Tuesday, April 21, 2020


ડ્રેગનનો કેર
                                                                                                               ચીન એક એવો દેશ છે જે ડ્રેગનને નામે પણ ઓળખાય છે. ડ્રેગન આખરે શું છે? ડ્રેગન એક વિશાળ ભયંકર પ્રાણી છે જેના નામ સાથે ચીનની પહેચાન છે. ચીન ડ્રેગન જેટલો જ  વિશાળ દેશ છે અને એની શક્તિઓ ડ્રેગનની શક્તિને ટપીજાય એવી મજબૂત છે. એ વસ્તીમાં પણ દુનિયામાં અવ્વલ છે. એ  લુચ્ચાઈ, અને હોશિયારીમાં દુનિયામાં કોઈ પણ દેશથી ઉત્તરે એમ નથી. એથી એનું ઉપનામ ડ્રેગન ઉચિત છે.

                                                    ચીન એની વિસ્તારવાદી વૃત્તિ માટે જગતમાં પ્રખ્યાત છે. એની મહત્વાકાંક્ષા વિશ્વ સત્તા બનવાની છે. અત્યારે એની શક્તિઓએ એનું સ્થાન વિશ્વની બીજી કક્ષાની સત્તાની ક્રમે આવી ચૂક્યું છે પરંતુ હવે તે અમેરિકાને મહાત કરી પ્રથમ કક્ષાની વિશ્વ સત્તા બનવાની હોડ માં છે. એના માટે જાત જાતની તરકીબો અજમાવી રહ્યું છે.
                                                    ચીનની આજુબાજુ જે આશરે  ૧૮ દેશોની સરહદો છે એ બધા દેશો અને ચીન વચ્ચે તણાવભરી સ્થિતિ પ્રવર્તતે  છે. એ દરેકની સાથે એક કે બીજી રીતે ચીનને સરહદો વિષે તકરાર જેવી પરિસ્થિતિ છે. હવે એને વધારી ચીને  હવે દક્ષિણ ચીનના સમુદ્ર પર પોતાનો દાવો કર્યો છે. આજુબાજુમાં આવેલા કેટલાએ  ટાપુઓ પર ચીને પોતાનો દાવો નોંધાવ્યો છે. એનાથી જાપાન , વિયેતનામ.ફિલિપાઇન્સ,   મલયએશિયા, અને ઇન્ડોનેશિયા જેવા કેટલાએ દેશો સાથે ચીનનો તણાવ વધી ગયો છે. દુનિયાનો ૨/૩ આંતર રાષ્ટ્રીય  વેપાર દક્ષિણ ચાઇના સમુદ્ર મારફતે થાય છે એટલે ચીન હવે અમેરિકા સાથે પણ સીધા ઘર્ષણ માં આવી ગયું છે. આ બધા ઘર્ષણો પાછળ ચીનની એકજ મુરાદ છે કે એને એની શક્તિનું  ભાન બીજા દેશોને કરાવવાનું છે.

                                                       કોરોનાના ચેપના વિશ્વ  ફેલાવા બાદ ચીન આખી દુનિયામાં બદનામ થઇ ચૂક્યું છે. ચીનની સામે આક્ષેપોના  ઢગલાઓ ઉભા થઇ ગયા છે. ચીને આખી દુનિયાથી કોરોના કારણે થયેલા  મોતના સાચા આકડાઓ છુપાવ્યા છે એવો પણ એક  આરોપ ચીન સામે છે. કોરોના વિષે સાચી માહિતી ચીને દુનિયાને સમયસર પુરી  ના  પાડી એથી કોરોના એ આખી દુનિયામાં  માનવીઓની લાશોનો ઢગલાઓ ઉભા કરી દીધા. આખી દુનિયાની અર્થવ્યવસ્થાને  હાનિ પહોંચાડવા માટે ચીને કોરોના નામના દૈત્યનો ઉપયોગ કર્યો છે એવું વિશ્વના ઘણા  દેશો હવે માનવા માંડયા છે. અમેરિકાએ તો ચીનની સામે  તપાસ  શરુ  કરી દીધી છે, અને ચેતવણી પણ આપી છે કે કોરોના રોગની બાબતમાં  ચીને જો કોઈ પણ બેદરકારી કે બદઈરાદાથી કઈ પણ કર્યું હશે તો એને  આખા વિશ્વને નુકસાન ભરપાઈ કરવું પડશે. અમેરિકા એના દરેક નાગરિકના મોતનો બદલો કેવી રીતે લે છે એનાથી વિશ્વ આખું માહિતગાર છે . અત્યારે તો કોરોનાના કેરથી અમેરિકન નાગરિકોના મોતથી લાશોના ઢગલા સર્જાયા છે.   એ અમેરિકા કેવી રીતે ભૂલી શકશે એ એક પ્રશ્ન છે ?

