Wednesday, May 23, 2012




 નરસામા પણ સારુ જુઓ
===============

આ દુનિયાની દરેક ચીજમા અને વ્યક્તિમા કોઈને કોઈગુણ  હોય . ઍ ને જોવા માટે સકારાત્મક વલણની જરૂરત છે. વિનોબાજી ઍ કહ્યુ છે તેમ "જ્ઞાન કરતા દ્રષ્ટી નુ મહત્વ વધુ છે."
-કારેલા કડવા હોય છે પરંતુ ઍ શારીરિક રીતે ઘણા ઉપયોગી હોય છે. તેવી જ રીતે ખરાબ વ્યક્તિઓમા પણ કઈક સારી વસ્તુ હોય છે.
-રાવણ રામાયનમા વિલન હતો પણ જ્ઞાનનો ભંડાર હતો. રાજનીતીમા ઍ નિપુણ હતો. રામે પણ ઍ સ્વીકાર્યુ હતુ.
-દુર્યોધન ઍક સારો રાજા હતો. તે સ્વભીમાની અને બહાદુર યોધ્ધો હતો. મહાભારતના યુધ્ધમા ઍક વખતે ઍને સલાહ આપવામા આવી હતીકે 'તેણે પાંડવઑ સાથે સમાધાન કરી દેવુ જોઇઍ કારણ કે તેની જીતવાની શક્યતા નથી.' તેનો જવાબ ઘણો  સચોટ હતો. ' સાચો યોધ્ધોતો રણમેદાનમા જીત મેળવે છે, અથવા લડતા લડતા મૃત્યુને ભેટે છે. કહેવાય છે કે  દુર્યોધનઍના મૃત્યુબાદ સજા ભોગવવા નર્ક મા ગયો હતો. ઍ ની સજા પુરી થતા કૃષ્ણ ઍ ઍને બહાર કાઢવા હાથ આપ્યો, ત્યારે પણ ઍ ણે ઍનુ આત્મસન્માન છો ડ્યુ ન હતુ. હૂ મારી જાતે નીકળીશ કહી કૃષ્ણની મદદનો અસ્વીકાર કર્યો હતો.
-ઍડૉલ્ફ હિટલર જેનો બીજા વિશ્વ યુધ્ધમા પરાજય થયો હતો,તે ઘણો ક્રુર સરમુખત્યાર હતો. લાખો યહુદિઓની ઍણે કત્લ કરાવી હતી. ઘણા દેશોને ઍની સેનાઍ કચડી નાખ્યા હતા. પરંતુ ઍ ઉચ્ચ કક્ષાનો નેતા હતો જેના માટે જર્મન પ્રજા જાન આપવા તૈયાર હતી. ઍ ણે જર્મનિને મજબૂત રાષ્ટ્ર બનાવ્યુ હતુ જેને માટે દરેક જર્મનો ગર્વ શકે ઍમ હતુ. તે ચિત્રકાર હતો. દેશપ્રેમી હતો. યુરોપના સંસ્થાનવાદ નીચે સબળતા ગરીબ દેશોને મુક્તિ અપાવવામા આડકતરી રીતે મદદ કરી હતી. સુભાષચંદ્ર બોજને પણ ભારતની સ્વાતંત્રની લડાઈમા સહાય કરી હતી. ભારતની આર્ય  પ્રજા માટે ઍને માન હતુ અને સ્વસ્તિકને જર્મન રાષ્ટ્રનુ પ્રતીક તરીકે અપનાવ્યુ હતુ.
-બુરાઈની બાબતમા ગાંધીજીના વિચારો બહુ સ્પષ્ટ હતા. ગાંધીજી લોકોની સારાઈનો ઉપયોગ સારા કામો માટે કરતા અને ઍમની બુરાઈઓ માટે તેમણે સાહનુભુતિ હતી. તેઓ કહેતા" મારા પોતાનામા ઘણી નબળાઈઓ છે તો બીજાની ક્ષતિઓને કેવી રીતે મુલવી શકુ."

