Wednesday, September 20, 2023



દલાઈ લામા 

                           દલાઈ લામા તિબેટના  આદ્યાત્મિક અને રાજકીય વડા છે. જયારે ચીને તિબેટનો કબજો લીધો ત્યારે દલાઈ લામા ભાગીને ભારત આવ્યા અને તિબેટની બહારની   સરકારની રચના કરી . તેઓને અત્યારે હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે રહે છે.જ્યાં તેમને ભારત સરકારે  આશરો આપ્યો છે. તેઓની પ્રતિષ્ટા કહી દુનિયામાં પથરાયેલી છે. એમને શાંતિનો નોબલ પુરષ્કાર પણ આપવાંમાં આવ્યા છે.  તેઓ દુનિયાભરમાં ફરેછે અને આધ્યાત્મિક પ્રવચનો પણ આપે છે. અને સાથે સાથે તિબેટની આઝાદી માટે પણ ઝુંબેશ ચલાવે છે . તેમના આધ્યાત્મિક વિચારો એટલાજ પ્રખ્યાત છે. 

                                                                      તેઓ  માનેછે કે સર્વોચ્ચ ધર્મ એ છે કે જે માનવીને ઈશ્વર નજદીક લઇ જાય છે. ધર્મ માનવીને  ઉત્તમ માનવી બનવામાં મદદ કરે છે.  એ માનવીને  વધારે જાગૃત બનાવે છે મોહમાંથી મુક્તિ અપાવી ત્યાગી બનાવે છે. માનવીને જે માનવતા યુક્ત બનાવે છે ઉત્તમ ધર્મ છે.

                                                                      માનવીને વધારે જવાબદાર બનાવે તે ઉત્તમ ધર્મ છે એમ દલાઈ  લામા  માને છે. તેઓ મને છે કે ધાર્મિક હોવું એટલું મહત્વનું નથી પરંતુ તમે તમારા કુટુંબ,  સમાજ અને દુનિયા સામે કેવી વર્તણુક કરો છે એ મહત્વનું છે.



                                                                          એમનું માનવું છે કે  જોકોઈ સારી વર્તણુક કરે તો એને બીજા તરફથી સારો પ્રતિભાવ મળે છે. અને ખરાબ કામોથી ખરાબ પરિણામો જ આવે છે. આ સત્ય આપણા બાપદાદાઓ પણ કહી ગયા છે. એટલા માટે તમારું સુખદ  ભાવિ એ તમારાજ હાથમાં છે.



                                                                          તેઓનું માનવું છે કે  તમારા વિચારોમાં  સંયમ રાખો કારણકે વિચારોમાંથી જ શબ્દો ઉત્ત્પન થાય છે. તમે તમારા શબ્દો પર પણ સંયમ રાખો જે અંતે તો અમારા કાર્યોમાં  જ પરિણમે  છે. અને તમારા કાર્યો જ આખરે તમારું ચરિત્રને ઘડે   છે . તમારું ચરિત્ર તમારું ભાવિ ઘડવામાં નિમિત્તરૂપ  બની રહે છે. અને તમારું ભાવિ જ તમારું જીવન ઘડે છે.

                                                                          અંતે તેઓ માને છેકે  સત્ય કરતા કોઈ ઉંચો ધર્મ નથી . એટલે સત્યને  પામવા માટે જ આદ્યાત્મિકતા એક ઉત્તમ રસ્તો છે.  એજ માનવીને સત્ય તરફ દોરી જાય છે.

                                                ********************************                                                     


  

 

Thursday, September 14, 2023



એકાંત અને એકલતા 

                                         જીવનમાં એટલા બધા પ્રશ્નો હોય છે અને જીવન એટલું ગતિશીલ અને હરીફાઈઓમાં ગૂંચવાયેલું હોય છે કે આજકાલ માણસોને એકલા કે પછી એકાંત મળવું મુશ્કેલ બની ગયું છે. શરૂઆતમાં એટલેકે વિદ્યાર્થી અવસ્થામાં ભણતર, ત્યારબાદ નોકરી ધંધા સાથે  ગ્રહસ્થિમાં,  અને અંતે  ઘડપણમાં એના અસ્તિવ અને વ્યક્તિવ જાળવવાની  ગડમથલમાંથી પોતાના અને  અને દુન્યવી  પ્રશ્નો વિષે  બહુ ઊંડાણથી વિચારવાનો વખત જ મળતો નથી. એથી એનું મનુષ્ય જીવન મશીનમય  વીતી જાય છે.  આથી જીવનના પ્રશ્નો, એને  સંગર્ષ  અને દુઃખથી ભરી દે છે. આવા સંજોગોમાં એને વિચાર કરવાનો સમય જ ક્યાં મળે છે?


                                             વિચાર કરવા માટે પણ એકાંતની જરૂરત પડે છે. તે પણ એને મળતું નથી. એવું કહેવાય છેકે માણસ જીવી જાય છે એ અગત્યનું નથી પણ કેવું જીવે છે એ અગત્યનું છે.  પરંતુ માણસને એ બાબતમાં  વિચારવા માટે એકાંતની જરૂર હોય છે.  એકાંત એ જીવનમાં આવશ્યક છે કારણકે એ મનુષ્યને  આત્મમંથનની તક આપે છે. તમારા ખોટા પગલાંઓને સુધારવાની તક આપે છે. માનવીય વીટમ્બણાના ઉકેલોમાં મદદ કરી શકે છે. આથી એકાંત થોડા સમય માટે મેળવવું પડે છે.  આથી એકાંત માંગેલી વસ્તુ બની શકે છે.