                                     એ પણ જોવાનું છે કે જ્યારે આખું વિશ્વ કોરોનના કેરથી  ત્રાહિ ત્રાહિ પોકારી ગયું છે ત્યારે ચીને પોતાના માલનો વેચાણ કરવાનું શરુ કરી દીધું છે. ચીનના કારખાનાઓ એ એમનું ઉત્પાદન શરુ કરી દીધું છે , ચીને આર્થિક રીતે નબળા વિશ્વ માર્કેટનો લાભ લઇ વિશ્વની મોટી મોટી કંપનીઓમા પોતાનું ધિરાણ વધારી એના પર  પોતાનું  વર્ચસ્વ વધારી રહ્યું છે.  ચીનની બધી પ્રવૃતિઓ ચીન વિષે શંકા ઉત્પન્ન કરી જાય છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીન વિશ્વમાં આ ખરાબ વખતમાં પોતાનું આર્થિક વર્ચસ્વ વધારવા માટેની હોડમાં છે. હવે એવો સમય આવ્યો છેકે  આર્થિક વર્ચસ્વ દ્વારા જ વિશ્વમાં મહાસત્તા બની શકાય છે.  આથી ઘણા  લોકોને  ચીનની અત્યારની હિલચાલને એ દિશામાં આગળ વધતી જણાય છે.
                                       કોરોના રોગનું  જન્મ  સ્થાન ચીન છે એટલે લોકોમાં શંકા ઉદ્યભવી છે કે એ કદાચ માનવીએ પોતાના સ્વાર્થ માટે ઉભી કરેલો મહાદૈત્ય  પણ હોઈ શકે? એક વાતમાં તથ્ય જરૂર છેકે  ચીન મહત્વાકાંક્ષી  અને  વિશ્વની મહાસત્તા  બનવાની હોડમાં છે.
                                           ************************************
                                   
                                                       
                                            

Tuesday, April 7, 2020



ચર્ચિલ અને  સરદાર
                                                                                       ચર્ચિલએ બ્રિટનના મજબૂત નેતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં ડગમગી ગયેલા ઇંગ્લેન્ડને બહાર કાઢી યુદ્ધમાં વિજય અપાવવામાં એમનો મોટો ફાળો હતો. યદ્ધની જીતમાં મદમસ્ત બનેલા  અને સંસ્થાનવાદી મનોવૃતિવાળા ચર્ચિલને જ્યારે ઇંગ્લેન્ડની લેબર સરકારે ભારતને આઝાદી આપી તે પસંદ ન હતી .
                             યુદ્ધ બાદ ઇંગ્લેન્ડના લોકોએ એમને ચૂંટણીમાં પરાજિત કર્યા અને ત્યારબાદ  ચૂંટાયેલી લેબર સરકારે જ્યારે ભારતને સ્વાતંત્રતા આપવાની જાહેરાત કરી ત્યારે ચર્ચિલે એમનો ભારત અને એના નેતાગીરી સામેનો  દ્વેષ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ઓકી કાઢ્યો હતો. એમણે કહ્યું કે " ઇન્ડિયામાં સત્તા બદમાશ, ગૂંડા, અને  ફ્રી બૂટરના હાથોમાં જઈ રહી છે. તેઓ  નબળા માણસો હશે અને થોડા વર્ષો બાદ એમનું નામનિશાન પણ નહિ મળે"  એમને એમ કે એ એવો બકવાદ કરી જશે અને ઇન્ડિયાના નેતાઓમાંથી કોઈ પ્રતિસાદ પણ નહિ મળશે.એમણે ભારતની નેતાગીરીને નબળી  માની લીધી હતી.  અમને ખબર ન હતી કે પ્રિન્સ બીસ્માર્કને પણ ચઢી જાય એવા નેતા ભારતમાં પડયા હતા.
                                       સરદાર પટેલે એને ભારતનું ઘોર અપમાન માન્યું અને એનો સણસણતો જવાબ આપ્યો." તમે  સામ્રાજ્યવાદના બેશરમ સામ્રાજ્યવાદી છો, જ્યારે સામ્રાજ્યવાદ એના અંતિમ ડુસકા લઇ રહ્યો  છે, ત્યારે  તમારી જીદ અને મૂર્ખામીભરી  વિચારશરણી દ્વારા ઇંગ્લેન્ડની  ઘોર ખોદનારા તમે  છેલ્લી વ્યક્તિ હશો. એમાં મને તમારું ડહાપણ, તર્ક અને કલ્પનાનો અભાવ જણાય છે.  જો ઇંગ્લેન્ડની હીસ મેજેસ્ટી સરકાર એવું ઇચ્છતી હોય કે ભારત ઇંગ્લેન્ડ સાથે મૈત્રી ભર્યા સબંધો રાખે તો  તેને જોવું પડશે કે ઇંગ્લેન્ડના રાજપુરુષો દ્વારા  ભારત પર ઝેરી અને મલિન હુમલાઓ બંધ કરાવે. હવે બ્રિટિશ રાજપુરુષો અને અન્યોએ   અમારા દેશ સાથે  મૈત્રીપૂર્ણ , સદ્ભાવ ભર્યો વર્તાવ રાખવો પડશે."
                                          આવો સરદારનો  સણસણતો જવાબ જોઈ  ચર્ચિલની બોલતી બંધ થઇ ગઈ.
એમણે એમનો બોલવાની રીતને બદલી   અને જવાબમાં કહ્યું " તમારા જવાબથી પ્રભાવિત થયો. મને તમારી નવી  સરકારે જવાબદારી  પૂર્વક જે પ્રશ્નોને હલ કર્યા તે બદલ ગર્વ છે. મિસ્ટર પટેલ તમારી પાસે સારું વિશ્વ  વધુ સેવાઓને જોવાની  અને તમને સાંભળવાની  અપેક્ષા રાખે છે. તમારે તમારી જાતને ભારતની અંદર જ પ્રવૃતિમય  ન રાખવી જોઈએ ." 
   
