Saturday, July 18, 2015


'જીવો જિવસ્ય ભોજનમ'
                                                                                                         ઍમ કહેવામા આવે છેકે શક્તિશાળી પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય છે. ઍવુ તદ્દન સત્ય નથી. ઘણીવાર નબળુ જીવડુ પણ મજબૂત અને શક્તિશાળીને પણ નુકશાન પહોચાડી શકે છે.  ઍ પણ ઍક અજાઇબી છે.


                              આપણે જેને તુચ્છ  ગણી કાઢી ઍ છીઍ, ઍ ઍજ જીવ ખતરનાક બની રહે છે. આપણે સિંહ, વાઘ, હાથી. અને દીપડાને ખતરનાક માની ઍનાથી ડરીઍ છે, ઍના કરતા નાની માખીઓ વધારે જીવો લે છે, અને કુદરતના નિયમને ઉંધો પાડે છે. અત્યારે જે આંકડાઓ પ્રસિધ્ધ થયા છે, ઍના પરથી જાણી શકાશે કે કોણ કોનો વધૂ નાશ કરે છે.ઍના પરથી ઍ પણ જાણી શકશે કે કોણ જીવોના નાશ કરવામા આ જગતમા મહત્વનો ભાગ ભજવે છે.


 દાખલા તરીકે ઍક વર્ષમા  માખીઓ ૭૫૫૦૦૦ માણસોને મારે છે જ્યારે ઈયળો ૨૦૦૦૦૦ માણસોને મારે છે. સાપો ૯૪૦૦૦ ને મારે છે, અને કુતરા ઑ ૬૧૦૦૦ ને મારે છે.  મગરો વાર્ષિક ૧૦૦૦ માણસોને ફાડી ખાય છે. હાથીઑતો ફક્ત  ૩૦૦ જેટલા જ માણસોને મારે છે.  આમ તમે  જુઓ તો નાના જીવો મનુષ્ય જેવા શક્તિશાળી અને હોશિયાર જીવો માટે વધારે ખતરનાક છે. આમા કુદરતનો નિયમ ક્યા રહ્યો છે?

                                                 ***********************************

Thursday, July 16, 2015


૧૦૮ નો આંકડો
                       
                                                                                                   હિન્દુ શાશ્ત્રમા ૧૦૮ ના આંકડાને ઋષિ મુનીઓેઍ ઘણુ મહત્વ આપવામા આવ્યુ છે. ઍની પાછ ળ પણ રહસ્ય છે!  હિન્દુઓમા ૧૦૮ મન્ત્રોની માળા ને મહત્વ આપવામા આવે છે. ૧૦૮ મન્ત્રોની આહુતિ દેવોને ચડાવવામા આવે છે.  કારણકે ૧૦૮ ના આંકડાને ઑમ સમાન ગણવામા આવે છે.  ઑમમા ઈશ્વર છે ઍમ માનવામા આવે છે.

                               ૧૦૮ ના આંકડાને બ્રમ્હાંડ સાથે ગા ઢ સબંધ છે. કુદરત પણ ૧૦૮ જેટલા વિભાગો મા વહેચાયેલી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરમા ૧૦૮ સૂર્યો સમાઇ શકે છે.  સૂર્યના ડાઈમનસનને અને પૃથ્વીના ડાઇમનસન વડે ભાગી યે તો ૧૦૮ આવશે. માનવી પણ ઍના જીવનમા ૧૦૮ વર્ષે સમ્પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. તે ઉપરાંત માનવીના જીવનમા જ્યોતિષની દ્રષ્ટિે ઍ ૯ નક્ષત્રો દ્વારા ૧૨ મહાદશામાથી પસાર થવુ પડે છે. ઍટ લે ૧૨ ને ૯ગુણી કાઢી ઍ તો ૧૦૮ નો જ આંકડો આવે છે. ઍથી ૧૦૮નુ મહત્વ દરેક ક્ષેત્રમા છે.

                                પૃથ્વી અને ચન્દ્ર વચ્ચેના અંતરમા ૧૦૮ ચન્દ્રો સમાઇ શકે છે. આથી ૧૦૮ની પાછળ આધ્યાત્મિક રહસ્ય રહેલુ છે.