                                       જયારે એકલતા ઘણીવાર  માણસે માગેલું હોતું નથી પણ લાદવામાં આવેલું હોય છે.  એકલતા માણસને વિહ્વળ કરી નાખે છે. એને ઘણીવાર ભારરૂપ બની જાય છે. દુઃખનું કારણ બની જાય છે. ઘણીવાર માણસને એકલતાને લીધે જીવન નિરસમય લાગે છે અને એની તંદુરસ્તીને પણ અસર થાય છે.  અને એને દુનિયાથી દૂર કરી  નાશ તરફ દોરી જાય છે.

                                         ઋષિઓ પણ એકાંત શોધતા હતા એકલતા નહિ. તેઓ પણ ઘણીવાર એમના કુટુંબ કબીલા સાથે રહેતા પરંતુ એમનો વધુ સમય એકાંતમાં ચિંતનમાં પસાર કરતા. અને પોતાનું જ્ઞાન પણ વધારતા રહેતા. તેમના એકાંતવાસમાં જ એમણે દુનિયાની ઘણી સાયન્સ અને સાંસ્કૃતિક  કૃતિઓનું સર્જન કર્યું છે. જયારે દુનિયા અંધકારમાં હતી ત્યારે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો કઈ જગ્યા પર ક્યારે હશે એવી ગણતરીઓ તેઓ કરી શકતા હતા. આર્યુવેદ જેવું   શાસ્ત્રની પણ રચના કરી.  આવી અસંખ્ય શોધો તેમના એકાન્તવાસની ઉપજ છે.

                                          આથી એકાંત મનુષ્ય માટે ઉપયોગી બને છે પરંતુ એકલતા ઘણીવાર  અનેકઃ દુઃખોનું કારણરૂપ બની રહે છે. 

                                  **********************************************  

Saturday, September 2, 2023



મરી મસાલા 

                                                           જુના જમાનાથી ભારત એના મરી મસાલા માટે જાણીતું હતું અને એથી જ યુરોપના દેશો મરી મસાલા એટલેકે  કાળું સોનુ અને અને સમૃદ્ધિ પ્રત્યે ભારત પ્રત્યે આકર્ષાયા હતા. એની શોધમાં યુરોપીઅન લોકો ભારત આવ્યા અને અંતે ભારત ઇંગ્લેન્ડ, પોર્ટુગીઝ , અને ફ્રેન્ચ લોકોનું સંસ્થાન બની રહ્યું.  અંતે ઇંગ્લેન્ડે ભારત પર કબજો જમાવ્યો અને દીવ , દમણ , ગોઆમાં , પોર્ટુગીઝોએ  પગદંડો જમાવ્યો. ફ્રેન્ચોએ પણ ચંદ્રનગર અને પોન્ડિચેરીમાં  પોતાના સંસ્થાન  સ્થાપ્યા. 

                           ભારતની સમૃદ્ધિ અને મરી મસાલા ભારત માટે શાપ રૂપ બની રહ્યા.  સમૃદ્ધિતો અંગ્રેજો લૂંટી ગયા  અને ભરપૂર મરી મસાલા અહીંથી લઇ જતા રહ્યા.

                             મરી મસાલામાં શું ખૂબી છે એના ઉપયોગ પરથી અને એના  ગુણો  પરથી જાણી શકાય છે. એમાં તજ જે ઝાડની છાલ છે એનો ઉપયોગ ચાહના મસાલામાં ઉપયોગ થાય છે. તે ઉપરાંત તે વિવિધ વાનગીઓ તૈયાર કરવાંમાં ઉપયોગી હોય છે. તાજનો વઘારમાં પણ ઉપયોગ થાય છે. જેથી વાનગી સુગંધી અને  સ્વાદિષ્ટ  બને છે. તજ એન્ટિસેપ્ટિક છે અને ફૂગનો  નાશ કરે છે.  તે ઉપરાંત એનો ઉપયોગ અપચો, ગેસ , કોલોસ્ટ્લ જેવી બીમારી ને દૂર કરવાંમાં થાય છે .



                        મરીનો ઉપયોગથી રસોઈમાં સ્વાદ અને સુગંધ લાવેછે.  અને બીજી રીતે ગુણોમાં ઠંડા અને તીખા હોય છે. એમાં બે જાતના મરીઓ હોય છે સફેદ અને કાળા.એનો ઉપયોગ શરદી ,ઉધરસ ,તાવ , ગળાના આંતરડાના અને મરડા જેવા રોગોમાં કામ આવે છે. વજન પણ ઉતારવામાં મરી ઉપયોગી બને છે. બજારમાં  મરીની કિંમત ઘણી સારી છે.



                       અજમો  પાચનમાં સુધારો કરે છે.એનો ઉપયોગ શરદી,ખાંસી ,અસ્થમા, કોલેરા ,ઝાડા  જેવા રોગોમાં થાય છે. 



                        લવિંગ  દાંતના દુખાવાને  દૂર કરવામાં ઉપયોગ થાય છે. તે ઉપરાંત છાતીનો દુખાવો , અપચો , તાવ , ઉધરસ અને શરદીમાં પણ ઉપયોગ થાય છે.



                       આદુનો ઉપયોગ રસોઈમાં  સ્વાદ સુધારવામાં થાય છે. તે ઉપરાંત એનો ઉપયોગ  ઉલટી ,કબજિયાત .હાઇપરટેંશન  જેવી બીમારીઓમાં  થાય છે. તે ઉપરાંત એનો ઉપયોગ  દાળ , શાક , અને ચટણીને સ્વાદિષ્ટ બનાવવામાં પણ થાય છે.  

              આમ  મરી મસાલા રસોઈ અને અનેક બીમારીઓમાં થાય છે. એથી એની મહત્વતા વધુ છે.

                                   ************************************