Tuesday, July 18, 2023

 


સ્ત્રી અને પુરુષ -તફાવત 

                                          સ્ત્રી અને પુરુષોની વચમાં સરખામણી કરવી મુશ્કેલ છે કારણકે બંનેમાં કેટલાક ગુણો અને અવગુણો હોય છે. પરંતુ એનું વિવેચન કરવાથી જીવનના  ઘણા પ્રશ્નો હલ કરવામાં સહાયતા મળે છે.

                                            સ્ત્રીઓ ઘણું કરીને સમાધાન  કરવામાં વધારે તેજ હોય છે. એને ઘણા લોકો શરણે  જવા માટેનો અવગુણ સમજે છે પણ એજ  લગ્ન ને  ટકાવવામાં મદદ રૂપ બની રહે છે અને એ લગ્ન સંસ્થાની મજબૂતી માટે સદગુણ બની ને રહે છે. જ્યારે પુરુષ મક્કમ હોય છે એને સ્ત્રી પર પ્રભુત્વ જમાવવાળો અવગુણ માનવામાં આવે છે. પરંતુ એજ અવગુણ ઘણી વાર કુટુમ્બીક જીવનને શિસ્તમાં રાખે છે અને ખોટે રસ્તે જતા રોકે છે. આવા સંજોગોમાં એ સદગુણ બની રહે છે. આજ બતાવે છે કે અવગુણ અને સદગુણ બંને જીવનમાં સંજોગો પ્રમાણે એમનો રોલ ભજવે છે.



                                          પુરુષ પોતે કમાઈ ને કુટ્મ્બને પાળે પોષે છે. એથી એ વધારે સ્વાતંત્ર રીતે વિચારી શકે છે. જ્યારે સ્ત્રી ને મર્યાદાઓ નડે છે. એટલે ઘણી બાબતોમાં પુરુષ પર અવલંબે છે . પરંતુ હવે આર્થિક રીતે સ્ત્રીઓ કમાય છે. તે નમતું આપવા હંમેશા તૈયાર હોતી નથી . આથી લગ્ન જીવનમાં તકલીફ વધી છે. આથી દરેક વસ્તુને મર્યાદામાં રહીને ઉપયોગ થવો જોઈએ નહિ તો કુટુમ્બીક જીવન વેરવિખેર  થઇ  જાય છે.

                                           સ્ત્રીઓ ઘણી લાગણીશીલ  હોય છે.  જ્યારે પુરુષ ઘણો  નક્કરતા પૂર્વક જીવતો હોય છે . વધારે પડતી લાગણીશીલતાને  લીધે   માનવીને વધારે સહન કરવું પડે છે. પરંતુ પુરુષની નક્કરતા પણ ઘણી વાર જીવનમાં પ્રશ્નો ઉભા કરી દે છે . એટલે સ્ત્રી પુરુષે બંને એ સમજણ પ્રમાણે  નક્કરતા અને લાગણીશીલતાનો  ઉપયોગ  કરવો જોઈએ જેથી કુટુમ્બીક જીવન સરળતાથી ચાલે.



                                             પુરુષો   દરેક વસ્તુનો પૃથક્કરણ કરીને નિર્ણય  લેછે. જયારે સ્ત્રીઓ પોતાના માનસિક   અવાજ પ્રમાણે નિર્ણય  લે છે.  આથી બંનેની વિચારશરણીમાં  ફરક પડી જાય છે,  પરંતુ  સ્ત્રી શક્તિનો અવાજ કદીક  મજબૂત હોય છે. જયારે પુરુષની પૃથક્કરણનો નિર્ણય કદીક નબળો પડી જાય છે. પરંતુ એ   બે વિચારશરણીમાંથી ચર્ચા કરી માધ્યમ માર્ગ જ ઉત્તમ હોય છે. એટલે પ્રશ્નના નિકાલમાં  મધ્યમ માર્ગ  જ ઉત્તમ છે. કુદરતે આમ પુરુષ અને સ્ત્રીની જુદી  વિચારશક્તિની   અદ્દભુત રચના કરી જીવનને સરળ બનાવ્યું છે.

