Monday, December 18, 2017


અમેરિકન ફિલ્મ હીરો
                                                                                 અમેરિકન ફિલ્મ અભિનેતાઓને હોલીવૂડની ફિલ્મોમા તેમની ગ્લૅમરને જોઈને કોઇપણ અંજાય જાય છે. પરંતુ તેમની કારકિર્દી પાછળ રહેલી ઍમની અથાગ મહેનત અને ધગસની કોઈને જાણ હોતી નથી. તેઑઍ જીવનમા સફળતા કેવી રીતે મેળવી અને ઍ વિષે ઍના શુ વિચારો છે ઍ પણ રસદાયક છૅ. તૅઓ ઍ બાબતમા ઘણી ઉદારતા થી વાત કરે છે.
                                                                                અમેરિકન ગાયિકા લેડી  ગાગા કહે છેકે ઍને પણ સામાન્ય માણસની જેમ  અસલામિતી ની લાગણીઓ થી  શરૂઆતમા પીડાતી હતી. પરંતુ ઍ માને છે કે દરેક મનુષ્યમા મહાન કલાકાર બનવાની આવડત છુપાયેલી હોય છે ઍને બહાર લાવવાની કળા હોવી જોઇઍ. સખત મહેનત દ્વારા ઍ  ઉચ્ચ કક્ષાની ગાયિકા અને અભિનેત્રી બની છે.

                                                                                ડેન્જ઼ેલ વૉશિંગ્ટન જેમણે ઘણા ઍવૉર્ડ્સ મેળવીને  હૉલીવુડમા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે  નામ મેળવ્યુ છે ઍમનુ માનવુ છે કે  તમે તમારા ભયને ઓળખીને ચાલો. તમને  જે લાગણી થાય અને વિચારો આવે ઍને ઓળખી લો અને જીવનમા આગળ વધો.

                                                                              જિમ કેરી કે જે સફળ અભિનેતા છે.  તેઓ કેનેડિયન  અમેરિકન  હાસ્ય કલાકાર ઉપરાંત  લેખક અને ફિલ્મ નિર્માતા પણ છે. ઍમનુ શરૂઆતનુ જીવન બહુ જ સખત હતુ પરંતુ ઍમણે નક્કી કર્યુ હતુકે હૂ સફળ થઈને જ રહીશ. હૂ મિલ્લીઓનોર થઈને જ રહીશ. ઍમણે ઍમના  પાકીટમા ઍક મિલિયન ડૉલર નો ચેક લખીને રાખ્યો હતો. ઍક વખત ઍમણે હસતા ક્હ્યુ હતુકે સફળતા મળતા ઍટલા વર્ષો નીકળી ગયા કે પેલો ચેક જર્જરિત થઈ ગયો હતો પરંતુ હૂ મિલ્લીઓનેર થઈ ને જંપ્યો.  ઍ કહે છે કે માણસે  પોતાના ભવિષ્યને વારે વારે અને સ્પસ્ટ પ ણે જોવુ જોઇઍ. જેથી ઍક દિવસ ઍ વાસ્તવિક બની જાય.

                                                                             ઍક બીજા સફળ અમેરિકન અભિનેતા વિલી સ્મિથ કહે છે કે તમારે જ  નક્કી કરવાનુ  છેકે તમારે શુ કરવુ છે? તમારે શુ થવુ છે ? કેવી રીતે કરવુ છે?

                                                                            બીજા ઍક અમેરિકન હાસ્ય કલાકાર , લેખક, નિર્માતા સ્ટીવ હાર્વે નુ માનવુ છેકે "  ઍક વાત ચોક્કસ અને સત્ય છેકે  આનંદ અને ડિપ્રેશન સાથે રહી શકે જ નહી.  ઍટલે જ્યા તક મળે ત્યા હસતા જ રહો. તમારા મનમા ઍક વાત  આવી તો તેને  હાથ કરી જ શકશો."
                                                                            ટૂકમા સફળતા પાછળ કોઈને કોઈ ચોક્કસ વિચારધારા હોય છે. અને  ઍ વિચારધારાને સફળ માનવિઓે ઍ સખત પરિશ્રમ દ્વારા અમલમા મૂકી હોય છે.  કોઈ પણ સફળતા મફતમા મળતી નથી.
                                                               *****************

