Friday, December 18, 2015


શીવ
                                                                                                                                                             શીવ ઍટલે સુંદર, અને ઍને લગતુ બધુ જીવનનુ સત્ય છે. શીવ શરીરે ભભૂતિઍ મનુષ્યને ઍના અંતિમ સ્વરૂપનુ પ્રતીક છે. પૃથ્વીની ધૂળ સાથે માનવીના અંતિમ અવશેષો ઍટલે ભભૂતિ વિલય જાય છે. ઍથી શિવના સાથીઓ પણ આપણે જેને ભુત કહીઍ ઍવા શરીર વગરના જીવો છે. ઍજ જીવનનુ સત્ય છેકે મનુષ્યનુ શરીર નાશવંત છે પરંતુ જીવ અમર છે.
                                                        શીવનુ તાંડવ નૃત્ય  સુંદરતાનુ પ્રતીક છે, પરંતુ શીવનુ રુદ્ર સ્વરુપ જીવનના ખરાબ તત્વોના નાશનુ ઍક ભયંકર રૂપ છે. શીવ જો ગંગાને માનવજાત માટે ભારતના પટ પર ઉતારી શકે તો વખત આવે તો માનવોઍ ઉભા કરેલા દૂષણોનો નાશ પણ કરી શકે છે. ઍટલા માટે શીવને સત્ય અને સુંદરતાની વચમા મુકવામા આવ્યા છે, ઍટલે કે ' સત્યમ, શિવમ સુંદરમ'.

શીવ ઍટલે---
શીવ ઍટલે ત્યાગનુ પ્રતીક
અને શીવની ભભુતિ સદાઈંની નજદિક
સાપ, ચદ્ર અને વાઘ ચામડીના વસ્ત્રો
શીવને રજૂ કરે સૃષ્ટિ અને સારા બ્રહ્માંડનુ મિશ્રણ
શીવ ઍટલે---
શીવ ઍટલે સુંદર અને સત્ય
જે જીવનના સર્વ ગુણોનૂ સત્વ
શીવ ધરે કદી રુદ્ર સ્વરુપ
દૂષણો  દૂર કરવાનુ છે ઍ સાધન
શીવ ઍટલે ---
શીવ છે દિલના  હમેશ ભોળા
પોતે વિષ પીને વિશ્વને બચાવનારા
જેની કૃપા વિના જીવન મુશ્કેલ થાય
ઍવા શીવને કોટિ કોટિ  પ્રણામ
શીવ ઍટ લે---
ભારત દેસાઈ
                                         ***************************
                                       

Wednesday, December 9, 2015


મોગલ બાદશાહ બાબર અને બાબરી મસ્જિદ
                                                                                                         રાજકારણીઓઍ અને ધરમાંન્ધ હિન્દુ મુસ્લિમોઍ બાબરી મસ્જિદનો પ્રશ્ન ચગાવવામા કાઇ બાકી રાખ્યુ નથી. ઍમાતો કેટલાઍ  હૂલ્લડો થઈ ચૂક્યા છે. ઍમા મુદ્દો ઍકજ છેકે બાબરે રામજન્મભૂમિ પર મસ્જિદ બાંધી દીધી હતી. સમાન્ય દ્રષ્ટિેઍ રામ પહેલા થયા હતા અને બાબર પછી આવ્યો તો ધાર્મિક લાગણીઓને સંતોષવા માટે રામજન્મ ભૂમિ પર મંદિર બાંધવા દેવા માટે શા માટે વાંધો હોવો જોઇઍ? પરંતુ આ બધુ લોકોઍ ઉભુ કરેલુ તુત છે જેમા ધાર્મિક તત્વોનો અને રાજકારણીઓ મોટો ભાગ ભજવ્યો છે.