                                             પુરુષ બહુજ મહત્વાકાંક્ષી હોય છે. જયારે સ્ત્રી જેટલું મળે એમાં સંતોષ માને છે. આથી જીવનમાં  વધારે પડતી મહત્વકાંક્ષાથી જીવનમાં નિરાશા મળે ત્યારે સ્ત્રીની સંતોષી ગુણ એને કાબુમાં રાખે છે. આથી જીવનમાં સુખ માટે સ્ત્રી અને પુરુષનો સહકાર અને સમન્વય  જરૂરી છે.



                                             જીવનમાં પુરુષ જીવનની હરીફાઈઓમા વ્યસ્ત રહે છે.જ્યારે સ્ત્રી  હંમેશા દરેક પ્રશ્નનો હલ સમાધાન પૂર્વક કરવા ઈચ્છે છે. જે પુરુષની હરીફાઈ વૃત્તિને  નીયંત્રીત  કરે છે. જે  સંગર્ષમાંથી ઉગારે છે.

                                             આમ સ્ત્રી પુરુષની રચના કરી કુદરતે  જીવનને  સમતોલ કરવા પ્રયત્ન કર્યો છે પરંતુ ઘણીવાર માનવીઓ જીવનના એ રહસ્યને સમજ્યા વગર એનાથી ઉલટું કરવા જાય છે ત્યારે જીવન છિન્નભિન્ન થઇ દુઃખી થઇ જાયછે. એમાં મનુષ્યોનો જ વાંક હોય છે. બીજા કોઈનો વાંક કાઢવાથી કઈ ફાયદો નથી. 

                                           **************************************

Friday, July 14, 2023

 


મીડિયાની શક્તિ 

                                        મીડિયા એટલેકે વર્તમાનપત્રો, ટીવી , અને એપ્સ જેવીકે ટ્વીટર , ફેસબુક જે લોકોના અભિપ્રાયને બદલી શકે કે પછી એને એક દોરવણી પણ આપી શકે. એમાં અભિપ્રાયને  સાચી દિશામાં લઈજાય  અથવાતો એને ગેરમાર્ગે પણ દોરી શકે. આ મીડિયાની તાકાત  છે. એના ઘણા દાખલાઓ છે. ઘણીવાર તો મીડિયા સત્તા પલટો પણ કરાવી શકે છે.

                                        જ્યાં સુધી એ સકારત્મક ભૂમિકા ભજવે ત્યાં સુધી સારી વાત છે. પરંતુ  ઘણીવાર એ પ્રજામતને ગેરમાર્ગે  પણ દોરી જાય છે. 

                                           અમેરિકામાં ઘણી બાબતોમાં મીડિયાએ  એવો પ્રચાર કર્યો હોય છે કે લોકો ગેરમાર્ગે દોરાય  છે. ઘણી બાબતોમાં તથ્ય જાણવા માટે સર્વે કરવામાં આવે છે જેના નતીજો બહુ જ નિરાશામય હોય છે.

 એવાજ એક સર્વેમાં  પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આશ્ચર્ય જનક હતા.



                                          અમેરિકામાં ૧% લોકો વર્ષે  $૫૦૦૦૦૦/- કમાય છે જયારે લોકોએ ૨૬% ઉત્તરમાં જણાવ્યું હતું. આ બતાવે છેકે  લોકો માને છેકે અમેરિકા ધારવા કરતા ઘણું સમૃદ્ધ છે.  આ મીડિયાની મહેરબાની છે જે આખો  વખત અમેરિકાની સમૃદ્ધિની ભવ્યતા જ બતાવે રાખે છે.