                                          આજ બતાવે છેકે સરદારનું વ્યક્તિવ આંતરાષ્ટ્રીય રાજપુરુષના કક્ષાએ હતું. એથી તો એના દુશ્મનો પણ એમણે માનની દ્રષ્ટિએ જોતા હતા. ભારતના રજવાડાઓ પણ એમની મુત્સદીગીરીથી ડરતા હતા અને ચપોચપ પોતાના રાજ્યો ભારતમાં સમાવી દીધા હતા. હૈદરાબાદનો કબજો લીધા બાદ નિઝામને પણ કહી દીધું હતું કે ' તમારે  જાતે ભારતના  નાયબ વડા  પ્રધાનનું  સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેવું પડશે.' એથી જ લોકો એમને લોખંડી પુરુષ તરીકે જ ઓળખતા. આજે નર્મદા પર ઉભેલું અને વિશ્વનું ઊંચામાં ઊંચું એમનું   સ્ટેચ્યુ એમના  ચાણકયમય અને લોખંડી વ્યક્તિવ રજુ કરે છે.
                                                  ***************************

Thursday, April 2, 2020


રામ નવમી - મર્યાદા પુરષોત્તમ રામ
                                                             આજે રામનવમી છે. ત્યારે આ વર્ષે રામની એમની જન્મભૂમિ પર, હવે ભારતની સર્વોચ્ચ કોર્ટના ચુકાદા બાદ,  વર્ષો સુધી હિન્દૂ સમાજની વ્યથા બાદ,  ભવ્ય રામ મંદિર બાંધવાનું શરુ કરવામાં આવશે.  મોગલ બાદશાહ  બાબરના સરદારે ધર્માંધતા બતાવી રામજન્મ ભૂમિ પર એક  મોટી  બાબરી  મસ્જિદ તાણી બાંધી એના પરિણામ રૂપ રામ જન્મ ભૂમિ વિવાદિત થઇ હતી. પ્રશ્ન  ફક્ત એજ હતો કે બે ધર્મોના  વચ્ચેનો ટકરાવ.  આમતો  રામ પહેલા અયોધ્યામાં પ્રગટ થયા હતા અને બાબરી મસ્જિદ એના હજારો  વર્ષો બાદ અયોધ્યામાં અસ્તિવમાં આવી હતી. એમાં પણ રામની મર્યાદા વચમાં આવી અને કોર્ટના ચુકાદા બાદ જ  રામની જન્મ  ભૂમિ નક્કી થઇ શકી.  હવે મંદિર બનવાની તૈયારીઓ થઇ રહી છે.
                                                            રામ એક આદર્શ અને મર્યાદા પુરુષ હતા જે  પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિની દેણ છે. કદી આદર્શ અને મર્યાદાનો સુમેળ આ જગતના જટિલ પ્રશ્નો સામે નિસ્ફળ નીવડે  છે . એટલા માટે સીતાનો ત્યાગ, તેપણ એક ધોબીના કટાક્ષથી કરવામાં આવ્યો. તેનો  હિન્દૂ સમાજમાં સ્ત્રીને એક   અન્યાય રૂપ ગણવામાં આવે છે.  મોગલ ઇતિહાસમાં તો બાપને મારી રાજગાદી પર બેસી જવાની જે પ્રથા હતી. તે સામે પિતાના કહેવાથી પોતાનો રાજગાદીનો  હક છોડી રામે  વનમાં જવું, અને તે પણ એમના નાના ભાઈ  ભરતની  ઈચ્છા  વિરુદ્ધ. એ પગલાને  ઘણા લોકો આદર્શમય વિચાર ધારાની પરાકાષ્ટા માને છે. અને આજના જામાનામાં એને મૂર્ખતા પણ માનવા આવે તો એમાં નવાઈ નહી.
