Saturday, April 13, 2024



  કેલિફોર્નિયા 

                                                                        કેલિફોર્નિયા એ અમેરિકાનું કુદરતી અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય છે. ત્યાં દુનિયાની સકલ ફેરવનાર સિલીકોન વેલી આવેલી જ્યાં વિશ્વના સમૃદ્ધ લોકો પણ  રહે છે. સાથે સાથે દુનિયાની  પ્રસિદ્ધ નગરી હોલિવુડ પણ છે. અને આનંદપ્રમોદ માટે ડિઝની લેન્ડ પણ છે. 




                               કુદરતી સૌંદર્ય ભગવાને અહીં સીંચી સીંચીને ભર્યું છે. એક બાજુ વિશાલ અને ગહેરો પ્રશાંત મહાસાગર છે તો બી બાજુ લીલાછમ ડુંગરમાળાઓ  પથરાયેલી છે. એક વખત સોનાની ખાણો માટી આવી હતી એટલે લોકોનો ધસારો થયો હતો પરંતુ ટીમે જતા સોનુ સુકાઈ ગયું અને એનો મોહ પણ ચસલી ગયો. તે છતાં આજે કેલિફોર્નિયા સોનેરા રાજ્ય તરીકે ઓળખાય છે એટલેકે 'ગોલ્ડ્ર્ન સ્ટેટ' તરીકે ઓળખાય છે.  



                               બીજીરીતે  કેલિફોર્નિયા  કોસ્મોપોલીટન રાજ્ય અને થોડું ખરચાર્ળ  એટલેકે મોંઘવારી વધારે છે. ઘરો પણ મોંઘા છે અને ટેક્સઓનો દર  પણ બીજા રાજ્યો કરતા  વધારે છે. પરંતુ અહીંની આબુહવા સારી છે અને એની કિંમત અહીંના  લોકોએ ચૂકવવી પડે છે .  



                                       હવે કેલિફોર્નિયામાં હવા બદલાઈ રહી છે. મોંઘવારીને લીધે વેપારધંધા કેલિફોર્નિયાની બહાર જવા માંડ્યા છે. લોકો બીજા રાજ્યોમાં જવા લાગ્યા છે. એમાં કૅલિફૉર્નિયાએ ૩૦ બીલીઓન ડોલર ટેક્ષ  ગુમાવ્યો છે.  કૅલિફૉર્નિયાનો બેરોજગારી દર  ૫.૪%ઘટાડો છે  જે બીજા રાજ્યો કરતા અને  રાષ્ટ્રીય દર ૪% કરતા વધારે છે. નવા રોજગારીની તક ૦. ૮ એક  બેરોજગાર વ્યક્તિ દીઠ  છે જયારે બીજા રાજ્યોમાં એ રેશિઓ ૧.૬ છે. રાજ્યના બજેટમાં  ૩૮ બિલ્લીઓન ડોલરની  ડેફિસિટની ગવર્નરે  જાહેરાત કરેલી છે. કદાચ વાસ્તવિકમાં વધુ હશે એમ માનવામાં આવે છે.  વસતી  ઘટાડો થઇ રહ્યો છે એ પણ રાજ્યની પરિસ્થિતિ પાર પ્રકાશ નાખે છે.





                              આમ એક વખતના બહુજ સમૃદ્ધ  મનાતું  અને સિલીકોન વેલી ને લીધે જે જગપ્રસિદ્ધ  બન્યું છે.  જેની  કુદરતી સમૃદ્ધિ આપાર છે. એવા રાજ્યના આર્થિક પાયા ધ્રુજી  રહયા છે  એ આશ્ચર્ય જનક  છે. વધારે ટેક્સ નાખી શકાય છે પણ વધુ લોકો રાજ્ય છોડી જાય એવી પણ એક ભીતિ છે. 

                             ********************************

                                

  

                                

 

Wednesday, April 10, 2024

 


દહીં 

                                              દૂધમાં મોળવણ  નાખવાથી  દહીં બને છે. જે ઉમુક પ્રમાણમાં અને યોગ્ય  વખતે ખાવાથી શરીર માટે ઉત્તમ છે.  એમાં કેલ્શિયમ. પ્રોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , મેગ્નેસિયમ , વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા તત્વો હોય છે જે શરીરની સ્વાસ્થ્ય  માટે ઉપયોગી હોય છે .

                                               દહીં ખાવાનો યોગ્ય સમય સવાર અને બપોરેનો છે.શિયાળામાં  અને ઉનાળામાં દહીં ખાવું આવકાર્ય છે. 

