Monday, February 17, 2020


કુદરતનું  ખુન
                                                                                        મનુષ્યોએ  કુદરતની સાથે ઘણો મોટો અન્યાય કર્યો છે. એથી કુદરત ક્રોધિત રીતે વર્તી રહી છે.  કુદરત પર અકુદરતી રીતે આક્રમણ કરવામાં આવી રહ્યુ  છે.  પૃથ્વીના ઝાડપાન  ક્રુરતાથી કાપી નાખી,  પૃથ્વી પર સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઉભા કરી દીધા છે. પૃથ્વીને ખોદી કાઢી એને વેરાન વિધવા સમાન બનાવી  દીધી છે. કુદરતની સંપત્તિઓ સોના, ચાંદી , હીરા, ખનીજો  અને ખનીજ તેલને  લુટવા  માટે ઠેર ઠેર  પૃથ્વીને ખોદી કાઢી છે. એમાં પર્વતો અને નદીઓને પણ છોડી નથી.
                                                                           સાગરઓમા અને નદીઓમાં   ઝેરી રસાયણો અને કચરો નાખી પ્રદુષિત કરી નાખ્યા છે. સાગરના પેટાળને પણ ખનીજ તેલ મેળવવા માટે વીંધી  નાખ્યા છે. માનવીઓએ  નાખેલા ઝેરને કારણે સાગર્ જીવો કમોતે મરી રહ્યા છે.
                                                                         જંગલોમાં  માનવીઓ  પોતાના અહમને સંતોષવા શિકારને નામે જંગલી પશુ પંખીઓનો શિકાર કરી કેર વરતાવી રહયા છે.  ઉદ્યોગોંની ચીમનીમાંથી નીકળતા ઝેરી ગેસોએ હવા અને આકાશને પણ પ્રદૂષિત કરી નાખ્યું છે.  હવે તો અવકાશમાં પણ રોકેટો , યાનો છોડીને મોટો કચરો  ઉભો કરી નાખ્યો છે.  આથી અવકાશ પણ હવે સ્વચ્છ નથી.
                                                                          એકબીજાને પાડી દેવાની  ખાવીશમા રાષ્ટ્રો સંહારક   અને ઝેરી  શસ્ત્રો  બનાવી દુનિયાના નાશ તરફ દોરી રહયા છે. કુદરતે રોગોનું સર્જન કર્યું તો એ રોગોથી પણ ભયંકર વાયરસો બનાવી મનુષ્યો અને રાષ્ટ્રો  વિશ્વ વિજેતા બનવા મથી રહયા છે. આને આપણે યાદવાસ્થળી કહેવા સિવાય બીજું શું  કહેવું ? મનુષ્ય પોતેજ પોતાનું અને પૃથ્વીનો નાશ કરવા ધસી રહ્યો છે. આ પણ એક ગાંડપણ જ છે.
                                                                            કુદરત પણ આ આક્રમણ સામે હવે ક્રોધિત છે કારણ કે હવામાન હવે ઝેરી અને  પ્રદુષિત થઇ ગયું છે.  અહીં સામાન્ય  નિયમ લાગુ પડે છે. ' જેવું ખરાબ   કર્મ તેવું ખરાબ  ફળ '.કુદરત હવે વિફરી છે. ગરમી વિશ્વમાં વધી રહી છે. ઠંડામાં  ઠંડા પ્રદેશ ઉત્તર ધ્રુવનું ઉષ્ણતામાન 20 ડિગ્રી  સેલસિયાસ  સુધી પહોચી ગયુ. સાગરોના પાણીનું લેવલ ઉપ્પર આવી રહ્યું છે અને નીચાણમાં આવેલા પ્રદેશો પર પાણી આગળ આવવા લાગ્યું  છે. અતિશય વરસાદ, નદીઓમાં પૂર, સ્નો  અને બરફીલા  તોફાનો  સામાન્ય થઇ ગયા છે. વાવાઝોડા અને  દરિયાયી  તોફાનો વારંવાર આવવા લાગ્યા છે.  આમ મનુષ્યો કુદરતનું  નુકસાન કરી રહયા છે તો  કુદરત એનો ખરાબ રીતે જવાબ આપી રહયુ છે.
                                                                            હવે એક રાષ્ટ્ર  પોતાની સંશોધન સંસ્થાઓમાં અકુદરતી રોગોનું નિર્માણ બીજા રાષ્ટ્રોને નુકસાન  કરવા માટે બનાવી રહયા છે.  એમાંથી કેટલાએ જીવલેણ રોગોનું  નિર્માણ  થયું છે એમ માનવામાં આવે છે.
                                                                           અત્યારે કોરોના વાયરસ ચીનમાં બહુજ એકટીવ છે. અને અત્યાર સુધીમાં  2000  માણસોના ભોગ લીધા છે અને  84000જેટલી વ્યક્તિઓ  એનાથી  પીડિત છે.  કેટલાએ શહેરોને એના ચેપને લીધે સીલ કરી દેવામાં આવ્યા છે. આ પણ કુદરતનો એક  કોપ જ   છે.
                                                                        વાઇરાસના કેરનો કારમો દાખલો ઉપરના ચીનના 'વુહાન'શહેરના વીડિયો પરથી ખ્યાલ આવી જાય છે. પરંતુ પૃથ્વીના આખરી પ્રલયનુ દ્રશ્ય એનાથી પણ ભયંકર અને કરુણ હોઇ શકે છે. 
                                                        ****************