                                             *********************************

Monday, May 14, 2012


મા      
==
( મધર ડે- ઍક અંજલી)
મા ઍટલે પ્રેમ, બલિદાન, અનેસહનશીલતાની પવિત્ર મુર્તિ. મા પ્રેમની નદી છૅ  પરંતુ પોતાના સંતાનોની રક્ષા માટે તે મહા ચન્ડી પણ બની શકે છે. સ્ત્રીની બધી શક્તિઓનુ સમાગમ માતામા હોય છે. ઍટલા માટે આપણે  માને રુદ્ર સ્વરુપમા કાલિકા અને પ્રેમ સ્વરુપમા અંબા તરીકે પુંજીયે છિઍ. ઍવુ ઍક પ્રાણી બતાવો જે માને પ્રેમ ન કરતુ હોય. સારા કે નઠારા બધા જ માનવીઓ પણ માના ખોળામા માના પ્રેમમા ખોવાઈ જાય છે. મહાન વ્યક્તિઓે ઍ પણ પોતાની સફળતા માટે પોતાની માતાઓને જ યશ આપ્યો છે.
(નીચે પ્રમુખ બરાક ઓબામાનુ બાળપણનુ ઍમની માતા સાથેનુ ચિત્ર  છે જ્યારે ઍની નીચે બાળ ગણેશ અને પાર્વતીનુ ચિત્ર છે.)


-ગણેશજીઍ પોતાની મા  પાર્વતીની રક્ષા માટે પોતાનુ મસ્તક  શિવજી  સામે ધરી દીધુ હતુ. પુત્ર નો ઍની  મા પ્રત્યેના પ્રેમનો  અજોડ દાખલો છે.
-શિવાજીને ઍમના સરદારો ઍ ઍક સુંદર સ્ત્રી ભેટમા આપી હતી. ઍ ની સુંદેરતા જોઈને ઍમને ઍમની માતા યાદ આવી. તેમણે ઍને નકારતા ઍટ લુ જ કહયુ કે ' મારી મા જો આવી સુંદર હોતતો હુ કેટલો દેખાવડો હોત ' મા ઍ  સિંચેલા ઉંચ ચારીત્રનો આ ઉત્તંમ નમૂનો છે.
-રામકૃષ્ણપરમહંશ પોતાની પત્નીમા માની પવિત્રતા માનતા. તૅઓ પોતાની પત્નીને 'મા' કહીને જ સંબોધતા. તેમની માના સંસ્કારો, અને પવિત્રતાને ઍમની ઉંચ સાધના બાદ પણ ભૂલી શક્યા ન હતા. દરેક સફળ વ્યક્તિઓ પર માની છાયા પથરાયેલી હોય છે.
-અભ્રાહમ લિંકન ઍમની માને અધભૂત પ્રેમ કરતા હતા. માના ઍક સંદેશા પર બધા અગત્યના કામો છોડી ઍની પાસે દોડી જતા.
-મહાત્મા ગાંધી પર ઍમની માતા પૂતળી બાઈ નો બહુજ પ્રભાવ હતો. તેમણે ગાંધીજી જ્યારે ઉંચ અભ્યાસ માટે લંડન જવા માંગતા હતા ત્યારે વચન લીધુ હતુ કે તે કદી માંસ મચ્છી નહી ખાય અને જુઠ્ઠુ બોલશે નહી. ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ ઍમાથિ જ જનમ્યો હતો.
- ચીની ક્રાંતિના નેતા માઓટસે તુંગને ઍમની માતાઍ ધીરજના પાઠ શીખવ્યા હતા. તે ઍમને ચીનની ક્રાંતિ દરમ્યાન બહુ ઉપયોગી  થયા હતા.
                     ગુજરાતી કવિ બોટાદકરે માની બાબતમા ઍક સુંદર કાવ્ય આપેલુ છે
                                " મીઠા મધુને મીઠા મોરલા રે લૉલ,
                                   ઍ થી મીઠી રે મૉરી માત રે,
                                   જનનીની જોડ સખી નહી મળે રે લૉલ."                                                      
                                                          ************************