Thursday, September 26, 2019


સદવિચાર
                                                                                                 આચાર્ય ચાણક્યે કહ્યું છે કે  કોઈ પણ વસ્તુ અધિક પ્રમાણમાં હોય તો તે હાનિકારક છે. અને ઘણીવાર માનવીનો નાશ નોતરે છે. હિટલરે અતિરેક સત્તાના મદમાં પોતાનો  નાશ અને  એના દેશને  એટલું નુકશાન  પહોચાડયુંકે  વિશ્વ યુદ્ધને અંતે એના ટુકડા થઇ ગયા હતા. એજ પ્રમાણે વધારે પડતું ધન , વિદ્યા, ભૂખ, લાલચ ,અભિમાન,પ્રેમ, પ્રશંસા, નફરત, પણ હાનિકારક છે.


                                                                                                વધુ પડતા દુર્યોધનના  અભિમાન અને પાંડવો પ્રત્યેની  નફરતે મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું અને એમાં કેટલાએ યોદ્ધાઓના નાશ થયા અને કેટલીયે સ્ત્રીઓએ  પતિ અને પુત્રો ગુમાવ્યા. આખાએ કુરુવંશનો  નાશ થયો. ભયંકર ભૂખમરો  અને અસહ્ય  ગરીબીએ   રશિયા અને ફ્રાન્સ જેવા દેશોમાં લોહિયાળ ક્રાંતિ સર્જી .   વ્યક્તિની વધારે પડતી પ્રશંસા પણ ગમે તેવી  વ્યક્તિ એનું માનસિક સમતોલન ગુમાવી દે છે અને  જે એનું પતન નોતરે છે. રાવણની  વધુ પડતી પ્રશંસાએ એને આંધળો  બનાવી દીધો હતો અને એ ભગવાન રામની દિવ્ય શક્તિને ઓળખી ન શક્યો ને એનું પતન થયું.  આમ ચાણક્યની  વાણીમાં તથ્ય છે એમાં શંકા નથી.

                                                                                                  ઈર્ષાળુ માણસો સાથે દોસ્તી પણ સારી નહિ અને દુશ્મની  પણ ખતરનાક નીવડે છે.  જેચંદ રાઠોડે પૃથ્વી રાજને  હરાવવા માટે  મોહમુદ ગોરી સાથે દોસ્તી કરી અને પૃથ્વીરાજ  ચૌહાણને હરાવ્યો  પરંતુ એને ખબર ન હતી કે તેણે એનાથી પણ વધુ ઈર્ષાળુ સાથે દોસ્તી કરી હતી. આથી પૃથ્વીરાજના વધ પછી મોહમુદ ગોરીએ રાજા જેચંદનો  વધ કરી નાખ્યો.

                                                                                                 એમ કહેવાય છેકે જીભ પરની ઇજા જલ્દી રૂઝાઈ  જાય છે પણ જીભ દ્વારા બીજાને  કરેલી ઇજા  જીવનભર રુઝાતી  નથી. એનો સચોટ દાખલો મહાભારતમાં મળે છે. દ્રૌપદી  દુર્યોધનને એના બાપની જેમ આંધળો કહી એની  મજાક ઉડાવે છે. એ અપમાનને દુર્યોધન ભૂલતો નથી અને એનું વસ્ત્રાહરણ કરાવે છે. ભગવાન કૃષ્ણ  દ્રૌપદીને મહાભારતના યુદ્ધના અંતે કહે છેકે તેના  વાક્બાણ એ જ મહાભારતના યુદ્ધનું સર્જન કર્યું  હતું.  આથી કોઈ પણ વસ્તુ કહેતા પહેલા હજારવાર વિચાર કરવો જોઈએ.

                                                                                                 જેનાથી નુકસાન થાય એવીવસ્તુ અને વ્યક્તિઓથી દૂર રહેવું  જોઈએ.  ગુરુ દ્રોણાચાર્ય અને ભીષ્મપિતા જેવા વીર યોદ્ધાઓનો પણ મહાભારતના યુદ્ધમાં પરાજય થયો હતો કારણકે તેઓ અધર્મી અને દુષ્ટો  સાથે હતા. કહેવાય છે કે  ગરમ કોલસો  દઝાડે  છે અને ઠંડો કોલસો હાથ કાળા કરે છે.  એથી એનાથી દૂર રહેવું  જોઈએ નહીતો નાહક ડાઘ લાગવાનો સંભવ છે અને હાનિકારક પણ છે.
                                               ********************************* 

Thursday, September 12, 2019

જાણીતા લેખકોની ગુજરાતી શાયરી

                                                         અમૃત ઘાયલ
-ના હિન્દૂ  નીકળ્યા  ન મુસલમાન નીકળ્યા
કબરો ઊંઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા
-કદી દાનની વાત ઉચ્ચારશો મા
 કર્યું કરાવ્યું  નહીં તો ધોવાઈ જશે
-નિહાળ્યા કરો જે  કઈ થાય છે તે
  વિચારો નહિ ,  મન વલોવાઈ જાશે.

