Friday, December 14, 2018


શાયરીની મહેફીલ
                                                                          શુન્ય પાલનપુરી કહે છે-
'કદમ અસ્થિર હો જેના કદી રસ્તો નથી જડતો
અડગ મનના  મુસાફરને હિમાલય પણ નથી નડતો'

'મોતની તાકાત શી મારી શકે જિંદગી  તારો ઈસારો જોઇઍ
જેટલુ  ઉચે જવુ હો માનવી તેટલા ઉન્નત વિચારો  જોઇઍ'

'હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓનો પુકાર
જો  ઉષાને દર્પણે  તારા જીવન કેરો ચિતાર'

'પરિચય છે મંદિરોમા  દેવો મારો
અને મસ્જિદોમા ખુદા  ઓળખે  છે
નથી મારુ વ્યક્તિત્વ  છાનુ કોઈથી
તમારા પ્રતાપે  બધા ઓળખે છે'


                                                                           શાયર  મરીઝ  કહે છે-
'ઍવો કોઈ દિલદાર જગતમા નઝર આવે
આપી દે મદદ કિંતુ  ન લાચાર બનાવે'

'હમદર્દ બની જાય જરા સાથમા આવે
આ શુ કે બધા દૂરથી રસ્તા જ બતાવે'

'રડવાની જરૂરત પડે ત્યા  સૂકા નયન હો
ની હસતો રહુ ત્યાજ જ્યા હસવુ નહી આવે'



                                                                           શેખ આદમ આબુવાલા ઍ  મૃત્યુની બાબતમા સચોટ ક્હ્યુ છે-
'ન ગાતી હૈ  ગુનગુનાતી હૈ મૌત
મૌત જાબબી આતી હૈ
ચુપકેસે  ચલી આતી આતી હૈ'
                                                               
                                                                              ઍક અનામી શાયરે  કૃષ્ણ  ભક્તિમા લખ્યુ છે કે-                                                   
'અર્જુન થવુ નથી મારે
મને સુદામા જ રહેવા . દયો
જોઈને દ્વાર પર મને
ઍને ઉઘાડે પગલે  દોડવા દયો'

                                                             
                                                                  કેટલાક પરદેશમા રહેનારાઓને પોતાનો દેશની યાદ સતાવે છે, પરંતુ તેઓ પોતાને દેશ જઈ શકતા નથી ઍમની મથામણ માટે હરનીશ જાની લખે છે કે-

'આજે જશુ કાલે જઈશૂ ટેટ હવેતો  છોડો
કબર ખોદાઇ ગઈ છે  તમારી અમેરીકામા'

                                                                   બુઢાપા સાથે  જુવાનીનો મેળ પડતો  નથી. ઘણીવાર  જુવાનો બુઢાપાથી અંતર રાખે છે ત્યારે -

' આજે છે તે કાલે નથી
  ઍનો જવાની ને ક્યા ખ્યાલ છે
  વર્તમાનમા રાચતી જવાની
  ભવિષ્યને ભૂલી જાય છે'
                                                                 
                                           **********************************

Sunday, December 9, 2018


રતન ટાટા
                                                                                        રતન ટાટા 'ટાટા સામ્રાજ્યના' સર્વોચ્ચ હતા અને તેઓ ૨૦૧૨ ના ડિસેંબરમા નિવૃત્ત થયા હતા ઍમના આગેવાની નીચે ટાટા  ઉદ્યોગો ઍ સારી ઍવી પ્રગતિ કરેલી. ટાટાની છબી ઍમણે ઉજવળ રાખેલી. રતન ટાટા કોઈ પણ  સંજોગોમા ઍમના વેપાર ધંધામા નીતિ નીયમો જોડે સમાધાન કરતા  ન હતા. . ઍથી  વેપાર ધંધામા ઍમનુ નામ ઉચ્ચ કક્ષા ઍ રહયુ છે. જ્યા કુશળ નેતા હોય છે ત્યા પ્રગતી થતી જ રહે છે. આથી રતન ટાટા શુ વિચારે છૅ અને કેવુ જીવન વિતાવે છે ઍ જાણવુ આવશ્યક છે.
                                                                                       ઍક વાર  રતન ટાટાઍ નિવૃત થઈ સાઇરસ મિસ્ત્રીને ટાટાનુ સુકાન સોપ્યુ હતુ પરંતુ જ્યારે ઍમને લાગ્યુ કે બધુ બરાબર નથી ચાલતુ તો ફરીથી ઍને હાથમા લેતા વાર લાગી ન હ્તી. ઍવા રતન ટાટા સ્વાસ્થ્યને સાંભળવાનુ  ધ્યાન રાખતા જેથી સફળતા પૂર્વક  પોતાની ફરજ બજાવી શકાય. ઍમનુ કહેવુ  છેકે '  દરેકે ખોરાક દવાની જેમ જ ખાવુ નહીતો વખત આવે દાવાને ખોરાકની જેમ ખાવાનો સમય પણ આવી શકે છે'  ઍમનુ માનવુ છે કે સૂર્ય પ્રકાશ  માણસની તંદુરસ્તી વધારે છે. તે ઉપરાંત કસરત અને ખોરાકમા સંયમ શરીર સારુ રાખે છે.  સારા મિત્રો અને આત્મ વિસ્વાસ માણસ માટે ડૉક્ટરની ગરજ સારે છે.