                                            તાજું દહીં શરીરના  મેટાબોલીઝમાં  સુધારો કરે છે.  રોગની સામે પ્રતિકાર કરવાની શક્તિ વધારે છે.   પેટના રોગને ઘટાડે છે.  બ્લડ પ્રેસર નિયમિત કરે છે અને હાંડકા મજબૂત કરે છે. ભૂખ વધારે છે અને ત્વચા સબંધિત સમસ્યાને દૂરકરે છે. તે ઉપરાંત દહીં શરીરના તાપમાનને  કાબુમાં રાખે છે અને   શરીરને ડી હાઇડ્રેશનથી પણ બચાવે છે.  પાચનશક્તિ વધારવામાં  દહીં મદદ રૂપ થાય છે.



                                            સૂર્યાસ્ત પછી દહીં  ન ખાવું જોઈએ . દહીં સાથે તળેલા પદાર્થો ને ખાવાથી પાચનશક્તિ મંદ પડે છે. એની સાથે લીધેલા ખાંટા પદાર્થો ગેસ,એસીડીટી , કબજિયાત , અપચો  જેવી બીમારી લાવી શકે છે. કેરી સાથે દહીં  ખાવાથી  કફ  ,ઉધરસ , અને  સાંધાના દુખાવાની સમસ્યા થઇ શકે છે.   તે ઉપરાંત ડેરી પ્રોડક્ટ સાથે દહીં ખાવાથી સોજાની સમસ્યા ઉભી થઇ શકે છે. 

                                          ટૂંકમાં  યોગ્ય સમયે  દહીંને  ખાવાથી ફાયદાકારક છે પરંતુ  જયારે એને અયોગ્ય પદાર્થો સાથે લેવામાં  આવે તો શારીરિક સમસ્યાઓ  ઉભી થઇ શકે છે.

                                           ********************************* 

Saturday, April 6, 2024

 


સ્વાસ્થ્ય 

                                                                   શરીરની તંદુરસ્તીની જાળવવા માટે  દરેકે પોતાનો આહાર , અને કુટેવો પર ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર ભાવતી વસ્તુઓનો ત્યાગ કરી તંદુરસ્તીને લાયક ખોરાક ખાવાની જરૂરિયાત છે. તેજ પ્રમાણે હાનિકારક   શોખોને  છોડીને શરીરને અનુરૂપ શોખો સાથે જવાની વૃત્તિ હોવી પણ જરૂરી છે.

                                આહારમાં  વધારે  લીલા શાકભાજી  ખાવાની જરૂરિયાત હોય છે.  બીટ અને ગાજર શરીર માટે  સારા  છે . તે ઉપરાંત ટામેટા , કારેલા,કાંકડી , ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. દૂધી પણ   લોહીની  શુદ્ધિ માટે ઉપયોગી છે.

                              તળેલી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે.  પુરી , પકોડી જેવી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. પીઝા, પાઉં અને ઈંડા  પણ વધુ પ્રમાણમાં ખાવાથી  તંદુરસ્તી માટે નુકશાનકારક  છે. વધારે પડતા તીખા ખોરાક પણ લાંબેગાળે શરીરને  નુકશાન કરે છે. 



                               તમાકુ , ગુટકા ખાવાની આદતો નુકસાન કારક છે. એનાથી કેન્સર જેવી ગંભીર બીમારી  થઇ શકે છે એનું અનુમોદન  ડોક્ટરો પણ કરી ચુક્યા છે. જે જલદી સુવે અને જલદી ઉઠે એ તંદુરસ્ત રહે છે.

                                જેમનું પેટ સાફ રહે છે એ હંમેશા તંદુરસ્ત રહે છે. થોડું પેટ ખાલી રાખીને ખાવાથી પણ શરીર સારું રહે છે. અનુભવ કહે છેકે'લોકો  ગમેતેમ ખાવાથી મરી જાય છે પરંતુ ભૂખથી બહુ ઓછા મરે છે'. ઘણીવાર અનિયમિત જીવન અને ગમે તેમ ખાવાથી પેટ બહાર આવી જાય છે  એ પણ શરીરની તંદુરસ્તી માટે સારું નથી.

                              શરીર માટે કોઈને કોઈ કસરત આવશ્યક  છે. એટલા માટે દરેક વ્યક્તિએ   દિવસમાં ઓછામાં ઓછા  ૩૦ મિનિટ ચાલવું  આવશ્યક છે. કઈ નહીતો ૧૦૮ વાર તાળી પાડવાથી પણ તંદુરસ્તી જળવાઈ રહે એવું પણ માનવામાં આવે છે.



                             આયુર્વેદ પણ તંદુરસ્તી  માટે ઘરની આજુબાજુ  સારી એવી લીલોતરી હોવી જોઈએ જે વાતાવરણ સારું રાખે. તુલસીનો છોડ પણ ઘરના માટે આરોગ્યદાયક ગણાય  છે. ઘણા લોકો  તાંબાના લોટામાંનુ  પાણી તંદુરસ્તી માટે પીવે છે.

                  મૂળમાં સારી આદતો, તંદુરસ્ત ખોરાક અને અનુરૂપ કસરત જ શરીરને તંદુરસ્ત રાખે છે.

                                          **********************************