા ગેરકાયદેસર ચીનના પ્રોજેકટોનો  વિરોધ કરેલો છે. પરંતુ આ પ્રદેશો ભારતમાટે  વ્યુહની   દ્રષ્ટિએ  બહુજ અગત્યનો છે.  આજે નહિ તો કાલે ભારતે એ પ્રદેશોનો એટલેકે પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશોનો કબજો લીધા વગર છૂટકો નથી.

                                 **************************************

                                          




 









                                    












          

           

                                  





          

           

                                  

Wednesday, November 11, 2020


 

અલાસ્કા 

                                                   અલાસ્કા એ અમેરિકાનું ૫૦ રાજ્યોમાંનું એક છે . જે  બહુજ  કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ખનીજોના ખજાનાઓથી સમૃદ્ધ રાજ્ય છે.  ઉત્તત ધ્રુવની નજદીક અને રશિયાના સાઇબિરિયાની પાસે  આવેલો પ્રદેશ છે. જુના કાળમાં એ રશિયાના  તાબામાં હતો પરંતુ રશિયા એને બિન ઉપયોગી પ્રદેશ સમજીને એને અવગણતું હતું. રશિયાના રાજા ઝારે એને અમેરિકાને તે વખતના ૭.૨ મિલિયન ડોલરમાં વેચી નાખ્યો હતો .



                                      તમે  ક્રૂઝિંગ દ્વારા કૅનેડાની સમુદ્ર ધૂની મારફતે અલાસ્કા પહોંચો તો તમને અલાસ્કાનું અલૌકિક  સૌંદર્ય જોવા મળશે .  હિમ શિખરો, પર્વતી ઝરણાઓ , બરફના ખાળકો ખડકઓ જોઈને તમે જે પ્રસન્નતા અનુભવો તે દુનિયાની ઘણી થોડી જગ્યાએ અનુભવશો.  બરફના ગ્લેસીયરને તમે નજદીકથી જુઓ અને જે રોમાંચ અનુભવો એનો આનંદ અનોખો હોય છે. 

                                           અલાસ્કાનો  પ્રદેશ બે  ટાઈમ  ઝોન માં આવેલો એટલો વિશાળ છે. ત્યાં ૫૦૦૦જેટલા  જ્વાળામુખી આવેલા છે અને સેંકડો તળાવો છે.  એક લાખ જેટલા બરફના ગ્લેસિયરસ  આવેલા છે. અલાસ્કાના  દરિયામાં ૧૦૦૦ જેટલી વિકરાળ  વહેલ માછલીઓ ફરતી રહે છે.



                                            અલાસ્કાની જમીનમાં ખનીજ તેલોના ભંડારો આવેલા છે.  સોનુ , ઝીંક , જેવી કિંમતી ધાતુઓ પણ અહીં નીકળે છે જે અલાસ્કાનો સમૃદ્ધ  બનાવે છે . અમેરિકામાં અલાસ્કાનો  ધાતુઓની પેદાશમાં  બધા રાજ્યોની પેદાશમાં બીજો નંબર છે. તે ઉપરાંત વિપુલ પ્રમાણમાં દરિયામાં માછલીઓ  મળે છે. અને ઘાઢ જંગલોને કારણે સારું એવું લાકડું પણ મળી રહે છે .




                                               અલાસ્કામાં કોઈ આવક વેરો નથી. ત્યાંના રહેવાસીઓને નિશ્ચિત  વાર્ષિક કેશ રકમ આપવામાં આવે છે એજ એની સમૃદ્ધિનો પુરાવો છે. આધુનિક રશિયા જરૂર અલાસ્કાનો અમેરિકાને  વેચી દેવા માટી પસ્તાતું  હશે પરંતુ એનો કોઈ અર્થ નથી.

                                    **************************************************  

                             

                                                                          

Thursday, November 5, 2020

 


આયુર્વેદ અને સ્વાસ્થ્ય                                                                     

                                                                   આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓએ જે કઈ સ્વાસ્થ્ય વિષે    લખ્યું છે  તેનું આજનાવિજ્ઞાને અનુમોદન કર્યું છે . કામનસીબે આયુર્વેદ લખેલું સમયની સાથે ભુલાતું ગયું અને આધુનિક વિજ્ઞાનનું  જ્ઞાન આગળ વધી ગયું.  ભારતે પણ આયુર્વેદને એના ગુલામી કાળમાં તદ્દન એને અવગણ્યું  તેથી એની મહત્વતા ઓછી થતી ગઈ. 

                                                                     આર્યુવેદ પણ કહે છેકે  સવારનો નાસ્તો વધારે પ્રમાણમાં લેવો ત્યાર બાદ બપોરેનું ભોજન જરા હળવું હોવું જોઈએ અને રાત્રિનું ભોજન તો તદ્દન હળવું હોવું જોઈએ. 

                                                                     તે ઉપરાંત ખોરાકમાં શું લેવું અને શું ન લેવું એનું પણ વિવરણ કરવામાં આવ્યું છે.   કાર્બોહાઇડરટે  વાળો ખોરાક આછો ખાવો જેથી  શરીર હળવું રહે. 



                                                                       તંદુરસ્તી માટે રાતના ભોજન હળવું રાખવા  પર આયુર્વેદ વધારે ભાર મૂકે છે કારણકે રાતના આપણી પાચન ક્રિયા મંદ હોય છે. ભારે ખોરાક  રાતના ઊંઘને બગાડે છે.  માટે રાતના વધારે પ્રોટીન વાળા પદાર્થો ખાવા આવશ્યક છે. જેવાકે  દાળ ,ભાજી  અને લીલા શાકભાજી . રાતના ઓછા મસાલા વાળો  ખોરાક ખાવો જોઈએ.  કઢીને રાતના ભોજનમાંથી દૂર રાખવી જોઈએ એને બદલે દહીંમાંથી બનેલી  છાસ વધારે આવકારદાયક છે . રાતના વધારે પડતા મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ  કારણકે મીઠું  શરીરમાં પાણી વધારી ને બ્લડ પ્રેસ્સર  અને હ્દય રોગનું રિસ્ક વધારે છે. 

                                                                         તે ઉપરાંત આયુર્વેદ  ઓછી ચરબી વાળું દૂધ  અને તે પણ થોડા આદુના રસ સાથે લેવાનો આગ્રહ  રાખે છે. દૂધ પણ થોડું ગરમ હોવું જોઈએ અને ઠંડા  દૂધને શરીર માટે  હાનિકારક માનવામાં  આવે છે. ટૂંકમાં ચરબીવાળા અને ઠંડા પદાર્થો નું વધારે પડતું સેવન તંદુરસ્તી માટે હાનિકારક છે.