                                              **********************************

Friday, July 10, 2015


ભારતની લોકશાહી
                   
                                                                                                                આપણામા  કહેવત છે કે સાસરામા સાસુ  પીરસનારી હોય તો જમાઈને કઈ ઉણપ નહી રહે, ઍવી જ સ્થિતિ આપણા પાર્લામેન્ટના સભ્યોની છે. પોતેજ પોતાના પગાર અને  ભથ્થાઑ નક્કી કરી અને પોતેજ પાસ કરાવી દે છે. ભારતની પ્રજા પર ઍ ઠોકી દે છે. ઍજ લોકશાહીની કમનસીબી છે.
                           અત્યારે  પાર્લામેન્ટના સભ્યોને-
- ઍમની પત્ની સાથે ૧ ક્લાસ ઍસીની રેલવે ટિકેટ, અને સહાયકને સેકેંડ ક્લાસની ટિકેટ. તેઉપરાંત ટ્રાવેલ ભથ્થુ  ઍક સેકેંડ ક્લાસની ટિકેટ જેટલુ મળે છે.
-વિમાની ભાડુ ફ્રી અને સાથે ૧/૪ જેટલુ વિમાની ભાડુ ભથ્થુ તરીકે મળે છે.
- ફ્રી સરકારી ફ્લૅટ/૫૦૦૦૦ યૂનિટ મફત પાવર/૪૦૦૦૦કિલો લિટર મફત પાણી/૫૦૦૦૦ મફત ટેલિફોન કૉલ પર વર્ષ
-૨૦૦૦૦રૂપિયાનુ માસિક પેન્શન/ ઍક  ટર્મ થી વધારે રહે તો ૨૧૬૦૦ રૂપિયાનુ પેન્શન મળતુ રહે છે. બંગલો ૧૩૦ રૂપિયાના માસિક ભાડે રહેવા મળે છે.
- રૂપિયા ૫૦૦૦૦ની માસિક પગાર પણ મળે  છે. અને પાર્લમેન્ટ જ્યારે ચાલુ હોય ત્યારે રૂપિયા ૨૦૦૦નુ દૈનિક ભથ્થુ મળે છે.
                                                             પાર્લામેન્ટના સભ્યોના  પગાર અને ભથ્થાઑ વધારવામાટે પાર્લામેંટ સભ્યોની ઍક કમીટી તાજેતરમા બનાવવામા આવેલી હતી. તેણે કરેલી ભલામણો પણ  જાણવા જેવી છે.
- સરકારી નોકરોના પગારો અને ભથ્થાઑની  જેમ ઍમના પગારો અને . ભથ્થાઑ  વખતો વખત રીવ્યૂ થવા જોઇઍ.
-સભ્યોના પગાર માસિક ૩૫૦૦૦રૂપિયા કરવા જોઇઍ./મફત વિમાની પ્રવાસ અને સહાયકને મફત ફ્સ્ટ ક્લાસ રેલવેની ટિકેટ./અને વિમાની ફેર જેટલુ  જ ભથ્થુ મળવુ જોઇઍ.
-સભ્યોના પુત્રો/ પુત્રીને તથા પૌત્રોને પણ મફત સરકારી મેડિકલ સહાય મળવી જોઇઍ.
- સભ્યોનો માસિક પગાર બમ ણો કરવાની પણ માંગણી છે.
- સભ્યોના ભથ્થાઑ સારા ઍવા વધારવાની પણ માંગણી છે.
- સભ્યોની જે તે વિમાની મથકે માનપૂર્વક સ્વાગતની વ્યવસ્થા હોવી જોઇઍ.
                       આ છે લોકશાહીની બલિહારી છે ! અને લોકસેવા કરવા માટેની  અજબ માંગણીઑ છે.
                                           ************************************************

Monday, July 6, 2015


કેટલા લોકો જાણે છે?

                                                                                                         ૧) ગ્લાસને  સડી જતા ૧૦૦૦૦૦૦  વર્ષ લાગે છે.
                                 ૨) સોનાને કદી કાટ લાગતો નથી.
                                  ૩)જીભ ઍવી ઍકજ સ્નાયુ છે જે ઍક બાજુથી જ શરીર સાથે જોડાયેલો છે.
                                 ૪) જ્યારે શરીરમાથી પાણી શોષાઇ જાય છે ત્યારે તરસ મટી જાય છે.
                                 ૫) અમેરિકન આંતર યુધ્ધ દરમિયાન અમેરીકામા સંદેશાઓ પતંગ અને વર્તમાનપત્ર       દ્વારા મોકલતા હતા.
                                 ૬) સિંગતેલનો  ઉપયોગ સબમરીનમા બળતણ તરીકે કરવામા આવે છે, કારણ કે સિંગતેલ ૪૫૦ફેરાનાઇટ ઉશ્ણતામાને જ ધુમાડો કાઢે છે.