Saturday, June 29, 2013


ગુજરાત દિવસ - પહેલી મે ૨૦૧૩
=====================
ગુજરાત રાજ્યની સ્થાપના ૧૯૬૦ ના પહેલી મે ના રોજ થઈ હતી . ત્યારથી ગુજરાતની આગેકૂંચ ચાલુ છે. ગુજરાતે  ભારતને અનેકરત્નો આપ્યા છે. ભગવાન કૃષ્ણાથી  શરૂ થઈ ગાંધી અને સરદારથી આગળ વધી રહી છે. ભારતના ભાગલા થયા પણ ભાગલા કરાવનાર જ઼ીના પણ ગુજરાતી જ હતા. ગુજરાતે ભારતને રાસ્ટ્રપિતા, પ્રધાનમંત્રી, અને નાયબ પ્રધાન મંત્રી આપ્યા છે. મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી પ્રધાન મંત્રી હતા અને બીજા ઍક અગ્રગણ્ય ગુજરાતીઍ પ્રધાન મંત્રી થવા નામ નોઘાવી દીધુ છે. ભારતના પૈસા પાત્ર વ્યક્તિઓમા  અંબાણી, ટાટા, પ્રેમજી  વગેરે  આગળ છે.  ગુજરાત વિકાસમા  પણ બધા રાજ્યોમા આગળ છે.
                                                    ગુજરાતનો ઈતિહાસ પણ  સમૃધ્ધ  છે. ગુજરાતીઓ સાહસિક, ખંતીલા, અને પ્રામાણિક હોઈ ગુજરાતની સમૃધ્ધિ જાળવી રાખી છે. દુનિયાને ખોળે ભમીને ઍમણે અખૂટ સંપતી ભેગી કરીને ગુજરાતને સમરુધ્ધ બનાવ્યુ છે. મોગલોથી માંડી બ્રિટીશો સુધી ગુજરાત હમેશા સમૃધ્ધ રહ્યુ છે. આથી ગુજરાતની જહેજલાલી હમેશા ગુજરાતની પ્રજાને જ જાય છે. નેતાઓ નિંમીત માત્ર હોય છે પરંતુ જહેજલાલી પાછળ  ગુજરાતી પ્રજાનુ જૉસ હોય છે. ભલે ગુજરાતીઓ  પરદેશમા  પૈસે ટકે સમરુધ્ધિમા આળોટતા હોય પરંતુ તૅઓ પોતાના માદરે વતન ગુજરાત અને ઍનિ ભૂમિને ભૂલતા નથી. દરેક ગુજરાતી ગુજરાતને  આવી રીતે  યાદ  કરે છે.
ઍવુ રૂપાળુ ગુજરાત-
પશ્ચિમે ઘુઘવતો સાગર, પુર્વે ગીરીમાલાઓ છે
ઍવુ રૂપાળુ ગુજરાત, જ્યા સ્વર્ગમય દિન રાત છે
બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે  નર્મદા અને મહી
દક્ષીણે  તાપી અને અંબિકા, પાથરી લીલી જાજમો અહી
ઍવુ રૂપાળુ ગુજરાત-
નરસિ્હના  પ્રભાતિયાઓથી, જ્યા સૂર્યોદય થાય છે
કૃષ્ણ અને ગા.ધિની ગાથાઓ , રાત દિન સંભળાય છે
અમેરિકાથી તે જાપાન સુધી, વિસ્વે ગુજરાતીઓ વસે
સમરુધ્ધિની રેલમ છેલમ થકી, ગુજરાતની  જો ળી ઑ ભરે
ઍવુ રૂપાળુ ગુજરાત-
બધે સાગરોને પર્વતો છે, ફળફૂલોથી લચકતા બગીચાઓ
તો પણ ગુજરાતીઑ શોધે શુ? ગુજરાતની માટીની મહેક ક્યા?
ઍવુ રૂપાળુ ગુજરાત-
ભારત દેસાઈ
                                       **********************************************

Thursday, June 20, 2013


પિતા દિવસ- ૧૬ મી જુન  ૨૦૧૩
=====================
અમેરીકામા ૧૬મી જૂને પિતા દિવસ ઉજવવામા આવ્યો. ઘણા ઍ પોતાના પિતાને ભેટો અને ફૂલોથી નવાજ્યા હશે. ભારતમાતો પિતા દિવસ દરરોજ હોય છે કારણકે પિતા કુટુંબના વડા તરીકે સાથે જ રહે છે. ઍને હમેશા માન આપવામા આવે છે. પરંતુ ઍવા પણ  કમનસીબ પિતા હોય છે જેને ધૂતકારવામા આવે છે. તેમની અવગણના પણ કરવામા આવે છે. ઍવા પિતાઓને થોડી પંક્તિઓમા આ અંજલી છે.
પિતા
-----
ઈશુની મા મેરી પણ પિતાનુ નામ ક્યા?
કૃષ્ણની મા દેવકી, વાસુદેવનુ નામ ક્યા?
સિતાને થયેલ અન્યાયનુ  જ્યા ત્યા ઉલ્લેખ છે
રામના દર્દની કોઈ વાત જ ક્યા છે
કવિઓ, લેખકો, અને સંતઓઍ માતાના ગુણો ગાયા
કમનસીબ પિતાઓ હંમેશ  છે, અવગણાયા
ઍ પિતાઓનો ગુનો શો, ઍતો પુછો
સખ્તાઈથી કુટૂબને તાર્યુ,  ઍ શુ ઍનો ગુનો?
પિતા આન્શુઓ ઓશીકે  વહાવે જ્યારે
માતાની આરતીઓ ઉતરતી હોય છે ત્યારે
ઍવા પિતાને આ  અંજલી છે
ભલે તમે થયા ફના, કુટુમ્બ તો આબાદ છે.
ભારત દેસાઈ
                                                         ***********************************