                                                                         આર્યુવેદ કહેછેકે  દિવસના અંત ભાગના પર જમીન અને પાણીનો  કાબુ હોય છે. એટલા માટે રાત્રીના ભોજન પર કાબુ હોવો જરૂરી છે.  આયુર્વેદ  માને છે કે તંદુરસ્ત ખોરાક ખાઈ તંદુરસ્ત શરીર  રાખો.  સારોએવો નાસ્તોસવારના કરો પરંતુ ત્યાર બાદના ભોજનો હળવી શક્તિ પેદા કરે એવાજ હોવા જોઈએ .

                                         ************************************  

                                                                         

Wednesday, October 14, 2020

 


વયસ્થોમાં માનસિક મૂંઝવણ 

                                                                                                               જેમ જેમ ઉંમર વધતી જાય છે  તેમ વયસ્થોમાં  ઘણી બાબતોમાં   મૂંઝવણ ઉભી થતી જાય છે.  ઘણા એને અલઝહેઈમર્સની શરૂઆત ગણે  કે પછી મગજનો કોઈ રોગ પણ હોઈ શકે છે.  પરંતુ એ મૂંઝવણના મુખ્ય  કારણો બીજાજ  હોઈ શકે છે. 

                                                      એના કારણોમાં  કાબુ બહારનો ડીયાબેટિસ, અથવાતો કિડનીમાં ઇન્ફેકશન અથવાતો  ડિહાઈડ્રેશન  પણ  હોય શકે . આથી એ કારણોની કાળજીઓ રાખવાની વધુ જરૂર છે. 

                                                      આથી વયસ્થોને  વધારેને વધારે  પાણી પીવાની  યાદ  આપવી જોઈએ .  જો તેમને પાણી ન પીવું હોય તો ફળોના રસ , અથવા  નારિયળનું પાણી , અથવા  ચા , અથવા  દૂધ , અથવા સૂપ કે પછી  પાણીવાળા ફળો ખાવાની ટેવ પાડવી જોઈએ . તેમના  માનસિક મૂંઝવણમાંથી એ વસ્તુઓ  રાહત આપી શકે છે.  પાણીથી ભરપૂર ફળોમાં   તરબૂચ , અનનસ, પીચ , નારંગી, ઓરંજ , અને  ટેન્ગરીન છે.  તે લેવા જોઈએ. 



                                                 ડિહાઈડ્રેશન શરીર  અને મગજ માટે ઘણું નુકશાનકારક  છે.  તે  બ્લડપ્રેસર  વધારે છે. માનસિક તાણ વધારે છે . સ્વાસોસ્વાસમાં  તકલીફ ઉભી કરે છે. છાતીમાં દુખાવો , હૃદયના  ધબકારો  વધવા , અને બેહોશ થવા જેવી  બીમારી વધારે છે.  આથી ડીહાઇડ્રેશન બાબતમાં વયસ્થોએ બહુજ કાળજી રાખવી જરૂરી છે . 



                                                   આ એક  માહિતીને આધારે વિવેચન છે પરંતુ દરેક વયસ્થે પોતાની શારીરિક  સ્થિતિ પ્રમાણે પોતાના ડોક્ટરની  સલાહ પ્રમાણે ચાલવાની જરૂરિયાત છે. 

                                        ***********************************


Saturday, October 10, 2020



 મૂત્ર ચિકિત્સા 

                                                                 ઘણા લોકોને મૂત્ર ચિકિત્સા વિષે અણગમો  હોય છે કારણ કે મૂત્રમાંથી  આવતી વાસ , એનો સ્વાદ અને રંગ પણ વિચિત્ર હોય છે. પરંતુ કુદરતની કમાલ એવી છેકે  ખરાબ સ્વાદવાળી વસ્તુઓમાં એવા ગુણો ભરી દીધા હોય છે  કે માનવીને કમને પણ  એને આશરે જવું પડે છે.   જેમકે લીમડો, કારેલા, મેથી , જેવી વસ્તુઓ એટલી કડવી હોય છે છતાં  ઘણા રોગોમાં એનો ઉપાય અકસીર  હોય છે.  તેમ મૂત્ર પ્રત્યે સુઘ  હોવા છતાં ઘણા એનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને એ  ઘણા રોગો પર અકસીર બની રહ્યું છે. 

                         થોડા વખત પહેલા જ જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે વિદેશી ચેનલની મુલાકાતમાં જણાવ્યું હતુંકે તેઓની તંદુરસ્તીનું  કારણ તેમનું નિયમત ગૌ મુત્રનું સેવન છે. આજ પ્રમાણે એક વાર પરદેશ પ્રવાસ દરમિયાન એક અમેરિકન  ટીવી ચેનલને  પૃર્વ વડાપ્રધાન , મોરારજી દેસાઈએ  એમની તંદુરસ્તીનું રહસ્ય   એમનું સ્વમુત્રનું  સેવનને આભારી છે એમ જણાવ્યું હતું.  ટીવી એન્કરે એમને પૂછ્યું 'તમને એનું સેવન કરવાથી ખરાબ કે ગંદુ  લાગતું  નથી ?   હું તો મારું પોતાનું મૂત્ર પીવું છું પરંતુ કેટલાક  લોકોતો જાહેરબાથરૂમમાંથીલીધેલા મુત્રમાથી બનેલી દવાઓ લેછે. એમણે કેટલીયે દવાના નામો ત્યાંને ત્યાંજ આપ્યા. અને પેલા  ટીવી  એન્કરની બોલતી બંધ થઇ ગઈ . જાપાનમાં જાહેર મુતરડીમાંથી મેળવેલા મૂત્રમાંથી  જીવ બચાવે એવા ઈન્જેકશન બનાવવામાં આવે છે. એના નામો છે જેવાકે યુરોફાઈનેંસ પ્રોફાસી , એન્ટિનિઓ પ્લાસ્ટીન   પ્રાગાનીલ.  એમાંની છેલ્લી  દવાનો ઉપયોગ લોહીના ઘટટાને પીગળાવવામાં  મદદરૂપ થાય છે.  મુત્રમા  શરીર ઉપયોગી બહુ  મૂલ્યવાન તત્વોઓ હોય છે જેવાકે વિટામિન , ક્ષાર , લોહતત્વ , પ્રોટીન , એન્જાઈમ , હોર્મોન્સ વગેરે વગેરે .