                                                      શૂન્ય પાલનપુરી
-જેટલે ઊંચે જવું હો માનવી
 તેટલા ઊંચા વિચારો જોઈએ
-સહનતા આવડતી હો તો મુસીબતમાંય રાહત છે
  હૃદય જો  ભોગવી જાણે તો દુઃખ પણ  એક દોલત છે.
-અમે સમંદર ઉલેચ્યા છે પ્યારા
  નથી માત્ર છબછબીયા કીધા કિનારે

                                                     જાલન માતરી
-પજવે  છે આમ શાને  અલ્લાહ  તું  સીધો રહેને
  શું જોઈએ છે તારે હાજર થઈને  કહે
-કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
  નિજ ઘરથી નીકળી  નદી પાછી વળી  નથી.
-શ્રદ્ધાનો હો  વિષય  તો  પુરાવાની શું જરૂર
  કુરાનમાંતો  ક્યાંય પૈગંબરની સહી નથી



                                                       આદિલ મન્સૂરી
-ધોમધખતા રણ વિષે ચિંતા ન કર
  રણ વચ્ચે  પણ ખજૂરી હોય છે
-આમ તો હરદમ હજુરી હોય છે
  આપણા મનમાં જ દુરી હોય છે.
- એક પણ ઈચ્છા પુરીના થઇ શનિ
   હર ગઝલ આદિલ  અધૂરી હોય છે.
                                                        પરાજિત ડાભી
- એક સરખી ક્યાં  બધાની આંગળાની છાપ  છાપ છે
   એજ રીતે એક સરખા ક્યાં  બધાના પાપ છે.
-દિવસના સૂર્યનો  રંજાડ સહેવાની પડી આદત
 મને જળહળ થતી આ રાતની  બહુ બીક લાગે છે.
-દૂર ભાગી અહીંથી ક્યાં જશો ?
  તું ખુદા છો , ક્યાં છુપાવી દઉં  તને?

                                                            અમર પાલનપુરી
-ઊંડા ઘાતો કૈક સહયા
  પણ જાન ગયો  છે એક ઉઝરડે


                                                            મરીઝ
-આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
 જે વચન દેતા નથી  તેયે નિભાવી જાય છે



                                                             સૈફ પાલનપુરી
-ક્યારેક જીવન માર્ગ પર
  ફૂલોનીય  ઠોકર લાગે છે.
                                         ***************************************