                                           અમેરિકામાં આજકાલ લીલા શાકભાજી અને એને ખાવાના ફાયદા માટે મીડિયા પ્રચાર કરે છે. અને એવી  ભીતિ ઉભી કરી છે કે  ઘણાખરા અમેરિકાનો વેજિટેરિઅન બની રહયા છે. ૫% અમરિકાના  લોકો  વેજિટેરિઅન છે જ્યારે લોકો મત માને છેકે ૩૦% છે. એ પણ એક પ્રચારનો નમૂનો છે.

                                             લોકો માને છેકે ટ્વિટ્ટર  ૮૦% લોકો  વાપરે છે.  પરંતુ એનો ઉપયોગ ફક્ત ૨૦% અમેરિકનો  કરે છે. આ પણ કદાચ  વૈપારીક પ્રચારનો નમૂનો હોઈ શકે.



                                                મીડિયાનો ઉપયોગ ઘણીવાર સરમુખત્યારો પણ કરે છે અને પોતાના બધા પગલાંઓ લોકહિતમાં છે એમ બતાવવા પ્રયત્નો કરેછે.  એની લોકપ્રિયતાનો પ્રચાર પણ ખરીદેલા મીડિયા મારફતે કરવામાં આવે છે. એમાં બધાજ  મીડિયા સંડોવાયેલા હોતા નથી પરંતુ જે સાચી રજૂઆત કરે છેએમને ઘણી રીતે સહન કરવું પડે છે.

                                               આ પરથી જોઈ શકાય છેકે મીડિયા  કોઈને પણ ઉગારી શકે છે કે પછી ડુબાડી પણ દઈ શકે છે.  એટલેકે મીડિયા મીઠી છરી છે જે સુધારી પણ શકે છે. અથવા તો નુકસાન પણ કરી શકે છે. સત્યનો પ્રચાર કરી શકે છે અને અસત્યને સત્યમાં રજુ કરી શકે છે. એજ એની બલિહારી છે.

                                               *******************************  

                             

        

                                   


Friday, July 7, 2023

 


ડીએનએ - જીવન વિજ્ઞાનનું  શાસ્ત્ર 

                                                                          જયારે  ભૌતિક શાસ્ત્ર ચરમ સીમાએ પહોંચ્યું ત્યારે વિજ્ઞાનીકોની દ્રષ્ટિ  જીવન વિજ્ઞાન   તરફ વળ્યું .  ડીએનએને  ઉકેલવા માટે  ત્રણ વિજ્ઞાનિકોનો મોટો ફાળો હતો.  ડૉક્ટર જેમ્સ વોટસન ,ફાન્સીસ ક્રીક , અને મોરિસ  વિકીન્સને  ડીએનએના  બંધારણને ઉકેલવા માટે ૧૯૫૩ માં નોબેલ પુરસ્કાર આપવાંમાં આવ્યો હતો પણ એમાં રોઝાલિન્ડ ફેન્કલિનના  ફાળાને અવગણવા માટે મોટો ઉહાપોહ  વિજ્ઞાનિક જગતમાં થયો હતો. 



                                                         ડીએન એ  શું  છે એ જાણવું અગત્યનું છે. દરેક મનુષ્ય શરીરમાં રહેલા જિનના રહસ્યને સાદી ભાષામાં  ડીએનએ  કહેવાય છે. એના રહસ્યને  'ડબલ હેલિકલ બંધારણ' કહેવામાં  આવે છે. દરેક મનુષ્યના શરીરમાં  હેલિકલ  બે તાંતણા વાળું હોય છે જે  ડીએનએ  ના નામે ઓળખાય છે.



                                                          ડીએનએ ની શોધે ગુનાહખોરીના જગતમાં અધભુત સહાય રૂપ બની રહ્યું છે. જયારે માનવીનું શરીર બળીને કદરૂપું અને ન ઓળખાય એવું થયું હોય ત્યારે એના નજદીકના સગાનું ડીએનએ એની સાથે મેળવી એની પહેચાન થઇ શકે છે. 

                          આમ ડીએનએ જગતમાં  કેટલાએ કોયડાઓને ઉકેલવામાં  મદદ રૂપ બને છે.  

                                     ************************************