                                               સ્વમૂત્રની બાબતમાં એના ગુણો વિષે હિન્દૂ  પ્રાચીન ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ખ્રિસ્તી   પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ છે કે ' તારા શરીરમાંથી નીકળતા પાણીનું પાન કર ' યુરોપ , જાપાન, ઓસ્ટ્રેલિયા , ચીન , ઇંગ્લેન્ડ , અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં પણ સ્વમૂત્ર ચિકિત્સા  પ્રચલિત છે.

                                                 સ્વમૂત્ર ચિકિત્સામાં  પણ અમુક નિયમોં છે. જેમ કે વહેલી સવારના પહેલા મૂત્રનો આગળ અને પાછલો ભાગ છોડીને બાકીના મૂત્રનો જ ઉપયોગ કરવાનો હોય છે.સ્વમૂત્ર ચિકિત્સાનો ઉપયોગ  આંખ , કાંન ,  દાંત , નાક, ગળું, ,વાળ  અને ચામડીના રોગોની  માવજત માટે પણ કરવામાં આવે છે. અગત્યની વાતતો એ છેકે એ ચિકિત્સા પદ્ધતિનો ગરીબ અને ધનવાન અને બધા  વર્ગ  કરી શકે છે. 

                                                       *************************  

                          

                                                      


Saturday, October 3, 2020



ચીની ચાલ 

                                                                                       ચીન આજે દુનિયામાં એકદમ અળખામણું બની ચૂક્યું છે એના ગણા વજૂદ કારણો છે.એકતો કોરોના વાયરસને જન્મ આપ્યો અને એના વિશેની બધી વિગતો લાંબા વખત સુધી છુપાવી. તથા  દુનિયામાં એનો ફેલાવો  થવા  દીધો. ચીન પર  એવો પણ આરોપ છેકે  કોરોના વાયરસની ઉત્તપતિ  ચીનની રાસાયણિક લેબમાંજ થયો અને ત્યાંથી જ એ લીક થઈને આખી દુનિયામાં પ્રસરી ગયો. આજે કોરોના વાયરસે   આખી દુનિયાની અર્થવ્યવસ્થા ખેરવી નાખી એના માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે . એની પાછળ પણ ચીનની વિશ્વિક સર્વોપરિતા મેળવવાની ચાલ ગણવામાં આવે છે. 

                                              ચીનની ચાલબાજી એકજ ક્ષેત્રમાં નથી.  હોંગકોંગ અમારું છે એમ કહી બ્રિટનને ખોટા વચનો આપી પડાવી લીધું . તાઇવાન પણ અમારું છે એમ કહી ધિકતીધરા હજુ ચાલુ છે. એટલુંજ નહીં પણ  આજુબાજુના બધાજ  દેશોની જમીનો પર ચીનની નજર છે અને તક મળે એટલે તેમની જમીનો પચાવી પાડવાની તૈયારીમાં છે.  ભારત સાથે એને  લડાખ, સિયાચીન , અરુણાચલ પ્રદેશ , નાની મોટી કેટલીયે જગાઓ માટે ૩૪૮૮ કિલોમીટરની સરહદ પર ઝગડો છે. કીર્ગીસ્થાનના કેટલાક પ્રદેશો પર પણ ચીનનો દાવો છે. કીર્ગીસ્થાને તો એની  ચીનની સાથેની  સરહદો સીલ કરીદીધી છે.  તજિકિસ્થાને ૫૦ કિલોમીટર જેટલી જમીન ચીનને આપી દીધી છે તો પણ ચીનને હજુસંતોષ નથી . ચીનને  અફઘાનિસ્તાન સાથે પણ સરહદી ઝગડો છે. નેપાળની પણ કેટલીક જમીન ચીને પચાવી પાડી છે. એજ પ્રમાણે ભૂતાન, અને મ્યાનમાર સાથે પણ સરહદી ઝગડો છે.

                                             ચીન દક્ષિણ ચીની સમુદ્ર પણ પોતાનો માને છે. દક્ષિણ સમુદ્રમાં  આવેલા કેટલાએ ટાપુ પર ચીને દાવા ઠોક્યાં છે. આથી ચીનને  મલેશિયા , સિંગાપોર ,લાઓસ, વિયેતનામ ફિલિપાઇન, બ્રુનોઇ , ઇન્ડોનેશિયા  અને સાઉથ કોરિયા જેવા દેશો સાથે પણ  ઘર્ષણ શરુ થયું છે.રશિયા અને મોંગોલિયા સાથે પણ ચીનના સરહદી ઝગડાઓ છે. 

                                           ચીન  ગરીબ અને નબળા દેશોને  ધિરાણ કરી એમને ફસાવે છે. અને પછી એમના કુદરતી સાધનો અને જમીનો પર કબજો જમાવી ત્યાં પોતાના થાણા બનાવી એમને ગુલામ બનાવી દે છે. આ પણ ચીનની એક ચાલ છે.

                                                આવી વિસ્તારવાદી નીતિને  હવે અમેરિકા , ઓસ્ટ્રેલિયા , જાપાન, સાઉથ કોરિયા , બ્રિટન અને યુરોપના દેશો ઓળખી ગયા છે. એમાં એમને ચીનની વિશ્વ સત્તા બનવાની ગંધ આવેછે. તેમાં કોરોના વાયરસે આગમાં  પેટ્રોલ નાખવા જેવી પરિસ્થિતિ  ઉભી કરીછે. એમાંથી વિશ્વ યુદ્ધનો ભડકો થવાની પણ શક્યતા છે. મૂળમાં તો ચીનની દરેક ક્ષેત્રમાં  વધી રહેલી ચાલબાજી  જ જવાબદાર છે. એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ચીનને કોની સાથે  ઝગડો નથી ?

                                    ****************************************  

Monday, September 14, 2020



અબળા શક્તિ 

                                                                           આજે સ્ત્રીઓને અબળા માની એનો ઉદ્ધાર કરવા માટે  કેટલાક લોકો એક આંદોલન ચલાવી રહયા છે. મૂળમાં તો સ્ત્રીઓમાં આંતરિક શક્તિ એટલી છેકે તે પુરુષોને પાછળ પાડી શકે છે. ફક્ત એને રૂઢિચુસ્ત  અને હોશિયાર લોકોએ  ધાર્મિક, સામાજિક અને કુટુંબિક  કારણો દ્વારા દબાવી રાખી છે. લોકશાહીના જમાનામાં સ્ત્રીઓના મતોની પણ ઘણી શક્તિ છે એથી એમનો  અને એમની લાગણીઓને રાજકીય દ્રષ્ટિએ ઉપયોગ કરી કરવામાં આવે છે.  પરંતુ જ્યાં જ્યા સ્ત્રીઓને તક મળી છે ત્યાં તેમણે એમની શક્તિ બતાવી દીધી છે. સ્ત્રીઓએ  હવે  રાજકારણ , કળા અને સંસ્ક્રુતિના ક્ષેત્રમાં , અને સમાજમાં ઉચ્ચ સ્થાનો મેળવી ચુકી છે .



