Wednesday, November 13, 2013


ભારતની જનતાની પરેશાની

                                     
                                                       આજે ભારતમા ગણી વિકટ પરિસ્થિતિ છે. જનતા ભ્રષ્ટાચાર, ફુગાવો, ગેરવહીવટ અને હિંસામા પીડાઈ રહી છે. ધીમે ધીમે બધી  સંસ્થાઓ નબળી પડી રહી છે. અત્યારેતો ઍવુ લાગે છેકે ઉંચ ન્યાયાલય સિવાય કોઈ સંસ્થા બરાબર ચાલતી નથી. પૈસાદારો વધારે પૈસાદાર બની રહયા છે, અને ગરીબો વધારેને વધારે ગરીબ થઈ રહ્યા છે. વસ્તીના૧/૩ લોકો  ૬૬વર્ષની સ્વતંત્રતા  બાદ પણ ગરીબીમા  સડી રહ્યા છે. લોકો પોતાના જીવન સંઘર્ષમાથી બહાર આવી શકતા નથી અને દૂષણો સામેની પ્રતિકાર શક્તિ ગુમાવી દીધી છે ત્યારે થાય છેકે  શુ આવી પરિસ્થિતિ માટે આપણા સ્વતંત્રવીરો ઍ બલિદાન આપ્યા હતા?
હવે તો લોકો બ્રિટિશ અને મહારાજાઓના અમલ ને સારો ગણાવી યાદ કરી રહ્યા છે. ઍ જ આપણી કમનસીબી છે.
ઍનુ કારણ-
વતન તારા હાલ જોઈ પ્રભુને આવી ગઈ છે દયા
પણ આ ધરતી પર  જન્મ લેનારાઓને ન આવી લજ્જા
સ્વતંત્રવીરો ઍ દેશને માટે પોતાનુ બધુ ગુમાવ્યુ હતુ
ઍમણે વિચાર્યુ પણ નહી હોય કે આવા દિવસો જોવાનુ
વતન તારા--
કરોડો પાસે રોટી, મકાન અને  કામ નથી
ઍક્વાર ખાવાનુ, શુ  ઍ કરોડોનો હક્ક નથી?
મંદિરો પર ધજા ચડે, અને દેવોને થાળ ચડે
બહાર ઉભા પેલા ભૂખ્યા, શુ ઍ માનવો નથી?
વતન તારા--
જનતા બિચારી મજબૂર છે ધીરજ રાખી બેઠી છે
આટલી યાતનાઓ છતા તૂફાન દબાવી બેઠી છે
બીજા દેશોમા શુ થયુ ઇતિહાસ ઍનો સાક્ષી છે
તોફાન હદથી વધી ગયુ તો પછી  મારફાડ, મારફાડ જ્ છે.
 ભારત દેસાઈ
                                              *************************

Monday, November 11, 2013


સ્વાસ્થ્ય સારુ રાખવાની કળા- આધુનિક અન પુરાતન


                                                        સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે થોડી આધુનિક સૂચનાઓ સામાન્ય રીતે નીચે મુજબ છે.
૧)કસરત ૨)રમતગમત ૩)શોખોને કેળવો ૪)પુરી નીદ્રા લૉ ૫)ઉંડો સ્વાસોશ્વાસ લેવાનુ રાખો ૬)ખોટી ચિંતા છોડી દો અને૭)હંમેશા સાકારત્મક વલણ કેળવો. આનાથી શરીર સારુ અને પ્રફુલ્લિત રહેછે.
                                                        આપણા ઋષીમુનિ ઑ પુરાતન કાળમા બહુજ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવતા હતા. તેઓ ઘણો સમય મન્ત્રો ઉચ્ચાર અને યોગામા પસાર થતો. બાકીનો સમય તેઓ વિજ્ઞાનિક  શોધો કરવામા ગાળતા. તેમની પ્રયોગશળાઓ  તેમનુ આંતરિક માનસ હ્તુ.
                                                        ઍમ કહેવાય છેકે ઈશ્વરે વિસ્વામિત્રને ગાયત્રી મંત્ર આપીને દુનિયાના લોકોને તંદુરસ્તી ચાવી આપી દીધી છે. ઍના રટણથી કોઈને પણ આધ્યાત્મિક અને તંદુરસ્તી દ્રષ્ટી ઍ ફાયદો થાય છે, ગાયત્રી મંત્રનુ રટણ કરવાથી માનવીની મગજ શાંત થઈ જાય છે.  આથી માનવીની દ્રષ્ટી સાફ થઈ જાય છે.  અને કપરા સમયમા સાચો નીર્ણ ય લેવામા મદદ રૂપ થાય છે. માનવીમાથી બધાજ ભયો દૂર થઈ જાય છે. આથી શરીર તંદુરસ્ત બને છે.
                                                        આતો માનવીના અનુભવોની વાતછે પરંતુ આધુનિક જમાનામા વિજ્ઞાનિક રીતે પૂરવાર થઈ ચુક્યુ છે. ડૉક્ટર હાવર્ડ સ્ટેઈન્જ્રિલ  અમેરિકન વિજ્ઞાનિકનુ કહેવુ છે કે ગાયત્રી મંત્ર  ૧૧૦૦૦૦  મોજાઓ દર સેકંડે ઉભા કરે છે જે રટણ કરનારને પવિત્ર બનાવે છે. આધ્યાત્મિક બનાવે છે. આપણી બુધ્ધિમા પણ વધારો કરે છે.
                                                        ગાયત્રી મંત્ર  દુનિયાને બનાવનારના ગુણગાન ગાય છે. અને દુનિયામાથી અજ્ઞાન દૂર કરી પ્રકાશ ફેલાવવા માટે કર્તાનો આભાર માને છે.
                                                        ટૂકમા આધ્યાત્મિક યોગા દ્વારા  શરીરને તંદુરસ્તી  બક્ષવાની ઍ ઍક આપણી પુરાતન પધ્ધતિ છે જે બહુજ સરળ છે.
                                            _______________________________