Monday, February 10, 2020


બિચારા રાષ્ટ્રપિતા
                                                                                                    મહાત્મા ગાંધીની ૩૦ મી જાન્યુઆરીએ મૃત્યુતિથિ ગઈ એ દિવસે કેટલાક રાજનેતાઓએ એમનો રાજકીય ઉપયોગ કર્યો. મુખ્ય  વાતતો એ છેકે એમના સિધ્ધાંતોનો અમલ કરવા  કેટલા લોકો તૈયાર છે? વિશ્વમાં ગાંધીજી હજુ પ્રસ્તુત છે પરંતુ એવું લાગેછેકે ભારતમાં એ હવે નામ માત્ર રહયા હોય એમ લાગે છે. ગાંધીજીને સત્તા સાથે બહુ સબન્ધ ન હતો પરંતુ માનતા હતા કે સત્તા લોકોની સેવા માટે છે. રાજકારણમાં નીતિમત્તા હોવી જોઈએ. એ વસ્તુથી ભારતીય રાજકારણીઓ પર થતા જતા થયા છે
                                             કેટલાક રાજ્કારણિયોતો  એમ કહેતા પણ અચકાતા  નથી કે ' ગાંધીવાદ આ જમાનાને પ્રસ્તુત નથી.  તો કેટલાક એમની હાંસી ઉડાવેછે કે' આઝાદી તો અંગ્રેજોને આપવી હતી એટલે આપીં  એમાં ગાંધીજીનું કોઈ પ્રદાન નથી'. આ પણ કૃતજ્ઞતાનો  એક નમૂનો છે . કેટલાક તો ગાંધીજીને મારનાર ગોડસેને  હીરો તરીકે બિરદાવે છે. ગાંધીજીનો ગુનો શું છે ? ગાંધીજીએ  સ્વતંત્રતાની લડતની આગેવાની લીધી એ એમનો ગુનો હતો કે પછી દેશના ભાગલા અટકાવવા માટે હિન્દૂ મુસ્લિમની એકતાની હિમાયત કરી એ એમનો ગુનો  હતો?
                                              ગાંધીવાદનું  મૃત્યુતો આઝાદી પછી  જ્યારે એમણે એમના ભારત વિશેની કલ્પના વિષે લખ્યું  ત્યારે જ થઇ ગયું હતું .  એમના શિષ્યોએ જવાબ આપવાનું ઉચિત નહોતું માન્યુ .  કેટલાકે કહ્યું  'દેશના ભાગલા માટે ગાંધી જવાબદાર હતા તો કેટલાકે કહ્યું કે ' જ્વાહરલાલ નેહરુને વડા પ્રધાન બનાવવામાં એમની ભૂલ હતી'.  મૂળમાં તો આઝાદી પછી ગાંધીને સાંભળવા એમના શિષ્યો તૈયાર  જ ન હતા. નહેરુ સરદારની અંદર  કામ કરવા તૈયાર ન હતા, અને કેટલાક કોંગ્રેસને  તોડવા પણ તૈયાર હતા. દેશના ભાગલાની ગાંધીજી વિરુદ્ધમાં  હતા પણ બહુમતી નેતાઓ સત્તા મેળવવા અધીરા બની ગયા હતા.  તેઓએ ગાંધીજીની વિરુદ્ધ  જઈને દેશના  ભાગલા સ્વીકારી લીધા હતા.
                                               આથી ગાંધીજી આઝાદીની ઉજવણીમાંથી  બાકાત હતા અને બંગાળમાં  નૌઆખલી ખાતે હિંદૂ મુસ્લિમ હુલ્લડો ઠારવા ચાલી ગયા હતા. ગાંધીજી કોંગ્રેસી નેતાઓથી એટલા નારાજ હતા કે એક વખત એમણે કહ્યું હતુંકે 'કોંગ્રેસનું વિસર્જન  કરી નાખવું જોઈએ  કારણકે એનું કામ પુરુથઈ ગયું છે'. એમનું કોઈ સાંભળવા માગતું ન હતું.  એથી ત્રાસીને એકવાર તો દિલ્હી છોડીને દૂર ચાલી જવા પણ નક્કી કર્યું હતું . કેટલાક શિષ્યોએ એમને રોક્યા હતા અને દિલાસો આપ્યો હતો કે ' તમારી દેશની જનતાને જરૂર છે '
                                                 જે વ્યક્તિના જીવનમાંથી અને સિદ્ધાંતોમાંથી દુનિયાના કેટલાએ નેતાઓએ પ્રેરણા લીધી છે અને સફળ નીવડ્યા છે. ત્યારે એના  પોતાના દેશમાં જ આવી દયામય સ્થિતિ હોય એ આપણી  કમનસીબી છે અને શરમજનક બાબત છે.
                                       *************************************    