                                         માર્ગરેટ થેચર બ્રિટનના બહુજ મજબૂત વડા પ્રધાન ગણાયા  છે. એમણે ભલભલા પુરુષ રાજપુરુષોને મહાત કર્યા હતા . એમનું માનવું હતું કે ' પુરુષો બોલવામાં  હોશિયાર  હોય છે. પણ કામને જલદી અને સારી રીતે  પૂરું કરાવવું હોય તો એ સ્ત્રીઓ દ્વારાજ સારી રીતે થઇ શકે.' એમાં એમણે સ્ત્રી શક્તિને બિરદાવી છે.



                                           જાણીતી હોલિવુડ  અભિનેત્રી  ઔડ્રી  હેપ્બર્ન તો માનતી હતી કે આ જગતમાં કોઈ પણ ચીજ  હાસિલ કરવી અશક્ય નથી કારણકે  ઇમ્પોસિબલ શબ્દ જ કહે છે કે (આઈ એમ પોસિબલ ) ' એટલેકે દરેક વસ્તુ શક્ય છે. આજ  અભિનેત્રીની શક્તિનો અને આત્મા વિશ્વાસનો   પરિચય  આપે છે .



                                            એલીના રૂઝવેલ્ટ  અમેરિકન પ્રેસિડેન્ટ  રૂઝવેલ્ટના પત્ની હતા પરંતુ તેમના સામાજિક કાર્ય માટે આખા અમેરિકામાં બહુજ પ્રસિદ્ધ  હતા . તેઓ પ્રેસિડેન્ટને માટે એક પ્રેરણા  હતા. તેમણે સ્ત્રી શક્તિને બિરદાવતા લખ્યું કે ' સ્ત્રી એ એક ચાની બેગ જેવી છે. એ કેટલી કડક છે એ ત્યાં સુધી ખબર ન પડે જ્યા સુધી એ ગરમ પાણીમાં ન મુકવામાં આવે . એટલેકે સ્ત્રીની  શક્તિ  ખરાબ સમયમાં ખબર પડે છે. 

                                             કેટલીક સ્ત્રીઓ બિન્દાસ હોય છે એજ એમની સફળતાનું રહસ્ય હોય છે.  એમાં અભિનેત્રી  કેથેરીન હેપ્બર્નનું  એક કથન યાદ રાખવા જેવું છે ' એ કહે છેકે  'તમે બધા  નિયમો પ્રમાણે ચાલો તો પછી જીવનમાં કોઈ  આનંદ જેવું શું રહે ?. આવી જલદ વિચારશરણીમાં એને સફળતા અને આનંદની ચાવી દેખાય છે.આ વિચારમાં દુર્ગા ની શક્તિનો આભાસ થાય છે.  સ્ત્રીની દુર્ગા શક્તિ ઘણીવાર વિનાશક બનેલી આપણે નિહાળી છે .

                                                બીજી એક અભિનેત્રી બેટ્ટી  ડેવિસ તો જીવનમાં અશક્ય વસ્તુ કરવામાં માને છે જેથી  પોતાના કામને આગળ વધારી શકાય.



                                                  સ્ત્રીઓમાં નિર્ણય શક્તિ અદભુત હોય છે  એનો દાખલો રાણી લક્ષ્મીબાઈનો છે. એણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં એનું રાજ બ્રિટિશોના હાથમાં નહિ જવા દે અને અંગ્રેજોને એ ભારે પડી ગયા. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને ચોખ્ખું કહી દીધું હતું કે 'મહાભારતના મહાસંહાર માટે એનો પ્રતિશોધ જવાબદાર હતો.' આજ સ્ત્રી શક્તિનો એક અજોડ દાખલો છે.

                                                   આથી સ્ત્રી શક્તિને  ઉપ્પર લાવવા કરતા એમને  પૂરતી સ્વાતંત્રતા અને સમાનતા નિખાલસ  દિલે પુરુષોએ સ્ત્રીને  આપવાની જરૂરત છે. એમનામાં શક્તિ આપવાના આંદોલનો ચલાવવાની કોઈ જરૂરિયાત  નથી. 

                                                       *********************************        

                                    

                                     

Friday, September 11, 2020

 


ગાંધીજીનો તદ્દન સામાન્ય અને સાદો આહાર

                                                                          ગાંધીજીનું જીવન ખુલ્લી બુક જેવું હતું . તેઓ તદ્દન સાદું જીવન ભારતના ગરીબ લોકોને અનુરૂપ હતું. તેઓનો પહેરવેશ અને હાવભાવ  સામાન્ય માનવી જેવું જ હતું. તેઓ ધાર્મિક હતા અને કહેતાકે હું દ્રરિદ્ર નારાયણમાં પરમાત્માના દર્શન કરું છું.  એથી એમના સાદા જીવન જેવું એમનો આહાર પણ સાંમાન્ય લોકો જેવો હતો.

                                                                              ગાંધીજી શાકાહારી અને ઘણુંખરું   કાચું  તથા  રાંધ્યા વગરનો આહાર પસંદ કરતા . સવારસાંજ  લીંબુનો રસ મધની  સાથે લેતા . તેઓ ફણગારેલાં ઘઉંને આહારમાં પસંદ કરતા . દરરોજ  ૨૨૦ એમ એલ  બકરીનું દૂધ પસંદ કરતા.  ઘણીવાર  તેઓ ગાયનું દૂધ કે  નાળિયેરનું દૂધ  પણ પી લેતા. 



                                                                             દરરોજ ૨૦૦ ગ્રામ ઘી નો પણ ઉપયોગ  કરતા.  એમના આહારમાં ૨૩૦ ગ્રામ  તાજા ફળોનો અને કઠોરનો  પણ ઉપયોગ કરતા .  તે ઉપરાંત લસણ પણ એમના આહારનો એક ભાગ હતો. સૂકો મેવો કદી કદી એમના આહારમાં  માર્યાદિત પ્રમાણમાં જ ઉપયોગ કરાતો .

                                                                                  તે ઉપરાંત દરરોજ શારીરિક કસરતો એમના જીવનનું અંગ  હતું. 

                                                                                સાદું ભોજન અને સાદું જીવન શરીરને  વધારાની ઉર્જા આપે છે તે એમની જીવન શૈલી પરથી સિદ્ધ થાય છે. ગાંધીજીનું સાદું અને સાધુમય જીવન ભારતવાસીઓ  માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ બની ગયું હતું . આથી ભારતની પ્રજા એમને સંતની જેમ આદર કરતી હતી. 