                                                              પરંતુ મર્યાદામાં રહી આદર્શમય  જીવન જીવી શકાય છે એ રામાયણનો અને રામના જીવનનો  મુખ્ય આશય છે.  એ માર્ગ વિકટ અને મુશ્કેલ  છે તે છતાં એમાં આત્મ સંતોષ,  અને સમાજમાં ઝગડા ટંટા દૂર કરવાનો સહેલો  માર્ગ બતાવવામાં આવ્યો છે.

                                                                આદર્શ રામના મર્યાદા જીવન સામે હિન્દૂ સંસ્ક્રુતિમાં એક બીજી વિચારધારાનું આરોપણ  મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનું જીવન દ્વારા કરવામાં આવ્યું છે. તેને  તદ્દન જીવનની વાસ્વિકતાને અનુરૂપ  બતાવવામાં  આવ્યું છે. એમાં  કાવાદાવા, પ્રપંચો અને યુદ્ધોના નિર્માણ સુધીનીં પરિસ્થિતિ બતાવવામાં આવી છે. એમાં ઘણી વાર મર્યાદા અને આદર્શોનું ઉલ્લઘન  બતાવવામાં આવ્યું છે. પરંતુ એ બધાનો સાર એ છે કે કેટલા દ્રુષ્ટો , અધર્મીઓ , ખરાબ વ્યક્તિઓનો નાશ કરવામાં  ખરાબ રસ્તા અપનાવી સારા પરિણામો લાવી શકાય છે.

                                                               મૂળમાં રામના જીવનનો સંદેશ જ એ છેકે મનુષ્યે સારું અને મર્યાદા પૂર્વક j જીવન જીવવું જોઈએ.  જ્યારે કૃષ્ણના જીવનનો સંદેશ છે કે "  વિકટ  સંજોગોમાં  અધર્મી સામેની લડાઈમાં પરિસ્થિતિને  અનુરૂપ વર્તવાની છૂટ હોવી  જોઈએ.  પરંતુ એના પરિણામો સમાજને માટેઉત્તમ અને લાભદાયક આવવા જોઈએ".  આખરે કયો રસ્તો લેવો એ મનુષ્ય પર છોડવામાં આવ્યો છે.  આજ હિન્દૂ સમાજમાં પ્રાચીન કાલથી પ્રવર્તતી લોકશાહીનો નમૂનો છે.  રામાયણ એની શરૂઆત હતી અને મહાભારત એનો બીજો છેડો છે. જે સંસ્કૃતિના આધાર ભૂત પાયા છે.
                                                           રામના જીવનને અનુસરવું સામાન્ય માનવી માટે મુશ્કેલ છે. એ કારણે રામનું મહત્વ હિન્દૂ સંસ્કૃતિમાં વધુ છે.  એટલાજ માટે શુભ અને અશુભ બંને પ્રસંગોએ હિંદુઓમાં રામ નામનું રટણ  અનિવાર્ય બન્યું છે.
                                                    ***********************