Thursday, April 28, 2022



ધર્મને નામે 

                                                     ધર્મના નામ પર ધર્મગુરુઓ, મૌલાનાઓ અને પાદરીઓએ દુનિયામાં ઘણી ખોટી વસ્તુઓ ચલાવે  રાખે છે અને લોકોમાં  ઝેર ઉત્પન્ન કરવામાં આવે છે  એ આપણી કમનસીબી છે. મોટા ધર્મ યુદ્ધો થયા છે જેમાં લાખો લોકોના જાનો ગયા છે. બે  કોમો વચ્ચે હુલ્લડો પણ થયા છે.  તે ઉપરાંત ધર્મને નામે ખોટી પ્રથાઓ પણ દાખલ કરી દેવામાં આવી છે એ વાહિયાત હોય છે. શુસ્ક અને નકામી બાબતો પણ લોકો લડી મરે છે. આ બધું પરમાત્માને પામવા માટેની જુદી જુદી પદ્ધતિને નામે એટલે કે ધર્મોને  નામે  ચાલે છે. 

                      આખરે વિવિધ ધર્મો નું  ધૈય  એકજ હોય છે. પરંતુ એને  જુદી જુદી રીતે રજુ કરવામાં આવે છે.  ટૂંકમાં ઇસ્લામમાં કહેવામાં આવ્યું છેકે ' એની આગળ કઈ નથી. એની બાદ કઈ નહિ થાય .જે દેખાય છે અને જે નથી દેખાતું તે પણ છે. જેમ કે ચંદ્રમાની એકબાજુ દેખાય છે.  પરંતુ એની પાછલી બાજુ પણ કૈંક  છે.

                       વેદો કહેછેકે  ' જેનો આજ નહિ અને અંત નહિ , એટલેકે' આદિ નહિ કે અંત નહિ '. વ્યક્ત  છે અને અવ્યક્ત પણ છે. પરંતુ એ બધાને જાણનારો  પરમાત્મા છે. પરમાત્મા નિરાકાર છે એથી એની કોઈ મૂર્તિ બની શકતી નથી. પરંતુ મૂર્તિ પુંજામાં માનવીની પરમાત્મા માટેની ભાવના સમાયેલી છે પરિણામ લાવી શકે છે. 

                     બાઇબલ કહે છે કે જે શુષ્ક  બાબતો માટે આપણે લડીએ છે એ તરીકે જ આપણે પરમાત્માને જાણીયે છીએ.

                          શુફીઓ અને ફકીરો  આત્માને જ 'અહં બ્રહ્મ અસ્મિ ' એમ સમજે છે. આમ દરેક પંથ પરમાત્માને પોતપોતાની રીતે પરમાત્માને ઓળખે છે. 

                          હિન્દૂ સમાજમાં સતી પ્રથામાં ધર્મના નામે અધર્મ ચલાવવામાં આવતો હતો જેને નાબૂદ કરવામાં આવી છે. આવી ઘણી અધાર્મિક પ્રથાઓ વિવિધ  ધર્મમાં  ધર્મને નામે ચલાવવામાં આવે જેનો સમાજ સેવકો અને સુધારકો  દ્વારા  વિરોધ કરીને દૂર કરવામાં આવે છે.

                         ટૂંકમાં ધર્મને નામે ધર્મગુરુઓએ કેટલી અધર્મી પ્રથાઓ  દાખલ કરી લોકોને અંદર અંદર લડાવી મારે છે. એ પણ એક લોકોની  કમનસીબી છે. કોઈ પણ ધર્મમાં પરમાત્માને નામે અધર્મ  ફેલાવવાની  કોઈ જોગવાઈ નથી એ સત્ય છે. પરંતુ  વિશ્વમાં જે  વેરઝેર  અને હિંસા લોકોમાં ચાલે છે એમાં  ધર્મ ગુરુઓનો જ ફાળો હોય છે. એ બધું ધર્મને નામે જ ચાલતું હોય છે.

                               *************************************


 

                      

Thursday, April 21, 2022



મંગળની અજાયબી 

                                           મંગળનો ગ્રહ લાલ ઘુમ દેખાય છે એટલે એણેઘણું ક્તુહલ ઉભું કર્યું છે. આપણા પુરાણોમાં પણ મંગળ વિષે ઘણું લખાયું છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ઘણો ખતરનાક ગ્રહ છે. લગ્ન જીવનમાં પતિ કે પછી પત્નીના  કુંડળીમાં મંગળ  પડ્યો હોય તો બીજાના જીવન માટે તે  ખતરનાક બની રહે છે. આથી પતિ પત્ની  બંનેની કુંડળીમાં મંગળ હોય એવો મેળ પાડવામાં આવે છે.

                                           બધા ગ્રહોમાં મંગળ લાલ દેખાય છે એ વિજ્ઞાનીકો માટે પણ રસનો વિષય બની રહ્યો  છે. આથી એના વિષે સંધોધન કરવા માટે ઘણા દેશો રોકેટ દ્વારા એના પર  પહુચવા પ્રયત્ન કરી રહ્યા છે.



                                           જે  સેટેલાઇટ (માર્સ ઇનર-૯ )  મંગળના ઓર્બીટમાં  દસકાથી ફરી રહ્યો  છે  તે ત્યાંથી ફોટો દ્વારા એના વિષે માહિતી મોકલી  રહ્યો  છે. કદાચ મંગળનો લાલ રંગ  મંગળ પરના જ્વાળા મુખીને  કારણે પણ હોય શકે છે. એમાં એક જ્વાળામુખીનો ડાયામીટર ૩૦૦ માઈલ જેટલો છે જે પૃથ્વી પરના કોઈ પણ જ્વાળામુખીના ડાયામીટર કરતા વધારે છે. તે ઉપરાંત જ્વાલામુખીનું ઊંડાણ ચાર માઈલ જેટલું  છે એમ માનવામાં આવે છે.