                                                      **********************************

 

Friday, September 4, 2020

 


હોલિવૂડ  અને બોલિવૂડ 

                                                                                           હોલિવૂડમાં  'મી ટૂ' નું જે આંદોલન શરુથયું એમાં મોટા મોટા માથાઓ વધારાઈ ગયા. એમાં રેપ ,પ્રતિબંધ દવાઓનો, અને  સેક્સુઅલ  હુમલાઓના પણ ગુનાઓ આગળ આવ્યા હતા.  એમાં હોલિવૂડના મોટા દિગ્દર્શકો , અભિનેતાઓ અને હાસ્યકલાકારો પણ  સંડોવાયેલા હતા . એવીજ હાલત હવે બોલિવૂડની અભિનેતા  સુશાંતસિંહની આત્મહત્યા બાદ ઉભી થઇ છે.



                                                                     હોલિવૂડમાં જાણીતા  ડિરેક્ટર હાર્વે વેઇનસ્ટીન પર પણ સેક્સુઅલ  હેરાનગતિ કરવાના અને બળાત્કારના  કેસોનો સામનો કરવો પડ્યો હતો અને સજાઓ પણ સહન કરવી પડી હતી . જાણીતા હાસ્યકાર અભિનેતા અને પિતાતુલ્ય અભિનેતા બિલ કેસબીની ઉપ્પર પણ બળાત્કાર  અને  સેક્સુઅલ હુમલા જેવા આરોપો લાગ્યા. એમને પણ જેલની હવા ખાવી પડી રહી છે. આવા ઘણા દાખલાઓ હોલિવૂડમાં છે પરંતુ આતો દાખલાઓ તરીકે રજુ કર્યા છે. ટૂંકમાં હોલિવૂડમાં ડ્રગ , બળાત્કાર , અને સેક્સને લાગતા અનેક ગુનાઓ જોવા માટે છે .



                                                                    ' મી ટુ' ના દાખલાઓ બોલિવૂડમાં પણ આવ્યા હતા  જેમાં દાખલા તરીકે ડિરેક્ટર સજજિદખાન , નાના પાટેકર સામે પણ અભિનેત્રીઓએ  સેક્સુઅલ હેરાનગતિના આરોપો લગાવ્યા હતા . આતો  બહાર આવેલા થોડા  કેસોમાના થોડા છે, એટલેકે બરફની જેમ ૧/3  બહાર આવેલા છે બાકીના અંદર ઢંકાયેલા રહેલા પણ હોય  શકે . એક વાતતો બહાર આવતી જાયછે કે હોલિવુડની જેમ બોલિવૂડમાં પણ સેક્સ , ડ્રગ, અને બળાત્કાર જેવી બદીઓ ફેલાયેલી છે.



                                                                     અભિનેતા સુશાંતસિંહ રાજપૂતઅનેઅભિનેત્રી રિયા ચક્રવર્તી ના મામલામાં જેમ  જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ બોલિવૂડની ડ્રગ અને સેક્સની કહાનીઓ આગળ આવતી જાય છે. એમાં કેટલાએ અભિનતા અને દિગ્દર્શકઓ આવી જશે એનો અંદાજ હજુ આવી રહ્યો નથી . પણ એક વાત ચોક્કસ છે કે ચલચિત્રના ક્ષેત્રમાં  ગ્લેમર અને  સ્વર્ગી સમૃદ્ધિના વહેણની સાથે ડ્રગ અને સેક્સ રમતનું વહેણ પણ વહી રહ્યું છે.  શહેરમાં સારી હવા માટે ગટ્ટરને સાફ કરવી જરૂરી છે. તેમ ફિલ્મ  કળાના ક્ષેત્રમાંથી  ડ્રગ અને સેક્સ જેવી ગંદકીને સાફ કરવી જરૂરી છે.

                                          ***********************************     

Sunday, August 16, 2020


 સફળ જીવન  

                                                                       દરેક પોતાના જીવનમાં સફળતા અને નિસ્ફળતા વિષે વિચારતા હોય છે પરંતુ એકને માટે સફળતા એ કોઈક બીજા માટે નિસ્ફળતા બની રહે છે એટલા માટે સફળતા માટે કોઈ એવો કોઈ માપદંડ હોવો જોઈએ જે સામાન્ય  લોકોને સ્વીકાર હોય. અમુક બાબતોને ધ્યાન રાખી માનવીના જીવનને મૂલવી  શકાય છે.

                            જેમ કે માનવીના જન્મ બાદ એકવર્ષમાં જો એ ચાલવાનું શીખી લીધું હોય તે સારી વાત કહેવાય. બાળકો લાંબી ઉંમર સુધી એના પેન્ટમાં જ પીસાબ કરી નાખતા હોય છે પરંતુ જો કોઈ પણ બાળકને  ૪ વર્ષની ઉંમરમાં એ પ્રકિયા પર અંકુશ આવી જાય તો એ એની એક સફળતા સમજી શકાય છે. કેટલાયે  બાળકો ઘરની  બહાર જાય પછી એના ઘરે  પાછા આવવા માટે ફાંફાં  મારવા પડે છે. ૮ વર્ષે એટલી આવડત આવી જાય તો બાળકની એ સફળતા ગણવી જોઈએ .


                              બાળ અવસ્થામાં ૧૨ વર્ષની કિશોરે ઉંમરે મિત્રો બનાવવાની કળા સફળતા માટે આવશ્યક છે અને ૧૮ વર્ષની ઉંમરે મોટર કાર ચલાવતા આવડવું જોઈએ અને એનું લાઇસન્સ પણ મેળવી લેવું જોઈએ .      

                                    ૨૩ વર્ષની ઉંમરે  સ્નાતક થઇ  અને ૨૫ વર્ષની ઉંમરે જો કોઈ કમાવા માંડે તો એ  એ સફળ જીવનની નિશાની છે.  ૩૦ વર્ષની ઉંમરે જો કોઈ કુટુમ્બીક માણસ ન બને તો એ સારી નિશાની નથી . જીવનના સંગર્ષમાં ૪૫  વર્ષેની વયે પણ તમે યુવાન જ દેખાવા જોઈએ. તમારા પુત્રો અને પુત્રીઓ 50 વર્ષની વયે સારું શિક્ષણ લેતા હોવા જોઈએ . તમારી ફરજો  પણ તમે  ૫૫ વર્ષે સારી રીતે બજાવવી જોઈએ. 