Tuesday, February 4, 2020


અજાયબ વસ્તુઓ
                                                                               એવી માન્યતા હોય છેકે  પશ્ચિમના દેશો આગળ વધેલા છે અને ત્યાં સ્ત્રીઓને આગળ વધવાની વધુ તકો હોય છે.  એ ભ્રમ જ છે.  ભારત જેવા આગળ વધી રહેલા દેશમાં વધારેમાં  વધારે સ્ત્રી વિમાની પાઈલોટો  છે જે ગલત માન્યતાઓને જૂઠી પાડે છે.  તે ઉપરાંત સર્વે  પ્રમાણે દીકરીઓને લીધે જ પિતાનું આયુષ્ય  વધતું હોય છે.  અનુસંધાન  એમ કહે છેકે  આખા દિવસમાં સ્ત્રીઓ  સરેરાશ ૬૨ વખત ખુલ્લા મને હસી લેછે અને જીવનનો આનંદ માણી લેછે જ્યારે પુરુષ ૮ વખત જ હાસ્ય નો આનંદ  માને છે . આમ ઘણી  બાબતમાં સ્ત્રી પુરુષોની  આગળ છે.
                                                                           દુનિયામાં ૧૯૫ દેશો છે એમાં ક્યાં દેશનો પાસપોર્ટ વધારેમાં વધારે શક્તિશાળી છે?  લોકોને પૂછો તો શક્તિશાળી દેશો અમેરિકા ,રશિયા, ફ્રાન્સ, જર્મની , ઇંગ્લેન્ડ  કે ચીનનું જ નામ આપશે પરંતુ એ  વાત સાચી નથી.  ૧૯૫ દેશોમાંથી ૧૯૦ દેશો એમના દેશમાં  જાપાનના પાસપોર્ટને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે આથી જાપાનીસ પાસપોર્ટને  દુનિયામાં વધારેમાં વધારે  શક્તિશાળી માનવામાં આવે છે. તે ઉપરાંત એ પાસપોર્ટ સહેલાઈથી મળતો નથી.

                                                                        ઓછું ભણેલા  માણસો આવડત વગરના હોય છે એવી માન્યતા  'ગૂગલ' જેવી  કંપનીએ જૂઠી પાડી છે.  ૧૬% જેટલા ગૂગલના કામદારો સ્નાતક પણ નથી તે છતાં દુનિયાની એ ઊંચ  ટેક્નોલોજી પુરી પાડનારી કંપની બની રહી છે.
                                                                           અમેરિકા એ ઘણો સમૃદ્ધ દેશ છે એમાં કોઈ શંકા નથી પરંતુ એની અર્થ વ્યવસ્થામાં  કેટલીક આશ્ચર્યજનક બાબતો છે.  સરેરાશ ૬૨% અમેરિકનનોના  બચત ખાતામાં  ૧૦૦૦  ડોલરથી પણ ઓછા પૈસા પડયા હોય છે.  ૨૧%અમેરિકનોના બચત ખાતા પણ નથી. એટલેકે અમેરિકાની અર્થવ્યવસ્થા ધિરાણ પર અવલંબિત છે
                                                                          એ જાણીને પણ આશ્ચર્ય થાયછેકે આખી દુનિયાનો આશરે  ૫% વેપાર  હોંગકોંગ  મારફતે થાય છે
                                                                           આપણે ઘણીવાર વિમાનનો પ્રવાસ કરીયે છે પણ આપણી જાણમાં નહિ હોય કે વિમાનના  પાઈલટો  એકજ  જાતનું  ખાવાનું  નથી ખાતા.  એકજ જાતની વાનગી ખાવાથી જો ખોરાકમાં ઝેર આવી  જાય તો  બધાજ મુસાફરોનું  જીવન જોખમમાં આવવી જાય છે
                                   આમ ઘણી નાની બાબતોની માહિતી આપણી પાસે હોતી નથી         
                                                *******************************