                                       આવા કેટલાએ જ્વાળામુખીઓ તેમનો  લાવા  મંગળ પર ઓકતા હશે જે  મંગળને લાલ ઘુમ બનાવતા હશે.

                                          જેમ જેમ મંગળપરની સૃષ્ટિનું  સંધોધન  વધતું જશે તેમ ઘણા નવા નવા રહસ્યો બહાર આવતા જશે. એક વાત ચોક્કસ છે કે  વિજ્ઞાનીકોમાં  પણ મંગળ વિષે જાણવાની ક્તુહલતા  વધી રહે છે.

                                    *********************************** 

                                             

                                            

Sunday, April 3, 2022

  


સોનાનો મોહ 

                                                                      ભારતમાં સોનાનો ઉલ્લેખ ઘણા પુરાણોમાં પણ જોવા મળે છે. જેમકે સોનાનો મૃગ , સોનાની દ્વારકા અને લંકા. ઘણા લેખકોએ અને કવિઓએ સોનાનો મહિમા ગાયેલો છે. આમ ભારતની સંસ્કૃતિમાં સોનાના મૂળ બહુ ઊંડા છે. પુરાતન કાળથી સોનાને ભારતમાં મુસીબતના સમયમાં  મદદગાર તરીકે માનવામાં આવે છે. એટલેકે સંકટના સમયમાં સોનાને વેચી નાણાં મેળવી શકાયછે. તે ઉપરાંત સારા પ્રસંગે સોનુ આપવાનો રિવાજ છે. સ્ત્રીઓમાં સોનુ  ઘરેણા રૂપે ઘણું વપરાય છે . મંદિરોમાં પણ સોનુ ઘરેણા ના રૂપમાં  ધરાવવામાં આવે છે. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણું સોનુ ઘરોમાં સંગ્રહાયેલું પડ્યું છે. આથી ભારતમાં સોનુ સામાન્ય પ્રજા પાસે  સરકાર  કરતા વધારે સંગ્રહેલું પડ્યું છે. ભારતમાં લોકોમાં ૨૨૫૦૦ ટન્સ જેટલું સોનુ પડેલું છે જે અમેરિકા સરકારના સરકારી સંગ્રહ કરતા પાંચ ગણું વધારે છે. એની કિંમત અત્યારના ભાવ પ્રમાણે ૧.૪ ટ્રિલિયન ડોલર જેટલું છે. 



                                       સોનાની વધારે પડતી માંગ દેશના અર્થતંત્રને નુકસાન કરી શકે છે. આમ તો ભારતમાં સોનાનું ઉત્પાદન નજીવું છે એટલે બહારથી આયાત કરવું પડે છે. કેટલીકવાર  ભારત સરકારને સોનાનું દાણચોરી અટકાવવા પણ સોનુ આયાત કરવું  પડે છે. એ ભારતીય અર્થતંત્ર પર ભારરૂપ છે. એટલા માટે ભારત સરકાર સોના પર ૧૦% જેટલી આયાત કર નાખેલો છે. તે ઉપરાંત સરકારે લોકોમાં પડેલા સોનાને બહાર લાવવા માટે સોનાના બોન્ડ બહાર પડ્યા છે . અને કેટલીક  બેન્કોએ સોના સામે લોન પણ આપવા માંડી છે.  આશ્ચર્યની વાતતો એ છેકે ભારતમાં વિશાળ સોનાનો ભંડાર લોકોમાં હોવા છતાં ભારત સરકારને ભૂતકાળમાં  ભારતના ચલણની  કિંમત ટકાવી રાખવામાટે પરદેશથી  સોનુ આયાત કરવું પડ્યું હતું.



                                    સોનાની માંગ   ઘટાડવા  માટે ભૂતકાળમાં નાણાં મંત્રી તરીકે  મોરારજીભાઈએ ગોલ્ડ કંટ્રોલ ઓર્ડર પણ લાવ્યા હતા કારણકે તે વખતે  ભારત પાસે પરદેશી ચલણનું  ભંડોળ બહુ ઓછું હતું. એ કાયદો લોકોમાં અપ્રિય થઇ ગયો હતો અને એ કાયદાને  હટાવવો પડ્યો હતો. પરંતુ આજે પણ લોકોનો  સોનાની માંગનો  પ્રશ્ન સરકારને મૂંઝવી રહ્યો છે.  એના માટે કોઈ કાયદો લાવવાવાની સરકાર ગંભીર રીતે વિચારી રહી છે. મૂળમાં તો સોનાનો લોકોનો મોહ જ વિપરીત આર્થિક પરિસ્થિતિ ઉભી કરી રહી છે.



                                        કોવિદ -૧૯ ના રોગચાળા દરમિયાન શહેરોમાં લોકો ઓન લાઈન  સોનુ ભારતમાં ખરીદતા રહેતા હતા . પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સોનાનું વેચાણ  ઘટ્યું હતું કારણકે દુકાનો બંધ હતી.  લોકોમાં સોનાનો મોહ  ઘટે તોજ એક આર્થિક પ્રશ્નનો  નીવડો આવી શકે છે.  ઘણા લોકોને એ પણ ખબર નહિ હોયુ કે સોનાને લાંબો વખત સંગ્રહ કરવાથી એ આખરે તો મતૃ રોકાણ જ બની રહે છે . એમાં દેશને અને લોકોને શું લાભ થાય? એ વિચારવું રહ્યું.

                                           ***********************************