                                     ૬૦વર્ષે તમે કાર ચલાવતા હો  અને ૬૫ વર્ષે કોઈ પણ રોગના ભોગ ન બન્યા હોય તો એજીવન માટે સારી નિશાની છે.  ૭૦ વર્ષે તમે કોઈના પર બોજા  રૂપ નહિ બનો, અને ૭૫  વર્ષે પણ મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હોવું એ એક સફળ જીવનની નિશાની છે. 

                                        વધારે આનંદ જનક અને સુખદાયી ઘટના તો એ છે કે તમે ૮૦ વર્ષે પણ ઘર ભૂલ્યા સિવાય પાછા ફરી શકો છો . ૯૦ વર્ષની ઉંમરે તમેજો તમારી બધી જ ઇન્દ્રિયો પર કાબુ રાખી શકો અને જો કોઈની પણ મદદ વગર ચાલી શકો તો એ ખરેખર સફળ જીવનની નિશાની છે.

                               સામાન્ય માણસ માટે સફળ જીવનની એ બધી  નિશાનીઓ છે. 

                                            ***********************************          

Wednesday, August 12, 2020

 

અભિનેતા સુશાંતસિંગ  રાજપૂતની આત્મહત્યા 

                                               અભિનેતા સુશાંતસિંગના  મૃત્યુની કહાની આજે ભારતમાં બહુજ  ચર્ચાસ્પદ વાત બની ગઈ છે.  એક બીજો  પ્રશ્નતો એની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી સાથેના સબંધો અને એમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રશ્નોએ  તરખાટ મચાવી દીધો છે. લગ્નસંબંધો સિવાય બંનેની સમજૂતી પ્રમાણે સાથે રહેવાની પ્રથા જેને ઇંગ્લીશમાં ' લિવિંગ ઈન રિલેશનશિપની' પ્રથા પણ ચર્ચામાં આવી ચુકી છે. આજકાલ આ પ્રથા આધુનિક યુગમાં બહુજ પ્રચલિત બની ચુકી છે. પહેલા તો પશ્ચિમ સંસ્કૃતિમાં આવી અને હવે એ પ્રથા ભારત જેવા  દેશમાં પણ પ્રચલિત થવા માંડી છે.  એમાં લગ્નના બંધન સિવાય કોઈજાતની જવાબદારી વગર એકબીજાની મરજીથી બિન્દાસ જીવવાની છૂટ સમાન બની રહે છે. 

                                                સુશાંતસિંઘના  મૃત્યુ બાદ  આક્ષેપબાજીઓ  ચાલી  રહી છે. એમાં એનું મૃત્યુ આપઘાત છેકે પછી એનું ખૂન થયું છે? એવી વાતો પણ ચાલી રહી છે. સુશાંતસિંહ ના સબંધીઓ અને એના પિતાના કહેવા પ્રમાણે એની મિત્ર રીયા ચક્રવર્તીએ  સુશાંતસિંઘના  પૈસા વગે કરી દીધા હતા અને એને એના સગા સબંધીઓથી એને  દૂર કરી દીધો હતો. એનાથી સુશાંતસિંઘને  આપઘાત કરવા પ્રેયરાઓ  હતો. એના  માટે સુશાંતસિંઘના પિતાએ કેશ પણ નોંધાવ્યો છે .  એ બાબતો અત્યારે પોલીસે તપાસ નીચે છે.

                                                આ બધી બાબતોમાંથી  ' લિવિંગ ઈન રિલેશનશિપ ' પ્રથા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એ પ્રથામાં સ્ત્રી અને  પુરુષ બંન્ને ઘણુંખરું પુખ્ત વયના હોયછે . એથી એમાં લાગણીમાં તણાયા સિવાય બંન્ને બાજુએ પોતપોતાની   માનસિક અને નાણાકીય  બાબતો પર અંકુશ રાખવો જરૂરી છે  નહિ તો એના ગંભીર પરિણામો આવી શકે છે.  સુશાંતસિંઘનો મામલો એનો સચોટ દાખલો છે. જરૂરી એવો કાયદો પણ એ બાબતમાં લાવવો જરૂરી છે  જેનાથી આજની  અને ભવિષ્યની  પેઢીને રક્ષણ મળી શકે.  આજની આર્થિક  અને સામાજિક પરિસ્થિતિ  આવા વધુને વધુ મામલાઓ ઉભા થવાની શક્યતા વધારી દે છે.

                                                       ******************************     

Monday, August 3, 2020


માનવીય સબંધો 
                                                                         માનવીય  સબંધોને કોરોના  આફતે  વધારે  નજદીક લાવી દીધા છે. માનવ  સમાજ  બેબસ બની અને ઘરના ચાર ખૂણામાં ગોંધાઈ  રહેવાને મજબુર બન્યો છે. એમાંથી માનવ સબંધોનો નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. માતા પિતાનો   પોતાના સંતાનો સાથેના સબંધો ગાઢ  થવા માંડયા છે. પતિપત્નીના સબંધો વધારે વિકસાઈ રહયા છે.  મિત્રતાના સબંધો  વધારેને વધારે વિકસી રહયા છે. ઘરોમાં હવે વિવિધ વાનગીઓ બનાવી મિજબાની થવા માંડી છે. આમ માનવીય સંબંધોમાં સારી દિશામાં વળાંક આવ્યો છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ  કહ્યું છેકે ' જે થાય છે તે સારા માટે જ હોય છે.'
                                  પરંતુ  માનવીય સંબંધોને સમજવાની અને એને વિકસાવવાની પણ કળા છે . ઘણીવાર લોકો કૈક કહી નાખે છે અને પછી કહે છે ' એતો મજાક કરતો હતો .' પરંતુ એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ . 
કદાચ એનામાં શબ્દોમાં કોઈ સત્ય પણ છુપાયું  હોય શકે છે.  કોઈ કહેકે 'મને કોઈ ફરક પડતો નથી તો સમજવું જોઈકે એના કહેવા પાછળ કોઈ લાગણીઓ છુપાયેલી  હોય છે .'
                                  ઘણીવાર લોકો  એલફેલ  બોલીએને  નાખે છે . અને સામે વાળા એને એમ કહીને ટાળી દે છે કે ' કઈ વાંધો નહિ '.  પરંતુ એની પાછળ એક ગહન દર્દ છુપાયેલું હોય છે એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ.  ઘણા પોતાની જાતને બધાથી અલગ કરી દે  તો  સમજવું જરૂરી  છે કે એ વ્યક્તિને સંબંધોની વધુ જરૂરત છે  જે એની મદદ  કરી શકે . માણસની ખામોશીની  પાછળ કેટલીયે વેદનાનો દરિયો પડ્યો હોય છે .
                                     બહાર  બહુજ હસતા લોકો  અંદરખાને  બહુજ એકલા હોય છે.  ઘણા માણસો બહાર બહુ મજબૂત દેખાતા હોય છે અને કદી રડતા પણ દેખાતા નથી પણ  એવાજ  લોકો અંદરથી  બહુ કમજોરે  હોય છે. એવા લોકોને બીજા સમજી સકતા નથી.  જ્યારે કોઈ નાની નાની બાબતોમાં  રડી પડતા હોય છે તે નાજુક હૃદયના  હોય છે.
                                             સંબંધોને તોડવા કરતા એમાં અંતર જાળવતા શીખવું જોઈએ. અને કોઈ પણ સંબંધને તોડતા પહેલા બે વાર વિચારવું  જોઈએ.  પોતાને જ  પ્રશ્ન પૂછવો જોઈએકે  કે આટલો  વખત સબન્ધ શા માટે જાળવ્યો ?  સબંધો તૂટે છે અહંમ કે પછી વહેમને કારણે  જ . 
                                               આપણા નજદીકના સંબંધોમાં માણસે હાર માનવાની વૃત્તિ કેળવવી જોઈએ.
કારણકે બધા સબંધો બદલી શકાય છે પરંતુ લોહીના સબંધો બદલી શકાતા નથી. 
                                                  ટૂંકમાં કોરોના જેવી આફતે માનવીને સબંધો સુધારવાની અને સમજવાની  તકો આપી છે તેનો સદ્ઉપયોગ કરવો જોઈએ  અને માનવીને સાચા અર્થમાં સમજવા પ્રયત્નો કરવા જોઈએ . 
કદાચ આપણે કલ્પેલું સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવે.
                                        *****************************************
     