Monday, September 2, 2019

  વશિષ્ટ નાગરિકો  - અમેરિકા
                                                                           
                                                      (ગરબા - અમેરિકન સિનિયર સેંટર )
અમેરિકામાં સિનિયર સિટિઝનને  અનોખું સ્થાન આપવામાં આવેલું છે. અમેરિકા માને છેકે  વશિષ્ટ નાગરિકોની મહેનત અને એમના બલિદાને જ  અમેરિકાને સુપર પાવર બનાવી દીધું છે. એટલે એમની કદર થવી જ જોઈએ. એમની જરૂરિયાતો અને ઢળતી ઉંમરમાં એમની મુશ્કેલીઓને દૂર કરી એમના જીવનને આરામદાયી  બનાવવું જોઈએ. આનાથી ઉલ્ટું ઘણા દેશોમાં વશિષ્ટ નાગરિકોને વપરાઈ ગયેલી શક્તિ અથવાતો સમાજનેમાટે બોજારૂપ બની ગયેલી વ્યક્તિઓ માનવામાં આવે છે અને એમની સમાજ દ્વારા  અવગણના કરવામાં આવે છે. એમાંથી ભારત પણ મુક્ત નથી.
                                                         (સિનિયર કેર કમિશન- કાઉન્ટી )
                                                                           અમેરિકામાં વશિષ્ટ નાગરિકો માટે વાહન વ્યહવારમાં, સ્વાસ્થ્ય સગવડોમાં, મનોરંજનમાં,  બસ,રેલવે અને  એરલાઈન્સમાં ઓછા દરે સગવડ આપવામાં આવે છે. એમના માટે જગ્યાઓ પણ અલગ અલાયદી રાખવામાં આવે છે. વિકલાંગ સિનિયર માટે ચડવા ઉતારવાની સગવડો રાખવામાં આવે છે.  સ્ટોરોમાં અને મોલોમાં ખરીદીમાટે  અમુક દિવસો રાખવામાં આવે છે. ત્યારે તેમને તેમની જરૂરિયાતની ચીજો ઓછા દરે મળી  રહે છે.  વશિષ્ટ નાગરિકો જ્યારે રસ્તો  ક્રોસ કરતા  હોય તો  વાહનો એમનાથી દૂર ઉભા રાખવાનો કાયદો અમેરિકામાં  છે. એમને  ગભરાટ ન થાય એની કાળજી લેવામાં આવે છે. જ્યારે ભારતમાં લોકો વશિષ્ટ નાગરિકોને યોગ્ય આદર  આપતા નથી અને કટાક્ષમાં એમ પણ કહી દે છેકે  આ ઉંમરે બહાર શા માટે નીકળો છો?
                                                         (સિનિયર સેંટર - એક કાર્યક્રમ )       
ઓછી આવક વાળા વશિષ્ટ નાગરિકોને  ઓછા ભાડે ઘરો, મફત સ્વાસ્થ્ય  સેવા અને પેંશન પણ આપવામાં આવે છે. દર અઠવાડિયે ગરીબ વશિષ્ટઓને  એક ખાખી  પેપર બેગ જેમાં બ્રેડથી માંડી  ફળો  વગેરે વસ્તુઓ મફત  આપવામાં આવે છે. તે ઉપરાંત ફૂડ સ્ટેમ્પ આપવામાં આવેછે જેનાથી તેઓ મફત કરિયાણાની વસ્તુઓ તેઓ સ્ટોરમાંથી લઇ શકે છે . ઓછી આવક વાળા વિકલાંગ  વશિષ્ટ નાગરિકોને સરકાર સહાયકો પણ પુરા પાડે છે. પરંતુ આ બધી સગવડો કાયદામાં આવતા નાગરિકોને જ મળે છે. બસોમાં ઓછા દરે વશિષ્ટ નાગરિકો ફરી શકે છે. પરંતુ વિકલાંગો માટે સરકારી ખર્ચે બહાર કામ માટે જવા  સસ્તા દરે ટેક્સી ની પણ સગવડો હોય છે.

(દરેક કાઉન્ટી ખાતે વિકલાંગો માટેનું સલાહકાર બોર્ડ - જેમાં વિકલાંગોનું પણ  પ્રતિનિધિત્વ મોજુદ હોય છે.)

                                                               વશિષ્ટઓને  તેમના મનોરંજન માટે ઠેર ઠેર સિનિયર સેન્ટરો ખોલવામાં આવેલા છે. તેમાં સંગીત, નૃત્ય  જેવા કાર્યક્રમો  અને સ્વાથ્ય , વિજ્ઞાન તથા  તેમને મળતી સરકારી સગવડો વિષે  જે તે વિષયના નિષ્ણાતો દ્વારા   માહિતી આપવામાં આવે છે. ત્યાં  નજીવા દરે બપોરનું  ખાવાનું પણ પૂરું પાડવામાં આવે છે.
                                                                  આવા વશિષ્ટઓને લાગતા કાર્યક્રમો માટે સરકારે કમિશનો બનાવ્યા છે જેઓ વશિષ્ટોના જીવન ધોરણ ઉપ્પર લાવવા માટે સતત નજર નાખી રહેતા હોય છે.
એમાં 'સિનિયર કેર કમિશન '  ' ઈન હોમમાં સપોર્ટિવ  એડવાઈઝરી  બોર્ડ ' જેવી સંસ્થાઓ પણ હોય છે .

                                                        (સિનિયરઓની પોતાના પ્રશ્નો વિષે ચર્ચા )                                                              
                                                                          બધા નિવૃત્ત ધધાદારીઓ પણ આવવા  કમિશનો પર પોતાની મફત સેવાઓ આપતા હોય છે. પરંતુ એમની આવી ઉમદા સેવાઓને રાજકારણીઓ પણ માનથી જુએ છે. અને એમને પ્રોત્સાહિત કરે છે. ભારતમાં માનદ સેવા કરનારા બહુ ઓછા જોવા મળે છે અને એવી સેવા કરનાર તરફ સમાજ અને રાજકારણીઓ તરફથી એટલું પ્રોત્સાહન મળતું નથી.

                                                           (સિનિયરઓની  ફેલોશિપ )                          
 આના પરથી જણાશે કે ભારતે વશિષ્ટઓ માટે ઘણું કરવાનું બાકી છે.  સૌથી પહેલા તો ભારતમાં  વશિષ્ટઓ પ્રત્યે  આજના યુવાનોમાં આદર ભાવ ઉત્ત્પન કરવાની  જરૂર છે. અને રાજકારણીઓમાં એમના પ્રશ્નો પ્રત્યે જાગૃતિ લાવવાની જરૂર છે.
                                          ***************************