Sunday, December 10, 2017


સ્વાસ્થ્ય ઍ સુખનુ પ્રથમ પગલુ
                                                                      શારીરિક સ્વાસ્થ્ય વગર કોઈ પણ  જાતનુ માનસિક કે ભૌતિક સુખ ભોગવી શકાય નહી. આથી શારીરિક સુખ કેવી રીતે જળવાઈ રહે ઍ   ધ્યાન રાખવુ જરૂરી છે.  ઍના માટે થોડા સામાન્ય નીયમો જાળવવા ઘણા ઉચ્ચિત છે.
ઍના માટે ઉચિત ખોરાક, નિયમિત આરામ અન થોડી અનુકુળ અને શરીર યોગ્ય કસરતો કરવી જરૂરત છે. ઍના થી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
                                                                      બીજુ માનસિક સુખ પણ જીવનમા અગત્યનુ છે. કોઇ પણ બાબતમા અપેક્ષાઓ  ઑછી રાખવી જોઇઍ. અહમને તળિયે લાવી દેવો જોઇઍ. અને જીવનમાથી  નકારત્વ તત્વોને દૂર કરી દેવા.. આ બધા નીયમોનુ પાલન  પાલન કરવુ જેથી  માનસિક સુખ પ્રાપ્ત થાય.
                                                                        ત્રીજુ અને  આખરી સુખ આધ્યાત્મિક સુખ છે જેમા આત્મા અને શરીરને  જુદા પાડી ઍને ઓળખવા પ્રયત્ન કરવો રહયો. ભૂતકાળને  છોડી દો અને ભવિષ્યની ચિંતાથી મુક્ત રહો પણ ભવિષ્યની યોજનાઓ આગળથી ઘડી કાઢો. વર્તમાંનમાથી તમારી જાતને મુક્ત કરવા પ્રયત્ન કરો.  આસક્તીઓથી મુક્ત થઈ વેર વૃત્તિ જેવી નબળાઈ ઑ યી દુર રહો. કોઇપણ આશા વગર જરૂરીયાતમન્દોને  મદદ કરો. દરરોજ પ્રાર્થના  દ્વારા પરમ પ્રભુને શરણે જવુ  જરૂરી છે. ઉપરના નીયમોને અનુસરવાથી  માનવી આધ્યાત્મિક સુખ મળે ચ્હે.
                                 ટૂકમા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખ જ માણસને તંદુરસ્તી બક્ષે છે.
                                             **********************************        

Sunday, December 3, 2017


આંતકવાદ
                                                                                   આંતકીઓની  મૂળ જન્મભૂમિ પાકિસ્તાન બની ચુક્યુ છે. ઇંડિયાના ભાગલા અંગ્રેજોની કુટનીતિ હતી તો ધર્મને નામે દેશના ભાગલા કરી પોતાની મહત્વકાંક્ષા પુરી કરવી ઍ મહમદઅલી જીણાની રાજનીતિ હતી.  જીણા સ્વભાવે કે આદતે ઇસ્લામી ન હતા. ઍના બધા મિત્રો હિન્દુઓ અને પારસી હતા. ઍમના બધા શોખો પશ્ચિમી હતા. ઈસ્લામના ઘણા નીયમો તેઓ પાડતા ન હતા. પાકિસ્તાન તો ઍમની રાજકીય મહત્વકાક્ષાની ઍક નિશાની છે.  તેઓ કરાચીમા પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે ઍમના મીત્રો વગર  જુરતા હતા. ઍમણે કહી દીધુ હતુ કે હવે હિન્દુ મુસ્લીમનો ભેદ ભૂલી બધાઍ સાથે રહેવુ જોઇઍ. ટુંકમા ઍમને ઈસ્લામિક પાકિસ્તાન જોઈતૂ ન હતુ.  ઍકવાર તો ઍમણે કબૂલી લીધુ હતુ કે પાકિસ્તાનની રચના ઍ ઍમની મોટી ભુલ હતી. ઍમને પાકિસ્તાનના ભાવી  પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો. તેઑઍ ઉભુ કરેલુ આંધળી ધાર્મિકતાનુ ભુત ઍમની હાજરીમા  જ ધુણવા માંડ્યુ હતુ.
                                               આજે ધર્મ જનુનિ ઈસ્લામિક લોકોઍ પાકિસ્તાનની હલાત   મરુભુમી જેવી કરી નાખી છે. દરરોજના બોમ્બ ધડાકાઑ અને અસંખ્ય મોતોઍ પાકિસ્તાનની ધરતીને લોહોયાળ બનાવી  દીધી છે.  ઍનુ કારણ પાકિસ્તાનમા ઉછેરાઇ રહેલો આંતકવાદ છે. ટુંકમા આંતકવાદ અને કાશ્મીરનો પ્રશ્ન પાકિસ્તાન સરકાર અને સૈન્ય માટે ઍમના અસ્તિત્વનુ સાધન બની ગયુ છે.

                                                પાકિસ્તાનની ભૂમિ  કાશ્મીરના પ્રશ્નના બહાના હેઠળ  આંતકવાદી સંઘઠનોનૂ અડ્ડો બની રહયુ છે. પાકિસ્તાનમા તાલિબાન, હિજ઼્બુલ, જમાત ઉદ્ દાવાને, લશ્કરે તોયેબાનો જેવા આંતકવાદી સંસ્થાઓ ફુલીફાલી છે. ઍના પડઘાઓ બીજા મુસ્લિમ જગતમા  પડ્યા છે અને ઍમાથી પ્રેરણા રૂપ ભયંકર આંતકવાદી સંસ્થા  આઈ ઍસ આઇ  ઍ આખા વીશ્વમા હાહાકાર મચાવી દીધો છે.
                                                પૂર્વ પાકિસ્તાની પ્રમુખ અને પૂર્વ સેના અધ્યક્ષ પરવિજ મુસર્રફે પાકિસ્તાની આંતકવાદીઓને દેશના હીરો  તરીકે નવાજ્યા છે. આવા સંજોગોમા વિશ્વના રાષ્ટ્રોઍ સયુક્ત મૉર્ચો આંતકવાદ સામે માંડી ઍનો નાશ કરવો આવશ્યક છે. નહી તો પછી વીશ્વે  આંતકવાદ રૂપી  રાક્ષસનો  ભોગ બનતા રહેવુ પડશે અને નિર્દોષ માણસો ઍના ભોગ બનતા રહેશે. આંતકવાદીઓના હાથમા જો અણુ  શસ્ત્રો આવી ગયા તો વિશ્વનો નાશ ચોક્કસ છે.
                                      ******************************************