                                                   જે બાબરી મસ્જિદ વિષે વિવાદ ચાલે છે ઍના સર્જક બાબર વિષે જાણવુ ઘણુ  રસપ્રદ બની રહેશે. બાબર  જેણે મોગલ વંશની ભારતમા સ્થાપના કરી .ઍણે પોતાની આત્મકથા બાબર નામામા કોઈ પણ ઉલ્લેખ ઍ બાબતનો નથી.  તેને સરયૂ નદી અને ઍની આજુબાજુનો પ્રદેશ ખૂબ ગમ્યો હતો. તેને અહીની નહેરો, મોટા મકાનો, વૃક્ષો, અને રંગેબેરંગી પક્ષીઓ બહુ ગમી ગયા હતા. બાબરે અયોધ્યાની બહાર વહેતી સરયૂમા નાહવાની પણ મસ્તી માણી હતી. લોકોને પાણી પર મશાલ બતાવી માછલીઓને આકર્ષિત કરતા અને  પછી ઍ ને પકડતા જોયા. ઍ પ્રમાણે ઍણે પણ માછ્લી પકડવાની મસ્તી માણી.
                                                 બાબર આમ અહીના લોકો, બોલી,  વરસાદ, હવા બધુ અનોખુ અને  અચરભ ભર્યુ લાગ્યુ હતુ. ઍને અયોધ્યાનો પ્રદેશ સારો લાગ્યો હતો અને ક્યાક્ પણ મંદિર તોડીને મસ્જિદ બનાવી હોય ઍવો કોઈ ઉલ્લેખ પણ નથી. ત્યારે બાબર નામ પર બાબરી મસ્જિદ પર આટલો વિવાદ કેમ? આથી  બાબરી વિવાદ માનવ રચિત છે ઍનો ઉકેલ પણ લોકોેઍ સંતોષકારક સમાધાન દ્વારા લાવવો રહ્યો.
                                      *************************************

Thursday, December 3, 2015



પૃથ્વીના સૌદર્યનો નાશ
                                                                                                        માનવીઍ પ્રગતિની હાઇમા પૃથ્વીના સૌદર્યનો નાશ કરવામાંડ્યો છે. ઉધ્યોગોના ઉંચા ભૂગળાઑ કાર્બન નામનુ  ખોફનાખ પદાર્થ  ઑકી રહ્યા છે, જે પૃથ્વીના સૌદર્યનો નાશ કરી રહયા છે. બરફની સપાટીઑ પીગળી રહી છે અને દરિયાની સપાટીઑ  ઉભરાઈ રહી છે. વરસાદની અછતને લીધે ડુંગરાઓ અને ખેતરો સુકાઈ રહયા છે.  બધી ઋતુઓ માનવિઓથી રિસાઈ ગઈ છે. ક્યાક્ અતિ વર્ષા તો ક્યાક્ અતી ગરમી અને અતિ ઠંડી, સામાન્ય બિના બની રહી છે. આ બધી આફતો માનવીની પોતાની જ ઉભી કરેલી છે. ઍને કુદરતી સૌદર્યો કરતા ભૌતિક સગવડોની વધારે પડી છે. આથી આ જગત સામાજીક અને માનવતાની દ્રષ્ટિે ઍ દોજખ બની રહયુ છે.
                                  આને માટે માનવિઓે કુદરતને ખોળે જવુ પડશે પછી ખબર પડશે કે ભૌતિક સુ.ખ કરતા કુદરતમા કેટલો આનંદ, શાંતિ અને પરમ સુ.ખ છે. ઍટલે માનવી ઍ નક્કી કરી લેવુ જોઇઍકે,
મારે રખડવૂ છે હરીયાળી ખીણોમા
નદીઓના કોતરોમા અને પંખીઓના કલરવોમા
મારે રમવુ છે કુદરતને ખોળે
જીવનનો પરમ આનંદ પામવો છે
મારે---
મારે પવનને સુંસવાટે થથરવુ છે
મેઘ અને વીજળીની જુગલબંધી માણવી છે
જીવનનો પરમ આનંદ માણવા માટે
ડુંગરોની ખીણોમા રખડવુ મારે
મારે---
નદીઓના  નીરમા ડૂબકીઓ મારવી મારે
અને સાગરની લહેર પર તરવુ છે મારે
સુ.ખ શાંતિ અને આનંદ માણવા માટે
કુદરતને ખોળે વિહરવુ મારે
મારે---
                                         પછી જુઓ જીવનમા પરમ શાંતિ, અને આનંદ મળે છે કે નહી? અને માનવીઍ કુદરતના આવરણનો  નાશ કરતા અટકી જવુ જોઇઍ.
                                         ***********************************