                                                                                         કુદરત પણ કઈક સંદેશો આપતુ રહેતુ હોય છે જેમ કે ચાંદનીના સૌદર્યમા ભગવાનના દર્શન થાય છે. સુર્યમા ભગવાનની શક્તિના  દર્શન થાય છે. તે ઉપરાંત આરસામા ભગવાનની બનાવેલી વસ્તુના દર્શન થાય છે. ઍટલે દરેકે પોતાની જાતમા વિસ્વાસ કેળવવો જોઇઍ જે સફળતાની કેડી છે. તૅઓ માને છેકે'  માણસ હોવુ અને માણસ થવુ ઍમા ઘણો તફાવત છે.
                                                                                            તેમણે  ઍક મૂલ્યવાન મંત્ર આપ્યો છે-  ' તમારે તેજ ગતિથી ચાલવુ  છે તો ઍકલા ચાલો પરંતુ  તમારે દૂર સુધી ચાલવુ છે તો લોકો સાથે ચાલવાનુ રાખો.' આજ ઍમની સફળતાનો રાઝ છે.
                                                 ****************************

Tuesday, December 4, 2018


ઉત્તમ દેશભક્તિ
                                                                                   બીજા  વિશ્વ યુધ્ધનો સમય હતો. જર્મન ફોજો  યુરોપ ને રગદોળી રહી હતી. ફ્રાન્સના મોટા ભાગનો કબજો કરી લીધો હતો. જેના સામ્રાજ્યમા કદી સૂરજ ડૂબતો ન  હતી ઍવા બ્રિટનની સ્થિતિ પણ કફોડી હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ   જમીન, આકાશ, અને દરિયા પર લડી લેવાની વાત કરી બ્રિટિશ  નાગરિકોનો ઉત્ત્સાહ વધારવા પ્રયત્ન કરી રહયા હતા. ઍવા વખતે ફ્રાંસના ઍક સામાન્ય લશ્કરી  અમલદારે બ્રિટનના વડા  પ્રધાન વિન્સ્ટન  ચર્ચિલ પાસે આસરો આપવાની વિનંતી કરી.  ચર્ચિલને  ખાતરી આપીકે તે જર્મની સામેના યુધ્ધમા મદદ કરશે અને ફ્રાન્સને મુક્ત કરાવવા પણ પ્રયત્ન કરશે.  ચર્ચિલને ઍ  સામાન્ય  ફ્રેંચ  અમલદારમા  બહુ વિશ્વાસ ન  હતો પણ તે રાજકીય મુશ્કેલી ન ઉભી કરે ઍ શરતે બ્રિટનમા રહેવા પરવાનગી આપી.  ચર્ચિલ કદાચ ઍનો રાજકીય મહોરા તરીકે ઉપયોગ કરવા માંગતા હતા.
                                     ઍ ફ્રેંચ લશ્કરી અમલદારનુ નામ હતુ ' ચાલ્સ ડી ગોલ'. ડી ગૉલે હતાશ ફ્રેંચ નાગરિકો સાથે પારો ચઢાવતી મનની વાતો રેડીઓ દ્વારા કરવા માડી. ફ્રેંચ પ્રજાને  કહ્યુ  જેની પાસે હથિયારો હોય તેમણે જર્મન લશ્કર સામનો કરવો જોઇઍ. કોઈ પણ સંજોગોમા શરણાગતી સ્વીકારવી  નહિ.  હૂ તમારી સાથે છુ અને અહિઍ પણ  જર્મનો સામે લડવા માટે લશ્કર તૈયાર કરી રહયો છુ. આથી ફ્રેચોમા જર્મન લશ્કરનો સામનો  કરવા માટેનો ઉત્ત્સાહ વધતો ગયો. ડી . ગોલની લોકપ્રિયતા પણ ઍની સાથે વધતી જ ગઈ.

                                     ફ્રેંચ સંસ્થાનો જેમા કઠપુતળી સરકારો હ્તી ઍવા  ગેબન, કામરુન,  ફ્રેંચ કૉંગો, જેવા આફ્રિકી દેશો પર ડી ગોલે કબજો જમાવી દીધો. બે વર્ષમા  પરિસ્થિતિ બદલાતા ચાર્લ્સ ડી ગોલનુ કદ અને   શક્તિ વધી ગયા.  જર્મની પણ હારની નજદિક પહોચી ગયુ હતુ.  ૧૯૪૪મા  જર્મની હારી ગયુ ઍટલે  ડી ગોલ  ફ્રાંસ આવ્યા અને ફ્રાંસના હીરો બની ગયા.  ડી ગોલે ફ્રાંસનુ  આત્મસન્માન પાછુ અપાવ્યુ હતુ અને તેમનુ નામ નેપોલીયન કરતા પણ ઉચ્ચ કક્ષામા પહોચી ગયુ.
                                         તેઓ બે વાર ફ્રાન્સના પ્રમુખપદે રહયા અને ફ્રેંચ ઇતિહાસમા ઍમનુ નામ અમર થઈ  ગયુ. ચાર્લ્સ ડી ગોલનુ જીવન ઉચ્ચ દેશભક્તીનુ નમૂનો હતુ. ઍક સામાન્ય માણસ દેશભક્તીથી પોતાના દેશ માટે શુ કરી શકે ઍનો ઍક દાખલો છે.
                                    ****************************************