Thursday, March 28, 2013


હોળી
====
               
                                      ફાલ્ગુનના પહેલા દિવસે અને પૂર્ણિમાની સાંજે હોળી પ્રગટાવવામા આવે છે. હોળીની આગ વાતાવરણને આલ્હાદક બંનાવી દે છે. હોળીની આગ બુજાતાજ રંગોનો માહોલ જામે છે. હોળીની રાખને  પવિત્ર માનવામા આવે છે કારણકે આપણા પુરાણોમા કહેવામા આવ્યુ છે કે ઍ રાખમા બ્રહ્મા, વિસ્નુ, અને મહેશનો વાસ છે આથી ઍને પવિત્ર માની પ્રણામ કરવામા આવે છે. આખરે પ્રભુઍ ધૂલમાથી જ પૃથ્વીની રચના કરી છે.
 હોળીનો સામાજીક સંદેશ પણ છે----
હોળી
====
દુનિયામા હિંસાની હોળી છે
સ્વાર્થ અને ઈર્ષ્યાની હોળી છે
શૃંગાર અને કામની હોળી છે
તો જીવન સંઘર્ષ પણ ઍક હોળી છે.
પરંતુ ફાલ્ગુંની હોળી------
પૂરા રંગો ભરીને આવે છે
દિલની સાથે દીલ મિલાવવા આવે છે
ઉમંગોને ઍ રંગોમા ઉડાવે છે
બધાજ કચરા બાળવા માટે આવે છે
મૌસમને મદમસ્ત બનાવી દે છે
જીવ માત્રને નવજીવન અર્પે છે
હોળી નો  કોઈ સંદેશ પણ છે-----
મારી જ્વાળામા વેરજેરને જલાવીદો
જગત મા ખુશીની નદીઓ વહાવી દો
રંગોની જેંમ આ દુનિયાને રંગીન બનાવી દો
સારા જગતને પૂરા સ્વર્ગમય બનાવી દો
મારી જ્વાળામા હોમી દો બધા મનના મેલ
માનવી છો  માનવતા ભરી જિંદગી વિતાવી દો
ભારત દેસાઈ
************************
























Thursday, March 21, 2013




જંગલી અવસ્થા અને સંસ્કૃતી
=====================
                                                આફ્રિકામા ઈથોપિયાની સરહદ પર 'ઑમો' નદીની ખીણમા હજુ પણ ૧૫ જેટલી આદિવાશી જાતીઓ વસે છે. તેઓની પાસે કોઈ બોલવાની ભાષા નથી કે કોઈ કેલેન્ડર નથી. ઍક દોરી પર મારેલા ગાંઠો વડે ઍ સુર્યાસ્ત દ્વારા દિવસોની ગણતરી કરેછે. અને પ્રસંગો ગોઠવે છે. 'કારો' આદિવાસી જાતીઓ આખા શરીરને સફેદ રંગથી રંગી લિલી લાકડીઓ લઇ આખીરાત નાના અને વૃધ્ધો નાચી ઍમના ઉત્સવો ઉજવે છે.' મોરસી' જાતિની આદિવાસી મહિલાઓ કાન અને હોટોને કોરાવે છે. ઍનાથી તૅઓ પુરુષોને આકર્ષે છે. ૧૯૩૦મા જ દુનિયા ને ઍમના અસ્તિત્વની જાણ થઈ હતી. પરંતુ હજુ પણ ઍ લોકો પથ્થર યુગમા જ જીવે છે. મહેમાનોને ખુશ કરવામાટે બકરાંનુ બલિદાન આપવામા આવે છે. ઍ જગ્યા પર મોટો બંધ બાંધવાના છે ઍટલે આદિવાસીઓને ત્યાથી હટવુ પડસે અથવા ઍમનો ઍમની આદી સંસ્કૃતી સાથે નાશ થશે.
                                                આ જોઈને મને ભારતનો વૈદિક પહેલાની સંસ્કૃતીનો આભાસ થયો. આપણા લોકો પણ યજ્ઞ કરતા. બક્રરાઓને અને પશુઓને યજ્ઞમા વધેરી દેતા. આપણી સ્ત્રીઓ માટે પણ કાનં, નાક, અને હોટો વીંધવાનુ કારણ પણ સૌદર્ય વધારવાનુ હતુ. આપણે ત્યા પણ આદિવાસીઓ વિવિધ રંગોના લપેટા કરી નૃત્ય કરતા  હોય છે. આ બધુ જોતા ઍમ લાગે છે કે પહેલા આદીયુગમા વૈશ્વિક સંકૃતી ઍક હતી અને ફરી ઍક થઈ રહી છે.
                                                  પશ્ચિમથી તે પૂર્વના દેશો સુધી ઍક જ ફૈશન ચાલી રહી છે. નાક, કાન અને હોટો ને સૌદર્ય માટે વીંધાવવા. આદિવાસીની જેમ થોડા અને ભડક રંગોના કપડા પહેરવા. હજારો માણસોના ભોગે ઉત્સવો ઉજવવા. ઘણીવાર તો કેટલાક પ્રદેશોમા હજુ પણ પશુઓને વધેરવાનુ ચાલુ છે. તે પણ માણસોના મનોરંજન માટે! આખરે તો માનવીઓની સંસ્કૃતિઓ ઍક જ હતી, અને બધી સાંસ્કૃતીક પ્રગતી બાદ ફરી આપણે આદિસંસ્કૃતી તરફ વળી તો નથી રહ્યાને?
                                                      ======================