Thursday, July 16, 2020


નાલંદા-  પુરાણીક અને ઇતિહાસિક યુનિવરસિટી
                                                                                                                આજે ભારતમાં હજારો  યુનિવરસિટીઓ  છે પરંતુ એમાનું  એક પણ દુનિયાના પહેલા ૧૦૦ ની યાદીમાં આવતા નથી એ ભારતની કમનસીબી છે . એક વખત ભારત દુનિયા માટે   જ્ઞાનનું  ક્ષેત્ર હતું  જયારે આજે ભારતના વિદ્યાર્થીઓ દુનિયા ભરમાં જ્ઞાન માટે ભટકી રહયા છે . એકલા અમેરિકામાં જ ભારતના ૨૫૦૦૦૦ વિદ્યાર્થોઓ  અમેરિકન યુનિવરસિટીમાં ભણી રહ્યા છે.
                        ઇંગલિશ લોકો ભારતમાં આવ્યા ત્યારે  ત્યાંના એક પાર્લામેન્ટના સભ્ય મોકેલેની   ભારતની મુલાકાત બાદ  એના રિપોર્ટમાં લખ્યું હતુંકે  ' અહીએ એક ભિખારી દેખાતો નથી .  પ્રજાનું મોરૅલ ઘણું ઊછું છે . જ્યા સુધી આપણે એની શિક્ષણ પદ્ધતિનો  નાશ નહિ કરીએ તો આપણા માટે અહીં રાજ કરવું અશક્ય છે. અંગ્રેજોએ ત્યારબાદ ભારતની શિક્ષણ પદ્ધતિનો ધીમે ધીમે નાશ  કર્યો અને એમના માટે કામ કરે એવા ગુલામો ઉત્ત્પન કરે , એવી શિક્ષણ પદ્ધતિ ભારતમાં દાખલ કરી દીધી . એમાંથી ભારત સ્વતંત્ર થયું હોવા  છતાં હજુ એમાંથી ભારત બહાર આવી શક્યું નથી.
                         ભારતમાં તે વખતે આશ્રમ શાળાઓ  હતી ત્યાં જ્ઞાનથી માંડીને તે માનવ બનવાની  બધી શિક્ષાઓ આપવામાં આવતી . ભગવાન કૃષ્ણના  કાળથી તે પછી રાજાઓના રાજકુમાર પણ આવી જ શાળામાં શિક્ષણ લેતા.  તે ઉપરાંત ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે યુનિવરસિટી કક્ષાની  સંસ્થાઓ પણ હતી.  પરંતુ  એક ચીના મુસાફરે લખ્યુંકે ' ભારતમાં જ્યારથી બહારથી જ્ઞાન લાવવાનું  અને એનો ઉપયોગ કરવાનું બંધ કર્યું.  અને ભારતના  લોકોને ભારત બહારજવાની મના ફરમાવવામાં  આવી ત્યારથી ભારતની પડતી શરુ થઇ ગઈ .
                              આમ ભારતની શિક્ષણ પદ્ધતિની પડતી થઇ . એના અનુસંધાનમાં  ભારતની  પુરાણી નાલંદા અને તક્ષશિલા  યુનિવરસિટીઓનો અહીએ ઉલ્લેખ કરવો જરૂરી છે. નાલંદા ઉત્તરભારતમાં પંજાબની  નજદીકમાં  આવેલી હતી અને નાલંદા ,બિહારમાં આવેલી હતી. એ યુનિવરસિટીઓમાં આંતરાષ્ટ્ય  વિદ્યાર્થોઓ આવતા રહેતા. આજ બતાવેછેકે દુનિયામાં ભારતની મહાવિદ્યાલયોની  પ્રતિષ્ટા હતી.
                                    આજે બિહારની હાલત ભલે ખરાબ હોય પરંતુ એક વાર પાટલીપુત્ર (પટના) સમૃદ્ધિ અને સંસ્ક્રુતિમાં  આગળ હતું. મુસ્લિમ આક્રમણકારોએ  ભારતની સમૃદ્ધિને લૂંટી અને એના જ્ઞાનના ભંડાર સમાન પુસ્તકોની લાઈબ્રેરીઓનો  નાશ કરી નાખ્યો  અને શિક્ષણ શાસ્ત્રીઓની કતલ કરી.  નાલંદાની યુનિવરસિટીનો  પણ મુસ્લિમ આક્રમણકારોએ  નાશ કરીને જમીનદોસ્ત  કરી નાખી.