Sunday, June 2, 2013


વિચિત્રતા
======
                                       જે લોકોમા વિચિત્રતા હોય છે ઍ લોકો શુ કરશે? કેવુ વર્તન કરશે? તે વિષે અનુમાન કરવુ પણ મુશ્કેલ છે. ઘણીવાર આવા લોકો કોઈના કાબૂમા નથી રહેતા અને ઍમનો ગુસ્સો કાબૂ બહાર ચાલી જાઇ છે. પરંતુ ઘણીવાર આવાજ માણસો દુનિયામા અનોખુ પ્રદાન કરતા રહે છે. ઘણીવાર નાગા બાવાઓનુ વર્તન વિચિત્રા હોય છે પરંતુ ઍ ઉચ્ચ કશા ઍ પહોચેલા હોય છે. ઍમની વિચિત્રતા ઍમના ધેધ્ય સ્વરુપ હોય છે.
                                   

                                     પૂજ્ય મોટા ઍ ઍમની આત્મકથાંમા ઍક ઍવા ગુરુંની વાત કરી હતીકે જેમણે ઍમના વિચલિત માનસને કાબૂમા લાવવા માટે ઍમના મસ્તક પર પ્રહાર કર્યો હતો. પરંતુ ઍમાથિ ઍક સંતનો જન્મ થયો હતો. વિચિત્ર માણસની વિચિત્ર પધ્ધતીનો આ નમૂનો છે. રામકૃષ્ણ પરમહંસ પોતાની પત્ની શારડાદેવીને મા કહેતા આ પણ ઉચ્ચ કક્ષાઍ પહોચેલા સંતની વિચિત્રતા જ છે. જાણીતા લેખક્ ગુણવંત શાહે મોરારજીભાઇ ભાઈને વિચિત્ર ગણાવ્યા હતા પરંતુ સાથે સાથે ઍમ લખ્યુ હતુ કે ઍવા લોકોને ઓળખવુ પણ મુશ્કેલ છે. ઍમને જાણવા માટે ઍમની નજદિક જવુ પડે. મોરારજીભાઇ સાથેના ગાઢ પરિચય બાદ તેઓ ઍમના પ્રસંસક બની ગયા હતા. ઍમણે આગળ લખ્યુકે ' મોરારજીભાઇ નાળિયર જેવા હતા જ્યા સુધી નાળિયરને તોડો નહી ત્યા સુધી મીઠુ પાણી પીવા મળે નહી. તેઓ વલસાડની આફુસ કેરી જેવા હતા કાપીને ખાવ નહી ત્યા સુધી ઍનિ મીઠાસને માણી શકો નહી. આ ઍટ લા માટે કે મોરારજીભાઈને જાણ્યા સિવાય ઍમને વિચિત્ર ગણી ઘણાઍ અન્યાય કર્યો હશે.
                                       
                                         જનરલ મેક આર્થર બીજા વિશ્વ યુધ્ધના મહાન વિજેતા અમેરિકન સેનાપતિ હતા. તેઓ તેમના વિચિત્ર વર્તન માટે પણ જાણીતા હતા. ઍમાને ઍમા ઍમણે અમેરીકન પ્રમુખની સત્તાને પણ પડકારી અને  ઍમની ખુરશી ગુમાવી દીધી. ઍનાથિ ઍમનુ બીજા વિસ્વ યુધ્ધના પ્રદાનને ઑછુ ગણાતુ નથી. ઍપલ ના સ્થાપક સ્ટીવ જોબ પણ વિચિત્ર સ્વભાવના હતા. ઘણીવાર ગુસ્સામા ખુરશી પણ ફેકતા. ઍમની સાથે કામ કરવુ મુશ્કેલ હતુ.  ઍમને ૧૯૮૫મા ઍમણે જ સ્થાપેલી કંપનીમાથી હાકી કાઢવામા આવ્યા હતા. થોડા સમય પછી ઍ ઍપલમાપાછા ફર્યા હતા. ત્યાર બાદ તૅઓ વધારે સફળ રહ્યા. બધા જોબની વિચિત્રતાથી પરિચિત હતા પણ તૅઓ નવનિર્માણમા નિપુણ હતા. ઘણીવાર વિચિત્રતા સફળતાની સાથી હોય છે.
                                           તે છતા વિચિત્ર માણસો ઘણીવાર સુદ્રઢ રીતે કપડા પહેરતા હોય છે. ઍમનામા આત્મવિશ્વાસ હોય છૅ. ઍમને ઍમની જાતને રજૂઆત કરવાની આવડત હોય છે.  તૅઓ ઉચ્ચ  સ્વપ્ન દ્રષ્ટા, બૌધિક, અને હાસ્ય રસિક હોય. સામાન્ય લોકોની દ્રષ્ટિે ઍ નીરસ લાગે છે. પરંતુ ઍવા માણસોનૂ પ્રદાન આ દુનિયામા વધુને વધુ રહ્યુ છે ઍમા શંકા નથી.
                                                    ****************************************