Friday, March 15, 2013



શિવરાત્રી-૧૦ મી માર્ચ ૨૦૧૩
==================
શિવરાત્રીમા શીવનો મહિમા સમાયેલો છે. મધ્યરાત્રીઍ  અને વહેલી પ્રભાતે ઍનો પ્રભાવ હોય છે. શિવ ઍવા દેવ છે કે જેમને, જીવીત, આત્મા અને નિર્જીવ સાથે પણ સબંધ છે. ઍમના સાનિધ્યમા સર્વનો ઉધ્ધાર સમાયેલો છે. શિવ ત્યાગમુર્તિ છે અને પ્રકૃતિના રાજાધીરાજ હિમાલયના જમાઈ અને સર્વ શક્તિનારૂપ સમાન પાર્વતીના પતિ છે. ઍમને દરજ્જાની પડી નથી, ઍ ભોળાનાથે પોતાનુ અસ્તિત્વ પણ ઍક્વાર તૉ પોતાના ભક્ત ઍવા રાવણને અર્પી દીધુ હતુ.  નિર્દોષતા, ઉદારતા, અને ત્યાગની બાબતમા લંગોટી ધારી શિવજીને કોઇ તોલે આવે ઍમ નથી. આથી હિન્દુઓ માટે પ્રેરણા રૂપ છે. શીવની જેટલી ભક્તિ કરીશુ ઍટલી ઑછિ છે.
શિવ ઍટલે-
શિવ ઍટલે ત્યાગનુ  પ્રતીક, અને ભભૂતિ છે  સાદાઈંની નજીક
સર્પ, ચંદ્ર, અને વાઘચર્મ વસ્ત્રો, ઍ જીવન સૃષ્ટિનુ  છે મિશ્રણ
શિવ ઍટ લે સુંદર અને સત્ય, જે સર્વ ગુણોનૂ છે સત્વ
શિવ ઍટલે રુદ્ર સ્વરુપ, પણ મૃત્યુ બાદ આત્માઓનુ છે અંતિમ રૂપ
શિવ જો મૃત્યુના દેવ તો શૃંગારમા છે ઍમનુ નૃત્ય સ્વરુપ
શિવ ઍટલે ક્ષમાના  દેવતા, વિષ  પીને છે વિશ્વને તારનારા
ઍવા શીવને  ભાવભીના વંદન,  જેની કૃપા વિના ન જીવન જીવાય.
શિવ ઍટ લે-
ભારત દેસાઈ
                                 ================================

Saturday, March 9, 2013



ડ્રોનસ
===
                                                        ડ્રોનસ ઍ ઍક આધુનિક ટેકનોલોજીની દેણ છે. ઍનો વ્યાપક ઉપયોગ મોટે પાયે આંતકવાદની સામે થાય છે. લશ્કરને કાર્યવાહી કરવામા મોટી ખુવારી થાય છે ઍજ કાર્ય ડ્રોનસ લશ્કરી ખુવારી વગર કરી શકે છે. પાકિસ્તાનના ડુંગરાળ પ્રદેશમા છુપાયેલા આંતકવાદીઑને શોધીને ડ્રોનસ ઍમનો નાશ કરે છે. ડ્રોનસ દ્વારા ૮૦ જેટલા ત્રાસવાદી નેતાઓનો ખાતમો કરવામા આવ્યો છે. પરંતુ આજુબાજુમા રહેતા નિર્દોષ નાગરિકોનો પણ ઍમા મોત થાય છે તેથી પાકિસ્તાનમા ઍનો મોટો વિરોધ છે. અમેરિકાઍ ડ્રોનનો ઉપયોગ બીજી ઘણી અશાંત જગ્યાઓ પર કરે  છે. આથી અમેરિકા સામે વિરોધનો વંટોળ ફાટિ નીકળ્યો છે.
                                                          આખરે ડ્રોનસ છે શુ? ઍ માનવ વગરનુ વિમાન છે જેનો કાબૂ હજારો માઈલ દૂર નિયંત્રણકક્ષમા  બેઠેલા માનવોના હાથમા હોય છે. ડ્રોને યુધ્ધની નીતિ જ બદલી નાખી છે પરંતુ ઍના ઉપયોગ માટે  બરાક ઓબામા સામે વિરોધ ફાટી નીકળ્યો છે.
                                           ડ્રોનસ રોબેટીક જાતનુ વિમાન છે. ઍનો ઉપયોગ ગુનેગારોને શોધવામા, ઉભા પાકનુ રક્ષણ કરવામા, જાસુસી કરવાં જેવા કાર્યોમા પણ કરવામા આવેછે.
                                            કદાચ ઍવો પણ દિવસ આવે કે માખી જેવા સૂક્ષ્મ ડ્રોનો કોઈ પણ માનવીનો દૂરથી પણ નાશ કરી શકે. રોગો પણ ફેલાવી શકે કારણકે માનવીઓઍ કોઈ પણ શોધનો દૂરઉપયોગ ઘણીવાર કર્યો છે. જેમકે અણુબોમ્બનો ઉપયોગ બીજા રાષ્ટ્રોને ડરાવવામા કરવામા આવે છે. પ્રભુ સર્વને સારી બુધ્ધિ આપે.
                                         ********************************************