                                      નાલંદાનો ઇતિહાસ ઘણો ભવ્ય છે.  ૩૦  એકર જમીનમાં પથરાયેલી નાલંદા  યુનિવરસિટીની સ્થાપના  ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તે (૧) પાંચમી સદીમાં  કરી હતી. બુદ્ધિસ્ટ અને  હિન્દૂ સંસ્કૃતિનું એમાં જ્ઞાન આપવામાં આવતું.   બુદ્ધિસ્ટ  ફિલોસોફર નાગાર્જુન અહીએ શિક્ષણ લીધું હતું. ચીની મુસાફર ક્ષઉન્ઝાન્ગે  નાલંદાના  બુદ્ધિસ્ટ સાધુઓ વિષે પણ લખ્યું છે . ૧૩ મી સદીમાં નાલંદાનો  નાશ થઇ ગયો. એના ખંડેરોમાંથી ઘણી વસ્તુઓ મળી આવી છે એનું સંગ્રહસ્થાન  બનાવવામાં આવ્યું છે.  નાલંદાના ખંડેરોને ખોદીને એને રજુ કરવામાં આવ્યા છે  જેને આંતરાષ્ટ્રીય સંસ્થા  ' યુનીસકોએ ' વર્લ્ડ હેરિટેજ ' જગ્યાનો દરજ્જો આપવામાં આવ્યો છે.  બિહારમાં નાલંદાની બાજુમાં આધુનિક  નાલંદા આંતરરાષ્ટીય યુનિવરસિટીની સ્થાપના કરવામાં આવી છે. એમાં ચાઇના,સિંગાપોર , જાપાન ,  મલાયા , ઓસ્ટ્રેલિયા ,અને ન્યૂઝીલૅન્ડ પ્રતિનિધિત્વ  ધરાવે છે. એમાં બુદ્ધ અને હિન્દૂ સંસ્કૃતિ શીખવવામાં આવે છે.

                                       પ્રશ્ન એ છે કે આંતરાષ્ટ્રીય કક્ષાની યુનિવરસિટી આપણે ભારતમાં ક્યારે સ્થાપિત કરી શકીશું જે ભારતની  એક વખતની  શાન હતી.
                           *****************************************
                                               
                                     

Wednesday, July 8, 2020



ઊંઘ
                                                                                                      માણસના તન્દુરસ્તી  માટે  ઉંઘ બહુ આવશ્યક વસ્તુ છે. પરંતુ  એ  બાબતમા  ઘણા લોકો બેદરકાર રહે છે. જગતમા  30% લોકોં 6કલાકથી  ઓછું  ઉંઘે   છે. ઓછું ઊંઘનાર વ્યક્તિની  યાદ  શક્તિને ખરાબ અસર થાય છે. ઍટલેકે  યાદશક્તિ  ઓછી થવા લાગે છે .  6 કલાકથી ઓછી ઊંઘ લેનાર વ્યક્તિની હાલત દારૂ પીધા પછી જે માણસની હાલત થાય છે એવી થઇ જાય છે .  માણસનું સમતોલન પણ બરાબર  રહેતું નથી. બોલવામાં પણ અસ્પષ્ટતા આવી જાય છે.  હંમેશ લોહીમાં  .૧% દારૂ હોય એવી પરિસ્થિતિમાં માણસને મૂકી દે છે.
                                     ઊંઘ  માણસને એની વિપરીત પરિસ્થિતિમાં પણ રાહત આપે છે.  ખરાબ અનુભવોને ભૂલવામાં પણ મદદ કરે છે . આથી યાદ શક્તિ પણ વધે છે.  વિજ્ઞાનિક  સંશોધન પ્રમાણે જે વ્યક્તિમાં ડી ઈ સી  જિન -2 હોય છે  તે લોકો ચાર કલાકની ઊંઘથી પણ સ્ફૂરતાથી  કામ કરી શકે છે . એવું કહેવાય છેકે ભારતીય  વડા  પ્રધાન નરેન્દ્ર મોદી બહુ ઓછી ઊંઘ લે છે પણ ઘણું કામ કરી શકે છે . એ એક જીવતો જાગતો દાખલો છે.

                                    કેટલાક લોકો દિવસના બપોરના પણ એક ઝોકું ખાઈ લે છે. એના માટે 2 થી 4
વાગ્યાનો સમય યોગ્ય માનવામાં આવે છે.  એનાથી આદ્યાત્મિક શક્તિઓ વધે છે એમ પણ માનવામાં આવે છે
                                     ઘણાને ઊંઘમાં શરીરમાં  કંપારી  અને આંચકાઓ  પણ આવે છે પરંતુ  એને ઘણા હાનિકારક ગણવામાં આવતા નથી . તે ઉપરાંત મોઢેથી વગાડવાનું કોઈ પણ વાજિંત્ર  ફેફસા માટે ઉત્તમ કસરત  પુરી પાડે છે જે માનવીય તંદુરસ્તી માટે સારું ગણાય છે.
                                        એક વાત ચોક્કસ છે કે ઊંઘ માનવીય તંદુરસ્તીનું એક બહુજ આવશ્યક અંગ છે. ઘણા ઓછા લોકો સારીએવી ઊંઘ યોગ્ય સમયે  લે  છે.
                                         ****************************************

Wednesday, July 1, 2020


જીવનનું સત્ય
                                                                                           આપણે એવું  જીવન જીવીએ છે કે જે  વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના  મરણ બાદ  વધારે  ધ્યાન  આપીએ છીએ . કોઈ  વ્યક્તિ જ્યારે  જીવિત હોય કે  બીમાર હોય  ત્યારે એની ખબર લેવાનો  ઘણીવાર  વખત પણ  નથી હોતો.  એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના  પ્રત્યે સહાનુભુતી બતાવવા માટે  સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.
                                                                              ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે  સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું થઇ જીવનનું સત્ય
                         આપણે એવું  જીવન જીવીએ છે કે જે  વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના  મરણ બાદ  વધારે  ધ્યાન  આપીએ છીએ . કોઈ  વ્યક્તિ જ્યારે  જીવિત હોય કે  બીમાર હોય  ત્યારે એની ખબર લેવાનો  ઘણીવાર  વખત પણ  નથી હોતો.  એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના  પ્રત્યે સહાનુ ભુતી બતાવવા માટે  સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.

                             ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે  સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું  થાય છે, એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા  માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે.
                                    હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકો દ્વારા  મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ  એના  મરણ બાદ  મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
                                  કેટલીક વાર માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો  નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે  છે.
                                  આનો અર્થ એમજ થાય છે કે માણસે  જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે.  માણસે  જન્મથી જ   માણસાઈ કેળવવાની જરૂરિયાત  છે .             
                           
                                   છે એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા  માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે. હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકોદ્વારા  મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ  એના  મરણ બાદ મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
                                  કેટલીક વાર  માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર  લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો  નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે  છે.
                                  આનો અર્થ એમજ થાય છે કે માણસે  જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે.  માણસે  જન્મથી જ   માણસાઈ કેળવવાની જરૂરિયાત  છે .
                                          **************************